ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

પન્ના નાયક, Panna Naik


 

કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી; “

“એક માછલી સાગરનું સરનામું શોધતી રહી…”

“ઓશીકું ઊભરાય છે ઉજાગરાથી.”

“તારકોનું આખું બાલમંદિર છૂટે છે.
પણ એમાંથી એકેય મારે ઘેર ભૂલું પડતું નથી.”

“ચાલે છે માત્ર સમય
આપણે તો માત્ર એનાં પગલાં છીએ.”

panna_naik_poem_in_own_handwriting1.jpg

“હું પરદેશમાં ટકી રહી છું તે કવિતાને કારણે…  મારે જો ઓછામાં ઓછા શબ્દો દ્વારા મારી કવિતા વિશે કંઇ પણ કહેવાનું હોય તો હું એટલું જ કહીશ કે કવિતા એ મારી એંશી વર્ષની મા છે, મારી મિત્ર છે, મારા થાકેલા હૃદયનું પરમ ધામ છે.  આશ્વાસનનો શબ્દ જેટલો મને કવિતા પાસેથી મળ્યો છે એટલો મનુષ્ય પાસેથી નથી મળ્યો.  છતાં આશ્વાસન મેળવવા માટે જ કવિતા લખું છું એવું પણ સાવ નથી.  આશ્વાસન માટે હું કવિતાનો ઉપયોગ નથી કરતી કે મારી કવિતાનો પણ એ નિમિત્તે દુરુપયોગ નથી કરતી.  મારો અને કવિતાનો સંબંધ દુનિયાદારીના ગણિતથી જુદો છે.”
– પન્ના નાયક (સુરેશ દલાલ સંપાદિત “અબ તો બાત ફૈલ ગઈ’માંથી… પૃષ્ઠ. 211)

#  વિકિપિડિયા પર –  અંગ્રેજીમાં  ;  ગુજરાતીમાં 

# વધુ રચનાઓ:  – ૧ –  :  – ૨ –  :   – ૩ –  :  – ૪ – 

# સાંભળો:  – સોના વાટકડી જેવું આ કાળજું

# પન્ના નાયક વિશે વધુ વાંચો

# સર્વાંગ માહિતી લેખ    ( શબ્દની શોધમાં ) 

_________________________________________________________________

pn

આ શિર્ષક પર ક્લિક કરી તેમની વેબ સાઈટ પર જાઓ.

નામ

  • પન્ના નાયક

જન્મ

  • 28 ડિસેમ્બર, 1933 (મુંબઇ, વતન-સુરત)

કુટુમ્બ

  • માતા રતનબહેન;  પિતા – ધીરજલાલ છગનલાલ મોદી
  • પતિ – નિકુલ નાયક (અવસાન – ૨૦૦૪ );

અભ્યાસ

  • બી.એ. (ગુજરાતી અને સંસ્કૃત, સેંટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈ, 1954)
  • એમ.એ. (ગુજરાતી અને સંસ્કૃત, સેંટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈ, 1956)
  • એમ.એસ. (લાયબ્રેરી સાયંસ,  ડ્રેક્સલ યુનિવર્સિટી, ફિલાડેલ્ફીઆ, 1963)
  • એમ.એસ. (સાઉથ એશિયન સ્ટડીઝ, યુનિવર્સિટી ઑફ પેંસિલવેનિયા, ફિલાડેલ્ફીઆ, 1973)

વ્યવસાય

  • ગ્રંથપાલ (ફિલાડેલ્ફીઆ, વેન પેલ્ટ લાઇબ્રેરી, યુનિવર્સિટી ઑફ પેંસિલવેનિયા, 1964 – 2003)
  • અધ્યાપન (ગુજરાતી ભાષાનાં પ્રોફેસર, યુનિવર્સિટી ઑફ પેંસિલવેનિયા, 1985 – 2002)

 બે ઈન્ટરવ્યુ

પન્ના નાયક – પોતાના વિશે …

મારી કવિતાના વાચકને…

ચકમક ઘસાય
કે
દીવાસળી સળગે
ને
જ્વાળા ભભૂકી ઊઠે-
બરાબર એ બિંદુ પર
હું તને લઈ જવા માંગુ છું.
જો, મારી હથેળી
નરી શૂન્ય અત્યારે તો.
હું હાથ લંબાવું છું.
આ લંબાવેલા હાથને થોડીક અપેક્ષા છે
એને વિશ્વાસ છે કે
એ મહોરી ઊઠશે તારા હાથની સુવાસથી
પછી
દુનિયા મૂંગી-બહેરી મટી જશે
ને હું
મૌનનું પ્રથમ આકાશ પાર કરી ગઈ હોઈશ.

પન્ના નાયક

“હું પરદેશમાં ટકી રહી છું તે કવિતાને કારણે… મારે જો ઓછામાં ઓછા શબ્દો દ્વારા મારી કવિતા વિશે કંઇ પણ કહેવાનું હોય તો હું એટલું જ કહીશ કે કવિતા એ મારી એંશી વર્ષની મા છે, મારી મિત્ર છે, મારા થાકેલા હૃદયનું પરમ ધામ છે. આશ્વાસનનો શબ્દ જેટલો મને કવિતા પાસેથી મળ્યો છે એટલો મનુષ્ય પાસેથી નથી મળ્યો. છતાં આશ્વાસન મેળવવા માટે જ કવિતા લખું છું એવું પણ સાવ નથી. આશ્વાસન માટે હું કવિતાનો ઉપયોગ નથી કરતી કે મારી કવિતાનો પણ એ નિમિત્તે દુરુપયોગ નથી કરતી. મારો અને કવિતાનો સંબંધ દુનિયાદારીના ગણિતથી જુદો છે.”

“મારી કવિતા ભલે ભીતરના ધખતા બપોરની કે વિષાદને લઈ આવતી તેજછાયાના મિશ્રણ જેવી સાંજની કે રાતના કણસતા અંધકારમાં નહીં ઓગળેલી દીવાલની હોય છતાં પણ મારી મોટા ભાગની કવિતા વહેલી સવારે જ ઊઘડી છે.”

“ગુજરાતી સાહિત્યની ભૂમિકા તો મારી પાસે હતી જ. પણ અહીં ફિલાડેલ્ફીઆમાં રહ્યાં રહ્યાં લાઇબ્રેરીમાં નોકરી કરતાં કરતાં, પુસ્તકો જેવા અનાક્રમક મિત્રોની વચ્ચે જીવતાં જીવતાં, અચાનક એક દિવસ અમેરિકન કવયિત્રી Anne Sextonનો કાવ્યસંગ્રહ ‘Love Poems’ (1967) મારી આંખે વસી ગયો. એનાં કાવ્યો હું વાંચતી જાઉં અને એ વાતાવરણમાં ડૂબતી જાઉં. જાણે કે મારા ખોવાઈ ગયેલા beingનો ક્યાંક એમાં તાળો મળતો હોય એવું અનુભવતી જાઉં. ટીવી પર પણ જો એનો કાર્યક્રમ હોય તો કદી ન ચૂકું. એક સ્ત્રી પોતા વિશે કોઈ પણ પ્રકારના નિષેધ વિના કેટલી હદે બેધડક બયાન કરી શકે છે એનો ખ્યાલ મને આવ્યો. એનાં કાવ્યોમાં ગર્ભાશયની વાતો, masturbation અને menstruationની વાતો એ છોછ કે સંકોચ વિના કરી શકે છે – દંભના પડદા ચીરીને. હું એ પણ સમજું છું કે આવી વાતો કરવાથી જ કવિતા નથી થતી. પણ અંદરનું કોઈ તત્વ આવી વાતોની અભિવ્યક્તિ માટે ધસમસતું આવતું હોય તો કેવળ સામાજિક ભયથી એનો ઢાંકપિછોડો કરવો એ કલાકારને ન છાજે એવી કાયરતા છે.”

તેમના વિશે વિશેષ 

  • અમેરીકન કવયિત્રી એન સેક્સટનનો એમનાં પર વિશેષ પ્રભાવ
  • 1972થી કવિતા લખવાની શરૂઆત કરેલી
  • કશા જ સંકોચ અને છોછ વિના એકદમ પારદર્શી લખનાર લોકપ્રિય કવયિત્રી
  • એમની ઘણી કવિતાઓ અને ટૂંકી વાર્તાઓનું અંગ્રેજી રૂપાંતર પણ થયું છે જેમાંની ઘણી અમેરીકાના ઘણા મેગેઝીનોમાં પણ છપાયેલ છે.
  • ‘સ્નેપશૉટ’, એ એમનું પ્રથમ કાવ્ય 1971માં લખેલું અને મુંબઈ ‘કવિતા દ્વૈમાસિક’માં 1972માં પ્રથમવાર છપાયેલું
  • મુંબઈની SNDT યુનિવર્સિટીમાં એમનાં ‘પ્રવેશ’, ‘ફિલાડેલ્ફિઆ’, ‘નિસ્બત’ અને ‘આવનજાવન’ પુસ્તકોનું વાંચન વિદ્યાર્થીઓ માટે ફરજિયાત છે.
  • એમનાં ઘણા કાવ્યો ભારતની ઘણી શાળાઓનાં પાઠ્યપુસ્તકોમાં પણ સ્થાન પામ્યાં છે.
  • એમનાં કાવ્યોમાં વિષાદ વધુ છે, માતૃત્વની સ્ત્રીસહજ ઝંખના છે, અને ભારતનો ઝુરાપો  પણ છે.
  • સામાજિક ટીકાઓની પરવા કર્યા વિના વોશિંગ્ટન ડી.સી. ના નાણાંકીય કન્ટ્રોલર શ્રી. નટવર ગાંધી સાથે ફરીથી લગ્ન.

 panna_naik_pic2.jpg           panna_naik_pic1.jpg
યુવાન વયે…                                                   આઘેડ વયે…

શોખ

  •  ગીત-સંગીતનો નાનપણથી શોખ

મુખ્ય રચનાઓ

  • કાવ્યસંગ્રહો – આગળનાં અપ્રાપ્ય પાંચ સંગ્રહો: ‘પ્રવેશ’ * (1976), ‘ફિલાડેલ્ફીઆ’ (1980), ‘નિસ્બત’ (1984), ‘અરસપરસ’ (1989), ‘આવનજાવન’ (1991);  અને આ પાંચેય સંગ્રહોને એક જ પુસ્તકમાં સમાવતો એમની સમગ્ર કવિતાનો સંગ્રહ એટલે ‘વિદેશિની’ (2000); ચેરી બ્લોસમ્સ (2004), અત્તર અક્ષર, હાઈકુસંગ્રહ
  • દીર્ઘકાવ્યસંગ્રહ – એમનાં અગિયાર દીર્ઘકાવ્યોનો સંગ્રહ: ‘રંગઝરૂખે’ (2004)
  • વાર્તાસંગ્રહ – પ્રથમ વાર્તાસંગ્રહ: ‘ફ્લેમિન્ગો’, 2003 (જેમાંની Political Engagement નામની વાર્તા ઘણી જ લોકપ્રિય છે જેની ઘણા પરદેશી સાહિત્યકારોએ પણ નોંધ લીધી છે), ઊડી ગયો હંસ (1996ની શ્રેષ્ઠ વાર્તાઓ), ક્યુટિપ (ગુજરાતી નવલિકાચયન, 1997), કથા નલિનભાઈની (ગુજરાતી નવલિકાચયન, 2001), ગાલના ટાંકા (ગુજરાતી નવલિકાચયન, 2002)
  • નિબંધો – સુરેશ દલાલ સંપાદિત એમનાં એક પુસ્તક ‘અબ તો બાત ફૈલ ગઈ’માં એમનાં ઘણા નિબંધો પણ પ્રકાશિત છે.

સન્માન

  • મોહનલાલ સૂચક પારિતોષિક (ગુજરાતીમાં ઊંચા ગુણાંક માટે), 1952
  • કૃષ્ણલાલ ઝવેરી પારિતોષિક (ગુજરાતીમાં ઊંચા ગુણાંક માટે), 1954
  • ગુજરાત રાજ્ય પ્રથમ પારિતોષિક *, 1978
  • ચૂનીલાલ વેલજી મહેતા પારિતોષિક (અમેરિકામાં વસતા સર્જકને), 2002

સાભાર

  • પન્નાબેન નાયક
  • “અબ તો બાત ફૈલ ગઈ’માંથી

A – પન્ના નાયક વિશે વધુ… Panna Naik more…


પન્ના નાયક વિશે શ્રી સુરેશ દલાલનાં શબ્દો…

“મને પન્નાનાં કાવ્યોમાં સૌથી વિશેષ સ્પર્શે છે એની સરળ પ્રમાણિકતા.”

“પન્નાની કવિતા સોયની અણી જેટલા વ્યથાના બિંદુ પર ઊભી છે.  આ વ્યથાનું મૂળ શોધવું મુશ્કેલ નથી. જે જીવન જીવવું પડે છે એનો થાક છે, બેચેની છે, અજંપો છે, વ્યગ્રતા છે, ક્યારેક તો થાકની વાત કરવાનો પણ થાક છે, તો ક્યારેક વાત ન કરી શકાઈ હોય એનો ‘કોરો તરફડાટ’ છે.  આ બધાંની સામે જે જીવન જીવવું છે એને માટેની તાલાવેલી છે, ઝંખના છે.”

“પન્નાની કવિતા, જેમાં આખો સમાજ ઉઘાડો પડી જાય છે એવા ડ્રોઇંગરૂમની કવિતા છે, બેડરૂમની કવિતા છે.  પન્ના પાસે છે કરાર ન વળે એવો એકરાર…”

“પન્નાની કવિતા એકાદ અપવાદને બાદ રાખીએ તો અંગત, વધુ પડતી અંગત કવિતા છે, મર્યાદા બની જાય એવી સિદ્ધિ છે.”

“પન્નાની વિશિષ્ટતા એ છે કે એ કોઈ પણ છોછ કે સંકોચ વિના જ કંઈ લખે છે તે પૂરેપૂરી નિખાલસતાથી અને પારદર્શકતાથી લખે છે.”

“પન્ના નાયકની કવિતાઓ વિષાદની કવિતા છે. વિષાદમાંથી જે શૂન્યતાનો અનુભવ થાય છે એનુ નીરૂપણ છે. પન્ના નાયકની કવિતા સંબંધની નહીં, સંબંધ-શૂન્યતાની કવિતા છે. ભરતી અને ઓટની, મૌન અને હોઠની કવિતા છે.  આંતરિક શૂન્યતાની કવિતા છે.”

“પન્નાની કવિતા બાયૉલૉજિકલ છે, સાઇકૉલૉજિકલ છે.  કવિતાને લૉજિકલ થવું પાલવે નહીં; પણ એ કોઈ સંજોગમાં મેટાફિઝિકલ નથી.”

“પન્નાની કવિતા કહો કે અંગત ડાયરી છે.  એમ તો મીરાંની કવિતા પણ અંગત ડાયરી તરીકે ઓળખાય છે.  પણ ભેદ ત્યાં છે, અને બહુ મોટો છે કે … પન્નાએ સ્ત્ય કહેવાનો પ્રયત્ન કર્યો છે, મીરાંએ સવાયું સત્ય ગાયું છે.”

“પન્નાનાં ગીતમાં આપણી પરંપરાના અણસારા-ભણકારા પણ છે અને આ બધાંની વચ્ચે ફૂટતો એનો પોતીકો અવાજ પણ છે.  કાવ્યને તો કાવ્યની રીતે જ મલવવું જોઈએ.  સ્ત્રી કે પુરુષે લખ્યું છે એવા ભેદ મિટાવીને.  છતાંયે … [પન્નાનાં] કેટલાંક ગીતમાં નારીની સંવેદનાની જે વાસ્તવિકતા કલાત્મક રીતે પ્રગટી છે એ કદાચ આપણાં કવિતાસાહિત્યમાં જુદી તરી આવે એવી છે.”

પન્નાબેન નાયક પોતાના વિશે…

“મારી કવિતા ભલે ભીતરના ધખતા બપોરની કે વિષાદને લઈ આવતી તેજછાયાના મિશ્રણ જેવી સાંજની કે રાતના કણસતા અંધકારમાં નહીં ઓગળેલી દીવાલની હોય છતાં પણ મારી મોટા ભાગની કવિતા વહેલી સવારે જ ઊઘડી છે.”

“ગુજરાતી સાહિત્યની ભૂમિકા તો મારી પાસે હતી જ.  પણ અહીં ફિલાડેલ્ફીઆમાં રહ્યાં રહ્યાં લાઇબ્રેરીમાં નોકરી કરતાં કરતાં, પુસ્તકો જેવા અનાક્રમક મિત્રોની વચ્ચે જીવતાં જીવતાં, અચાનક એક દિવસ અમેરિકન કવયિત્રી Anne Sextonનો કાવ્યસંગ્રહ ‘Love Poems’ (1967) મારી આંખે વસી ગયો.  એનાં કાવ્યો હું વાંચતી જાઉં અને એ વાતાવરણમાં ડૂબતી જાઉં.  જાણે કે મારા ખોવાઈ ગયેલા beingનો ક્યાંક એમાં તાળો મળતો હોય એવું અનુભવતી જાઉં.  ટીવી પર પણ જો એનો કાર્યક્રમ હોય તો કદી ન ચૂકું.  એક સ્ત્રી પોતા વિશે કોઈ પણ પ્રકારના નિષેધ વિના કેટલી હદે બેધડક બયાન કરી શકે છે એનો ખ્યાલ મને આવ્યો.  એનાં કાવ્યોમાં ગર્ભાશયની વાતો, masturbation અને menstruationની વાતો એ છોછ કે સંકોચ વિના કરી શકે છે – દંભના પડદા ચીરીને.  હું એ પણ સમજું છું કે આવી વાતો કરવાથી જ કવિતા નથી થતી.  પણ અંદરનું કોઈ તત્વ આવી વાતોની અભિવ્યક્તિ માટે ધસમસતું આવતું હોય તો કેવળ સામાજિક ભયથી એનો ઢાંકપિછોડો કરવો એ કલાકારને ન છાજે એવી કાયરતા છે.”

* * *

પન્ના નાયક – મુખ્ય પ્રોફાઇલ

*

સૌજન્ય: “અબ તો બાત ફૈલ ગઈ’માંથી સાભાર…

ન્હાનાલાલ કવિ, Nhanalal Kavi


nhanalal.jpgઅસત્યો માંહેથી, પ્રભુ પરમ સત્યે તું લઇ જા.
ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા.

“ધન્ય હો ! ધન્ય જ પુણ્યપ્રદેશ !
અમારો ગુણિયલ ગુર્જ-દેશ !

“મારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી.
એક મટકું ન માર્યું રે, ન ઠરિયાં ઝાંખી કરી.”

આ વસન્ત ખીલે શતપાંદડી, હરિ! આવોને!
આ સૃષ્ટિએ ધરિયા સોહાગ; હવે તો હરિ! આવોને!

“હલકે હાથે તે નાથ! મહીંડા વલોવજો,
મહીંડાની રીત ન્હોય આવી રે લોલ.”

પાર્થને કહો ચડાવે બાણ,
હવે તો યુદ્ધ એ જ કલ્યાણ;

નમેરા એ હ્રદયના ભાવ, વ્હાલી
તથાપિ ઉર લે રસલ્હાવ, વ્હાલી !

સ્નેહીનાં સોણલા આવે સાહેલડી !
ઉરના એકાન્ત મારા ભડકે બળે :

વધુ રચનાઓ: –  1 –  2 –  3 –  4 –  5 –  6 –  7  –

# જયા-જયંત , વેબ ગુર્જરી પર 

સાંભળો:અસત્યો માંહેથી –  ઝીણા ઝરમર વરસે મેહ

# ‘જયા અને જયંત’માંથી…

# તેમના સાહિત્ય વિશે એક સંકલન

_______________________________ Read more of this post

તારક મહેતા, Tarak Maheta


tarak_maheta.gif” પંચાવન વર્ષ કૉમેડીમાં કાઢયાં, એનો અફસોસ તો ના જ હોય…….. ટૂંકમાં લોકોને હસાવ્યા
અને થોડું કમાયા પણ ખરા. હવે થોડા વખતથી તકલીફ છે. મને પોતાને હસવું આવતું નથી.  ”

“હાસ્ય એ દરેક રોગોનો રામબાણ ઇલાજ છે.”
-પ્રેરક અવતરણ

tarak_maheta_sign.jpg

” ‘ટપુ ‘નું સર્જન ‘ગમી જાય એવું ‘ છે. અમર નહીં કહું. અજર કહેવું મુશ્કેલ
છે, પણ આગવું સ્થાન લે એવું પાત્ર છે. આપણા હાસ્યસાહિત્યમાં
હાસ્યરસનું પાત્ર સર્જવું બહુ મુશ્કેલ છે. હું હજી આજેય સર્જી શક્યો નથી. ”
– જ્યોતીન્દ્ર દવે

#  રચનાઓ :     –  1  –      :    –   2   –

# શ્રીમતિ ઇન્દુબેન તારક મહેતાની નજરે તારક મહેતા 

__________________________________________

જન્મ

  • 26 – ડીસેમ્બર, 1929;  અમદાવાદ

અવસાન

  • ૨૮, ફેબ્રુઆરી – ૨૦૧૭

કુટુમ્બ

  • માતા – મનહરગૌરી ; પિતા – જનુભાઈ
  • પત્ની – ઈલા(પ્રથમ લગ્ન, 1957 – અમદાવાદ), ઈંદુ(દ્વિતીય લગ્ન, 1974 – મુંબઈ) ; સંતાનો – એક પુત્રી

અભ્યાસ

  • 1945 – મેટ્રીક
  • 1956 – ખાલસા કોલેજ, મુંબાઇમાંથી ગુજરાતી સાથે બી.એ.
  • 1958 – ભવન્સ કોલેજ , મુંબાઇ માંથી ગુજરાતી સાથે એમ.એ.

વ્યવસાય

  • 1958-59 – ગુજરાતી નાટ્યમંડળમાં કાર્યકારી મંત્રી
  • 1959-60 –  પ્રજાતંત્ર દૈનિકના ઉપતંત્રી
  • 1960- 86 – ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ્સ ડીવીઝનમાં વૃત્તાંત લેખક અને ગેઝેટેડ અધિકારી
  • હાલ મુક્ત લેખન

 

શ્રી મધુ રાય ની કલમે
સ્વ. તારક મહેતાને લાગણી સભર અંજલિ

tm

tm1

ચિત્રલેખાના ‘તારક મહેતા’ વિશેષાંકમાંથી
( સાભાર – શ્રી. મહેન્દ્ર ઠાકર)

[ રાઈટ ક્લિક કરીને બીજી ટેબમાં મોટું કરી વાંચી શકશો ]

This slideshow requires JavaScript.

જીવનઝરમર

  • શુદ્ધ હાસ્ય-ઉપજાઉ અત્યંત લોકખ્યાત લેખક
  • સર્વ પ્રથમ મૌલિક કૃતિનું પ્રકાશિત: ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ ત્રિઅંકી પ્રહસન
  • એમના ઘણા પુસ્તકો સુપ્રસિદ્ધ છે (એમનાં મોટા ભાગના  પુસ્તકોની માહિતી અહીંથી   મળી રહેશે)
  • ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ અને ‘સપ્તપદી’ લેખોમાં અને ‘દુનિયાને ઊંધાં ચશ્માં’  કટારથી કીર્તિ ઘણી મળી
  • ટૂંકી વાર્તા, લેખો, રેડિયોરૂપકો અને નાનાંમોટાં નાટકો લખ્યા
  • ત્રણ પ્રિય ભારતીય કલાકારો/લેખકો: સત્યજિત્ રાય (દિગ્દર્શક), શરદ જોષી (હિન્દી હાસ્યલેખક), દિલીપકુમાર
  • ત્રણ પ્રિય વિદેશી સર્જકો: સ્વ.વુડહાઉસ, હયાતમાં આર્ટ બુકવૉલ્ડ, ટૉમ શાર્પ
  • વિનોદ ભટ્ટ અને ચંદ્રકાંત શાહ જેવા અગત્યનાં વિવેચકોએ એમની કૃતિનું મૂલ્યાંકન કરેલું
  • આરંભે ‘કુમાર’ સામયિકમાં કૃતિ પ્રકાશિત થવાથી હર્ષની લાગણી જન્મેલી
  • એમની ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ કટારને લીધે ‘ચિત્રલેખા’નું વધારે વાંચન
  • આકાશવાણી પર અસંખ્ય કાર્યક્રમો આપ્યા છે
  • લાગટ 25 વર્ષ રંગભૂમિ પર લેખક, અભિનેતા અને દિગ્દર્શક તરીકે કામ કર્યુ, હવે માત્ર લેખન

શોખ

  •  શાસ્ત્રીય સંગીત સાંભળવાનો

મુખ્ય રચનાઓ

  • નાટકો – નવું આકાશ નવી ધરતી, કોથળામાંથી બિલાડું, દુનિયાને ઊંધાં ચશ્માં, સપ્તપદી
  • હાસ્યલેખ – ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ લેખમાળામાંથી ઘણાં પુસ્તકો
  • પ્રવાસ – તારક મહેતાની ટોળી પરદેશના પ્રવાસે
  • ચરિત્ર – ‘મેઘજી પેથરાજ શાહ’  જીવન અને સિધ્ધિ

    b_165.jpg     

સન્માન

  • ગુજરાતી સાહિત્ય અકાદમી
  • ગુજરાતી સાહિત્ય પરિષદ

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
  • ગુજરાતી સાહિત્યકોશ – ખંડ – 2

હસમુખ પાઠક, Hasmukh Pathak


hasmukh_pathak.jpgછોડી શોધો તવ સૂરતનાં દર્શન તણી,
ધીરે હૈયે બેઠો, તવ મૂરતને સ્થાપી હૃદયે” 
– પ્રથમ રચના

“તારા રૂપને ઓળખું છું, નારાયણ,
તારા રૂપને ઓળખું છું,
નથી સમજતો તો તારામાં છુપાયેલા અરૂપને, નારાયણ.
નથી જેને પામી શકતો તેને જોવા ચાહું છું,
તેથી સાદ કરું છું, નારાયણ !…” 

“આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય
ગાંધી કદી સૂતા નથી-”
– અવિસ્મરણીય તારકપંક્તિઓ…

hasmukh_paathak_sign.jpg

ઉપરની એમની તારકપંક્તિઓ વિશે સુરેશ દલાલનું મંતવ્ય:
“આ મુક્તક તમામ ભાષાઓમાં કોતરાવીએ તો આપણા
રાજકારણીઓ ત્યાં (રાજઘાટ પર) ફૂલો ચડાવવાની અને
ફોટો પડાવવાની હિંમત નહીં કરે. (જોકે રાજકારણીઓ શું
કરશે કે શું નહીં કરે એ કોઈ નહીં કહીં શકે!)”

“ચરણ ધરિતે દિયો ગો આમારે,
નિયો ના નિયો ના સરાયે,
જીવનમરણ સુખદુ:ખ દિયે,
વક્ષે ધરિબ જડાયે.”
– રવિન્દ્રનાથ ટાગોરનું પ્રેરક ગીત

# રચનાઓ      –  1  –    :    –  2  –     :     –  3  –

__________________________________________ Read more of this post

કૃષ્ણવીર દીક્ષિત, Krishnaveer Dixit


” ઇશ્વર, ગુરુ અને ગ્રંથ- આ ત્રણ જ વિશ્વાસ રાખવા જેવા છે. “krishnaveer_dixit_face.gif

” ગુરુ થા તારો તું જ. (અખો) ”
-એમનું પ્રિય પ્રેરક અવતરણ

“માયાના મામલામાં ભલે હોય તું ફકીર,
છોડી નહીં કલમ ને કિતાબો, હે કૃષ્ણવીર!
તારા ગયા પછી હશે સિલકમાં નીર-ક્ષીર,
સ્નેહી વિવેકની કરે સલામ રઘુવીર!”
-શ્રી રઘુવીર ચૌધરીએ એમના માટે લખેલ

” કૃષ્ણવીરભાઇ વિવેચક તરીક રેતીમાં દરિયાની કુંડલી દોરવાનું
અઘરું કાર્ય કરી રહ્યા છે. ”
-શ્રી સુરેશ દલાલનાં શબ્દો

 k_dixit_sign.jpg

# રચના : વેબ સાઇટ

__________________________________________ Read more of this post

રણછોડભાઇ દવે, Ranchhodbhai Dave, Revised


ranchhodbhai_dave.jpg”… પરિણામે રણછોડભાઇ જેવા ઉત્સાહી જુવાનને ગુજરાતી નાટક લખવાના કોડ જાગ્યા… એમનાં નાટકો લખાતાં અને એક પછી એક ભજવાતાં ગયાં… શિખાઉ નાટ્યકારો એમની નાટ્યશૈલીનું અનુસરણ કરવા લાગ્યા અને આમ ગુજરાતી રંગભૂમિનું અને ગુજરાતી નાટકનું ચોક્કસ સ્વરૂપ બંધાયું… રણછોડભાઇ ગુજરાતી નાટકના પિતા કહેવાયા.”
–અનંતરાય રાવળ

 ” રણછોડભાઈની નાટકસેવાનું ખરું માપ તો એમના જમાનામાં જીવી જનાર જ કાઢી શકે…આપણા એ સુધીર ને ધૃતિમાન આદિ નાટ્યકારે એ સંસ્કૃતિકાળમાં પાશ્ચાત્ય અને પ્રાચીન-ભારતીય પ્રભાવ ઝીલ્યો, તળપદા ગુજરાતી નાટક પ્રકાર-ભવાઈનો સક્રીય વિરોધ પણ કર્યો અને તેનું સંમાર્જન કરીને એને અપનાવ્યો પણ ખરો.તેમની મેધા ઉચ્ચ હતી અને તેઓ એક અધિક ઉદ્યોગ પરાયણ વિદ્વાન હતા..”

_________________________________________________________________
Read more of this post

સૈફ – પાલનપુરી, Saif Palanpuri


” ‘શયદા‘ ભાઇએ મારી આંગળી પકડી, ‘શૂન્ય‘ ભાઇએ તખલ્લુસ આપ્યું,saifpalanpuri_sml.jpg
‘બેકાર’ સાહેબે પરિચય કરાવ્યો અને ‘અમીરી’ એ મારામાં શાયર
તરીકેનું આત્મભાન પ્રગટાવ્યું.”
saif_sign.jpg
“સૈફ એટલે તલવાર – પણ એમની તલવાર અહિંસક છે.
એની ખાતરી તમને હું આપું છું”
-પ્રથમ ગુજરાતી ગઝલની રજૂઆત વખતે ‘બેકાર’ સાહેબે આપેલો પરિચય

“છું ગઝલ સમ્રાટનો હું શિષ્ય ‘સૈફ’
મારી ગઝલો પર મને અભિમાન છે.” 

“મને દોસ્તોનાં અનુભવ ન પૂછો,
હવે દુશ્મનો પર ભરોસો કરું છું.”

(પ્રથમ ગુજરાતી ગઝલ)

“નામ આવ્યું તમારું કે કિસ્સો ખતમ,
લાગણીઓ બધી એકમત  થઇ ગઇ.”

“અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા છે ને હસવામાં અભિનય છે.”

“છે ઘણા એવા કે જેઓ યુગને પલટાવી ગયા,
પણ બહુ ઓછા છે જેઓ પ્રેમમાં ફાવી ગયા.”

“કોઇનાં ભીનાં પગલાં થાશે એવો એક વર્તારો છે
સ્મિત ને આંસુ બન્નેમાંથી જોઇએ કોનો વારો છે?”

“જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઇ શક્યો, બહુ અંગત અંગત નામ હતા!”

# રચના    :    – 1 –  :  – 2 –  :  – 3 –  :  – 4 –  :  – 5 –  :  – 6 –   :  – 7 –

# સાંભળો :   – સૂનો ઝરૂખો –  :  – એક લોકકથા –  :  – કોને દફનાવી ગયા! –  :  – હવે બોલવું નથી

# જીવનનાં સંસ્મરણો

# સૈફ ગુજરાતી ગઝલકાર કેવી રીતે બન્યા?…એ એમના જ શબ્દોમાં વાંચો !

__________________________________________ Read more of this post

A – સૈફ પાલનપુરી- જીવન સંસ્મરણો , Saif Palanpuri


– ‘સૈફ’  સાહેબના શબ્દોમાં એમના જીવનના મુશાએરાના સંસ્મરણો –

મુંબઇમાં તે વખતે જાહેર મુશાએરા ભાગ્યે જ થતા. ખાનગી બેઠકો થતી. મને યાદ છે કે મહમદઅલી રોડ પરના એક મુસ્લિમ શ્રીમંતે પોતાને ત્યાં આવી એક ખાનગી બેઠક રાખી હતી. શહેરમાં રમખાણને કારણે પરિસ્થિતિ જોખમકારક હતી. રાતનો રંગીન સમય વિતાવવા માટે એ ભાઇ અમુક ચોક્કસ વિસ્તારોમાં જઇ શકતા ન હતા. શયદા સાહેબના એ મિત્ર હતા એટલે આવા પ્રકારની ખાનગી બેઠકો રાખીને તેઓ પોતાનો સમય પસાર કરતા હતા. મને બરાબર યાદ છે કે એમને ત્યાંની આ ખાનગી બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું કે, “સાત શાએરો છે. પહેલાં ત્રણ, મજા નહીં આવે એવા શાએરોને પતાવી નાંખીએ. પછી ઇન્ટરવલ રાખીશું – ચા પાણી-છાંટો પાણી અને પછી બાકીના ચાર શાએરોની ‘કવ્વાલી’ આખી રાત સાંભળીશું.”

ત્રણ, મજા નહીં આવે, એવા શાએરોમાં એક તો હું – બીજા બરકતભાઇ (બરકત વીરાણી “બેફામ”) અને ત્રીજા મરીઝ-ગુજરાતના ગાલિબ- અને બન્યું પણ એવું જ. અમને ત્રણને ગઝલના એક-બે શે’રો બોલીને ફરજિયાત બેસી જવું પડ્યું. અમને એનો કોઇ હરખશોક તો નથી જ. માત્ર ગઝલ પ્રત્યે એ વખતે કેવો ભાવ પ્રવર્તી રહ્યો હતો એ દર્શાવવા માટે જ આ પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે.

* * *

અમદાવાદમાં એલિસબ્રિજ પાસે એક મોટા મેદાનમાં એક પ્રદર્શન યોજાયું હતું. અમદાવાદનાં એક ખૂબ જ જાણીતા પત્રકારે એ પ્રદર્શનમાં એક મુશાએરો રાખ્યો.  … મારા શાએર મિત્ર શેખાદમ આબુવાલા દ્રારા અમારા ‘ગુજરાતી ગઝલ મંડળ’ ને એ મુશાએરામાં ભાગ લેવા માટે આમંત્રણ મળ્યું. … મુશાએરામાં ભાગ લેવા માટે પાલનપુરથી ‘શૂન્ય’ ભાઇ આવ્યા હતા. સુરતથી મુ. ‘ગની’ દહીંવાલા, શ્રી રતિલાલ ‘અનિલ’ અને રાજકોટથી ‘ઘાયલ’ ભાઇ આવ્યા હતા.  ભાઇ શેખાદમ આબુવાલાએ પેલા જાણીતા પત્રકાર સાથે મારો પરિચય કરાવ્યો. વિવેક ખાતર એ મહાશયે મારી સાથે હાથ મિલાવ્યા, પણ મેં જોયું તો એમના ચહેરા પર ખૂબ જ નિરાશા છવાયેલી હતી. એનું એક કારણ એ હતું કે મુંબઇથી એમને જાણીતાં નામોની અપેક્ષા રાખી હતી અને મને જોઇને એમને મારામાં કોઇ ખાસ વિશ્વાસ ન બેઠો. બીજું કારણ એ હતું કે મુશાએરો સાંભળવા માટે  જે લોકો ખાસ મંચની સામે ગોઠવાયા હતા – એમાંના મોટી સંખ્યામાં મસ્તીખોર કિશોરો હતા. … મુશાએરો શરૂ થયો. ‘શૂન્ય’ ભાઇના નામની જાહેરાત થઇ. એમની પોતાની આગવી શાન સાથે ‘શૂન્ય’ ભાઇ માઈક પર પહોંચી ગયા …  ‘શૂન્ય’ ભાઇએ ખૂબ જ મીઠાશ ભર્યા તરન્નમમાં, એમની એક ખૂબ જ જાજવલ્યમાન ગઝલ રજૂ કરી:

અમ પ્રેમીઓના જીવનમાં વસી છે
આ સૌંદર્ય સૃષ્ટિની જાહોજલાલી.

આ મત્લઅ  હજી તો પૂરો થાય એ પહેલાં એક વિચિત્ર ધમાલ મચી ગઇ. એકી સાથે અનેક ‘નાના મોટા’ કિશોરોએ બાળકોની જેમ રડવાનું શરૂ કરી દીધું. ફુગ્ગાઓ બુલંદ થયા. મૌખિક અને યાંત્રિક સિસોટીઓ શરૂ થઇ ગઇ. શ્રોતાઓમાં હંગામી રીતે સ્થપાઇ ગયેલાં જુદાં જુદાં ગ્રુપોએ તત્કાલીન ફિલ્મી ગીતો શરૂ કરી દીધાં, અર્થ-ઘનત્વ ધરાવનારા, તેમ જ ‘એબ્સ્ટ્રેક્ટ’ કહી શકાય એવા હાથના ઇશારાઓ અને સ્લોગનો પોકારાયા. બહેનો પણ એમાં સામેલ રહી.

‘શૂન્ય’ ભાઇના સ્વમાની મિજાજનો ગુસ્સો પણ એમની કવિતા જેટલો જ પ્રતિભાવંત છે. મત્લઅ પૂરો કર્યા વગર એઓ માઈક પાસેથી ખસી ગયા.

મંચ પર બેઠેલા શાએરો, અન્ય સાહિત્યકારો, પત્રકારો અને મહેમાનો – બધા જ સ્તબ્ધ બની ગયા.

… બીજા બે-ત્રણ શાએરો રજૂ થયા.  શ્રોતાઓએ બધાને એકસરખો ‘આવકાર’ આપ્યો. કોઇ શાએર પોતાની સંપૂર્ણ કૃતિ રજૂ કરી ન શક્યા. … શાએરોની વિકેટો ટપોટપ પડતી જઇ રહી હતી અને પછી મારું નામ માઈક પરથી બોલાયું. .. ગઝલનાં એક બે શે’ર બોલી નાંખવાનો નિર્ણય કરીને હું ઊભો થયો. પણ હજી ગઝલ બોલવાની શરૂઆત કરું, એ પહેલાં જ મુશાએરોનાં આયોજકોમાંના એક ભાઇ આવ્યા અને મને બોલતો અટકાવ્યો. તેઓ કોઇ અગત્યની જાહેરાત કરવા માંગતા હતા.  મારી દુર્દશા તો નક્કી જ હતી. પણ થોડીક મિનિટો માટે એ લંબાઇ ગઇ.  પેલા ભાઇએ જાહેરાત કરી કે “પ્રદર્શનમાં એક નાનો છોકરો ખોવાઇ ગયો છે … જે કોઇ ભાઇ કે બહેનનો હોય એ ઑફિસમાં આવીને લઇ જાવ.”

આ જાહેરાત કરીને પેલા ખસ્યા અને મને કોણ જાણે શું મને સૂઝ્યું કે મેં ગઝલ રજૂ કરવાને બદલે મારું એક મુક્તક રજૂ કર્યું.

વસ્તુ સુંદર જુએ બાળક અને રસ્તો ભૂલે.

મુક્તકની આ પહેલી પંક્તિ મેં રજૂ કરી અને મને લાગ્યું કે શ્રોતાઓમાં થોડુંક કુતુહલ જાગી ગયું છે.  સિસોટીઓ તો રાબેતા મુજબ શરૂ થઇ ચૂકી હતી. પણ એમાં હવે બહુ ઉગ્રતા ન હતી. એટલે મેં હિંમતભેર આખું મુક્તક રજૂ કર્યું.

વસ્તુ સુંદર જુએ બાળક અને રસ્તો ભૂલે,
એવી રીતે મેં કર્યો પ્રેમ ને ખોવાઇ ગયો.
જાણે ફાડો કોઇ તારીખનાં બબ્બે પાનાં,
તારા હૈયાથી હું એ રીતથી વિસરાઇ ગયો.

થોડીક ચુપકીદી અને પછી એકદમ વાહવાહના અવાજો બુલંદ થયા. શ્રોતાઓને થયું કે હું ખૂબ જ શીઘ્ર શાએર છું. જેવું વાતાવરણ હોય એવી કવિતા તરત જ લખી નાંખતો હોઉં છું.  આ બધામાં એમને હું એક જ “સમજદાર” શાએર લાગ્યો અને એ લોકોએ મને હાથોહાથ અપનાવી લીધો.  મારી જિંદગીમાં કદી કોઇ મુશાએરામાં બન્યું ન હતું એવું બન્યું.  મારી પાસે જેટલી કૃતિઓ હતી (તે વખતે પચીસથી ત્રીસ કૃતિઓ માંડ હતી) એટલી બધી મારે સંભળાવવી પડી.  મુશાએરાનો દોર જામી ગયો અને પછી તો બધા જ શાએર-મિત્રો રંગમાં આવી ગયા. શ્રોતાઓએ બધાને ખૂબ જ ભાવભેર સાંભળ્યા અને પ્રદર્શનનો એ મુશાએરો ખૂબ જ કામયાબ રહ્યો, એ પછે તો પત્રકાર મહાશય મને ભેટી પડ્યા. … કહેવાનો આશય એ છે કે મુશાએરો એક એવી બાબત છે કે જેમાં ‘શાએરી’ કરતાં ‘સફળતા’ની વધુ કદર થતી હોય છે.

(‘એજ ઝરૂખો એજ હીંચકો’ પુસ્તકમાંથી)

કલાપી, Kalapi


જ્યાંજ્યાંનજરમ્હારીઠરેયાદીભરીત્યાંઆપની,kalapipic.jpg
આંસુમહીંએઆંખથીયાદીઝરેછેઆપની!

“એ હું જ છું નૃપ, મને કર માફ બાઇ!
એજ હું છું નૃપ, મને કર માફ ઈશ !


હા ! પસ્તાવો – વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે!”

“તુને ન ચાહું ન બન્યું કદી એ, એને ન ચાહું ન બને કદી એ,
ચાહું તો ચાહીશ બેયને હું, ચાહું નહીં તો નવ કોઇને હું!”

“તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો,
છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!”

“પ્રેમને કારણો સાથે સંબન્ધ કાંઈયે નથી,
કારણ પ્રીતિનું પ્રીતિ : પ્રેમીની લક્ષ્મી તે બધી.”

“વ્હાલી બાબા! સહન કરવું એ ય છે એક લ્હાણું!
માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું !”

“હતી જ્યાં વસ્લની ખ્વાહિશ, મળ્યું ત્યાં ઝેરનું પ્યાલું !
મગર તે જામને ભરતાં કહે તુજ હાથ શું આવ્યું?”

“કટાયેલું અને બુઠું ઘસીને તીક્ષ્ણ તેં કીધું
કર્યું પાછું હતું તેવું, અરે દિલબર! હ્ર્દય મારું!”

#  રચનાઓ:   –  1  –   :   –  2  –   :  – 3 –  

# વિકિસ્રોત પર ‘કલાપીનો કેકારવ ‘

#   કલાપીનો મણિલાલ દ્વિવેદીને લખેલો પત્ર

#  એક વેલીને     :       વીત્યા ભાવો 

dramapicmain-s.jpg

# વેબસાઇટ:    કલાપીના જીવન પર આધારિત નાટક     :    કલાપી મેમોરિયસ ફાઉન્ડેશન

 _________________________________________________________  Read more of this post

%d bloggers like this: