ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: ઇતિહાસકાર

કાંતિલાલ ત્રિપાઠી, Kantilal Tripathi


આપણી રંગભૂમિ ના ઘડવૈયા
– સૌજન્ય – ચંદુલાલ શાહ

સાભાર – શ્રી. ઘનશ્યામ વ્યાસ, મુંબઈ

શ્રી કાંતિલાલ ત્રિપાઠી ગુજરાતી સાહિત્ય પરિષદ ના સભાસદ, ગુજરાત ઇતિહાસ પરિષદ ના આજીવન સભ્ય, પ્રેમાનંદ સાહિત્ય સભાના સભાસદ, અને વાર્તા વર્તુળ ના મંત્રી તરીકે રહ્યા અને સફળ સેવા ઓ આપી.

તેઓ સારા લેખક અને એમની કેટલીક એકાંકી ઓ , નાટકો અને પ્રહસાનો ભજવાયા છે. ” મારે લગ્ન કરવું છે, રમણીયો ભલે પરણે , હું પરણવાનો નથી,સરૂ આખરે પરણી બેઠી , બસ સ્ટોપ , માદળિયું , માનવતા રડાવે છે , આથી દીકરા ન હોત તો સારા, ગગલો પ્રધાન બન્યો, પરણીશ તો એને જ પરણીશ , માંડવો માબાપ ને મુરતિયો ” વગેરે એમની સુંદર કૃતિ ઓ થઈ ગઈ. ઉપરાંત તેમણે ભવાઈવેશો પણ લખેલા છે. રેડિયો રૂપકો માટે પણ એમની હથોટી સારી હતી.

લોથલ વિષય પર તેમનો એક અભ્યાસ લેખ

નગીનદાસ સંઘવી, Nagindas Sanghvi


“ હું તો મારા વિદ્યાર્થીઓના હાથે ટીચાઈ ટીચાઈને ઘડાયો છું.”
હુલામણું નામ – નગીનબાપા

ન્મ

૧૦, માર્ચ – ૧૯૨૦; ભાવનગર

અવસાન

૧૨, જુલાઈ- ૨૦૨૦; સુરત

કુટુંબ – ??

શિક્ષણ

એમ.એ.  ભાવનગર

વ્યવસાય

શિક્ષણ – ૧૯૫૧ – ૮૦, ભવ ન્સ કોલેજ , અંધેરી , રુપારેલ કોલેજ – માહીમ; મીઠીબાઈ કોલેજ, વિલે પાર્લે  મુંબઈ
સામાયિકોમાં કટાર લેખક

તેમની ચેનલ

https://www.youtube.com/channel/UCP5z9huJwsrMwtB1_rmwW9g/videos

તેમના વિશે વિશેષ

  • 1944માં ભણવાનું પૂરું કર્યું હતું. મુંબઈમાં ઍડ્વર્ટાઈઝિંગ કંપનીમાં મહિને 30 રૂપિયાના પગારે ટાઈપિસ્ટ તરીકે નોકરી શરૂ કરી હતી. એક-બે જગ્યાએ કામ કર્યા પછી ત્રણ દાયકા કરતાં વધુ સમય અધ્યાપન અને છેલ્લાં પચાસ વર્ષ કટારલેખન કરતાં હતા.
  • એક ઈન્સ્યોરન્સ કંપનીમાં કામ કર્યું હતું. વચ્ચે બે વાર મુંબઈથી ભાવનગર પાછા ગયા હતા.
  • ૧૯૫૦ ના વર્ષમાં મુંબઈની ભવન્સ કૉલેજમાં પ્રોફેસર બન્યા હતા. એ પછીનાં બત્રીસ વર્ષ મુંબઈની રૂપારેલ તથા મીઠીબાઈ કૉલેજમાં ભણાવ્યું હતું. તેઓ રાજકારણ અને ઈતિહાસના વિષય શીખવતા હતા.
  • તેઓ કૉલેજમાં ભણાવતા હતા ત્યારથી સમાચારપત્રોમાં લખવાનું શરૂ કર્યું હતું.  નિવૃત્તિ પછી પણ તેઓ લખતા રહ્યાં હતા. 1982માં મહિને 700 રૂપિયાનું પેન્શન મળતું હતું. પણ એમાં એમનું ઘર ચાલે એમ નહોતું એટલે લખવાનું કામ કરીને કમાતા હતા. આમ તેઓ અકસ્માતે લખતા રહ્યાં હતા.
  • મુંબઇની મીઠીબાઇ કૉલેજમાં પૉલિટીકલ સાયન્સના વડા તરીકે નિવૃત્ત થયા હતા. 
  • ૧૯૬૨ થી – ચિત્રલેખા અને બીજાં સામાયિકોમાં રાજકારણને લગતી નિયમિત કટારોમાં નીડર લેખન
  • રાજકીય પ્રવાહોની તલસ્પર્શી છણાવટ અને સાચા અર્થમાં અને તડ અને ફડ કરનારા
  • મૂળ રામાયણમાંથી ઘણી બધી એવી બાબતો તેમણે મૂકી કે જે કથા અને પાત્રો અંગેની રૂઢિગત માન્યતાઓને માફક ન આવી. લેખમાળા સામેનો વિરોધ હુલ્લડબાજી અને છાપાંની હોળી સુધી પહોચ્યો હતો. તેમની કોલમ આખરે એ બંધ થઈ, આક્ષેપોનો જવાબ આપવાનો લેખકનો હક્ક પણ તંત્રીસાહેબોએ નકારવો પડ્યો.  નોંધપાત્ર છે કે પછીના વર્ષે નગીનદાસે એ લેખમાળાને  ‘રામાયણની અંતરયાત્રા’ પુસ્તક તરીકે જાતે પ્રકાશિત કરવાની હિમ્મત દાખવી. ડૉ. આંબેડકરનાં ‘રિડલ ઑફ રામ’ લખાણની યાદ અપાવતાં આ પુસ્તકનાં પાનેપાને તલ:સ્પર્થી સંશોધન અને  સ્વતંત્ર ચિંતન દેખાય છે.
  • તેઓ આસ્તિક બિલકુલ ન હતા. ધર્મ એમના માટે અધ્યાત્મનો વિષય ન હતો. તેઓ માનતા કે ધર્મ વગર કોઈ સમાજ ટક્યો નથી અને ટકી શકે પણ નહીં. નગીનભાઈ પોતે જ કહે તા હતા, ધર્મ, વિજ્ઞાન, ઈતિહાસ, સમાજશાસ્ત્ર અને રાજકારણ વિશેનાં લખાણોએ એમને ઘણા આજીવન દુશ્મન આપ્યા છે તો પ્રગાઢ દોસ્તો પણ આપ્યા છે.

ચનાઓ

  • મહામાનવ કૃષ્ણ, ગીતા નવી નજરે, ગીતા વિમર્શ,  નરે ન્દ્ર મોદી – એક રાજકીય સફર, રામાયણની અંતરયાત્રા,
  • તડફડ શ્રેણી – ભારત, ધર્મ, ઈતિહાસ, જીવન, રાજનીતિ, સમાજ, સંસ્કૃતિ, વિશ્વ, સોંસરી વાત, નગીનદાસ સંઘવીનું  તડ ને ફડ
  • સંકલન – એમની વિવિધ કટારોના લેખોમાંથી સંકલન કરેલા આઠ  પુસ્તકોનો સેટ
  • ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં મળી અઢાર પુસ્તક અને 29 પરિચય પુસ્તિકાઓ. 

સન્માન

૨૦૧૮ – પદ્મશ્રી , ભારત સરકાર
વજુ કોટક સુવર્ણ ચંદ્રક

મધુસુદન ઢાકી, Madhusudan Dhaky


dhak2#   ઈતિહાસ અને પુરાતત્વના ખાં

#    તેમનાં ઘણા બધા સંશોધન લખાણો

#  એક ટૂંક પરિચય

#  વિકિપિડિયા પર

# એક સરસ  પરિચય- ધ્રુવ ઘોષ

#

————————————————–

જન્મ

  • ૩૧, જુલાઈ -૧૯૨૭; પોરબંદર

અવસાન

  • ૨૯, જુલાઈ-૨૦૧૬, અમદાવાદ

કુટુમ્બ

  • માતા– ? ; પિતા – અમીલાલ
  • પત્ની – ગીતા, સંતાન – ?

શિક્ષણ

  • બી.એસ.સી.( ભુસ્તરશાસ્ત્ર) – ફર્ગ્યુસન કોલેજ, પુણે

વ્યવસાય

  • ૧૯૯૬ – ૨૦૦૫ –  દિલ્હી ખાતે ભારતીય કળા અને પુરાતત્વમાં સંશોધનાની અમેરિક સંસ્થામાં

This slideshow requires JavaScript.

તેમના વિશે વિશેષ

  • થોડોક સમય સેન્ટ્રલ બેન્કમાં નોકરી
  • ૧૯૭૬-૧૯૯૬ – કળા અને પુરાતત્વ અંગેની ગુડગાંવ સ્થિત અમેરિકન સંસ્થામાં સંશોધન વિભાગના ડિરેક્ટર; ત્યાં જ ૨૦૦૫ સુધી ડિરેક્ટર – એમેરિટસ
  • ભારતીય શાસ્ત્રીય સંગીત વિશે સંશોધન પણ કરેલું છે.
  • ભારતની સ્વતંત્રતા બાદ નવા બંધાતા સોમનાથ મંદિરના બાંધકામના ક્યુરેટર
  • જૈન સાહિત્ય અને કળા વિશે સંશોધન અને લેખન

રચનાઓ

[ ૨૫ પુસ્તકો, ૩૨૫ સંશોધન લેખ, ૪૦૦ – સામાયિકોમાં  લેખ ]

  • સંશોધન – The Riddle of the Temple of Somanātha, The Indian temple forms in Karṇātak inscriptions and architecture, Encyclopaedia of Indian temple architecture with Michael Meister, The Indian temple Traceries (2005), Complexities Surrounding the Vimalavasahī Temple at Mt. Abu (1980), Arhat Pārśva and Dharaṇendra nexus, Nirgranth Aitihāsik Lekh-Samuccay, Professor Nirmal Kumar Bose and His Contribution to Indian Temple Architecture: The Pratiṣṭhạ̄-Lakṣaṇasamuccaya and the Architecture of Kaliṅga(1998), The Temples in Kumbhāriyā (2001), Saptaka (1997), Tamra Shashan (2011).[3]

સન્માન

  • કેમ્પબેલ મેમોરિયલ સુવર્ણચન્દ્રક – એશિયાટિક સોસાયટી, મુંબાઈ
  • ૧૯૭૪ – કુમાર  ચન્દ્રક
  • ૨૦૧૦ – પદ્મભુષણ
  • ૨૦૧૦ – રણજિતરામ સુવર્ણચન્દ્રક – ગુજરાતી સાહિત્ય પરિષદ
  • ઉમા સ્નેહરશ્મિ પુરસ્કાર
  • લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ – ગુજરાતી ઈતિહાસ પરિષદ

 

 

 

http://projectanveshan.com/a-meeting-with-our-mentor/

મહેબૂબ દેસાઈ – ડો. Mehboob Desai


– પ્રોફે. ડૉ.મહેબૂબ દેસાઈ લબ્ધ પ્રતિષ્ઠિત યુવા શોધકર્તા છે. એમને હું વર્ષોથી ઓળખું છું. એમના વિશે મને ઊંચો અભિપ્રાય છે. એમણે ઇતિહાસ તથા સાહિત્યના ક્ષેત્રોમાં સિદ્ધિ અને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. એમના ઇતિહાસ વિષયક ગ્રંથો ઇતિહાસ ક્ષત્રે ઘણા કિંમતી છે. એમાં એમની વિદ્વતા, અભ્યાસ નિષ્ઠા અને ઉદ્યમ પરાયણતા સુપેરે દ્રશ્યમાન થાય છે. એમના વિચારો ઘણા પરામાર્જીત છે. તથા ભારતીય સંસ્કૃતિ,સભ્યતા અને ચિંતનના ક્ષેત્રે એમનું વાંચન ઊંડું અને વિશાળ છે. ભારતીય સંસ્કૃતિની સાચી સમજના સંવર્ધનની મહત્વની રાષ્ટ્રીય સેવા એઓ બજાવી રહ્યા છે.એ મારે મન આનંદનો વિષય છે. આ ઉપરાંત એ ઓ ઉદારમતવાદી મુસ્લિમ રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ ધરાવે છે એ સરાહનીય છે.

કે.કા. શાસ્ત્રી 

તેમના બ્લોગ

– વર્ડપ્રેસ પર – ;  –  બ્લોગસ્પોટ પર – 

—————————————————-

સમ્પર્ક

  • કાર્યાલય –  ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
  • રહેઠાણ – ૩૦૧ ડી, રોયલ અકબર રેસિડન્સી, સરખેજ રોડ, અમદાવાદ – ૩૮૦ ૦૫૫
  • સમ્પર્ક
    • લેન્ડ લાઈન –  (૦૭૯) ૨૬૮૨ ૧૪૮૭
    • મોબાઈલ – ૯૮૨ ૫૧ ૧ ૪૮૪૮
    • ઈમેલ : mehboobudesai@gmail.com

જન્મ 

  • ૫ જાન્યુઆરી ૧૯૫૩; અમદાવાદ

કુટુમ્બ

  • પિતા – ઉસ્માનભાઈ હુસેનભાઈમાતા- હુરબાઈ
  • પત્ની – સાબેરા; પુત્ર – ઝાહિદ; પુત્રી– કરિશ્મા

અભ્યાસ

  • ૧૯૭૬- એમ. એ.
  • ૧૯૯૨ – પીએચ. ડી.(ઇતિહાસ)

વ્યવસાય

  • પ્રોફેસર અને અધ્યક્ષ, ઇતિહાસ અનુસ્નાતક ભવન, ભાવનગર વિશ્વ વિદ્યાલય,ભાવનગર
  • ૨૦૧૬ થી – પ્રોફેસર/ હેડ ઓફ ડિપા. –  ઈતિહાસ અને સંસ્કૃતિ – ગુજરાત વિદ્યાપીઠ

તેમના વિશે વિશેષ 

  • અનેક સેમિનારો–કોન્ફરન્સોમાં ૧૦૦ જેટલા શોધપત્રો રજુ કર્યા છે.
  • અનેક સેમિનારોમાં ચેરપર્સન તરીકે સેવા આપેલ છે.
  • ગુજરાતના મોટા ભાગના અગ્ર વર્તમાન પત્રો ફૂલછાબ,જય હિન્દ, સૌરાષ્ટ્ર સમાચાર, સમભાવ,અને દિવ્ય ભાસ્કરમા (રાહે રોશન) ઇતિહાસ અને ઇસ્લામની કોલમ લખી છે.
  • ઇન્ચાર્જ અધ્યક્ષ, સમાજકાર્ય વિભાગ, ભાવનગર વિશ્વ વિદ્યાલય,ભાવનગર
  • ચેરમેન, ઇતિહાસ અભ્યાસ સમિતિ, ભાવનગર વિશ્વ વિદ્યાલય,ભાવનગર
  • સભ્ય, એકેડમિક કાઉન્સિલ, ભાવનગર વિશ્વ વિદ્યાલય,ભાવનગર
  • નિયામક, ગાંધી વિચાર અભ્યાસ કેન્દ્ર , ભાવનગર વિશ્વ વિદ્યાલય,ભાવનગર
  • સંયોજક, પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમાં ઇન ટુરીઝમ, ભાવનગર વિશ્વ વિદ્યાલય,ભાવનગર
  • પ્રકાશન અધિકારી, ભાવનગર વિશ્વ વિદ્યાલય,ભાવનગર
  • ટ્રસ્ટી, દર્શક ઇતિહાસ નિધિ, વડોદરા
  • વિષય તજજ્ઞ, જાહેર સેવા આયોગ, ન્યુ દિલ્હી
  • સભ્ય, હરીઓમ આશ્રમ સર્વધર્મ પ્રકાશન સમિતિ, સરદાર પટેલ યુનિવર્સીટી, વલ્લભવિદ્યાનગર
  • સભ્ય, સંશોધન તજજ્ઞ સમિતિ, વીર અહીલ્યાબાઈ યુનિવર્સીટી, ભોપાલ
  • સભ્ય, સંશોધન તજજ્ઞ સમિતિ, સૌરાષ્ટ યુનિવર્સીટી, રાજકોટ
  • સંશોધક તજજ્ઞ, ભારતીય ઉચ્ચ સંશોધન સંસ્થાન, સિમલા
  • સભ્ય, ગુજરાત ઇતિહાસ પરિષદ, અમદાવાદ
  • સભ્ય, સૌરાષ્ટ્ર-કચ્છ ઇતિહાસ પરિષદ, જુનાગઢ.

રચનાઓ

  • ઈતિહાસ-મહેક, બેતાલીસમાં સૌરાષ્ટ્ર, સ્વાતંત્ર સંગ્રામમા અમરેલી, આવિષ્કાર,  ભાવનગર રાજ્ય પ્રજા પરિષદ  અને પ્રજાકીય લડતો,   હિન્દોસ્તાં હમારા,   ગુજરાતના સ્વાતંત્ર યુગનું આલેખન કરતા આધારભૂત ગ્રંથો,  આઝાદીના આશક મેઘાણી,  ગુજરાતના નવતર સત્યાગ્રહો,આઝાદીના પગરવ ,  ગુજરાતની સ્વાતંત્ર સાધના, સોરાષ્ટ્રની સ્વાતંત્ર સાધના, સરદાર પટેલ અને ભારતીય મુસ્લિમો, વિ-ચાર્ય (સંશોધન લેખો),  ભારતના ઈતિહાસની તવારીખ, ઇતિહાસ,વિચાર અને સંવેદના
  • જીવન ચરિત્રો – મુસ્લિમ મહાત્માઓ, સૂફી જાણ તો તેને રે કહીએ , ગાંધીજી,   રવિશંકર મહારાજ , આપણા જવાહર , અડીખમ સ્વાતંત્ર સૈનિક મોરારજી દેસાઈ  ,  ક્રાંતિકારી ભગતસિંહ

  • સામાજિક –  Islam and Non Violence,  Social Engagements of Intellectuals in Civil Society, મુસ્લિમ માનસ, મુસ્લિમ સમાજ: વ્યથા અને વિચાર
  • શિક્ષણ – પ્રૌઢ શિક્ષણ: સિધ્ધાંત અને વ્યવહાર , પ્રૌઢ શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ: યોજના અને સંચાલન
  • પ્રકીર્ણ –  નોખી માટીના નોખા માનવી, સ્નેહની સરવાણી,  સ્મૃતિવંદના, અલખને ઓટલે
  • પ્રવાસ – દો કદમ હમભી ચલે, સફર-એ-સાઉદી અરેબિયા, ગુજરાતમાં પ્રવાસન,  યાત્રા, પ્રવાસન: સિધ્ધાંત અને વ્યવહાર ( પ્રેસમાં )

સન્માન

  • ૨૦૧૨-  પ્રજાસત્તાક દિનની ઉજવણી, ભાવનગર મુકામે – મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યપાલ ડૉ. કમલા બેનીવાલાના હસ્તે સન્માન.
  • ગુજરાત સાહિત્ય અકાદમી – ૧૯૯૨ના શ્રેષ્ટ સંશોધક ગ્રન્થનું પ્રથમ પારિતોષિક
  • ૨૦૦૬- ગુજરાત રાજ્યના રાજ્યપાલ મા.નવલ કિશાર શર્મા દ્વારા સંશોધન અને કોમી સદભાવના અંગેના લેખો અને કાર્ય બદલ સન્માન
  •  ૨૦૧૦- દિવ્ય ભાસ્કર ગ્રુપ દ્વારા ભાવનગરના ૧૦૦ પાવર પીપલનું સન્માન
  • ૨૦૦૬- ગુજરાત જૈન યુવક સંઘ, અમદાવાદ દ્વારા ગુજરાતના સ્વાતંત્ર સંગ્રામ અંગે લખેલા ૧૮ ગ્રંથો માટે સન્માન
  • ૧૯૯૬- ગુજરાત મુસ્લિમ સમાજ દ્વારા  શૈક્ષણિક પ્રદાન બદલ સન્માન
  • ૨૦૦૨ – રાજસ્થાન સાહિત્ય સંગમ દ્વારા પંડિત સુંદરલાલ મિલેનિયમ એવોર્ડg
  • ૨૦૧૯ – કુમાર ચંદ્રક
  • મુસ્લિમ સમાજમાં શૈક્ષણિક કાર્ય બદલ સન્માન 
    • ૧૯૯૮- ખેડા
    • ૨૦૦૦ – કલોલ
    • ૨૦૦૫- અખિલ ભારતીય મેમણ સમાજ, મુંબઈ
    • મીરાં સચદે મેમોરીયલ સમિતિ, ભુજ દ્વારા સન્માન
  • ૧૯૯૬ – અમરેલી જીલ્લા સ્વાતંત્ર સમિતિ દ્વારા, અમરેલી જીલ્લાના સ્વાતંત્ર સંગ્રામ પર ઐતિહાસિક ગ્રંથના લેખન માટે સન્માન

દુર્ગાશંકર શાસ્ત્રી, Durgashankar Shashtri


નામ

દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી

જન્મ

૨૪ જાન્યુઆરી ૧૮૮૨ ; અમરેલી

અવસાન

૨૯ સપ્ટેમ્બર ૧૯૫૨

અભ્યાસ

  • પ્રાથમિક શિક્ષણ – ગોડંલ
  • રાજકોટની મહેરામણ કૅમિકલ લૅબોરેટરીમાં અભ્યાસ કરી ‘પ્રૅક્ટીકલ ફાર્મસિસ્ટ’ની પરીક્ષા પાસ કરી.
  • મુંબઇમાં સંસ્કૃતનો અભ્યાસ (સને ૧૯૧૦)
વ્યવસાય
  • ઝંડૂ ફાર્માસ્યુટીકલ વર્ક્સમાં કાર્ય
  • ‘આયુર્વેદ વિજ્ઞાન’ માસીકનું સંપાદન
પ્રદાન
  • સંશોધક, વિદ્વાન, ઇતિહાસજ્ઞ, નિબંધકાર અને ચરિત્રલેખક તરીકે ગુજરાતમાં કીર્તિ મેળવી.
રચનાઓ
  • વૈષ્ણવ ધર્મનો સંક્ષિપ્ત ઇતિહાસ, ઝંડૂ ભટ્ટજીનું જીવનચરિત્ર, શૈવધર્મનો સંક્ષિપ્ત ઇતિહાસ, ગુજરાતના તીર્થસ્થાનો, પુરાણવિવેચન, ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, ઐતિહાસિક સંશોધન, પંડિત ભગવાનલાલ ઇંદ્રજીનું જીવનચરિત્ર, ભારતીય સંસ્કારો અને તેનું ગુજરાતમાં અવતરણ, આપણી સંસ્કૃતિનાં કેટલાંક વહેણો.

જયકૃષ્ણ વર્મા, Jaikrushna Varma


નામ

જયકૃષ્ણ નાગરદાસ વર્મા

જન્મ

૨૬ મે ૧૮૯૪ ; ભરૂચ – લોહાણા જ્ઞાતિ

મૃત્યુ

ઇ.સ. ૧૯૪૩

અભ્યાસ

  • ૧૯૧૯માં એમ.એ.ની ઉપાધિ
  • બેરિસ્ટરની ડીગ્રી – લંડન યુનિવર્સિટી
  • એમ.એસસી (અર્થશાસ્ત્ર) – લંડન યુનિવર્સિટી
વ્યવસાય
  • વકીલાત – મુંબઇ ઉચ્ચ ન્યાયાલય
પ્રદાન
  • રાજકારણ અને સાહિત્યમાં ઊંડો રસ. ભારતના તત્કાલીન રાજકારણ વિશે આધારભૂત માહિતી ધરાવતા ગ્રંથ રચ્યાં.
  • સ્ત્રીઓ માટેના માસીક ‘ગુણસુંદરી’ના તંત્રી તરીકે પણ કાર્ય કર્યું છે.
રચનાઓ
  • વાર્તાસંગ્રહો – વર્માની વિવિધ વાર્તાઓ, લક્ષ્મીની સાડી અને બીજી વાર્તાઓ
  • અન્ય – હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસનો ઇતિહાસ (ભાગ ૧-૨), મહાત્મા ગાંધીનું જીવન
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ  ૪

 

 

 

 

 

રણછોડજી અમરજી, Ranchodji Amarji


નામ

રણછોડજી અમરજી દીવાન

જન્મ

સંવત ૧૮૨૫ના આસો સુદ ૧૦ (ઇ.અ. ૧૭૬૯)

અવસાન

સંવત ૧૮૯૮ના ફાગણ વદ ૬ (ઇ.સ. ૧૮૪૨)

કુટુંબ

પિતા – અમરજી દીવાન (જૂનાગઢ રાજ્યના દીવાન)

માતા – ખુશાલબાઇ

મોટાભાઇ – રઘુનાથજી

પુત્ર – શંકરપ્રસાદ

જીવનઝરમર

  • તેઓ જ્ઞાતિએ વડનગરા નાગર હતાં.
  • પિતા અમરજી બાદ તેઓ જૂનાગઢ રાજ્યના દીવાન બન્યા હતાં.
  • તેઓ નાનપણથી જ વિદ્યાવિલાસી હતા.
  • તેઓ શૂરવીર પણ હતાં. કેશોદના રાયજાદા અને કચ્છના લશ્કરને તેમણે હરાવ્યું હતું.
  • તેઓ પાછળથી જૂનાગઢ છોડી જામનગરમાં સ્થાયી થયા હતાં. તેમને આટકોટ અને પડધરીના પરગણાં જીવાઇમાં મળેલા.
  • તેમને કોઇ પુત્ર ન હતો. આથી તેમણે પોતાના દોહિત્રને દત્તક લીધો હતો.
  • ફારસી, વ્રજ, ગુજરાતી એમ ત્રણ ભાષામાં તેમણે રચનાઓ કરી છે.
રચના
  • ફારસી ભાષામાં – તવારીખે સોરઠ અને રુકાતે ગુનાગુન
  • વ્રજ ભાષામાં – શિવરહસ્ય, કાલખંજ આખ્યાન, શંખચૂડ આખ્યાન, કુવલયાનંદ, દક્ષયજ્ઞભંગ, શિવરાત્રી માહાત્મ્ય, ઇશ્વરવિવાહ, જાલંધર આખ્યાન, અંધકાસુર આખ્યાન, શિવસાગરકીર્તન, ભરુમાંગદ આખ્યાન, ભક્તમાળ, બુઢેશ્વરબાવની, ત્રિપુરાસુર આખ્યાન, કામદહન આખ્યાન.
  • ગુજરાતી ભાષામાં – શિવગીતાની ટીકા, દ્રવ્યશુદ્ધિ,શ્રાદ્ધનિર્ણય, વિહારીશતસાઇ, વિશ્વનાથ ઉપરનો પત્ર, ઉત્સવમાલિકા, નાગરવિવાહ,સૂતકનિર્ણય, સોમવારમાહાત્મ્ય, બ્રાહ્મણની ચોરાસી નાત, ચંડીપાઠના ગરબા.
સંદર્ભ
  • પ્રાચીન કવિઓ અને તેમની કાવ્યક્રુતિઓ ઃ સં. રમણિક દેસાઇ

આસિમ રાંદેરી, Asim Randeri


હાલ જીવંત સૌથી વૃધ્ધ ગુજરાતી શાયર

– આજે તેમની 104મી વર્ષગાંઠે બ્લોગ જગત તરફથી હાર્દિક શુભેચ્છા.

પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી.
મઝા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી.

 
મારી એ કલ્પના હતી એ વીસરી મને
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થૈ ખાતરી મને.
ભૂલી વફાની રીત ન ભૂલી જરી મને
લ્યો એનાં લગ્નની મળી કંકોતરી મને

જુવાની મહોબ્બતના દમ લઇ રહી છે
મને દિલની ધડકન ખબર દઇ રહી છે
પ્રણય રૂપના રંગ જોવાને માટે
બધાની નજર એ તરફ થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે.” ……   સાંભળો અને માણો 

તેમના પોતાના જીવન વિશે એક લેખ ‘આદિલ મન્સુરી’ની વેબ સાઈટ ‘ગઝલ ગુર્જરી’ ના એક અંકમાં આપેલો છે.

___________________________________________________________ Read more of this post

રણછોડભાઇ દવે, Ranchhodbhai Dave, Revised


ranchhodbhai_dave.jpg”… પરિણામે રણછોડભાઇ જેવા ઉત્સાહી જુવાનને ગુજરાતી નાટક લખવાના કોડ જાગ્યા… એમનાં નાટકો લખાતાં અને એક પછી એક ભજવાતાં ગયાં… શિખાઉ નાટ્યકારો એમની નાટ્યશૈલીનું અનુસરણ કરવા લાગ્યા અને આમ ગુજરાતી રંગભૂમિનું અને ગુજરાતી નાટકનું ચોક્કસ સ્વરૂપ બંધાયું… રણછોડભાઇ ગુજરાતી નાટકના પિતા કહેવાયા.”
–અનંતરાય રાવળ

 ” રણછોડભાઈની નાટકસેવાનું ખરું માપ તો એમના જમાનામાં જીવી જનાર જ કાઢી શકે…આપણા એ સુધીર ને ધૃતિમાન આદિ નાટ્યકારે એ સંસ્કૃતિકાળમાં પાશ્ચાત્ય અને પ્રાચીન-ભારતીય પ્રભાવ ઝીલ્યો, તળપદા ગુજરાતી નાટક પ્રકાર-ભવાઈનો સક્રીય વિરોધ પણ કર્યો અને તેનું સંમાર્જન કરીને એને અપનાવ્યો પણ ખરો.તેમની મેધા ઉચ્ચ હતી અને તેઓ એક અધિક ઉદ્યોગ પરાયણ વિદ્વાન હતા..”

_________________________________________________________________
Read more of this post

પ્રાગજી ડોસા, Pragji Dosa


 જન્મ

  • ૨૫ સપ્ટેમ્બર ૧૯૦૮

કુટુમ્બ

  • પિતા –   જમનાદાસ ડોસા

અભ્યાસ

  • ઈન્ટર આર્ટસ (મુંબઈ)

વ્યવસાય

  • રૂનો વ્યવસાય

જીવનઝરમર

  • રૂનો વ્યવસાય, જિનિંગ પ્રેસ
  • લેખન

તેમના વિશે વિશેષ

  • ઇન્ટર આર્ટસ સુધી ભણી ને એમણે પોતાની કારકિર્દી શરૂ કરી.૧૯૨૬ થી ૧૯૨૮ સુધી સાયકલોસ્ટાઇલ યંત્ર પરપ્રકટ થતાં “સુમન”માસિક નું તંત્રી પદ સંભાળ્યું.
  • ત્યાર બાદ ૧૯૫૫ થી ૧૯૫૯ સુધી “ગુજરાતી નાટ્ય” માસિક નું તંત્રી પદ સંભાળ્યું. ૧૯૨૯ માં એમની પ્રથમ નાટિકા “સંસાર પંથ”ભજવાઈ હતી.
  • તેમણે ૪૫ સળંગ નાટકો , ૨૧ એકાંકી ઓ અને ૧૦૬ રેડિયો નાટકો લખ્યાં .
  • ઉપરાંત તેમના એક નવલિકા સંગ્રહ અને એક એકાંકી પ્રકટ થયેલ છે.
  • મુંબઇ રાજ્ય નાટ્ય સ્પર્ધા માં મંગલ મંદિર, છોરું કછોરું,ઘર નો દીવો,પરિણીતા,અને મન ની માયા ને ઇનામો મળેલ છે.
  • “છોરું કછોરું” નાટક રશિયન ભાષા માં અનુવાદ થઈ તાશ કંદ શહેર માં ગોસ્કી થીએટર માં ૧૯૫૯ માં રજુ થયું. આ નાટક અમેરિકા ના કેલિફોર્નિયા યુનિવર્સિટી એ પ્લે રેડિંગ સિરીઝ  માં ૧૯૬૦ માં રજુ કર્યું.
  • “પરણ્યા પહેલા” ૧૯૬૯ માં ઇંગ્લેન્ડ માં ભજવાયું.
  • ભાટિયા મહાજને જ્ઞાતિ નો લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકાર તરીકે ૧૯૬૩ માં સુવર્ણ ચંદ્રક અર્પણ થયો.
  • પંડિત ઓમકાર ઠાકુર પાસે બે વર્ષ શાસ્ત્રીય સંગીત ની તાલીમ લઇ પ્રમાણપત્ર મેળવ્યું અને ઓલ ઇન્ડિયા રેડીઓ પર શાસ્ત્રીયથતા હળવા સંગીત માટે આવતા ઉમેદવાર નું ઓડિશન લેવા નિમણુંક થઇ.
  • આજ સુધી માં તેમણે નવ ચલચિત્રો લખ્યા.”જેવી છું તેવી” ને ૧૯૬૩ માં મધ્યસ્થ સરકાર નું પ્રમાણ પત્ર થતા ગુજરાત રાજ્ય તરફ થી રૂપિયા ૫૦૦૦ નું પ્રથમ પારિતોષિક મળ્યું.
  • ૧૯૭૦ માં “બહુરૂપી” ચિત્ર ને ગુજરાત સરકાર તરફ થી પ્રથમ ઇનામ મળ્યું.

મુખ્ય રચનાઓ

  • એકાંકીસંગ્રહ –    ચરણરજ; અન્ય નાટકો -બાળનાટકો
  • ઈતિહાસ –    તખ્તો બોલે છે ભાગ 1, 2 ; ગુજરાતી રંગભૂમિનો ઈતિહાસ

%d bloggers like this: