( લખવાનું શરૂ કર્યું બાદ) મારામાં ખૂબ જ બદલાવ આવ્યો છે. જ્યારથી મેં લખવાનું શરૂ કર્યું ત્યારથી મને ડિપ્રેશનનો ‘ડી’ કે ફ્રસ્ટ્રેશનનો ‘એફ’ શું છે તેની ખબર જ નથી. અત્યારની જનરેશનને નાની ઉંમરે આ બધું જોવા મળતું હોય છે. મારી પાસે એટલું કામ છે કે ભગવાને મને બે હાથની જગ્યાએ દસ હાથ આપ્યા હોત તો… અને દિવસના ૨૪ કલાકની જગ્યાએ ૫૦ કલાક આપ્યા હોત તો… હું મારા અલગ-અલગ કામને ટાઈમ આપી શકત.
પરિવારને મારા પ્રત્યે ગર્વ છે. મારા પૌત્રો પણ કહે છે વી પ્રાઉડ ઓફ યુ દાદી
હું જીવનમાં સતત જુવાન રહેવા માગું છું. કારણ કે, મારા નામની પાછળ જુવાનસિંહ લખાય છે.
હું ટૂંક સમયમાં સંસારમાંથી નિવૃત્તિ લઈ રહી છું અને આધ્યાત્મિક માર્ગે વળી રહી છું.
અરૂણાબેન મરાઠી સાહિત્યને ગુજરાતી સાહિત્યમાં લાવે છે કારણ કે પણ આખી જિંદગી ગુજરાતમાં કાઢી તેથી મરાઠી કરતાં ઘણી વખત તેમના ગુજરાતી અનુવાદો શ્રેષ્ઠ રહ્યા છે.
૨૦૦૫માં હાસ્ય લેખોના મરાઠીથી ગુજરાતીમાં અનુવાદ કરેલ એક પુસ્તક સાહિત્ય અકાદમીએ બહાર પાડ્યું ! ૨૦૧૦માં તેમને આ પુસ્તક માટે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો.
છેલ્લાં 12 વર્ષોથી ‘ અંધજન મંડળ’, અમદાવાદમાં ધો. 10 અને 12ના અંધ વિદ્યાર્થીઓ તેમજ કોલેજના અંધ વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી તેમ જ સંસ્કૃત વિષયોનું શિક્ષણકાર્ય અને કેસેટ તેમજ સીડીનું રેકોર્ડિંગ. (માનદ્ સેવા)
એક ઓળખ- બુકમાર્કસ્- ઘરમાં જ રહ્યે પુસ્તકપ્રેમીઓ સાથેનો સંપર્ક ટકાવવાનો નુસખો, છેલ્લા 8 વર્ષથી આ પ્રયાસ ચાલુ
અખંડાનંદ ,જનકલ્યાણ,કુમાર,નવનીત સમર્પણ,પરબ,શબ્દસૃષ્ટિ,ઉદ્દેશ,પ્રત્યક્ષ,સમીપે,તથાપિ જેવાં ગુજરાતી અને મરાઠી સામયિકોમાં સ્વતંત્ર લેખન – કુલ ૧૫૦ થી વધારે મૌલિક લેખો
મુંબઈના ધો. 12ના ગુજરાતીના પાઠયપુસ્તકમાં એક પ્રકરણનો સમાવેશ
એમ.એ. પાર્ટ-2(ગુજ. યુનિ.)ના અભ્યાસક્રમ(તુલનાત્મક સાહિત્ય)માં સમાવેશ
મોડર્ન આર્ટ નેશનલ ગેલરી, દિલ્હી; વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમ, લન્ડન અને પીબડી એસેક્સ મ્યુઝિયમ, સેલમ( યુ.એસ.) માં તેમની કલાકૃતિઓ પ્રદર્શિત છે.
અનેક કલા પ્રદર્શનોમાં તેમની કૃતિઓ પ્રદર્શિત થઈ છે.
અરબ સુફિવાદનો અભ્યાસ અને કળામાં એનો ઉપયોગ
‘મપ્પા મુન્ડી’ – નકશા દોરવાની મધ્યકાલીન યુરોપિયન પદ્ધતિનો ઉપયોગ કલાની નવી ક્ષિતિજો આકારવા માટે કરવાની આધુનિક રીતોમાં મહત્વનું પ્રદાન. (અહીં એનો ખ્યાલ મેળવો.)
ચિત્રકળા ઉપરાંત લેખક અને કવિ પણ છે.
વિશ્વની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં તેમના ચિત્રોને સ્થાન મળ્યું છે.
બંગાળી, હિન્દી, વ્રજ, સંસ્કૃત, પ્રાકૃત, ઉર્દૂ, મરાઠી વગેરે અનેક ભાષાઓનું જ્ઞાન તેમણે પાટણમાં રહીને મેળવ્યું હતું.
માત્ર ૧૮ વર્ષની વયે તેમણે ‘ આત્મ વિનોદ ‘ નામનો કાવ્ય ગ્રંથ લખ્યો છે
તેમણે લખેલ રાણકદેવી, જસમા ઓડણ, હોથલ પદમણી, ભક્ત પૂંડરીક, વગેરે નાટકો રંગભૂમિ પર ભજવાયાં હતાં.
લોકસંગીત રજુ કરવા તેમની કેટલીક રેકોર્ડ પણ બહાર પાડી હતી.
તેમણે પત્રકારત્વ ક્ષેત્રે ‘કોકિલ’ નામનું સામાયિક પ્રકાશિત કર્યુ હતું. તેઓ આરોગ્ય વિષયક, તંત્રીલેખ, વગેરે પણ લખતાં.
તેમનાં અગ્રલેખ કટાક્ષયુક્ત અને તેજ રહેતાં.
આઝાદીની ચળવળ દરમ્યાન તેમને ગાંધીજીનો રંગ પણ લાગ્યો હતો અને તેઓ ખાદી પહેરતાં થયાં. તેમનો પહેરવેશ જીવનભર ખાદીનો ભગવો ઝભ્ભો અને ધોતિયું રહ્યાં હતાં. સત્યાગ્રહ કરવાં માટે તેમણે વિસાપુરની જેલમાં ત્રણ દિવસની જેલ પણ ભોગવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની સૂચનાથી તેમણે એક હરતું ફરતું પ્રદર્શન પણ કાઢ્યું હતું અને મહારાષ્ટ્રના ગામડાંઓમાં ફર્યા હતાં.
રવીન્દ્રનાથ ટાગોર અને સૌરેન્દ્રમોહન મુખોપાધ્યાયથી ઘણા પ્રભાવિત હતા.
– ગાંધીજીની મૂળ શોધ સત્યની હતી. સત્ય એટલે સાચું બોલવું એટલી સાદી સમજમાંથી એ શોધ વધુ ને વધુ વિસ્તરતી અને વધુ ને વધુ ઊંડી ઊતરતી ગઈ. એનો બીજો તબક્કો આવ્યો સત્ય એટલે મન, વચન અને કર્મથી સત્ય; જેવું વિચારીએ તેવું બોલીએ અને જેવું બોલીએ તેવું જ કરીએ, ત્યાં સુધી તેઓ પહોંચ્યા.
એક મહિનાની ઉમરથી ગાંધી આશ્રમમાં, ગાંધીજીની નજર હેઠળ ઉછર્યા હતા,અને ૨૩ વર્ષ આશ્રમમાં જ રહ્યા હતા. Peace Brigades International સ્થાપવામાં સક્રીય ભાગ લીધો હતો.
દેશને સ્વતંત્રતા મળ્યા પછી,વિનોબા ભાવે અને જયપ્રકાશ નારાયણે શરૂ કરેલી ‘શાંતિ સેના’માં જોડાયા હતા.
જયપ્રકાશ નારાયણે સ્થાપેલ જનતા પક્ષમાં પણ ઘણું પ્રદાન કર્યું હતું.
સમ્પૂર્ણ ક્રાન્તિ વિદ્યાલય, વેડછીના સંચાલક
ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ
૨૦૦૮ – ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
વિશ્વભરમાં ગાંધીકથાઓ કરી છે – ૬૦ ઉપર
રચનાઓ
(હિન્દી, ગુજરાતી અને અંગ્રેજીમાં ૫૦ જેટલાં પુસ્તકો)
ચરિત્ર – પાવન પ્રસંગો, જયપ્રકાશ નારાયણ, મારું જીવન એ જ મારી વાણી, ભાગ ૧થી ૪ ( ગાંધી ચરિત્ર)
વાચકોના પ્રતિભાવ