ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: ધારાશાસ્ત્રી

પ્રાણજીવન મહેતા, Pranjivan Mehta


pm6‘મારા જીવનમાં પ્રાણજીવન મહેતા કરતાં વધારે નજીકનો કોઈ મિત્ર નથી.’ 

ગાંધીજી

     During my last trip to Europe I saw a great deal of Mr. Gandhi. From year to year (I have known him intimately for over twenty years) I have found him getting more and more selfless. He is now leading almost an ascetic sort of life–not the life of an ordinary ascetic that we usually see but that of a great Mahatma and the one idea that engrosses his mind is his motherland.

(તેમના સ્વ. ગોપાલકૃષ્ણ ગોખલેને લખેલી પત્રમાંથી )

શ્રી, ઉર્વીશ કોઠારીના બ્લોગ પર સરસ લેખ

–    ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માં લેખ

‘The better India’ માંથી મળેલ મૂળ માહિતી

ફેસબુક પરથી મળેલ એક સરસ રિપોર્ટ 

    ‘You may not perhaps be knowing for whom I wrote ‘Hind Swaraj’. The person is no more and hence there is no harm in disclosing his name. I wrote the entire Hind Swaraj for my dear friend Dr. Pranjivan Mehta. All the argument in the book is reproduced almost as it took place with him.’

Gandhiji
– 21 February 1940 at a meeting of the Gandhi Seva Sangh)

‘ગુર્જરી ડાઈજેસ્ટ’ – ઓક્ટોબર – ૨૦૧૪ માં પ્રકાશિત લેખ…

pm1pm2pm3pm4

જન્મ

  • ૧૮૬૪, મોરબી

અવસાન

  • ૩, ઓગસ્ટ – ૧૯૩૨, રંગૂન

કુટુમ્બ

  • માતા – ?,  પિતા– જગજીવન
  • ભાઈઓ -રેવાશંકર, પોપટભાઈ અને બીજા એક ભાઈ
  • પત્ની – ? ; સંતાન – ?

શિક્ષણ

  • પ્રારંભિક – મોરબી
  • માધ્યમિક – રાજકોટ
  • મેડિકલ – (LMS) – મુંબાઈ; એમ.ડી. – બ્રસેલ્સ ( બેલ્જિયમ)
  • કાયદો – બાર એટ લો – લન્ડન

વ્યવસાય

  • શરૂઆતમાં થોડોક વખત મુંબાઈમાં ખાનગી પ્રેક્ટિસ
  • ઈડર સ્ટેટના મુખ્ય મેડિકલ ઓફિસર
  • રંગૂન , બર્મા માં વકીલ અને ડોક્ટર તરીકે પ્રેક્ટિસ
  • હીરાનો વેપાર
astha

પાયાનો સંદર્ભ સ્રોત – આ ચિત્ર પર ક્લિક કરો.

pm1

યુવાન વયે

pm8

pm21

pm10

૧૯૨૨ – ગુજરાત વિદ્યાપીઠને દાન આપ્યું- તે પ્રસંગે

pm7

તેમના હસ્તાક્ષર અને સહી

તેમના વિશે વિશેષ

  • ૧૮૮૬ – મુંબાઈમાંથી મેડિકલ ડીગ્રી ગોલ્ડ મેડલ સાથે પસાર કરી.
  • ૧૮૮૭ – માર્ચ – મોરબીના રાજાની સ્કોલરશીપના સહારે બ્રસેલ્સ, બેલ્જિયમ માં અભ્યાસ શરૂ.
  • ૧૮૮૯ – યુનિ. ઓફ બ્રસેલ્સમાંથી  સર્જરીમાં વિશેષ યોગ્યતા ( Distinction) સાથે એમ.ડી. ની પદવી
  • બ્રસેલ્સના મુક્ત વાતાવરણની મન પર ગાઢ અસર (સ્વદેશની સ્વતંત્રતા માટેના ખ્યાલોનો પ્રાદુર્ભાવ)
  • લન્ડનમાં બાર એટ લો થવા માટે રજિસ્ટ્રેશન કર્યું.- અને તે સબબે લન્ડન ગયા. એક જ વર્ષમાં તેમણે આ ડીગ્રી પણ મેળવી લીધી.
  • ૧૯૮૯ મા અંત ભાગમાં – ભારત પાછા આવ્યા
  • ૧૮૯૯ – રંગૂનમાં સ્થળાંતર. વકીલ અને ડોક્ટરની બેવડી ભૂમિકામાં અત્યંત સફળ કામગીરી.
  • આ ઉપરાંત તેમણે હીરાના વેપારમાં પણ ઝૂકાવ્યું અને ઘણું કમાયા. થોડાક જ વર્ષોમાં રંગૂનના સૌથી સમ્પત્તિવાન અને વગદાર નાગરિક બની ગયા.
  • રંગૂનમાં હિન્દુ સોશિયલ ક્લબ અને રામકૃષ્ણ સોસાયટીના પ્રમુખ
  • અખિલ ભારતીય કોન્ગ્રેસની રંગૂન શાખા, બર્મા (અત્યારનું મ્યાંમાર)ની પ્રોવિન્શિયલ કોન્ગ્રેસના સભ્ય
  • બર્મા સોશિયલ સર્વિસ લીગ ના સ્થાપક અને ઘણા સમય સુધી સેક્રેટરી
  • બર્માની સ્વતંત્રતા માટે લડતા રાષ્ટ્રવાદીઓને ઉત્તેજન
  • ૧૯૦૬ – એન્ગ્લો- ગુજરાતી અઠવાડિક ‘ યુનાઈટેડ બર્મા’ ની સ્થાપના, જેના તંત્રી વી. મદનજિત હતા. દલિત લોકોની સેવા અને સ્વદેશીની હિમાયત તેનો મુદ્રાલેખ હતો.
  • દક્ષિણ ભારતના અર્થશાસ્ત્રીની મદદથી બર્મામાં ટ્રેડ યુનિયન સ્થાપવાની શરૂઆત કરી. રંગૂન બંદરના કામદારોની ચળવળને સક્રીય ટેકો આપી ઘણી મોટી આંતરરાષ્ટ્રીય કમ્પનીઓમાં અળખામણા બની ગયા.
  • ૧૯૧૫ – ભારતીય નેશનલ કોન્ગ્રેસના મુંબાઈ ખાતેના અધિવેશનમાં હાજરી આપી અને સાબરમતી આશ્રમની સ્થાપના માટે સક્રીય સહકાર અને મદદ આપ્યાં.
  • ૧૯૧૭-૧૮ બર્માની રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓમાં સક્રીય ફાળો જેના કારણે તે વખતના બર્માના લેફ્ટેનન્ટ ગવર્નર ક્રેડોકે તેમને એક અઠવાડિયામાં બર્મા છોડી દેવા ફરમાન કર્યું હતું. મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા તે કારણે, બર્માના અન્ય વગદાર આગેવાનો વચ્ચે પડવાના કારણે અને પ્રચંડ લોક લાગણીના કારણે   એ ફરમાન પાછું ખેંચી લેવું પડ્યું હતું.
  • ૧૯૧૯ – સ્થાનિક સ્વરાજ માટે ના બર્માના ડેપ્યુટેશન સાથે બ્રિટનનની મુલાકાતે – સાથે ભારતીય નેશનલ કોન્ગ્રેસને માટે પણ ત્યાં સક્રીય કામગીરી.
  • ૧૯૨૦ – ૨૧ અત્યંત નાદુરસ્ત તબિયતના કારણે બ્રિટન અને યુરોપમાં તબીબી સારવાર ૧૯૨૬/ ૧૯૨૯ – બે વખત ભારતની મુલાકાત. પણ લથડતી જતી તબિયતના કારણે તેમનું જાહેર જીવન સંકેલાઈ ગયું હતું.
  • ૧૯૩૨ – ઘરમાં ચાલતાં પડી જવાના કારણે થયેલી ઈજામાંથી સેપ્ટિક થઈ જતાં અવસાન.

ગાંધીજી સાથે 

  • ૨૯, સપ્ટેમ્બર – ૧૯૮૮ ગાંધીજીના લન્ડનમાં પહેલા દિવસે, વિક્ટોરિયા હોટલ, ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે બન્ને વચ્ચે  પહેલી મુલાકાત, આ અગાઉ પણ બન્ને વચ્ચે પત્ર વ્યવહાર ચાલુ હતો.
  • ગાંધીજીના લન્ડનમાં શરૂઆતના સમયમાં તેમને મોટાભાઈની જેમ મદદ અને દોરવણી.
  • ૧૯૯૧ – ગાંધીજી બેરિસ્ટર બનીને દેશ પાછા આવ્યા, ત્યારે મુંબાઈના તેમના ઘેર રહ્યા હતા, અને ત્યાં જ ગાંધીજીને શ્રીમદ રાજ ચન્દ્રનો પરિચય થયો હતો. બન્ને વચ્ચે નિકટતા પણ આ સમયે જ સ્થપાઈ.
  • ૧૯૨૦ પછી ગાંધીજીની મુંબાઈ ખાતેની પ્રવૃત્તિનું કેન્દ્ર, મણીભુવન – તેમના મોટા ભાઈ – રેવાશંકરે બંધાવ્યું હતું. ( અત્યારે તેમાં ગાંધી સંગ્રહાલય છે.)
  • તેમના બીજા મોટાભાઈ પોપટ ભાઈના દીકરી શ્રીમદ રાજચન્દ્રનાં પત્ની હતાં. ( શ્રીમદ રાજચન્દ્રની ઘણી મોટી અસર ગાંધીજીના અહિંસા અંગેના વિચારો પર પડી હતી.)
  • ૧૮૯૮ ના અંત ભાગમાં – ગાંધીજી દક્ષિણ આફ્રિકાની ચળવળ અંગે ભારતમાંથી સહકાર મેળવવા આવ્યા , ત્યારે મુંબાઈમાં  તેમના ઘેર જ રહ્યા હતા.
  • પ્રાણજીવન મહેતા પણ લન્ડનથી પાછા વળતાં કેપ ટાઉન રોકાયા હતા અને ડર્બનમાં ગાંધીજીને મળવા ગયા હતા. આ મુલાકાતો દરમિયાન ગાંધીજીની નિસ્વાર્થ વૃત્તિ અને સમાજ સેવાની ધગશનો અંદાજ તેમને આવી ગયો હતો.
  • ૧૯૦૨ – આફ્રિકા બીજી વાર જતાં પહેલાં ગાંધીજી રંગૂનની મુલાકાતે ગયા હતા, અને તેમની સાથે એક અઠવાડિયું રહ્યા હતા.
  • ગાંધીજીની એ મુલાકાત દરમિયાન તેમણે પ્રાણજીવન મહેતા સાથે ભારતના સ્વાતંત્ર્ય અંગે વિચારોની આપલે કરી હતી, જે ગાંધીજીના બહુ જાણીતા લેખ ‘ હિન્દ સ્વરાજ’નું મૂળ હતું.
  • ગાંધીજી સાથેના એ વિચાર વિમર્શ બાદ તેમણે તે વખતના ભારતીય નેશનલ કોન્ગ્રેસના સર્વે સર્વા ગોપાલ કૃષ્ણ ગોખલે સાથે પત્ર વ્યવહાર કર્યો હતો, જેમાં ગાંધીજીને ભારતના સ્વરાજના   ભાવિ શિલ્પી અને ‘મહાત્મા’ તરીકે ઉલ્લેખ કર્યો હતો, એટલું જ નહીં પણ સમસ્ત માનવજાતને નવી દોરવણી આપી શકે તેવા મસીહા તરીકે ગાંધીજીનો ઉલ્લેખ કર્યો હતો.
  • આ જ રીતે તેમણે ગાંધીજીને ભારતના સ્વરાજ માટે નેતૃત્વ લેવા ભાર પૂરક સૂચવ્યું હતું, ફિનિક્સ આશ્રમમાં ભારતના સ્વયંસેવકોને સત્યાગ્રહની તાલીમ આપવાનો બધો ખર્ચ ભોગવવા પણ તેમણે તૈયારી બતાવી હતી. આ ઉપરાંત ગાંધીજીની આફ્રિકા  ખાતેની કામગીરી અંગેના અને તેને સંબંધિત પ્રકાશનોના પ્રસાર માટેનો પૂરો ખર્ચ ઊઠાવવાનું પણ તેમણે કબૂલ્યું હતું.
  • ગાંધીજીના અંગત ખર્ચ અંગેની બધી જવાબદારી તેમણે પોતાને શીરે લેવા કબૂલ્યું હતું.
  • ૧૯૧૧ – ગાંધીજીનું સૌથી પહેલું જીવન ચરિત્ર તેમણે લખ્યું હતું.
  • ભારતીય જીવન પદ્ધતિ અંગેનું તેમના બાજા પુસ્તક Hindu Social Ideals    પુસ્તકમાં તેમણે ગાંધીજીના ફિનિક્સ આશ્રમ ખાતેના સત્યના  પ્રયોગોનો ઉલ્લેખ કર્યો હતો.
  • ૧૯૧૫ – ગાંધીજી હમ્મેશ માટે ભારત પાછા આવ્યા બાદ. ગોખલેના અવસાન બાદ તેમને સર્વન્ટસ ઓફ ઇન્ડિયા સોસાયટીના સામાન્ય સભ્ય તરીકે સ્વીકારવા પણ કોઈ તૈયાર ન હતું, તે વખતે ગાંધીજી આઠ દિવસ માટે રંગૂન ગયા હતા. પ્રાણજીવન મહેતાએ તેમને  ઉદાર રીતે નાણાંકીય સહાય કરી હતી.
    એમ ન કર્યું હોત તો ગાંધીજી મોટા કુટુમ્બની અંગત જવાદારીઓ અદા કરવામાંથી જ દટાઈ ગયા હોત.
  • અમદાવાદમાં કોચરબ આશ્રમ સ્થાપવાની પૂરી જવાબદારી તેમને ઊઠાવી હતી.
  • ૧૯૨૦ – દાંડી કૂચના દસ વર્ષ પહેલાં ગરીબ પ્રજાની કમર તોડી નાંખતા મીઠા પરના કર સામે આંદોલન ચલાવવા તેમણે ગાંધીજીને સૂચવ્યું હતું.
  • ૧૯૨૯ની ગાંધીજીની બર્માની મુલાકાત વખતે નાજૂક તબિયત છતાં તેમની સાથે સતત રહ્યા અને ફર્યા હતા.

રચનાઓ

  • K. Gandhi and the South African Indian Problem
  • Hindu Social Ideals
  • તેમના જીવન વિશે અભ્યાસ પૂર્ણ પુસ્તક – Mahatma and the doctor – Shri S.R. Mehrotra

 

સાભાર

  • The Better India
  • શ્રી. ભરત ભટ્ટ, કેમ્બ્રિજ, મેસેચ્યુસેટ્સ
  • Dialogue – આસ્થા ભારતી
  • શ્રી. ઉર્વીશ કોઠારી

 

 

 

 

 

 

 

 

 

વીરચંદ રાઘવજી ગાંધી, Virchand Raghavji Gandhi


  • “May peace rule the universe…..May peace rule in the houses of friends and may peace rule in the houses of enemies.”

એક લેખ 

– ‘ ગાંધી બિફોર ગાંધી’ – ગુજરાતી નાટક

વિકીપિડિયા ઉપર 

————

જન્મ

  • ૨૫,ઓગસ્ટ- ૧૮૬૪, મહુવા ( જિ. ભાવનગર)

અવસાન

  • ૭, ઓગસ્ટ- ૧૯૦૧,

કુટુમ્બ

  • માતા – માનબા; પિતા – રાઘવજી
  • પત્ની – જીવીબેન( લગ્ન – ૧૮૭૯); પુત્ર  – મોહનદાસ

અભ્યાસ

  • ૧૮૮૦ – મેટ્રિક ( આલ્ફ્રેડ હાઈસ્કૂલ, ભાવનગર)
  • ૧૮૮૪ – બી.એ. (ઓનર્સ) – મુંબાઈની એલ્ફિન્સ્ટન કોલેજ
  • ૧૮૯૫ – બાર એટ લો (લન્ડન)

 વ્યવસાય

  • ૧૯૮૫-૮૬ – લિટલ, સ્મિથ, ફ્રાયર અને નિકોલ્સનની સોલિસિટરની પેઢીમાં અર્ટિકલ ક્લાર્ક તરીકે નોકરી
  • ત્યાર બાદ વકીલાત અને જાહેર જીવન

વિદેશ પ્રવાસ

  • ૧૮૯૩– વિશ્વ ધર્મ પરિષદ, શિકાગોમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ ( અમેરિકાની ધરતી પર પગ મુકનાર પહેલા ગુજરાતી)
  • ૧૮૯૫ – ઈન્ગ્લેન્ડ
  • ૧૮૯૬ – પત્ની સાથે અમેરિકાની બીજી મુલાકાત. એ મુલાકાત દરમિયાન, સબળ પ્રચારથી  ભારતમાં દુષ્કાળ માટે દાનો મેળવ્યાં હતા.
  • ૧૮૯૮ – શેત્રુંજય તીર્થના કામ અંગે ઈન્ગ્લેન્ડની મુલાકાત

This slideshow requires JavaScript.

એમના વિશે વિશેષ

  • જન્મ અગાઉ તેમના પિતાને સ્વપ્ન આવ્યું હતું જેમાં દેવી પદ્માવતીએ કહ્યું હતું કે, ‘જન્મનાર બાળક નરકેસરી નીવડશે અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવશે. ઘરમાંથી પાર્શ્વનાથ સ્વામીની મૂર્તિ ઘરમાંથી દટાયેલી મળશે.’ ખોદકામ કરતાં એ મૂર્તિ મળી આવી હતી.
  • ગ્રેજ્યુએટ થવાની સાથે ૧૪ ભાષાઓ જાણતા થયા હતા; અને વિશ્વના ધર્મો , ભારતીય અર્થશાસ્ત્ર અને વ્યાપારમાં પારંગત થયા હતા.
  • મુંબાઈમાં નોકરી દરમિયાન ગાંધીજી ભારતના કાયદાઓનું જ્ઞાન મેળવવા તેમનું માર્ગદર્શન લેતા હતા. ( આની માહિતી ગાંધીજીની આત્મકથામાં પણ છે.)
  • ૧૮૮૬– શેત્રુંજય તિર્થના યાત્રિકો પરનો સરકારી વેરો નાબૂદ કરાવવામાં સફળતા
  • બંગાળમાં આવેલા સમેતશિખર તિર્થધામની નજીક બંધાયેલ કતલખાનાને બંધ કરાવવા માટે કોર્ટમાં સફળ રજુઆત. આ માટે બંગાળી ભાષા થોડાક જ વખતમાં શીખી, જૂના દસ્તાવેજો કોર્ટમાં અસરકારક રીતે રજૂ કર્યા હતા.
  • મુનિશ્રી. આત્માનંદજીએ તેમને શિકાગોની પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરવા આમંત્ર્યા અને છ મહિના સુધી જૈન ધર્મ વિશે તાલીમ આપી.
  • ૧૮૯૩– શિકાગો પરિષદમાં સ્વામી વિવેકાનંદ અને ધર્મપાલ સાથે ભારતના ધર્મો , તત્વજ્ઞાન અને સંસ્કૃતિની સબળ રજૂઆત. એ મુલાકાત માટે શાકાહારી ખોરાક માટે સાથે ગુજરાતી રસોઈયો લઈ ગયા હતા.
  • ૧૮૯૩ – ન્યુયોર્કમાં વિશ્વની સ્થાવર મિલ્કત ( રિયલ એસ્ટેટ) અંગેની આંતરરાષ્ટ્રીય કોન્ગ્રેસમાં રસપ્રદ વ્યાખ્યાન આપ્યું.
  • ૧૮૯૩- ૯૫ – અમેરિકામાં  અનેક જગ્યાઓએ જૈન, હિન્દુ અને બૌદ્ધ ઘર્મો અંગે વ્યાખ્યાનો.
  • અમેરિકા અને યુરોપમાં આંતરરાષ્ટ્રીય વેપાર, ભારતનું અર્થશાસ્ત્ર, ભારતીય સંસ્કૃતિનો ઈતિહાસ, યોગ, ધ્યામ, હિપ્નોટિઝમ, શાકાહારીપણું, વિશ્વના ધર્મો, વિ. અનેક વિષયો પર ૫૩૫ ભાષણો આપ્યા હતા; અને ઘણા ચન્દ્રકો મેળવ્યા હતા.
  • ૧૮૯૫ – ભારત પાછા આવી અનેક વ્યાખ્યાનો આપ્યા, અને ‘ હેમચન્દ્રાચાર્ય ક્લાસ’ ની સ્થાપના કરી.
  • ૧૮૯૬ – ભારતીય રાષ્ત્રીય કોન્ગ્રેસમાં મુંબાઈનું પ્રતિનિધિત્વ
  • ૧૮૯૬ – માર્ક ટ્વેનની મુંબાઈની મુલાકાત દરમિયાન સાથે રહ્યા.
  • ૧૮૯૬ – સ્ત્રીઓ માટેની શિક્ષણ સંસ્થાની સ્થાપના. ( જેની સહાયથી અનેક મહિલાઓ ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા જઈ શકી હતી.)
  • ૧૮૯૮ – થોડાક સમય માટે ભારત પાછા આવ્યા; જે દરમિયાન ન્યાયાધીશ મહાદેવ ગોવિન્દ રામડેએ એમનું  બહુમાન કર્યું હતું.
  • પરદેશથી પાછા આવ્યા બાદ, અમુક રૂઢીચુસ્ત જૈન સંસ્થાઓએ પરદેશ જવા માટે  એમનો પૂર્ણ બહિષ્કાર કર્યો હતો.
  • ૧૯૦૧–  અચાનક તેમના ફેફસામાં રક્તસ્રાવ થવાના કારણે ગંભીર બીમારીમાં પટકાયા અને બહુ થોડા વખતમાં જ અવસાન પામ્યા.

રચનાઓ

  • ગુજરાતી
    • રડવા કૂટવાની હાનિકારક ચાલ ( પુસ્તિકા)
    • સવીર્ય ધ્યાન (૧૯૦૨) – આચાર્ય શ્રી. શુભચન્દ્રદેવની કૃતિનો અનુવાદ.
  • અંગ્રેજી
    • Jaina Philosophy(1907)
    • Karma Philosophy(1913)
    • Yoga Philosophy (1912)Speeches and Writings of Virchand R. Gandhi,Collected by Bhagu.F.Karbhari,Publisher-ShriAgamodaya Samiti Bombay.
    • The Unknown Life of Jesus Christ(1894) Translated in english from French from an ancient manuscript. This book was published while he was in Chicago.
    • The Systems of Indian Philosophy(1970)
    • Speeches and Writings of Shri Virchand R. Gandhi, Editor – Dr. K. K. Dixit,Publisher – Shri Mahavir Jain Vidyalaya Bombay
    • Savirya-Dhyan first published 1902 Gujarati second edition (24+134)
    • 1989 Gujarati Author- Acharya Shri Shubhachandradev
    • Translator – Shri Virchand R. Gandhi Commentary – Anandnandan Lalan Complied – Shri Pannalal R. ShahPublisher – The Jain Association of India Bombay
    • Selected speeches of V. R. Gandhi(1964)- Publisher – Vallabh Smarak Nidhi, Bombay 

સાભાર

  • ચન્દ્રેશ ધીરજ ગાંધી – વીરચંદ ગાંધીના પ્રપૌત્ર
  • પન્કજ હિન્ગરા( જૈન એસોસિયેશન ઓફ નોર્થ અમેરિકાના સભ્ય)

——————————————

Virchand Gandhi Patriotic Speech in Defense of Indian Culture and Hinduism as follows:

“ Before proceeding with my address, I wish to make few observations. This platform is not a place for mutual recriminations, and I am heartily sorry that from time to time the most un-Christian spirit is allowed freely here, but I know how to take these recriminations at their proper value. I am glad that no one has dared to attack the religion I represent. It is well that they should not. But every attack has been directed to the abuses existing in our society. And I repeat now what I repeat every day, that these abuses are not from religion, but in spate of religion, as in every other country.”

“Some men in their ambition, think that they are Pauls, and what they think they believe. These new Pauls go to vent their platitudes upon India. They go to India to convert the heathens in a mass, but when they find their dreams melting away, as dreams always do, they return and pass a whole life in abusing the Hindus. Abuses are not arguments against any religions, nor self-adulation, the proof of the truth of one’s own. For such I have greatest pity.

“If the present abuses in India have been produced by the Hindu religion, the same religion had the strength of producing a society which made the Greek historian say: ‘No Hindu was ever known to tell an untruth, no Hindu woman ever known to be unchaste”.  And ever in the present day where is there a more chaste woman or a milder man than in India? The Oriental bubbles may be pricked, but the very hysterical shocks sent forth from this platform from time to time show to the world that sometimes bubbles may be heavier than the bloated balloons of vanity and self-conceit.”

“It has become an article of faith with most of the orthodox Christians that the Hindus are liars. All sorts of abuses are heaped on the people of India from the Himalaya to Ceylon, and, without exception all these calumnies proceed either from the missionaries or the English officers. We accord them their rights as we do even to the tiniest animalcule the right to live and be happy in their own way, if they let us alone, but when we find that these little creatures are annoying us, we have to brush them aside. The statements of these missionaries made about the Hindus, their religions and life, are never an admirable illustration of their methods and zeal. When I first came to know in this country, from missionary sources that in India women threw their babies into the Ganges and that people threw themselves under the car of  Juggernaut , I doubted whether in the blackest and most intolerant days of the Christian Church, any villainous priest ever invented more bare-faced falsehoods or malicious slanders like these. “

——————–

     In the World Religious Parliament, he re-presented or corrected the false and perverse impression of India as being the land of maharajahs, tigers and cobras. He narrated an incident from King Akbar’s life and praised him for respecting all other religions.

 

જયકૃષ્ણ વર્મા, Jaikrushna Varma


નામ

જયકૃષ્ણ નાગરદાસ વર્મા

જન્મ

૨૬ મે ૧૮૯૪ ; ભરૂચ – લોહાણા જ્ઞાતિ

મૃત્યુ

ઇ.સ. ૧૯૪૩

અભ્યાસ

  • ૧૯૧૯માં એમ.એ.ની ઉપાધિ
  • બેરિસ્ટરની ડીગ્રી – લંડન યુનિવર્સિટી
  • એમ.એસસી (અર્થશાસ્ત્ર) – લંડન યુનિવર્સિટી
વ્યવસાય
  • વકીલાત – મુંબઇ ઉચ્ચ ન્યાયાલય
પ્રદાન
  • રાજકારણ અને સાહિત્યમાં ઊંડો રસ. ભારતના તત્કાલીન રાજકારણ વિશે આધારભૂત માહિતી ધરાવતા ગ્રંથ રચ્યાં.
  • સ્ત્રીઓ માટેના માસીક ‘ગુણસુંદરી’ના તંત્રી તરીકે પણ કાર્ય કર્યું છે.
રચનાઓ
  • વાર્તાસંગ્રહો – વર્માની વિવિધ વાર્તાઓ, લક્ષ્મીની સાડી અને બીજી વાર્તાઓ
  • અન્ય – હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસનો ઇતિહાસ (ભાગ ૧-૨), મહાત્મા ગાંધીનું જીવન
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ  ૪

 

 

 

 

 

સરદાર પટેલ, Sardar Patel


sardar_patel_1.jpg“ગરીબો ની સેવા ઇશ્વરની સેવા છે.”

“તમે હવે અહીંથી ટળો”  (અંગ્રેજોને એક જાહેર સભામાં)

#  જીવનઝાંખી

-1-  :  -2-  :  -3-  : -4-

# તેમના જીવન વિશે વિડિયો ( ભાગ ૧- ૧૬ )

અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલ

______________

Read more of this post

%d bloggers like this: