ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: કલા સાહિત્ય

રમેશ પટેલ ( પ્રેમોર્મિ), Ramesh Patel ( Premormi )


વિવિધ ક્ષેત્રોમાં વીરલ પ્રદાન કરનાર,  સદા યુવાન અને કર્મઠ પ્રતિભા

દસ વર્ષની ઉમરથી યોગના સાધક અને આયુર્વેદિક સારવાર પદ્ધતિના હિમાયતી

# જીવન સૂત્ર

જય સચ્ચિદાનંદ

# તેમની વેબ સાઈટ 

# સખી રે, મારી તું તો પતંગ ને હું દોર
કાપી ના કાપે એવી જોડ.

# લય સ્તરો પર 

# ‘ગુજરાતી કવિતા અને ગઝલ’ પર 

# ફેસબુક પર

https://www.facebook.com/Premormi

Premormi in sky-1


બૈજુ બાવરા – તાના રીરી હોલમાં

જન્મ

  • ૧૮, સપ્ટેમ્બર – ૧૯૩૬, રંગૂન, મ્યાંમાર ( બર્મા)

કુટુમ્બ

  • પિતા – ભાઈલાલ; માતા – કમળા
  • પત્ની – સ્વ. ઉષા; પુત્ર – કલ્પેશ

અભ્યાસ

  • ૧૯૫૪– મેટ્રિક ( એસ. પી. વિદ્યાલય – નાસિક)
  • ૧૯૫૮ – એમ.એસ.સી.(મિકે. એન્જિ.)  – વેસ્ટ બ્રોમવિચ યુનિ. – બર્મિન્ગહામ

વ્યવસાય

  • હોટલ માલિક
  • સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન/ સંચાલન

યુવાન ઉમરે

This slideshow requires JavaScript.

તેમના વિશે વિશેષ

  • બીજા વિશ્વ યુદ્ધ વખતે જાપાનના આક્રમણના કારણે, વતન કરમસદમાં  કામચલાઉ સ્થળાંતર
  • ૧૯૫૪ – રંગૂનમાં એશિયાટિક ક્રિકેટ ક્લબ સ્થાપી.
  • નાસિકમાં ખાસ મિત્રની સંગતથી સંગીત સૂઝ કેળવી.
  • ૧૯૫૭ – લન્ડન જવા પ્રયાણ, થોડોક વખત નોકરી કરી
  • ૧૯૬૦ – ઇન્ડિયા કોફી હાઉસ, ‘પાર’ ટ્રાવેલ એજન્સી અને ઇન્ડિયા એમ્પોરિયમથી ધંધાની શરૂઆત ( લન્ડનમાં શાકાહારી આહાર માટેની પહેલી રેસ્ટોરન્ટ)
  • ૧૯૬૧ – ‘નવકલા’ ભારતીયો માટેની સાંસ્કૃતિક / સામાજિક સંસ્થાની સ્થાપના, જે હાલમાં પણ લન્ડનમાં કાર્યરત છે.
  • ૧૯૬૫ – એક મિત્રની સાથે ‘શરૂણા’ હોટલની શરૂઆત
  • ૧૯૭૪ – પોતાની માલિકીની ‘મંદિર’ રેસ્ટોરન્ટની શરૂઆત; તેની સાથે ‘રવિશંકર’ હોલની પણ શરૂઆત આયુર્વેદિક સારવાર માટે લન્ડનમાં ‘કુશળ’ ક્લિનિક ની શરૂઆત
  • ૧૯૮૦ – ૮૫ અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ગેઈન્સ વિલે ખાતે શાકાહારી હોટલ
  • લન્ડનમાં ૧૦૦ થી વધારે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા
  • ૨૦૦૨ – પત્નીના અવસાન બાદ લન્ડનની બધી પ્રવૃત્તિઓ સંકેલી કરમસદમાં પાછા ફર્યા. મોટું નવું મકાન બનાવી તેમાં નરસિંહ મહેતા/ તાના રીરી હોલમાં બિન ધંધાદારી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને આયુર્વેદિક સારવાર
  • ૨૦૦૪ – ગુરૂદેવ ટાગોરના શાંતિનિકેતનમાં ‘પ્રેમોર્મિ’ કવિ તરીકે સન્માન
  • તેમના કાવ્ય સંગ્રહ ‘હૃદય વીણા’ નો અનેક ભાષાઓમાં અનુવાદ થયો છે.

તેમણે દોરેલ એક ચિત્ર

હોબીઓ

  • કવિતા, સંગીત, પ્રવાસ, ચિત્ર, નાટક, નૃત્ય, અભિનય, યોગ, વૈદક, પ્રાકૃતિક ચિકિત્સા

રચનાઓ

  • કવિતા – હૃદયગંગા, કાવ્યપિયૂષિની, ઝરમર ઝરમર, વૈખરીનો નાદ, હું,
    ગીત મંજરી ( હિન્દી)
  • રસોઈકળા – Mandir Ayurvedic cook book

સન્માન

  • ‘ઉત્સવ એવોર્ડ’ નવી દિલ્હી
  • જ્ઞાનેશ્વર એવોર્ડ, પૂના
  • શાન્તિ નિકેતન, કલકત્તામાં સન્માન
  • ગુજરાત ગૌરવ એવોર્ડ – લન્ડન અને બીજા અનેક સ્થાનિક એવોર્ડો

કવિ રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’ ને

કહોને કોણ છે એવા ઘણો આનંદ આપે છે,
મળોજ્યાં એમને ત્યારે ખભાપર હાથ રાખે છે.

નથી ભૂલી શકાવાના તમારા હોલ ને કાર્યો,
ભલેને દૂર રહેશે પણ હ્રદયની પાસ લાગે છે.

કવિતા હોય કે સંગીત, નર્તન હોય કે ભાવક,
બધાને ભાવથી સરપાવ આપીને નવાજે છે.

નથી એ સંતથી ઓછા, કળાના ભેખધારી છે,
નદી વૃક્ષો પહાડો ને ઝરણની જાત માને છે.

પનોતા પુત્રમાતાના, મહામાનવ છો ધરતીના,
ફરી આવી મળો અમને તમારી ખોટ સાલે છે.

તમે સાગર સમા પ્રેમી, તમારું નામ ‘પ્રેમોર્મિ’,
તમારાં ગીત ને કાવ્યો બધા સાક્ષર વખાણે છે.

તમારા નામમાં રમતા રહે છે, ઈશ ને માધવ,
તમોને ‘સાજ’ના વંદન, નમી મસ્તક ઝૂકાવે છે.

-‘સાજ’ મેવાડા

ખોડીદાસ પરમાર, Khodidas Parmar


kp3

#

#

#

#

#

# ‘દાવડાનું આંગણું’ પર સચિત્ર લેખ શ્રેણી 

# પ્રતિલિપિ પર સ્મરણાંજલિ 


e0aa9ce0aab6e0ab8be0aaa6e0aabe

e0aba7-e0aab9e0aabee0aaa5e0ab80

e0abaa-e0aaade0ab87e0aa82e0aab8e0ab8be0aaa8e0ab81e0aa82-e0aa96e0aabee0aa82e0aaa1e0ab81

kp6

સ્વ. શ્રી . તુષાર ભટ્ટના બ્લોગ પર સરસ પરિચય માટે નીચેના ચિત્ર પર ક્લિક કરો.

kp4

જન્મ

  • ૩૧-૭-૧૯૩૦

કુટુમ્બ

  • માતા – વખાબા; પિતા – ભાયાભાઈ
  • પત્ની -? ;  પુત્ર – ?; પુત્રી – ?

અવસાન

  • માર્ચ ૨૦૦૪

સ્વ-રચિત મરશિયો

kp5

શિક્ષણ

  • ૧૯૫૧– એસ.એસ.સી.( ભાવનગારમાંથી)
  • એમ.એ..( ગુજરાતી અને સંસ્કૃત) – શામળદાસ કોલેજ

વ્યવસાય

  • અધ્યાપક – V.A.M.C. કોલેજ, ભાવનગર
  • કલા અને લોક સાહિત્યના પી.એચ.ડી. ના વિદ્યાર્થીઓના માર્ગદર્શક

kp1

તેમના શિષ્યે દોરેલ ચિત્ર

જીવન ઝરમર

  • પિતા બહુ જ સામાન્ય સ્થિતિના માણસ હતા – ચોકીદાર અને ઘોડાગાડી ચાલક . માતા પણ માટી ખોદવાની મજુરી કરી ઘરની આવકમાં ઉમેરો કરતાં.
  • ઘણી દીકરીઓ બાદ આ પુત્ર રત્ન પ્રાપ્ત થતાં, તેને સારું શિક્ષણ આપવામાં તેમણે જાત ઘસી નાંખી. ખોડિયાર માતાની કૃપા થઈ એમ માની તેમનું નામ માતાની નામ પરથી નક્કી કર્યું હતું.
  • તેમના પુત્રો પણ કલાકાર છે.
  • તેમના ચિત્રકળાના ગુરૂ સ્વ. સોમાલાલ શાહ હતા.
  • કળા અને લોકસાહિત્યનાં ઘણાં પુસ્તકો લખ્યાં છે.
  • નવી દિલ્હીના વિખ્યાત, રાષ્ટ્રીય મ્યુઝિયમમાં અને બીજે તેમની કળા કૃતિઓ સંઘરાયેલી છે

રચનાઓ 

kp2

સન્માન

  • રાષ્ટ્રીય લલિતકલા એકેડમી
  • ગુજરાત વિદ્યાપીઠ-સુવર્ણ ચંદ્રક
  • સૌરાષ્ટ્ર કલા મંડળ-સુવર્ણ ચંદ્રક
  • અકાદમી ઓફ ફાઈન આર્ટસ(ક્લકત્તા)- રજત ચંદ્રક
  • All India Fine Arts and Crafts Society, New Delhi-આઠ વર્ષ પુરસ્કારો.
  • કાલિદાસ સન્માન સમારોહ- સાત પુરસ્કારો
  • બોમ્બે આર્ટ સોસાયટી- બે પુરસ્કારો
  • R.N.Tagore Century Hyderabad પુરસ્કાર
  • ગુજરાત લલિતકલા અકાદમી- બે પુરસ્કાર

સાભાર

  • શ્રી. તુષાર ભટ્ટ
  • શ્રી. પી.કે. દાવડા

 

 

મધુસુદન ઢાકી, Madhusudan Dhaky


dhak2#   ઈતિહાસ અને પુરાતત્વના ખાં

#    તેમનાં ઘણા બધા સંશોધન લખાણો

#  એક ટૂંક પરિચય

#  વિકિપિડિયા પર

# એક સરસ  પરિચય- ધ્રુવ ઘોષ

#

————————————————–

જન્મ

  • ૩૧, જુલાઈ -૧૯૨૭; પોરબંદર

અવસાન

  • ૨૯, જુલાઈ-૨૦૧૬, અમદાવાદ

કુટુમ્બ

  • માતા– ? ; પિતા – અમીલાલ
  • પત્ની – ગીતા, સંતાન – ?

શિક્ષણ

  • બી.એસ.સી.( ભુસ્તરશાસ્ત્ર) – ફર્ગ્યુસન કોલેજ, પુણે

વ્યવસાય

  • ૧૯૯૬ – ૨૦૦૫ –  દિલ્હી ખાતે ભારતીય કળા અને પુરાતત્વમાં સંશોધનાની અમેરિક સંસ્થામાં

This slideshow requires JavaScript.

તેમના વિશે વિશેષ

  • થોડોક સમય સેન્ટ્રલ બેન્કમાં નોકરી
  • ૧૯૭૬-૧૯૯૬ – કળા અને પુરાતત્વ અંગેની ગુડગાંવ સ્થિત અમેરિકન સંસ્થામાં સંશોધન વિભાગના ડિરેક્ટર; ત્યાં જ ૨૦૦૫ સુધી ડિરેક્ટર – એમેરિટસ
  • ભારતીય શાસ્ત્રીય સંગીત વિશે સંશોધન પણ કરેલું છે.
  • ભારતની સ્વતંત્રતા બાદ નવા બંધાતા સોમનાથ મંદિરના બાંધકામના ક્યુરેટર
  • જૈન સાહિત્ય અને કળા વિશે સંશોધન અને લેખન

રચનાઓ

[ ૨૫ પુસ્તકો, ૩૨૫ સંશોધન લેખ, ૪૦૦ – સામાયિકોમાં  લેખ ]

  • સંશોધન – The Riddle of the Temple of Somanātha, The Indian temple forms in Karṇātak inscriptions and architecture, Encyclopaedia of Indian temple architecture with Michael Meister, The Indian temple Traceries (2005), Complexities Surrounding the Vimalavasahī Temple at Mt. Abu (1980), Arhat Pārśva and Dharaṇendra nexus, Nirgranth Aitihāsik Lekh-Samuccay, Professor Nirmal Kumar Bose and His Contribution to Indian Temple Architecture: The Pratiṣṭhạ̄-Lakṣaṇasamuccaya and the Architecture of Kaliṅga(1998), The Temples in Kumbhāriyā (2001), Saptaka (1997), Tamra Shashan (2011).[3]

સન્માન

  • કેમ્પબેલ મેમોરિયલ સુવર્ણચન્દ્રક – એશિયાટિક સોસાયટી, મુંબાઈ
  • ૧૯૭૪ – કુમાર  ચન્દ્રક
  • ૨૦૧૦ – પદ્મભુષણ
  • ૨૦૧૦ – રણજિતરામ સુવર્ણચન્દ્રક – ગુજરાતી સાહિત્ય પરિષદ
  • ઉમા સ્નેહરશ્મિ પુરસ્કાર
  • લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ – ગુજરાતી ઈતિહાસ પરિષદ

 

 

 

http://projectanveshan.com/a-meeting-with-our-mentor/

રમેશ બાપાલાલ શાહ, Ramesh Bapalal Shah


Ramesh_Shah–  પત્રકાર, લેખક, કલા પારખ, વિદ્વાન અને સંશોધક

–   કુમાર’ માસિકના ચાહક અને વિવેચક

–   ” મફત મેળવેલું નડતું નથી. પરંતુ મફત મેળવવાની વૃત્તિ નડે છે.”

——————————————————————————————-

જન્મ

  • ૧૦, સપ્ટેંબર ૧૯૩૭; સુરેન્દ્રનગર

અભ્યાસ

  • બી. એ. (ઇકોનોમિક્સ), ભવન્સ કૉલેજ- મુંબાઈ

વ્યવસાય

  • ૧૯૬૪-૨૦૦૦ –  ટેક્સ્ટાઇલ પ્રિંટિંગ ટેક્નિશિઅન
  • ત્યાર બાદ – લેખક; પ્રકાશક

તેમના વિશે વિશેષ

  •  ‘કુમાર’ માસિકના ૧૦૦૦ અંક (૧૯૨૪-૨૦૧૧) ને કૉમ્પ્યુટરમાં તેનાં ૬૦,૦૦૦ જેટલાં પાનાં એક સાથે કરી તેમાં તેટલી જ કહી શકાય તેવી પૂરક સામગ્રી (ચિત્રો-ઑડિઓ-વિડિઓ-પીડીએફ પુસ્તકો) ઉમેરી, આ બધું પળવારમાં શોધી જોઈ-વાંચી-કૉપી કરી શકાય તેવા સર્ચ-એન્જિનની સગવડ સાથે તૈયાર કર્યું.
આ ચિત્ર પર ક્લિક કરી ત્યાં પહોંચી જાઓ.

આ ચિત્ર પર ક્લિક કરી ત્યાં પહોંચી જાઓ.

તે વિશે રમેશભાઈ જણાવે છે –

       “દસેક વર્ષથી શત્રુંજય(પાલીતાણા) પર મંદિરોની નગરી છે જે જગતભરમાં અજોડ છે તે મંદિરોના સ્થાપત્યના ચિત્રકામ કરાવવાની હોંશ હતી. આવું કામ કોઈ એક ચિત્રકારને આપી તેમની સાથે રહી વર્ષો સુધી ધીરજ રાખીને તપસ્યા કરવી પડે. વળી એક જ કલાકાર  આ કામ કરે તો વિવિધતા ન મળે. ત્રણ વર્ષ પહેલાં સુરતની એક સંસ્થા દર વર્ષે જુદા જુદા સ્થળોએ કલા-શિબિર ગોઠવે છે તેમાં મને નારગોળની શિબિરમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ મળ્યું. દોઢસોથી વધુ યુવાન કલાકારોને કામ કરતાં જોઈ મેં એક શિબિર પાલીતાણા ગોઠવવા તે સંસ્થાને નિમંત્રણ આપ્યું. બધા ચિત્રકારોની રહેવાની વ્યવસ્થા ગોઠવી આપી. આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ૮૦ જેટલા (selected) કલાકારોને ત્યાં લઈ જઈ ચાર દિવસ કામ કરાવ્યું, પરિણામે ૩૦૦ જેટલાં on the spot ચિત્રો તૈયાર થયા. કલાકારોને યોગ્ય પુરસ્કાર આપી બધા ચિત્રો અમારા મુનિરાજ શ્રી રાજહંસસૂરિજીને અર્પણ કર્યાં; જે પાલીતાણામાં કાયમી પ્રદર્શન તરીકે ગોઠવાશે. મોટા મોટા અને નામી કલાકારો કરતાં પણ આ યુવાનોએ અદભુત  પરિણામો આપ્યા. તેમાં મહારાજશ્રીએ પ્રોત્સાહન આપી ચિત્રોમાં આધ્યાત્મ-ભાવ ઉભરાવ્યા તે બેમિસાલ છે.

This slideshow requires JavaScript.

2015 – પાલીતાણાના મંદિરોના સ્થાપત્યના ચિત્રકામનું અભિયાન

રચના

  •  ‘પાન ખરે છે ત્યારે’
એ પુસ્તકની પ્રસ્તાવના ( ડો. શશિકાન્ત શાહ) માંથી તેમના વિશે અભિપ્રાય

એ પુસ્તકની પ્રસ્તાવના ( ડો. શશિકાન્ત શાહ) માંથી તેમના વિશે અભિપ્રાય

સાભાર 

  • ડો. કનક રાવળ

હરીશ રઘુવંશી, Harish Raghuvanshi


Harish_Raghuvanshi_1

 હરીશ રઘુવંશી: સંશોધક કે સાધક?  શ્રી. બીરેન કોઠારીના બ્લોગ પર સરસ લેખ

– તેમનાં પ્રકાશનોની વેબ સાઈટ   –  ૧  –  ;    –   ૨  – 

–   શ્રી. હમરાઝની વેબ સાઈટ

——————————————————————————

સંપર્ક

  • ફોન           ૯૩૭ ૪૭ ૧ ૨૩૨૨
  • ઈ-મેલ      harishnr51@gmail.com

જન્મ

  • ૧૫, ઓક્ટોબર -૧૯૪૯

કુટુંબ

  • માતા-ગીતાબેન; પિતા -નારણદાસ કિશનદાસ
  • પત્ની  – નયનાબેન

અભ્યાસ

  • ઈન્ટરમિજિયેટ આર્ટ્સ

This slideshow requires JavaScript.

વ્યવસાય

  • વિવિધ ચીજોના વેપાર
સહકાર્યકર શ્રી. હમરાઝ

સહકાર્યકર શ્રી. હમરાઝ

‘ચિત્રલેખા’માં પરિચય

Harish interview-Chitralekha-7 Dec-Page 34 001

Harish-Interview-Chitralekha-7 Dec P-35 001

Harish-Interview-Chitralekha-7 Dec-P-36 001

તેમના વિશે વિશેષ

  • ૧૯૬૭-૧૯૮૪ સ્ટીલની બારીઓનું ઉત્પાદન અને વેચાણ
  • ૧૯૮૫-૨૦૧૦ વોશિંગ મશીન,વિસીઆર ઈત્યાદિ સાધનોનો વેપાર
  • ૧૯૩૦થી ૧૯૭૦ના ગાળાનાં  ફિલ્મ ગીતો સાંભળવાનો શોખ અને તેના  ઈતિહાસનુ સશોંધન
  • ૧૯૮૫ – “મુકેશ ગીતકોષ”નું પ્રકાશન ( ભારતમા તે પ્રકારનું પ્રથમ પુસ્તક)
  • “ગુજરાતી ફિલ્મ કોષ (૧૯૩૨-૧૯૯૪)”- ૫૭૯ ગીતોને સાકળી લેતા પુસ્તકનું પ્રકાશન
  • ‘રન્નાદે પ્રકાશન’ દ્વારા  જુજ જાણીતા ૩૫ ફિલ્મી મહાનુભાવોના જીવનચરિત્રો  “ઈન્હે ના ભુલાના” નું પ્રકાશન
  • ૨૦૦૪ – કુંદનલાલ સહગલના શતાબ્દી અવસર પર શ્રી.હરમંદિરસીંગના સહકારથી “જબ દીલહી તુટ ગયા” પુસ્તકનું નિર્માણ
  • હિંદી ફિલ્મોમાં ૧૦૩ ગુજરાતી ફિલ્મ પ્રતિભાવોને આવરી લેતું પુસ્તક હજુ અપ્રકાશિત છે.
  • હાલમાં કાનપુર સ્થિત શ્રી.”હમરાઝ “ના સહયોગમાં  હિંદી ફિલ્મોના સંગીત દિગદર્શકો પર સંશોધન ચાલુ છે અને તે પુસ્તક રુપે ૨૦૧૬માં પ્રકાશિત થશે.

પહેલું પુસ્તક

સાભાર

  • ડો.કનક રાવળ

.

ગુલામ મોહમ્મદ શેખ, Gulam Mohommad Shaikh


“બુધસભામાં અધિકારથી ઘુસેલા માણસ” – રાધેશ્યામ શર્મા

– જેસલમેર

મરુસ્થલે મોતીમઢ્યું આ નગર,
એને ટોડલે મોર અને ભીંતે ફરે હાથી,
ઝરૂખે ઝરૂખે પથ્થરનું હીરભરત.
બારીએ બારીએ બુઠ્ઠી તરવારોના તોરણ.
સાંજના અજવાળે ભીંતો નારંગી ચૂંદડીની જેમ ફરફરે,
બારણે લોઢાના કડે
આઠ પેઢીના હાથનો ઘસરકો.

– પત્નીને સ્ટેશન પર વિદાય આપતી વેળા…

દરેક વિદાય વખતે
વળાવનાર વ્યક્તિનો કોઈ અંશ
ગાડી સાથે અચૂક ચાલી નીકળે છે.)
પાછો ફર્યો
ત્યારે કોરા પરબીડિયા જેવું ઘર
મને વીંટળાઈ વળ્યું.

–  વિકિપિડિયા પર

– તેમની કવિતાઓ ‘લય સ્તરો’ પર

– પરિચય   –   ૧   –      ;    –    ૨   – 

– ‘ઈન્ડિયા ટુડે’ પર

# પરિચય :     –  1  –    :     –  2  –

________________________________________________________

સમ્પર્ક     – નિહારિકા, યુનિવર્સિટી હેલ્થ સેંટર પાછળ, પ્રતાપગંજ, વડોદરા – 390001.

જન્મ

  • 16 ફેબ્રુઆરી, 1937; વઢવાણ ; સુરેન્દ્રનગર

કુટુમ્બ

  • માતા – લાડુબહેન, પિતા – તાજ મોહમ્મદ
  • પત્ની –નીલિમા ( લગ્ન –1970) ; સંતાન – એક પુત્ર, એક પુત્રી

અભ્યાસ

  • 1959 – બી.એ (ફાઇન આર્ટ્સ) – વડોદરાની મ. સ. યુનિવર્સિટી
  • 1961– એમ. એ. (ફાઇન આર્ટ્સ) –  “”   “”  “”
  • 1966 – એ. આર. સી. એ. – રોયલ સ્કૂલ ઓફ આર્ટ્સ , લંડન

વ્યવસાય

  • 1960 થી  –  મ.સ.યુનિ. માં ફાઈન આર્ટસમાં અધ્યાપન
  • ચિત્રકળા વિભાગના અધ્યક્ષ

                                   ghulam_mohommad.jpg

જીવન ઝરમર

  • અબ્યાસકાળમાં યુરોપમાં ભ્રમણ
  • ચિત્રકલાના અભ્યાસ સાથે સાહિત્ય સર્જન
  • દેશ-વિદેશમાં ચિત્રપ્રદર્શનો યોજાયાં છે.
  • કાવ્ય – મુક્ત ગદ્યમાં વિશેષ રુચિ.
  • પ્રથમ કૃતિ ‘બાળક’ મેગેઝિનમાં પ્રકાશિત. તે પછી ‘રમકડું’, ‘ચાંદની’, ‘કુમાર’ આદિ સામયિકોમાં કૃતિઓ છપાઈ.
  • ૧૯૬૦-૬૩; ૧૯૬૭-૧૯૮૧- એમ.એસ. યુનિ.; વડોદરામાં ચિત્રકળાના પ્રોફેસર
  • ૧૯૮૭,૨૦૦૩ – શિકાગોની કળા સંસ્થામાં વિઝિટિંગ કલાકાર
  • ૧૯૬૦ – મુંબાઈમાં પહેલું અંગત ચિત્ર પ્રદર્શન
  • ઉમ્બરટાઈડ, ઈટલીની સિવિતેલા રેનેરી સેન્ટર, પેન્સિલ્વાનિયા યુનિ. અને મોન્ટેલ્વો યુનિ. કેલિફોર્નિયામાં વિઝિટિંગ આર્ટિસ્ટ
  • મોડર્ન આર્ટ નેશનલ ગેલરી, દિલ્હી; વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમ, લન્ડન અને પીબડી એસેક્સ મ્યુઝિયમ, સેલમ( યુ.એસ.) માં તેમની કલાકૃતિઓ પ્રદર્શિત છે.
  • અનેક કલા પ્રદર્શનોમાં તેમની કૃતિઓ પ્રદર્શિત થઈ છે.
  • અરબ સુફિવાદનો અભ્યાસ અને કળામાં એનો ઉપયોગ
  • ‘મપ્પા મુન્ડી’ – નકશા દોરવાની મધ્યકાલીન યુરોપિયન પદ્ધતિનો ઉપયોગ કલાની નવી ક્ષિતિજો આકારવા માટે કરવાની આધુનિક રીતોમાં મહત્વનું પ્રદાન. (અહીં એનો ખ્યાલ મેળવો.)
  • ચિત્રકળા ઉપરાંત લેખક અને કવિ પણ છે.
  • વિશ્વની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં તેમના ચિત્રોને સ્થાન મળ્યું છે.
  • ક્ષિતિજ, વિશ્વમાનવ, સાયુજ્ય સામયિકોમાં કલા વિભાગોનું સંચાલન

                                                         gmsheikh-2_small.jpg

એક મપ્પા મુન્ડી શૈલીનું ચિત્ર

તેમનાં થોડાંક ચિત્રો

 

Behind\Beyond the Frames ( PART 1 )

Part- 2  ;  Part – 3 ;  Part – 4 ;  Part – 5

મુખ્ય રચનાઓ

લાક્ષણિકતા

  • કાવ્યગ્રંથમાં પોતાની ચિત્રકલાનું સુભગ સંયોજન

સન્માન

  • ૧૯૬૨– લલિત કલા અકાદમી, નવી દિલ્હી
  • ૧૯૮૩– પદ્મશ્રી એવોર્ડ
  • ૨૦૦૨– કાલીદાસ સન્માન, મધ્ય પ્રદેશ

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
  • ગુજરાતી સાહિત્યકોશ – ખંડ -2
  • ડો. કનક રાવળ
  • વિકિપિડિયા

ધીરેન ગાંધી, Dhiren Gandhi


dhiren-gandhi.jpg 

પ્રેરક અવતરણ:
ઈશ્વરની ભાષા શીખો. મૌન તેની ભાષા છે.

__________________________________________________________________________ Read more of this post

સુરેશ ઓઝા, Suresh Ojha


suresh-oza.jpg

પ્રેરક અવતરણ
All we can know is that, we know nothing and that is the height of human wisdom.

______________________________________________________________________ 

સંપર્ક    –     1, સાંઈનાથ એપાર્ટમેન્ટ, 98, આઝાદ સોસાયટી, આંબાવાડી, અમદાવાદ 380 015

જન્મ

  • 4- માર્ચ, 1937; ચુડા (સૌરાષ્ટ્ર)

કુટુંબ

  • માતા – મહાલક્ષ્મીબેન , પિતા – દામોદરદાસ; ભાઇ – દિવ્યકાન્ત (બન્ને ચિત્રકાર)
  • પત્ની – પુષ્પાબેન (લગ્ન – 1960) 

અભ્યાસ

  • એસ. એસ. સી. , ઈંટરમીડિયેટ ડ્રોઈંગ

વ્યવસાય

  • 1954 થી –  સનાતન હાઇસ્કૂલ, ભાવનગરમાં ચિત્રશિક્ષક

જીવનઝરમર

  • સોમાલાલ શાહ ચિત્રકળામાં ગુરુ
  • માત્ર એસ.એસ.સી. ભણેલા હોવા છતાં અંગ્રેજી સાહિત્યનું સારું  વાંચન  
  • પ્રથમ પ્રકાશિત કૃતિ – પીતાંબર પટેલના ‘આરામ’ માસિકમાં – “જાન આવી” વાર્તા
  • પ્રતિષ્ઠિત “કુમાર” માસિકમાં બચુભાઈ રાવતે તેમનાં ચિત્રો છાપ્યાં
  • ગુરુ ( રણછોડદાસજી મહારાજ ) પર પાક્કો વિશ્વાસ. ધ્યાનમાં બેસે., પાઠ-વિધિમાં શ્રદ્ધા નહી
  • ગુરુના શબ્દ પર વર્ષોનું તમાકુનું વ્ય્સન જીવનભાર ત્યાગ્યું.
  • તેમનો વાર્તાસંગ્રહ ‘સંકેત’ ભાવનગર યુનિ.માં એમ.એ. ના પાઠયપુસ્તક તરીકે સ્થાન પામ્યો હતો.

શોખ

  • ફોટોગ્રાફી

મુખ્ય રચનાઓ – બાર પુસ્તકો

  • સચિત્ર બાળવાર્તાઓ – વાંસળીવાળો, લોભિયો, વાઘ આવ્યો રે વાઘ, ઉંદર સાતપૂંછડિયો,
  • નવલિકાસંગ્રહ – સંકેત

સન્માન

  • વાંસળીવાળો વાર્તાને ગુજરાત સરકારનું પ્રથમ ઈનામ

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર – 3 શ્રી રાધેશ્યામ શર્મા (રન્નાદે પ્રકાશન)
  • ગુજરાતી સાહિત્યકોશ ખંડ 2 (ગુજરાતી સાહિત્ય પરિષદ)

માધવ રામાનુજ, Madhav Ramanuj


madhavramanuj.jpgઅંદર તો એવું અજવાળું, અજવાળું.
સળવળતી હોય આંખ જેને જોવાને,
એ મીંચેલી આંખે ય ભાળું.

(વાંચો: કાવ્યરસાસ્વાદ )

“એક ક્ષણ જો યુધ્ધ અટકાવી શકો –
ટેન્ક પર માથું મૂકી ઊંઘી લઉં.”

એક એવું ઘર મળે આ વિશ્વમાં,
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું;
એક એવું આંગણું કે જ્યાં મને;
કોઈપણ કારણ વગર શૈશવ મળે !

આપણે તો ભૈ રમતારામ !
વાયરો આવે-જાય એણે ક્યાંય બાંધ્યાં ના હોય ગામ.

રોઈ રોઈ આંસુની ઊમટે નદી તો એને કાંઠે કદમ્બવૃક્ષ વાવજો,
વાદળ વરસે ને બધી ખારપ વહી જાય પછી ગોકળિયું ગામ ત્યાં વસાવજો.

mr_hand_writting.jpg

વધુ રચનાઓ: – 1 – : – 2 – : – 3 – : – 4 –

# સાંભળો – પાસપાસે તોયે   – માળામાં ફરક્યું વેરાન

# તેમની રચનાઓ વિશે

_______________________________________________________________________
જન્મ

  • 22 – એપ્રિલ, 1945 ; પચ્છમ તા.ધંધુકા, જિ. અમદાવાદ

કુટુમ્બ

  • માતા – ગંગાબા; પિતા – ઓધવજી દયારામ( જાણીતા વૈદ્ય)
  • પત્ની – લલિતા- (સંગીત વિશારદ) પુત્રીઓ – દીપ્તિ (સંગીત શિક્ષિકા); નેહા – લેક્ચરર, ફાઈન આર્ટ્સ, સી.એન. વિદ્યાલય,

અભ્યાસ

  • શાળા શિક્ષણ – પચ્છમ, અમદાવાદ, સાદરા તથા ‘ લોકશાળા ગ્રામભારતી’
  • 1973 – ‘કમર્શિયલ આર્ટ’ વિષયમાં ડિપ્લોમા – સી.એન.કોલેજ ઓફ ફાઈન આર્ટ્સ, અમદાવાદ.

વ્યવસાય

  • 1969 – અખંડ આનંદના તંત્રી વિભાગમાં
  • 1971 – કુમાર કાર્યાલય
  • 1969 -70 – વોરા પ્રકાશન સંસ્થા
  • 197073 – આર.આર. શેઠની કંપનીમાં મુખપૃષ્ટચિત્રોના કલાકાર
  • 1973 થી – સી.એન. ફાઈન આર્ટ્સકોલેજમાં અધ્યાપક
  • પ્રિન્સિપાલ ( ઉપર મુજબ)
  • 2004 થી – સર્વોચ્ચ અધિકારી, ડીપાર્ટમેન્ટ ઓફ હ્યુમન રીસોર્સ, શ્રીમતી જી.આર. દોશી અને શ્રીમતી કે.એમ.મહેતા ઈન્સ્ટીટ્યુટ ઓફ કીડની ડીસીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર ( IKDRC)તથા ડૉ.એચ.એલ.ત્રિવેદી ઈન્સ્ટીટ્યુટ ઓફ ટ્રાંસ્પ્લાંટેશન સાયન્સીઝમાં ન

જીવનઝરમર

  • અનેક સમારંભોમાં સંચાલન, કવિમુશાયરાઓ-ડાયરાનું સંચાલન
  • અમદાવાદ દૂરદર્શન માટે ‘રેવા’ નામક નાટકમાં કથા, પટકથા, ગીતોની રચના
  • અનેક ગુજરાતી ફિલ્મો માટે ગીતોની રચના
  • અનેક ક્ષેત્રોના મહાનુભાવોના જાહેર ઈંન્ટર્વ્યૂ લેનાર, મોરારિબાપુનો સળંગ આઠ કલાકનો ઈન્ટરવ્યુ
  • ગુજરાત સમાચાર, સંદેશ, જનસત્તા, નૂતન ગુજરાત, જન્મભૂમિ પ્રવાસી, વિ. માં દસેક વર્ષથી વિવિધ વિષયો પર કોલમ રૂપે લેખો.
  • શ્રી ગિરીશ કર્નાડના અધ્યક્ષપદ નીચે રાષ્ટ્રીય સંગીત નાટક અકાદમીના પાંચ વર્ષ સભ્ય
  • લલિતકલા અકાદમી તથા ગુજરાત સંગીત નાટક અકાદમીના બે ટર્મ માટે સભ્ય.
  • ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી પદે આઠ વર્ષ
  • ‘ગાંધર્વ મહાવિદ્યાલય’ ના ચેરમેન તરીકે એક ટર્મ
  • ‘એથિકલ કમિટી ફોર કીડની ટ્રાન્સ્પ્લાન્ટેશન’ ના સભ્ય
  • ‘આયુ ટ્રસ્ટ’ ના મેનેજીંગ ટ્રસ્ટી
  • ઉત્તર બુનિયાદી સંસ્થા ‘ગ્રામભારતી’ ના સંચાલક મંડળમાં કાયમી સભ્ય
  • ચેરમેન, ગુજરાત વિજ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન
  • ‘સાહિત્ય પ્રવાસ’ – લીટરરી એકેડેમી ઓફ અમેરિકાના નિમંત્રણથી 3 માસનો પ્રવાસ
  • નૈરોબી-કેન્યાના પ્રવાસે શ્રી મોરારિબાપુ સાથે

રચનાઓ

  • કાવ્યસંગ્રહો – તમે * , અક્ષરનું એકાન્ત, કલરવના દેશ
  • નવલકથા – પીંજરની આરપાર + (રુબીન ડેવીડના જીવન પર આધારિત) , સૂર્યપુરુષ ભાગ 1-2. ( શ્રી ચીમનભાઈ પટેલના જીવન પર આધારિત.) , કુણાલની ડાયરી , પરોઢિયાના પાલવ ઓથે ( બે વર્તમાનપત્રોમાં ધારાવાહિક રૂપે પ્રકાશિત.)
  • નાટક – અક્ષરનું અમૃત ( પ્રમુખ સ્વામીના જીવન પર આધારિત ) , રાગ-વિરાગ ( ડૉ.એચ.એલ ત્રિવેદીના જીવન પર આધારિત ) , એક હતી રૂપા ( રેડિયો નાટક ) , કીડની વેશ, હૃદયનું હૃદય કીડની, કીડનીદાન જીવનદાન , પ્રત્યારોપણ પ્રેમનું ( કીડની ટ્રાન્સ્પ્લાંટેડ દરદીઓ દ્વારા અનેકવાર ભજવાયેલું ),
  • ભવાઈ વેશ – જસમા , ગુરુ ગણિકા ( સાતમી સદીના ભગવદ અજ્જાકિયા ની મૂળ કૃતિ પરથી.)

સન્માન

  • ગુજરાત સરકારનું ઈનામ *
  • સાહિત્ય અકાદમી તથા સાહિત્ય પરિષદનું ઈનામ +
  • 1974 અને 1999 – દૂરદર્શન તરફથી વર્ષનાં ઉત્તમ ગીતોની રચના માટે ઇનામ
  • 2004‘એકલવ્ય’ લાઇફ ટાઇમ એચીવમેંટ એવોર્ડ

વર્ષા દાસ, Varsha Das


varsha-das.jpgઅષ્ટભાષાવધાની વિદુષી સન્નારી

પ્રેરક વાક્ય
“ Do not pursue the past, do not idly hold out hopes for the future, simply set your heart on doing what must be done today.” – Daisaku Ikeda

“ અંદરની અસ્વસ્થતા સંયમ ઓળંગી બહાર ધસી આવે ત્યારે જ લખાય તે …. વાર્તા.”

# તેમની એક બાળવાર્તા ( અંગ્રેજીમાં)

# તેમના એક લેખમાંની કવિતા

_________________________________________________________________________

સમ્પર્ક          બી- 2/2176, વસંતકુંજ , નવી દિલ્હી – 110 070

જન્મ

  • 9- નવેમ્બર, 1942; મુંબાઇ

કુટુમ્બ

અભ્યાસ

  • 1958 – એસ.એસ.સી.
  • 1962 – સેન્ટ ઝેવીયર્સ કોલેજ મુંબાઇમાંથી બી.એ. ( સંસ્કૃત, હિન્દી)
  • 1965 – એમ.એ. ( સંસ્કૃત)
  • 1986 – ઓસ્માનીયા યુનિ. માંથી પી,એચ.ડી. (શિક્ષણ)

વ્યવસાય

  • 1960-62     ‘બાલમાધુરી’નાં તંત્રી
  • 1962-66     ‘સુકાની’ સાપ્તાહિકનાં તંત્રી
  • 1972-81      નેશનલ બુક ટ્રસ્ટમાં મુખ્ય તંત્રી અને સંયુક્ત નિયામક
  • 1982- 85     ભારત સરકારના શિક્ષણખાતામાં ઉપનિદેશક
  • 1985 થી       લલિત કલા અકાદમી ( દિલ્હી) માં ઉપસચિવ

જીવન ઝરમર

  • બે વર્ષની ઉમ્મરે પિતાની શેફર્સ પેન લઇ લીટા કરતાં પેનનો ખુરદો બોલાવી જવાબ આપ્યો કે “ લખું છું.” – (સારસ્વતના જીન્સ?! )
  • આંતરજ્ઞાતીય લગ્ન વખતે રવિશંકર મહારાજનો આશીર્વાદ મળેલો.
  • વિચારભેદને કારણે લગ્ન વિચ્છેદ
  • મૂલ્યનિષ્ઠ પિતાની તેમના ઘડતર પર મોટી અસર.
  • બાળપણથી ઘણા જાણીતા સાહિત્યકારો અને સ્વાતંત્ર-સેનાનીઓ તેમને ઘેર આવતા.
  • ત્રણ ભાષા ઉપરાંત મરાઠી, ઉડીયા, બંગાળી, પંજાબી અને સિંધી ભાષાઓ જાણે છે.
  • રસોઇના શોર્ટકટ જાણે છે !
  • પહેલી કૃતિ ‘નવનીત’માં પ્રકાશિત થયેલી
  • આકાશવાણી પર આઠ વર્ષની ઉમ્મરથી કાર્યક્રમો આપ્યા છે. ટી.વી ઉપર પણ
  • વિદેશમાં અનેક પ્રવાસો
  • વર્ણાશ્રમ વ્યવસ્થા, ભગવાન, પાઠપૂજા અને વ્રત નિયમોમાં વિશ્વાસ નથી, પણ દર્શનશાસ્ત્ર ગમે.

શોખ

  • ચિત્ર, શિલ્પ , સિતાર વાદન, નૃત્ય

રચના

  • વાર્તા – કનુપ્રિયા
  • બાળસાહિત્ય – એક હતી રાજકુમારી, જગતનાં પાટનગરો
  • પ્રવાસ – અમેરિકાની અનુભવયાત્રા
  • કલા સાહિત્ય – ભારતની આધુનિક ચિત્રકલા
  • અનુવાદ– મલયાલમ વાર્તાઓ, સોનાની સફર, વિશ્વની શ્રેષ્ઠ લોકકથાઓ

સન્માન

  • 1962 – ગુજરાત સરકારનું પારિતોષિક

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન  
%d bloggers like this: