ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

સોમનાથ મંદિર – યાત્રાધામ સોમનાથ




આવા ઘણા બધા વિડિયો અહીં….
સ્થળનું નામ:
સ્થાન:
  • વેરાવળ પાસે. જિલ્લો સોમનાથ. પશ્ચિમ ગુજરાત
  • ગુજરાતના પશ્ચિમ દરિયા કિનારે
પ્રકાર:
  • યાત્રાધામ
  • પ્રાચીન ઐતિહાસિક સ્થળ
  • દરિયાકિનારાનું સ્થળ
  • પર્યટક સ્થળ
મહત્ત્વ:
વિશેષતાઓ:
  • બેનમૂન સ્થાપત્યથી સુશોભિત, પુનરોદ્ધાર પામેલ સોમનાથ મંદિર
  • મંદિરના આદિ જ્યોતિર્લિંગની ભક્તિભાવભરી આરતી- સવાર, બપોર, સાંજ
  • હૃદય ધડકાવી દે તેવાં સ્પંદનો જગાવતી સંગીતમય આરતી
  • રાત્રે મંદિરના પ્રાંગણમાં રોચક ‘સાઉન્ડ એન્ડ લાઇટ શો’
  • મંદિરની દિવાલોને અથડાતાં અરબી સમુદ્રનાં મોજાં
  • ભગવાન શ્રી કૃષ્ણને જે સ્થળે પારધીનું તીર વાગ્યું હતું તે ભાલકા તીર્થ
  • ભગવાન શ્રી કૃષ્ણએ જે સ્થાને દેહત્યાગ કર્યો તે નિજ ધામ પ્રસ્થાન તીર્થ
  • અતિ પ્રાચીન મંદિરનાં નવસો વર્ષ જૂનાં ખંડેરોના અવશેષોનું મ્યુઝિયમ
  • સોમનાથ મંદિરથી અર્ધો કિલોમીટર દૂર ત્રિવેણી સંગમ – અહીં હિરણ, કપિલા અને સરસ્વતી (ગુપ્ત સરસ્વતી) આ ત્રણ નદીઓ સમુદ્રમાં સમાય
વર્ણન/ અન્ય વિગતો:

(1) સોમનાથ મંદિર સંકુલ

  • સોમનાથ મંદિરનું અવર્ણનીય શિલ્પ-સ્થાપત્યકામ ચાલુક્ય શૈલીથી
  • વિશિષ્ટ શૈલીથી બંધાયેલ છેલ્લા આઠસો વર્ષનું એકમાત્ર મંદિર
  • મંત્રમુગ્ધ કરતાં કોતરણીકામવાળાં ભવ્ય ગર્ભગૃહ, સભામંડપ અને નૃત્યમંડપ
  • 150 ફૂટ શિખર પર દસ ટન વજનનો કલશ તથા 27 ફૂટ લાંબો ધ્વજદંડ
  • મંદિર પ્રાંગણમાં બેસવા માટે ચારે તરફ લૉન/ બેન્ચિઝ – બાંકડા
  • મંદિરનાં પ્રાંગણમાં બેઠાંબેઠાં વિશાળ અરબી સમુદ્રનાં અફાટ વિસ્તારનું મનોહર દ્રશ્ય
  • મંદિરની પાછળની પાળેથી સમુદ્રની જળરાશિ પર સૂર્યાસ્તનું અદભુત દર્શન
  • મંદિરનાં પ્રાંગણમાં અનોખો, દક્ષિણ ધ્રુવ સૂચક તીરસ્તંભ
  • સોમનાથના તીરસ્તંભથી ઠેઠ દક્ષિણ ધ્રુવ સુધીના રસ્તે માત્ર સમુદ્ર જ સમુદ્ર
  • પ્રાચીન સોમનાથ મંદિરનાં ઐતિહાસિક અવશેષોનું મ્યુઝિયમ
  • મંદિરના સંકુલમાં પ્રાચીન સોમનાથ મંદિરની જગ્યાએ અહલ્યાબાઈએ બંધાવેલ અહલ્યેશ્વર મંદિર
  • ગણપતિજી અને હનુમાનજીનાં દર્શનીય મંદિર

(2) નિજ ધામ પ્રસ્થાન તીર્થ સંકુલ

  • સોમનાથ મંદિરથી આશરે 2 કિલોમીટર દૂર, આશરે દસ મિનિટની ડ્રાઇવ પર
  • આ પવિત્ર તીર્થ હિરણ્ય (હિરણ) નદીના શાંત અને પાવન તટ પર
  • અહીં ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના અવતાર કાર્યનું સમાપન કર્યું
  • નિજ ધામ પ્રસ્થાન તીર્થ ગોલોકધામ અથવા દેહોત્સર્ગ તરીકે પણ ઓળખાય
  • ભગવાન શ્રીકૃષ્ણનું ધામ તેથી ‘ગોલોકધામ’
  • અહીં ભગવાન શ્રીકૃષ્ણએ પાથિવ દેહ છોડ્યો, તેથી આ સ્થાન ‘દેહોત્સર્ગ’
  • ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ધામે પ્રસ્થાન કરી ગયા, તેથી ‘નિજ ધામ પ્રસ્થાન’
  • આ સંકુલનાં પટાંગણમાં ભગવાન શ્રી કૃષ્ણની ચરણ પાદુકા, દાઉજી બલરામજીની શેષનાગ ગુફા, ગીતા મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, મહાપ્રભુજીની બેઠક
  • આ સ્થળેથી ભગવાન શ્રી કૃષ્ણ યોગધારણાથી પોતાના ધામે સંચર્યા
  • અહીં ‘પાદુકા છત્રી’ – ચરણ મંડપમાં ભગવાન શ્રીકૃષ્ણની ચરણપાદુકાઓ છે
  • ભગવાને વડીલ બંધુ બલરામજીને અહીંથી શેષનાગ સ્વરૂપે પાતાળમાં જવા અનુમતિ આપે તે સ્થાન દાઉજીની શેષનાગ ગુફા અહીં છે
  • ગીતા મંદિરમાં ચારે દિવાલો પર શ્રી ગીતાજીના અઢાર અધ્યાયના બધા જ શ્લોકોનું આલેખન
  • લક્ષ્મીનારાયણ મંદિરમાં શંખ ચક્રધારી લક્ષ્મીનારાયણ ભગવાન બિરાજમાન
  • મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીની બેઠક (65મી બેઠક) અહીં છે (ભારતમાં મહાપ્રભુજીની 84 બેઠકો છે)
  • મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીએ 500 વર્ષ પહેલાં અહીં ભાગવત સપ્તાહ યોજી હતી
  • નિજ ધામ પ્રસ્થાન તીર્થ શાંત હિરણ નદીતટ પર આવેલ મનોહર અને મનને પરમ શાંતિ આપે તેવું પવિત્ર સ્થાન

(3) ત્રિવેણી સંગમ તીર્થ

  • નિજધામ પ્રસ્થાન તીર્થ (ગોલોકધામ / દેહોત્સર્ગ) થી મંદિર તરફ પાછાં ફરતાં રસ્તામાં હિરણ્ય, કપિલા અને સરસ્વતી નદીઓના પવિત્ર સંગમ પર આ ત્રિવેણી સંગમ તીર્થ
  • આ તીર્થ સોમનાથ મંદિર અને નિજ ધામ પ્રસ્થાનની વચ્ચે
  • અહીં હિરણ, કપિલા અને સરસ્વતી- ત્રણે નદીઓ સમુદ્રને મળે, તેથી ત્રિવેણી સંગમ
  • શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમ તીર્થ પર સ્નાન કરી પિતૃતર્પણ કરે છે

(4)  ભાલકા તીર્થ

  • ભાલકા તીર્થ સોમનાથ – વેરાવળના જૂના રોડ પર
  • સોમનાથ મંદિરથી આશરે પાંચ કિલોમીટર દૂર
  • અહીં ભગવાન શ્રીકૃષ્ણનું સુંદર મંદિર
  • આ સ્થાને ભગવાન શ્રીકૃષ્ણને પારધીનું તીર વાગ્યું, જ્યારે ભગવાન દેહલીલા સંકેલવાના હેતુથી પીપળાના વૃક્ષ નીચે ધ્યાનસ્થ બેઠા હતા
  • ભાલકા તીર્થ મંદિરમાં જમણા પગ પર ડાબો પગ ચડાવી આડે પડખે થયેલ ભગવાન શ્રી કૃષ્ણની ભાવવાહી મૂર્તિ – પગમાં તીર વાગેલ છે, પાસે પારધી ક્ષમા માગતો બેઠો છે

(5) સોમનાથમાં અન્ય દર્શનીય સ્થાનો

  • ફોટોગ્રાફી માટે / સમય પસાર કરવા / શાંતિથી બેસવા / ટહેલવા ખૂબ લાંબો દરિયા કિનારો
  • ત્રિવેણીના કિનારા પાસે શ્રી પરશુરામ મંદિર – જલેશ્વર મહાદેવ – તપેશ્વર મહાદેવ – પાંડવ ગુફા
  • સોમનાથથી ભાલકા તીર્થ જતાં રસ્તામાં શશીભૂષણ મહાદેવ તથા ભીડભંજન ગણપતિજીનાં મંદિરો – દરિયામાં અર્ધ-ડૂબતાં શિવલિંગનાં દર્શન કરવા બપોરે સાડા ત્રણે પહોંચી જઈ, પછી આગળ ભાલકા તીર્થ જવું – અહીંથી પારધીએ ભગવાન શ્રી કૃષ્ણને તીર માર્યું હોવાની લોકવાયકા
  • વેણેશ્વર મહાદેવનું મંદિર અને અન્ય સ્થળો

ઇતિહાસ/ ઐતિહાસિક મહત્ત્વ:

  • પ્રાચીન પુરાણો અને અન્ય ધર્મગ્રંથો અનુસાર ચંદ્ર દેવતા દ્વારા સોમનાથ મંદિરની સ્થાપના
  • ચંદ્રને તેમના શ્વસુર દક્ષ પ્રજાપતિનો શાપ હતો – તેમાંથી મુક્તિ પામવા ચંદ્રએ ગુજરાતના પશ્ચિમ કિનારે, અરબી સમુદ્રને કિનારે ભગવાન શિવની આરાધના કરી
  • ભગવાન શિવે પ્રસન્ન થઈ ચંદ્રને દક્ષના શ્રાપમાંથી મુક્તિ અપાવી
  • ચંદ્રએ અહીં સમુદ્ર કિનારે ભગવાન શિવનું ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું
  • ચંદ્ર (સોમ) દ્વારા નિર્મિત આ મંદિર તે જ સોમેશ્વર મહાદેવ કે સોમનાથ મહાદેવ
  • પાંચેક હજાર વર્ષ પહેલાં અહીં સોમનાથમાં ભગવાન શ્રીકૃષ્ણએ પાર્થિવ દેહ ત્યાગ કર્યો
  • મહાભારતના યુદ્ધ પછી, વ્યથિત ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકા છોડી ગુજરાતમાં સોમનાથના દરિયા કિનારે આવ્યા
  • સોમનાથ નજીક ભાલકા ખાતે પીપળાના વૃક્ષ નીચે બેઠા હતા ત્યારે એક પારધીએ તેમના પગની પાનીને હરણ સમજીને તીર માર્યું
  • તીરથી આહત થયા પછી, દેહત્યાગના નિશ્ચયથી ભગવાન શ્રી કૃષ્ણ ભાલકા તીર્થ છોડીને હિરણ નદીના કાંઠે આવ્યા – ત્યાંથી તેમણે સદેહે સ્વધામ તરફ પ્રયાણ કર્યું જે સ્થાન આજે ‘નિજ ધામ પ્રસ્થાન તીર્થ’ કહેવાય છે –
  • સોમનાથથી ઉના-દીવ રોડ પર આશરે 20 કિલોમીટર દૂર પ્રાચી ગામ
  • પ્રાચીમાં માધવરાયજીનું મંદિર તથા પ્રાચીન મોક્ષનો પીપળો
  • પ્રાચીમાં પિતૃતર્પણનું માહાત્મ્ય – પીપળે પાણી ચઢાવવાનું મહત્ત્વ
  • કહે છે કે યુધિષ્ઠિરે અહીં ગોત્રહત્યાના દોષનિવારણ અર્થે પિતૃવિધિ કરી હતી
  • મહાપ્રભુજી વલ્લભાચાર્યજી, સ્વામી સહજાનંદજી, મહાત્મા ગાંધી અને કસ્તુરબા સહિત ઘણાં પ્રાચીની મુલાકાતે આવી ચૂક્યાં છે

વિશેષ નોંધ:

સંબંધિત પોસ્ટ / લેખ:

રાણકી વાવ (પાટણ)


વિકિપિડિયા પર 

યુનેસ્કોની વેબ સાઈટ પર

This slideshow requires JavaScript.

સ્થળનું નામ:

  • રાણકી વાવ / રાણીની વાવ / રાની કી વાવ/ રાણીકી વાવ

સ્થાન:

  • પાટણ. જીલ્લો પાટણ. ગુજરાત

પ્રકાર:

  • ઐતિહાસિક સ્થળ
  • પર્યટન સ્થળ
  • સ્થાપત્ય-કલા ધામ
  • પ્રાચીન સ્થળ

મહત્ત્વ:

  • ઉત્તર ગુજરાતનું પ્રાચીન, ઐતિહાસિક સ્થળ
  • યુનેસ્કો (UNESCO, UN) દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સ્થાન
  • ગુજરાતમાં માત્ર બે યુનેસ્કો પુરસ્કૃત વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ: પહેલી સાઇટ વડોદરા – પાવાગઢ પાસે ચાંપાનેરનો કિલ્લો તથા બીજી સાઇટ પાટણની રાણકી વાવ
  • કલા-સ્થાપત્યપ્રેમી પર્યટકો માટે આકર્ષક પ્રવાસ-સ્થળ
  • પાટણ વિખ્યાત પટોળા-કામ માટે જગ-મશહૂર. પટોળાની કિંમત રુપિયાએક લાખથી વધુ

વિશેષતાઓ:

  • રાણકી વાવ અગિયારમી સદીની પ્રાચીન વાવ (Step-well)
  • લોકજીવન સાથે સંલગ્ન સંસ્કૃતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ
  • ઉત્તમ સ્થાપત્ય અને વાસ્તુશાસ્ત્રનો લાલિત્યપૂર્ણ શિલ્પકલા સાથે સુભગ સમન્વય
  • અનોખું બાંધકામ- સાત મજલા અને 340 થાંભલાઓ
  • વાવની દીવાલો પર શૈવ અને વૈષ્ણવ માર્ગનાં અવર્ણનીય શિલ્પો

વર્ણન/ અન્ય વિગતો:

  • ઉત્તર ગુજરાતમાં પાટણ શહેરમાં સરસ્વતી નદીને કિનારે રાણકી વાવ (રાણીની વાવ)
  • આ વાવનું બાંધકામ પૂર્વ-પશ્ચિમ: પૂર્વમાં પ્રવેશદ્વાર, પશ્ચિમ તરફ જળકુંડ (વાવ)
  • લગભગ 40 વર્ષ સુધી ચાલેલ રાણકી વાવનું બાંધકામ
  • સ્થાપત્યવિદ્યાની અજાયબી સમી વાવમાં એક પછી એક સાત માળનું બાંધકામ
  • વાવની (આશરે) લંબાઈ 68 મીટર, પહોળાઈ 20 મીટર અને ઊંડાઈ 27 મીટર
  • અનુપમ કોતરણી ધરાવતા 340 સ્તંભો (થાંભલા)
  • શૈવ-વૈષ્ણવ સંપ્રદાય ઉપરાંત અન્ય દેવી-દેવતાઓનાં શિલ્પો
  • વિષ્ણુના દસ અવતારો આલેખતું ઉત્તમ શિલ્પકામ
  • શિવ, પાર્વતી, વિષ્ણુ, રામ, સૂર્ય, માતા દુર્ગા, ચામુંડા, મહાલક્ષ્મી, કુબેર આદિની મનોહર પ્રતિમાઓ
  • અપ્સરાઓ, યોગિનીઓના શિલ્પમાંથી પ્રગટતું અનુપમ દેહલાલિત્ય
  • કમનીય કાયા પર સોળ શૃંગાર દર્શાવતાં મોહક નારી-શિલ્પો
  • વાવ સાથે સંલગ્ન 30 કિમી લાંબી ગુપ્ત ટનેલ (ભોંયરું) સિધ્ધપુર પહોંચતી હોવાની વાયકા
  • આજે આ ટનેલ / સુરંગ પુરાઈ ગઈ છે
  • વાવની નજીકમાં જીર્ણ હાલતમાં કિલ્લો તથા સહસ્ત્રલિંગ તળાવ

ઇતિહાસ/ ઐતિહાસિક મહત્ત્વ:

  • રાણકી વાવ (રાણીની વાવ) ગુજરાતના સોલંકી યુગની ભેટ
  • રાણકી વાવ બંધાવનાર પાટણના રાજા ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતી
  • સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકી. તેનો પુત્ર ભીમદેવ પહેલો. ભીમદેવ પહેલાનો પુત્ર કર્ણદેવ. કર્ણદેવનો પુત્ર સિદ્ધરાજ જયસિંહ.
  • રાજા ભીમદેવ પહેલાના સમયમાં મહમૂદ ગઝનીની સોમનાથ પર ચઢાઈ. સોમનાથ મંદિરની લૂંટ
  • ભીમદેવ પહેલાએ મોઢેરામાં સૂર્ય મંદિર બનાવ્યું
  • ભીમદેવ પહેલાના અવસાન પછી તેની રાણી ઉદયમતીએ રાણકી વાવ (રાણીની વાવ) બંધાવી
  • રાણકી વાવનું બાંધકામ ઇસ 1022 થી 1062-63 સુધી ચાલ્યું હોવાનો ઉલ્લેખ
  • કાળક્રમે વાવ દટાઈ ગઈ અને ભૂલાઈ ગઈ
  • 1968માં ભારત સરકારના પુરાતત્ત્વ વિભાગ (આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ) દ્વારા પાટણમાં ઉત્ખનન શરૂ થયું અને 1980માં રાણકી વાવ પૂર્ણ રીતે ખોદી કઢાઈ.

વિશેષ નોંધ:

  • રાણકી વાવ અમદાવાદથી રોડ માર્ગે આશરે 140 કિમી દૂર (આશરે બે-અઢી કલાક)
  • અમદાવાદ-મહેસાણા 75 કિમી. પાટણ-મહેસાણા આશરે 65 કિમી.
  • અમદાવાદથી મહેસાણા થઈ પાટણ જવું (અમદાવાદ-પાલનપુર હાઇવે પર)
  • ભારે વરસાદ/ સખત ઉનાળામાં વાવની મુલાકાત ટાળવી. વિન્ટર સિઝન શ્રેષ્ઠ
  • વાવ જોવાનો સમય: સવારે આઠ પછી. સાંજે પાંચ/ છ વાગ્યા સુધી
  • પ્રવેશ ફી છે. ફોટોગ્રાફી/ કેમેરા/ મુવિ કેમેરા માટે નિયમો જાણી લેવા
  • મોટર માર્ગે જવું સારું. અમદાવાદ/ મહેસાણાથી સ્ટેટ ટ્રાંસપોર્ટ બસ સર્વિસ સારી
  • પોતાના ફોર-વ્હીલરમાં જવું સલાહભર્યું. રસ્તા સરસ
  • પોતાના નાસ્તા-પાણી લઈ જવું ઇચ્છનીય. બેઠકો-બાંકડા સાથે વિશાળ બગીચો.
  • રાત્રિ-રોકાણ/ હોટલ/ ફુડ હાલમાં બહુ સારી સગવડ નથી
  • સવારે વહેલા રાણકી વાવ વિઝિટ કરી પછી મોઢેરા સૂર્યમંદિર / બહુચરાજી જઈ શકાય

સંબંધિત પોસ્ટ / લેખ:

લાભશંકર ઠાકર, labhshankar thaker


la_tha-જલભીંજેલી
જોબનવંતી
લથબથ ધરતી
અંગઅંગથી
ટપકે છે કૈં
રૂપ મનોહર!

-મારા કોઈ ભાષિક કથનમાં
એક વાર પણ મેં મને જોયો નથી,
પ્રચંડ જુઠ્ઠાણાં મારાં છે
પણ રે તેમાંય  હું નથી.

-લઘરા તારા કાન મહીં એક મરી ગયું છે મચ્છર
એ મચ્છરની પાંખો ફફડે
શબ્દો તારા થરથર થથરે
ફફડાટોની કરે કવિતા
કકળાટોની કરે કવિતા
પડતા પર્વતનો ભય તારા ભાવજગત પર ઝૂમે
કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે?

તેમની એકાંકીઓ વિશે

તેમની રચનાઓ

કવિતાકોશ પર એક અછાંદસ

વૃક્ષ – એકાંકી

એક સરસ અંજલિ

ચિત્રલેખા પર અંજલિ

મુંબાઈ સમાચારમાં અંજલિ

વિકિપિડિયા પર

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર

________________________________

ઉપનામ

  • લઘરો, પુનર્વસુ

જન્મ 

  • જાન્યુઆરી 14, 1935,  સેડલા (સુરેન્દ્રનગર)

અવસાન

  • ૬, જાન્યુઆરી- ૨૦૧૬, અમદાવાદ

કુટુમ્બ

  • માતા –  ? ;  પિતા –     ?

અભ્યાસ

  • એમ. એ., ડી. એસ. એ. સી.

વ્યવસાય

  • આયુર્વેદિક ચિકિત્સક

જીવન ઝરમર

  • સાતેક વર્ષ અમદાવાદ શહેરની વિવિધ કોલેજોમાં અધ્યાપક તરીકે રહ્યા હતા
  • અમદાવાદમાં ચિકિત્સા તથા લેખન પ્રવૃત્તિ
  • ‘રે’ મઠ ના સભ્ય

la_tha_chitralekha

રચનાઓ

  • કવિતા –  વહી જતી પાછળ રમ્ય=ઘોષા, માણસની વાત, મારે નામને દરવાજે, બૂમ કાગળમાં કોરા, પ્રવાહણ, લઘરો, કાલગ્રંથિ, ટોળા અવાજ ઘોંઘાટ વિ.
  • નવલકથા – અકસ્માત, કોણ?, પીવરી, લીલા સાગર, હાસ્યાયન, ચંપકચાલીસા, અનાપસનાપ વિ.
  • નિબંધો – એક મિનિટ, ક્ષણ-તત્ક્ષણ, સૂરજ ઊગ્યો કેવડિયાની ફણસે વિ.

સન્માન 

  • વિશેષ રણજિતરામ સુવર્ણચંદ્રક
  • ચંદ્રક

સાભાર

  • કર્તા-કૃતિ પરિચય
  • મૃગેશ શાહ
  • ગુજરાતી સાહિત્ય સંગમ
  • બકુલ ટેલર – મુંબાઈ સમાચાર

રમણ પાઠક, Raman Pathak


raman_pathak.jpg

“મંદીર બાંધવા કરતાં જાહેર સંડાસ બાંધો.”

સારા માણસ થવામાં તો સુખ-આનંદ છે, પછી મુશ્કેલી જ ક્યાં ?

‘ગુજરાત મિત્રે’માં વસંતોત્સવ

તેમના પુસ્તક ‘વિવેક વલ્લભ વિશે’ 

–  ‘રીડ ગુજરાતી’ પર તેમના વિચારો

તેમની આત્મકથાના લોકાર્પણ વખતે નાનુભાઈ નાયકે આપેલ ‘પરિચય’ પ્રવચન

#   એક લેખ 

# આધુનિક મહર્ષિ -વલ્લભ ઇટાલિયા

—————————————————————–

જન્મ

  • 30 –  જુલાઈ , 1922  ;   રાજગઢ (પંચમહાલ)

અવસાન

  • ૧૨, માર્ચ – ૨૦૧૫, બારડોલી

કુટુમ્બ

  • માતા – ઈચ્છાબા ; પિતા – હિંમતલાલ
  • પત્નીસરોજ ( લેખિકા ) ; પુત્રી – શર્વરી

અભ્યાસ

  • પ્રાથમિક , માધ્યમિક –  રાજગઢ
  • બી. એ  – એમ. ટી. બી. કોલેજ, સુરત
  • એમ. એ.  – ગુજરાત યુનિ. ( 40 વર્ષની ઉમ્મરે, સુવર્ણ ચન્દ્રક સાથે ! )

વ્યવસાય

  • 1948- 68   –   પત્રકારત્વ
  • લેખન

જીવનઝરમર

  • જ્ઞાતિની કન્યા સાથે થયેલી સગાઇ તોડી પરજ્ઞાતિના સરોજબેન સાથે માત્ર બે રૂપીયાના ખર્ચે પરણ્યા.
  • મુંબાઇના ‘હિન્દુસ્તાન’ દૈનીકના તંત્રીવિભાગમાં
  • પછી સોવિયેટ રશીયાના માહીતિ ખાતામાં મુખ્ય સંચાલક
  • 1968 – બધું છોડી શેક્ષણ ક્ષેત્રે
  • સુરતના ‘ ગુજરાત મિત્ર’  માં ‘રમણ ભ્રમણ’ નામની બહુ જ લોકપ્રિય અને સમાજના કુરિવાજો અને ધાર્મિક અંધશ્રધ્ધાની સામે લાલબત્તી ધરતી કોલમના લેખક  
  • પ્રખર વિવેકપંથી( Rational thinker), ગુજરાતમાં રેશનાલીઝમના પિતામહ
  • બાળકોની અને સ્ત્રીઓની વેદનાઓ તેમના લખાણોનો મુખ્ય વિષય

વ્યવસાય

  • શિક્ષક, પત્રકાર, પછી આકાશવાણી-દિલ્હીમાં સમાચારપ્રસારક
  • “સોવિયેત સમાચાર”માં સંપાદક
  • દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજોમાં ગુજરાતીના પ્રાધ્યાપક

મુખ્ય રચનાઓ

  • નવલકથા -ઓથાર
  • વાર્તા – સબસે ઊંચી પ્રેમસગાઈ, પ્રીત બંધાણી, અકસ્માતના આકાર.
  • હાસ્યલેખ  – હાસ્યલોક, હાસ્યોપનિષદ
  • ચિંતન/  નિબંધ  – આક્રોશ, રમણભ્રમણ, આંસુ અનરાધાર, વિવેક વલ્લભ
  • સંપાદન – સરોજ પાઠકની શ્રેષ્ઠ વાર્તાઓ
  • અનુવાદ – ધીરે વહે છે દોન, ચેખોવની શ્રેષ્ઠ નવલકથાઓ

સાભાર

  • શ્રી. હરીશ રઘુવંશી

કાકા કાલેલકર, Kaka Kalelkar


 

kaka_kalelkar.jpg # ‘હિમાલય નો પ્રવાસ’ ના અંગ્રેજી અનુવાદ – (અશોક મેઘાણી  ) વિશે

હિમાલયનો  પ્રવાસ ‘ – પુસ્તક પરિચય – શ્રીમતિ દીપલ પટેલ 

#  વિકિપિડિયા પર પરિચય

#  ગુજરાત વિદ્યાસભાની વેબ સાઈટ પર ઘણા બધા ફોટા

___________________________

નામ

  • દત્તાત્રેય કાલેલકર

જન્મતારીખ

  • ડિસેમ્બર 1, 1885

જન્મસ્થળ

  • સતારા (મહારાષ્ટ્ર)

અવસાન

  • 1981

માતા

  • રાધાબાઈ

પિતા

  • બાલકૃષ્ણ કાલેલકર

અભ્યાસ

  • મેટ્રિક (1903)

વ્યવસાય

  • દેશસેવા, કેળવણી

kaka_kalelkar

જીવન ઝરમર

  • પૂનામાં ફર્ગ્યુસન કોલેજમાં અભ્યાસ શરૂ કર્યો, પણ લોકમાન્ય ટિળકના પ્રભાવ નીચે રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં ઝંપલાવ્યું,
  • થોડો સમય બેલગામ તથા વડોદરામાં શિક્ષક,
  • 1913– સ્વામી આનંદ સાથે હિમાલય-પ્રવાસ
  • આચાર્ય કૃપલાની સાથે બ્રહ્મદેશ પ્રવાસ
  • 1915- ટાગોરના ‘શાંતિનિકેતન’ માં ગાંધીજીને મળ્યા, અમદાવાદના સત્યાગ્રહ આશ્રમ તથા ‘ગૂજરાત વિદ્યાપીઠ’ સાથે સંકળાયા
  • 1932 થી સતત દેશનો પ્રવાસ
  • 1960 – ગુજરાતી સાહિત્ય પરિષદના અમદાવાદ અધિવેશનના પ્રમુખ

પ્રદાન

  • 40 પુસ્તકો

મુખ્ય રચનાઓ

  • જીવનનો આનંદ, રખડવાનો આનંદ, જીવનલીલા, ઓતરાદી દીવાલો, હિમાલયનો પ્રવાસ, બ્રહ્મદેશનો પ્રવાસ, સ્મરણયાત્રા  વિ.

સન્માન

  • 1964- પદ્મવિભૂષણ, તેમના ફોટા વાળી ટપાલ ટિકીટ બહાર પડી છે.

વર્ષા અડાલજા, Varsha Adalaja


varsha-adalaja.jpg“આજે મને પ્રશ્ન થાય છે: બા આ બધું ક્યાં શીખેલી? આ સંસ્કાર, આ કલારુચિ, નૈતિક હિંમત – ક્યાંથી બાએ મેળવ્યું હતું આ બધું ?પતિ પત્નીના જીવનની પશ્વાદભૂ અને ઉછેર સાવ અલગ. બા કદી શાળાએ ગઇ નહોતી. ખોબા જેવા ગામડાની અત્યંત ગરીબ વિધવા માની ચાર-પાંચ દીકરીઓમાં ચોથો નંબર. જ્યારે પપ્પાજી – સ્વ. ગુણવંતરાય આચાર્ય – નીડર પત્રકાર. સ્વાતંત્ર્યસંગ્રામના સાહસિક લડવૈયા. ક્રાંન્તિકારી વિચારક. પણ બા કોઇ ઉંડી આંતરસુઝથી આ સાવ નવી દુનિયામાં તરસી ધરતીમાં જળ પેઠે શોષાઇ ગયેલી”

” એ બધાં સ્મરણો વાદળની જેમ છવાયેલાં જ રહે છે અને ગમે ત્યારે વરસી પડે છે.”
– સખા સમ પિતાની યાદમાં

” આ વિશાળ ભૂરા ઘુમ્મટની પેલે  પાર જો ઇશ્વર હોય તો એની એંધાણી મને કેમ મળતી નથી? …. અછડતો અણસાર, કે ઇશ્વર હજી છે….. તારી વેદનાનો અસ્થિકુંભ વહાવી દે નદીના પવિત્ર જળમાં. જ્યારે તું સંપૂર્ણ વીખરાઇ જઇશ ત્યારે અસ્તિત્વમાં આવીશ અને ત્યારે તારી પાસે કોઇ જ દુઃખ શેષ નહીં રહે. ”
– ‘અણસાર’ ની નાયિકા રૂપાની સ્વગતોક્તિ

પ્રેરક વાક્ય
” It is always morning somewhere in the world.”

# રચનાઓ   :   પોતાની માતા વિશે

__________________________________________ Read more of this post

વીનેશ અંતાણી, Vinesh Antani


આ ભાવને જ આપણે વાત્સલ્ય કહીએ છીએ. વાત્સલ્ય શબ્દનો કોઇ ડિક્ષનેરીમાંથી સાચો અર્થ તેને ‘જોવાથી’ મળી શકેશે નહીં. એ શબ્દનો સાચો અર્થ તો વાછરડાને પોતાની જીભથી ચાટી રહેલી ગાયના દ્શ્યમાંથી જ અનુભવી શકાય. ”

# વિકિપિડિયા પર

# એક  રચના વિશે    :      એક વાર્તા 

#  વેબ ગુર્જરી પર ઇન્ટરવ્યુ

___________________________________________________________________________

જન્મ

  • જૂન 27, 1946, નાના વાસ માંડવી( જિ. કચ્છ )
  • મૂળ વતન  દુર્ગાપુર તા. માંડવી, જિ. કચ્છ  

કુટુમ્બ

  • માતા – ? , પિતા – દિનકરરાય

અભ્યાસ

  • નખત્રાણા અને ભુજમાં અભ્યાસ
  • ૧૯૬૨ – એસ.એસ.સી.
  • ૧૯૬૭ –  ગુજરાતી-હિન્દી સાથે બી.એ- ભુજ
  • ૧૯૭૫ – ગુજરાતી-સંસ્કૃત સાથે એમ. એ – ભુજ

વ્યવસાય

  • 1970- 75  –  ભુજની કોલેજમાં ગુજરાતીના અધ્યાપક
  • 1975 થી – આકાશવાણીમાં કાર્યક્રમ નિયોજક, ડિરેક્ટર પદેથી સ્વૈચ્છિક રાજીનામું.

મુખ્ય રચનાઓ

  • નવલકથાકાફલો, અનુરવ, પલાશવન, નગરવાસી, સૂરજની પાર દરિયો, એકાંતદ્વીપ વગેરે
  • વાર્તા – કોરો સારંગ, હોલારવ, તરસના કૂવાનું પ્રતિબિંબ વગેરે

લાક્ષણિકતાઓ

  • પ્રયોગશીલ સર્જનો
  • કેન્દ્રસ્થ સંવેદન અને આંતરમનની ગહરાઇઓનું સચોટ આલેખન
  • પ્રતીક અને કલ્પનની મદદ લઇ  ભાવને ઉપસાવવાનું વલણ
  • જગતની અર્થશૂન્યતા અને માનવ વ્યવહારની ક્ષુદ્રતાનું સચોટ નિરૂપણ

સન્માન

  • ૧૯૯૩ – ધનજી કાનજી સુવર્ણ ચન્દ્રક
  • ક.મા. મુન્શી સુવર્ણ ચન્દ્રક
  • ૨૦૦૦  – સાહિત્ય એકેડેમીનો એવોર્ડ

દિનકર જોશી, Dinkar Joshi


dinakarbhai_joshi_1.jpg” પ્રત્યેક સાચા સાહિત્યકારની સર્જનયાત્રા ઉપનિષદયાત્રા હોવી જોઈએ ! જ્યાં સુધી એ આવી ઉપનિષદયાત્રા છે ત્યાં સુધી જ એ સાહિત્યયાત્રા છે અન્યથા ઝાડ-પાન ઉછેરવાનું માળી કામ છે ! ”

” હવે તમે જ કહો કે, નરસિંહ મહેતાથી દિનકર જોશી સુધીના, પાચ સૈકાના, સેકડોબંધ સાક્ષર સર્જકોમાંથી તમને આ ક્ષણે કેટલા યાદ રહ્યા છે? ”
– ગુલાબદાસ બ્રોકર દિનકર જોશીને, જેના જવાબમાં તેઓ માંડ ત્રીસ ચાળીસના નામ ગણાવી શક્યા હતા અને પરસેવો વળી ગયો હતો !!

”  જે જે થતો પ્રાપ્ત ઉપાધિયોગ,
બની રહો એ જ સમાધિયોગ.”
–  પ્રેરક અવતરણ   

– બહુ ચર્ચિત નવલકથા – ‘ પ્રકાશના પડછાયા’ ના સર્જક **

# સર્જન કર્મ    :  દિવાળી એટલે   :   એક વાર્તા    

__________________________________________ Read more of this post

સરોજ પાઠક, Saroj Pathak


Saroj Pathak


જન્મ

  • 1-જુન , 1929  ;      કચ્છ

અવસાન

  • 16 -એપ્રિલ, 1989

અભ્યાસ

  • એમ. એ.

વ્યવસાય

  •  અધ્યાપન

Saroj Pathak_1

જીવન ઝરમર

મુખ્ય રચનાઓ

  • વાર્તા – પ્રેમઘટા ઝૂક આઈ; વિરાટ ટપકું; તથાસ્તુ , નાઈટમેર,   વિ.

સાભાર

  • કર્તા-કૃતિ પરિચય
  • શ્રી. મૃગેશ શાહ

બ્રહ્માનંદ સ્વામી, Brahmanand Swami

%d bloggers like this: