ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: ડોક્ટર

ડો.ભરત ભગત


       અહીં ગુજરાતની વિવિધ પ્રકારની પ્રતિભાઓના પરિચય છે – એમાં પુનિત મહારાજ, પ્રમુખ સ્વામી અને સચ્ચિદાનંદ સ્વામી જેવા સંતો તો છે, પણ ભગત અટકધારી કોઈ ભક્ત નથી – અને એ પણ પાછા એક ડોક્ટર!

Bharat_Bhagat

      હા! ડો ભરત ભગત સાચા અર્થમાં ભગત છે, સંત છે – વિના મૂલ્યે,  પોલિયોથી પીડાતા બાળકોનાં ઓપરેશન કરી, કેલિપર આપી ચાલતા કરનાર સેવક છે. શ્રી. પી.કે.દાવડાના બ્લોગ ‘દાવડાનું આંગણું’ પર ડો. ભરત ભગતની  આત્મકથા અને એમણે સ્થાપેલી ‘હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન’ની કથા  આલેખાઈ છે. એ  એનાં પ્રકરણોની અહીં માત્ર અનુક્રમણિકા જ છે. આ રહી –

 

પ્રકરણ – ૧ 

પ્રકરણ – ૨

પ્રકરણ – ૩

પ્રકરણ – ૪

પ્રકરણ – ૫

પ્રકરણ – ૬

પ્રકરણ

પ્રકરણ

પ્રકરણ

પ્રકરણ૧૦

પ્રકરણ૧૧

પ્રકરણ૧૨

પ્રકરણ૧૩

પ્રાણજીવન મહેતા, Pranjivan Mehta


pm6‘મારા જીવનમાં પ્રાણજીવન મહેતા કરતાં વધારે નજીકનો કોઈ મિત્ર નથી.’ 

ગાંધીજી

     During my last trip to Europe I saw a great deal of Mr. Gandhi. From year to year (I have known him intimately for over twenty years) I have found him getting more and more selfless. He is now leading almost an ascetic sort of life–not the life of an ordinary ascetic that we usually see but that of a great Mahatma and the one idea that engrosses his mind is his motherland.

(તેમના સ્વ. ગોપાલકૃષ્ણ ગોખલેને લખેલી પત્રમાંથી )

શ્રી, ઉર્વીશ કોઠારીના બ્લોગ પર સરસ લેખ

–    ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માં લેખ

‘The better India’ માંથી મળેલ મૂળ માહિતી

ફેસબુક પરથી મળેલ એક સરસ રિપોર્ટ 

    ‘You may not perhaps be knowing for whom I wrote ‘Hind Swaraj’. The person is no more and hence there is no harm in disclosing his name. I wrote the entire Hind Swaraj for my dear friend Dr. Pranjivan Mehta. All the argument in the book is reproduced almost as it took place with him.’

Gandhiji
– 21 February 1940 at a meeting of the Gandhi Seva Sangh)

‘ગુર્જરી ડાઈજેસ્ટ’ – ઓક્ટોબર – ૨૦૧૪ માં પ્રકાશિત લેખ…

pm1pm2pm3pm4

જન્મ

  • ૧૮૬૪, મોરબી

અવસાન

  • ૩, ઓગસ્ટ – ૧૯૩૨, રંગૂન

કુટુમ્બ

  • માતા – ?,  પિતા– જગજીવન
  • ભાઈઓ -રેવાશંકર, પોપટભાઈ અને બીજા એક ભાઈ
  • પત્ની – ? ; સંતાન – ?

શિક્ષણ

  • પ્રારંભિક – મોરબી
  • માધ્યમિક – રાજકોટ
  • મેડિકલ – (LMS) – મુંબાઈ; એમ.ડી. – બ્રસેલ્સ ( બેલ્જિયમ)
  • કાયદો – બાર એટ લો – લન્ડન

વ્યવસાય

  • શરૂઆતમાં થોડોક વખત મુંબાઈમાં ખાનગી પ્રેક્ટિસ
  • ઈડર સ્ટેટના મુખ્ય મેડિકલ ઓફિસર
  • રંગૂન , બર્મા માં વકીલ અને ડોક્ટર તરીકે પ્રેક્ટિસ
  • હીરાનો વેપાર
astha

પાયાનો સંદર્ભ સ્રોત – આ ચિત્ર પર ક્લિક કરો.

pm1

યુવાન વયે

pm8

pm21

pm10

૧૯૨૨ – ગુજરાત વિદ્યાપીઠને દાન આપ્યું- તે પ્રસંગે

pm7

તેમના હસ્તાક્ષર અને સહી

તેમના વિશે વિશેષ

  • ૧૮૮૬ – મુંબાઈમાંથી મેડિકલ ડીગ્રી ગોલ્ડ મેડલ સાથે પસાર કરી.
  • ૧૮૮૭ – માર્ચ – મોરબીના રાજાની સ્કોલરશીપના સહારે બ્રસેલ્સ, બેલ્જિયમ માં અભ્યાસ શરૂ.
  • ૧૮૮૯ – યુનિ. ઓફ બ્રસેલ્સમાંથી  સર્જરીમાં વિશેષ યોગ્યતા ( Distinction) સાથે એમ.ડી. ની પદવી
  • બ્રસેલ્સના મુક્ત વાતાવરણની મન પર ગાઢ અસર (સ્વદેશની સ્વતંત્રતા માટેના ખ્યાલોનો પ્રાદુર્ભાવ)
  • લન્ડનમાં બાર એટ લો થવા માટે રજિસ્ટ્રેશન કર્યું.- અને તે સબબે લન્ડન ગયા. એક જ વર્ષમાં તેમણે આ ડીગ્રી પણ મેળવી લીધી.
  • ૧૯૮૯ મા અંત ભાગમાં – ભારત પાછા આવ્યા
  • ૧૮૯૯ – રંગૂનમાં સ્થળાંતર. વકીલ અને ડોક્ટરની બેવડી ભૂમિકામાં અત્યંત સફળ કામગીરી.
  • આ ઉપરાંત તેમણે હીરાના વેપારમાં પણ ઝૂકાવ્યું અને ઘણું કમાયા. થોડાક જ વર્ષોમાં રંગૂનના સૌથી સમ્પત્તિવાન અને વગદાર નાગરિક બની ગયા.
  • રંગૂનમાં હિન્દુ સોશિયલ ક્લબ અને રામકૃષ્ણ સોસાયટીના પ્રમુખ
  • અખિલ ભારતીય કોન્ગ્રેસની રંગૂન શાખા, બર્મા (અત્યારનું મ્યાંમાર)ની પ્રોવિન્શિયલ કોન્ગ્રેસના સભ્ય
  • બર્મા સોશિયલ સર્વિસ લીગ ના સ્થાપક અને ઘણા સમય સુધી સેક્રેટરી
  • બર્માની સ્વતંત્રતા માટે લડતા રાષ્ટ્રવાદીઓને ઉત્તેજન
  • ૧૯૦૬ – એન્ગ્લો- ગુજરાતી અઠવાડિક ‘ યુનાઈટેડ બર્મા’ ની સ્થાપના, જેના તંત્રી વી. મદનજિત હતા. દલિત લોકોની સેવા અને સ્વદેશીની હિમાયત તેનો મુદ્રાલેખ હતો.
  • દક્ષિણ ભારતના અર્થશાસ્ત્રીની મદદથી બર્મામાં ટ્રેડ યુનિયન સ્થાપવાની શરૂઆત કરી. રંગૂન બંદરના કામદારોની ચળવળને સક્રીય ટેકો આપી ઘણી મોટી આંતરરાષ્ટ્રીય કમ્પનીઓમાં અળખામણા બની ગયા.
  • ૧૯૧૫ – ભારતીય નેશનલ કોન્ગ્રેસના મુંબાઈ ખાતેના અધિવેશનમાં હાજરી આપી અને સાબરમતી આશ્રમની સ્થાપના માટે સક્રીય સહકાર અને મદદ આપ્યાં.
  • ૧૯૧૭-૧૮ બર્માની રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓમાં સક્રીય ફાળો જેના કારણે તે વખતના બર્માના લેફ્ટેનન્ટ ગવર્નર ક્રેડોકે તેમને એક અઠવાડિયામાં બર્મા છોડી દેવા ફરમાન કર્યું હતું. મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા તે કારણે, બર્માના અન્ય વગદાર આગેવાનો વચ્ચે પડવાના કારણે અને પ્રચંડ લોક લાગણીના કારણે   એ ફરમાન પાછું ખેંચી લેવું પડ્યું હતું.
  • ૧૯૧૯ – સ્થાનિક સ્વરાજ માટે ના બર્માના ડેપ્યુટેશન સાથે બ્રિટનનની મુલાકાતે – સાથે ભારતીય નેશનલ કોન્ગ્રેસને માટે પણ ત્યાં સક્રીય કામગીરી.
  • ૧૯૨૦ – ૨૧ અત્યંત નાદુરસ્ત તબિયતના કારણે બ્રિટન અને યુરોપમાં તબીબી સારવાર ૧૯૨૬/ ૧૯૨૯ – બે વખત ભારતની મુલાકાત. પણ લથડતી જતી તબિયતના કારણે તેમનું જાહેર જીવન સંકેલાઈ ગયું હતું.
  • ૧૯૩૨ – ઘરમાં ચાલતાં પડી જવાના કારણે થયેલી ઈજામાંથી સેપ્ટિક થઈ જતાં અવસાન.

ગાંધીજી સાથે 

  • ૨૯, સપ્ટેમ્બર – ૧૯૮૮ ગાંધીજીના લન્ડનમાં પહેલા દિવસે, વિક્ટોરિયા હોટલ, ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે બન્ને વચ્ચે  પહેલી મુલાકાત, આ અગાઉ પણ બન્ને વચ્ચે પત્ર વ્યવહાર ચાલુ હતો.
  • ગાંધીજીના લન્ડનમાં શરૂઆતના સમયમાં તેમને મોટાભાઈની જેમ મદદ અને દોરવણી.
  • ૧૯૯૧ – ગાંધીજી બેરિસ્ટર બનીને દેશ પાછા આવ્યા, ત્યારે મુંબાઈના તેમના ઘેર રહ્યા હતા, અને ત્યાં જ ગાંધીજીને શ્રીમદ રાજ ચન્દ્રનો પરિચય થયો હતો. બન્ને વચ્ચે નિકટતા પણ આ સમયે જ સ્થપાઈ.
  • ૧૯૨૦ પછી ગાંધીજીની મુંબાઈ ખાતેની પ્રવૃત્તિનું કેન્દ્ર, મણીભુવન – તેમના મોટા ભાઈ – રેવાશંકરે બંધાવ્યું હતું. ( અત્યારે તેમાં ગાંધી સંગ્રહાલય છે.)
  • તેમના બીજા મોટાભાઈ પોપટ ભાઈના દીકરી શ્રીમદ રાજચન્દ્રનાં પત્ની હતાં. ( શ્રીમદ રાજચન્દ્રની ઘણી મોટી અસર ગાંધીજીના અહિંસા અંગેના વિચારો પર પડી હતી.)
  • ૧૮૯૮ ના અંત ભાગમાં – ગાંધીજી દક્ષિણ આફ્રિકાની ચળવળ અંગે ભારતમાંથી સહકાર મેળવવા આવ્યા , ત્યારે મુંબાઈમાં  તેમના ઘેર જ રહ્યા હતા.
  • પ્રાણજીવન મહેતા પણ લન્ડનથી પાછા વળતાં કેપ ટાઉન રોકાયા હતા અને ડર્બનમાં ગાંધીજીને મળવા ગયા હતા. આ મુલાકાતો દરમિયાન ગાંધીજીની નિસ્વાર્થ વૃત્તિ અને સમાજ સેવાની ધગશનો અંદાજ તેમને આવી ગયો હતો.
  • ૧૯૦૨ – આફ્રિકા બીજી વાર જતાં પહેલાં ગાંધીજી રંગૂનની મુલાકાતે ગયા હતા, અને તેમની સાથે એક અઠવાડિયું રહ્યા હતા.
  • ગાંધીજીની એ મુલાકાત દરમિયાન તેમણે પ્રાણજીવન મહેતા સાથે ભારતના સ્વાતંત્ર્ય અંગે વિચારોની આપલે કરી હતી, જે ગાંધીજીના બહુ જાણીતા લેખ ‘ હિન્દ સ્વરાજ’નું મૂળ હતું.
  • ગાંધીજી સાથેના એ વિચાર વિમર્શ બાદ તેમણે તે વખતના ભારતીય નેશનલ કોન્ગ્રેસના સર્વે સર્વા ગોપાલ કૃષ્ણ ગોખલે સાથે પત્ર વ્યવહાર કર્યો હતો, જેમાં ગાંધીજીને ભારતના સ્વરાજના   ભાવિ શિલ્પી અને ‘મહાત્મા’ તરીકે ઉલ્લેખ કર્યો હતો, એટલું જ નહીં પણ સમસ્ત માનવજાતને નવી દોરવણી આપી શકે તેવા મસીહા તરીકે ગાંધીજીનો ઉલ્લેખ કર્યો હતો.
  • આ જ રીતે તેમણે ગાંધીજીને ભારતના સ્વરાજ માટે નેતૃત્વ લેવા ભાર પૂરક સૂચવ્યું હતું, ફિનિક્સ આશ્રમમાં ભારતના સ્વયંસેવકોને સત્યાગ્રહની તાલીમ આપવાનો બધો ખર્ચ ભોગવવા પણ તેમણે તૈયારી બતાવી હતી. આ ઉપરાંત ગાંધીજીની આફ્રિકા  ખાતેની કામગીરી અંગેના અને તેને સંબંધિત પ્રકાશનોના પ્રસાર માટેનો પૂરો ખર્ચ ઊઠાવવાનું પણ તેમણે કબૂલ્યું હતું.
  • ગાંધીજીના અંગત ખર્ચ અંગેની બધી જવાબદારી તેમણે પોતાને શીરે લેવા કબૂલ્યું હતું.
  • ૧૯૧૧ – ગાંધીજીનું સૌથી પહેલું જીવન ચરિત્ર તેમણે લખ્યું હતું.
  • ભારતીય જીવન પદ્ધતિ અંગેનું તેમના બાજા પુસ્તક Hindu Social Ideals    પુસ્તકમાં તેમણે ગાંધીજીના ફિનિક્સ આશ્રમ ખાતેના સત્યના  પ્રયોગોનો ઉલ્લેખ કર્યો હતો.
  • ૧૯૧૫ – ગાંધીજી હમ્મેશ માટે ભારત પાછા આવ્યા બાદ. ગોખલેના અવસાન બાદ તેમને સર્વન્ટસ ઓફ ઇન્ડિયા સોસાયટીના સામાન્ય સભ્ય તરીકે સ્વીકારવા પણ કોઈ તૈયાર ન હતું, તે વખતે ગાંધીજી આઠ દિવસ માટે રંગૂન ગયા હતા. પ્રાણજીવન મહેતાએ તેમને  ઉદાર રીતે નાણાંકીય સહાય કરી હતી.
    એમ ન કર્યું હોત તો ગાંધીજી મોટા કુટુમ્બની અંગત જવાદારીઓ અદા કરવામાંથી જ દટાઈ ગયા હોત.
  • અમદાવાદમાં કોચરબ આશ્રમ સ્થાપવાની પૂરી જવાબદારી તેમને ઊઠાવી હતી.
  • ૧૯૨૦ – દાંડી કૂચના દસ વર્ષ પહેલાં ગરીબ પ્રજાની કમર તોડી નાંખતા મીઠા પરના કર સામે આંદોલન ચલાવવા તેમણે ગાંધીજીને સૂચવ્યું હતું.
  • ૧૯૨૯ની ગાંધીજીની બર્માની મુલાકાત વખતે નાજૂક તબિયત છતાં તેમની સાથે સતત રહ્યા અને ફર્યા હતા.

રચનાઓ

  • K. Gandhi and the South African Indian Problem
  • Hindu Social Ideals
  • તેમના જીવન વિશે અભ્યાસ પૂર્ણ પુસ્તક – Mahatma and the doctor – Shri S.R. Mehrotra

 

સાભાર

  • The Better India
  • શ્રી. ભરત ભટ્ટ, કેમ્બ્રિજ, મેસેચ્યુસેટ્સ
  • Dialogue – આસ્થા ભારતી
  • શ્રી. ઉર્વીશ કોઠારી

 

 

 

 

 

 

 

 

 

જીવરાજ મહેતા, Jivraj Mehta


jm1– THE STORY OF THE SIMPLE YEARNING, SELFLESS CHURNING AND SUBLIME LEARNING OF DR. JIVRAJ MEHTA

વિકિપિડિયા પર

—————————————

જન્મ

  • ૨૯, ઓગસ્ટ – ૧૮૮૭; અમરેલી

અવસાન

  • ૭, નવેમ્બર – ૧૯૭૮,

કુટુમ્બ

  • માતા – જમક બેન, પિતા – નારાયણ
  • પત્ની – હંસા , સંતાન – ?

શિક્ષણ

  • લાયસન્સ- મેડિસિન અને સર્જરી ( Equivalent of MBBS), ગ્રાન્ટ મેડિકલ કોલેજ/ સર જે.જે. હોસ્પિટલ, મુંબાઈ
  • ૧૯૧૪ – લન્ડનમાંથી FRCS

વ્યવસાય

  • ૧૯૨૫ – ૧૯૪૨ પોતે સ્થાપેલી શેઠ ગોરધનદાસ સુંદર દાસ મેડિકલ કોલેજના ડીન
  • ૧૯૪૮ – ભારત સ્વતંત્ર બન્યા બાદ વડોદરા રાજયના દિવાન

jm6

NPG x153952; Mrs Hansa Mehta; Dr Jivraj Narayan Mehta by Bassano

by Bassano, half-plate glass negative, 9 November 1931

jm3

 

NPG x150710; Mrs Hansa Mehta; Dr Jivraj Narayan Mehta; Sir Manubhai Nandshankar Mehta by Bassano

by Bassano, half-plate glass negative, 9 November 1931

 

 

તેમના વિશે વિશેષ

  • મેડિકલ શિક્ષણ માટે શેઠ વી.એમ. કપોળ બોર્ડિંગ ટ્રસ્ટની સ્કોલરશીપ, તે શિક્ષણ માટે, બ્રિટિશ મેડિકલ સર્વિસના ઓફિસરો આગળ બહુ કપરી પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી. એના છેલ્લા વર્ષમાં આઠમાંથી સાત ઈનામો મેળવ્યા હતા, અને આઠમું પણ હોસ્ટેલના સાથી સાથે પ્રાપ્ત કર્યું હતું.
  • લન્ડનમાં અભ્યાસ માટે ટાટા એજ્યુકેશન ફાઉન્ડેશનની સ્કોલરશીપ
  • ૧૯૦૯- ૧૯૧૫ – લન્ડન ખાતે નિવાસ, ત્યાં ભારતીય વિદ્યાર્થીઓના મડળના પ્રમુખ હતા. ૧૯૧૪માં એમ.ડી.ની પરીક્ષામાં યુનિ.નો ગોલ્ડ મેડલ મળ્યો હતો.
  • લન્ડનની રોયલ કોલેજ ફોર ફિઝિશિયન્સના સભ્ય.
  • દેશમાં આવ્યા પછી, થોડાક સમય માટે ગાંધીજીના અંગત ડોક્ટર રહ્યા
  • સ્વતંત્રતાની ચળવળમાં પહેલેથી રસ હતો, અને બે વખત સત્યાગ્રહમાં ભાગ લેવા માટે જેલમાં ગયા હતા
  • સ્વતંત્રતા મળ્યા બાદ થોડોક વખત વડોદરા રાજ્યના દિવાન
  • ૧૯૪૮ – ભારતના નવા તંત્રમાં ડિરેક્ટર જનરલ ઓફ મેડિસિન
  • ૧૯૬૦ સુધી – મુંબાઈ રાજ્યમાં નાણાં, ઉદ્યોગ, નશાબંધી અને જાહેર બાંધકામ ખાતાના પ્રધાન
  • ૧૯૬૦-૧૯૬૩ ગુજરાત રાજ્યના પહેલા મુખ્ય પ્રધાન
  • ૧૯૬૪-૧૯૬૬ ઇન્ગ્લેન્ડમાં ભારત તરફથી હાઈ કમિશ્નર
  • મુંબાઈની શેઠ ગોરધનદાસ સુરેન્દર દાસ હોસ્પિટલ અને એડવર્ડ – સાત હોસ્પિટલના સ્થાપક.ત્યાં ૧૮ વર્ષ કામ કર્યું.
  • ભારતમાં મેડિકલ ક્ષેત્રે સંશોધન માટે પાયાનું કામ. મુંબાઈ, પુના, ઓરંગાબાદ, અમદાવાદ,નાગપુર માં મેડિકલ કોલેજ અને હોસ્પિટલ સ્થાપવામાં મહત્વનો ફાળો
  • દિલ્હી ખાતેની ઓલ ઇન્ડિઆ ઇન્સ્ટિટ્યુટ ફોર મેડિકલ સાયન્સની સ્થાપનામાં સક્રીય હિસ્સો.
  • ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના પ્રમુખ

સન્માન

  • ૨૦૧૫ – ભારત સરકાર દ્વારા મેડિકલ ક્ષેત્ર માટે સર્વોચ્ચ – જીવરાજ મહેતા એવોર્ડની શરૂઆત

પ્રફુલ્લ શાહ, ઇન્દીરા શાહ, Praful Shah, Indira Shah


praful_indira_shah.jpg

“નાના લોકોમાં વિશાળ દિલ વધારે જોવા મળ્યા છે.”
તેમના પુસ્તકમાંથી

જીવનમંત્ર
“ આ જગતમાંથી હું એક જ વાર પસાર થવાનો છું, તેથી જો મમતા બતાવી શકું તેમ હોઉં તો લાવ, અત્યારે જ કરી લઉં, કારણકે હું અહીંથી ફરી નીકળવાનો નથી.” –   થોપર કાર્લા

“ પ્રફુલ્લભાઇ – ઇન્દીરાબેન અનેક લોકોનાં મા-બાપ, દાદા, દાદી અને પૂજનીય છે.”
સુરેશ શાહ – કુમાર : માર્ચ, 2002

“ ભારતની સામાન્ય પ્રજા સાથે પોતાના જીવનકાર્યને જોડનાર ડોક્ટર શુષ્ક બુદ્ધિવાદી બની ન શકે. પ્રફુલ્લભાઇ ઝવેરચંદ મેઘાણીની પરંપરાનું ખુલ્લાપણું ધરાવે છે…… ગ્રામવિસ્તારમાં કામ કરવાનું સાહસ ધરાવતા નવી પેઢીના ડોક્ટરો આવાં પુસ્તકો વાંચીને પોતાની આચારસંહિતા ઘડી શકે.”
રઘુવીર ચૌધરી

“ માનવી જો મળી જાય તો બીજું શું જોઇએ?
દાતાર હો કે દાસ, મને સહુ પસંદ છે,”
રુસ્વા મઝલૂમીની તેમને અંજલી

# સત્યકથાઓ  :    –  1  –  :    –  2  –

# ઇન્દીરાબેન વિશે એક સરસ લેખ

_____________________________________________________________

આખો લેખ વાંચવા અહીં 'ક્લિક'  કરો.

આખો લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.


જન્મ

30, સપ્ટેમ્બર- 1932; લીંબડી

કુટુમ્બ

પિતા – શાંતિલાલ ગીરધરલાલ ; ભાઇઓ – હસમુખ, દિલીપ; બહેનો – બે

પત્ની– ઇંદીરાબેન ( તે પણ સેવાના ભેખધારી) ; પુત્રો – રાજ, સંજય, વિવેક ; પુત્રી – સ્વ. સોનલ

અભ્યાસ

1958 – એમ.બી.બી.એસ. ( વડોદરા)

વ્યવસાય

પ્રારંભમાં છ સાર્વજનિક દવાખાનામાં કામ કર્યું

32 વર્ષની ઉમ્મરે સાવરકુંડલામાં ખાનગી દવાખાનું શરુ કર્યું

Praful_2 Praful_1

તેમના વિશે વિશેષ

ગાંધીવાદી પિતાના ઉચ્ચ સંસ્કારોનો વારસો સાચવ્યો છે. પિતાને પ્રથમ વર્ગની ટિકીટ કરાવી આપી હતી તે રદ કરાવી તેમને ત્રીજા વર્ગમાં જ મુસાફરી કરવાનું મુનાસીબ માન્યું હતું. પિતાએ આરઝી હકૂમતમાં ચૂડા રાજ્યના વહીવટદાર તરીકે કામ કર્યું હતું. કદી અંગત કામ માટે સરકારી સાધનસામગ્રી કે વાહન ન વાપરતા.

27 વર્ષની ઉમ્મરે માનવસેવાનો મંત્ર આત્મસાત્ કરી અનેકો માટે સેવાપરાયણ ડોક્ટર બની રહ્યા.

દીકરી સોનલ અભ્યાસ કરતી ત્યારથીજ કરૂણામૂર્તિ હતી. કોઇનું દુઃખ જોઇ ન શકે. પછાત વિસ્તારોમાં અને માછીમારોની વસ્તીમાં બાળકોની સેવા કરવા પહોંચી જાય. ( 24 વર્ષની ઉમ્મરે જીપ અકસ્માતમાં મૃત્યુ) . તેની યાદમાં ‘સોનલ ફાઉન્ડેશન’ની સ્થાપના.

વ્યવસાયની સાથે બાળ પુસ્તકાલય, ક્ષય-નિવારણ, વૃક્ષ ઉછેર, કલા અને હુન્નરની તાલીમ આપતી અનેક પ્રવૃત્તિઓ

તેમના પુસ્તકમાં નાના માણસની, માનવતા મહોરી ઉઠે તેવી અનેક સત્યકથાઓ છે.

ખાટકી અને વાઘરી જાતિઓના ઉત્કર્ષ માટે અથાક અને નિસ્વાર્થ પ્રયત્નો કરેલા છે. આવા સાવ સામાન્ય લોકોની વિનામૂલ્યે સેવા કરતાં, તે લોકો છાનામાના શાકભાજી જેવી નાની નાની વસ્તુઓ આભારના પ્રતીક રૂપે મુકી જતા.

એક વાર ડોક્ટર માંદા પડ્યા ત્યારે દરદીઓએ તેઓ સાજા થઇ જાય તે માટે બાધા આખડીઓ રાખેલી. તે વખતે ડોક્ટરે બૌધ્ધિક વિશ્લેષણ કરવાને બદલે ‘મારાં દર્દીઓની દુઆ અને માનતા ફળી’ એમ તેમનો ઋણસ્વીકાર કરેલો.

સાર્વજનિક છાત્રાલયનું સંચાલન પણ સંભાળે છે.

‘અખંડ આનંદ’ માં તેમની સત્યકથાઓ પ્રકાશિત થતી રહે છે.

એક સાજા થયેલા દરદીએ રામદેવ પીરની બાધા ઉતારવા ડોક્ટરને સાથે લઇ જવાની હઠ પકડેલી અને ડોકટર પોતાની અંગત માન્યતાઓ બાજુએ મુકી ગયેલા પણ ખરા! ( ‘આ ભોળિયા જીવોને હું શું કહું? ઇશ્વરને પ્રાર્થના કરી કે, આ શ્રદ્ધાળુઓની શ્રદ્ધા ટકી રહે એવું કરજે !” )

શોખ

ટેનિસ, કવિતા, ગરબા, ગાર્ડનીંગ, પક્ષીઓળખ

પ્રદાન

ઇન્દીરાબેને 2100 બહેનોને સીવણ શીખવાડી, 350ને સીવણ મશીનો આપી પગભર કરી.

પોલીયો અને રક્તપિત્ત નિવારણ માટે રક્તપિત્ત કેન્દ્ર- 214 થી વધુ દરદીઓને સમ્પૂર્ણ સારા કર્યા, અને પુનર્વસિત કર્યા

891 ક્ષયના દરદીઓની વિનામૂલ્યે સારવાર.

કેન્સર નિદાન-કેન્દ્ર શરુ કર્યું

1997 – સાવરકુડલામાં પિતાના સ્મરણાર્થે બાળ –પુસ્તકાલય, તેમાં બાળકોને ઉત્સાહિત કરવા દર વર્ષે સૌથી વધુ પુસ્તકો વાંચનારને ઇનામ, વક્તૃત્વ સ્પર્ધા, વાર્તાલેખન વિ. અનેક પ્રવૃત્તિઓ ચાલે છે.

ઉચ્ચ સિક્ષણ માટે સહાય

પૂનામાં અનેક ગુલમહોરનાં વૃક્ષો જોઇ સાવરકુંડલાની આજુબાજુના ગામોમાં હરિયાળી કરાવી- 1 લાખ રોપાઓનું વિતરણ અને માવજત.

કચ્છમાં ધરતીકંપ પછી રાહતકાર્ય અને મકાનો બાંધવામાં મદદ.

રચનાઓ

‘મનેખ નાનું, મન મોટું’ ( સ્વાનુભવની સત્યકથાઓ)

રક્તપિત્ત, ડાયાબીટીસ, વૃક્ષ- છોડમાં રણછોડ જેવી પરિચય પુસ્તિકાઓ

સન્માન

અશોક ગોંદિયા એવોર્ડ

સાભાર

  • શ્રી. વિજયભાઇ શાહ – હ્યુસ્ટન
  • શ્રી. ગોપાળ પારેખ

———————————————————————————–

તેમના પિતા શ્રી. શાંતિલાલ શાહની શીખ

         “ ભલે તમે સંધ્યા કરો, સંયમ સાધો, ધોળાં વસ્ત્રો પહેરો, વ્રત લ્યો કે મંદિરમાં નિયમિત દર્શન કરવા જાઓ , જાત્રા કરવા જાઓ, સંતસેવા, સત્સમાગમ કે ભક્તિ આદરો; પણ જ્યાં સુધી જીવન ઉચ્ચ અને નીતિમય બનાવ્યું નથી, અસત્યનો ત્યાગ કરીને સત્યનું પાલન કરવાનું વ્રત લીધું નથી ત્યાં સુધી ઇશ્વર દૂર જ છે…. પરોપકારવૃત્તિ રાખવી. દુઃખીનાં દુઃખ દૂર કરવા બનતું તો કરજો જ.”

એચ. એલ. ત્રિવેદી, Dr. H. L. Trivedi


HLTrivediવિશ્વભરમાં તબીબી ક્ષેત્રે માનવ કીડની ટ્રાન્સપાલન્ટ માટે જાણીતાં તબીબ.

– તેમનાં શૈક્ષણિક, વ્યવસાયિક જીવન અને પ્રકાશનોનો વિગતવાર હેવાલ

–  વિશ્વ કિડની દિવસે 50,000 નાગરિકોની નિઃશુલ્ક તપાસનું આયોજન.

–  ડૉ. એચ.એલ. ત્રિવેદીના માર્ગદર્શનમાં ૪૦૦ કિડની ટ્રાન્સપ્લાન્ટનો ર્રેકોર્ડ.

–   નેફ્રેટિસ નામક કિડનીને લગતાં રોગના ઉપચાર માટે સ્ટેમ સેલ પદ્ધતિ દ્વારા નિરાકરણ.

–  ડાયાબિટીસના દર્દીમાં સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન મેકિંગ અને રેગ્યુલેટરી સેલનું પ્રત્યારોપણ કરી દર્દીને ઇન્સ્યુલિન મુક્ત કરવાની શોધ.

#  કિડની મશીનનું ઉધાટન – એક ‘સરસ’ લેખ

# તેમના જીવન પર આધારિત નવલકથા વિશે લેખ ‘વેબ ગુર્જરી’ પર

# તેમના વિશેની એક સત્યઘટના – ડો શરદ ઠાકરની કલમે 

———————————————————————-

નામ

  • ડૉ. હરગોવિંદ લક્ષ્મીશંકર ત્રિવેદી

જન્મ

  • ૩૧ ઑગસ્ટ, ૧૯૩૨, ચરાડવા, તા. હળવદ, જી. સુરેન્દ્રનગર, ગુજરાત.

અવસાન

  • ૨, ઓક્ટોબર – ૨૦૧૯; અમદાવાદ

સંપર્ક

  • ઇન્સ્ટિ‌ટયૂટ ઓફ કિડની ડિસીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરના (આઇ.કે.ડી.આર.સી), ઈન્સ્ટીટ્યુટ ઑફ ટ્રાન્સ્પ્લાન્ટેશન સાઈન્સિઝ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસરવા, અમદાવાદ – ૩૮૦૦૧૬.

 કુટુંબ

  • માતા – શારદા, પિતા – લક્ષ્મીશંકર ત્રિવેદી
  • પત્ની – શારદા (સુનિતા) એચ ત્રિવેદી; સંતાનો – ?

 અભ્યાસ

  • પ્રિ-મેડિકલ, ધરમેન્દ્ર સિંહજી કોલેજ, રાજકોટ. (૧૯૫૩)
  • એમ.બી.બી.એસ, બી. જે. મેડિકલ કોલેજ, અમદાવાદ. (૧૯૬૩)
  • ઈ.સી.એફ.એમ.જી, (૧૯૬૩)
  • ૧૯૬૩ થી ૧૯૬૯ સુધી વિદેશોમાં વિવિધ તબીબી તાલીમ.

 વ્યવસાય

  • ૧૯૬૦ – ૧૯૬૨, અધ્યાપક, બી. જે. મેડીકલ કોલેજ, અમદાવાદ.
  • ૧૯૭૦ – ૧૯૭૭, અધ્યાપક અને સંચાલક, મેકમાસ્ટર યુનિવર્સટી, કેનેડા.
  • ૧૯૭૭ – ૧૯૮૧, અધ્યાપક, બી. જે. મેડીકલ કોલેજ, અમદાવાદ.
  • ૧૯૮૧ થી અધ્યાપક અને સંચાલક, ઇન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિસર્ચ (IKDRC), અમદાવાદ.

 

ડૉ. એચ.એલ. ત્રિવેદીના કાર્યને દર્શાવતી એક ડોક્યુમેન્ટરી.

 

ડૉ. એચ.એલ. ત્રિવેદી સાથે સંવાદ.

 તેમના વિષે વિશેષ

  • કુશાગ્ર બુદ્ધિમતતા અને એકાગ્રતા સાથે દેશ-વિદેશમાં ભણતર લીધું તથા વ્યવસાયિક અનુભવ મેળવ્યો.
  • કુશળ પ્રબંધક, સંશોધક અને શિક્ષક. વિદેશ છોડીને વતન પરત આવી દેશ અને સમાજ માટે જીવન સમર્પણ.
  • તેમની આત્મકથા “Tryst with Destiny” નો અનુવાદ ડૉ. શરદ ઠાકરે  ગુજરાતીમાં ‘પુરુષાર્થ પોતાનો: પ્રસાદ પ્રભુનો’ પુસ્તક લખીને કર્યો.

સન્માન

સાભાર

મોહનલાલ ધામી, Mohanlal Dhami


mdhami_1

–   વેબ સાઈટ

———————————————

સમ્પર્ક 

  • શ્રી વિમલકુમાર મોહનલાલ ધામી, વીરમણી, ૨, રામધામ સોસાયટી,હૈદરાબાદ બેંકની બાજુની શેરી,કાલાવડ રોડ, રાજકોટ – ૩૬૦૦૦૫

ઉપનામ

  • મૃદુલ, બાજીગર

જન્મ

  • ૧૩,જુન-૧૯૦૫; પાટણ

અવસાન

  • ૨,એપ્રિલ-૧૯૮૧; રાજકોટ

કુટુમ્બ

  • માતા– ?; પિતા-ચુનીલાલ
  • પત્ની-કાન્તા; પુત્ર –વિમલ

અભ્યાસ

  • ચોટીલામાં છ ધોરણ સુધીનો અભ્યાસ( હંટરમેન ટ્રેનિંગ કોલેજ)
  • ૧૯૨૮ –પાટણની ઉજમશી પીતાંબરદાસ આયુર્વેદિક કોલેજમાંથી ‘ આયુર્વેદ ભૂષણ’

વ્યવસાય

  • ૧૯૨૯– ચોટીલામાં દવાખાનું
  • ૧૯૩૭ થી– રાજકોટમાં દવાખાનું

mdhami_3

mdhami_2

mdhami_4

તેમના વિશે વિશેષ

  • બંગાળી, હિન્દી, વ્રજ, સંસ્કૃત, પ્રાકૃત, ઉર્દૂ, મરાઠી વગેરે અનેક ભાષાઓનું જ્ઞાન તેમણે પાટણમાં રહીને મેળવ્યું હતું.
  • માત્ર ૧૮ વર્ષની વયે તેમણે ‘ આત્મ વિનોદ ‘ નામનો કાવ્ય ગ્રંથ લખ્યો છે
  •  તેમણે લખેલ રાણકદેવી, જસમા ઓડણ, હોથલ પદમણી, ભક્ત પૂંડરીક, વગેરે નાટકો રંગભૂમિ પર ભજવાયાં હતાં.
  • લોકસંગીત રજુ કરવા તેમની કેટલીક રેકોર્ડ પણ બહાર પાડી હતી.
  •  તેમણે પત્રકારત્વ ક્ષેત્રે ‘કોકિલ’ નામનું સામાયિક પ્રકાશિત કર્યુ હતું. તેઓ આરોગ્ય વિષયક, તંત્રીલેખ, વગેરે પણ લખતાં.
  • તેમનાં અગ્રલેખ કટાક્ષયુક્ત અને તેજ રહેતાં.
  • આઝાદીની ચળવળ દરમ્યાન તેમને ગાંધીજીનો રંગ પણ લાગ્યો હતો અને તેઓ ખાદી પહેરતાં થયાં. તેમનો પહેરવેશ જીવનભર ખાદીનો ભગવો ઝભ્ભો અને ધોતિયું રહ્યાં હતાં. સત્યાગ્રહ કરવાં માટે તેમણે વિસાપુરની જેલમાં ત્રણ દિવસની જેલ પણ ભોગવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની સૂચનાથી તેમણે એક હરતું ફરતું પ્રદર્શન પણ કાઢ્યું હતું અને મહારાષ્ટ્રના ગામડાંઓમાં ફર્યા હતાં.
  • રવીન્દ્રનાથ ટાગોર અને સૌરેન્દ્રમોહન મુખોપાધ્યાયથી ઘણા પ્રભાવિત હતા.

હોબી

  • સંગીત

રચનાઓ

  • નવલકથા ( ૧૫૦ ) -રૂપકોશા, બંધન તૂટ્યાં, રૂપગર્વિતા, પૌરવી, ભેદની ભીતરમાં વિ.
  • કાવ્ય – રાસકટોરી( ત્રણ ભાગ – વિનોદ, વેદના, વંદના)
  • સ્મરણ માધુરી – એમના ચૂંટેલા લખાણોનો સંગ્રહ
  • અનુવાદ( બંગાળીમાંથી) – નિરૂપમા, પારુ, મુક્તપંખી વિ.

સાભાર

  • ગુજરાતી સાહિત્યકોશ
  • તેમના પુત્ર વિમલે બનાવેલ વેબ સાઈટ પરથી

રઈશ મનિયાર, Dr. Raeesh Maniar


પન્નીને પહતાય તો કે’ટો ની.
વાહણ જો અથડાય તો કે’ટો ની.

દરિયો જ શાંત હોય એ પૂરતું નથી ‘રઈશ’,
ક્યારેક માત્ર નાવમાં ઉત્પાત હોય છે.

—-

હવાના હાટ પવનની દુકાન રાખે છે
અહીંના લોક વતનની દુકાન રાખે છે
કે હુલ્લડોની જે અફવા અહીં ઉડાવે છે
ગલીના નાકે કફનની દુકાન રાખે છે

તેમની રચનાઓનો   # મોટો ખજાનો

———————————————————–

સમ્પર્ક

  • ઈમેલ – amireesh@yahoo.com

જન્મ

  • ૧૯ , ઓગસ્ટ, ૧૯૬૬, કિલ્લા પારડી, જિ. વલસાડ

કુટુમ્બ

  • માતા– ? પિતા -?
  • પત્ની – ડો. અમી

અભ્યાસ

  • એમ.ડી., ડી.સી.એચ (બાળદર્દ, પેડિયાટ્રિક)

વ્યવસાય 

  • બાળ માનસશાસ્ત્રી

સાભાર – ‘લયસ્તરો’

Raeesh_Maniar

સરસ સંવાદક/ સંચાલક

 

તેમના વિશે વિશેષ

  • ડોક્ટર કવિ હોવા ઉપરાંત અનેક મુશાયરાઓ, કવિ સમ્મેલનો, સંગીતના કાર્યક્રમોના લોકપ્રિય સંચાલક
  • અખબારોમાં કટાર લેખન
  • ટીવી, રેડિયો પર કાર્યક્રમો આપ્યા છે.
  • અનેક વખત વિદેશમાં કાવ્યપઠનના કાર્યક્રમો
  • ‘ કૈફી આઝમી’ પુસ્તકનું વિમોચન અમિતાભ બચ્ચનના હસ્તે

તેમના વિચારો

  • ખ્યાતિની અભિલાષા એવો પોશાક છે જે જ્ઞાની પુરૂષો પણ છેલ્લે જ ઉતારે છે.
  • વિશ્વભરના માનવીઓમાં રહેલી એકરૂપતા નિહાળી, ધર્મ, સમ્પ્રદાય કે દેશ વચ્ચેના ભેદમાં માનવું નહીં.
  • માનવમાત્રની સમાનતાઓ સમજી…નાનાં મોટાં દરેકને સન્માન આપવું.
  • દરેકનું મન્તવ્ય સમજવું; એનો આદર કરવો.
  • દુનિયા જેવી છે, તેવી સ્વીકારવી. દરેક બાબતે ન્યાય તોળવો નહીં. આપણું જ ધારેલું થાય, તેવો આગ્રહ રાખવો નહીં.
  • જાતને સ્વીકારવી, જાતને ચાહતાં રહેવું.
  • પોતાની આવડતથી અનેકગણાં મોટાં સ્વપ્નાં જોવા નહીં.
  • આપણા ગુણો, વિશેષતાઓ પ્રકૃતિદત્ત હોય છે; એનું અભિમાન ન રાખવું.
  • આપણા ગુણ આપણા બાયોડેટામાં નહીં – આપણા કર્મમાં દેખાવા જોઈએ.

રચનાઓ 

  • કાવ્ય સંગ્રહો – કાફિયાનગર, શબ્દ મારા સ્વભાવમાં જ નથી, સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી, નિહાળતો જા, પન્નીએ પહતાય તો કેટો’ની ( હઝલો)
  • અનુવાદો – કૈફી આઝમી, જાવેદ અખ્તર, તરકસ, સાહિર લુધિયાનવી, આવો કે સ્વપ્ન વાવીએ કોઈ
  • જીવન ચરિત્ર – ‘મરીઝ’ અસ્તિત્વ અને વ્યક્તિત્વ
  • પિંગળ – ગઝલ- રૂપ અને રંગ
  • બાળ મનોવિજ્ઞાન – બાળઉછેરની બારાખડી, આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ? , તમે અને તમારું નિરોગી બાળક

સન્માન

  • ૨૦૦૦ – આઈ.એન.ટી. તરફથી ‘શયદા’ પુરસ્કાર – યુવા ગઝલકાર તરીકે
  • ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ
  • ૨૦૦૨ – ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પુરસ્કાર

સાભાર

યાજ્ઞવલ્ક્યાનંદજી


yagyavlakanandji.jpg” અધ્વર્યુજીની મહત્વાકાંક્ષા તેમના દર્દીઓની અંદરની આંખો પણ ઊઘડે તે હતી.
તેમનું આ મિશન બધા ધર્મ અને કર્મ સાથે જ પ્રકાશ ફેલાવે છે. ”

– મનુભાઇ પંચોળી – દર્શક

 #  રચના  :  વેબ સાઇટ

_________________________________________________________________________
Read more of this post

%d bloggers like this: