ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: સંગીતકાર/ ગાયક

કાર્તિક ત્રિવેદી, Kartik Trivedi


kartik– Ipressionist artist, Pinao player, metaphysical pursuits

‘દાવડાનું આંગણું’ પર તેમના વિશે અભ્યાસ લેખો
(ઘણા બધા ચિત્રો સાથે)

 – ૧-  ; – ૨ – ; – ૩ – ; – ૪- 

——————————————————————————-

જન્મ

  • ૧૦, ડિસેમ્બર – ૧૯૩૭, લુણસર, જિ. રાજકોટ

કુટુમ્બ

  • માતા- શારદા ; પિતા- લક્ષ્મીશંકર
  • પત્ની-; સંતાનો-

શિક્ષણ

  • ? – બી.એ. – ગુજરાત યુનિ., અર્થશાસ્ત્ર અને રાજકારણ
  • ? – ક્લીવલેન્ડ – ઓહાયો, માસ્ટર ઈન ફાઈન આર્ટ્સ
  • ? – ‘દુનિયાના સંગીત’માં માસ્ટર ડીગ્રી – સાન હોઝે યુનિ.

તેમનો એક વિડિયો ઈન્ટરવ્યુ

તેમનાં ચિત્રોના પ્રદર્શનને લગતો વિડિયો

હુસ્ટનમાં પિયાનો વાદન

kartik4

તેમના વિશે એક પુસ્તક

તેમના વિશે વિશેષ

  • પિતા સરકારી નોકરીમાં હોવાને કારણે તેમની અવારનવાર બદલી થતી. આને કારણે તેમને ગુજરાતના વિવિધ વિસ્તારોનું જ્ઞાન બાળપણમાંથી જ મળ્યું હતું.
  • ૧૯૬૭ – અમેરિકા સ્થળાંતર
  • ક્લીવલેન્ડના મ્યુઝિયમમાં ચિત્રો વિશે જાણકારી આપતા હતા.
  • વિશ્વના ઘણા મહાનુભાવો સાથે તેમનાં ચિત્રો અંગે સમ્પર્ક. તેમનાં ચિત્રો અમેરિકાના પ્રેસિડેન્ટના ચિત્ર સંગ્રહમાં પણ છે.

સાભાર

  • શ્રી. પી.કે.દાવડા

 

 

દિવાળીબેન ભીલ, Diwaliben Bhil


db5કોકિલ કંઠી ગાયિકા

  • રામના બાણ વાગ્યા હરિના બાણ વાગ્યા
  • મારે ટોડલે બેઠો રે! મોર કાં બોલે
  • આપણા મલકના માયાળુ માનવી
  • હું તો કાગળીયા લખી-લખી થાકી…

જીવન શૈલી ઉપર

વિકિપિડિયા ઉપર

દિવ્ય ભાસ્કર ઉપર અવસાન સમાચાર

————————————

મૂળ અટક

  • લાઠીયા

જન્મ

  • ૨, જૂન -૧૯૪૩; દલખાણિયા

અવસાન

  • ૧૯,મે – ૨૦૧૬, જૂનાગઢ

કુટુમ્બ

  • માતા – મોંઘીબેન, પિતા – પુંજાભાઈ
  • લગ્ન – માત્ર બે દિવસ. પછી આજીવન અપરિણીત

db1

તેમના વિશે વિશેષ

  • પિતાને જુનાગઢ રેલ્વેમાં નોકરી મળવાથી એમની સાથે જુનાગઢ આવ્યા.
  • શરૂઆતમાં એમણે નર્સને ઘરે રસોઇની નોકરી કરેલી છે.
  • ગુજરાતી ભજન અને લોકગીત માટે જાણીતાં ગાયિકા તેઓ ફિલ્મી ગીતો માટે પણ જાણીતા છે.
  • હેમુ ગઢવીએ એમનું આકાશવાણી રાજકોટ માટે સહુ પ્રથમ વખત રેકોર્ડિંગ કર્યું હતુ.
  •  પ્રાણલાલ વ્યાસ સાથે એમણે ઘણા સ્ટેજ કાર્યક્રમો કરેલા છે.

ઇન્ટરવ્યુ  – સૌજન્ય

  • દિવ્ય ભાસ્કર

પ્રશ્ન :-

  • જૂના અને નવા ગીતોમાં શું ફર્ક છે.

જવાબ :-

  • જૂના ગીતોના ઢાળ પ્રમાણે હાલની ગાયકી શકય નથી એ ઢાળના ગીતો ગાવા શકય નથી. સામેનું ઓડિયન્સ કેવું અને કેટલું બેઠું છે તે જોઇને તે પ્રમાણે તેને અનુરૂપ ગીતો ગાવાં જોઇએ.

પ્રશ્ન :-

  • પ૦ વર્ષ પછી હાલની ૭૫ વર્ષની વયે કયા ગીતો પસંદ છે.

જવાબ :-

  • હોથલ પદમણી, જેસલ તોરલના ગીતો મને અને લોકોને આજે પણ ગમે છે. મારે ટોડલે બેઠો મોર તેમજ પાપ તારુ પડકાર જાડેજા વગેરે ગીતો બહુજ પસંદ પડે છે.

પ્રશ્ન :-

  • આપનો યાદગાર પ્રસંગ

જવાબ :-

  • રતુભાઇ અદાણી મિનસ્ટિર હતા ત્યારે મને દિલ્હી લઇ ગયેલા. જયાં તત્કાલી વડાપ્રધાન ઇિન્દરા ગાંધીએ મને બોલાવી હતી. મને હિન્દીમાં ‘‘દિવાળી કયા કર રહી હૈ’’ તેમ પૂછ્યું હતું. અને ‘‘જસમા ઓડણ’’નું ગીત ગાવાનું કહ્યું હતું.

પ્રશ્ન : –

  • કયા કયા દેશોનો પ્રવાસ કર્યો છે.

જવાબ :-

  • અમેરિકા, ન્યૂઝીલેન્ડ, આક્રિકા, લંડન સહિત ૧૫ દેશોમાં ગીત ગાયાં છે.

પ્રશ્ન :-

  • આપને કયા એવોર્ડ મળ્યા છે.

જવાબ :-

  • ભારત સરકારનો પદ્મશ્રી એવોર્ડ, વાયબ્રન્ટ ગુજરાતનો એવોર્ડ. મારા ઘરની આખી ભીંત એવોર્ડ અને માનદપત્રકોથી ભરાઇ ગઇ છે.

પ્રશ્ન :-

  • શરૂઆતમાં ગીતો ગાતા કેટલી રકમ મળતી.

જવાબ:-

  • આજથી વર્ષો પહેલા હું ગીત ગાતી ત્યારે હેમુભાઇ ગઢવી, મેરૂભા બાપુએ પ૦ પૈસા આપ્યા હતા. જે મેં આજે સાચવીને રાખ્યા છે અને કાગ બાપુએ મને ‘‘ફુલ ઉતયૉ ફુલવાડી’’એ ગાવાનું કહ્યું હતું. હાલ લંડન, બીબીસી, મુંબઇ, દિલ્હીથી મારા ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. ત્યારે ૧૫થી ર૦ હજારના ઓડિયન્સ વચ્ચે ગાવાનુ થાય છે.

સન્માન  

  • ૧૯૯૦ – પદ્મશ્રી, ભારત સરકાર
  • ૨૦૧૫ – હેમુ ગઢવી એવોર્ડ , સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

અમૃત કેશવ નાયક, Amrut Keshav Nayak


Amrit Keshav Nayak_2
એક પરિચય

 

—————————————————

જન્મ

  • ૧૮૭૭, અમદાવાદ

અવસાન

  • ૨૯, જૂન-૧૯૦૬

અભ્યાસ

  • ચાર ધોરણ સુધી, બે ધોરણ ઉર્દૂમાં

Amrit Keshav Nayak_1

તેમના વિશે વિશેષ

  • ૧૮૮૮ – ૧૧ વર્ષની ઉમરે આલ્ફ્રેડ નાટક કમ્પનીમાં નટજીવનનો પ્રારંભ
  • ૧૫ વર્ષની ઉમરે ‘અલાઉદ્દીન’ નાટકનું દિગ્દર્શન અને ‘લયલા’ તરીકે અભિનય. તેમના કામથી પ્રભાવિત થઈ આલ્ફ્રેડ નાટક કમ્પનીના ડિરેક્ટરે તેમને આસિ. ડિરેક્ટરનો હોદ્દો આપ્યો.
  • શેકસ્પિયરનાં નાટકો ‘હેમ્લટ. અને ‘રોમિયો જુલિયેટ’ ને હિન્દી રંગમંચ પર ઉર્દૂ ભાષામાં ઉતારવાની પહેલ કરી.
  • ધંધાદારી રંગભૂમિના ગીતલેખક, સંગીત વિશારદ
  • કલકત્તાના ‘અમૃત બઝાર પત્રિકા’માં અંગ્રેજી રાજ્યની વિરૂદ્ધ લેખો પણ લખ્યા હતા.
  • પારસી રંગભૂમિના બહુ જ લોકપ્રિય કલાકાર.

રચનાઓ

  • નાટક – ભારત દુર્દશા
  • નવલકથા – એમ.એ. બનાકે ક્યું મેરી મિટ્ટી ખરાબ કી?, મરિયમ,
  • અધૂરાં પુસ્તકો– સંસ્કૃત અને ફારસી ભાષાનો પરસ્પર સંબંધ, નાદિરશાહ

સાભાર

  • ડો. કનક રાવળ
  • ગુજરાતી સાહિત્ય કોશ

 

પંકક ઉધાસ, Pankaj Udhas


Pu_1‘ચિઠ્ઠી આયી હૈ, આયી હૈ, આયી આયી હૈ..’

વિકિપિડિયા પર

વેબ સાઈટ

ઢગલાબંધ ગીતો સાંભળો  –   ૧  –   ;   –  ૨  –

ઢગલાબંધ વિડિયો

———————————————-

જન્મ

  • ૧૭,મે -૧૯૫૮; જેતપુર, જિ. રાજકોટ

કુટુમ્બ

  • માતા– જીતુબેન; પિતા– કેશુભાઈ;  ભાઈઓ – મનહર, નિર્મલ( બન્ને જાણીતા સંગીતકાર/ ગાયક )
  • પત્ની– ફરિદા; પુત્રીઓ – નયાબ, રેવા

શિક્ષણ

  • પ્રાથમિક- રાજકોટ
  • ડિપ્લોમા(એન્જિ.)- ભાવસિંહજી પોલિટિક્નિક, ભાવનગર
  • વિજ્ઞાનમાં ડીગ્રી -વિલ્સન કોલેજ અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ-મુંબાઈ

તેમના વિશે વિશેષ

  • pu_3 pu_2કુટુમ્બમાં સૌથી પહેલાં ગાવાનું શરૂ કરનાર – મોટાભાઈ નિર્મલ; પછી મનહર.
  • રાજકોટની સંગીત નાટ્ય અકાદમીમાં તબલા વાદનની તાલીમ
  • માસ્ટર નવરંગ પાસે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં ગાયકીની તાલીમ
  • ગઝલ ગાયકીમાં પ્રવીણતા મેળવવા ઉર્દૂનો અભ્યાસ
  • કેનેડા અને અમેરિકામાં ગઝલ ગાયકીમાં સફળતા મળવાથી એમાં આત્મ વિશ્વાસ જાગ્યો, અને ઊંડો રસ કેળવાયો.
  • મનહર ઉધાસની મુંબાઈની રંગભૂમિમાં અને બોલીવુડમાં મળેલ સફળતાથી પંકજે પણ એમાં પાર્શ્વગાયક તરીકે પ્રવેશ કર્યો અને વધારે સફળતા મેળવી.
  • ૧૯૮૬- ‘નામ’માં બહુ જ પ્રસિદ્ધ થયેલ અને લોકચાહના મેળવેલ ગીત ‘ચિઠ્ઠી આયી હૈ..’ થી પ્રકાશમાં આવ્યા.
  • ૧૯૯૦ – લતા મંગેશકર સાથે’ મૈયા તેરી કસમ’ દ્વન્દ ગીતથી પણ ઘણી પ્રસિદ્ધિ મળી.
  • પહેલું જાહેર પ્રશંસા પામેલ ગીત ‘અય! મેરે વતનકે લોગોં..’
  • ૧૯૮૦– પહેલું ગઝલનું આલ્બમ’આહટ’
  • ‘શગુફ્તા’ આલ્બમ – હિન્દીમાં સીડી પર બહાર પડેલ પહેલું આલ્બમ
  • અત્યાર સુધીમાં ૫૦થી વધારે આલ્બમો બહાર પડ્યાં છે.
  • સાજન, યહ દિલ્લગી, ફિર તેરી કહાની યાદ આઈ… ફિલ્મોમાં નાનકડા પાત્રોમાં અભિનય પણ કરેલો છે.
  • ‘સોની’ ટીવી પર, ઉગતા ગઝલ ગાયકોને તક પૂરી પાડતા  કાર્યક્રમ -‘આદાબ અર્ઝ હૈ’ નું સંચાલન પણ કર્યું છે.

આલ્બમો

  • Aahat (1980)
  • Mukarrar
  • Tarrannum
  • Mehfil
  • Shamakhana
  • Pankaj Udhas Live at Albert Hall
  • Nayaab
  • Legends
  • Khazana
  • Aafreen
  • Shagufta
  • Nabeel
  • Aashiana
  • Rubayee
  • Teen Mausam
  • Geetnuma
  • Kaif
  • Khayaal
  • Aman
  • Woh Ladki Yaad Aati Hai
  • Stolen Moments
  • Mahek
  • Ghoonghat
  • Muskan
  • Dhadkan
  • Best of Pankaj Udhas Vol-1,2
  • Pankaj Udas ‘Life Story’ Vol-1,2
  • Pankaj Udhas Vol-1,2,3,4
  • Lamha
  • Janeman
  • Jashn
  • Endless Love
  • shaayar
  • Rajuat (Gujarati)
  • Baisakhi (Punjabi)
  • Yaad
  • Kabhi Ansoo Kabhi Khushboo Kabhi Naghuma
  • Humnasheen
  • In Search of Meer (2003)
  • Hasrat
  • Bhalobasha (Bengali)
  • Yaara – Music by Ustad Amjad Ali Khan
  • Shabad – Music by Vaibhav Saxena and Gunjan Jha
  • Shaayar (2010)
  • Barbad Mohabbat
  • Nasheela

સન્માન

  • ૨૦૦૬ – ૨૫ આલ્બમો બહાર પાડવાના સબબે, ભારત સરકાર તરફથી પદ્મશ્રી.
  • બીજા અનેક સ્થાનિક પારિતોષિકો અને એવોર્ડ

સાભાર

  • વિકિપિડિયા

નારાયણ સ્વામી, Narayan Swami


Narayan-Swami

 “फकीरी में मजा जीसको, अमीरी क्या बेचारी हे”

શ્રી કેદાર સિંહજીના બ્લોગ ઉપર

તેમણે ગાયેલાં ભજનો ( ‘દાદીમાની પોટલી’ પર )

એક સરસ પરિચય લેખ (કેદારસિંહજી)

–  વિકિપિડિયા ઉપર 

——————————————————————————

મૂળ નામ

  • શક્તિદાન મહીદાન લાંગાવદરા

જન્મ

  • ૨૯, જુન- ૧૯૩૮; માંડવી
  • રહેઠાણ – રાજકોટ

કુટુમ્બ

  • માતા-?; પિતા- ?
  • પત્ની- ? સંતાનો -?

અવસાન

  • ૧૫, સપ્ટેમ્બર -૨૦૦૦

લક્ષ્મણ બારોટ સાથે

તેમના વિશે વિશેષ

  • ગુજરાતી ભજન નાં એક ખૂબ જ જાણીતા ગાયક કલાકાર
  • તેમનાં લોક ડાયરો અથવા સંતવાણી કાર્યક્રમો ભારત સહિત વિદેશોમાં થયા હતા.
  • દાસી જીવણ, મીરાં બાઈ, કબીરજી, ગંગાસતી અને નરસિંહ મહેતાનાં ભજનો સંભળાવીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
  • તેમણે સંસાર માંથી સન્યાસ લીધો હતો. શાપર (વેરાવળ)નાં પાટીયે આવેલ શ્રી પરબવાળા હનુમાન મંદીરે તેઓ થોડો સમય રહયા હતાં. જયાં તેઓ દર શનિવારે ભજન કરતા હતા.
  • તેમની સાથે વેરાવળ (શાપર)નાં મુળુભા(બચુભાઈ) તેમજ અન્ય સાથીદારો એ શરૂ કરેલ આ ક્રમ આજે પણ ચાલુ છે.
  • ત્યાર પછી તેઓ કચ્છ જિલ્લાનાં માંડવી ખાતે સ્થાપેલ આશ્રમમાં રહેતા હતા; જયાં બિમાર તથા અશક્ત ગાયોની સંભાળ માટે ગૌશાળા પણ સ્થાપેલ.
  • રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશને રાજકોટ શહેરમાં એક જાહેરમાર્ગનું નામ નારાયણ સ્વામી માર્ગ નામ આપેલ છે.

સાભાર

  • વિકિપિડિયા
  • શ્રી.અશોક દાસ
  • કેદારસિંહજી

ભજનો

ધાર્મિકલાલ પંડ્યા, Dharmiklal Pandya


Dh_Pan

વર્તમાનમાં ગણ્યાગાંઠ્યા માણભટ્ટોમાં સર્વોચ્ચ

ઇન્ડિયા ટુડે માં લેખ

———————————————————————-

જન્મ

  • ૧૯૩૦?

કુટુમ્બ

  • માતા -?  પિતા – ચુનીલાલ ( માણભટ્ટ)
  • પુત્રો – પ્રદ્યુમ્ન, મયંક( તેઓ પણ માણભટ્ટ )

તેમના વિશે વિશેષ

  • તેમનાં આખ્યાનો મહિના સુધી ચાલતા
  • ૨૦૦૪ની વિગત અનુસાર તેમણે ૨૫૦૦ આખ્યાનો કર્યાં છે.
  • અમેરિકા અને યુ.કે.માં પણ આખ્યાનો કર્યાં છે.
  • રહેઠાણ – વડોદરા

વિડિયો ઘણા છે – વિગતો નથી !

ખેર વિગતો જ્યારે મળે ત્યારે; આજે તો એમના બે વિડિયો માણો

ચિરાગ પટેલ દ્વારા

અને બીજાત્રણ ભાગ

– ૨ – ; –  ૩ – ; – ૪ –

ગુર્જરવાણી દ્વારા

અને બીજા બે ભાગ

– ૨ – ; –  ૩ – 

સાભાર – શ્રી. કનક રાવળ

પુરૂષોત્તમ ઉપાધ્યાય, Purushottam Upadhyay


p_U_1”સાધુ! ચરણ કમલ ચિત છોડ.”

– છ વર્ષની ઉમ્મરે ગાયેલું,17 વખત વન્સમોર થયેલું જીવનનું  પહેલું જાહેર ગીત.

# એક સરસ પરિચય

# ઓપિનિયન‘ પર એક લેખ

# ઢગલાબંધ ગીતો સાંભળો

————————————————- Read more of this post

મનહર ઉધાસ, Manhar Udhas


મિર્ચી મ્યુઝિક એવોર્ડ વખતે - ૨૦૧૩

મિર્ચી મ્યુઝિક એવોર્ડ વખતે – ૨૦૧૩

તેમણે ગાયેલી સ્વ. શ્રી રજની પાલનપુરીની મનપસંદ ગઝલ ‘ બની આઝાદ ‘ ના પહેલા શેરની પ્રેરણાથી બનેલી એક ઈ-બુક

વિકિ ઉપર

– તેમનો એક ઇન્ટરવ્યુ  

–  ‘સારેગમપ’ ની પહેલી ‘ગોલ્ડન વોઈસ હન્ટ’ ની શરૂઆત વખતનો અહેવાલ

– અન્ય 

– ‘ટહૂકો’ પર ઢગલાબંધ ગીતો સાંભળો અને વાંચો 

‘ રણકાર’ પર ઢગલાબંધ ગીતો સાંભળો અને વાંચો

‘મીતિક્ષા.કોમ’ પર ઢગલાબંધ ગીતો સાંભળો અને વાંચો

બની આઝાદ જ્યારે માનવી નિજ ખ્યાલ બદલે છે,
સમય જેવો સમય આધીન થઇને ચાલ બદલે છે.

– રજની ‘પાલનપુરી’

'બની આઝાદ' જે આલ્બમમાં છે, તે આલ્બમ

‘બની આઝાદ’ જે આલ્બમમાં છે, તે આલ્બમ

————————————

——————————-

જન્મ

  • જેતપુર ; (મૂળ વતન- રાજકોટ પાસે ચરખડી ગામ )

કુટુમ્બ

  • માતા – જીતુબેન ; પિતા – કેશુભાઈ; ભાઈઓ – પંકજ, નિર્મલ( બન્ને જાણીતા સંગીતકાર/ ગાયક )
  • પત્ની –  ? ; સંતાન – ?

શિક્ષણ

  •  ( વર્ષ – ?)  – ડિપ્લોમા મિકેનિકલ એન્જિ.(ભાવસિંહજી પોલિટેક્નિનિક, ભાવનગર)

વ્યવસાય

  • જીવન ભર સંગીતકાર, ગાયક

શાંત ઝરૂખે વાટ નિરખતી, રૂપની રાણી જોઈ હતી

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,

નયનને બંધ રાખીને, મેં જ્યારે તમને જોયાં છે.

તારી ઉદાસ આંખમાં સપનાં ભરી શકું

થાય સરખામણી તો ઉતરતા છીએ 

જોતો જ રહ્યો બસ હું તમને

તેમના વિશે વિશેષ

  • તેમના નાના ભાઈ નિર્મલ ઉધાસે મુંબાઈમાં પહેલી વખત ગાયક તરીકે કારકિર્દી શરૂ કરી હતી.
  • મુંબાઈમાં નોકરી શોધતા હતા, ત્યારે તેમના બનેવીએ તેમનો સંગીતમાં રસ જોતાં કલ્યાણજી આણંદજી સાથે કામ કરવાનું સૂચવ્યું.
  • પહેલી વખત મુકેશ હાજર ન હોવાના કારણે અને ગીતની ફિલ્મના શુટિંગ માટે બહુ જ જરૂર હોવાથી મુકેશની અવેજીમાં એમનું પહેલું ગીત રેકોર્ડ થયું. એમની ગાયકીની ગુણવત્તા જોતાં, મુકેશે એ ગીતને જ ફાઈનલ રાખવા કહ્યું !( आपको हमसे बिछडे हुए , एक ज़माना बीत गया । – ૧૯૬૯ની ફિલ્મ ‘વિશ્વાસ’ ) તેમના જીવનમાં આ એક મહાન વળાંક નીવડ્યો , અને ત્યારથી એમણે સતત ગીત/ સંગીતની  સાધના ચાલુ જ રાખી છે.
  • તેમણે ગાયેલાં ઘણાં ગીતો મુકેશે ગાયેલાં છે- એમ શ્રોતાઓ માની લે છે!
  • તેમણે ગાવાની શરૂઆત કરી ત્યારે ઘણા બધા પ્રખ્યાત ગાયકો યુવાન હતા; અને તેમણે ગાવા માટે ખાસ કોઈ તાલીમ લીધી ન હતી. અને છતાં તેમની ગાયક તરીકેની કારકીર્દિ આગળ ધપતી જ રહી.
  • બોલીવુડના મોટા ભાગના સંગીતકારો સાથે કામ કર્યું છે; અને ઘણા ફિલ્મી કલાકારોના પાર્શ્વ ગાયક તરીકે ગીતો ગાયાં છે.
  • ‘ઝી’ ટીવીના ‘સારેગમપ’ના નિર્ણાયકોમાં અગ્રેસર. અનેક નવા ગાયકો એના થકી ઝળહળતા થયા છે – એક જાણીતું ગુજરાતી નામ – પાર્થિવ ગોહિલ
  • હિન્દી, ગુજરાતી, પંજાબી, બંગાળી અને બીજી ભાષાઓની ૩૦૦થી વધારે ફિલ્મોમાં ગીતો ગાયાં છે.
  • અત્યાર સુધીમાં તેમના ૬૦ આલ્બમો બહાર પડ્યા છે.
  • કદાચ તેમનું પહેલું ગુજરાતી આલ્બમ ‘ સૂરજ ઢળતી સાંજનો છે’ – પણ તે શ્રી. પુરૂષોત્તમ ઉપાધ્યાયના સંગીતમાં હોવાથી તેમના આગવા આલ્બમમાં ગણાતો નથી. તેમનાં બધાં ગુજરાતી આલ્બમોનાં નામ ‘અ’થી શરૂ થાય છે; એ એમની વિશેષતા છે.

તેમનાં ગુજરાતી ગીતોનાં આલ્બમો

  • આગમન, અવસર, આનંદ, આવકાર, અર્પણ, આમંત્રણ, અરમાન, અભિનંદન, અમૃત, આભુષણ, અનુરાગ, અભિષેક, આરંભ, અનુભવ, અસ્મિતા, આકાર, આવાઝ, આલાપ, અપેક્ષા, આફરિન( વિડિયો), આકૃતિ, આભાર, અક્ષર, અનમોલ, અભિલાષા, અદ્‍ભૂત

manahrસાભાર

  • વિકિપિડિયા

વિભા દેસાઈ, Vibha Desai


તેમણે ગાયેલી સ્તુતિઓ સાંભળો

માડી તારું કંકુ ખર્યુ ને સુરજ ઊગ્યો – સાંભળો

—————–

જન્મ

  • ૨૫, જાન્યુઆરી-૧૯૪૪, પોરબંદર

મૂળ નામ

  • વિભા વૈષ્ણવ

કુટુમ્બ

અભ્યાસ 

  • પ્રાથમિક, માધ્યમિક – પોરબંદર
  • ૧૯૬૪ – અર્થશાસ્ત્ર અને આંકડા શાસ્ત્ર સાથે બી.એ. ( ગુજ. યુનિ.)

વ્યવસાય

  • ૧૯૬૨-૬૩ – બાર કાઉન્સિલના કાર્યાલયથી કારકિર્દીની શરૂઆત
  • ૧૯૬૩-૬૪ – વેચાણવેરા કાર્યાલયમાં જોડાયાં
  • ૧૯૬૪ – આવકવેરા ખાતામાં; ૧૯૬૫ – ખુલ્લી સ્પર્ધામાં અધિકારી તરીકે પસંદગી
  • ૧૯૭૩ – ડેપ્યુટી આવકવેરા અધિકારી
  • ૧૯૮૭ – આસિ. આવકવેરા કમિશ્નર
  • ૧૯૯૧– આવકવેરા કમિશ્નર
  • ૨૦૦૦ – જોઈન્ટ આવકવેરા કમિશ્નર
  • ૨૦૦૧ – એડિશનલ આવકવેરા કમિશ્નર
  • ૨૦૦૪ – નિવૃત્ત
  • પણ વધારે જાણીતાં – સંગીતકાર/ ગાયિકા તરીકે

એમના વિશે વિશેષ

  • માતા અને પિતા બન્ને તરફથી સંગીતનો વારસો મળ્યો.પિતા આગ્રા ઘરાનાના શોખિયા ગાયક હતા.
  • શરૂઆતમાં સંગીતની તાલીમ ગુલામ અહમદખાં સાહેબ પાસેથી
  • ‘રંગમંડળ’ નાટ્ય સંસ્થાના ‘ભોલા માસ્ટર’ નાટકમાં પહેલી વખત જાહેરમાં ગીત ગાયું; ત્યારથી જાહેરમાં ગાવાની કારકિર્દીની શરૂઆત કરી.
  • ૧૯૬૦-૬૪ ; કોલેજકાળ દરમિયાન રસિકલાલ ભોજક અને રાજકુમાર રાજપ્રિય દ્વારા નિર્દેશિત, સંગીત, નૃત્ય નાટિકાઓમાં ભાગ લીધો.
  • ૧૯૬૧- ‘આકાશવાણી’ દ્વારા આયોજિત, સુગમ સંગીતની અખિલ ભારતીય સ્પર્ધામાં બીજું પારિતોષિક પ્રાપ્ત કર્યું. ( રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણનના હાથે.)
  • ૧૯૬૧ થી આકાશવાણીના હળવા સંગીત ગાયક કલાકાર
  • દૂર દર્શનનાં પણ માન્ય કલાકાર.
  • ‘નુપૂર ઝંકાર’ નામની જાણીતી ગરબા સંસ્થાનાં, લાંબા સમયથી મુખ્ય ગાયક અને ગરબા કલાકાર
  • ૧૯૬૫- દિલ્હી ખાતે આયોજિત , પ્રજાસત્તક દિનની ઉજવણી પ્રસંગે નેશનલ સ્ટેડિયમમાં આયોજિત, કાર્યક્રમમાં ગુજરાતના જૂથનું નેતૃત્વ સંભાળ્યું હતું.
  • ૧૯૬૧- અમદાવાદના રાજભવન ખાતે ઇન્ગ્લેન્ડનાં મહારાણી ઈલેઝાબેથના માનમાં યોજાયેલ સંગીત અને ગરબા કાર્યક્રમમાં આગળ પડતો ભાગ લીધો હતો.
  • ૧૯૬૩ – મુંબાઈમાં ભારતીય વિદ્યાભવનમાં યોજાયેલી હળવા સંગીતની પરિષદમાં ભાગ લીધો હતો.
  • ૧૯૬૩ – HMV દ્વારા બહાર પડેલી, તેમણે ગાયેલાં ગીતોની પહેલી રેકર્ડ – ‘નજરૂંના કાંટાની ભૂલ’
  • ૧૯૬૨- ગુજરાત રાજ્યના યુવક મહોત્સવમાં ઈન્ટર ઝોનલ, સુગમ સંગીત હરીફાઈમાં બીજું પારિતોષિક
  • ૧૯૬૩ થી – ‘શ્રુતિ’ સંગીત સંસ્થાના સક્રીય સભ્ય
  • ભારતના મહાનગરોમાં તેમના સુગમ સંગીતનાં અનેક કાર્યક્રમો યોજાયા છે.
  • આકાશવાણીનાં અમદાવાદ, દિલ્હી, જોધપુર અને મુંબાઈ કેન્દ્રો દ્વારા તેમનાં અનેક ગીતોનું રેકોર્ડિંગ થયું છે.
  • ૧૯૭૯ – ગુજરાતી ચલચિત્ર ‘ કાશીનો દીકરો’ માં તેમણે ૧૯૬૯માં ગાયેલ ગીત ‘ રોઈ રોઈ આંસુની  ઊમટે નદી’ ને સર્વોત્તમ ગીતનું પારિતોષિક મળ્યું હતું.
  • ૧૯૮૧- અમેરિકાના ડેટ્રોઈટ ગુજરાતી સમાજે ‘ઓનરરી સિટિઝન એવોર્ડ’ એનાયત કર્યો હતો.
  • ૧૯૮૧-૨૦૦૦ દરમિયાન પાંચ વાર અમેરિકાનો પ્રવાસ અને ૧૫૦ સંગીત કાર્યક્રમો
  • ૧૯૮૬ – ઇન્ગેન્ડનો પ્રવાસ
  • ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા યોજાયેલ ‘કવિ નર્મદ શતાબ્દી’ મહોત્સવ ( ૧૯૮૧) અને ‘ નરસિંહ મહેતા પંચશતાબ્દી મહોત્સવ ( ૧૯૮૩)માં સક્રીય ભાગ

સાભાર

ગૌરાંગ વ્યાસ, Gaurang Vyas


‘ દીકરી તો પારકી થાપણ કહેવાય’

હુ..તુ..તુ.. સાંભળો, અને એમને ગાતાં જુઓ.

તેમના વિશે શ્રી. જનાર્દન રાવળને સાંભળો

સાંભળો….

નવરાત્રિ 2009 નાં ગરબા-રાસની રમઝટ એકીસાથે સાંભળો…

પાગલ થઈ ગઈ -પન્ના નાયક

મણિયારો તે હલુ હલુ…

શૂન્યતામાં પાનખર – આદિલ મન્સૂરી

હે સર્જનહારા… – કેશવ રાઠોડ 

શ્વાસોમાં તું 

————————————————-

જન્મ

  • ૨૪, નવેમ્બર, ૧૯૩૮; મુંબાઈ

કુટુમ્બ

શિક્ષણ

  • મુંબાઈની પોદ્દાર હાઈસ્કૂલમાંથી માધ્યમિક શિક્ષણ
  • અમદાવાદની એન્જિ. કોલેજમાંથી મિકેનિકલ એન્જિ.માં ડિપ્લોમા

વ્યવસાય

  • મુંબાઈની ખંડેલવાલ એન્જિ. કમ્પનીથી શરૂઆત
  • જીવનભર સંગીતના ક્ષેત્રને સમર્પિત

તેમના વિશે વિશેષ

  • પાંચ વર્ષની ઉમ્મરથી જ હાર્મોનિયમ પર ‘ વૈષ્ણવજન’ વગાડતા.
  • ગુજરાતી ચલચિત્ર ‘ લીલુડી ધરતી’માં શ્રી. પુરૂષોત્તમ ઉપાધ્યાય સાથે સંગીત આપ્યું. આ માટે શ્રેષ્ઠ સંગીતકારનો સહિયારો એવોર્ડ મળ્યો.
  • ‘ઉપર ગગન વિશાળ’ અને ‘જેસલ તોરલ’માં ( પિતા સાથે) સહાયક સંગીત નિર્દેશક; જેમાં તેમને ઘણી લોકપ્રિયતા મળી
  • ૧૯૭૬ – ‘લાખો ફુલાણી’ માં સ્વતંત્ર રીતે સંગીત નિર્દેશન; જેમાં પાર્શ્વગાયક શ્રી. પ્રફુલ્લ દવેએ ‘ મણિયારો તે હળુ હળુ..’ ગીત પહેલી જ વખત ફિલ્મમાં ગાયું.
  • ગુજરાતી ફિલ્મોમાં આશા ભોંસલે, સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપુર, ભુપિન્દર, પ્રીતિ સાગર વિ. ના કંઠનો ઉપયોગ કર્યો.
  • ‘પારકી થાપણ’નું ગીત ‘ દીકરી તો પારકી થાપણ કહેવાય’ – લતા મંગેશકરના કંઠે બહુ જ લોકપ્રિય થયું.
  • ૧૯૮૧- કેતન મહેતા નિર્મિત ‘ ભવની ભવાઈ’ માં સંગીત નિર્દેશનને આંતર રાષ્ટ્રીય કક્ષાનું સન્માન મળ્યું.
  • ૫૦૦થી વધારે ગુજરાતી ગીતોમાં સ્વરાંકન કરેલું છે.
  • ૧૯૬૧ – અમદાવાદમાં શ્રી. રાસબિહારી અને શ્રીમતિ વિભા દેસાઈની સાથે ‘શ્રુતિ’ સંસ્થા શરૂ  કરવામાં પાયાનું યોગદાન.
  • એચ.એમ.વી. એ તેમના સંગીતની ‘શ્રવણ માધુરી’ અને ‘ સાગરનું સંગીત’ રેકર્ડ બહાર પાડી હતી.
  • ૨૦૦૪ સુધીમાં ૧૦૦ થી વધારે ફિલ્મોમાં સંગીત આપ્યું.
  • ગુજરાતી રાસ-ગરબાઓમાં નવા નવા સંગીત પ્રયોગો કરેલા છે.
  • નૃત્યનાટિકાઓ, ટેલિવિઝન, લોકસંગીત, ભજન સંગીતમાં પણ બહોળું સંગીત પ્રદાન
  • તેમનાં જાણીતાં આલ્બમો – જલારામની ઝુંપડી, ભજન અનમોલ, ગંગા સતીનાં ભજનો, કહત કબીર, જલારામ બાપાનું હાલરડું પ્રાચીન પ્રભાતિયાં, નોન સ્ટોપ ડાંડીયા-રાસ

તેમનાં આલ્બમો

સન્માન

  • ગુજરાતી ફિલ્મોમાં સંગીત નિર્દેશન માટે ૧૧ પુરસ્કારો

સાભાર

  • ગુજરાતી વિશ્વકોશ ; શ્રી. રાસબિહારી દેસાઈ, શ્રી. હરીશ રઘુવંશી
%d bloggers like this: