ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: અન્ય ભાષા લેખક

ઉદયન ઠક્કર, Udayan Thakker


ut_3 બરાબર ‘હિસાબ’ રાખતા કવિ !

ચીસ પાડી ઊઠવાની એક વેળા હોય છે
    ત્યાં સુધી ઘડિયાળના હોઠો, બીડેલા હોય છે

#  ઢોલ-નગારે લોકો ત્રૂઠાં,
જલતરંગનાં ભાયગ રૂઠાં !

પ્રેમ છે આ, અહીં તો ચૂપ રહેનારના થાય બેડા પાર, જેવી વાત છે
હંસલી અને હંસ વચ્ચે ઝૂલતા કાચબાના ભાર જેવી વાત છે

 

#  પાંડોબા અને મેઘધનુષ્ય – कविताकोश के उपर

# ઢગલાબંધ રચનાઓ  –  ૧  –  ,  –  ૨  –

————————-

ut_5

આખી રચના માણવા અહીં ‘ક્લિક’ કરો

ut_6

આ ચિત્ર પર ક્લિક કરી આખી વાર્તા વાંચો

સમ્પર્ક

  • udayan thakker <udayanthakker@hotmail.com>

જન્મ

  • ૨૮, ઓક્ટોબર-૧૯૫૫, મુંબાઈ

કુટુમ્બ

  • માતા– શાંતિ ; પિતા– કરસનદાસ
  • પત્ની – રાજુલ; દીકરીઓ – ઋચા, ગરીમા

શિક્ષણ

  • બી.કોમ., મુંબાઈ

વ્યવસાય 

  • ચાર્ટર્ડ અને કોસ્ટ એકાઉન્ટન્ટ

UT_1

ut_4

આ ચિત્ર પર ક્લિક કરો – તંત્રી શ્રી ઉદયન ઠક્કર

તેમના વિશે વિશેષ

  • તેમના પહેલા જ કાવ્ય સંગ્રહ ‘ એકાવન’ને જયંત પાઠક પારિતોષિક એનાયત થયું હતું, અને તે SNDT યુનિ.માં પાઠ્ય પુસ્તક તરીકે માન્ય થયું હતું.
  • તેમનાં અમુક કાવ્યો અંગ્રેજી અને જાપાનીઝ ભાષામાં પણ અનુવાદિત થયા છે (Duet of Trees )
  • તેમની રચનાઓના અનુવાદો અમેરિકાની પ્રતિષ્ઠિત કાવ્ય સંસ્થાઓએ પણ સ્વીકારી અને પ્રમાણિત કરી છે.
  • વિશ્વના વિવિધ દેશોમાં ૨૪ જેટલા અને ભારતમાં તો સેંકડોની સંખ્યામાં કાવ્ય પઠનના કાર્યક્રમો તેમણે આપ્યા છે,
  • ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ કારોબારીમાં માનાર્હ સભ્ય.
  • મુંબાઈના રામજી આશર વિદ્યાલય અને આર.એન. શેઠ વિદ્યામંદિરમાં ટ્રસ્ટી
  • poetryindia.com     ના તંત્રી

રચનાઓ

  • કવિતા – એકાવન, સેલ્લારા, ચૂંટેલા કાવ્યો
  • સંકલન/ સંપાદન – આસ્વાદ- જુગલબંધી, જેવી તારી ઢોલકી એવો મારો તંબૂરો
  • બાળવાર્તા– એન મિલાકે ટેન મિલાકે છૂ (૫ પુસ્તકો), તાક ધિના ધિન (૩ પુસ્તકો)
  • બાળકવિતા– હાક છીં હિપ્પો
  • ગુજરાતી કવિતાના મરાઠી અનુવાદ– અનુભૂતિ(સહસંપાદન)
  • અંગ્રેજી અનુવાદ – Duet of Trees

સન્માન

  • જયંત પાઠક પારિતોષિક
  • હરીન્દ્ર  દવે એવોર્ડ
  • ગુજરાત સાહિત્ય અકાદમીનું શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ પારિતોષિક
  • ગુજરાતી સાહિત્ય પરિષદનું ઉશનસ પારિતોષિક
  • એનસીઈઆરટી નો શ્રેષ્ઠ બાળસાહિત્યનો રાષ્ટ્રીય પુરસ્કાર
  • રમેશ પારેખ કવિતા સન્માન

સાભાર

  • શ્રી. પી.કે. દાવડા
  • શ્રી.મહેન્દ્ર મહેતા

પૂજાલાલ દલવાડી, Pujalal Dalwadi


pd1આ ક્યાંથી ગગડાટ અંબર મહીં ના મેઘખંડે દીસે
વા માઝા મૂકી સિંધુ ફાળ ભરતો આવે ધસી આ દિશે
કે વિંધ્યાચળના ભયાનક વને ત્રાડી રહ્યો કેસરી
પ્હાડો યે ધડકે ભરાય ફટકે ફાટી પડે દિગ્ગજો

સરી ન જતી કલ્પના ત્વરિત આમ ત્યાગી મને
જરી સ્થિર તરંગ રાખ તવ રંગ રંગે ભર્યા

નીરવ નાદ-લહરીઓ આવે!
અનહદનું આહ્‌વાન,
અનાહત નાદ-લહરીઓ આવે !

ગૂગલ ડોક્સ પર

વિકિપિડિયા પર

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર 

———————————————
જન્મ

  • ૧૭, જૂન-૧૯૦૧, નાપા – જિ,ખેડા

અવસાન

  • ૨૭, ડિસેમ્બર – ૧૯૮૫, પોંડિચેરી

કુટુમ્બ

  • માતા – ?, પિતા – રણછોડદાસ
  • પત્ની -? , સંતાન -?

શિક્ષણ

  • પ્રાથમિક, માધ્યમિક – ગોધરા, નડિયાદ
  • ૧૯૧૮ – મેટ્રિક

તેમના વિશે વિશેષ

  • ઇન્ટર સુધી પહોંચ્યા બાદ અભ્યાસ છોડી દીધો.
  • અંબાલાલ પુરાણીના સમ્પર્કથી રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ અને શ્રી અરવિંદના આધ્યાત્મિક જીવન પ્રત્યે આકર્ષણ અને દેશભક્તિ તથા ચારિત્ર્યશુદ્ધિના સંસ્કાર.
  •  ૧૯૨૩માં એકાદ વર્ષ કોસિન્દ્રાની ગ્રામશાળામાં વ્યાયામ શિક્ષક.
  • ૧૯૨૬ થી પોંડિચેરીમાં સ્થાયી વસવાટ.

pd2

રચનાઓ

  • કવિતા – પારિજાત, પ્રભાતગીત, શ્રી અરવિંદ વંદના, શ્રી અરવિંદ મહાપ્રભુ, સાવિત્રી પ્રશસ્તિ, મહાભગવતી, પાંચજન્ય, મુક્તાવલી, શુક્તિકા, દુહરાવલી, ગુર્જરી, વૈજ્યન્તિ, અપરાજિતા, કાવ્યકેતુ, સોપાનિકા, શતાવરી, દુઃખગાથા, ધ્રુવપદી, શબરી
  • બાળ સાહિત્ય –  બાલગુર્જરી, કિશોરકાવ્યો, કિશોરકુંજ, કિશોરકાનન, કિશોરકેસરી, મીરાંબાઈ’ – ગીતનાટિકા
  • ગદ્ય – છંદપ્રવેશ, શ્રી અરવિંદ : જીવનદર્શન અને કાર્ય, સાવિત્રી સારસંહિતા’
  • અન્ય ભાષા – સંસ્કૃત અને અંગ્રેજીમાં પણ કેટલાક ગ્રંથો
  • અનુવાદ
    • કવિતા – સાવિત્રી-ભા.૧-૬, મેઘદૂત
    • ગદ્ય – પરમ શોધ, શ્રી અરવિંદનાં નાટકો, માતાજીની શબ્દસુધા

સાભાર 

  • ગુજરાતી સાહિત્ય કોશ
  • વિકિપિડિયા
  • શ્રી. પી.કે.દાવડા

જુગતરામ દવે, Jugatram Dave


jd1વેડછીનો વડલો

બૂડ્યો પંડિત પુષ્પિત ભાષા;
અલંકાર, ઝડ ઝમ્મક, પ્રાસા

તેમની એક રચના –  ‘ભાઈને હાથે માર’

એનું જીવનકાર્ય અખંડ તપો
અમ વચ્ચે બાપુ અમર રહો !

અંતરપટ આ અદીઠ,
અરેરે ! આડું અંતરપટ આ અદીઠ !

ગુજરાતના જુ.કાકા –  મીરાં ભટ્ટ

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર

વિકિપિડિયા પર

શ્રી જુગતરામ દવે આશ્રમશાળા યોજના – ગુજરાત સરકાર

———————————————-

જન્મ

  • ૧, સપ્ટેમ્બર – ૧૮૮૮, લખતર, જિ- સુરેન્દ્રનગર

અવસાન

  • ૧૪, માર્ચ – ૧૯૮૫, ગાંધી આશ્રમ, વેડછી

કુટુમ્બ

  • માતા – ? , પિતા – ચીમનલાલ
  • અપરિણિત

શિક્ષણ

  • પ્રાથમિક/ માધ્યમિક – વઢવાણ, ધ્રાંગધ્રા, મુંબાઈ

વ્યવસાય

  • શિક્ષણ, પત્રકારત્વ, લોકસેવા

તેમના વિશે વિશેષ

  • નોન મેટ્રિક પણ સાહિત્ય/ શિક્ષણ/ સેવા માં અદભૂત પ્રદાન
  • ૧૯૧૭ – મુંબાઈમાં ‘વીસમી સદી’ માં નોકરી
  • એક વર્ષ સયાજીપુરામાં ગ્રામસેવા
  • ? – કાકાસાહેબ કાલેલકર અને સ્વામી આનંદના સંસર્ગથી ગાંધી આશ્રમમાં શિક્ષણ કાર્ય
  • ૧૯૧૯-૧૯૨૩  નવજીવનમાં સેવા
  • ૧૯૨૭ – બારડોલી સત્યાગ્રહમાં સક્રીય ભાગ
  • ૧૯૨૮થી – વેડછી (જિ,સુરત) ખાતે અદિવાસીઓની અને  ગ્રામ સેવા
  • વિભિન્ન સત્યાગ્રહોમાં નવ વર્ષ જેલમાં ગાળ્યા.
  • ૧૯૭૧-૭૮ ‘વટ વૃક્ષ’ માસિકનું સંચાલન

jd2

રચનાઓ

  • કવિતા – કૌશિકાખ્યાન( મહાભારતની એક કથા પરથી) , ગીતાગીતમંજરી, ગ્રામ ભજનમંડળી, ઈશ ઉપનિષદ, ગુરૂદેવનાં ગીતો
  • નાટિકાઓ – આંધળાનું ગાડું, પ્રહ્લાદ નાટક અને સહનવીરનાં ગીતો, ખેડૂતનો શિકારી અને મધ્યમસરની ચાલ
  • નિબંધ – આત્મરચના અથવા આશ્રમી કેળવણી,
  • જીવન ચરિત્ર –  ગાંધીજી (બાળકો માટે – ગુજરાતી, હિન્દી અને  અંગ્રેજીમાં), ખાદી ભક્ત ચુનીભાઈ
  • આત્મકથા – મારી જીવન કથા
  • બાળસાહિત્ય – ગાલ્લી મારી ઘરરર… જાય, ચાલણગાડી, ચણીબોર, પંખીડાં, રાયણ

સાભાર 

  • ગુજરાતી સાહિત્યકોશ

જય ગજ્જર, Jay Gajjar


jay_gajjar.JPGતેમના અવસાનના માઠા સમાચાર મળતાં આ પરિચય સુધારા/ વધારા સાથે ફરીથી પ્રકાશિત કરવામાં આવે છે.

__________________________________________ Read more of this post

જશવંત મહેતા, Jashvant Mehta


નામ

જશવંત મણિલાલ મહેતા

જન્મ

૧૧ એપ્રિલ ૧૯૩૧ ; ભાવનગર

વ્યવસાય

  • મુંબઇની વિવિધ કંપનીઓમાં સેલ્સમેન
  • લાર્સન એન્ડ ટુબ્રોમાં સેલ્સ એક્ઝિક્યુટીવ
પ્રદાન
  • વાર્તા અને નવલકથા ક્ષેત્રે પ્રદાન
  • અમેરિકાના બાલ્ટિમોર ખાતે યોજાયેલ થર્ડ વર્લ્ડ પોએટ મીટમાં ભારતીય કવિ તરીકે કાવ્યપઠન
રચનાઓ
  • નવલકથા – સેવાશ્રમ, મઝદાર (ભાગ ૧ અને ૨), માણસ, સપનધારે, મુક્તપંખી, સ્નેહજ્વાળા, બુદ્ધમ શરણમ ગચ્છામી
  • વાર્તાસંગ્રહ – ધરતી આભ મિનારા, પ્રણયપુષ્પ
  • હાસ્યવાર્તાસંગ્રહ – દસમો ગ્રહ
  • નાટક – સતનું ચાંદરણું, ઇડિયટ, નટીશૂન્ય કુમાર નાટકો, આધુનિક નટીશૂન્ય એકાંકી
  • અંગ્રેજી કાવ્યસંગ્રહ – પોએટ્રી ઑફ એક્યુટ એઇઝ
  • વિવેચનસંગ્રહ – સર્જનની પાંખે
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ખંડ ૬

મૃણાલિની દેસાઇ,Mrunalini Desai


નામ

મૃણાલિની દેસાઇ

જન્મ

૭ ઑક્ટોબર ૧૯૨૭ ; પૂણે

અવસાન

૨૯ નવેમ્બર ૧૯૯૪

વ્યવસાય

  • મોરારજી દેસાઇના સચિવ
  • આકાશવાણી કેન્દ્ર – મુંબઇ
  • ફિલ્મ સેન્સર બોર્ડ – દિલ્હી
  • દુરદર્શન – દિલ્હી
પ્રદાન
  • મુખ્યત્વે મરાઠીમાં કાવ્ય સર્જન
રચનાઓ
  • નવલકથાઓ – નિશિગંધ, પુત્ર માનવીનો, પૂર્ણાહુતિ
  • ચરિત્રગ્રંથો – પ્રગતિને પંથે, જ્ઞાનદેવ
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૬

નિરંજન વર્મા, Niranjan Varma


નામ

નિરંજન માવલસિંહ વર્મા

જન્મ

ઇ.સ. ૧૯૧૭ ; ગામ – રાજડા, જિ. જામનગર

અવસાન

ઇ.સ. ૧૯૫૧ ; મદનપલ્લી – આંધ્ર પ્રદેશ

અભ્યાસ

  • અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધી – વાંકાનેર
  • વિનીત – દક્ષિણામૂર્તિ વિદ્યાલય; ભાવનગર
વ્યવસાય
  • ‘ફૂલછાબ’ સાપ્તાહિકમાં તંત્રી વિભાગમાં
જીવનઝરમર
  • સત્યાગ્રહ, ભૂગર્ભપ્રવૃત્તિ, પત્રકારત્વ અને જેલવાસ
  • ધોલેરા સત્યાગ્રહ વખતે જયમલ્લ પરમારનો પરિચય
  • અભિન્ન મિત્ર એવા જયમલ્લ પરમાર સાથે રાષ્ટ્રોત્થાનની વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રીય ભાગ
  • સઘળું લેખનકાર્ય જયમલ્લ પરમાર સાથે
રચનાઓ
  • નવલકથાઓ – ખંડિત ક્લેવરો, અણખૂટાધારા, કદમ કદમ બઢાયે જા
  • લોકકથા – લોકકથા ગ્રંથાવલિ (ભાગ ૧ થી ૩)
  • બાળવાર્તાઓ – પરિકથાઓ
  • પક્ષિ-પરિચયગ્રંથાવલિ – આંગણાના શણગાર, ઊડતાં પંખી, વગડામાં વસનારાં, કંઠે સોહામણાં, રૂપરૂપના અંબાર, પ્રેમી પંખીડાં
  • ચરિત્રલેખન – કાઠિયાવાડના ઘડવૈયા, જીવનશિલ્પીઓ, આચાર્ય પ્રફુલ્લચંદ્ર રોય, શાહનવાઝની સંગાથે, સુભાષના સેનાનીઓ, ઝવેરચંદ મેઘાણી
  • વ્યંગચિત્રો – સંબેલા, અમથી ડોશીની અવળવાણી.
  • વિજ્ઞાનલેખન – ગગનને ગોખે, આકાશપોથી
  • અનુવાદ – સરહદ પાર સુભાષ.
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૬

ઇન્દ્ર વસાવડા, Indra Vasavada


નામ

ઇન્દ્ર વસાવડા

જન્મ

૨૩ નવેમ્બર ૧૯૧૨ ; જૂનાગઢ

અભ્યાસ

  • બી.એ. – બહાઉદ્દીન કૉલેજ; જૂનાગઢ
  • એમ.એ. વીથ વેદાંત – ઍલ્ફિસ્ટન કૉલેજ ; મુંબઇ
વ્યવસાય
  • શિક્ષક અને આચાર્ય
  • કેળવણી ખાતામાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, રાજ્યશિક્ષણભવનના નિયામક
  • સને ૧૯૭૧થી નિવૃત્ત
પ્રદાન
  • ઉપેક્ષીત વર્ગનાં પ્રશ્નો-સમસ્યાઓને નિરૂપતી નવલકથા
રચનાઓ
  • નવલકથાઓ – ઘર ભણી, ગંગાના નીર, સમર્પણ, સંજીવની, શોભા, ચંદા, પ્રયાણ, ગરીબની લક્ષ્મી
  • નાટકો – શાળોપયોગી નાટકો, દીવો મારા દેશનો
  • વાર્તાસંગ્રહ – ઇતિહાસને અજવાળે, નવનીતા, રાધુ
  • બાળવાર્તાઓ – રમૂજી પ્રવાસમાળા, જાંબુની ડાળે, રામ રામ ભૈયાજી (બાળનવલકથા)
  • પ્રવાસકથા – નાનસેન  ઃ તેના પ્રવાસો, ભયંકર રણમાં, હ્યુ એન-સંગ (રમણલાલ સોની સાથે)
  • અનુવાદ – હિન્દીનો શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ, મારી મા (કથેરાઇન હોર્બ્સ
  • હિન્દીલેખન – ઘર ભણી, શોભા, સંજીવની
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૬

જયમલ્લ પરમાર,Jaymalla Paramar


નામ

જયમલ્લ પ્રાગજીભાઇ પરમાર

જન્મ

૬ નવેમ્બર ૧૯૧૦

અવસાન

૧૩ જૂન ૧૯૯૧

અભ્યાસ

  • દક્ષિણામૂર્તિ વિનયમંદિર, ભાવનગર
  • કાશી વિદ્યાપીઠ – વારાણસી
  • ગુજરાત વિદ્યાપીઠ – અમદાવાદ
વ્યવસાય
  • ફૂલછાબ, કલ્યાણયાત્રા, ઊર્મિ-નવરચના વગેરે માં તંત્રી
  • સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં અદ્યાપક
જીવનઝરમર
  • સત્યાગ્રહની ચળવળમાં અનેક વખત કારાવાસ ભોગવ્યો.
  • મિત્ર નિરંજન વર્મા સાથે સહલેખન
રચનાઓ
  • નવલકથાઓ – ખંડિત ક્લેવરો, અણખૂટાધારા, કદમ કદમ બઢાયે જા
  • લોકકથા – લોકકથા ગ્રંથાવલિ (ભાગ ૧ થી ૩)
  • બાળવાર્તાઓ – પરિકથાઓ
  • પક્ષિ-પરિચયગ્રંથાવલિ – આંગણાના શણગાર, ઊડતાં પંખી, વગડામાં વસનારાં, કંઠે સોહામણાં, રૂપરૂપના અંબાર, પ્રેમી પંખીડાં
  • ચરિત્રલેખન – કાઠિયાવાડના ઘડવૈયા, જીવનશિલ્પીઓ, આચાર્ય પ્રફુલ્લચંદ્ર રોય, શાહનવાઝની સંગાથે, સુભાષના સેનાનીઓ, ઝવેરચંદ મેઘાણી
  • વ્યંગચિત્રો – સંબેલા, અમથી ડોશીની અવળવાણી.
  • વિજ્ઞાનલેખન – ગગનને ગોખે, આકાશપોથી
  • અનુવાદ – સરહદ પાર સુભાષ.
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૬

ધર્માનંદ કોસંબી, Dharmanand Kosambi


નામ

ધર્માનંદ કોસંબી

જન્મ

ઓક્ટોબર ૯, ૧૮૭૬ ; સંખવાલ, ગોવા

અવસાન

૨૪ જૂન, ૧૯૪૭

કુટુંબ

  • પિતા – દામોદર કોસંબી
  • પત્ની – બાલાબાઇ
  • પુત્રી – માણિક
  • પુત્ર – દામોદર
અભ્યાસ
  • કાશી, નેપાલ, કલકત્તા, શ્રીલંકા (વિદ્યોદયા યુનિવર્સીટી) , રંગૂન
વ્યવસાય
  • કોલકાતા યુનિવર્સીટીમાં રીડર તરીકે
  • સંશોધન ફેલો તરીકે વડોદરામાં
  • પ્રાધ્યાપક – ફર્ગ્યુસન કૉલેજ, પુણે
  • હાવર્ડ યુનિવર્સિટી તથા લેનીનગ્રાડ યુનિવર્સિટી (રશિયા) ખાતે પ્રાધ્યાપક
  • ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રાધ્યાપક તરીકે

જીવનઝરમર

  • મૂળ ગોવાના વતની એવા ધર્માનંદ કોસંબીની માતૃભાષા ગુજરાતી ન હોવા છતાં ગુજરાતી ભાષાની અનન્ય સેવા કરી છે.
  • તેઓ ગાંધીવિચારના રંગે રંગાયેલા હતાં.
  • સત્ય, અહીંસા, અસ્તેય, અપરિગ્રહ વગેરે તત્ત્વો પર આધારીત પાર્શ્વનાથ ચાતુર્યામનો તેમના પર પ્રભાવ હતો. પાછળથી રંગૂન જઇને બૌદ્ધ સંપ્રદાયની દીક્ષા લીધી.
  • પાલીના ઉત્તમ અધ્યાપક તથા બૌદ્ધ ધર્મશાસ્ત્રના મર્મજ્ઞ તરીકે તેઓ પ્રકીર્તીત છે.
  • ઇ.સ. ૧૯૨૨માં અમેરીકાથી પાછા ફર્યા તથા ગૂજરાત વિદ્યાપીઠના પુરાતત્ત્વ મંદિરમાં જોડાયા.
  • આ સમયગાળા દરમિયાન લેખનકાર્ય દ્વારા લેખક તરીકે નામના મેળવી.
  • ગુજરાતી ભાષામાં બૌદ્ધ સંપ્રદાયના સિદ્ધાંતો, નીલશાસ્ત્ર, સાહિત્ય વગેરે રજૂ કરવામાં તેમનું પ્રદાન નોંધપાત્ર છે.
  • ત્યારબાદ તેઓ અમેરિકા અને રશિયા પણ ગયા.
  • ઇ.સ. ૧૯૩૦માં તેમણે દાંડીયાત્રામાં પણ ભાગ લીધો.
  • ઇ.સ. ૧૯૪૭માં સેવાગ્રામ આશ્રમમાં એમનું અવસાન થયું.
રચના
  • બુદ્ધ, ધર્મ અને સંઘ, બુદ્ધલીલા, બુદ્ધલીલાસારસંગ્રહ, ધમ્મપદ (રા.વિ. પાઠક સાથે), બૌદ્ધસંધનો પરિચય, સમાધિમાર્ગ, જાતકકથાસંગ્રહ, પચાસ ધર્મસંવાદો, સુત્તનિપાત, હિન્દી સંસ્કૃતિ, બુદ્ધચરિત્ર, અભિધર્મ, શ્રી શાંતિદેવાચાર્યકૃત બોધિચર્યાવતાર, બોધિસત્ત્વ, ધર્મચક્રપરિવર્તન, આત્મકથા.
  • આત્મકથા – આપવીતી
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૪
  • the full wiki
%d bloggers like this: