ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: ખેતીવાડી નિષ્ણાત

હીરજીભાઇ ભીંગરાડિયા, Hiraji Bhingradia


કૃષિ ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન આપનાર, સજીવ ખેતીના નિષ્ણાત.

પ્રેરક સૂત્ર :

“પોતાનો વંશ ચાલુ રાખવાની પ્રબળ જિજીવિષા અનેક જીવોની જેમ વનસ્પતિમાં પણ કુદરતે મૂકેલી છે.”

સ્વ-પરિચય – તેમના બ્લોગ પર:

માહિતી સભર પરિચયઃ

તેમનાં પુસ્તકોની યાદીઃ

અન્ય બ્લોગ પર અંગ્રેજીમાં તેમનાં વિષે વધુ માહિતી મેળવો (The Perfect Farmer):

________________________________________________

લોકભારતી -સણોસરા દ્વારા પ્રકાશિત - તેમની આત્મકથાત્મક  ઈ-બુક  ( આ ચિત્ર પર ક્લિક કરો)

લોકભારતી -સણોસરા દ્વારા પ્રકાશિત – તેમની આત્મકથાત્મક ઈ-બુક ( આ ચિત્ર પર ક્લિક કરો)

સંપર્ક

  • “પંચવટી બાગ”, મુ. માલપરા; તાલુકો-ગઢડા [સ્વામીના] જિ. ભાવનગર – ૩૬૪૭૩૦.
  • +૯૧-૨૮૪૭-૨૮૩૬૨૧
  • panchvatibag@gmail.com
  • કૃષિ સ્નાતક [લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ- સણોસરા; B R S (Bachelor in Rural Studies) -૧૯૬૫ ]

    ગોદાવરીબેન ભીંગરાડિયા

    ગોદાવરીબેન ભીંગરાડિયા

જન્મ

  • ૨૦ સપ્ટેમ્બર, ૧૯૪૫. ચોસલા, તા.ગઢડા, જિ. ભાવનગર [હવે બોટાદ] , ગુજરાત.

અભ્યાસ

  •  ૧૯૬૫ –  કૃષિ સ્નાતક

કુટુંબ

  • માતા – દિવાળીબેન, પિતા – ભીખાભાઈ.
  • પત્નીઃ ગોદાવરીબેન
  • સંતાનો –  નીતિન, ભરત અને વનિતા

વ્યવસાય 

  • ખેતી, બાગાયત, ગોપાલન, ગ્રામસેવા ખેતીની શરૂઆત – 1965થી આજ સુધી.

 

 

 

 

 

 

 

તેમના વિશે વિશેષ

  • સ્નાતક પરીક્ષા પહેલાં દીલ્હીથી લેવાતી ‘રૂરલ ઈન્સ્ટીટ્યુટ’ની પરીક્ષામાં, ભારતની આવા અભ્યાસક્રમ ચલાવતી “બધી જ સંસ્થાઓમાં પ્રથમ વર્ગમાં પ્રથમ” અને ૧૯૬૫માં કૃષિ સ્નાતક થયા.
  • નોકરી માટે સારી એવી તકો હોવાં છતાં ખેતી કરવાનો નિર્ણય લીધો.
  • કૃષિ દ્વારા ગ્રામ પુનરુત્થાનનું માર્ગદર્શન આપનાર ગુરુજનો અને વડીલોનાં સ્વપ્નો સિદ્ધ કર્યા.
  • “પંચવટી બાગ” નામક વાડીની સ્થાપના અને ત્યાં કૃષિ ક્ષેત્રે અવનવાં સફળ પ્રયોગો.
  • કૃષિ ક્ષેત્રે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા વિચારક, વક્તા અને લેખક.
  • સામાજીક ક્ષેત્રે સેવાઓ ફરજ સમજીને કર્યા અને કૃષિ ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન માટે ઘણાં બધાં પુરસ્કાર મળ્યા.
  • તેમનાં કાર્યમાં પત્ની ગોદાવરીબહેનના યોગદાનથી “કૃષિ દંપતી” તરીકે જાણીતા.

સન્માન 

  • અનેક એવોર્ડો અને પારિતોષિકો ( વધુ વિગત – તેમના બ્લોગ પર )
%d bloggers like this: