
પ્રેરક અવતરણ –
“તને દુ:ખી થવાનો કોઈ હક્ક નથી, ને એટલે જ માગ્યા વિના જે મળે કે આવી પડે એની શરમ શેની ?”
” ફળની આશા રાખવાનો તને પૂર્ણ હક્ક છે… પરંતુ કર્મ કર્યા બાદ જે કાંઇ ફળ મળે તે તરફ રાગ દ્વેષ જેવી કોઇ પણ પ્રતિક્રિયા કરવાનો હક્ક નથી.” – સ્વામી દયાનંદ ( સ્વામી ચિન્મયાનંદજીના શિષ્ય)
“ ક્યારનો આવીને ઊભો છુ ઉંબરે,
આવ-કાર જો આપો નહીં,
જા-કારો તો કરો !”
“પ્રેમ કરવા માટે સમય શોધવો પડે”
“મન રબરનો દડો થઈ ગયું”
“પ્રશ્નોનું વાવેતર, વાચનનું ખાતર, જોયા કરવાનું સિંચન, પારસ સમા શબ્દોની ચમત્કૃતિ જાણવા – માણવાની ઉત્કંઠા”
# તેમની વાર્તાઓ : – 1 – : – 2 –
# એક વેબ સાઇટ
_________________________________________________________________________
સમ્પર્ક – ‘સી’ વિંગ, ફ્લેટ – 311, વાસવાણી માર્ગ, જે.પી. રોડ, સાત બંગલા વરસોવા , અંધેરી (વેસ્ટ) , મુંબાઇ – 400 061
જન્મ
- ૨૫-ડિસેમ્બર, ૧૯૩૪; કરાંચી
કુટુમ્બ
- માતા – ડાહીબેન; પિતા – હેમરાજ
- પત્ની – બંસરી (દેસાઈ); પુત્ર – તનય
અભ્યાસ
- બી.એ. (ઈકોનોમિક્સ)
- એડવાન્સ ડિપ્લોમા ઈન જર્નાલિઝમ
વ્યવસાય
- નોકરી, સેક્રેટરી જનરલ, ઓલ ઈન્ડિયા રબર ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન
જીવન ઝરમર
- ‘ટૂંકી” વાર્તા કરતાં “લાંબી” નવલિકાના લેખક
- કવિતા લખતાં લખતા વાર્તા લખતા થઇ ગયા.
- ભાવિ જગત તેમને સજ્જન તરીકે પ્રથમ અને સ્વજન તરીકે પછી સ્મરે એવી એમની મનીષા
- ગુજરાતી, ઈંગ્લીશ, હિંદી, અને મરાઠી ભાષાઓથી પરિચિત
- પરિશ્રમથી પ્રેરણાની માવજત
- ‘ગોળની કણી’ નવલિકા એ સર્વપ્રથમ મૌલિક પ્રકાશિત કૃતિ
શોખ
રચના
- વાર્તાસંચય – તું બોલને
- નવલિકા – ગોળની કણી
લાક્ષણિકતા
- પાત્રસ્થિતિગત મનોવૈજ્ઞાનિક ગ્રંથિક્ષણ પકડવાની સૂક્ષ્મ દ્રષ્ટિ ….કૃતિને કળામયતાથી રસી શકે છે.
સન્માન
- ૧૯૬૭ – વર્ષની શ્રેષ્ઠ નવલિકા, કુમાર, ‘સન્ડે જ સન્ડે…’
- ૧૯૭૭ – ટેલિ-પ્લે સ્પર્ધા, મુંબઈ દૂરદર્શન, પ્રથમ ‘બીકનું બંડલ’
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
Like this:
Like Loading...
વાચકોના પ્રતિભાવ