ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: આત્મકથાકાર

અનુરાધા ભગવતી


એક ગુજરાતી દીકરીની વાંચવી જ પડે તેવી વાત….

બરાબર મારી દીકરીની ઉમરની જ આ ગુજરાતી દિકરીની વાત ઓપિનિયન પર વાંચી. અહીં સમાવેશ કરવો જ પડે – તેવી એક ગુજરાતણ – અમેરિકન સ્ત્રીની જીવન દાસ્તાન

સ્ત્રી સન્માન- લડત માટેની વીરાંગના

અમેરિકન મરીન દળમાં માજી અધિકારી


‘SWAN’ ની સ્થાપક


યોગ શિક્ષક

મારી ખૂબ ઈચ્છા છે કે અનુરાધા ભગવતી અને પદ્મા દેસાઈની સ્મૃતિયાત્રાઓની તંદુરસ્ત ચર્ચા દેશ-દુનિયામાં, ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં તો થાય જ. આ બન્ને પુસ્તકોનો ગુજરાતી અનુવાદ પણ થવો જોઈએ. 

— બકુલા ઘાસવાલા

શ્રીમતિ બકુલા ઘાસવાલા દ્વારા ‘ઓપિનિયન’ પર તેનો મનનીય પરિચય આ રહ્યો.

એ પરિચય લેખમાંથી ટચૂકડું ટાંચણ …..

અનુની આત્મકથાની વિશિષ્ટતા એની પારદર્શકતા અને ધારદાર કલમ છે. અનુભવ્યું અને લાગ્યું તે લખ્યું, બોલી તે બોલી, જે ગમ્યું તે કર્યું, ન ગમ્યું તે છોડ્યું અને અંતે હૈયે તો હોઠે અહીં ટેરવે. નારીવાદીઓનો તકિયાકલામ ‘Personal is Political’ અનુની ગળથૂથીના સંસ્કાર છે. તે રીતે ‘મારા તન-મન-ભાવના-ધન પર મારો જ અધિકાર છે અને હું ઈચ્છીશ તે કરીશ’ એવો નિર્ધાર એનું વિશિષ્ટ પાસું છે. જો સ્વતંત્રતાનો અહેસાસ છે તો સમાંતર જવાબદારીની સભાનતા પણ છે. મને આ આત્મકથન ‘આંતર ખોજ’ તરીકે વધારે સ્પર્શ્યું છે. હકીકતે તો ઉંમરના વચલા કે મધ્યાહ્નના પડાવ પર એને ટેરવેથી આત્મકથન શબ્દાંકિત થયું છે. યેલ યુનિવર્સિટીમાં સ્નાતક તરીકેના અભ્યાસના અનુભવોથી લઈ મિલિટરીની મરીન શાખામાં લેફ્ટનન્ટ અને કેપ્ટન તરીકેની કારકિર્દી બનાવી ત્યાર પછી SWAN નામની સંસ્થાની સ્થાપના દ્વારા મિલિટરીમાં સ્ત્રી-સૈનિકો સાથે થતાં જાતીય દુર્વ્યવહારના ખુદના  અને અન્યના અનુભવોને વાચા આપી મિલિટરીમાં સ્ત્રી કેન્દ્રિત વલણ-અભિગમ બદલવા અને કાયદા / ધારાધોરણ સુધારવા માટે હિમાયતી તરીકેની સક્રિય ભૂમિકા ભજવનાર અનુરાધાની આકંઠ નિસબત, પ્રતિબદ્ધતા અને અંત સુધી ધ્યેયને સમર્પિત રહેવાની અડગ નિષ્ઠાનો આલેખ એટલે એનું આત્મકથનાત્મક આલેખન 

અનુરાધાનું એ મનનીય પુસ્તક …..

ગાંધીજી સવિનય કાનૂન ભંગની વાતોનાં તો થોથે થોથાં ભરાયાં છે. પણ અનુરાધાના આવા જ જંગની વાતનો પ્રસાર આપણે કરીશું?

ડો.ભરત ભગત


       અહીં ગુજરાતની વિવિધ પ્રકારની પ્રતિભાઓના પરિચય છે – એમાં પુનિત મહારાજ, પ્રમુખ સ્વામી અને સચ્ચિદાનંદ સ્વામી જેવા સંતો તો છે, પણ ભગત અટકધારી કોઈ ભક્ત નથી – અને એ પણ પાછા એક ડોક્ટર!

Bharat_Bhagat

      હા! ડો ભરત ભગત સાચા અર્થમાં ભગત છે, સંત છે – વિના મૂલ્યે,  પોલિયોથી પીડાતા બાળકોનાં ઓપરેશન કરી, કેલિપર આપી ચાલતા કરનાર સેવક છે. શ્રી. પી.કે.દાવડાના બ્લોગ ‘દાવડાનું આંગણું’ પર ડો. ભરત ભગતની  આત્મકથા અને એમણે સ્થાપેલી ‘હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન’ની કથા  આલેખાઈ છે. એ  એનાં પ્રકરણોની અહીં માત્ર અનુક્રમણિકા જ છે. આ રહી –

 

પ્રકરણ – ૧ 

પ્રકરણ – ૨

પ્રકરણ – ૩

પ્રકરણ – ૪

પ્રકરણ – ૫

પ્રકરણ – ૬

પ્રકરણ

પ્રકરણ

પ્રકરણ

પ્રકરણ૧૦

પ્રકરણ૧૧

પ્રકરણ૧૨

પ્રકરણ૧૩

નટવર ગાંધી, Natwar Gandhi


ng11‘નાણાંકીય બાબતોના જાદૂગર કવિ’

  • તમારે હર્મ્યે ના હતી કશી કમી કલ્પતરુની,
    હતાં માતાપિતા, સુખવતી હતી પત્ની પ્રમદા,
    હતાં દૈવે દીધા દયિત સુત, ઐશ્વર્ય જગનું,
    અકસ્માતે જોયાં દુઃખ જગતનાં, વૃદ્ધ વયનાં.
    પીડા, વ્યાધી જોયાં, શબ વિરૂપ, ભિખારી ભમતાં,
    લલાટે આવું જે જીવન લખ્યું તે કેમ જીવવું ?
    ત્યજી પત્ની સૂતી, સુત,  વિત ત્યજી ચાલી નીકળ્યા,
    તપશ્ચર્યા વેઠી, કરુણ નયને બુદ્ધ પ્રગટ્યા !
  • ચડાવી સૂટ, બૂટ ટાઈ ફરતા ઘણા તોરથી,
    ગીચોગીચ વસે અસંખ્ય જન બાપડા ચાલીમાં,
    વસે ઝૂંપડપટ્ટી, કૈંક ફૂટપાથ લાંબા થતા,
    લગાવી લિપસ્ટિક કૈંક ગણિકા ફરે, નોતરે,
    અહીં ઊઘડી આંખ, પાંખ પ્રસરી ઊડ્યો આભ હું,
    મહાનગર આ, ભણ્યો જીવનના પાઠ હું.
  • ‘ઓપિનિયન’ પર તેમની આત્મકથા વિશે
  • પરિચય લેખો
    –     ૧     – –     ૨    –

——————————————————-

જન્મ

  • ૪, ઓક્ટોબર – ૧૯૪૦; સાવરકુંડલા, જિ. અમરેલી

કુટુમ્બ

  • માતા– શાંતા બહેન; પિતા – મોહનલાલ
  • પત્ની – ૧) સ્વ. નલીની ૨) પન્ના નાયક ;  પુત્ર  – અપૂર્વ ; દીકરી – સોનલ

શિક્ષણ

  • પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ – સાવરકુંડલામાં
  • બી.કોમ. ( સિડનહામ કોલેજ ); એલ.એલ.બી.( ગવર્મેન્ટ લો કોલેજ )  –  મુંબાઈ
  • એમ.બી.એ. ( Atlanta  uni.)
  • પી.એચ.ડી.  ( Louisiana Uni.)

વ્યવસાય

  • શરૂઆતમાં મુંબાઈમાં વિવિધ જગ્યાઓએ નોકરી
  • અમેરિકામાં શિક્ષણ બાદ પ્રોફેસર
  • વોશિંગ્ટન ડી.સી. ની મ્યુનિસિપાલીટીમાં વિવિધ ફરજો.
  • ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર પદેથી અંગત કારણોસર રાજીનામું

davda

આ શિર્ષક ચિત્ર પર ક્લિક કરી તેમની આત્મકથા ધારાવાહી રૂપે વાંચો – માણો.

Inline image

તેમની સાથે એક ઇન્ટરવ્યૂ

તેમના વિશે વિશેષ

  • શરૂઆતમાં મુંબાઈમાં  મૂળજી જેઠા મારકિટ, ટેક્ષ્ટાઈલ મીલો અને અન્ય પેઢીઓમાં નોકરી.
  • ૧૯૬૫   માં અમેરિકા સ્થળાંતર
  • અમેરિકામાં અભ્યાસ બાદ પીટ્સબર્ગ યુનિ. અને અન્ય યુનિ.ઓમાં શિક્ષણ કાર્ય
  • ૧૯૭૬ – ૧૯૯૭  અમેરિકન કોન્ગ્રેસની વોચ ડોગ એજન્સી એજન્સી – જનરલ એકાઉન્ટિંગ ઑફિસમાં પોલિસી અને એડમિનિસ્ટ્રેશનના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કામ કર્યું.
  •  ૧૯૯૭ — વોશિંગ્ટન ડી.સી. સ્ટેટમાં ટેક્સ કમિશ્નર
  • ૨૦૦૦-૨૦૧૪ ત્યાં જ ચીફ ફાઈન્સાન્સિયર ( એ હોદ્દાની રૂએ વૉશિન્ગટનના બાર બિલિયન ડોલરના બજેટની વ્યવસ્થા અને વ્યવહાર એમના હાથમાં હતા. એ કામમાં સંકળાયેલા સરકારી કર્મચારીઓની સંખ્યા – ૧૨૦૦ થી વધારે)
  • તેમણે આ કામ હાથમાં લીધું ત્યારે વોશિંગ્ટન ડી.સી.ની નાણાંકીય સ્થિતિ બહુ જ નાજૂક અને દેવાંઓથી ભરપૂર હતી; જે તેમના કુશળ વહીવટને કારણે ૧૫૦૦ મિલિયન ડોલરની પુરાંત વાળી બની ગઈ હતી. આ બાબતમાં જાણકાર વાચકોને આશ્ચર્ય થશે કે, અનેક એજન્સીઓ દ્વારા અભ્યાસ કરીને જાહેર કરાતા ફાઇનાન્સ્શિયલ રેટિંગ ૧૩ તબક્કાઓમાં સાવ નકારાત્મકથી A+ / A++ સુધી તેઓ પહોંચાડી શક્યા હતા.
  • ૨૦૧૪ – ૨૦૧૬ – Distinguished Policy Fellow at Georgetown University’s McDonough School of Business.
  • અત્યારે તેઓ વર્લ્ડ બેન્ક અને અન્ય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.
  • ૨૦૧૪ – જાણીતાં કવયિત્રી પન્નાબહેન નાયક સાથે જીવવા સરકારી નોકરીમાંથી રાજીનામું.

logo

આ ફોટા પર ક્લિક કરી પન્ના બહેન વિશે વાંચો.

ng22

રચનાઓ

  • કવિતા – અમેરિકા-અમેરિકા, ઇન્ડિયા-ઇન્ડિયા, પેન્સિલ્વાનિયા
  • આત્મકથા – એક અજાણ્યા ગાંધીની આત્મકથા

સન્માન

  • અમેરિકન કરવેરા અને નાણાકીય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરવા બદલ ઘણા એવોર્ડ્સ.
  • ૧૯૯૬ – આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતની પ્રતિષ્ઠા વધારવા માટે  ‘વિશ્વગુર્જરી’ એવોર્ડ

સાભાર

  • શ્રી. પી. કે. દાવડા

જગદીશ શાહ, Jagdish Shah


js5

js19

તેમની આત્મકથાના આ મુખપૃષ્ઠ પર ક્લિક કરો અને પી.ડી.એફ. ફાઈલ ડાઉન લોડ કરી અવશ્ય વાંચો.

js18


તેમની આત્મકથામાંથી મળેલાં મોતી….

This slideshow requires JavaScript.

જન્મ

  • ૬, મે – ૧૯૩૪, ટાન્ગુ, બ્રહ્મદેશ ( મ્યાંમાર ) વતન – બોડકા, તા.કરજણ , જિ. વડોદરા

અવસાન

  • ૨૮, જાન્યુઆરી – ૨૦૧૭, વડોદરા

 

કુટુમ્બ

  • માતા – ?  , પિતા – અમૃતલાલ
  • પત્ની – મંજુલા ( લગ્ન – જુલાઈ – ૧૯૬૦), પુત્રો  –કપિલ, ભરત
  • પુત્રીઓ  – ૧૦૦ થી વધારે માનસ પુત્રીઓ !

શિક્ષણ

  • પ્રાથમિક – વડોદરાની મ્યુનિ. શાળાઓમાં
  • માધ્યમિક – સયાજી હાઈસ્કૂલ , વડોદરા
  • એક વર્ષ  – વડોદરાની સાયન્સ કોલેજમાં
  • એક વર્ષ – વેડછી આશ્રમમાં ગ્રામસેવકની તાલીમ અને અધ્યાપન મંદિરમાંથી પી.ટી.સી.
  • બે વર્ષ – લોકભારતી – સણોસરામાં સ્નાતક

વ્યવસાય

  • ૧૯૫૩ – સાત મહિના એસ.ટી. કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્ક.
  • આનંદીના મુવાડા પ્રાથમિક શાળામાં નોકરી.
  • ગુજરાત સર્વોદય મડળમાં અદના કાર્યકરથી શરૂ કરીને જિલ્લા પ્રમુખ જેવા વિવિધ સ્થાનો પર સમાજોપયોગી કામગીરી
  • ‘ભૂમિપુત્ર’ દૈનિકમાં ખબરપત્રી અને કોલમ લેખકથી શરૂ કરીને તંત્રી સુધી

તેમના વિશે વિશેષ

  • બીજાં નામો – જમનાદાસ, જનક . પણ બાળમંદિરમાં જાતે ‘જગદીશ’નામ લખાવી આવેલા!
  • પિતા ટાંગુ, મ્યાંમાર માં ઈલેક્ટ્રિક સપ્લાય કમ્પનીમાં જનરલ મેનેજર હતા. આથી એમના સમાજમાં રંગૂનવાળા તરીકે ઓળખાતા
  • ૧૯૩૭ થી ૧૯૪૫ – મ્યાંમાર છોડી વડોદરાની પોળોમાં ભાડાનાં મકાનોમાં વસવાટ
  • બાળપણમાં સોનાની વિંટી પહેરવા બાબતની યાદના પ્રતાપે આખી જિંદગી સોનાનાં ઘરેણાં તરફ અરૂચિ.
  • શાળાના દોસ્ત સાદત અલી સાથેની દોસ્તીના પ્રતાપે હિંદુ –મુસ્લીમ એકતાના સંસ્કાર બાળપણથી મજબૂત થયા.
  • પાંચ છ વર્ષના હતા ત્યારથી જ આભડછેટ પસંદ નહોતા કરતા. આ મુક્તિ માટે માબાપે આપેલ સંસ્કારનો હમ્મેશ આભાર માનતા. જીવન ભર કોઈ પણ જાતના આભડછેટથી દૂર રહેતા.
  • બાળમંદિરમાં હતા ત્યારથી જ વાંચનમાં રસ. ચોથા ધોરણમાં જાતે જઈને બાળપુસ્તકાલયમાં સભ્ય બની ગયેલા. વ્યાયામ અને કસરતમાં પણ એટલો જ રસ હતો. થોરાટ વ્યાયામ શાળામાં નિયમિત જતા.
  • ૧૯૪૨ – સ્વતંત્રતાની ચળવળના પ્રતાપે કોન્ગ્રેસ સેવાદળમાં જોડાયેલા
  • હાઈસ્કૂલમાં વિદ્યાર્થી સંઘમાં નેતાગીરીની તાલીમ – ૧૧મા ધોરણમાં જનરલ સેક્રેટરી ( મહામંત્રી) તરીકે પણ ચૂંટાયેલા.વડોદરા વિદ્યાર્થી મિત્ર મડળની કારોબારીમાં પણ સ્વ. રામલાલ પરીખની દોરવણી હેઠળ કામ કરેલું.
  • તેમની આત્મકથામાં કિશોરકાળના  પોતાના દોષો પણ વર્ણવ્યા છે.
  • ૧૯૪૫ની સાલથી રોજનિશી લખવાની ટેવ પડી હતી – તે છેક ૨૦૧૨ની સાલ સુધી ચાલુ રહી.
  • અખિલ ગુજરાત વિદ્યાર્થી કોંગ્રેસના નેજા હેઠળ વેકેશનમાં શ્રમ શિબિરોમાં પણ જોડાતા. એમની આત્મકથામાં ગુંદી આશ્રમના નવલભાઈ શાહ સાથે શ્રમ કર્યાનો અનુભવ ખાસ વાંચવા જેવો છે.
  • આવી જ એક શિબિરમાં નારાયણ દેસાઈને સાંભળીને ભૂદાન કાર્યક્રમમાં રસ પડેલો. આ બીજ આગળ ઉપર એમને વિનોબા આશ્રમના સંચાલક બનવા સુધી લઈ ગયો.
  • ૧૮, ઓગસ્ટ -૧૯૫૩ – દેશસેવા માટે. ઘર છોડ્યું, અને પાદરા તાલુકામાં બબલભાઈની ભૂદાનયાત્રામાં જોડાયા. એ વખતની ડાયરીમાં લખેલા નિર્ધાર …
  • બબલભાઈની સલાહથી રાષ્ટ્રીય શિક્ષણ આપતી સંસ્થામાં જોડાવાનું નક્કી કર્યું.  ઘણા મનોમંથન અને વિકલ્પોનો અભ્યાસ કરી જૂન માસમાં નવી તરાહના અભ્યાસમાં જોડાતાં પહેલાં નડિયાદમાં ૭૫ રૂપિયાના પગારથી જુનિયર ક્લાર્કની નોકરીમાં જોડાયા. તપસ્યામય જીવનનો આરંભ.
  • ૧૯૫૪- ૧૯૫૫ ‘નઈ તાલીમ’ સંસ્થાની સ્કોલરશીપ પર   ‘વેડછી’ આશ્રમમાં જુગતરામ દવે સાથે જોડાયા. તાપસ જીવન ગાળી, સેવાકાર્યની પાયાની તાલીમ લીધી.
  • ૧૯૫૫થી – ૧૯૫૭  આનંદીના મુવાડા ગામમાં પહેલા બીજા ધોરણના શિક્ષક તરીકે કામ શરૂ કર્યું. પછાત વસ્તીમાં કોઈને ભણવામાં રસ ન હતો. પણ તેમની મહેનત, પ્રેમ અને લગાવથી એક જ વર્ષમાં એટલાં બધાં વિદ્યાર્થીઓ આવતા થઈ ગયા કે, સરકારી નિયમો મુજબ ચાર શિક્ષકો  મંજૂર થયા અને તેઓ આચાર્ય બની ગયા. બીજા વર્ષે પાંચ શિક્ષકો અને પાંચમું ધોરણ શરૂ !
  • ત્રીજા વર્ષથી માત્ર બારૈયા કોમનાં બાળકો જ ભણવા આવતાં , તેની જગ્યાએ અછૂત ગણાતા વણકર અને ભંગી બાળકો પણ ભણવા આવવા લાગ્યા.
  • ગરીબ વસ્તીના બાળકોની પાયાની જરૂરિયાતો માટે પોતાના પગારની બચતમાંથી બાળકોને મદદ કરતા !
  • આચાર્ય તરીકે ‘નઈ તાલીમ’ ના શિક્ષણના પ્રયોગો શરૂ. કદી તાડના ઝાડ પર ચઢ્યા ન હતા, પણ એ સાહસ પણ છોકરાંઓ માટે કર્યું અને તેમને તાડફળી ખવડાવી !
  • સાથે સાથે ગામલોકોમાં પણ કુટેવોમાં સુધારા માટે ગ્રામસેવક તરીકે પ્રદાન. ગામવાસીઓની  અપ્રતીમ ચાહના મેળવી.
  • ૧૯૫૬ ના અંતમાં કોન્ગ્રેસ સેવાદળ તરફથી ભારતનાં વિકાસ કામો જોવા માટેની અખિલ ભારત સ્પેશિયલ ટ્રેનમાં અન્ય સેવકો સાથે ભારત યાત્રા
  • ૧૯૫૭ – શાળા છોડી અને ભૂદાન કાર્યની તાલીમ દરમિયાન નારાયણ દેસાઈએ યોજેલી, ભૂમિદાન માટે લોકોમાં જાગૃતિ આણવા વલસાડથી પાલનપુર નગરયાત્રામાં જોડાયા.
  • ૧૯૫૮ – વિનોબા ભાવેની ચાર મહિનાની ગુજરાતમાં ભૂદાન યાત્રા પહેલાં અને દરમિયાન વ્યવસ્થા માટે સખત પરિશ્રમ
  • ૧૯૬૦ – ગાંધી વાદી વિચારસરણી વાળા અને સાદા જીવનના આગ્રહી કુટુમ્બની દીકરી મંજુલાબેન સાથે લગ્ન
  • પોતાને પુત્રી હોય તેવી બહુ ઇચ્છા હોવા છતાં, દીકરી ન જન્મી અને બે સંતાનથી વધારે ન હોવાં જોઈએ તેવો નિર્ધાર કર્યો હોવાના કારણે અનેક મહિલાઓને દીકરી જેવો પ્રેમ , સંબંધ અને તેમના જીવનમાં મદદ
  • ૧૯૬૦ સુધી – આનંદીના મુવાડા તરફથી મળતી મહિને ૩૦/- રૂ.ની મદદ માત્રથી સ્વૈચ્છિક  ગરીબી વેઠી ભૂદાન કાર્ય. ઘેર પિતાની પરિસ્થિતિ બગડતાં નારાયણ દેસાઈએ મહિને ૮૦/- રૂ.ની મદદ આપી. લગ્ન પછી, આનંદીના મુવાડા ગામે ‘કૈલાસ આશ્રમ’માં ગ્રામસેવક તરીકે. પણ અવારનવાર   દેશના વિવિધ ભાગોમાં વિનોબા સાથે પદયાત્રામાં – મુખ્ય કામ ખબરપત્રીનું.
  • ૧૯૬૩ – ટીબીની બિમારીમાં સપડાયા. વડનગરના સેનેટેરિયમમાં સારવાર લીધી. વિનોબાજીની સૂચનાથી સતત મંત્રજાપનો પ્રયોગ કર્યો અને છ મહિનાની જગ્યાએ ત્રણેક મહિને ટીબીની બિમારી દૂર થઈ.
  • બે વર્ષ – લોકભારતી, સણોસરામાં અભ્યાસ કરી સ્નાતક બન્યા.
  • ગુજરાત સર્વોદય મંડળમાં અઢાર વર્ષ  વિવિધ પ્રકારની, સમાજ ઉદ્ધારની કામગીરી. ‘ભૂમિપુત્ર’ માં પણ સતત પ્રદાન.
  • સાવલીના સંત, વિમલાતાઈ વિ. સાથેના તેમના અનુભવો ન માની શકીએ તેવા અદભૂત છે. તેમના સુધારાવાદી વલણ અને સાચા સંતો માટેનો આ આદર – એમ વિરોધાભાસી હકિકતો તેમના મુક્ત મનની સાક્ષી પૂરે છે.
  • ૧૯૭૭ – ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી દરમિયાન સર્વોદયનું કામ કરવા માટે એક મહિનો જેલવાસ.
  • જયપ્રકાશ નારાયણની ગુજરાતની મુલાકાત દરમિયાન એમની સાથે અંગત સમ્પર્ક થયો હતો.
  • ૧૯૭૮ – વડોદરા નિસગોપચાર કેન્દ્રની શરૂઆત. તેમના સર્વોદય કામની શાખને કારણે સરકારી ગ્રાન્ટ વીસ મળતી રહેલી. છેલ્લા તેર વર્ષથી ડોક્ટર થયેલો તેમનો દીકરો ભરત, એલોપથી છોડીને અને આયુર્વેદનો અભ્યાસ કરીને,  મુખ્ય ચિકિતસક તરીકેની જવાબદારી સંભાળે છે. તેમનો બીજો દીકરો કપિલ પણ ત્યાં સજીવ ખેતીનું કામ સંભાળે છે. બન્ને દીકરાએ આશ્રમને જ રહેઠાણ બનાવ્યું છે.
  • વૈજ્ઞાનિક અભ્યાસ કરીને, ‘મીઠામાં આયોડિન ભેળવવું જ જોઈએ.’  – એ કાયદાનો વિરોધ કરેલો, અને તે દૂર કરવા આંદોલન પણ ચલાવેલું.
  • ૧૯૯૨ – બાબરી મસ્જિદ ધ્વંસ પછી થયેલાં તોફાનો દરમિયાન શાંતિ સ્થાપવા માટે છ દિવસના ઉપવાસ.
  • ૨૦૦૨ – ગોધરા ટ્રેન હત્યાકાંડ પછી શાંતિ સ્થાપવાના કામમાં, સ્થળો પર જઈને, મોટું જોખમ વહોરી, સક્રીય કામગીરી.
  • ભૂમિપુત્ર માં દસકાંઓ સુધી ખબરપત્રી થી માંડીને તંત્રી પદ સુધીની કામગીરી . ‘સંતને પગલે ‘ ,– વિનોબાજીની ભૂદાન યાત્રા અંગે ભૂમિપુત્રમાં ડાયરી –કોલમ , ‘સમાચારને સથવારે’ દૈનિક કોલમ
  • શિવામ્બુ ચિકિત્સામાં બહુ જ વિશ્વાસ હતો અને તેના પ્રચાર માટે ઘણી શિબિરો યોજેલી. ‘શિવામ્બુ’ માસિકની સ્થાપના
  • આખું જીવન – કોઈ જાતની બચત ન કરવાના સંકલ્પ સાથે ગાળી. પોતાની ટીબીની બિમારી, દીકરા કપિલની માંદગી,  વિ. ના વિના ખર્ચે ડોક્ટરોએ સારવાર કરી દીધી. તે જ રીતે દીકરાઓના ઉચ્ચ શિક્ષણના ખર્ચ માટે સમભાવી મિત્રોની મદદ હમ્મેશ મળતી રહી હતી.
  • ૧૯૮૮ પછી – દીકરો ‘ગ્રામ ભારતી’માં કમાતો થયો પછી, ભૂમિપુત્ર અને સર્વોદત મંડળમાં વિના વેતને, સતત પ્રદાન
  • સમાજ સેવાના કોઈ પણ કામનો સંકલ્પ કરે પછી ગેબી રીતે નાણાંકીય સગવડો થઈ જતી.
  • આડત્રીસ વર્ષથી વડોદરા નજીકના વિનોબા આશ્રમમાં જ રહેતા હતા.

રચનાઓ

  • સમાજને ઉપયોગી  પુસ્તિકાઓ – બસની મુસાફરી, રેલગાડીની મુસાફરી, ભીખનું હાંલ્લું, ગુજરાતના વનવાસીઓ, સ્વમૂત્ર ચિકિત્સા, શિવામ્બુ ચિકિત્સા
  • સંકલન – અંતકડી, સંસ્કાર ગીતો
  • સમાચાર લક્ષી વિચારો – સમાચારને સથવારે

સન્માન

  • ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન તરફથી પ્રણવાનંદ સ્વામી પુરસ્કાર

સાભાર

  • શ્રી. ઉત્તમ ગજ્જર

જુગતરામ દવે, Jugatram Dave


jd1વેડછીનો વડલો

બૂડ્યો પંડિત પુષ્પિત ભાષા;
અલંકાર, ઝડ ઝમ્મક, પ્રાસા

તેમની એક રચના –  ‘ભાઈને હાથે માર’

એનું જીવનકાર્ય અખંડ તપો
અમ વચ્ચે બાપુ અમર રહો !

અંતરપટ આ અદીઠ,
અરેરે ! આડું અંતરપટ આ અદીઠ !

ગુજરાતના જુ.કાકા –  મીરાં ભટ્ટ

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર

વિકિપિડિયા પર

શ્રી જુગતરામ દવે આશ્રમશાળા યોજના – ગુજરાત સરકાર

———————————————-

જન્મ

  • ૧, સપ્ટેમ્બર – ૧૮૮૮, લખતર, જિ- સુરેન્દ્રનગર

અવસાન

  • ૧૪, માર્ચ – ૧૯૮૫, ગાંધી આશ્રમ, વેડછી

કુટુમ્બ

  • માતા – ? , પિતા – ચીમનલાલ
  • અપરિણિત

શિક્ષણ

  • પ્રાથમિક/ માધ્યમિક – વઢવાણ, ધ્રાંગધ્રા, મુંબાઈ

વ્યવસાય

  • શિક્ષણ, પત્રકારત્વ, લોકસેવા

તેમના વિશે વિશેષ

  • નોન મેટ્રિક પણ સાહિત્ય/ શિક્ષણ/ સેવા માં અદભૂત પ્રદાન
  • ૧૯૧૭ – મુંબાઈમાં ‘વીસમી સદી’ માં નોકરી
  • એક વર્ષ સયાજીપુરામાં ગ્રામસેવા
  • ? – કાકાસાહેબ કાલેલકર અને સ્વામી આનંદના સંસર્ગથી ગાંધી આશ્રમમાં શિક્ષણ કાર્ય
  • ૧૯૧૯-૧૯૨૩  નવજીવનમાં સેવા
  • ૧૯૨૭ – બારડોલી સત્યાગ્રહમાં સક્રીય ભાગ
  • ૧૯૨૮થી – વેડછી (જિ,સુરત) ખાતે અદિવાસીઓની અને  ગ્રામ સેવા
  • વિભિન્ન સત્યાગ્રહોમાં નવ વર્ષ જેલમાં ગાળ્યા.
  • ૧૯૭૧-૭૮ ‘વટ વૃક્ષ’ માસિકનું સંચાલન

jd2

રચનાઓ

  • કવિતા – કૌશિકાખ્યાન( મહાભારતની એક કથા પરથી) , ગીતાગીતમંજરી, ગ્રામ ભજનમંડળી, ઈશ ઉપનિષદ, ગુરૂદેવનાં ગીતો
  • નાટિકાઓ – આંધળાનું ગાડું, પ્રહ્લાદ નાટક અને સહનવીરનાં ગીતો, ખેડૂતનો શિકારી અને મધ્યમસરની ચાલ
  • નિબંધ – આત્મરચના અથવા આશ્રમી કેળવણી,
  • જીવન ચરિત્ર –  ગાંધીજી (બાળકો માટે – ગુજરાતી, હિન્દી અને  અંગ્રેજીમાં), ખાદી ભક્ત ચુનીભાઈ
  • આત્મકથા – મારી જીવન કથા
  • બાળસાહિત્ય – ગાલ્લી મારી ઘરરર… જાય, ચાલણગાડી, ચણીબોર, પંખીડાં, રાયણ

સાભાર 

  • ગુજરાતી સાહિત્યકોશ

જયશંકર સુંદરી, Jayshankar Sundari


Jayshankar-Sundariવિકીપિડીયા પર

# ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર 

#  એક પરિચય

#  વેબ ગુર્જરી પર સરસ લેખ

——————————————————-

js

આ ચિત્ર પર ક્લિક કરો

નામ

  • ભોજક જયશંકર ભૂધરદાસ

જન્મ

  • ૩૦,જાન્યુઆરી-૧૮૮૯; વિસનગર ( જિ. મહેસાણા)

અવસાન

  • ૨૨. જાન્યુઆરી- ૧૯૭૫; વિસનગર ( જિ. મહેસાણા)

કુટુમ્બ

  • માતા -? ; પિતા-ભૂધરદાસ
  • પત્ની -?; સંતાનો – ?

શિક્ષણ

  • બે ધોરણ

વ્યવસાય

  • નાટ્ય કલાકાર

તેમના વિશે વિશેષ

  • ૧૮૯૮-૧૯૦૧ કલકત્તા ઉર્દૂ નાટક મંડળીમાં
  • ૧૯૦૧-૧૯૩૨ મુંબાઈ ગુજરાતી નાટક મંડળી સાથે
  • ૧૯૪૮-૧૯૬૨ અમદાવાદમાં નાટ્ય પ્રવૃત્તિ; નાટ્ય પ્રવૃત્તિ માટે ગુજરાતમાં આબોહવા સર્જવા માટે સક્રિય
  • ૧૯૬૪ – મુંબાઈમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના બાવીસમા અધિવેશનમાં કળા વિભાગના પ્રમુખ
  • સ્ત્રી પાત્રમાં જીવંત અભિનય; નાટ્ય રંગભૂમિ પર સ્ત્રી સંવેદનાને અત્યંત સફળ રીતે  ઉજાગર કરતા.
  • ‘મેનાગુર્જરી’ નાટક દ્વારા તેમને જે લોકપ્રિયતા, પ્રસિદ્ધિ, યશ અને સન્માન મળ્યાં તે ગુજરાતના રંગભૂમિના ઇતિહાસમાં અવિસ્મરણીય છે. ( ‘અનામિકા’ બ્લોગ પરથી )
  • પચાસ ઉપરાંત નાટકોમાં તેમણે સ્ત્રીપાત્ર ભજવ્યું. તેઓ જયારે સ્ત્રીનો શણગાર સજીને સ્ટેજ પર આવતા ત્યારે સ્ત્રીઓ પણ ઝાંખી પડતી. સ્ટેજ પર એક સ્ત્રીને કેવી રીતે પ્રગટ કરવી તે કલા તેમનામાં અદમ્ય હતી.( ‘નીરવ રવે’ બ્લોગ પરથી )
  • અમદાવાદ અને અન્ય સ્થળોએ તેમના નામ પરથી નાટ્ય થિયેટરો બન્યા છે.

 રચના

  • આત્મકથા– થોડાં આંસુ : થોડાં ફૂલ 

સન્માન

  • ૧૯૫૧ – રણજિતરામ સુવર્ણ ચન્દ્રક
  • ૧૯૫૭ – રાષ્ટ્રપતિ સુવર્ણ ચન્દ્રક
  • ૧૯૭૧ – પદ્મભૂષણનો ઈલ્કાબ

સાભાર

  • ગુજરાતી સાહિત્ય કોશ

બ્રહ્મવેદાન્ત સ્વામી, Brahmavedant Swami


IMG_3587

“ધ્યાનને પ્રવૃત્તિ બનાવવાની નથી. 
જીવનની દરેક પ્રવૃત્તિને ધ્યાનમય બનાવવાની છે.”

“ ગમે તે પરિસ્થિતીમાંથી મજા અને મસ્તી કઈ રીતે મેળવવા, એ બધું  શીખવ્યું રામદુલારે બાપુએ.”

“સન્યાસ લેવાયો ન હતો. સન્યાસ એ ઓશોની કૃપા હતી.એ ઓશોની (મારે માટે)પસંદગી હતી.”

તેમના વિશે માહિતી

——————————————————————

સાંસારિક નામ

  • હીરાલાલ શાહ

જન્મ

  • ૬, જુલાઈ-૧૯૩૨; મુંબઈ

અવસાન

  • ૧૪, જાન્યુઆરી – ૨૦૨૧

અભ્યાસ

  • સાયન્સ કોલેજનુ બીજું વર્ષ.

કુટુમ્બ

  • માતા– મણીબાઈ ગોવિંદજી;પિતા-મકનજી જ્ગજીવન શાહ
  • પત્ની– રમીલા;પુત્રો – ભરત, હરીશ;રામુ અને હિમાન્શુ; પુત્રીઓ-રક્ષા અને હીના


તેમના વિશે વિશેષ

તેમનાં પ્રવચનો અને તેમના જીવન વિશે ઘણા બધા વિડિયો અહીં .

કોઈ પણ ફોટા પર ‘ક્લિક’ કરી,
આશ્રમનો સ્લાઈડ શો નજરે નીહાળો.
 

  • પિતા માધવપુરના નગરશેઠના દીકરા હતા અને પુષ્ટિમાર્ગમાં રૂચિ ધરાવતા હતા.
  • સ્વામીજી એક વર્ષના હતા, ત્યારે પિતા અને ૭ વર્ષના હતા , ત્યારે માતાનો  દેહાન્ત થયો હતો.
  • ૧૯૩૯ – માતા પિતાના દેહાન્ત બાદ માધવપુર સ્થળાંતર. માસા હરજીવનદાસ અને માસી અમૃતાબાઈએ ઉછેર્યા.
  • ૧૯૪૦થી –તેમના બાળમન પર ગાંધીજીનો પ્રભાવ પડ્યો.
  • ૧૯૪૨–  અભ્યાસ છોડી આઝાદીની લડતમાં જોડાયા. સાથે સાથે રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ અને સ્વામી વિવેકાનન્દનાં ઘણાં સાહિત્યનો અભ્યાસ કર્યો. ત્યારથી જ લોભ વૃત્તિ ઘટવા લાગી; જ્યોતિષ, યોગવિદ્યા, તંત્રશાસ્ત્ર,પુનર્જન્મ વિ.માં ખૂબ શ્રદ્ધા જાગવા લાગી.
  • ૧૯૬૭ – પહેલી વખત ‘ઓશો’ – રજનીશજી સાથે સત્સંગ, શારદાગ્રામ શિબીરમાં(માત્ર કુતૂહલથી પ્રવચન સાંભળવા ગયા હતા; અને આખો દિવસ રોકાઈ ગયા.) વર્તમાનમાં જીવવાનો પહેલો અનુભવ. બીજા બધા રસ્તાઓ ઉપર ચોકડી મૂકાઈ ગઈ.
  • ૧૯૭૨– આબુ ખાતે ‘ઓશો’ની શિબીરમાં આકસ્મિક જ દીક્ષા લીધી ‘મારી પાત્રતા નથી’ ના જવાબમાં ઓશોએ કહ્યું ,’ ઉસકી ફિકર છોડ દે. કિસ રૂપમેં સન્યાસ લેના ચાહતા હૈ?’ સફેદ વસ્ત્ર ધારી સન્યાસી બન્યા; અને ‘સ્વામી બ્રહ્મવેદાન્ત’ નામ મેળવ્યું.
  • ૧, નવેમ્બર-૧૯૭૪ વેરાવળ ખાતે ‘સંકેત’ – રજનીશ ધ્યાન કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે કેવળ દૃષ્ટાભાવ પ્રગટ્યો અને ‘ભગવાન’પદ કોઈ પ્રયત્ન વિના પામ્યા.
  • ત્યાર બાદ જુદી  જુદી જગ્યાઓએ અનંત સ્વામી સાથે શિબીરો કરી.
  • ૧૯૭૪ – હિમાલય જવાનો વિચાર કર્યો, પણ ‘રામદુલારે’ બાપુએ માધવપુર ખાતેની વાડીમાં જ આશ્રમ બનાવવા અનુરોધ કર્યો. અને બાજુમાં પોતાના હક્કની, ખરાબાની છ એકર જમીન પણ અપાવી
  • માધવપુરમાં આશ્રમની શરૂઆત કરી.  અને ધીમે ધીમે  તેનો વિકાસ કરતા રહ્યા.
  • પહેલાં પોતાની વાડીમાં; ત્યાર બાદ ખરાબાની જમીન ખરીદીને; ત્યાર બાદ ત્યજી દેવાયેલી પથ્થરની ખાણોના વિસ્તારમાં.  છેલ્લે અડાબીડ પડી રહેલ ‘મધુવન’ની જગ્યા પણ સરકારે વિકાસાર્થે વિનામૂલ્યે આપી.
  • ૧૯૭૨થી ૧૯૮૨ – રામદુલારે બાપુ જેઓ પરિવ્રાજક હતા અને અવારનવાર આશ્રમમાં આવતા-જતા અને આશ્રમના વિકાસ સાથે સ્વામીજીના આંતરિક વિકાસ માટે માર્ગ દર્શન આપતા રહ્યા.
  • તેમના આંતરિક અને પ્રજ્ઞાના વિકાસમાં ગુર્જિયેફ, વિમલા તાઈ અને તાવરિયાજીનો પણ ઘણો મોટો પ્રભાવ રહ્યો છે.
  • આશ્રમને આર્થિક અને આંતરિક સહયોગ માટે વેરાવળના ડોક્ટર વકીલ ( સ્વામી વિતરાગ) અને તેમનાં પત્ની સ્વાતિમા નો પણ સહયોગ સતત મળતો રહ્યો છે. ડો. વકીલના દેહાન્ત બાદ સ્વાતિમા પણ સ્થાયી રીતે આશ્રમનાં અંતેવાસી બની ગયાં છે.
  • ડો. વકીલના પુત્ર રાજેન જેઓ સ્વામીજીના બીજા નંબરનાં પુત્રી સાથે પરણેલાં છે અને તે પણ તાવરીયાજીની સાધના પધ્ધ્તિથી યોગ અને ધ્યાન વિષે લોકોને સમજ અને  એમના કાર્યમાં સઘન રીતે  પરોવાયેલા છે.

રચનાઓ (પ્રકાશિત પુસ્તકો)

  • આધ્યાત્મિક–જાગરણ, પૂર્ણતાના પંથે, અતૃપ્તિ ભીતરની, સહયોગથી સમાધિ, અંતઃકરણની ઓળખ, સાધનાની પૂર્વભૂમિકા, વિજળીને ચમકારે
  • આત્મકથાત્મક – પરમપદ પ્રતિ સંકેત

સાભાર 

  • પરમપદ પ્રતિ સંકેત, શ્રી. શરદ શાહ

અમૃતલાલ જાની, Amrutlal Jani


–  તેમની જન્મ શતાબ્દિ પ્રસંગે પ્રસિદ્ધ થયેલ સ્મરણ ગ્રંથ
–   (નટવર્ય અમૃત જાની‘ ) વિશે 
નયા માર્ગ’માં એક લેખ – રમેશ તન્ના

–  શ્રી. ઉર્વીશ કોઠારીએ લખેલ એક લેખ

————————-

જન્મ

  • ૧૯૧૨, ટંકારા

અવસાન 

  • ?

કુટુમ્બ

  • પિતા– જટાશંકર
  • પત્ની – સવિતા ; પુત્ર – ઇન્દુકુમાર ( ‘નયા માર્ગ’ ના તંત્રી), પરેશ

અભ્યાસ

  • સાત ચોપડી ( ટંકારા, જડેશ્વરમાં)

યુવાન વયમાં

વ્યવસાય

  • દેશી રમગભૂમિમાં અભિનય

તેમના વિશે એક લેખ

તેમના વિશે વિશેષ

  • રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં જોડાયા; પણ નાટ્ય પ્રવેશ માટે અભ્યાસ છોડ્યો
  • રાજકોટના નૂતન થિયેટરમાં ચન્દ્રગુપ્તના જીવન પરથી તૈયાર થયેલ નાટક ‘ ભારત ગૌરવ’માં ‘છાયા’ની ભૂમિકામાં પહેલો સ્ત્રી પાત્રી અભિનય
  • ‘સરસ્વતીચન્દ્ર’ નાટકમાં ‘કુમુદ સુંદરી’ તરીકે યાદગાર અભિનય
  • ૧૯૨૯ સુધી – શ્રી. રોયલ નાટક મંડળીમાં
  • ૧૯૩૦ – આર્ય નૈતિક નાટક સમાજ સાથે
  • ૧૯૩૯ – શ્રી. લક્ષ્મી પ્રભાવ નાટક સમાજ સાથે
  • ૧૯૪૫ – ૧૯૫૩  શ્રી. દેશી નાટક સમાજમાં
  • ૧૯૪૪ –  સ્ત્રી પાત્ર તરીકે છેલ્લો અભિનય
  • ૧૯૫૩થી – ૧૯૬૧  સૌરાષ્ટ્ર સંગીત / નાટક અકાદમીના નાટ્ય વિભાગમાં ઇન્સ્પેક્ટર
  • ૧૯૬૪ – આકાશવાણી, મુંબાઈના નાટ્ય વિભાગમાં ચીફ આર્ટિસ્ટ
  • છેલ્લે – આકાશવાણી , રાજકોટમાં નાટ્ય વિભાગ સાથે
  • ૧૯૭૩ – આત્મકથા પ્રકાશિત

રચનાઓ

  • અભિનય પંથે – આત્મકથાત્મક , સંસ્મરણાત્મક  શૈલીમાં જૂની રંગભૂમિના સુવર્ણ કાળ અંગેનું દસ્તાવેજી પુસ્તક

સાભાર 

  • ગુજરાતી સાહિત્ય કોશ – ગુજરાતી સાહિત્ય પરિષદ
  • શ્રી. ઉત્તમ ગજ્જર, નયા માર્ગ
  • શ્રીમતિ આરતી જાની/ શ્રી. પરેશ જાની

શારદાબહેન મહેતા, Shardabahen Mehta


નામ

શારદાબહેન સુમન્ત મહેતા

જન્મ

ઇ.સ. ૧૮૮૨

અવસાન

ઇ.સ. ૧૯૭૦

અભ્યાસ

  • બી.એ.
પ્રદાન
  • ગુજરાતના પ્રથમ સ્ત્રી સ્નાતકમાંના એક
  • આત્મકથા ક્ષેત્રે મહત્વનું પ્રદાન, તેમની આત્મકથા  ગુજરાતના લગભગ સાડાપાંચ દાયકાનાં સમાજ, રાજ્ય અને સ્ત્રીજાગૃતિ વિશેનાં વિગતપુર્ણ ચિત્રો આલેખાયા છે.
રચના
  • અનુવાદ – વિદ્યાગૌરી નીલકંઠ સાથે ‘સુધાહાસિની’ (ધ લેઇક ઑફ પામ્સનો અનુવાદ), દિન્દુસ્તાનમાં સ્ત્રીઓનું સામાજિક સ્થાન
  • આત્મકથા – જીવનસંભાણા
  • જીવનચરિત્ર – ફ્લોરેન્સ નાઇટિંગલનું જીવનચરિત્ર
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૪

ધર્માનંદ કોસંબી, Dharmanand Kosambi


નામ

ધર્માનંદ કોસંબી

જન્મ

ઓક્ટોબર ૯, ૧૮૭૬ ; સંખવાલ, ગોવા

અવસાન

૨૪ જૂન, ૧૯૪૭

કુટુંબ

  • પિતા – દામોદર કોસંબી
  • પત્ની – બાલાબાઇ
  • પુત્રી – માણિક
  • પુત્ર – દામોદર
અભ્યાસ
  • કાશી, નેપાલ, કલકત્તા, શ્રીલંકા (વિદ્યોદયા યુનિવર્સીટી) , રંગૂન
વ્યવસાય
  • કોલકાતા યુનિવર્સીટીમાં રીડર તરીકે
  • સંશોધન ફેલો તરીકે વડોદરામાં
  • પ્રાધ્યાપક – ફર્ગ્યુસન કૉલેજ, પુણે
  • હાવર્ડ યુનિવર્સિટી તથા લેનીનગ્રાડ યુનિવર્સિટી (રશિયા) ખાતે પ્રાધ્યાપક
  • ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રાધ્યાપક તરીકે

જીવનઝરમર

  • મૂળ ગોવાના વતની એવા ધર્માનંદ કોસંબીની માતૃભાષા ગુજરાતી ન હોવા છતાં ગુજરાતી ભાષાની અનન્ય સેવા કરી છે.
  • તેઓ ગાંધીવિચારના રંગે રંગાયેલા હતાં.
  • સત્ય, અહીંસા, અસ્તેય, અપરિગ્રહ વગેરે તત્ત્વો પર આધારીત પાર્શ્વનાથ ચાતુર્યામનો તેમના પર પ્રભાવ હતો. પાછળથી રંગૂન જઇને બૌદ્ધ સંપ્રદાયની દીક્ષા લીધી.
  • પાલીના ઉત્તમ અધ્યાપક તથા બૌદ્ધ ધર્મશાસ્ત્રના મર્મજ્ઞ તરીકે તેઓ પ્રકીર્તીત છે.
  • ઇ.સ. ૧૯૨૨માં અમેરીકાથી પાછા ફર્યા તથા ગૂજરાત વિદ્યાપીઠના પુરાતત્ત્વ મંદિરમાં જોડાયા.
  • આ સમયગાળા દરમિયાન લેખનકાર્ય દ્વારા લેખક તરીકે નામના મેળવી.
  • ગુજરાતી ભાષામાં બૌદ્ધ સંપ્રદાયના સિદ્ધાંતો, નીલશાસ્ત્ર, સાહિત્ય વગેરે રજૂ કરવામાં તેમનું પ્રદાન નોંધપાત્ર છે.
  • ત્યારબાદ તેઓ અમેરિકા અને રશિયા પણ ગયા.
  • ઇ.સ. ૧૯૩૦માં તેમણે દાંડીયાત્રામાં પણ ભાગ લીધો.
  • ઇ.સ. ૧૯૪૭માં સેવાગ્રામ આશ્રમમાં એમનું અવસાન થયું.
રચના
  • બુદ્ધ, ધર્મ અને સંઘ, બુદ્ધલીલા, બુદ્ધલીલાસારસંગ્રહ, ધમ્મપદ (રા.વિ. પાઠક સાથે), બૌદ્ધસંધનો પરિચય, સમાધિમાર્ગ, જાતકકથાસંગ્રહ, પચાસ ધર્મસંવાદો, સુત્તનિપાત, હિન્દી સંસ્કૃતિ, બુદ્ધચરિત્ર, અભિધર્મ, શ્રી શાંતિદેવાચાર્યકૃત બોધિચર્યાવતાર, બોધિસત્ત્વ, ધર્મચક્રપરિવર્તન, આત્મકથા.
  • આત્મકથા – આપવીતી
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૪
  • the full wiki
%d bloggers like this: