ઈ-વિદ્યાલય, નવી સામગ્રી
- ઈજનેર દિવસ – સર મોક્ષગુડમ વિશ્વેસરૈયા સપ્ટેમ્બર 15, 2021
- મીરની કળા મે 12, 2021
- પોષણવાડી મે 6, 2021
- મશીનરી – ૧ એપ્રિલ 26, 2021
- ધોરણ – ૬ , ગણિત એપ્રિલ 17, 2021
મુલાકાતીઓની સંખ્યા
- 3,882,335 વાચકો
Join 1,408 other subscribers
નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી
- અનુરાધા ભગવતી
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker
- ગુજરાતી વિશ્વકોશ
- સ્વ. ડો. કનક રાવળ
- દાઉદભાઈ ઘાંચી
- રમાબહેન મહેતા
- ગુજરાત છે અમરતધારા
- આદર્શઘેલી બેલડી, તુલા – સંજય (વિશ્વ ગ્રામ)
- દેવયાની ડંગોરિયા – તેલંગણાનાં ગુજરાતી અમ્મા
- ભારતની ગુલામી અને આઝાદીનો ઈતિહાસ
- ગુજરાતી વિશ્વ કોશ – ડિજિટલ સ્વરૂપે
- કેલેન્ડર – ૨૦૨૨
- સાહિત્યકાર કેલેન્ડર
- નામ/ ઉપનામ
વિભાગો
વાચકોના પ્રતિભાવ
pragnaju પર મૂળશંકર ભટ્ટ, Mulashankar… | |
JOHNSON પર જોસેફ મેકવાન, Joseph Macw… | |
જીતેન્દ્ર પંડ્યા વડો… પર સુંદરમ્, Sundaram | |
Hasmukh M Parghi પર હંસા દવે, Hansa Dave | |
અનોપસિંહ ભાવસિંહ ઝાલ… પર સંસ્કૃતિરાણી દેસાઇ, Sanskrutir… | |
અનોપસિંહ ભાવસિંહ ઝાલ… પર સંસ્કૃતિરાણી દેસાઇ, Sanskrutir… | |
સલીમ કારભારી પર મસ્ત હબીબ,સારોદી, Mast Habib… | |
yogeshochudgar પર મળવા જેવા માણસ – સુધીર ગા… | |
shivani patel પર ગાંધીજી, Gandhiji |
Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય
સાભાર – પ્રજ્ઞાબહેન વ્યાસ
જાણીતા સાહિત્યકાર, ચિંતક નાનુભાઇ નાયકનું અવસાન
— સામાન્ય ખેડુત પરિવારમાંથી આવેલા નાનુબાપાએ 92 વર્ષની લાંબી ઇનિંગ રમીને સુરતને સાહિત્યથી તરબોળ કર્યું હતુ
— તાજેતરમાં જ તેમના પુસ્તક મારા સપનાનું વિશ્વને વિનોબા ભાવે એવોર્ડ પ્રદાન થયો હતો.
સુરત જ નહીં ગુજરાતી સાહિત્ય જગતમાં નાનુબાપા તરીકે જાણીતા અને જેમને લોકો નગરબાપા તરીકે પણ ઓળખતા હતા તેવા પ્રખર સાહિત્યકાર નાનુભાઇ નાયકનું સુરતમાં 92 વર્ષની વયે ગુરુવારે બપોરે અવસાન થયું છે. ઓલપાડ તાલુકાના ભાંડુત ગામમાં સાવ સામાન્ય ખેડુત પરિવારમાંથી સુરત આવેલા નાનુભાઇનું સુરતના અને ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર યોગદાન રહ્યું છે. તેમના પુસ્તક મારા સપનાનું વિશ્વને તેમની 10 મેા દિવસે વર્ષગાંઠના દિવસે જ વિનોબા ભાવે એવોર્ડ એનાયત થયો ત્યારે નાદુરસ્ત તબિયત હોવા છતા તેઓ હાજર રહ્યા હતા.
સુરતમાં ગુજરાતી સાહિત્ય માટે જાણીતા એવા સાહિત્ય સંગમના પ્રણેતા નાનુભાઇ નાયક 92 વર્ષની લાંબી ઇનિંગ રમીને ગુરુવારે ફાની દુનિયા છોડી ગયા છે. તેમણે પત્રકારત્વ અને સાહિત્યમાં અઢળક લેખો લખ્યા છે. સેંકડો પુ્સ્તકો તેમણે ગુજરાતી સાહિત્યને આપ્યા છે. તેમના સાહિત્યની સફરમાં તેમણે સાહિત્ય સંગમ જેવું વિશાળ વટવૃક્ષ આપ્યું છે.
મહાત્મા ગાંધીના ઉત્તમ વિચારોથી પ્રભાવિત નાનુભાઇએ 695 પાનાનું મારા સપનાનું વિશ્વ પુસ્તક લખ્યું હતું. તેનો અંગ્રેજી અને મરાઠી ભાષામાં પણ અનુવાદ થયો છે.નાનુભાઇની વિદાયને કારણે સુરતના સાહિત્ય જગતમાં ન પુરાઇ તેવી ખોટ પડી છે.પરમ કૃપાળુ પરમાત્મા સદગતના પવિત્ર આત્માને શાંતી અર્પે તથા પરિવારને આ દુઃખ સહેવાની હિંમત આપે એવી પ્રાર્થના ..!
એક વાર તેઓશ્રી એ જ મને કહેલુ કે, ”જીવન એક સરિતા છે, તેના પ્રવાહને જુદાજુદા સ્વરૂપો, જુદીજુદી અવસ્થાઓ અને મર્યાદાઓ હોઈ શકે પરંતુ, ગતિશીલતા એ તેનો ધર્મ છે.. જીવનના કોઈ તબ્બકે સ્વજનોથી હજારો માઈલ દૂર જવું પડે, છતાં એ નજીક જ લાગે છે… જુઓ, ઋણાનુંબંધી પ્રેમને કોઈ અંતર નથી જ .. એટલે જ એ અલૌકિક કહેવાય છે ને? ”
અત્યારે આ શબ્દો યાદ આવે છે ને અશ્રુઓ વહી જાય છે.. તેઓ અનંત યાત્રાએ નીકળી ગયા પરંતુ ૠણાનુબંધ અમર રાખતા ગયા. એમના પવિત્ર વ્યક્તિત્વની મહેંક કાયમ પ્રસરેલી રહેશે…એમની આપેલી શિક્ષા અને સંસ્કાર એ જ તો અમારા જીવનની મુડી છે.. ! ગુરુ-શિષ્યાનું આ ઋણાનુબંધ સદાય અમર રહેશે..!