ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ઇલા આરબ મહેતા, Ila Arab Mehta


ila-arab-mehta.jpgપ્રેરક વાક્ય
‘ જીવો અને જીવવા દો. ‘

” અમારો વેપાર ખાલી હોલસેલ નથી, રીટેઇલીંગ પણ છે ને અમારી પોતાની ફેક્ટરીમાં પણ બનાવેલો છે. ”
– પોતાનાં સર્જનો માટે હળવી શૈલીમાં

_________________________________________________________________

Read more of this post

ચન્દ્રકાન્ત શેઠ, Chandrakant Sheth


ccf09252006_00000.jpg” કવિતા જન્મે છે વ્યક્તિમાં, પણ જીવે છે સમાજમાં. કાવ્ય સર્જન વેળાએ કવિ કવિતાની બહાર હોતો નથી. ને કવિતા સર્જાઇ ગયા પછી પોતે ક્યાં છે એની ખાસ ફિકર ચિંતા કરવા જેવી હોતી નથી.”

” મૂંગાં તે કેમ રહેવું? ”

” શબ્દોને આપણે ઓઢીએ ને આપણે વધુ ઉઘાડા પડીએ.”

” મારો વિશ્વાસ કઇ રીતે થઇ શકે?
મેં ખોટાં બિલોમાં, ભળતી સહી કરી
જાળવી અદબ નથી મારા નામની.”  – આવું પ્રામાણિકપણે લખી શકનાર !

પ્રેરક વાક્ય – ‘आत्मानम्  विध्धि । ‘

# રચનાઓ  ઃ  ૧  ઃ  ૨  ઃ  ૩  ઃ  

___________________________ Read more of this post

આહમદ મકરાણી, Aahmed Makrani


ahmed_makarani.jpgજિંદગીનું નામ બીજું પ્રેમ છે,
ને ગણો તો એ બધાનો વહેમ છે.

ઓરડામાં આમ  તો હોતુ નથી કશું.”

” પંડને પામી શકાયું ના હજી,
સ્નાન, તસ્બી, બંદગી ઓછી પડી.”

– આયનાની આંખમાં દેખાય આયનો.   

# કોઇને જોયા હશે – ની યાદ છે.

________________________________________________________________ Read more of this post

યાસીન દલાલ, Yasin Dalal


yasin_dalal.JPG ” કુટુમ્બની સાંકડી વ્યાખ્યામાંથી હું બહાર નીકળી ગયો અને કુટુમ્બનો અર્થ એ રીતે  વિસ્તરતો ગયો. મારું સાચું કુટુમ્બ આ જ છે. ”

” ધર્મગ્રંથોમાં દર્શાવેલી જાતજાતની માન્યતાઓ વિશે, સમાજમાં પ્રચલિત અનેક વહેમો વિશે બાળપણથી હું ચીલાચાલુ વલણથી કંઇક જુદું જ વિચાર્યા કરતો હતો. સામાન્ય બુધ્ધિમાં ન ઊતરે એવી કોઇ પણ વાત કેમ સ્વીકારાય, એવો પ્રશ્ન મનમાં સતત ઊઠ્યા કરતો. જ્ઞાતિના ને બીજા સંકુચિત વાડાઓમાં કેદ એવા સમાજને જોઇને, મનુષ્ય જીવનનું ગૌરવ  હણાતું જોઇને મન બાલપણથી જ વ્યથા અનુભવતું. પણ પછી થત્તું, જે હું વિચારું છું એ બીજાઓ કેમ વિચારતા નહીં હોય? એમાં રમણભાઇ મને મળી ગયા. બરાબર એ જ વિચારો, પરંપરા સામેનો એ જ આક્રોશ.”
– ‘રમણભાઇ પાઠક’ વિશેના તેમના એક લેખમાંથી

તેમના પોતાના શબ્દોમાં તેમની જીવન કથા……..
yasin_dalal-sem-_february_25_20071.pdf

વિચાર વિહાર – એક સરસ લેખ

______________________________________________________

જન્મ

9 –  જાન્યુઆરી, 1944 ;  ઉપલેટા

અભ્યાસ 

  •  બી.એ. – ઉપલેટા
  • રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાંથી એંગ્રેજી સાથે એમ.એ.
  • 1981 –  ‘સૌરાષ્ટ્રનાં અખબારોનો ઇતિહાસ’ મહાનિબંધ લખીને પી.એચ.ડી.

વ્યવસાય

અધ્યાપન અને પત્રકારત્વ.

જીવનઝરમર 

  • નાનપણથી જ પત્રકારત્વનો શોખ, આઠમા ધોરણમાં હતા ત્યારે તેમણે હસ્તલિખિત માસિક ચલાવેલું.
  • એમ.એ. નો અભ્યાસ કરતી વખતે ‘ફૂલછાબ’ માં ‘માધૂકરી’ વિભાગ સંભાળ્યો હતો.
  • ‘સુકાની’માં પણ થોડો વખત સહાયક તંત્રી તરીકે કામ કર્યું હતું.
  • 1968 –  ‘પાન’ નામનું એક માસિક શરૂ કરેલું.
  • હાલ તેઓ ‘સૌજન્ય માધુરી’ નામના માસિકનું સંપાદન કરે છે.
  • 1973  – સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્વ. અમૃતલાલ શેઠ પત્રકારત્વ ભવનમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા.
  • 1981થી – આ ભવનના અધ્યક્ષ
  •  લખ્યાં છે અને વિશદ સંશોધનો કર્યાં છે.
  • તાજેતરમાંજ ‘સૌરાષ્ટ્રમાં રજવાડી શાસન દરમિયાન અખબારોની ભૂમિકા’ વિશે સંશોધન પૂરું કયું છે.

રચનાઓ

  • પત્રકારત્વ અને માધ્યમને લગતાં પચાસ પુસ્તકો
  • નવલકથા –  સંશયાત્મા
  • અનુવાદ – જવાહરલાલ નહેરુ – સંઘર્ષના વર્ષો

સન્માન

  • સાહિત્ય પરિષદ તથા ગુજરાત સાહિત્ય અકાદમીનાં પારિતોષિકો
  • ગુજરાત સરકારનું શ્રેષ્ઠ ગ્રામીણ પત્રકારત્વનું પારિતોષિક
  • ગુજરાત દૈનિક અખબાર સંઘનું શ્રેષ્ઠ કટારલેખનનું  પારિતોષિક

સાભાર 

  • પરિચય પુસ્તિકા – પરિચય ટ્રસ્ટ.
  • શ્રી. ઉત્તમ ગજ્જર, સન્ડે ઇ મહેફિલ

હિમ્મત ઝવેરી, Himmat Jhaveri


himmat_jhaveri.JPG” મારું વૈચારિક ઘડતર થયું 42 ની ચળવળમાં…… મુખ્ય અસર એ વખતના ગાંધીમય, ખાદીમય, પ્રભાતફેરીમય, સ્વરાજ્યમય વાતવરણની હતી.”   

” સારું હોવું એ પૂરતું નથી, સમજણું હોવું પણ જરુરી છે. સમજણ એટલીજ જરુરી છે ભલાઇ.”
–   તેમના ગુરુ રામમનોહર લોહીયા ના શબ્દો – જે તેમને યથાર્થ લાગુ પડે છે.

” જે જેવું છે તેને તેવું જોવું, નોંધવું અને કહેવું તે હિમ્મતભાઇના જીવતરનું શાસ્ત્ર છે. ”
– નગીનદાસ સંઘવી( ચિંતનાત્મક કટાર લેખક )

તેમના જીવન વિશે શ્રી . વિપુલ કલ્યાણી નો લેખ ….

#    himmat_jhaveri1.pdf

Read more of this post

ધીરૂભાઈ ઠાકર, dhirubhai_thaker


dhiruતેમનું પ્રિય વાક્ય

-” To advance art, men’s lives must be given and to receive it , their hearts. ”
Ruskin

” હજારેક વર્ષ પહેલાં આપણા પુર્વજો જે ભાષા બોલતા તે અપભ્રંશને મળતી આવતી ભાષા હતી. … આસામથી મહારાષ્ટ્ર સુધી થોડાક પ્રાદેશિક ભેદ સાથે આ ભાષા સાહિત્યમાં સ્થિર થયેલી હતી…..”

” ગાંધીજીએ હિન્દુસ્તાનીમાં આપેલાં પ્રવચનોનો ગુજરાતી અનુવાદ ‘ દિલ્હી ડાયરી’ વાંચતાં એમ લાગે છે કે, સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ નૈતિક અધઃ પતન તરફ વળેલી આપણી પ્રજાને હજીયે જો કોઇ તારશે તો આ શહીદ સંતની અમર વાણી જ.”

‘ અડધી સદીની વાચન યાત્રા’ માંથી

# ‘ઓપિનિયન’ પર સરસ લેખ

# ગુજરાતી વિશ્વ કોષની વેબ સાઈટ

dhirubhai_thaker_signature.jpg

______________________________________________________________________________________

સમ્પર્ક ……………..   19, શારદા સોસાયટી, પાલડી, અમદાવાદ – 380 007        

નામ

  • ધીરુભાઇ પ્રેમશંકર ઠાકર

ઉપનામ

  • સવ્યસાચી – શરુઆતમાં

જન્મ

  • 27-જુન, 1918 ;  કોડીનાર
  • વતન – વિરમગામ

અવસાન

  • ૨૨, જાન્યુઆરી – ૨૦૧૪, અમદાવાદ

કુટુમ્બ

  • માતા – ગોમતીબેન ; પિતા – પ્રેમશંકર
  • પત્ની – ધનુબેન ( 1939, વિરમગામ) ; સંતાનો – ત્રણ  

અભ્યાસ

  • ગુજરાત કોલેજ, અમદાવાદમાંથી એમ.એ., પીએચ.ડી.

પ્રવૃત્તિ

  • અધ્યાપન
  • 1939 –  નિવૃત્તિ વખતે મોડાસા કોલેજના આચાર્ય
  • ફેલો –  ગુજરાત સાહિત્ય અકાદમી
  • મુખ્ય સંપાદક  –  ગુજરાત વિશ્વકોશ

જીવન ઝરમર

  • 1942 ની ચળવળમાં ગુજરાત કોલેજમાં વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરવા તૈયાર થયેલા અંગ્રેજ  અફસરને ઊંચા હાથથી ‘ પ્લીઝ સ્ટોપ’ કહેવાની હિમ્મત તેમનું જન્મજાત ખમીર દર્શાવે છે.
  • લેખન કારકિર્દીનો પ્રારંભ –  ‘ ગણધરવાદ’ અને ‘ નિહ્ નવાદ’ જેવા અંગ્રેજી ગ્રંથથી થયો હતો.
  • પ્રથમ મૌલિક પ્રકાશિત કૃતિ – મણિલાલ નભુભાઇ – સાહિત્યસાધના
  • અલ કાઝીની નાટ્ય શિબિરમાં જુલીયસ સીઝરનું પાત્ર પણ ભજવેલું !
  • 1960- 66  ગુજરાત સમાચારના ‘ સાહિત્ય અને સંસ્કાર’ કોલમનું સંપાદન
  • વિદેશ પ્રવાસ
    • 1975 – ઇન્ગ્લેન્ડ, યુરોપ, અમેરિકા, કેનેડા
    • 1983 , 1993 – ઇન્ગ્લેન્ડ
  • તેમના પ્રિય સાહિત્યકાર – મણિલાલ નભુભાઇ દ્વિવેદી
  •  તેમના પ્રિય શિષ્યલાભશંકર ઠાકર
  • જીવનમંત્ર – પ્રેમ અને પરિશ્રમ
  • શિસ્તપાલનના આગ્રહી આચાર્ય, મોડાસામાં વિદ્યાર્થીઓની હડતાળ વખતે સત્યાગ્રહનું શસ્ત્ર   વાપરીને ઉપવાસ પર ઉતરેલા.
  • જીવન નાટ્યનો કરુણ અંત – નિવૃત્તિ વખતે નીરાશામાં વાપરેલા શબ્દો – ” અઢાર અઢાર વર્ષથી મેં કેવળ રણમાં જ પાણી રેડ્યા કર્યું છે.”
  • 78 વર્ષના કાર્યશીલ યુવાન
  • ઉમાશંકર જોશી તેમને પાંડિત્યનો પર્યાય માનતા
  • ગુજરાતી વિશ્વકોશના મોભી.

slide2

કૃતિઓ       પચાસેક પુસ્તકો

  • વિવેચન  – મણિલાલ નભુભાઇ : સાહિત્ય સાધના, રસ અને રુચિ, શબ્દશ્રી સાહિત્યનો ઇતિહાસ : ગુજરાતી સાહિત્યની વિકાસરેખા, અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખ
  • ચરિત્ર –  મણિલાલ નભુભાઇ : જીવનરંગ, પરંપરા અને પ્રગતિ (કસ્તુરભાઇ લાલભાઇનું જીવનચરિત્ર )
  • નિબંધ –  રંગ કસુંબી, દ્રષ્ટા અને સષ્ટ્રા પ્રવાસ: સફર સો દિવસની સ્વાધ્યાય અને સુચિ
  • નાટકો  –  360 ગુજરાતી નાટકો ,  સુદર્શન અને પ્રિયંવદા, જ્ઞાનસુધા, સમાલોચક, મણિલાલ નભુભાઇ દ્વિવેદીના જીવન પર આધારિત નાટક ‘ઊંચો પરવત, ઊંડી ખીણ’
  • અનુવાદ –  ગૌતમ બુધ્ધ (નેશનલ બુક ટ્રસ્ટ), સમાજલક્ષી મનોવિજ્ઞાન
  • સંપાદન  –  મણિલાલની વિચારધારા, પ્રાણવિનિમય, ધૂમકેતુ વાર્તાસૌરભ 1-2, કરુણપ્રશસ્તિ કાવ્યો, મારી હકીકત,  ગ્રંથ અને ગ્રંથકાર, આપણા ખંડકાવ્યો, સાહિત્ય કિરણાવલિ, ગુજરાતી વિશ્વકોશ
  • તેમના જીવનના સંસ્મરણોનો સંપાદિત ગ્રંથ – ‘શબ્દશ્રી’

સન્માન

  • મુંબાઇ અને ગુજરાત રાજ્યના અનેક પુરસ્કારો
  • 1999 – ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ગૌરવ પુરસ્કાર

સાભાર

  • ‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ : રમેશ શુકલ , પ્રવીણ પ્રકાશન
  • ‘સાક્ષરનો સાક્ષાત્કાર’ ભાગ -3 :   રાધેશ્યામ શર્મા , રન્નાદે પ્રકાશન

મનોજ ખંડેરિયા, Manoj Khanderia


” પકડો કલમને કોઇ પળે, ને હાથ આખેઆખો બળે, એમ પણ બને.”

” આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ, ગયું મારામાં કોઇ જરા જોઇને. ”

“મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.”

રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા

”  બે લખી ગઝલ – મોથ શું મારી ?
તારી  ક્યાં  છે  કમાલ,  ભૂલી  જા !”

# રચનાઓ  :  –  1  –   :   –  2 –   :   –  3  –   :  –  4  –  : –  5  –   :  – 6- :

# વેબ સાઇટ

________________________________________________ Read more of this post

સુશ્રુત પટેલ, Sushrut Patel


નામ

ડો.  સુશ્રુત મોતીભાઇ પટેલ

જન્મ

9 –  જુલાઇ 1944;  અમદાવાદ

અભ્યાસ

એમ.બી.બી.એસ. , ડી.એમ.આર.ઇ. અને રેડિયોલૉજીમાં એમ.ડી.-  ગુજરાત યુનિવર્સિટી

વ્યવસાય   

કન્સલ્ટન્ટ –  રેડિયોલોજિસ્ટ તરીકે સ્વતંત્ર પ્રેકટિસ.

જીવનઝરમર

  • અભ્યાસ બાદ અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં તથા ગુલાબબાઇ  જનરલ હોસ્પિટલમાં રેડિયોલોજી વિભાગના વડા તરીકે 
  • 1977થી –  કન્સલ્ટન્ટ રેડિયોલોજિસ્ટ તરીકે સ્વતંત્ર પ્રેકટિસ
  • ‘ગુજરાતી વિશ્વકોશ’ સાથે ખગોળ તથા અંતરિક્ષ વિભાગના સહસંપાદક અને લેખક તરીકે પ્રારંભથી સંકળાયેલા છે. 
  • વિજ્ઞાનના વિષયો વિશે તેમના લેખો ગુજરાતી   સામયિકોમાં નિયમિત પ્રગટ થાય છે.
  • મુંબાઇ નેચરલ હિસ્ટરી સોસાયટીના આજીવન સભ્ય
  • ઘણી તબીબી તથા વૈજ્ઞાનિક સંસ્થાઓના આજીવન સભ્ય
  • શોખ – આકાશદર્શન, પ્રકૃતિ અને પક્ષીનિરીક્ષણ, ચિત્રકળા ( વ્યંગ ચિત્રો ), સંગીત
  • પ્રિય વિષયો –  વિજ્ઞાનનો ઇતિહાસ, પુરાતત્વ, સમુદ્રી વિજ્ઞાન, ખગોળ 

મૂખ્ય રચનાઓ

  ધૂમકેતુ હેલી * ,  ચાલો આકાશમાં રીંછ શોધી કાઢીએ + 

સન્માન  

  • *  –  ગુજરાત સાહિત્ય પરિષદ   તરફથી શ્રી બી.એન. માંકડ પ્રથમ પારિતોષિક શ્રેષ્ઠ વિજ્ઞાનવિષયક પુસ્તક  તરીકે, ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી પ્રથમ પારિતોષિક
  • +   –  ગુજરાત સાહિત્ય અકાદમીનું દ્વિતીય પારિતોષિક

સાભાર

પરિચય પુસ્તિકા, પરિચય ટ્રસ્ટ.

હર્ષિદા પંડિત, Harshida Pandit


જન્મ

15 – ફેબ્રુઆરી, 1928  ;   અમદાવાદ
Read more of this post

પૂર્ણિમા દવે, Poornima Dave


નામ 

પૂર્ણિમા મહિપતરામ દવે

જન્મ

27  – સપ્ટેમ્બર, 1946  ;  મુંબઇ

અભ્યાસ

  • બી.એ.
  • 1968  – એમ.એ. ( તત્વજ્ઞાન )

વ્યવસાય

અધ્યાપન

જીવનઝરમર

  • 1968 બાદ વિવિધ કોલેજોમાં કામ
  • હાલ મુંબઇ યુનિવર્સિટીમાં આ વિષયમાં અનુસ્નાતક વ્યાખ્યાતા અને તત્વજ્ઞાન વિષયના બોર્ડ ઓફ સ્ટડીઝનાં સભ્ય
  • આકાશવાણી અને દૂરદર્શનના કાર્યક્રમોમાં ભાગ લે છે.
  • અક્ષરપીઠ દ્વારા પ્રકાશિત કેટલીક દૃશ્ય-શ્રાવ્ય કેસેટોનાં પ્રકાશન સાથે સંકળાયેલાં છે.
  • સાહિત્ય, સંગીત, ધર્મ, મનોવિજ્ઞાન અને આધ્યાત્મ પ્રિય કાર્યક્ષેત્રો , એ અંગેનાં મંડળો સાથે તે સંકળાયેલાં છે.

રચનાઓ

  • પરિચય પુસ્તિકા –  રામાનુજનું તત્વજ્ઞાન, માધવાચાર્યનું તત્વજ્ઞાન, નિંબાર્કનું તત્વજ્ઞાન
  • ધાર્મિક – ભગવાન સ્વામીનારાયણ પ્રબોધિત સ્ત્રી-પુરુષ મર્યાદા
  • અનુવાદ/ ચરિત્ર –  મહાન વૈજ્ઞાનિકોનાં રેખાચિત્રો
  • શોધનિબંધો – નિમ્બાર્ક સંપ્રદાયમાં ગુરુની ભૂમિકા, ભાગવત પુરાણ,  ભક્તિગ્રંથ, મીરાં : મારો પ્રતિભાવ,  વચનામૃત : એક આધ્યાત્મિક ગ્રંથ
  • પાઠ્યપુસ્તકો – ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે લોજિક ઉપર, બી.એ., બી.કોમ. ના વિદ્યાર્થીઓ માટે ફાઉન્ડેશન કોર્સનાં  પુસ્તકો  

સાભાર 

પરિચય પુસ્તિકા – પરિચય ટ્રસ્ટ.

%d bloggers like this: