ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: ઉદ્યોગપતિ

અંબાલાલ સારાભાઈ, Ambalal Sarabhai


સાભાર – ડો. કનક રાવળ, સંદેશ

લેખક – શ્રી. દેવેન્દ્ર પટેલ

વિકિપિડિયા પર

આજથી ૧૦૦ વર્ષ પૂર્વે અમદાવાદના ગર્ભશ્રાીમંતો અને શ્રોષ્ઠીઓમાં જેમની આગવી પ્રતિષ્ઠા અને મોભો હતો એવા પરિવારોમાં અંબાલાલ સારાભાઈ, અમૃતલાલ હરગોવનદાસ, બિહારી કનૈયાલાલ, બેચરદાસ લશ્કરી, કસ્તુરભાઈ લાલભાઈ જેવાં અનેક નામોનો સમાવેશ થાય છે. આવાં પરિવારો પૈકી અંબાલાલ સારાભાઈ પરિવારનું છેલ્લું સંતાન એવા ગીરાબહેન સારાભાઈએ ૯૮ વર્ષની વયની વયે થોડા દિવસ પહેલાં દેહત્યાગ કર્યો. અમદાવાદની જાણીતી શૈક્ષણિક સંસ્થા ‘નેશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ ડિઝાઇન’ની સ્થાપનામાં તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન હતું. ૧૯૨૩માં જન્મેલા ગીરા સારાભાઈ કોઈ સ્કૂલમાં નહીં પરંતુ ઘરશાળામાં ભણ્યાં હતા. ૧૯૪૭થી ૧૯૫૧ દરમિયાન તેઓ પરિવાર સાથે ન્યૂયોર્ક ગયા અને સ્થાપત્ય અને ડિઝાઇનના વિષયમાં અભ્યાસ કર્યો. ‘કેલિકો ડોમ’ની સ્થાપનામાં તેમણે તેમના ભાઈ ગૌતમ સારાભાઈ સાથે મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો. અંબાલાલ સારાભાઈના પરિવારની કથા સમજવા માટે ફલૅશ બેકમાં જવું પડશે. વાતની શરૂઆત ગીરા સારાભાઈના દાદાથી કરીએ. એ વખતે અમદાવાદ શહેરની વસતી માંડ દોઢેક લાખની હશે.
શહેરમાં કોઈનીયે પાસે મોટરકાર નહોતી. ઇ.સ. ૧૮૮૦ની આસપાસનો સમય હતો. શહેરના શ્રાીમંતો ભાતભાતની બગીઓ અને ઘોડાઓ રાખતા હતા. એ વખતે અમદાવાદમાં મગનભાઈ શેઠના ઘરમાં ભારે જાહોજલાલી હતી. તેમના પૂર્વજો ચીન-ભારત વચ્ચેના અફીણના અને રેશમના વેપારમાં ખૂબ પૈસા કમાયા હતા. મગનભાઈ શેઠ ગળામાં મોટો કંઠો પહેરીને પાલખીમાં નીકળતા ત્યારે છડી પોકારવામાં આવતી. પૈસા ઉછાળવામાં આવતાં. અંગ્રેજ સરકારે તેમને રાવ બહાદુરને ઇલ્કાબ આપ્યો હતો. મગનભાઈ શેઠ રાયપુરની હવેલીમાં રહેતા. તેમને સંતાન નહોતું. તેથી દોહિત્ર સારાભાઈને ખોળે લીધા.
એક દિવસ તેમની હવેલીને આગ લાગી. આગને બુઝાવતાં ત્રણ દિવસ થયા હતા. કહેવાય છે કે હવેલીના પાટડા બળીને તૂટી પડયા ત્યારે તેમાંથી ઝવેરાત નીકળ્યું હતું. એ ઝવેરાત આજે પણ સારાભાઈ પરિવાર પાસે મોજૂદ છે.
મગનભાઈ શેઠના અવસાન પછી સારાભાઈ શેઠ બધી મિલકતના વારસદાર બન્યા હતા. સારાભાઈ શેઠનું લગ્ન ગોદાવરીબહેન સાથે થયું છે. એવી દંતકથા છે કે ગોદાવરીબહેન નાગરવેલનું ુપાન આરોગતાં તો ગળામાં ઊતરતું જોઈ શકાતું એટલાં તો તેઓ ઔર ગુલાબી અને રૂપાળા હતા. ઘરમાં પુષ્ટિમાર્ગી જેવો મરજાદ પાળતાં. પૂજામાં હોય ત્યારે બાળકો પણ અડી ના શકે. બપોરે તેમના પતિ સારાભાઈ શેઠ સ્પર્શ કરવા જાય તો પણ ખસી જઈને બોલતાં ઃ ‘અરે જોતા નથી, અંબાલાલ જાગે છે.’
ગોદાવરીબહેન અંબા માતાની પૂજા કરતાં. પુત્ર થશે તો ‘તેનું નામ અંબાલાલ રાખીશ.’ તેવી બાધા લીધી હતી, તેથી જ પુત્રજન્મ પછી દીકરાનું નામ અંબાલાલ રાખ્યું હતું. અંબાજીના દર્શને તેઓ નિયમિત જતાં હતાં. ગોદાવરી એ જમાનામાં અંગ્રેજી સાહિત્ય વાંચતા. તેમના ઓશીકા નીચે શેક્સપિયરનું ‘હેમ્લેટ’ રાખતાં.
કમનસીબ ઘટના એ બની કે સારાભાઈ શેઠનું ૨૮ વર્ષની વયે અવસાન થયું. ગોદાવરીબહેનને એટલો આઘાત લાગ્યો અને છ માસ બાદ તેઓ પણ મૃત્યુ પામ્યાં.
સારાભાઈ શેઠ ગુજરી ગયા તે વખતે અંબાલાલની ઉંમર માત્ર પાંચ વર્ષની હતી. એમના કુટુંબની એ ટ્રેજેડી હતી કે અગાઉ કોઈ ૫૦ વર્ષથી વધુ જીવતું નહીં. અંબાલાલને એક બહેન હતાં ઃ અનસૂયા. અનસૂયાબહેન અંબાલાલથી ચાર વર્ષ મોટા. માતાપિતાવિહોણાં અંબાલાલ હવે અઢળક સંપત્તિના માલિક હતા. તેમના કાકા ચીમનભાઈ નગીનદાસે ભત્રીજીને જીવની જેમ સાચવી મોટાં કર્યા અને મિલકત પણ થાપણની જેમ સાચવી. ચીમનભાઈ નગીનદાસ એટલે આજે આંબાવાડીમાં સી.એન.વિદ્યાવિહાર તરીકે ઓળખાય છે તે સંસ્થા તેમના નામે છે.
બાળક અંબાલાલને પશુ-પક્ષી ને ઝાડ-પાનનો શોખ હતો. પરીક્ષાના ઉદ્દેશથી ઓછું વાંચતા. મેટ્રિક છેક ત્રીજા પ્રયાસે પાસ કરી. મેટ્રિક પછી કૉલેજનું ભણવા ગુજરાત કૉલેજમાં ગયા. રોજ બગીમાં બેસીને ભણવા જતા. એ જમાનામાં એમના પરિવારમાં ઘરની સ્ત્રીઓ ઘોડેસવારી કરતી. સ્ત્રીઓને ઘરમાં અંગ્રેજી શીખવવા પારસી અને યુરોપિયન બાનુઓ આવતી.
રાયપુરની હવેલી એ એમનું પહેલું ઘર. પછી ઘીકાંટા વાડી. ત્યાર પછી ખાનપુરના ચાંદા સૂરજમહેલમાં બધાં રહેવાં ગયાં હતા. પછી મિરજાપુરનો શાંતિસદન આલીશાન બંગલો. છેવટે શાહીબાગનું નિવાસસ્થાન ‘રિટ્રીટ’ બંગલો. ‘રિટ્રીટ’ બંગલામાં વેનિસની બનાવટનાં ભવ્ય ઝુંમરો આજે પણ જોઈ શકાય છે. આઝાદીનાં ૩૦-૪૦ વર્ષ પહેલાં પણ એ પરિવારમાં ટેનિસ રમાતું. ઉનાળામાં આખો પરિવાર આબુ જતો. પરિવારની મહિલાઓ ખાસ્સા જાજરમાન ઠસ્સાથી રહેતી.
અંબાલાલ ૧૮ વર્ષના થયા ત્યારે કાકા ચીમનભાઈ નગીનદાસે કન્યા શોધવા વિચાર કર્યો. અંબાલાલ ગર્ભશ્રાીમંત, કીર્તિમાન, રૂપાળા નવયુવક હતા. દેહ ગોરો હતો. તેઓ હવે અમદાવાદની સુપ્રસિદ્ધ કેલિકો અને જ્યુબિલી મિલના માલિક પણ હતા. ઢગલાબંધ હવેલીઓ, વાડીઓ અને બાગબગીચાના માલિક હતા. ઘરમાં ઘોડાગાડીઓ અને બગીઓ હતી. શાહીબાગમાં હાલના અંડર ગ્રાઉન્ડ પાસે એ વખતે ૨૧ એકર જમીનમાં ‘રિટ્રીટ’ બંગલો બન્યો તે પહેલાંનું મકાન હતું. એ વખતે શાહીબાગમાં ગણ્યાંગાંઠયાં જ ઘર હતાં. થોડે જ દૂર સર ચીનુભાઈ બેરોનેટનો શાંતિકુંજ બંગલો અને બાજુમાં શાહજહાંનો બંગલો (જૂનું રાજભવન) હતાં. અંબાલાલના ૨૧ એકરના કંપાઉન્ડવાળા મકાનમાં વીજળીના દીવા માટે જનરેટર ચાલતું. દિવસે આખો પરિવાર મિરઝાપુર રહે અને રાત્રે બધાં શાહીબાગ રહેવા જતાં. ૧૯૧૮નો એ સમય હતો.
આવા ગર્ભશ્રાીમંત અંબાલાલ માટે કન્યા શોધવાનું કામ ચીમનલાલે મિલના મૅનેજર જમનાદાસને સોંપ્યું. અંબાલાલનો પરિવાર દશાશ્રાીમાળી જૈન હતો. એ વખતે અમદાવાદના શાહપુર વિસ્તારના મૂળ રાજકોટના એડવોકેટ હરિલાલ ગોસલિયા રહેતા હતા. તેમને પાંચ દીકરીઓ, તે પ્રત્યેની એકનું નામ રેવા.
તે બધાં રાજકોટમાં સુખેદુઃખે જીવન વિતાવતાં. સાડલાંની કોર ઉતારે અને દોરા સાચવીને કાઢે. ફરીથી વાપરે. નાનકડી રેવા તેની બા સાથે નદીએ કપડાં ધોવા જાય, સ્કૂલે જાય પણ ઉઘાડા પગે. પરંતુ ઘર સુઘડ અને સાફ રાખે. કરકસરથી ઘર ચલાવે પિતા હરિલાલે અમદાવાદમાં વકીલાત શરૂ કરી. પરંતુ પત્નીનું મૃત્યુ થતાં દસ વર્ષની રેવા પર ઘરની જવાબદારી આવી પડી. બહેનોને નવરાવે, ધોવરાવે, વાળ ઓળી આપે. ગોસલિયા પરિવાર જૈન છતાં રેવા રોજ રામાયણ વાંચે, રેવાનો વર્ણ સહેજ શ્યામ પણ નયન તેમાં કોઈ ખોવાય જેવા તેવાં. વાળ ખૂબ લાંબા.
કોઈકની ભલામણથી મિલ મૅનેજર જમાનદાસ યુવાન અંબાલાલ માટે કન્યા શોધવા હરિલાલને ઘેર આવ્યા. હરિલાલના ઘરની સંસ્કારિતા અને રહેણીકરણી જોઈ તેઓ પ્રભાવિત થયા. ઘરમાં રેવાની બીજી બહેન તારા. હરિલાલે ફોટા પાડયા. ઘરમાં એક જ સાળુ એટલે કે જરી ભરેલી ભારે સાડી. બંને બહેનોએ વારાફરતી સાળુ પહેરી ફોટો પડાવ્યા.
મિલ મેનેજર અંબાલાલને તથા કાકાને ફોટા બતાવ્યા. અંબાલાલની પસંદગી રેવા પર ઊતરી. મુલાકાત ગોઠવાઈ. અંબાલાલ અઢાર વર્ષના અને રેવા ચૌદ વર્ષની. અંબાલાલે પ્રશ્ન પૂછયો ઃ ‘તમારી પોતાની ઇચ્છાથી સંબંધ કરવા ચાહો છો કે કોઈના દબાણથી ?’
રેવાએ મુગ્ધભાવે કહ્યું ઃ ‘મારી ઇચ્છાથી.’
આ વાતને મહિનાઓ વીતી ગયા. કાકા ચીમનલાલનું ૪૫ વર્ષની વયે અવસાન થયું. અંબાલાલે મિલો અને મિલકતનો વહીવટ ઉપાડી લીધો. મિલમાં ઘણી ખટપટો ચાલતી હતી. અંબાલાલે અચાનક વિઝિટો કરી કરતૂતો પકડી પાડયાં. કેલિકો અને જ્યુબિલી મિલ બરાબર ચાલવા લાગી. લગ્નની વાત વિસારે પડી ગઈ હતી. અંબાલાલની ખ્યાતિ હવે વધવા માંડી હતી. તેમની મિલમાં બનતું કાપડ મુંબઈમાં ધનાઢય લોકોમાં પણ વખણાવા માંડયું હતું. છેક કલકત્તા સુધી અંબાલાલની ખ્યાતિ પ્રસરી ગઈ હતી. રેવાએ એક દિવસ કાગળ લખ્યો ઃ ‘તમે શું વિચાર કર્યો ?’
વ્યસ્ત અંબાલાલને અચાનક લગ્નની વાત યાદ આવી ગઈ. તેમણે હા ભણી. અંબાલાલ અને રેવાનાં લગ્ન નક્કી થયાં. સસરા હરિલાલને ત્યાં મુંબઈથી દરજી મોકલ્યા. ભરતવાળાએ નવી ફેશનની સાડીઓ અને બ્લાઉઝ બનાવ્યા. એ લગ્ન લોકોને વર્ષો સુધી યાદ રહે તેવા શાનદાર હતા. જેઓ એ લગ્નમાં હાજર હતાં તેઓ વર્ષો સુધી કહેતાં ઃ ‘અમે અંબાલાલ શેઠનો વરઘોડો જોયો હતો.’
રેવાના પિતા હરિલાલને મૂંઝવણ હતી ઃ ‘આવડા મોટા ઘરમાં દીકરીને વિદાય વખતે શું આપું ?’ કરિયાવરમાં સોનાની મોહનમાળા આપી. પતિએ તો ભારે કિંમતી વસ્ત્રો સીવડાવ્યા હતા. પરંતુ એક ગર્ભશ્રાીમંતના ઘેર આવેલી નવવધૂ પાસે સાદાં કપડાંની એક જોડ પણ નહોતી. પતિના ઘેર આવ્યા પછી રેવા લજ્જા પામી. પ્રથમ દિવસે તેણે નંદણનાં કપડાં પહેર્યાં. તેમ કરવામાં તેણે ક્ષોભ અનુભવ્યો.
રેવાનું નામ બદલવામાં આવ્યું. અંબાલાલે રેવાને ‘સરલાદેવી’ નામ આપ્યું. તદ્દન સાધારણ પરિવારની યુવતીને માત્ર સંસ્કારિતાના બળ પર જ પરણીને ઘરમાં લાવેલા અંબાલાલ શેઠની આ પ્રથમ ક્રાંતિ હતી. ઘર આલીશાન હતું. બાગ-બગીચા અને ઘોડા. નવી ફેશનના કેશ અને વસ્ત્રપરિધાન એ બધું જ હોવા છતાં સરલાદેવીએ સરળ બાળા જ બની રહેવાનું પસંદ કર્યું. આ બધી અબજોની સંપત્તિની હું માલિકણ છું એવા ભાવને બદલે તેને સાચવવા હું રખેવાળ છું- ટ્રસ્ટી છું એવી ઉદાત્ત ભાવના તેમણે સ્વીકારી.
અઢાર વર્ષના અંબાલાલને લોકો ‘શેઠ સાહેબ’ અને પંદર વર્ષના સરલાદેવીને ‘બાઈ સાહેબ’ કહીને બોલાવવા માંડયા. એક તરફ તેમનો ઘરસંસાર શરૂ થયો તો બીજી બાજુ એક નાનકડી વયે અંબાલાલે કેલિકો અને જ્યુબિલી એ બે મિલો. કરમચંદ પ્રેમચંદની શરાફી પેઢી અને ઘણી બધી મિલકતોનો કારોબાર સંભાળી લીધો.
અંબાલાલ હવે પિતાના નામને જ અટકમાં પરિવર્તિત કર્યું. તેઓ અંબાલાલ શેઠને બદલે ‘અંબાલાલ સારાભાઈ’ તરીકે ઓળખાવા લાગ્યા અને ટૂુંક સમયમાં ‘અંબાલાલ સારાભાઈ’ પરિવારની ખ્યાતિ છેક ઇંગ્લેન્ડ સુધી પહોંચી.

Source:- http://sandesh.com/

જસવંતીબેન જમનાદાસ પોપટ (Jaswantiben Jamnadas Popat)


જસવંતીબેન જમનાદાસ પોપટ..93 વર્ષિય ગુજરાતી મહિલાને ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ માટે ગણતંત્ર દિવસે પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે..અત્યારે એ “લિજજત” પાપડનાં માલિક તરીકે જાણીતાં છે…મુળ કાઠિયાવાડના હાલારી લોહાણા સમાજનાં…પણ હાલે મુંબઈમાં રહે છે..તેઓ “સ્ત્રી સશકિતકરણ”ની આગવી મિશાલ છે..

                આયુષ્યની સદીએ પહોંચેલ જસવંતીબેન એ જમાનામાં પણ મહિલાઓ માટે સારું કહી શકાય એવું એકાદ બે ચોપડી ભણેલા છે..ગૃહિણી તરીકે એ સમયે ફાજલ રહેતા સમયનું શું કરવું ? એ પ્રશ્ન એમને થયો. અને એ વિચારોમાંથી જ ઇ.સ.1950થી ઘરમાં જ પાપડ બનાવવાનું શરૂ કર્યું..પ્રવૃત્તિ મળી..ધીમેધીમે પાડોશ..ગલી..અને શહેરમાં એમનાં પાપડ જાણીતાં  થતાં ગયાં…આર્થિક વળતર પણ મળતું થયું…

     હવે શરૂઆત થાય છે એક મહિલાની સાફલ્યગાથાની..લોહાણા વેપારી સૂઝ એમનામાં જન્મજાત હતી…અને એમણે ઇ.સ.1959માં રજિસ્ટર્ડ સંસ્થા બનાવી..જેમાં પ્રારંભે સાત જેટલી પરિશ્રમી મહિલાઓને સભ્યો બનાવી પોતે સંચાલક બન્યાં..લિડરશીપ લીધી. રૂપિયા 200ની લોન લઈ મૂડી ઉભી કરી..અને પાપડનો ગૃહઉદ્યોગ શરૂ થયો.પ્રોડકટને સરસ નામ આપ્યું લિજ્જત પાપડ…

                      ધીમેધીમે ધંધો વિકસતો ગયો..લોકોમાં એમના પાપડની માંગ વધતી ગઈ..બહેનોની સંખ્યા વધતી ગઈ..પાપડ તૈયાર કરવાં. પેકિંગ, માર્કેટીંગ, વેચાણ હિસાબો બધું જ મહિલાઓ કરતી રહી..લિજ્જત પાપડ એક પ્રતિષ્ઠિત નામ બની ગયું….ટી. વી.ઉપર એની જાહેરાત અને કર્ણપ્રિય જિંગલ…લિજજત પાપડ ઘેરઘેર જાણીતાં બન્યાં..અખબારોનાં પેજ હોય કે જાહેરાતોનું જગત લિજજત એક ઇજજતદાર નામ બની ગયું..જે આજે પણ મશીનથી નહીં પરંતુ હાથે બનાવેલા પાપડ બજારમાં મુકે છે..એનો આગવો ટેસ્ટ છે.

       બસો રૂપિયાની મૂડીથી શરૂ થયેલ આ પ્રવૃત્તિ આજે વરસે દહાડે 800 કરોડનું ટર્નઓવર કરતો ધીકતો બિઝનેસ છે.. ઇન્ડસ્ટ્રી છે..એક નાનકડી શાખાની જગ્યાએ આજે 82 જેટલા પાપડ તૈયાર કરતા એકમો જસવંતીબેનના વડપણ હેઠળ હજારો બહેનોને રોજગારી આપે છે..મહિલાઓને સ્વમાન અને મોભો આપી સામાજિક દરજ્જો આપ્યો છે…આજે મળેલ પદ્મ પુરસ્કાર એ એમની પ્રવૃત્તિને મળેલ ઉચ્ચ ઉપહાર છે…

                  મુંબઈમાં વસતાં 93 વર્ષિય આ જાજરમાન જનેતા આજેપણ કડેધડે છે..પોતે હજુ પણ કાર્યરત છે..દરરોજ સંસ્થાનાં કામો કરે છે..મેનેજમેન્ટ સહિત તમામ કામો સ્વસ્થતાથી કરે છે…બીજા માળે આવેલા નિવાસથી નીચે સંસ્થા સુધીનાં પગથિયાં કોઇની પણ મદદ વગર ચડઉતર કરે છે..ચહેરા ઉપર નરી પ્રસન્નતા છે..કર્મયોગનું અદ્ભુત ઓજસ છે…જસવંતીબેનની ગાથા અનેક  અબળાઓ માટે પ્રેરણાના પથ સમાન છે..

ફેસબુક પર વિડિયો

અઝીમ પ્રેમજી, Azim Premji


દાનવીર ઉદ્યોગપતિ

વિકિપિડિઆ પર

જન્મ

૨૪, જુલાઈ- ૧૯૪૫ , મુંબઈ

કુટુમ્બ

માતા– ? ; પિતા – મહમ્મદ હશીમ પ્રેમજી
પત્ની – યાસ્મીન, પુત્રો – રિશાદ, તારિક

શિક્ષણ

પ્રાથમિક / માધ્યમિક – મુંબઈ
ઉચ્ચ – BS ( Elect. Engg.) Stanford Uni. California
પી.એચ. ડી. – ન્યુ યોર્ક સ્ટેટ યુનિવસિટી, સ્ટોની બ્રૂક

વ્યવસાય

WIPRO Ltd. ના ચેરમેન

તેમના વિશે વિશેષ

  • તેમના પિતાનો ચોખાનો બહોળો વેપાર હતો અને તેઓ Rice King of Burma તરીકે જાણીતા હતા.  
  • તેમની બહુ જાણીતી કમ્પની WIPRO નું મૂળ નામ છે – Western Indian Vegetable Products – જે તેમના પિતાએ સ્થાપેલી વનસ્પતિ તેલની ક મ્પની હતી ! અઝિમે પણ શરૂઆતમાં એ જ ધંધાને વિકસાવ્યો હતો અને સૂર્યમુખીના તેલમાંથી બનાવેલ પેદાશો બનાવવાતા હતા.
  • ૧૯૮૦ માં કોમ્પ્યુટરના વધતા જતા ઉપયોગને જોઈ IBM ને ભારતમાંથી દેશનિકાલ થતાં એ ડિઝાઈનના કોમ્પ્યુટર બનાવવાનું શરૂ કર્યું, અને કમ્પનીનું નામ WIPRO તરીકે બદલ્યું .  એ માટે તેમણે અમેરિકાની Sentinel Computer Corporation નો સહયોગ લીધો.
  • સમાજસેવાના ક્ષેત્રમાં બહોળાં દાન કરનાર દાનવીર
  • ૨૦૦૧ – અઝિમ પ્રેમજી ફાઉ ન્ડેશનની સ્થાપના
  • ૨૦૧૦ – ૨૦૦ કરોડ ડોલરનું દાન ( ભારતમાં અત્યાર સુધીમાં સૌથી વધારે રકમનું દાન ) – અઝિમ પ્રેમજી ટ્રસ્ટ
  • વોરન બફેટ અને બિલ ગેટ્સની હાકલને માન આપીને વૈશ્વિક સ્તરે માનવ સેવા માટે યોગદાન
  • ૨૦૧૯ –  ૭૯૦૪ કરોડનું – શિક્ષણ ક્ષેત્ર માટે દાન

સન્માન

  • ૨૦૦૦ – મનીપાલ યુનિ. દ્વારા ડોક્ટરેટની માનદ પદવી
  • National Institute of Industrial Engineering, Mumba દ્વારા Lakshya Business Visionary એવોર્ડ
  • ૨૦૦૫ – ભારત સરકાર દ્વારા પદ્મ ભુષણ નો ઈલ્કાબ
  • ૨૦૧૧ – ભારત સરકાર દ્વારા પદ્મ વિભુષણ નો ઈલ્કાબ
  • ૨૦૧૮ – ફ્રા ન્સની સરકાર દ્વારા Chevalier de la Légion d’Honneur (Knight of the Legion of Honour) એવોર્ડ
See the source image

રમેશ પટેલ ( પ્રેમોર્મિ), Ramesh Patel ( Premormi )


વિવિધ ક્ષેત્રોમાં વીરલ પ્રદાન કરનાર,  સદા યુવાન અને કર્મઠ પ્રતિભા

દસ વર્ષની ઉમરથી યોગના સાધક અને આયુર્વેદિક સારવાર પદ્ધતિના હિમાયતી

# જીવન સૂત્ર

જય સચ્ચિદાનંદ

# તેમની વેબ સાઈટ 

# સખી રે, મારી તું તો પતંગ ને હું દોર
કાપી ના કાપે એવી જોડ.

# લય સ્તરો પર 

# ‘ગુજરાતી કવિતા અને ગઝલ’ પર 

# ફેસબુક પર

https://www.facebook.com/Premormi

Premormi in sky-1


બૈજુ બાવરા – તાના રીરી હોલમાં

જન્મ

  • ૧૮, સપ્ટેમ્બર – ૧૯૩૬, રંગૂન, મ્યાંમાર ( બર્મા)

કુટુમ્બ

  • પિતા – ભાઈલાલ; માતા – કમળા
  • પત્ની – સ્વ. ઉષા; પુત્ર – કલ્પેશ

અભ્યાસ

  • ૧૯૫૪– મેટ્રિક ( એસ. પી. વિદ્યાલય – નાસિક)
  • ૧૯૫૮ – એમ.એસ.સી.(મિકે. એન્જિ.)  – વેસ્ટ બ્રોમવિચ યુનિ. – બર્મિન્ગહામ

વ્યવસાય

  • હોટલ માલિક
  • સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન/ સંચાલન

યુવાન ઉમરે

This slideshow requires JavaScript.

તેમના વિશે વિશેષ

  • બીજા વિશ્વ યુદ્ધ વખતે જાપાનના આક્રમણના કારણે, વતન કરમસદમાં  કામચલાઉ સ્થળાંતર
  • ૧૯૫૪ – રંગૂનમાં એશિયાટિક ક્રિકેટ ક્લબ સ્થાપી.
  • નાસિકમાં ખાસ મિત્રની સંગતથી સંગીત સૂઝ કેળવી.
  • ૧૯૫૭ – લન્ડન જવા પ્રયાણ, થોડોક વખત નોકરી કરી
  • ૧૯૬૦ – ઇન્ડિયા કોફી હાઉસ, ‘પાર’ ટ્રાવેલ એજન્સી અને ઇન્ડિયા એમ્પોરિયમથી ધંધાની શરૂઆત ( લન્ડનમાં શાકાહારી આહાર માટેની પહેલી રેસ્ટોરન્ટ)
  • ૧૯૬૧ – ‘નવકલા’ ભારતીયો માટેની સાંસ્કૃતિક / સામાજિક સંસ્થાની સ્થાપના, જે હાલમાં પણ લન્ડનમાં કાર્યરત છે.
  • ૧૯૬૫ – એક મિત્રની સાથે ‘શરૂણા’ હોટલની શરૂઆત
  • ૧૯૭૪ – પોતાની માલિકીની ‘મંદિર’ રેસ્ટોરન્ટની શરૂઆત; તેની સાથે ‘રવિશંકર’ હોલની પણ શરૂઆત આયુર્વેદિક સારવાર માટે લન્ડનમાં ‘કુશળ’ ક્લિનિક ની શરૂઆત
  • ૧૯૮૦ – ૮૫ અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ગેઈન્સ વિલે ખાતે શાકાહારી હોટલ
  • લન્ડનમાં ૧૦૦ થી વધારે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા
  • ૨૦૦૨ – પત્નીના અવસાન બાદ લન્ડનની બધી પ્રવૃત્તિઓ સંકેલી કરમસદમાં પાછા ફર્યા. મોટું નવું મકાન બનાવી તેમાં નરસિંહ મહેતા/ તાના રીરી હોલમાં બિન ધંધાદારી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને આયુર્વેદિક સારવાર
  • ૨૦૦૪ – ગુરૂદેવ ટાગોરના શાંતિનિકેતનમાં ‘પ્રેમોર્મિ’ કવિ તરીકે સન્માન
  • તેમના કાવ્ય સંગ્રહ ‘હૃદય વીણા’ નો અનેક ભાષાઓમાં અનુવાદ થયો છે.

તેમણે દોરેલ એક ચિત્ર

હોબીઓ

  • કવિતા, સંગીત, પ્રવાસ, ચિત્ર, નાટક, નૃત્ય, અભિનય, યોગ, વૈદક, પ્રાકૃતિક ચિકિત્સા

રચનાઓ

  • કવિતા – હૃદયગંગા, કાવ્યપિયૂષિની, ઝરમર ઝરમર, વૈખરીનો નાદ, હું,
    ગીત મંજરી ( હિન્દી)
  • રસોઈકળા – Mandir Ayurvedic cook book

સન્માન

  • ‘ઉત્સવ એવોર્ડ’ નવી દિલ્હી
  • જ્ઞાનેશ્વર એવોર્ડ, પૂના
  • શાન્તિ નિકેતન, કલકત્તામાં સન્માન
  • ગુજરાત ગૌરવ એવોર્ડ – લન્ડન અને બીજા અનેક સ્થાનિક એવોર્ડો

કવિ રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’ ને

કહોને કોણ છે એવા ઘણો આનંદ આપે છે,
મળોજ્યાં એમને ત્યારે ખભાપર હાથ રાખે છે.

નથી ભૂલી શકાવાના તમારા હોલ ને કાર્યો,
ભલેને દૂર રહેશે પણ હ્રદયની પાસ લાગે છે.

કવિતા હોય કે સંગીત, નર્તન હોય કે ભાવક,
બધાને ભાવથી સરપાવ આપીને નવાજે છે.

નથી એ સંતથી ઓછા, કળાના ભેખધારી છે,
નદી વૃક્ષો પહાડો ને ઝરણની જાત માને છે.

પનોતા પુત્રમાતાના, મહામાનવ છો ધરતીના,
ફરી આવી મળો અમને તમારી ખોટ સાલે છે.

તમે સાગર સમા પ્રેમી, તમારું નામ ‘પ્રેમોર્મિ’,
તમારાં ગીત ને કાવ્યો બધા સાક્ષર વખાણે છે.

તમારા નામમાં રમતા રહે છે, ઈશ ને માધવ,
તમોને ‘સાજ’ના વંદન, નમી મસ્તક ઝૂકાવે છે.

-‘સાજ’ મેવાડા

આવા ગુજરાતીઓ પણ હોય – રવજીભાઈ સાવલિયા


       વલોણાવાળા રવજીભાઈ ક્યાં રહે છે? તો જવાબ મળે પવનચક્કીવાળા બંગલામાં.

        મુલાકાતો જેમ જેમ વધતી ગઈ તેમ “વાળા રવજીભાઈ સાવલીયા” ગયું પણ આગળના શબ્દો નવા નવા પ્રકારના ભરતી થતા રહ્યા, ને વળી જૂનાને હટાવ્યા વગર જ. એ ચીજ નવાઈ પમાડનારી હતી. ઘરઘંટીવાળા…… વીજળી બચાવનારી ઈલેક્ટ્રિક મોટરવાળા, હીરાઉદ્યોગ માટે સગવડ ભરી ઓછી ગરમી પેદા કરીને હીરાઘસુઓને ભઠ્ઠી જેવા તાપમાંથી ઉગારનારી ઈલેક્ટ્રિક સગડીવાળા, ફૂટપંપવાળા, બેટરીથી ચાલતી સાઈકલવાળા, કુત્રિમ વરસાદ વરસાવવાવાળા, જળસંચયવાળા, ગુજરાત સરકારને ભોગવવી પડતી વીજ કટોકટીનું નિવારણ શોધવાવાળા, કીર્તિ સુવર્ણચંદ્રક પ્રદાન કરવાવાળા, રેશનાલિસ્ટોને મદદ કરનારા, તો સાગમટે અનેકોને ખગોળ દર્શન કરાવીને એની ભલભલાને છક્કડ ખવડાવી દે તેવી સરળ સમજૂતી આપવાવાળા રવજીભાઈ, શાળા-કોલેજો સંસ્થાઓમાં ગાંઠને ખર્ચે ફરી ફરીને (છેક મુંબઈ લગી જઈને) વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી દેનારા વિજ્ઞાનના રહસ્યો ખોલતાં ભાષણો આપવાવાળા, મોટરકારના આંતરિક દહનયંત્ર ( ઈન્ટર્નલ કમ્બશન એન્જિન)માં પેદા થતી અફાટ ગરમીનું ગતિ-શક્તિમાં રૂપાંતરિત કરી આપવાવાળા રવજીભાઈ……

–  રજનીકુમાર પંડ્યા.

વાંચતાં મન મહોરી ઊઠે તેવો પરિચય…

આ ચિત્ર પર 'ક્લિક' કરો

આ ચિત્ર પર ‘ક્લિક’ કરો

રમણભાઈ પટેલ, RamanbhaI Patel


ઔષધ નિર્માણ ક્ષેત્રના શિરોમણિ.

તેમનો વિગતવાર પરિચય અંગ્રેજીમાં વાંચો.

તેમની કેટલીક રચનાઓ.


નામ

  • રમણભાઈ બી. પટેલ

જન્મ

  • ૧૯, ઑગસ્ટ, ૧૯૨૫. ગામ: કઠોર, તા: કામરેજ, જિ: સુરત, ગુજરાત.

મૃત્યુ

  • ૧૯, સપ્ટેમ્બર, ૨૦૦૧.

કુટુંબ

અભ્યાસ

  • રસાયણ શાસ્ત્રનો અભ્યાસ, એલ. એમ. કોલેજ ઑફ ફાર્મસી, અમદાવાદ.

વ્યવસાય

  • અધ્યાપક, એલ. એમ. કોલેજ ઑફ ફાર્મસી, અમદાવાદ.
  • ૧૯૫૨ – ‘કેડિલા’ના સ્થાપક અને માલિક.

તેમનાં વિષે વિશેષ

  • ઔષધ વિજ્ઞાન ક્ષેત્રે વિવિધ સંશોધનો.
  • ગુજરાતમાં ઔષધ વિજ્ઞાનના શિક્ષણ માટે બહુમૂલ્ય ફાળો આપ્યો.
  • ૧૯૮૮-૯૦ દરમિયાન ઈન્ડિયન ફાર્માસ્યુટીકલ એસોશિએસનનાં રાષ્ટ્રીય પ્રમુખ.
  • તેમનાં ૧૮૦ કાવ્યોનો કાવ્ય સંગ્રહ “પ્રતીતિ” પ્રકાશિત થયો છે.
  • ગુજરાતી ગીતોના સંગીત સંગ્રહ “હસ્તાક્ષર” માં તેમનાં કેટલાંક ગીતો સ્વર બદ્ધ થયાં.

સન્માન

  • ૧૯૭૩ – રાષ્ટ્રપતિ દ્વારા ‘ઈમ્પોર્ટ સબસ્ટીટ્યુશન’ પુરસ્કાર.
  • ૧૯૮૭ – પ્રો. એમ. એલ. શ્રોફ મેમોરિયલ રાષ્ટ્રિય પુરસ્કાર.
  • ૧૯૯૧ – ધી ગ્લોરી ઑફ ઈન્ડિયા પુરસ્કાર, વૉશિન્ગટન, અમેરિકા.
  • ૧૯૯૨ – ગ્રાહક સુરક્ષા પુરસ્કાર.
  • ૧૯૯૩ – આચાર્ય પ્રફુલ્લ ચંદ્ર રાય મેમોરિયલ ગોલ્ડ મેડલ.
  • ૧૯૯૪ – ધી એમિનન્ટ ફાર્માસીસ્ટ પુરસ્કાર.
  • ૨૦૦૦ – ગુજરાત બિઝનેસમેન ઑફ યર પુરસ્કાર.

બળવન્ત પારેખ, Balvant Parekh


bp1

– ફેવિકોલના સર્જક અને….માનવ સંબંધો માટે પણ ‘કોઈક ફિવિકોલ’ શોધી કાઢવા મથનાર

–   A great and unfortunately rare human being, a humane and caring industrialist, he cared for people above profits –  Bruce Kodish  ( Korzybsky files)

–  વડોદરા ખાતેની તેમણે સ્થાપેલી સંસ્થાની એક શિબીરનો અહેવાલ

 ‘વેબ ગુર્જરી’ પર તેમના એક ઇન્ટરવ્યુ નો અનુવાદ

 ‘સેન્ટર ફોર જનરલ સિમેન્ટિક – વડોદરા’ ની વેબ સાઈટ

– તેમનો પરિચય  –   ૧  –   ;   –  ૨  –

જનરલ સિમેન્ટિક આંતરરાષ્ટ્રીય સંસ્થાની વેબ સાઈટ

-General semantics is a discipline or methodology intended to improve the ways people interact with their environment and with one another.

————————————————————————-

જન્મ

  • ?

અવસાન

  • ૨૫, જાન્યુઆરી-૨૦૧૩; મુંબાઈ( ૮૮ વર્ષની ઉમરે)

કુટુમ્બ

  • માતા – ? ; પિતા – ?
  • પત્ની -? ; પુત્ર – મધુકર

શિક્ષણ

  • કાયદાના સ્નાતક , મુંબાઈ

bp3

ચિત્ર પર 'ક્લિક'કરી તેમણે સ્થાપેલી સંસ્થા વિશે જાણો

ચિત્ર પર ‘ક્લિક’કરી તેમના વિચારો જાણો

વડોદરા ખાતેની સંસ્થાનું પહેલું વાર્ષિક સામાયિક

વડોદરા ખાતેની સંસ્થાનું પહેલું વાર્ષિક સામાયિક

bp2

તેમના વિશે વિશેષ

  • ૧૯૫૪- ટેક્સ્ટાઈલ પ્રિન્ટિંગ માટેના ખાસ રસાયણો વેચવા માટેની દુકાન ‘પીડીલાઈટ’ની સ્થાપના
  • ૧૯૫૯ – સિન્થેટિક ગુંદર વેચવાની અને પછી તેના ઉત્પાદનની શરૂઆત
  • ફેવિકોલ અને એવાં બીજાં ઉત્પાદનો બનાવવાનાં કારખાનાં ભારત ઉપરાંત અમેરિકા, થાઈલેન્ડ,દુબાઈ, ઇજિપ્ત અને બાંગલાદેશમાં પણ સ્થાપ્યાં છે. વિશ્વભરમાં કુલ વેચાણ -૬.૧૪ કરોડ ડોલર. વિશ્વભરમાં ૧૪ પેટા કમ્પનીઓ છે.
  • ઉદ્યોગપતિ હોવાની સાથે પૂર્ણ રીતે માનવતાવાદી. કારખાનામાં યુનિયને હડતાલ પાડી હોવા છતાં, દરેક કારીગરને પૂરો પગાર ચુકવી, એમનાં દિલ જીતી લીધાં અને હડતાલ સમેટાઈ ગઈ.
  • છેવટ સુધી બધા જ કર્મચારીઓની અપૂર્વ ચાહના મેળવતા રહ્યા
  • અનેક વિષયોના અભ્યાસી હોવા છતાં તે માત્ર વિદ્વાન ન હતા; પણ દિલથી માનવતાવાદી હતા.
  • ૨૦૦૯ – વડોદરા ખાતે જનરલ સિમેન્ટિક અને અન્ય માનવ વિજ્ઞાનો માટેના કેન્દ્રની સ્થાપના

સન્માન

૨૦૧૩- જનરલ સિમેન્ટિક આંતરરાષ્ટ્રીય સંસ્થા તરફથી એવોર્ડ.

ઇન્દુભાઇ ઈપ્કોવાળા, Indubhai IPCOwala


  

      “સંત-સત્સંગથી ધીરે ધીરે ધન પરનો પોતાનો માલિકીભાવ ક્ષીણ થવા માંડ્યો. તે એટલે સુધી કે, એમ વિચાર આવ્યો કે, ટ્યુબ વેચાય એના ઉપર જ શા માટે? જેટલી ટ્યુબ આપણી આગળ ઉત્પાદિત થઇને  આવે એના ઉપર જ આ નિયમ લાગુ પાડોને ! ધારોકે, પચ્ચીસ હજાર ટ્યુબ આવી તો, એના ઉપર આટલા ભગવાનને આપવાના થાય તે પહેલેથી જ, અગાઉથી જ આપી દેવા. શા માટે ભગવાનના ઉધાર રાખવા? એટલે વેચાણ પર નહિ, ઉત્પાદન પર આ સ્વયમ્ લાદેલો ‘પ્રભુ- ટેક્સ’ આપી દઇને ચિંતામુક્ત થઇ જવાનું “
– ‘ઓજસનો અવતાર’ માંથી

“ઓજસનો કદી અસ્ત થતો નથી.”
માણસ જાય છે. વિચારો ટકે છે, ને એની ‘પ્રજા’ પણ થાય છે.”
રજનીકુમાર પંડ્યા

# ‘ઇપ્કો’ ની વેબ સાઇટ

________________________________________________

સમ્પર્ક   –  ઇપ્કો હાઉસ, હિમાંશુ બંગલો, પેટલાદ રોડ, નડિયાદ- 387 001   

નામ

ઇન્દુલાલ  મગનલાલ પટેલ

ઉપનામ

ચરોતરના ભામાશા, ચરોતર રત્ન 

જન્મ

7, સપ્ટેમ્બર- 1927 ; ધર્મજ (જિ.  ખેડા)

અવસાન

23, જુલાઈ – 2007 ; અમદાવાદ

કુટુમ્બ

માતા – સૂરજબા; પિતા – મગનભાઇ પટેલ; દાદા – ધોરીભાઇ

પત્ની – શારદા (લગ્ન– 1951) ; પુત્રીઓ – અનીતા, નયના

અભ્યાસ

બી.ફાર્મ  

વ્યવસાય

શરુઆતમાં મુંબાઇમાં મેડીકલ રેપ્રઝેન્ટેટીવ

પછી ધર્મજમાં છીંકણીના સેલ્સમેન

શેષ જીવન –  તમાકુની  ટૂથપેસ્ટ બનાવવાનું કારખાનું – ‘ઈપ્કો’

જીવનઝરમર

બે વર્ષની ઉમ્મરે પિતા પાસે આફ્રિકા ગયા.

પિતા ‘ફોજી’ ના નામે ઓળખાતા, કારણકે કોઇ જરુરતમંદ માગે તો ગજવામાં હોય તેટલા રૂપિયા આપી દેતા. માતા  અત્યંત ધાર્મિક વૃત્તિવાળાં હતાં.

બાળપણમાં તોફાની, થોડા સંગ – કુસંગ, ભણવામાં બેધ્યાન

શાળા અને કોલેજ કાળમાં ભણવામાં હોંશિયાર 

1958 – તમાકુની ટૂથપેસ્ટ બનાવવાનો ‘ફ્લેશ’ થયો – ઓજસનો પહેલો ચમકારો

શરુઆતની જિંદગીમાં સાવ નાસ્તિક, પણ પત્નીના સહવાસે નડિયાદના સંતરામ મહારાજને    સમર્પિત

આવકનો મોટાભાગનો હિસ્સો આપી ‘શારદાબેન ઇન્દુભાઇ ઇપ્કોવાળા ચેરિટેબલ ટ્રસ્ટ’  સ્થાપ્યું અને જાળવ્યું, જેમાંથી કોલેજો, દવાખાના, ગરીબીમુક્તિ, દુષ્કાળરાહત, મંદિરો, ટાઉન હોલ, કેન્સર સંશોધન કેન્દ્ર વિ. માટે લાખોનાં દાન આપ્યાં.

તેમના જમાઇઓ દેવાંગભાઇ અને અવિરતભાઇએ તેમના વ્યવસાય અને ટ્રસ્ટનાં કામો  ઉપાડી લીધાં છે.  

રચનાઓ

તેમની જીવનકથા – ઓજસનો અવતાર ( લે. રજનીકુમાર પંડ્યા)  – તેમને પંચોતેર વર્ષ થયા તે પ્રસંગે લખાયેલ

સાભાર

સપ્તક – ગુજરાત ટાઇમ્સ, ન્યુયોર્ક – રજનીકુમાર પંડ્યા 

———————————————————————————-

રજનીકુમાર પંડ્યાના પુસ્તક વિશે વિચારો –

         ” એક મહિનો અને દસ  દિવસ હું ઇન્દુકાકાના જીવનના અંતરંગમાં , એના ઊંડાણમાં અવગાહન કરતો રહ્યો. મારી સાથે મારી મદદમાં ભાઇ બીરેન કોઠારી પણ રહ્યો. અમને બન્નેને લાગતું હતું કે, અમે કોઇ વન્ડરલેન્ડમાં ફરી રહ્યા છીએ, જ્યાંની ભૂમિ સપાટ નથી. માર્ગો બનાવેલા નથી. કાંટાના અનુભવો હતા. હતાશાની ખીણો હતી. તો આશાની પગથાર પણ હતી. ક્યાંક એકદમ યુ-ટર્ન હતો, ત્યાં ક્યાંક ગેબી શક્તિ હાથ પકડીને દોરતી હોય એમ લાગતું હતું. આકાશ અનેકરંગી હતું, પણ એમાં જે સૂરજ ચમકતો હતો તે માત્ર તેજ ફેંકતો ન હતો, તેજથી ઊંચી કોઇ ચીજ એમાંથી ફૂટતી હતી. તેજથી ઊંચું, તેજથી વધુ દેદીપ્યમાન, દૈવી અને ચોતરફ શાતા ફેરવનાર એવું શું હોઇ શકે? એનું શું નામ હોઇ શકે? એને કહેવાય ‘ઓજસ’

           ઇન્દુકાકા માત્ર તેજસ્વી નહોતા, ઓજસ્વી પણ હતા. ઘણા એને ચહેરાની કાંતિ કહે, ઘણા તેજવલય કહે – પણ એ બન્ને શબ્દોમાં ગ્લેમરનો ઇશારો છે. ઓજસમાં ગ્લેમર( ચળકાટ) ન હોય. શીળું , દૈવી જ્યોત જેવું કોઇ તત્વ હોય. બન્ને વચ્ચે જ્વાળા અને જ્યોતિ જેટલો ફેર છે. પુરુષાર્થ, પ્રતિભા અને પ્રારબ્ધે એમને ધન આપ્યું, પણ એ ધનથી એમનામાં ગરમી ન જન્મી, ગરવાઇ જન્મી અને દ્યુતિનો પ્રાદુર્ભાવ થયો. એમની જીવનયાત્રાનો અર્ક ‘ઓજસ’ શબ્દમાં વરતાતો હતો.

      એટલે પછી અમને ઇન્દુકાકાના પુસ્તકનું શીર્ષક સૂઝ્યું   – ઓજસનો અવતાર”

ચીનુભાઈ ચીમનલાલ, Chinubhai Chimanlal


નામ

ચીનુભાઇ ચીમનલાલ (મેયર)

જન્મ

નવેમ્બર 1 –  1901; અમદાવાદ
Read more of this post

કસ્તુરભાઈ લાલભાઈ, Kasturbhai Lalbhai

%d bloggers like this: