૬ મહિનાની ઉમરે તાવ અને ઇન્જેક્શન પછી પોલીઓને લીધે કમરની નીચે બે પગે બિલકુલ અપંગ
લોકોની મશ્કરી અને દુખ સહન ન થતા ઉંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. બચી જતાં , ઉપરોક્ત પંક્તિ જીવનમંત્ર બની.
અપંગ માનવ મંડળમાં એમના જેવા બીજા વિકલાંગોનું મંડળ બનાવીને એમનાં હિત માટેની પ્રવૃત્તિ શરુ કરી.
૧૯૭૯ – વિકલાંગોને માટે બસમાં મફત મુસાફરી અને બસમાં ચડવા માટે પ્રાથમિકતા મળવી જોઈએ એ મુદ્દા માટે ૧૧ દિવસના આમરણાંત ઉપવાસ કર્યા . એ પછી એમની માગણીઓ સ્વીકારાઈ
૧૯૭૯ – વિકલાંગોની જીનીવા વર્લ્ડ મોબિલીટી કોન્ફરન્સમાં એ વખતના વડા પ્રધાન મોરારજી દેસાઈએ કનુભાઈને ભારતના વિકલાંગોના પ્રતિનિધિ તરીકે મોક્લ્યા .
૧૯૮૧ – એમના સબળ પ્રતિનિધિત્વ અને પ્રયાસોથી આખું વર્ષ વિકલાંગ વર્ષ તરીકે ઉજવવાનું ભારત સરકારે જાહેર કર્યું.
૧૯૮૨- અમેરિકામાં નેશનલ સોસાયટી ઓફ હેન્ડીકેપ ઓર્ગેનીજેશનનું ઉદઘાટન કનુંભાઈના હસ્તે કરવામાં આવ્યું.
૧૯૮૫ – સુરત આવીને સ્થાયી થયા.વિકલાંગ પ્રિન્ટીંગ પ્રેસ ચાલુ કર્યું; જે વિકલાંગોથી ચલાવાતું હતું. અહીં સગવડના અભાવે શરૂમાં તેઓ ફૂટપાથ ઉપર સુતા હતા.
૧૯૯૦ – અમેરિકામાં પ્રેસીડન્ટ જ્યોર્જ બુશ’સીનીયર’ ના હસ્તે ‘Outstanding achievement Award’ એનાયત કરવામાં આવ્યો.
૨૦૦૬ – ગુજરાત સરકારે કનુભાઈના કામની કદર કરીને ૪૦ કરોડની કિંમતની જમીન એમની સંસ્થાના વિકાસ માટે વિના મુલ્યે આપી.
વિકલાંગો માટે અલગ હોસ્પિટલ એમનું સ્વપ્ન મુંબાઈના હરિયાની ટ્રસ્ટના ૫ કરોડ રૂપિયાના દાનથી પુરું થયું. હોસ્પિટલનું ઉદઘાટન મુખ્ય પ્રધાન શ્રી. નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું.
સન્માન
૪૦ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.
ગુજરાત સરકારનો ‘ગુજરાત ગૌરવ’ એવોર્ડ
ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’ એવોર્ડ
સાભાર
શ્રી. વિનોદ પટેલ, સાન ડિયેગો ( તેઓ પણ પોલિઓ ગ્રસ્ત છે. )
વાચકોના પ્રતિભાવ