Amar Palanpuri, Adarsh Society, Athwa, Surat, Gujarat 395001, India
મૂળ નામ
પ્રવીણ મણીલાલ મહેતા
જન્મ
૧, જુલાઈ – ૧૯૩૫, પાલનપુર
કુટુમ્બ
માતા – તારાબહેન; પિતા – મણીલાલ
પત્ની – ૧) હંસા, ૨) મીનાક્ષી; સંતાન – ?
શિક્ષણ
મેટ્રિક( પાલનપુર)
વ્યવસાય
હીરા ઉદ્યોગમાં
તેમના વિશે વિશેષ
નવ વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન થઈ ગયું.
અત્યંત તોફાની હતા, અને તેમનાં તોફાનોથી પરેશાન થઈ માતા કૂવે આપઘાત કરવા ગયાં. ત્યાં ‘શૂન્ય’ પાલનપુરીની માતાએ બચાવ્યા અને પોતાને ઘેર લઈ ગયા. પછી પ્રવીણ પણ ‘શૂન્ય’ના ઘેર જતો થયો અને તેમના પુત્ર સમાન બનીને રહ્યો. ઘરનું બધુ કામ કરે, શૂન્યના પગ પણ દબાવે અને તેમની શાયરી પણ સાંભળતો થયો.
સ્કૂલના નવા મકાનના સંડાસમાં લયબદ્ધ રીતે ગાળો લખતા પકડાયા અને પ્રિન્સિપાલે ‘શૂન્ય’ને ફરિયાદ કરી. તેમણે તમાચો માર્યો અને પ્રવીણની જિંદગીમાં વળાંક આવ્યો.
મેટ્રિક પાસ થયા બાદ માસીના ઘેર મુંબાઈમાં નોકરી.
મુંબાઈમાં પ્રેમમાં નિષ્ફળતા મળતાં ગઝલો લખવાની શરૂઆત કરી. ત્યારથી શરૂ થયેલી યાત્રા ‘ઉઝરડો’ ગઝલ સંગ્રહમાં પરિણમ્યો. પણ તેમણે કદી એ પ્રેમિકા વિશે કોઈને જણાવ્યું નથી.
મુંબાઈમાં બિમાર પડતાં પાછા પાલનપુર ગયા અને સાહિત્ય વર્તુળોમાં ગઝલમાં ડૂબી ગયા. ‘શૂન્ય’ એ આપેલા તખલ્લુસ ‘અમર’થી ગઝલો લખતા થયા.
સાજા થઈને મુંબાઈ પાછા ગયા અને ‘શૂન્ય’ની ભલામણથી ‘સૈફ’ પાલનપુરીના સમ્પર્કમાં આવ્યા. તેમના સામાયિક ‘વતન’ માં માનદ સેવા. ‘શૂન્ય’ની ચિઠ્ઠીમાં તેઓ સારું ગાય છે, એમ જાણવાથી સૈફે મિત્રો સાથેની મહેફિલમાં એમની પાસે ગઝલો ગવડાવી અને આમ મુબાઈના પ્રખ્યાત કવિઓ સાથે તેમનો સમ્પર્ક થવા લાગ્યો.અમીન આઝાદ, બેફામ, ગની દહીંવાલા, વેણીભાઈ પુરોહિત, શયદા, બેકાર, રતિલાલ ‘અનિલ’, નીનુ મજમુદાર વિ. સાથે મહેફિલોમાં ભાગ લેવા માંડ્યા.
હીરા ઘસવાનું કામ કરતા લોકો ગાળો બહુ બોલતા. એના ઉપરથી તેમનું એક ચર્ચાસ્પદ વિધાન – ”ગઝલ ગાળોનો પર્યાય છે!”
ઘણા નાટકોમાં અભિનય પણ કર્યો છે. જયંતિ પટેલ ‘રંગલો’ દ્વારા દિગ્દર્શિત, પચાસ નાઈટ ચાલેલા, નાટક ‘નેતા અભિનેતા’ માં મુખ્ય પાત્ર ભજવ્યું હતું, અને તેમનો અભિનય બહુ જ વખણાયો હતો.
નાટક કારકિર્દીમાં જ મીનાક્ષી મારફતિયાના ઘનિષ્ઠ સમ્પર્કમાં આવ્યા. આના કારણે તેમનું લગ્ન જીવન ખરાબે ચઢ્યું. અંતે પહેલી પત્ની સાથે છૂટાછેડા લઈ, મીનાક્ષી સાથે સંસાર શરૂ કર્યો.
૧૯૬૨ – સૂરતમાં રહેવા લાગ્યા. ‘સપ્તર્ષિ‘ નામની સાંસ્કૃતિક સંસ્થાની સ્થાપના
૧૮૮૮ – ૧૧ વર્ષની ઉમરે આલ્ફ્રેડ નાટક કમ્પનીમાં નટજીવનનો પ્રારંભ
૧૫ વર્ષની ઉમરે ‘અલાઉદ્દીન’ નાટકનું દિગ્દર્શન અને ‘લયલા’ તરીકે અભિનય. તેમના કામથી પ્રભાવિત થઈ આલ્ફ્રેડ નાટક કમ્પનીના ડિરેક્ટરે તેમને આસિ. ડિરેક્ટરનો હોદ્દો આપ્યો.
શેકસ્પિયરનાં નાટકો ‘હેમ્લટ. અને ‘રોમિયો જુલિયેટ’ ને હિન્દી રંગમંચ પર ઉર્દૂ ભાષામાં ઉતારવાની પહેલ કરી.
ધંધાદારી રંગભૂમિના ગીતલેખક, સંગીત વિશારદ
કલકત્તાના ‘અમૃત બઝાર પત્રિકા’માં અંગ્રેજી રાજ્યની વિરૂદ્ધ લેખો પણ લખ્યા હતા.
૧૯પ૨માં પ્રથમ વાર્તા છપાઇ ત્યારે અશ્વિની ભટ્ટની ઉંમર ૧પ વર્ષ હતી અને તેઓ મેટ્રિકમાં હતા.
અશ્વિની ભટ્ટ માતબર નવલકથાકાર ઉપરાંત જબરા નાટ્યપ્રેમી અને સારા અભિનેતા પણ હતા. ખાસ તો, અંદરથી કથળેલી તબિયત છુપાવીને બહારથી મસ્ત-દુરસ્ત દેખાવાનો અભિનય એમના માટે એકદમ સહજ હતો.
મુંબઇ રહેતા ત્યારે રૂ.પ૦૦ પગાર હતો પરંતુ ઘરનું ભાડુ્ ૪૧૦ હતું.૯૦ રૂપિયામાં મહિનો કાઢવાનો રહેતો,ભટ્ટજી ત્યારે આસપાસ રહેતા શેઠાણીઓના શાકભાજી પણ લાવી આપતા.૧૯પ૬માં મિત્રોની સાથે મળીને પોલ્ટ્રીફાર્મ શરૂ કર્યું હતું.
‘સંદેશ’ દૈનિકમાં ધારાવાહિક રીતે પ્રસિદ્ધ થતી તેમની નવલકથાઓનું વાચકોને વ્યસન થઈ ગયું હતું.
મોટા ભાગની નવલકથાઓમાં જકડી નાંખે તેવું રહસ્ય સર્જવા પર એમની હથોટી કાબિલે દાદ રહી છે.
સૂરતમાં રેડિયોના વેચાણ અને સર્વિસિંગના ધંધાથી કારકિર્દીની શરૂઆત( રેડિયો હોસ્પિટલ)
યુદ્ધના કારણે આયાત બંધ થતાં એ દુકાન બંધ કરી, મુંબાઈ ગયા અને ત્યાં શિકાગો રેડિયો અને ટેલિફોન કમ્પનીમાં જોડાયા.
સુરેન્દ્ર ચીમનલાલ દેસાઈ ( બુલબુલ) ફિલ્મ ડિરેક્ટરના એપ્રિન્ટિસ તરીકે ફિલ્મ લાઈનમાં પ્રવૃત્તિની શરૂઆત
ચારેક જ મહિના બાદ બંગાળી ફિલ્મ ડિરેક્ટર નીતિન બોઝ સાથે જોડાયા અને ફિલ્મ લાઈનમાં તેમના એ ગુરૂ બની રહ્યા. ( બંગાળીનું જ્ઞાન કામે લાગ્યું.) કેમેરામેન તરીકે શરૂઆત
‘પરાયા ધન’ માં પહેલી વાર નાની ભૂમિકામાં અભિનય.
પોતાનો ચહેરો હીરોને લાયક નથી; એ સ્વીકારીને ચરિત્ર અભિનેતાના રોલ કરવાનું પહેલેથી જ નક્કી કર્યું.
૧૯૫૦ – ‘ મશાલ’ ફિલ્મમાં તેમણે કરેલો નાનો રોલ ખૂબ વખણાયો; અને ત્યારથી ચરિત્ર અભિનેતા તરીકે એમની કારકિર્દી શરૂ થઈ.
૧૯૫૯ – ‘શ્રીમાન સત્યવાદી’માં સ્વતંત્ર રીતે દિગ્દર્શનનું કામ કરવા મળ્યું; પણ નિર્માતા સાથે ઝગડો થતાં, સ્ટેશનરીની દુકાનમાં બેઠા અને ચારેક વર્ષ નાની ભૂમિકાઓ સિવાય ફિલ્મ લાઈન છોડી.
ગુજરાતી નાટક ‘ સાસુજીની સવારી’ માં ડો. મંકોડી તરીકે ભૂમિકા કરી; અને તે ખુબ વખણાઈ.
વાચકોના પ્રતિભાવ