ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: સમાચાર

ગુજરાતી વિશ્વ કોશ – ડિજિટલ સ્વરૂપે


સાભાર – શ્રી. જુગલકિશોર વ્યાસ

જેની ઘણા વખતથી રાહ જોવાઈ રહી હતી, તે શક્યતા હવે સાકાર બની છે ,

ગુજરાતી કવિતાનું નવું સરનામું


ગુજરાતી બ્લોગ જગતની શરૂઆત થઈ ત્યારે કવિતા જ કવિતા નેટ જગત પર છવાયેલી હતી. આ જણે પણ એક કવિતા એ બાબત લખી હતી –

આ નેટ જગતના આકાશે, સો વાદળ ઉમટી આવ્યાં છે.
કોઈ હલકી ફુલકી વાદળી, તો કોઈ શ્યામ ઘટા ઘનઘોર મહા.

તુંય ‘સુજાણ’ લઈ આવ્યો, અવનવી વાનગી થાળ ભરી,
જીવનનું સત્વ પ્રસારીને, પીરસ્યાં વ્હાલાં સર્જન નવલાં.

[ આખી કવિતા અહીં વાંચો ]

ત્યાર પછી તો નેટ જગત ખુબ ફૂલ્યું અને ફાલ્યું, અને કાવ્ય રસ ઉત્તરોત્તર ગૌણ બનવા લાગ્યો. પણ,કાવ્ય રસિકો માટે ખુશ ખબર છે.
શ્રીમતિ લતા હિરાણીએ કાવ્ય સૃષ્ટિની સર્વાંગ સેવા કરવાનું બીડું ઝડપ્યું છે.

કેટકેટલી સામગ્રી ત્યાં પીરસાઈ રહી છે?

  • સંવાદ
  • કાવ્ય
  • અનુવાદ
  • આસ્વાદ
  • સર્જક
  • સ્વરૂપ
  • સંચય

વિગતે જાણવા તો રસિક જનોએ કાવ્ય વિશ્વની મુલાકાત જ લેવી રહી.

લતા બહેનને

આ પહેલ માટે

હાર્દિક અભિનંદન

ગુજરાતી નેટ જગતમાં નવો સીતારો


ગુજરાતી નેટ જગત હવે રાંક નથી જ. એમાં અસંખ્ય તારલાઓ વર્ષોથી ઝગમગી રહ્યા છે. એમાં એક નવા નક્કોર સીતારાના જન્મના આ સમાચાર ‘પ્રતિભા પરિચય’ના વાચકોને આપતાં આનંદની લાગણી થાય છે.

અહી ક્લિક કરી વેબ સાઈટ પર પહોંચો

જાણીતાં કવયિત્રી લતા હિરાણીએ ઘણી મહેનત અને અનેક મિત્રોના સહકારથી ૧૮, ઓક્ટોબર – ૨૦૨૦ ના રોજ શરૂ કરેલ આ વેબ સાઈટ ગુજરાતની સેવામાં નામ કાઢે તેવી શુભેચ્છા.

તેમાં સામગ્રી નીચેના વિભાગોમાં વહેંચવામાં આવશે .

  1. સાંપ્રત
  2. સંવાદ
  3. સર્જન
  4. અનુવાદ
  5. આસ્વાદ
  6. સર્જક
  7. સ્વરૂપ
  8. સંચય

ગુગમ – એક નવું પ્રસ્થાન


ગુજરાતી ગરિમા મંચ’ની કલ્પના અને સ્વપ્ન વાદળોમાં ધીમે ધીમે અવનવાં સ્વરૂપ ધરી રહ્યાં છે.

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સાન ફ્રાન્સિસ્કોના બે એરિયામાં શ્રીમતિ પ્રજ્ઞાબહેન દાદભાવાળાના નેતૃત્વ નીચે અનેક ઉત્સાહી ભાઈ બહેનોએ આ ઈ-કોર્ટ યોજી છે. જેમને ઝૂમ મિટિંગ નિહાળવી હોય તે , આ સમાચારની નીચે પોતાનો ફોન નંબર આપશે તો તેમને એમાં પ્રવેશ કરવા માટેનું માર્ગ દર્શન આપવામાં આવશે.

હવે આશા બંધાય છે કે, જમીન પર પણ એક દિવસ ગુગમ અવતરશે – દરેક ગુજરાતી ઘરમાં – ગલીઓ અને સભાખંડોમાં – દરેક ગુજરાતીના અંતરસ્તરમાં

ગુગમ – ગુજરાતી ગરિમા મંચ


પ્રિય મિત્ર,

     સેલફોનના વધતા જતા ઉપયોગ સાથે ઈમેલ વ્યવહાર બહુ સીમિત બની ગયો છે. એવી જ હાલત મોટા ભાગની ગુજરાતી વેબ સાઈટો અને બ્લોગોની છે. આથી ૯ ડિસેમ્બર – ૨૦૧૯ ના રોજ નીચે દર્શાવેલ લોગોવાળું  વોટ્સ એપ ગ્રુપ ચાલુ કરવામાં આવ્યું છે.  એનું આ શ્વેતપત્ર વાંચવા વિનંતી છે –

image.png

આ લોગો પર ક્લિક કરો

    એમાં સોશિયલ મિડિયાની  ચીલાચાલુ રીત રસમ કરતાં એક નવો જ અભિગમ રાખવામાં આવ્યો છે.

    જો કોઈ મિત્ર એમના મિત્રને જોડાવા કહે અને તે કબૂલ થાય તો જ એમાં એમને ઉમેરવા. નવા જોડાનાર મિત્રે ગુગમની કોઈ એક પ્રવૃત્તિમાં ભાગ લેવો જોઈએ અને નીચેની બાબતો અંગે સંયમ પાળવો જોઈએ –

૧.    કોઈ પણ  જાતની બાબત ફોર્વર્ડ કરવા પર પ્રતિબંધ

૨.    કોઈ પણ  જાતની પ્રશંસા કે ટીકા ( Likes, eMoji પણ )ની  જાહેરમાં અભિવ્યક્તિ પર પ્રતિબંધ

૩.     પોતાની રચના મૂકવા પર પણ પ્રતિબંધ

  તો તમને થશે કે, વ્યવહાર શી બાબત અંગે ?  આ રહ્યા નવા નૂસખા –

     ગુજરાતની ગરિમા ઉજાગર કરે તેવી નીચેની બાબતો

ક)      સોમવાર – ઈતિહાસ/ પુરાતત્વ/ કળા અંગેની ક્વિઝ

ખ)     મંગળવાર –  શબ્દ રમત

ગ)     ગુરૂવાર – જનરલ ક્વિઝ

ઘ)     શુક્રવાર  સાહિત્ય ક્વિઝ

ચ)     વાચિકં – જાહેર કરવામાં આવે તે વિષય પર સભ્ય મહત્તમ બે મિનિટની વોઈસ ક્લિપ મોકલે. મળેલ સૌ સંદેશ પરથી વિડિયો બનાવવામાં આવી યુટ્યુબ પર તરતો મૂકવામાં આવે છે.

છ)     શનિવાર –  કોઈ એક ગુજરાતી  કલાકારનો પરિચય

જ)     રવિવાર – કોઈ એક સેવાલક્ષી ગુજરાતી સંસ્થાનો પરિચય

ઝ)     અવારનવાર કોઈ એક ચિત્ર / વિડિયો / શેર કે વિચાર પર ચર્ચા ચોરો

ટ)    તંત્રી ( સુરેશ જાની) ની પરવાનગી લીધા બાદ ગુજરાતની ગરિમાને ઉજાગર કરે તેવા સમાચાર

ઠ )  કોઈ નવી સામૂહિક પ્રવૃત્તિ શરૂ કરવા કોઈ સભ્યને ઉમંગ થાય અને તંત્રીને જાણ કરે અને યોગ્ય લાગે તો તે પણ સહર્ષ શરૂ કરવામાં આવશે.

ડ)   ગુજરાતીમાં લખાણ માટે આગ્રહ નથી, પણ તેમ કરવું આવકાર્ય છે.

      વાચિકં માં ભાગ લેવા પાંચ દિવસનો અને બીજી કોઈ  વર્કશોપમાં ભાગ લેવા ત્રણ દિવસનો સમય આપવામાં આવે છે – અને તે પણ તેના સંચાલકને અંગત રીતે જ મોકલવાનો હોય છે. માત્ર ચર્ચા ચોરો જ જાહેર પ્રવૃત્તિ હોય છે.

   હાલ ગ્રુપમાં ૧૫ સક્રીય સભ્યો છે. પણ  ગુગમના આ વિચારનો વ્યાપ થાય એ હેતુથી વધારે સભ્યો ઉમેરવાનો વિચાર છે.  પણ સભ્ય સંખ્યા ૫૦ થી વધારે વધવા દેવામાં નહીં આવે. જો કોઈ અઠવાડિયામાં વ્યસ્તતાના કારણે સભ્ય ભાગ ન લઈ શકે, તો તે ગનીમત;  પણ જો એક મહિના સુધી આમ  ચાલુ રહે તો એડમિન તરફથી તેમનું ધ્યાન દોરવામાં આવશે.

    જો તમને આ બાબતો  યોગ્ય લાગતી હોય અને જોડાવા વિચાર હોય તો મને તમારો સેલ ફોન નં. આપવા વિનંતી છે.  આશા  છે કે, ગુગમની ભાવના અને ઉદ્દેશને ઉજાગર કરવાના આ અભિયાનમાં તમે જોડાશો. તમારા મિત્રોને પણ આની જાણ કરશો , તો આભારી થઈશ.

કરોડવતી


કરોડપતિ તો હવે ઘણા છે , પણ આ કરોડવતી કોણ?

આ રહી…….

 

આ લોગો પર ક્લિક કરો.

વેબ ગુર્જરી પર ઈ-વિદ્યાલય


       અમારો આનંદ છે કે, ઈ-વિદ્યાલય વિશેનો એક લેખ વેબ -ગુર્જરીના સંચાલકોને ગમ્યો છે અને ત્યાં એ પ્રસિદ્ધ કાવામાં આવ્યો છે.

wegu_logo

આ લોગો પર ક્લિક કરો.

ગુજરાતી સાહિત્યની એક ઓર સેવા


સાભાર – શ્રી. વિનોદ પટેલ

1527326345

આ એક નવી વેબ સાઈટની આજે ખબર પડી. [ અહીં ક્લિક કરો ]

ત્યાંથી આ ઉદ્‍ ઘોષણા….

      ગુજરાતી ભાષાના વિકાસ માટે અત્યારે ચારે તરફ યથાશક્તિ પ્રયત્નો થઇ રહ્યા છે. આમ તો ભાષા એ વ્યક્તિ અને પ્રજામાં જીવતું જીવનભૂત તત્વ છે. પ્રજાના માનસમાં અને વ્યવહારમાં એ જીવે અને એનું પ્રતિબિંબ જેમ અન્યત્ર એજ રીતે સાહિત્યમાં પડતું હોય છે.

     આવું સાહિત્ય માત્ર પુસ્તકોના પાનાંઓ પર રહે તો એની મર્યાદા વધતી જાય. પ્રત્યાયનના સાધનો અને ધોરણો વિકસે એજ રીતે સાહિત્યના પણ પ્રત્યાયન આયામો વધવા જોઈએ. જે માધ્યમ સૌથી વધુ સક્રિય હોય એનો મહત્તમ વિનિયોગ થવો જોઈએ. તો વ્યાપની શક્યતાઓ વધુ છે.

     આવું થોડા રાજકોટનાં નવયુવાન સાહિત્યચાહકોને થયું. અને એનું પરિણામ તમારી સામે છે. આ યુવકોની છેલ્લા એકાદ વર્ષની મહેનતનું આ પરિણામ છે. હેતુ માત્ર સાહિત્યનો અને એ દ્વારા ભાષાનું વ્યાપક વિસ્તરણ થાય એજ.

     અહીં મધ્યકાળથી માંડીને સાંપ્રત ગુજરાતી સાહિત્યની કૃતિઓ યથાતથ સ્વરૂપે આપની સામે છે. એ તમારા આનંદનું અને ભાષા પ્રત્યે પ્રેમનું કારણ બને એજ ઉપલબ્ધિ. આવા અનેક પ્રયોગો થશે તો સાહિત્ય તો બહુજન સુધી પહોંચશે જ પણ સાથે ભાષા પણ નવતર અને નવા આયામ રચશે એવી અમને  તો શ્રદ્ધા છે. આપ એને બેવડાવો એવી અભ્યર્થના.

આભાર

હરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ


Harnish Jani Tribute    હરનિશ જાની એ શ્રધ્ધાનો વિષય નથી, હાસ્યનો વિષય છે, એટલે એમને શ્રધ્ધાંજલિ નહી.., હાસ્યાંજલિ શોભે! એમને ગુમાવ્યાનું દુ:ખ જરૂર થયું છે.., કારણ એક હાસ્યકાર ગુમાવ્યો છે.., એ કહેતા “ Laughing is a serious matter!” અમે બંને એક જ ક્ષેત્રમાં હતા, એટલે મને એમને ઓળખવાની તક વધારે મળેલ. વર્ષો પહેલાં કિશોરભાઇના ગુર્જરીના પહેલા અંકથી જ પરિચય થયેલ. ગુર્જરીમાં એમનો હાસ્ય લેખ વાંચતાં વાંચતાં જ નક્કી કરી લીધેલ, કે આ માણસ મળવા જેવો છે, અને એ પર ચક્રો ગતિમાન કરી દીધાં! પછી તો એમનો એક પણ લેખ વાંચવાનો બાકી નહીં રાખેલ! ફોન, પત્ર દ્વારા મળવાનું થયું, ને અવાર નવાર રૂબરું પણ મળવાનું થયું. સામાન્ય રીતે એક બાજુ જાણીતી વ્યક્તિ હોય, અને બીજી બાજુ મારા જેવી સામાન્ય વ્યક્તિ હોય તો કેમેસ્ટ્રી જામે નહીં.., તમે ગમે તેટલાં ફાંફાં મારો પણ દાળ ગળે નહીં. અમારી બાબતમાં ઉલટું થયું! એમને જાણતા પહેલાં એ મને માણતા થઇ ગયા! ક્યાંય પણ એમનો કાર્યક્રમ હોય, ત્યાં મને પણ રેકમન્ડ કરતા! હ્યુસ્ટન, યુકે, ન્યુ જર્સી ઘણી જગ્યાએ અમારા કાર્યક્રમો સાથે થયા, એક બાજુ હરનિશ જાનીનો સ્ટેન્ડઅપ કોમેડી શો હોય તો બીજી બાજુ મહેન્દ્ર શાહનો સ્ટેન્ડઅપ કાર્ટુન શો હોય.., બસ ફરક ફક્ત એટલો જ કે હરનિશભાઇ ઉભા ઉભા સ્ટેન્ડઅપ કોમેડી કરતા, ને લોકો બેઠા બેઠા માણતા. મહેન્દ્ર શાહની બાબતમાં લોકો ઉભા ઉભા એમનાં કાર્ટુન્સ માણતા ને મહેન્દ્ર શાહ એક ખૂણામાં ખુરસી પર બેસી માણવાવાળાને નીરખતા! જો કે લોકોને આ કેમેસ્ટ્રી માફક આવી ગયેલ, લોકોને હાસ્ય માણવાના ઓપ્સન્સ મળતા.., લોકો એક ખૂણે ઉભા ઉભા કાર્ટુન્સ જોઇને કંટાળતા તો આખું ટોળું બીજા ખૂણે હરનિશભાઇને સાંભળવા જતું રહેતું! હરનિશભાઇને કહેતો.., “ માફ કરજો, પણ હમેશાં હું “ હરનિશ ” લખવામાં કન્ફ્યુઝ થાઉં છું.., “ ન” ને હ્રસ્વઇ આવે કે દીર્ઘઇ? એ કહેતા, “ ગુજરાતીમાં લખો, તો હ્રસ્વઇ દીર્ઘઇ કંઇ ફરક નથી પડતો, પણ અંગ્રેજીમાં લખો તો એપોસ્ટ્રોપી “ S” કરવાનો!હરનિશભાઇ મારાં કાર્ટુન્સ પ્રદર્શનના આગ્રહી જ નહીં પ્રોત્સાહક પણ હતા, અને મિત્રોને મારી ઓળખાણ આપી ખાસ કહેતા.., ક્યાંક સાહિત્ય, લીટરરી કે ચાલો ગુજરાતના મેળાવડામાં હજ્જારો સાહિત્યકારો, કવિઓ, લેખકો જોવા મળશે પણ કાર્ટુનીસ્ટ તો એક જ જોવા મળશે!”

       હંસા બહેન, તમે અને કટુંબ એકલા જ નહીં.., આપણે બધા હરનિશભાઇને મીસ કરશું! એમને યાદ કરીએ ત્યારે એમના હાસ્ય લેખો , અને કોમેડી યાદ આવે જ ને? અને એ યાદ આવે ત્યારે હોઠો પર હાસ્ય આવે , તો પછી એમને “હાસ્યાંજલી” કેમ નહીં?

      આ સાથે અવારનવાર પ્રસંગોપાત્ત એમના પર બનાવેલ કાર્ટુન્સ. એક પ્રસંગ તો ખાસ યાદ રહી જાય એવો, વીપુલભાઇએ એમના ઓપીનીયનના દસમી એનીવર્સરીના કાર્યક્રમમાં અમને લંડન આમંત્રેલ અને દુનિયાની નાનામાં નાની ગાડીમાં કીર્તીદા જોષી, ચંદ્રિકા જોષી નણંદ ભોજાઇ હોટલ પરથી હરનિશ કપલને પીકઅપ કરી ચાર જણ અને આઠ બેગો સાથે લંડન સફરે ગયેલ, મેં એ પ્રસંગ ઘરે આવતાં જ કાર્ટુનમાં ઢાળેલ!

-મહેન્દ્ર શાહ.

hj1HJ2hj3hj4

હરનિશભાઈના કુટુંબીજનો ( ફોટો સૌજન્ય  –  ડો. રાજેન્દ્ર ત્રિવેદી )

HJ_family

હવે એ જાનીમાં જાન નથી


H.Jani

     હજારોના જાનમાં જાન લાવી દેનાર હસમુખા અને અનેકોના દિલોજાન દોસ્ત હરનિશ જાની હવે આ જગતમાં નથી.

      નુજર્સીની ગુજરાતી સાહિત્ય સભાના પ્રણેતા શ્રી. રામ ગઢવીના આ સમાચાર સખેદ અહીં પ્રગટ કરવા પડે છે.

મિત્રો,

      અત્યંત ખેદથી જણાવીએ છીએ કે આપણા પ્રિય મિત્ર હરનિશ જાનીના નિધનના દુઃખદ સમાચાર આપ સહુને પહોંચાડવાની અમને ફરજ પડે છે. હરનિશભાઈ થોડા સમયથી પ્રિન્‍સ્ટન મેડિકલ સેંટરમાં હતા, અને છેલ્લા થોડા દિવસોથી તો લાઇફ સપોર્ટ પર હતા. એ સપોર્ટ ગઈ કાલે, 20 ઑગસ્ટના બપોરે બારેક વાગે કાઢી લેવાયા પછી સાંજે 8:30 વાગે તેઓએ દેહ છોડ્યો હતો.

      જાણીતા હાસ્યલેખક અને આપણી ઍકેડેમી તરફથી અપાતા 2014ના શ્રી ચુનિલાલ વેલજી મહેતા પારિતોષિક સહીત ઘણાં સન્માનોના વિજેતા હરનિશભાઈ એક ઘણા મનોરંજક વક્તા પણ હતા. એમને જાણતા લોકો એમને આવી ગયેલા હૃદયરોગના ‘વિક્રમ સ્થાપતા હુમલાઓ’ વિષેની એમની હળવી વાતો ભૂલી નહીં શકે. એમના ત્રણેક રમૂજી વાર્તાસંગ્રહો, અને ગુજરાતના અખબારોમાં લોકપ્રિય કૉલમો નિયમિત રીતે લખનાર તરીકે હરનિશભાઈ જાણીતા હતા. ઍકેડેમીનો ‘સર્જકો સાથે સાંજ’ નામનો કાર્યક્રમ એમણે વર્ષો સુધી ઉત્સાહથી અને એમની આગવી શૈલીથી ચલાવ્યો. ઍકેડેમીને એમની ખોટ ઘણી સાલશે.

      હરનિશભાઈ એમની પાછળ પત્ની હંસાબેન અને શોકગ્રસ્ત કુટુંબને છોડી ગયા છે. એમના આત્માને પરમ શાંતિ મળે એવી અમારી પ્રાર્થનામાં આપ જોડાશો એવી આશા છે.

   હરનિશભાઈના અંતિમ સંસ્કાર શુક્રવાર, 24 ઑગસ્ટના દિવસે સવારે નીચે મુજબ થશે…

9AM-11AM
Franklin Memorial Park
1800 Rt 27
North Brunswick
NJ 08902 

આપનો,

રામ ગઢવી

હરનિશભાઈનો પરિચય – તેમના જ શબ્દોમાં અહીં….

તેમને ઘેર બે  રાત વિતાવી તેમનો સહવાસ ભરપેટ માણ્યો હતો – તે યાદ અહીં…

%d bloggers like this: