આપણી રંગભૂમિ ના ઘડવૈયા
– સૌજન્ય – ચંદુલાલ શાહ
સાભાર – શ્રી. ઘનશ્યામ વ્યાસ, મુંબઈ
શ્રી ગીરીશભાઈ એમ નાકર નો જન્મ ૧૭/૧૨/૧૯૩૯ ના રોજ સોડલસા જિ.જામનગર માં થયો હતો. બી. એ.એલ .એલ.બી. અને વર્ધા ની કોવિદ ઉપાધિ મેળવી હતી. ચૌદ વર્ષ ની ઉંમરે ‘ દગાબાજ દુનિયા નામ નું નાટક લખી ને મિત્રોના સહકાર થી પડદા બાંધી ને ભજવ્યું..૧૯૬૨ માં ‘મૉડર્ન કલ્ચરલ એસોસિયેશન ‘ ની સ્થાપના કરી અને ” તમે મારા વર છો ” નામનું નાટક લખી ને ભજવ્યું. ૧૯૬૫ માં ” રાતે વહેલા આવજો” નાટક લખ્યું. બાદ ‘ પ્રીત પિયુ ને પોપટલાલ ‘ જે અનેક નામે ભજવાયું. જે.એમ.શાહ ના સહકાર થી ‘ રાજ – જ્યોતિ થીયેટર્સ ‘ ની સ્થાપના કરી અને પોતે લખેલું નાટક ‘ છૂટો છેડો છાયલ નો ‘ તે સંસ્થા ના આશ્રયે ભજવ્યું. ૧૯૬૯ માં ‘ સત ના પારખાં ‘ લખ્યું. ” મારે નથી પરણવું , ઈશ્વરે ઘર બદલ્યું , મોટા ઘર ની વહુ , કવિ દયારામ , એક ને ટકોરે , તમે મારા વર છો , અને જીવન ઝંઝાવાત માં કામ કર્યું. વ્યવસાયે તેઓ વકીલાત કરતા હતા.
Like this:
Like Loading...
Related
વાંચો દુનિયાના સર્વશ્રેષ્ઠ પુસ્તકોનો સારાંશ ફક્ત ૧ મિનિટમાં
👇
https://1minutebooksummary.wordpress.com/
Pingback: અનુક્રમણિકા – ગ , ઘ | ગુજરાતી પ્રતિભા પરિચય