રણછોડભાઈ રબારી [ 1901 – 2013] જે રણછોડ પગી તરીકે ઓળખાય છે.
રણછોડભાઈ રબારી પાકિસ્તાનના થરપારકર જીલ્લાના પેથાપુર ગઢડો ગામમાં જન્મ થયો હતો અને ત્યાં જ મોટા થયા.
ભાગલા બાદ પાકિસ્તાની સૈનિકોના ત્રાસથી પાકિસ્તાનમાં આવેલા પેથાપુર ગથડો ગામમાં જમીન અને પશુ હતાં તે છોડીને રણછોડભાઇ રબારી બનાસકાંઠાના વાવના રાધાનેસડા ગામમાં શરણાર્થી તરીકે આવ્યા.
બાદમાં મોસાળના લિંબાળા ગામમાં સ્થાયી થયા હતા.
બનાસકાંઠા જીલ્લાની સુઈગામ તાલુકા મથક છે. સુઇગામ કચ્છના રણથી 10 કી.મી. દૂર નાની ટેકરી પર વસેલું છે. આ ગામ રણથી પેલે પાર આવેલા થરપારકર જવા માટેનું શરૂઆતનું ગામ છે.
ગામથી ૩૫થી ૪૦ કિ.મી. પર ભારતની સીમા પુરી થાય છે. એ જગ્યાએ સીમા સુરક્ષા દળની ચોકી આવેલ છે.
સુઈગામ પોલીસ મથક બનાસકાંઠા જિલ્લાનું સહુથી સંવેદનશીલ પોલીસ મથક મનાય છે. સુઈગામ પોલીસ હદનો વિસ્તાર છેક ઝીરો લાઈન સુધી છે. એટલે પગીને ફૂટ પેટ્રોલિંગ દ્વારા અનેક કિલોમીટર સુધીની ગસ્ત લગાવવી પડે છે.
પાકિસ્તાનથી સીમાનું ઉલંઘન કરીને આવતા પગપાળા ઘુસણખોરી, ચોર લુંટારાઓનો ત્રાસ ભોગવતું સુઈગામનો વિસ્તાર હતો.
રણછોડભાઈ રબારીપાકિસ્તાન સીમાની અંદરનો ખબરી, પગલાંઓને પારખવાના નિષ્ણાત તરીકે પંકાયેલ હતો.
બનાસકાંઠા પોલીસે રણછોડભાઈ રબારીને સૂઇગામ પોલીસના પગી તરીકે નિમણૂક કરી હતી.
વાસ્કો ડી ગામાને અંતરીયાળ દરિયામાં રાહ દેખાડનાર કચ્છ માંડવીનો પછી ખંભાતનો કાનો માલમ અધવચ્ચે દરિયામાં મળી ગયો હતો, તેવી જ રીતે સુઈ પોલીસ સ્ટેશનને ખબરી, પગેરાં પારખું, રણનો ભોમીયો, પગલે પગલે ચોર ઘુંસણખોરો સુધી પહોંચાડનાર અને સરહદ ઉપર અને સરહદ પાર પાકિસ્તાનીઓની હીલચાલનો ખબરી આપનારો જાંબાજ રબારી મળી ગયો.
હવે રણછોડભાઈ રબારીની સેવા ચાલુ થાય છે.
[૧] જેમણે ભારત પાકિસ્તાનના યુદ્ધોમાં ભારતીય ભૂમી સેનાને યુધ્ધોમાં ભોમિયા તરીકે મદદ કરી.
[૨] ભારત-પાકિસ્તાનના ૧૯૬૫ના યુદ્ધ પહેલા પાકિસ્તાની લશ્કરે કચ્છ વિસ્તારના ઘણાં ગામોનો કબજો કરી લીધા હતા.
[૩] રણછોડભાઈએ આ વિસ્તારોની મુલાકાત લઇને ગ્રામ્યજનો અને પોતાના સંબંધીઓ પાસેથી મહત્વની જાણકારી મેળવીને ભારતીય સૈન્યને અદભૂત જાણકારી આપી.
[૪] રણછોડભાઈ પગીએ પગના પગલાં, પગલાંની એડીના નિશાનોથી ગુનેગારોની હરકત તેમની વર્તણૂક અને તે કેવા પ્રકારની વ્યક્તિ છે તેની કોઠાસુજથી ઓળખ કરી લેતા.
[૫] 1965ના યુધ્ધ વખતે રણછોડભાઈ પગી ભારતીય સેનાની મદદે આવ્યા.
[૬] ભારત-પાકિસ્તાન વચ્ચે ઈ.વ. ૧૯૬પમાં યુદ્ધ થયું ત્યારે કચ્છ સરહદનું વીઘાકોટ થાણું પાકિસ્તાને કબજે કરી લીધુ હતુ.
[૭] ત્યારે ભારતીય સૈન્યના ઘણા જવાનો શહીદ થઇ ચુક્યા હતા.
[૮] જેથી ભારતીય સૈન્યની બીજી ટુકડીને માત્ર ત્રણ દિવસમાં રણમાર્ગે નજીકના જ છારકોટ પહોંચવુ હતુ.
[૯] ત્યારે રણમાર્ગના ભોમિયા રણછોડ પગી ભારતીય સેનાની મદદે આવ્યા હતા અને સેનાના કાફલાને સમયસર છારકોટ પહોંચાડ્યો હતો. છારકોટ પહોંચતા જ ભારતીય સૈન્યએ પાકિસ્તાન ઉપર હુમલો કરી દીધો.
[૧૦] રણના માર્ગોથી પરિચિત રણછોડભાઈ રબારીએ યુદ્ધ સમયે વિઘાકોટમાં છૂપાયેલા પાકિસ્તાનના ૧૨૦૦ સૈનિકોની જાણકારી ભારતના સેનાને પહોંચાડી હતી.
[૧૧] જેથી સૈન્યએ કાર્યવાહી કરીને 1200 પાકિસ્તાની સૈનીકોને મારી વિજય પ્રાપ્ત કર્યો હતો.
[૧૨] તેમણે સેનાને કરેલી આ મદદે એક સાચા દેશભકત તરીકેની છાપ ઉપસી આવી હતી.
[૧૩] ફરી પાછું 1971ના યુધ્ધમાં રણછોડભાઈ પગીએ તો કમાલ કરી દીધી.
[૧૪] ૧૯૭૧ના યુદ્ધમાં રણછોડભાઈ ‘પગી’ એ બોરિયાબેટથી ઊંટ ઉપર પાકિસ્તાનમાં જઇ ત્યાં આવેલા ધોરા વિસ્તારમાં છૂપાયેલા પાકિસ્તાનના સૈન્યની માહિતી ભારતીય સૈન્યને પહોંચાડી હતી.
[૧૫] જેથી ભારતીય સૈનિકોએ ધોરા ઉપર કૂચ કરી આક્રમણ કરી દીધુ.
[૧૬] આ સમયે કરાયેલા હુમલામાં બોમ્બમારો ચાલુ હતો, ત્યારે ભારતીય સૈન્ય પાસે દારૂગોળો ખૂટી ગયો હતો.
[૧૭] જેથી ભારતીય સૈન્યની પ૦ કિ.મી. દુરની બીજી છાવણીમાંથી રણછોડ પગીએ ઊંટ ઉપર દારૂગોળાનો જથ્થો લાવીને સૈન્યને પહોંચાડ્યો હતો.
[૧૮] રણછોડભાઈએ સમયસર દારુગોળો પહોંચાડતાં ભારતીય હવાઇદળના ફાઇટર વિમાનોએ ધોરા અને ભાલવાના થાણા કબજે કરી લીધા હતા.
[૧૯] જો કે, રણછોડભાઈ રબારી સમયસર ઊંટ ઉપર દારૂગોળો પહોંચાડવા જતાં પોતે ઘવાયા હતા.
[૨૦] રણછોડભાઈ રબારીના પ્રયત્નોથી ઈ.વ. ૧૯૬૫ અને ૧૯૭૧માં થયેલા યુદ્ધ વખતે આપણા ૧૦ હજાર થી વધારે જવાનોની બટાલિયનને બચાવી લેવાયા હતા.
[૨૧] રણછોડભાઈ રબારી ઉપરાંત બીજા ધનજીભાઈ રબારી પગી તરીકે હતા તેમણે પણ દેશભક્તિ અને પગી તરીકેની કામગીરી તથા સૈન્યને મદદ કરવામાં મોટું નામ છે. પગેરાં શોધવામાં અને લશ્કરને મદદ કરવામાં ધનજીભાઈ રબારીએ અનેક જગ્યાએ રણછોડભાઈની સાથે હતા.
રણછોડભાઈ રબારીની ઓળખ :
[૧] આખું નામ રણછોડભાઈ સવાભાઈ રબારી.
[૨] સૌથી પહેલાં સુઈ ગામની પોલીસ ચોકીમાં પગી તરીકે નીમણુંક પામ્યા.
[૩] ત્યાર બાદ તેમના પુત્ર માનજીભાઈ રબારી સુઈગામ પોલીસમાં પોલીસ પગી તરીકે સેવા આપી ચુક્યા છે.
[૪] અત્યારે સુઈગામ પોલીસ મથકમાં પોલીસ પગી તરીકે રણછોડભાઈ પગીના પૌત્ર એવા મહેશ પગી સેવા આપી રહ્યા છે.
[5] રણછોડભાઈ રબારીએ આપણા લશ્કરના જનરલ માણેકશા માનીતા અને તે રણછોડભાઈ ને લશ્કરનો હીરો કહેતા.
[6] જનરલ માણેકશાનો સિવિલિયનો સાથે પ્રસ્નલ સબંધ વ્યવહારો ઓછા હતા પણ તેણે ઢાકામાં પોતાની સાથે ડીનર માટે રણછોડભાઈ રબારીને આમંત્રિત કર્યા હતા.
[7] રણછોડભાઈ રબારી ઢાકામાં જનરલ માણેકશા સાથે ડીનર લેવા ગયા ત્યારે તે પોતાની સાથે ઘરનો રોટલો લેતા ગયા હતા. તે રોટલો ઢાકામાં જનરલ માણેકશા અને પોતે સાથે જમ્યા હતા.
[9] તેમને પોલીસ અને સીમા સુરક્ષા દળ બંને દ્વારા ઘણી વખત સન્માનિત કરવામાં આવ્યા હતા.
[10] ભારતની(બીએસએફ) તેમના નામ પરથી એક ચોકીનું નામ રણછોડભાઈ રબારી પગી ચોકી રાખ્યું છે.
[11] હંમેશાં ખુમારીભર્યું જીવન જીવવા માટે જાણીતા રબારી રણછોડભાઈ પગીને કેટલાય સંન્માન અને તેની પાસે બે-ત્રણ મેડલ છે.
[12] કાચી માટીના ખોરડા-મકાનમાં રહેતા હતા તે સિવાય તેમની પાસે કશું જ ન હતુ.
[13] રણછોડભાઈ રબારીએ ઈ.વ. 2009માં સેવા નિવૃત્તિ લીધી.
લગ્ન – 1882 – ચાર રાણીઓ સાથે ; પટરાણી – નંદકુંવરબા ( પડદાના રિવાજને તોડનાર, મહિલાઓની ઉન્નતિ સાધવાના તેમના પ્રયાસો માટે મહારાણી વિક્ટોરિયાએ તેમને ‘ક્રાઉન ઓફ ઇન્ડીયા’ નો ખિતાબ આપેલો હતો. ) સંતાનો – ભોજરાજસિંહ, ભૂપતસિંહજી, કિરીટસિંહજી, નટવરસિંહજી, બાકુંવરબા , લીલાબા, તારાબા.
અભ્યાસ
નવ વર્ષની ઉંમરે રાજકોટની રાજકુમાર કોલેજમાં
1987 – સ્કોટલેન્ડ ની એડિનબરો યુનિવર્સિટીમાંથી એલ.એલ.ડી (ડોકટરી અભ્યાસ)
1890 – એડિનબરોમાંથી એમ.બી.સી.એમ અને એમ.આર.સી.પી.
1895 – એડિનબરો રોયલ કોલેજમાંથી એફ. આર. સી. પી. અને એમ. ડી -આયુર્વેદ ના સંક્ષિપ્ત ઇતિહાસની શોધખોળ માટે
વ્યવસાય
રાજકર્તા
મૂખ્ય કૃતિઓ
ભગવદ્ ગોમંડલ – નવ ભાગ – ગુજરાતી વિશ્વકોષ
જીવન ઝરમર
1884– 25 ઓગસ્ટ રાજ્યાભિષેક
1930-33 – કરોડો રૂપિયાના લોકોપયોગી કાર્યો – પુલો, નિશાળો, રસ્તા, ધોરાજી અને ઉપલેટામાં જળી, ટ્રામની સગવડ; ગોંડલ, ધોરાજી અને ઉપલેટા દેશનાં શ્રેષ્ઠ શહેરો ગણાયા; ગોંડલ અને મોવિયા ગામને સાત ટાંકીમાંથી શુદ્ધ પાણી, ગોંડલમાં તે જમાનામાં અન્ડર ગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા, અન્ડર ગ્રાઉન્ડ વીજળીનું પ્લાનીંગ અને રાજ્યનાં તમામ ગામડાંઓ ગોંડલ સાથે ટેલિફોનથી જોડાયેલાં હતાં,
શિક્ષણ ક્ષેત્ર – કન્યા કેળવણી મફત અને ફરજિયાત બનાવી
વૃક્ષપ્રેમ – ગોંડલ સ્ટેટ ના રસ્તાઓની બંને બાજુએ અસંખ્ય વૃક્ષો વવડાવ્યાં હતાં, પરિણામે વટેમાર્ગુ વૃક્ષોની શીતળ છાયા હેઠળ આરામથી મુસાફરી કરી શકતો.
પુસ્તક પ્રકાશન – કોઇ પણ ભારતીય ભાષામાં ન હોય તેવા ભગવદ્દગોમંડલના કુલ નવ દળદાર ગ્રંથોના 9870 જેટલા વિશાળ પૃષ્ઠોમાં વિશ્વકોશ જેવી કક્ષાની ભારતીય સંસ્કૃતિની માહિતીનો સંગ્રહ.
ગોંડલ સ્ટેટ નુ રાજ ચિહ્ન
સન્માન
1897 – મહારાણી વિક્ટોરિયાની ડાયમંડ જ્યુબિલીમાં કાઠીયાવાડના રાજાઓના પ્રતિનિધિ તરીકે હાજરી અને જી.સી.આઇ.ઇ. નો ઇલકાબ
1934 – તેમના રાજ્યકાલના પચાસ વર્ષ પૂરા થતાં, પ્રજાએ પોતાના ખર્ચે તેમની સુવર્ણતુલા કરી, સોનું એકઠું કર્યું હતું જે જાહેર કામો માટે વાપરવામાં આવ્યું હતું.
ગોંડલનું ‘ વિહારી’ કૃત રાજગીત :
ગોંડલિયું ગોકુળ અમારું ગોંડલિયું ગોકુળ, નંદનવન અણમોલ – વૃંદાવન શાં ગામડા ગુંજે, સંસ્કારે સોહાય, ગોંદરે ગોંદરે શારદા મંદિર બાલવૃંદ વિલસાય. સારાયે સૌરાષ્ટ્રનું અંતર, ઇશ્વરે આ નિર્મેલ, નીર નિરંતર વહે અખંડિત, ગોરસ રસની રેલ. કૃષ્ણકૃપા છે કણ કણસલે મઘુવન મીઠાં વૃક્ષ, કુંજ નિકુંજ શાં ખેતર વાડી સુંવાળાં સુરક્ષ. રિદ્ધિ સિદ્ધિ શ્રી ભગવતની સુખ-શાંતિનાં રાજ્ય, પશુ પંખીજન ઝાડને પણ જ્યાં અભયનાં સામ્રાજ્ય.
૧૯૨૧થી લાલા લજપત રાયે સ્થાપેલ ‘ભારતીય લોકસેવક મડળ'( Servants of India society) ના પ્રમુખ
૧૯૩૦ – – ૩૨ સામાજિક બહિષ્કારની ચળવળમાં આગળ પડતો ભાગ
બારડોલી સત્યાગ્રહમાં ભાગ
૧૯૪૨ – ‘ભારત છોડો’આંદોલનમાં સક્રીય અને નેતાગીરીનો ભાગ લેતાં ત્રણ વર્ષ જેલવાસ, કુલ સાત વર્ષ જેલમાં ગાળ્યા.
જવાહરલાલ નહેરૂ રાષ્ટ્રીય કોન્ગ્રેસના પ્રમુખ હતા, તે વખતે કોન્ગ્રેસના જનરલ સેક્રેટરી
૧૯૪૯/ ૧૯૫૭ – ગોહિલવાડ( ભાવનગર) ની બેઠક પરથી લોકભાની ચુટ્ણીમાં ચુંટાયા. લોકસભાની અંદાજ સમિતિના અધ્યક્ષ
૧૯૫૭ – ભારત સરકારે નીમેલી ‘ સામાજિક વિકાસ’ માટેની સમિતિના અધ્યક્ષ. તે સમિતિએ બનાવેલ અહેવાલના આધારે પંચાયતી રાજ’નો ખરડો લોકસભામાં પસાર થયો. આ કારણે તેમને પંચાયતી રાજના સ્થપતિ ગણવામાં આવે છે.
૧૯૬૩ – ગુજરાત રાજ્યના બીજા મુખ્ય મંત્રી પદે સત્તારૂઢ
૧૯૬૫ – ભારત / પાકિસ્તાન યુદ્ધ વખતે મીઠાપુરથી કચ્છની સરહદ તરફ તેમને લઈ જતા ભારતીય લશ્કરના વિમાનને પાકિસ્તાનના લશ્કરી વિમાને તોડી પાડતાં, પત્ની અને વિમાન ચલાવતા પાયલોટ અને સહાયક સ્ટાફ સાથે અવસાન
સન્માન
૧૯, ફેબ્રુઆરી – ૨૦૦૦ તેમની જન્મ શતાબ્દિ નિમિત્તે ટપાલ ટિકિટ
‘મારા જીવનમાં પ્રાણજીવન મહેતા કરતાં વધારે નજીકનો કોઈ મિત્ર નથી.’
– ગાંધીજી
During my last trip to Europe I saw a great deal of Mr. Gandhi. From year to year (I have known him intimately for over twenty years) I have found him getting more and more selfless. He is now leading almost an ascetic sort of life–not the life of an ordinary ascetic that we usually see but that of a great Mahatma and the one idea that engrosses his mind is his motherland.
‘You may not perhaps be knowing for whom I wrote ‘Hind Swaraj’. The person is no more and hence there is no harm in disclosing his name. I wrote the entire Hind Swaraj for my dear friend Dr. Pranjivan Mehta. All the argument in the book is reproduced almost as it took place with him.’
Gandhiji
– 21 February 1940 at a meeting of the Gandhi Seva Sangh)
‘ગુર્જરી ડાઈજેસ્ટ’ – ઓક્ટોબર – ૨૦૧૪ માં પ્રકાશિત લેખ…
બર્મા સોશિયલ સર્વિસ લીગ ના સ્થાપક અને ઘણા સમય સુધી સેક્રેટરી
બર્માની સ્વતંત્રતા માટે લડતા રાષ્ટ્રવાદીઓને ઉત્તેજન
૧૯૦૬ – એન્ગ્લો- ગુજરાતી અઠવાડિક ‘ યુનાઈટેડ બર્મા’ ની સ્થાપના, જેના તંત્રી વી. મદનજિત હતા. દલિત લોકોની સેવા અને સ્વદેશીની હિમાયત તેનો મુદ્રાલેખ હતો.
દક્ષિણ ભારતના અર્થશાસ્ત્રીની મદદથી બર્મામાં ટ્રેડ યુનિયન સ્થાપવાની શરૂઆત કરી. રંગૂન બંદરના કામદારોની ચળવળને સક્રીય ટેકો આપી ઘણી મોટી આંતરરાષ્ટ્રીય કમ્પનીઓમાં અળખામણા બની ગયા.
૧૯૧૫ – ભારતીય નેશનલ કોન્ગ્રેસના મુંબાઈ ખાતેના અધિવેશનમાં હાજરી આપી અને સાબરમતી આશ્રમની સ્થાપના માટે સક્રીય સહકાર અને મદદ આપ્યાં.
૧૯૧૭-૧૮ બર્માની રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓમાં સક્રીય ફાળો જેના કારણે તે વખતના બર્માના લેફ્ટેનન્ટ ગવર્નર ક્રેડોકે તેમને એક અઠવાડિયામાં બર્મા છોડી દેવા ફરમાન કર્યું હતું. મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા તે કારણે, બર્માના અન્ય વગદાર આગેવાનો વચ્ચે પડવાના કારણે અને પ્રચંડ લોક લાગણીના કારણે એ ફરમાન પાછું ખેંચી લેવું પડ્યું હતું.
૧૯૧૯ – સ્થાનિક સ્વરાજ માટે ના બર્માના ડેપ્યુટેશન સાથે બ્રિટનનની મુલાકાતે – સાથે ભારતીય નેશનલ કોન્ગ્રેસને માટે પણ ત્યાં સક્રીય કામગીરી.
૧૯૨૦ – ૨૧ અત્યંત નાદુરસ્ત તબિયતના કારણે બ્રિટન અને યુરોપમાં તબીબી સારવાર ૧૯૨૬/ ૧૯૨૯ – બે વખત ભારતની મુલાકાત. પણ લથડતી જતી તબિયતના કારણે તેમનું જાહેર જીવન સંકેલાઈ ગયું હતું.
૧૯૩૨ – ઘરમાં ચાલતાં પડી જવાના કારણે થયેલી ઈજામાંથી સેપ્ટિક થઈ જતાં અવસાન.
ગાંધીજી સાથે
૨૯, સપ્ટેમ્બર – ૧૯૮૮ ગાંધીજીના લન્ડનમાં પહેલા દિવસે, વિક્ટોરિયા હોટલ, ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે બન્ને વચ્ચે પહેલી મુલાકાત, આ અગાઉ પણ બન્ને વચ્ચે પત્ર વ્યવહાર ચાલુ હતો.
ગાંધીજીના લન્ડનમાં શરૂઆતના સમયમાં તેમને મોટાભાઈની જેમ મદદ અને દોરવણી.
૧૯૯૧ – ગાંધીજી બેરિસ્ટર બનીને દેશ પાછા આવ્યા, ત્યારે મુંબાઈના તેમના ઘેર રહ્યા હતા, અને ત્યાં જ ગાંધીજીને શ્રીમદ રાજ ચન્દ્રનો પરિચય થયો હતો. બન્ને વચ્ચે નિકટતા પણ આ સમયે જ સ્થપાઈ.
૧૯૨૦ પછી ગાંધીજીની મુંબાઈ ખાતેની પ્રવૃત્તિનું કેન્દ્ર, મણીભુવન – તેમના મોટા ભાઈ – રેવાશંકરે બંધાવ્યું હતું. ( અત્યારે તેમાં ગાંધી સંગ્રહાલય છે.)
તેમના બીજા મોટાભાઈ પોપટ ભાઈના દીકરી શ્રીમદ રાજચન્દ્રનાં પત્ની હતાં. ( શ્રીમદ રાજચન્દ્રની ઘણી મોટી અસર ગાંધીજીના અહિંસા અંગેના વિચારો પર પડી હતી.)
૧૮૯૮ ના અંત ભાગમાં – ગાંધીજી દક્ષિણ આફ્રિકાની ચળવળ અંગે ભારતમાંથી સહકાર મેળવવા આવ્યા , ત્યારે મુંબાઈમાં તેમના ઘેર જ રહ્યા હતા.
પ્રાણજીવન મહેતા પણ લન્ડનથી પાછા વળતાં કેપ ટાઉન રોકાયા હતા અને ડર્બનમાં ગાંધીજીને મળવા ગયા હતા. આ મુલાકાતો દરમિયાન ગાંધીજીની નિસ્વાર્થ વૃત્તિ અને સમાજ સેવાની ધગશનો અંદાજ તેમને આવી ગયો હતો.
૧૯૦૨ – આફ્રિકા બીજી વાર જતાં પહેલાં ગાંધીજી રંગૂનની મુલાકાતે ગયા હતા, અને તેમની સાથે એક અઠવાડિયું રહ્યા હતા.
ગાંધીજીની એ મુલાકાત દરમિયાન તેમણે પ્રાણજીવન મહેતા સાથે ભારતના સ્વાતંત્ર્ય અંગે વિચારોની આપલે કરી હતી, જે ગાંધીજીના બહુ જાણીતા લેખ ‘ હિન્દ સ્વરાજ’નું મૂળ હતું.
ગાંધીજી સાથેના એ વિચાર વિમર્શ બાદ તેમણે તે વખતના ભારતીય નેશનલ કોન્ગ્રેસના સર્વે સર્વા ગોપાલ કૃષ્ણ ગોખલે સાથે પત્ર વ્યવહાર કર્યો હતો, જેમાં ગાંધીજીને ભારતના સ્વરાજના ભાવિ શિલ્પી અને ‘મહાત્મા’ તરીકે ઉલ્લેખ કર્યો હતો, એટલું જ નહીં પણ સમસ્ત માનવજાતને નવી દોરવણી આપી શકે તેવા મસીહા તરીકે ગાંધીજીનો ઉલ્લેખ કર્યો હતો.
આ જ રીતે તેમણે ગાંધીજીને ભારતના સ્વરાજ માટે નેતૃત્વ લેવા ભાર પૂરક સૂચવ્યું હતું, ફિનિક્સ આશ્રમમાં ભારતના સ્વયંસેવકોને સત્યાગ્રહની તાલીમ આપવાનો બધો ખર્ચ ભોગવવા પણ તેમણે તૈયારી બતાવી હતી. આ ઉપરાંત ગાંધીજીની આફ્રિકા ખાતેની કામગીરી અંગેના અને તેને સંબંધિત પ્રકાશનોના પ્રસાર માટેનો પૂરો ખર્ચ ઊઠાવવાનું પણ તેમણે કબૂલ્યું હતું.
ગાંધીજીના અંગત ખર્ચ અંગેની બધી જવાબદારી તેમણે પોતાને શીરે લેવા કબૂલ્યું હતું.
૧૯૧૧ – ગાંધીજીનું સૌથી પહેલું જીવન ચરિત્ર તેમણે લખ્યું હતું.
ભારતીય જીવન પદ્ધતિ અંગેનું તેમના બાજા પુસ્તક Hindu Social Ideals પુસ્તકમાં તેમણે ગાંધીજીના ફિનિક્સ આશ્રમ ખાતેના સત્યના પ્રયોગોનો ઉલ્લેખ કર્યો હતો.
૧૯૧૫ – ગાંધીજી હમ્મેશ માટે ભારત પાછા આવ્યા બાદ. ગોખલેના અવસાન બાદ તેમને સર્વન્ટસ ઓફ ઇન્ડિયા સોસાયટીના સામાન્ય સભ્ય તરીકે સ્વીકારવા પણ કોઈ તૈયાર ન હતું, તે વખતે ગાંધીજી આઠ દિવસ માટે રંગૂન ગયા હતા. પ્રાણજીવન મહેતાએ તેમને ઉદાર રીતે નાણાંકીય સહાય કરી હતી. એમ ન કર્યું હોત તો ગાંધીજી મોટા કુટુમ્બની અંગત જવાદારીઓ અદા કરવામાંથી જ દટાઈ ગયા હોત.
અમદાવાદમાં કોચરબ આશ્રમ સ્થાપવાની પૂરી જવાબદારી તેમને ઊઠાવી હતી.
૧૯૨૦ – દાંડી કૂચના દસ વર્ષ પહેલાં ગરીબ પ્રજાની કમર તોડી નાંખતા મીઠા પરના કર સામે આંદોલન ચલાવવા તેમણે ગાંધીજીને સૂચવ્યું હતું.
૧૯૨૯ની ગાંધીજીની બર્માની મુલાકાત વખતે નાજૂક તબિયત છતાં તેમની સાથે સતત રહ્યા અને ફર્યા હતા.
રચનાઓ
K. Gandhi and the South African Indian Problem
Hindu Social Ideals
તેમના જીવન વિશે અભ્યાસ પૂર્ણ પુસ્તક – Mahatma and the doctor – Shri S.R. Mehrotra
૧૯૪૮ – ભારત સ્વતંત્ર બન્યા બાદ વડોદરા રાજયના દિવાન
by Bassano, half-plate glass negative, 9 November 1931
by Bassano, half-plate glass negative, 9 November 1931
તેમના વિશે વિશેષ
મેડિકલ શિક્ષણ માટે શેઠ વી.એમ. કપોળ બોર્ડિંગ ટ્રસ્ટની સ્કોલરશીપ, તે શિક્ષણ માટે, બ્રિટિશ મેડિકલ સર્વિસના ઓફિસરો આગળ બહુ કપરી પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી. એના છેલ્લા વર્ષમાં આઠમાંથી સાત ઈનામો મેળવ્યા હતા, અને આઠમું પણ હોસ્ટેલના સાથી સાથે પ્રાપ્ત કર્યું હતું.
લન્ડનમાં અભ્યાસ માટે ટાટા એજ્યુકેશન ફાઉન્ડેશનની સ્કોલરશીપ
૧૯૦૯- ૧૯૧૫ – લન્ડન ખાતે નિવાસ, ત્યાં ભારતીય વિદ્યાર્થીઓના મડળના પ્રમુખ હતા. ૧૯૧૪માં એમ.ડી.ની પરીક્ષામાં યુનિ.નો ગોલ્ડ મેડલ મળ્યો હતો.
લન્ડનની રોયલ કોલેજ ફોર ફિઝિશિયન્સના સભ્ય.
દેશમાં આવ્યા પછી, થોડાક સમય માટે ગાંધીજીના અંગત ડોક્ટર રહ્યા
સ્વતંત્રતાની ચળવળમાં પહેલેથી રસ હતો, અને બે વખત સત્યાગ્રહમાં ભાગ લેવા માટે જેલમાં ગયા હતા
સ્વતંત્રતા મળ્યા બાદ થોડોક વખત વડોદરા રાજ્યના દિવાન
૧૯૪૮ – ભારતના નવા તંત્રમાં ડિરેક્ટર જનરલ ઓફ મેડિસિન
૧૯૬૦ સુધી – મુંબાઈ રાજ્યમાં નાણાં, ઉદ્યોગ, નશાબંધી અને જાહેર બાંધકામ ખાતાના પ્રધાન
૧૯૬૦-૧૯૬૩ ગુજરાત રાજ્યના પહેલા મુખ્ય પ્રધાન
૧૯૬૪-૧૯૬૬ ઇન્ગ્લેન્ડમાં ભારત તરફથી હાઈ કમિશ્નર
મુંબાઈની શેઠ ગોરધનદાસ સુરેન્દર દાસ હોસ્પિટલ અને એડવર્ડ – સાત હોસ્પિટલના સ્થાપક.ત્યાં ૧૮ વર્ષ કામ કર્યું.
ભારતમાં મેડિકલ ક્ષેત્રે સંશોધન માટે પાયાનું કામ. મુંબાઈ, પુના, ઓરંગાબાદ, અમદાવાદ,નાગપુર માં મેડિકલ કોલેજ અને હોસ્પિટલ સ્થાપવામાં મહત્વનો ફાળો
૧૮૮૧માં બર્લિન કોન્ગ્રેસ ઓફ ઓરિએન્ટાલીસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને ૧૮૮૩માં રોયલ અશિયાટીક સોસાયટીમાં “ભારતમાં લેખનની ઊત્પત્તિ” વિષય પર પ્રશંસનીય ભાષણ આપ્યું.
તેમણે તેમનાં બધાં પૈસા, સમય, શિષ્યવૃત્તિ અને સાહિત્યિક શક્તિ ભારત માતાને નિસ્વાર્થભાવે સમર્પિત કર્યા અને જીવનભર જન્મભૂમિને અંગ્રેજોથી મુક્ત કરવા સેવા આપી.
૧૯૦૫માં ભારતીય રાજનીતિમાં “ધી ઈન્ડીઅન સોશીઓલોજીસ્ટ” માસિકથી રાજકીય, સામાજીક અને ધાર્મિક સુધારણા માટે પહેલ કરી.
૧૮૯૯માં બોઅર યુદ્ધમાં અંગ્રેજ સરકારનો સાથ આપવા બદલ ‘ગાંધીજી’ ની ટીકા કરી.
વિવિધ શિષ્યવૃત્તિની યોજના શરૂ કરીને ભારતીય વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન આપ્યું.
લંડનમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે “ઈન્ડીઆ હાઉસ” નામની હોસ્ટેલની સ્થાપના કરી.
એમની પ્રેરણાથી દેશને મેડમ ભીકાજી કામા, સરદારસિંહ રાણા, ક્રાંતીવીર વિનાયક સાવરકર, વિરેન્દ્ર ચટ્ટોપાધ્યાય, હરદયાલજી, વગેરે ક્રાંતીવીર મળ્યાં જેથી તેઓ “ક્રાંતિગુરુ” તરીકે ઓળખાયા.
તેઓ મુંબઈ આર્ય સમાજના પ્રથમ સદસ્ય અને પ્રમુખ હતાં.
સન્માન
તેઓ પ્રથમ વ્યક્તિ હતા કે જે જન્મે બ્રાહ્મણ ન હોવા છતાં કાશીના પંડિતો દ્વારા તેમને “પંડિત”ની પદવી આપવામાં આવી.
– ગાંધીજીની મૂળ શોધ સત્યની હતી. સત્ય એટલે સાચું બોલવું એટલી સાદી સમજમાંથી એ શોધ વધુ ને વધુ વિસ્તરતી અને વધુ ને વધુ ઊંડી ઊતરતી ગઈ. એનો બીજો તબક્કો આવ્યો સત્ય એટલે મન, વચન અને કર્મથી સત્ય; જેવું વિચારીએ તેવું બોલીએ અને જેવું બોલીએ તેવું જ કરીએ, ત્યાં સુધી તેઓ પહોંચ્યા.
એક મહિનાની ઉમરથી ગાંધી આશ્રમમાં, ગાંધીજીની નજર હેઠળ ઉછર્યા હતા,અને ૨૩ વર્ષ આશ્રમમાં જ રહ્યા હતા. Peace Brigades International સ્થાપવામાં સક્રીય ભાગ લીધો હતો.
દેશને સ્વતંત્રતા મળ્યા પછી,વિનોબા ભાવે અને જયપ્રકાશ નારાયણે શરૂ કરેલી ‘શાંતિ સેના’માં જોડાયા હતા.
જયપ્રકાશ નારાયણે સ્થાપેલ જનતા પક્ષમાં પણ ઘણું પ્રદાન કર્યું હતું.
સમ્પૂર્ણ ક્રાન્તિ વિદ્યાલય, વેડછીના સંચાલક
ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ
૨૦૦૮ – ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
વિશ્વભરમાં ગાંધીકથાઓ કરી છે – ૬૦ ઉપર
રચનાઓ
(હિન્દી, ગુજરાતી અને અંગ્રેજીમાં ૫૦ જેટલાં પુસ્તકો)
ચરિત્ર – પાવન પ્રસંગો, જયપ્રકાશ નારાયણ, મારું જીવન એ જ મારી વાણી, ભાગ ૧થી ૪ ( ગાંધી ચરિત્ર)
મૂળશંકર નામના આ બાળકે શિવના મંદિરે જઇને નિશ્વય કર્યો કે મૂર્તિપૂજા કરવી નિરર્થક છે. હું એનો વિરોધ કરું છું.
એક શિવરાત્રિએ પિતા મૂળશંકરને લઇને પૂજા કરવા માટે શિવમંદિરે લઇ ગયા. આખી રાત શિવપૂજા કરી, લાડુ ભોગ ચડાવ્યો. મૂળશંકર ધ્યાનથી શિવમંદિર અને શિવલિંગ તરફ જ જોતો રહ્યો. નિર્ભર થઇને શિવમંદિરમાં લિંગની સામે બેસી ગયો. જ્યારે તેણે જોયું કે ક્યાંથી ઉંદર આવ્યા અને શિવલિંગ ઉપર ચડાવેલો પ્રસાદ ખાઇ ગયા. આ ર્દશ્ય જોઇને મૂળશંકરના મનમાં વિચાર આવ્યો કે શિવજીની આ હાલત? મૂળશંકરને મૂર્તિપૂજાનો મોહભંગ થઇ ગયો. એમને દુ:ખ થયું અને વૈરાગ્ય જાગ્યો. એમને થોડા સમય માટેનો વૈરાગ્ય નહીં પરંતુ આખી જિંદગીનો વૈરાગ્ય આવી ગયો.
10 Principles* of the Arya Samaj
God is the efficient cause of all true knowledge and all that is known through knowledge.
God is existent, intelligent and blissful. He is formless, omniscient, just, merciful, unborn, endless, unchangeable, beginning-less, unequalled, the support of all, the master of all, omnipresent, immanent, un-aging, immortal, fearless, eternal and holy, and the maker of all. He alone is worthy of being worshiped.
The Vedas are the scriptures of all true knowledge. It is the paramount duty of all Aryas to read them, teach them, recite them and to hear them being read.
One should always be ready to accept truth and to renounce untruth.
All acts should be performed in accordance with Dharma that is, after deliberating what is right and wrong.
The prime object of the Arya Samaj is to do good to the world, that is, to promote physical, spiritual and social good of everyone.
Our conduct towards all should be guided by love, righteousness and justice.
We should dispel Avidya (ignorance) and promote Vidya (knowledge).
No one should be content with promoting his/her good only; on the contrary, one should look for his/her good in promoting the good of all.
One should regard oneself under restriction to follow the rules of society calculated to promote the well being of all, while in following the rules of individual welfare all should be free.
તેમના વિશે વિશેષ
૧૮૪૬– બહેનના મૃત્યુ બાદ કિશોરાવસ્થામાં સત્યની ખોજમાં ઘરેથી નીકળી ગયા.
દંડી સ્વામીએ દીક્ષા આપી દયાનંદ સરસ્વતી નામ આપ્યું.
ફકત એક વર્ષમાં ધર્મશાસ્ત્રનું અઘ્યન કર્યું.
ગુરુની ખોજમાં ગુજરાત છોડીને કાશી ચાલ્યા ગયા. ત્યાં યોગાભ્યાસ કર્યો. એના પછી દૃઢ મનોબળની સાથે હિમાલયમાં તપસ્યા કરી. યોગ્ય ગુરુ તો ન મળ્યા, પરંતુ આત્મજ્ઞાન મળી ગયું.
૧૦-૧૨ વર્ષની તપસ્યા પછી મહર્ષિ દયાનંદ સરસ્વતી દિવ્ય ચેતનાના સ્વામી બની ગયા. પરંતુ આત્મકલ્યાણની સાથે દેશની હાલત, ધર્મનું પતન, દંભ, પાખંડ વગેરે દેશમાંથી કેમ દૂર કરવાં? આ એમના મનમાં વ્યથા હતી. દેશની સંસ્કૃતિને કેમ બચાવવી આ જ વિચાર કરતા હતા.
હિંદુ ઉદ્ધાર માટે એમણે કઠોર પરિશ્રમ કર્યો હતો. તેમણે મુર્તિપૂજાનો વિરોધ, વિધવા વિવાહ સમર્થન, હરિજનોને યજ્ઞોપવીત, મમ્ડીરોમામ્ થતા પશુબલિનો વિરોધ, બુરખા પ્રથાનો વિરોધ, પરજ્ઞાતીય લગ્નો, વગેરે અંગે નવું ચિંતન પ્રગટ કર્યું.
તેમણે બ્રિટિશ શાસન, ઇસ્લામિક-ખ્રિસ્તી ધર્મસાંસ્કૃતિક આક્રમણ અને હિંદુ ધર્મમાં પરિવર્તનની આડે આવતાં સાંપ્રદાયિકબળો સામે મોરચો માંડયો હતો.
અનેક જગ્યાએ એમને માનસન્માન મળ્યું. પછી પોતાનું કાર્યક્ષેત્ર ઉત્તર ભારત બનાવ્યું
૧૦,એપ્રિલ ૧૮૭૫ – મુંબઈમાં ‘આર્યસમાજ’ ની સ્થાપના કરી.
તેમના એક ખાસ અનુયાયી – શ્યામજી કૃષ્ણવર્મા
તેમના બીજા જાણીતા પ્રશંસકો
Madam Cama, Pandit Guru Dutt Vidyarthi,Pran Sukh Yadav, Vinayak Damodar Savarkar,Lala Hardayal, Madan Lal Dhingra, Ram Prasad Bismil, Bhagat Singh, Mahadev Govind Ranade, Swami Shraddhanand. Mahatma Hansraj and Lala Lajpat Rai.
આજે પણ એમનું કીર્તિમંદિર પંજાબમાં છે.
પછી તેઓ રાજસ્થાન તરફ ચાલ્યા ગયા જયાં ઘણા ધર્મના કાર્યક્રમો યોજયા હતા. દેશી રાજયોના રાજાઓને ધર્મ તરફ આકર્ષિત કર્યા. જૉધપુરના રાજા જશવંત સિંહ પણ એનાથી પ્રભાવિત થયા અને ભોગવિલાસ અને વ્યસનથી દૂર રહ્યા હતા.
કહેવાય છે કે મહારાજા જશવંત સિંહ ની રખાત “નન્હિ ભક્તન્” તેમજ સ્વામીના વિરોધી એવા પંડિતો,મુલ્લાઓ અને અન્ગ્રેજોએ સાથે મળીને, રસોઈયાની મદદથી જગન્નાથની સાથે ઝેરવાળું દૂધ મોકલ્યું એનાથી દયાનંદ સરસ્વતીનું મૃત્યુ થયું હતું.
રચનાઓ
પચાસ જેટલાં પુસ્તકો – સૌથી વધારે જાણીતું … સત્યાર્થ પ્રકાશ (૧૮૭૫)
( આખી સૂચિ માટે વિકિપિડિયા પર)
વાચકોના પ્રતિભાવ