‘મારા જીવનમાં પ્રાણજીવન મહેતા કરતાં વધારે નજીકનો કોઈ મિત્ર નથી.’
– ગાંધીજી
During my last trip to Europe I saw a great deal of Mr. Gandhi. From year to year (I have known him intimately for over twenty years) I have found him getting more and more selfless. He is now leading almost an ascetic sort of life–not the life of an ordinary ascetic that we usually see but that of a great Mahatma and the one idea that engrosses his mind is his motherland.
(તેમના સ્વ. ગોપાલકૃષ્ણ ગોખલેને લખેલી પત્રમાંથી )
– શ્રી, ઉર્વીશ કોઠારીના બ્લોગ પર સરસ લેખ
– ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માં લેખ
‘The better India’ માંથી મળેલ મૂળ માહિતી
ફેસબુક પરથી મળેલ એક સરસ રિપોર્ટ
‘You may not perhaps be knowing for whom I wrote ‘Hind Swaraj’. The person is no more and hence there is no harm in disclosing his name. I wrote the entire Hind Swaraj for my dear friend Dr. Pranjivan Mehta. All the argument in the book is reproduced almost as it took place with him.’
Gandhiji
– 21 February 1940 at a meeting of the Gandhi Seva Sangh)
‘ગુર્જરી ડાઈજેસ્ટ’ – ઓક્ટોબર – ૨૦૧૪ માં પ્રકાશિત લેખ…




જન્મ
અવસાન
કુટુમ્બ
- માતા – ?, પિતા– જગજીવન
- ભાઈઓ -રેવાશંકર, પોપટભાઈ અને બીજા એક ભાઈ
- પત્ની – ? ; સંતાન – ?
શિક્ષણ
- પ્રારંભિક – મોરબી
- માધ્યમિક – રાજકોટ
- મેડિકલ – (LMS) – મુંબાઈ; એમ.ડી. – બ્રસેલ્સ ( બેલ્જિયમ)
- કાયદો – બાર એટ લો – લન્ડન
વ્યવસાય
- શરૂઆતમાં થોડોક વખત મુંબાઈમાં ખાનગી પ્રેક્ટિસ
- ઈડર સ્ટેટના મુખ્ય મેડિકલ ઓફિસર
- રંગૂન , બર્મા માં વકીલ અને ડોક્ટર તરીકે પ્રેક્ટિસ
- હીરાનો વેપાર

પાયાનો સંદર્ભ સ્રોત – આ ચિત્ર પર ક્લિક કરો.

યુવાન વયે



૧૯૨૨ – ગુજરાત વિદ્યાપીઠને દાન આપ્યું- તે પ્રસંગે

તેમના હસ્તાક્ષર અને સહી
તેમના વિશે વિશેષ
- ૧૮૮૬ – મુંબાઈમાંથી મેડિકલ ડીગ્રી ગોલ્ડ મેડલ સાથે પસાર કરી.
- ૧૮૮૭ – માર્ચ – મોરબીના રાજાની સ્કોલરશીપના સહારે બ્રસેલ્સ, બેલ્જિયમ માં અભ્યાસ શરૂ.
- ૧૮૮૯ – યુનિ. ઓફ બ્રસેલ્સમાંથી સર્જરીમાં વિશેષ યોગ્યતા ( Distinction) સાથે એમ.ડી. ની પદવી
- બ્રસેલ્સના મુક્ત વાતાવરણની મન પર ગાઢ અસર (સ્વદેશની સ્વતંત્રતા માટેના ખ્યાલોનો પ્રાદુર્ભાવ)
- લન્ડનમાં બાર એટ લો થવા માટે રજિસ્ટ્રેશન કર્યું.- અને તે સબબે લન્ડન ગયા. એક જ વર્ષમાં તેમણે આ ડીગ્રી પણ મેળવી લીધી.
- ૧૯૮૯ મા અંત ભાગમાં – ભારત પાછા આવ્યા
- ૧૮૯૯ – રંગૂનમાં સ્થળાંતર. વકીલ અને ડોક્ટરની બેવડી ભૂમિકામાં અત્યંત સફળ કામગીરી.
- આ ઉપરાંત તેમણે હીરાના વેપારમાં પણ ઝૂકાવ્યું અને ઘણું કમાયા. થોડાક જ વર્ષોમાં રંગૂનના સૌથી સમ્પત્તિવાન અને વગદાર નાગરિક બની ગયા.
- રંગૂનમાં હિન્દુ સોશિયલ ક્લબ અને રામકૃષ્ણ સોસાયટીના પ્રમુખ
- અખિલ ભારતીય કોન્ગ્રેસની રંગૂન શાખા, બર્મા (અત્યારનું મ્યાંમાર)ની પ્રોવિન્શિયલ કોન્ગ્રેસના સભ્ય
- બર્મા સોશિયલ સર્વિસ લીગ ના સ્થાપક અને ઘણા સમય સુધી સેક્રેટરી
- બર્માની સ્વતંત્રતા માટે લડતા રાષ્ટ્રવાદીઓને ઉત્તેજન
- ૧૯૦૬ – એન્ગ્લો- ગુજરાતી અઠવાડિક ‘ યુનાઈટેડ બર્મા’ ની સ્થાપના, જેના તંત્રી વી. મદનજિત હતા. દલિત લોકોની સેવા અને સ્વદેશીની હિમાયત તેનો મુદ્રાલેખ હતો.
- દક્ષિણ ભારતના અર્થશાસ્ત્રીની મદદથી બર્મામાં ટ્રેડ યુનિયન સ્થાપવાની શરૂઆત કરી. રંગૂન બંદરના કામદારોની ચળવળને સક્રીય ટેકો આપી ઘણી મોટી આંતરરાષ્ટ્રીય કમ્પનીઓમાં અળખામણા બની ગયા.
- ૧૯૧૫ – ભારતીય નેશનલ કોન્ગ્રેસના મુંબાઈ ખાતેના અધિવેશનમાં હાજરી આપી અને સાબરમતી આશ્રમની સ્થાપના માટે સક્રીય સહકાર અને મદદ આપ્યાં.
- ૧૯૧૭-૧૮ બર્માની રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓમાં સક્રીય ફાળો જેના કારણે તે વખતના બર્માના લેફ્ટેનન્ટ ગવર્નર ક્રેડોકે તેમને એક અઠવાડિયામાં બર્મા છોડી દેવા ફરમાન કર્યું હતું. મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા તે કારણે, બર્માના અન્ય વગદાર આગેવાનો વચ્ચે પડવાના કારણે અને પ્રચંડ લોક લાગણીના કારણે એ ફરમાન પાછું ખેંચી લેવું પડ્યું હતું.
- ૧૯૧૯ – સ્થાનિક સ્વરાજ માટે ના બર્માના ડેપ્યુટેશન સાથે બ્રિટનનની મુલાકાતે – સાથે ભારતીય નેશનલ કોન્ગ્રેસને માટે પણ ત્યાં સક્રીય કામગીરી.
- ૧૯૨૦ – ૨૧ અત્યંત નાદુરસ્ત તબિયતના કારણે બ્રિટન અને યુરોપમાં તબીબી સારવાર ૧૯૨૬/ ૧૯૨૯ – બે વખત ભારતની મુલાકાત. પણ લથડતી જતી તબિયતના કારણે તેમનું જાહેર જીવન સંકેલાઈ ગયું હતું.
- ૧૯૩૨ – ઘરમાં ચાલતાં પડી જવાના કારણે થયેલી ઈજામાંથી સેપ્ટિક થઈ જતાં અવસાન.
ગાંધીજી સાથે
- ૨૯, સપ્ટેમ્બર – ૧૯૮૮ ગાંધીજીના લન્ડનમાં પહેલા દિવસે, વિક્ટોરિયા હોટલ, ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે બન્ને વચ્ચે પહેલી મુલાકાત, આ અગાઉ પણ બન્ને વચ્ચે પત્ર વ્યવહાર ચાલુ હતો.
- ગાંધીજીના લન્ડનમાં શરૂઆતના સમયમાં તેમને મોટાભાઈની જેમ મદદ અને દોરવણી.
- ૧૯૯૧ – ગાંધીજી બેરિસ્ટર બનીને દેશ પાછા આવ્યા, ત્યારે મુંબાઈના તેમના ઘેર રહ્યા હતા, અને ત્યાં જ ગાંધીજીને શ્રીમદ રાજ ચન્દ્રનો પરિચય થયો હતો. બન્ને વચ્ચે નિકટતા પણ આ સમયે જ સ્થપાઈ.
- ૧૯૨૦ પછી ગાંધીજીની મુંબાઈ ખાતેની પ્રવૃત્તિનું કેન્દ્ર, મણીભુવન – તેમના મોટા ભાઈ – રેવાશંકરે બંધાવ્યું હતું. ( અત્યારે તેમાં ગાંધી સંગ્રહાલય છે.)
- તેમના બીજા મોટાભાઈ પોપટ ભાઈના દીકરી શ્રીમદ રાજચન્દ્રનાં પત્ની હતાં. ( શ્રીમદ રાજચન્દ્રની ઘણી મોટી અસર ગાંધીજીના અહિંસા અંગેના વિચારો પર પડી હતી.)
- ૧૮૯૮ ના અંત ભાગમાં – ગાંધીજી દક્ષિણ આફ્રિકાની ચળવળ અંગે ભારતમાંથી સહકાર મેળવવા આવ્યા , ત્યારે મુંબાઈમાં તેમના ઘેર જ રહ્યા હતા.
- પ્રાણજીવન મહેતા પણ લન્ડનથી પાછા વળતાં કેપ ટાઉન રોકાયા હતા અને ડર્બનમાં ગાંધીજીને મળવા ગયા હતા. આ મુલાકાતો દરમિયાન ગાંધીજીની નિસ્વાર્થ વૃત્તિ અને સમાજ સેવાની ધગશનો અંદાજ તેમને આવી ગયો હતો.
- ૧૯૦૨ – આફ્રિકા બીજી વાર જતાં પહેલાં ગાંધીજી રંગૂનની મુલાકાતે ગયા હતા, અને તેમની સાથે એક અઠવાડિયું રહ્યા હતા.
- ગાંધીજીની એ મુલાકાત દરમિયાન તેમણે પ્રાણજીવન મહેતા સાથે ભારતના સ્વાતંત્ર્ય અંગે વિચારોની આપલે કરી હતી, જે ગાંધીજીના બહુ જાણીતા લેખ ‘ હિન્દ સ્વરાજ’નું મૂળ હતું.
- ગાંધીજી સાથેના એ વિચાર વિમર્શ બાદ તેમણે તે વખતના ભારતીય નેશનલ કોન્ગ્રેસના સર્વે સર્વા ગોપાલ કૃષ્ણ ગોખલે સાથે પત્ર વ્યવહાર કર્યો હતો, જેમાં ગાંધીજીને ભારતના સ્વરાજના ભાવિ શિલ્પી અને ‘મહાત્મા’ તરીકે ઉલ્લેખ કર્યો હતો, એટલું જ નહીં પણ સમસ્ત માનવજાતને નવી દોરવણી આપી શકે તેવા મસીહા તરીકે ગાંધીજીનો ઉલ્લેખ કર્યો હતો.
- આ જ રીતે તેમણે ગાંધીજીને ભારતના સ્વરાજ માટે નેતૃત્વ લેવા ભાર પૂરક સૂચવ્યું હતું, ફિનિક્સ આશ્રમમાં ભારતના સ્વયંસેવકોને સત્યાગ્રહની તાલીમ આપવાનો બધો ખર્ચ ભોગવવા પણ તેમણે તૈયારી બતાવી હતી. આ ઉપરાંત ગાંધીજીની આફ્રિકા ખાતેની કામગીરી અંગેના અને તેને સંબંધિત પ્રકાશનોના પ્રસાર માટેનો પૂરો ખર્ચ ઊઠાવવાનું પણ તેમણે કબૂલ્યું હતું.
- ગાંધીજીના અંગત ખર્ચ અંગેની બધી જવાબદારી તેમણે પોતાને શીરે લેવા કબૂલ્યું હતું.
- ૧૯૧૧ – ગાંધીજીનું સૌથી પહેલું જીવન ચરિત્ર તેમણે લખ્યું હતું.
- ભારતીય જીવન પદ્ધતિ અંગેનું તેમના બાજા પુસ્તક Hindu Social Ideals પુસ્તકમાં તેમણે ગાંધીજીના ફિનિક્સ આશ્રમ ખાતેના સત્યના પ્રયોગોનો ઉલ્લેખ કર્યો હતો.
- ૧૯૧૫ – ગાંધીજી હમ્મેશ માટે ભારત પાછા આવ્યા બાદ. ગોખલેના અવસાન બાદ તેમને સર્વન્ટસ ઓફ ઇન્ડિયા સોસાયટીના સામાન્ય સભ્ય તરીકે સ્વીકારવા પણ કોઈ તૈયાર ન હતું, તે વખતે ગાંધીજી આઠ દિવસ માટે રંગૂન ગયા હતા. પ્રાણજીવન મહેતાએ તેમને ઉદાર રીતે નાણાંકીય સહાય કરી હતી.
એમ ન કર્યું હોત તો ગાંધીજી મોટા કુટુમ્બની અંગત જવાદારીઓ અદા કરવામાંથી જ દટાઈ ગયા હોત.
- અમદાવાદમાં કોચરબ આશ્રમ સ્થાપવાની પૂરી જવાબદારી તેમને ઊઠાવી હતી.
- ૧૯૨૦ – દાંડી કૂચના દસ વર્ષ પહેલાં ગરીબ પ્રજાની કમર તોડી નાંખતા મીઠા પરના કર સામે આંદોલન ચલાવવા તેમણે ગાંધીજીને સૂચવ્યું હતું.
- ૧૯૨૯ની ગાંધીજીની બર્માની મુલાકાત વખતે નાજૂક તબિયત છતાં તેમની સાથે સતત રહ્યા અને ફર્યા હતા.
રચનાઓ
- K. Gandhi and the South African Indian Problem
- Hindu Social Ideals
- તેમના જીવન વિશે અભ્યાસ પૂર્ણ પુસ્તક – Mahatma and the doctor – Shri S.R. Mehrotra
સાભાર
- The Better India
- શ્રી. ભરત ભટ્ટ, કેમ્બ્રિજ, મેસેચ્યુસેટ્સ
- Dialogue – આસ્થા ભારતી
- શ્રી. ઉર્વીશ કોઠારી
Like this:
Like Loading...
વાચકોના પ્રતિભાવ