ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: કવિ

નવલરામ ત્રિવેદી, Navalram Trivedi


અંધારા કો અતિશય ઊંડા વારિધિની ગુફામાં
મોંઘેરાં ને ઝળહળ થતાં મૌક્તિકો કૈં પડયાં રહે;
ને પુષ્પો કૈં નિરજનવને ખૂબ ખીલી રહીને
પેંકી દે છે નિજ સુરભિ; હા ! દૈવનો દુર્વિપાક !

વિકિપિડિયા પર

ઉપનામ

‘ડાબેરી’, ‘પોણીપચીસ’, ‘વૈનેતેય

જન્મ

૧૧, ઓક્ટોબર, ૧૮૯૫ ,વઢવાણ

અવસાન

૧૮, મે – ૧૯૪૪, અમદાવાદ

કુટુ મ્બ

માતા – ; પિતા – જગન્નાથ
પત્ની – સવિતાબેન; સંતાન – ચાર

શિક્ષણ

પ્રાથમિક – વઢવાણ
બી. એ. – ૧૯૨૦; એમ.એ. – ૧૯૨૬

વ્યવસાય

ગુજરાતી સાહિત્ય સભામાં મંત્રી
SNDT કોલેજમાં વાઈસ – પ્રિન્સિપાલ

  તેમના વિશે વિશેષ

એમણે પોતાની લેખનપ્રવૃત્તિનો આરંભ અરવિંદ ઘોષના બંગાળી ગ્રંથ ‘કારાવાસની કહાણી’ (૧૯૨૧)ના અનુવાદથી કર્યો. ‘કેટલાંક વિવેચનો’ (૧૯૩૪), ‘નવા વિવેચનો’ (૧૯૪૧) અને ‘શેષ વિવેચનો’ (મરણોત્તર, ૧૯૪૭) એ એમના વિવેચનલેખ-સંગ્રહો છે. એમના લેખો વિશદ તથા વિગતપ્રચુર હોય છે. ઉપરાંત તટસ્થતા, સ્પષ્ટવક્તૃત્વ ને બહુશ્રુતતા પણ જોવા મળે છે. કલાપી, કાન્ત, ન્હાનાલાલ અને મુનશીની કૃતિઓ વિશેનાં એમનાં લખાણો નોંધપાત્ર છે. ‘કેતકીનાં પુષ્પો’ (૧૯૩૯) અને ‘પરિહાસ’ (મરણોત્તર, ૧૯૪૫)માં રાજ્કીય, સામાજિક, સાહિત્યિક અને શૈક્ષણિક ક્ષેત્રોની ઊણપોને હાસ્ય-કટાક્ષનું લક્ષ્ય બનાવતા એમના હળવા નિબંધો અને પ્રતિકાવ્યો ગ્રંથસ્થ થયાં છે. એમાં ઉક્તિવૈચિત્ર્ય, શબ્દરમત, ટુચકા અને અતિશયોકિત દ્વારા હાસ્ય-કટાક્ષ વ્યકત થયાં છે. ‘કલાપી’ (૧૯૪૪) એ એમણે પ્રાપ્ય માહિતીને આધારે લખેલું, કવિ કલાપીના જીવન અને પ્રણયસંઘર્ષને આવરી લેતું રોચક જીવનચરિત્ર છે.

નવલરામની અન્ય મહત્વની સાહિત્યસેવા એમનાં સંપાદનો છે. ટિપ્પણ અને સ્વતંત્ર મંતવ્યોની આગવી મુદ્રાવાળું પુસ્તક ‘જયંતી વ્યાખ્યાનો’ (૧૯૪૦), ‘બુદ્ધિપ્રકાશ’ સમાયિકમાં પ્રકાશિત, વિવિધ વિષયોને સ્પર્શતા લેખોને આવરી લેતું પુસ્તક ‘બુદ્ધિપ્રકાશ લેખ સંગ્રહ’-ભા. ૧, ૨ (અનંતરાય રાવળ સાથે, ૧૯૪૧, ૧૯૪૨), શામળનું મૂલ્યાંકન કરતું પુસ્તક ‘શામળનું વાર્તાસાહિત્ય’ કલાપીની કવનપ્રવૃત્તિને મૂલવતા ગ્રંથો ‘ગ્રામમાતા અને બીજાં કાવ્યો’ (૧૯૩૮) તથા ‘હૃદયત્રિપુટી અને બીજાં કાવ્યો’ (૧૯૩૯) એટલાં મુખ્ય સંપાદનો છે. ‘સમાજસુધારાનું રેખાદર્શન’ (૧૯૩૪) એ દસ્તાવેજી પુસ્તક, ‘શિક્ષણનું રહસ્ય’ એ અનુવાદ, અન્ય સાથે મળીને સંપાદિત કરેલું ‘માનસશાસ્ત્ર’, ‘બ્રિટીશ સામ્રાજયનો અર્વાચીન ઇતિહાસ’ અને ‘હિન્દનું નવુ રાજ્યબંધારણ’ જેવાં ઈતર પુસ્તકો પણ એમણે આપ્યાં છે.

પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ, Purvi Brahmabhatt


સાભાર – શ્રી. શિલ્પી બુરેઠા

(લેખન સંકલન અને સ્કેચ: ‘શિલ્પી’ બુરેઠા કચ્છ)
રખેવાળ દૈનિક પત્ર,03-02- 2021

કરી શકો તો કરી બતાવો,
ને કોરી આંખે રડી બતાવો.

ગણિત તમારું જો હોય પાકું,
વહ્યાં જે આંસુ ગણી બતાવો

જન્મ

૫ , ફેબ્રુઆરી – ૧૯૭૬ , અમદાવાદ
મૂળ વતન – અછાલિયા, રાજપીપળા

શિક્ષણ

પ્રાથમિક – શ્રી ભક્ત વલ્લભ ધોળા વિદ્યાવિહાર અમદાવાદ
માધ્યમિક – શ્રી મૂક્તજીવન વિદ્યાલય અમદાવાદ
બી. કોમ – નવગુજરાત કોલેજ, અમદાવાદ

વ્યવસાય

મુક્તજીવન વિદ્યામંદિર, ઘોડાસર, અમદાવાદમાં શિક્ષિકા

  તેમના વિશે વિશેષ

.તેમના જીવનમાં ઓશો રજનીશના વિચારોનો  ખૂબ પ્રભાવ છે એવું તેઓ માને છે  તેમની રચનાઓ શબ્દસૃષ્ટિ, કુમાર, નવનીત સમર્પણ, કવિલોક, શબ્દસર ,  જનકલ્યાણ,એતદ,કવિતા જેવા સામાયિકોમાં પ્રકાશન પામેલ છે.તો દિવ્ય ભાસ્કર,ગુજરાત સમાચાર લયસ્તરો.વિ.માં ગઝલ પ્રકાશન પ્રગટ થઈ છે.ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત પુસ્તકમાં પણ કાવ્યો સ્થાન પામેલ છે.

રચનાઓ

‘સ્વ ને શોધુ શબ્દોમાં’, ‘ટેરેવે ઉગ્યુ આકાશ’

થોડાક શેર

જગમાં ચહલ પહલ બધીયે બરકરાર છે,
મારાં મર્યા પછની આ પહેલી સવાર છે.
શ્વાસોની આવજાવને જીવવું ગણે છે જે,
ઇલાજ એમનો કરો,નક્કી બિમાર છે.

કરી વિદ્રોહ સૌ સામે. જરા હિંમત બતાવી છે,
મેં ખોવાયેલી મારી જાત ને ખુદથી મળાવી છે.
થયુ નિદાન કે આંખોમાં ગાંઠો આંસુની થઈ છે,
કોઈ કારણ પૂછે તો  મેં ફક્ત પાંપણ નમાવી છે.

કરી શકો તો કરી બતાવો,
ને કોરી આંખે રડી બતાવો
ગણિત તમારું જો હોય પાકું,
વહ્યાં જે આંસુ ગણી બતાવો

લઈ ભાર ઘરનો ચાલતાં હાંફી ગયા છે પગ,
વિસામો ક્યાંક રાખજો થાકી ગયા છે પગ.
દિલ તો મેં ફક્ત ખોલ્યુંતું  અંગતની સામે- પણ
ક્યાંથી હવે એ વાત ને આવી ગયા છે પગ?

‘હું હાજર છું’ એવું હમેશા જતાવે,
ઘણાં દર્દ ઝાંઝર પહેરીને આવે
એ જાણી ગયા કાચની જાત છે તો,
બતાવીને પથ્થર ગમે ત્યાં નચાવે.

મળીને ચાલવાનો ફેંસલો બદલી શકે છે તું,
તને જોખમ જો લાગે તો,અહી અટકી શકે છે તું.
જરીકે દર્દ ઓછું ના થતું હો દોસ્ત જો તારું,
તને રાહત થતી હો તો મને વળગી શકે છે તું.

એ કારણથી સંબંધોની હાલત છે બિસ્માર હમેશા,
‘હું’થી ‘હું’ની જુઓ કેવી ચાલે છે તકરાર હમેશા.
હદ્પાર નશો હો તો જ મજા છે પ્રેમ.સુરા કે ભક્તિનો
ઓછું વધતું તમને સોપ્યું,હું તો થઈશ ચિક્કાર હમેશા.

અંતર તો રાખ્યું એ છતાં અડકી ગયા કે શું ?
ઝુંપડીની અશ્રુધારથી દાઝી ગયા કે શું ?
કડવાશ છે નજરમાં ને વાણી છે તોછડી,
ખિસ્સું અમારું ખાલી છે,જાણી ગયા કે શું ?

વેરાઈ ગઈ પીડા, હતી મુઠ્ઠીમાં સાચવી,
કેવી રીતે છુપાવવી ક્યાં જઇને દાટવી
પાણીય ના મળે છતાં જે  ઉગવા મથે,
એ કુંપળોની પીઠ જરૂર થપથપાવવી.

કિશોર જિકાદરા, Kishor Jikadara


સાભાર – શ્રી. શિલ્પી બુરેઠા

(લેખન સંકલન અને સ્કેચ: ‘શિલ્પી’ બુરેઠા કચ્છ)
રખેવાળ દૈનિક પત્ર,03-02- 2021

જ્યારે ત્યારે તરભેટા પર લાવીને એ છોડી દે છે,
ઈશ્વરથી બહુ દૂર થયો છું, ઈશ્વરની આવી ખટપટથી!

જન્મ

૪ , ફેબ્રુઆરી – ૧૯૫૫ , મહુવા

કુટુંબ

માતા – કસ્તુરબેન. ; પિતા – મૂળજીભાઈ

શિક્ષણ

જાફરાબાદની પારેખ અને મહેતા હાઈસ્કૂલમાંથી

સંપર્ક

142/સર્વોદયનગર,
સેકટર 30, ગાંધીનગર, 382030
મોઃ 9879475130

  તેમના વિશે વિશેષ

ચાર ભાઈ અને પાંચ બહેનોનો બહોળો પરિવાર. પિતાજીનો ખેતીનો વ્યવસાય, પણ કાળક્રમે ખેતી નષ્ટ થતાં, ઓઈલ એન્જિન સમારકામ કારીગર તરીકે નોકરી કરતા હતા. સર્જકના જન્મના પાંચ જ મહિનામાં, કુટુંબનિર્વાહ માટે પરિવાર સાથે પરિવારે મહુવાથી જાફરાબાદ મુકામે મજબૂરીથી સ્થળાંતર કરવું પડ્યું. 1955ને ના જૂન માસથી  ઓઈલ મિલમાં પિતાજીએ ઓઈલ એન્જિન મિકેનિક તરીકે જીવનની બીજી ઈનિંગ શરૂ કરી. માતા પિતા અભણ હતા પણ પોતાના સંતાનોને શિક્ષણ અપાવવાના સંકલ્પમાં મક્કમ.હતા એટલે શિક્ષણ અને સંસ્કારનો વારસો મળ્યો. સંતાનોએ પણ માબાપના આ સંકલ્પને સાકાર કરતાં,મા શારદાની કૃપાથી બધાં જ ભાઈ-બહેનોએ જાફરાબાદની પારેખ અને મહેતા હાઈસ્કૂલમાંથી જ્વલંત કારકિર્દી સાથે (લગભગ બધાં જ ધોરણમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ ) પસાર કર્યાં.  પરિવારના ઘણા સભ્યોમાં શિક્ષણ ઉપરાંત સંગીત, લેખન, ચિત્ર, ગાયન, વાદન વગેરે જેવી વિશિષ્ટ સિદ્ધિઓને કારણે જાફરાબાદના ઉચ્ચ અધિકારીઓ અને શ્રેષ્ઠીઓનો પ્રીતિપાત્ર પરિવાર બન્યો. તેમના માતાને તે સમયે રત્નગર્ભાનું બહુમાન મળેલું. બહોળો પરિવાર તથા સીમિત આવકના કારણે શૈશવ અત્યંત ગરીબાઈમાં તથા અભાવમાં વીત્યું.  ધોરણઃ પાંચથી એસ. એસ. સી. સુધી સ્કોલરશિપ મળી. ક્યારેક એ સ્કોલરશિપના બાળકિશોરે જમા કરેલા રૂપિયામાંથી મહિનાની આખર તારીખમાં ઘરના રોટલા માટે બાજરો ખરીદાતો એવી નાજુક પરિસ્થિતિ. ધોરણ દસમાં પ્રથમ નંબરે પાસ થનાર વિદ્યાર્થીને જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ તરફથી રૂ. 60 નું ઈનામ મળતું. તેમના સહિત લગભગ બધાં ભાઈબહેનોને ઈનામ મળ્યાં હતાં. જૂની એસ.એસ.સી. પછી તેમણે ઉચ્ચ અભ્યાસ માટે ભાવનગર ખાતેની સર ભાવસિંહજી પાૅલિટેકનિકમાં ઓટોમોબાઈલ ડિપ્લોમા કોર્સ પસંદ કર્યો. બે સેમેસ્ટરની જ્વલંત સફળતા સાથે પસાર કર્યા બાદ પરિવારની આર્થિક મર્યાદાઓને કારણે અભ્યાસ છોડીને હીરા ઘસવાના વ્યવસાયમાં અનિચ્છાએ જોતરાવું પડ્યું.જોકે લોહીમાં જ કારીગરી વારસાગત ઊતરી આવી હોવાના લીધે આ કામમાં પણ પ્રવીણતા આવી.પછી   હીરા ઘસવાનું છોડી,અટકેલો ઉચ્ચ અભ્યાસ એક વર્ષ બાદ પુનઃ ચાલુ કર્યો. આ દરમિયાન ગામે ગામ વીજળી આવી જતાં, ઓઈલ એન્જિનનો ઉપયોગ બંધ થતાં પિતાજીને નોકરીમાંથી રુખસદ આપવામાં આવી. આર્થિક સંકડામણનો સંઘર્ષ અતિ તીવ્ર બન્યો.બહેનોના હાથ પીળા કરવાનો સમય આવતાં ભણવાને બદલે કમાવવાનું દબાણ વધ્યું.

 જૂના મેટ્રિક્યુલેશન પછી લઘુલિપિક (સ્ટેનોગ્રાફર)ની સરકારી નોકરી મળતી. ગુજરી બજારમાંથી નવ રૂપિયાનું   સેકન્ડહેન્ડ ‘મહેર લઘુલિપિ’ શીખવા માટેનું પુસ્તક ખરીદ્યું. જાતે લઘુલિપિ/.ગુજરાતી ટાઇપિંગ પણ શીખ્યા. ગુજરાત જાહેર સેવા આયોગની ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-ર ની લઘુલિપિની પરીક્ષા, એસ. એસ. સી. લેવલની ગુજરાતીની પરીક્ષા અને ટાઇપિંગની પરીક્ષાઓ પાસ કરી.નિયામક, આયુર્વેદના અંગત મદદનીશ (પી.એ.) તરીકે સને 1980ના એપ્રિલ માસમાં સરકારી સેવામાં જોડાયા.આ સમય દરમિયાન માથા પરથી માતાપિતાનું છત્ર ઊડી ગયું. કૌટુંબિક જવાબદારી નિભાવતાં સળંગ ચોવીસ વર્ષની એક જ જગ્યાએ નોકરી કરી, ને  2004ના એપ્રિલમાં નવ વર્ષ વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારી. 

        સર્જકના જીવન ઘડતરમાં જીવનમાં આવેલી વિષમ પરિસ્થિતિએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે. માતા-પિતાના સંસ્કાર ઉપરાંતમાધ્યમિક શાળાનાં શિક્ષિકા સુશ્રી રક્ષાબહેન દવેની માતૃભાષાની કેળવણીએ તેમના ચિત્તપ્રદેશ પર ઊંડી છાપ છોડી હતી સાહિત્ય સર્જનની શરૂઆત ધોરણ નવથી જ થયેલી પ્રથમ કવિતા એ સમયે લખાયેલી. લેખન ,અને વક્તૃત્વ કૌશલ્યના કારણે તેઓ શિક્ષકોના પ્રિય વિદ્યાર્થી હતા. પ્રૂફ વાંચન, ભાષાન્તર શોખની પ્રવૃતિ રહી છે.

 લેખનબીજ તો વરસો પૂર્વે વવાઈ ચૂક્યું હતું. જીવનના કેટકેટલાય અભાવો અને ઉપેક્ષાએ  સંવેદનશીલ હૃદયને અધિક કોમળ અને શાયરાના બનાવ્યું. સ્વૈચ્છિક નિવૃત્તિનાં ત્રણેક વર્ષ અગાઉ એટલે કે 2001આસપાસ તેમાંથી કૂંપળો ફૂટી. નિજાનંદ માટે ગુજરાતી ગીત, ગઝલ લખવાનું શરૂ થયું. ભાષા નિયામકના રાજભાષા, ગુજરાત સમાચારની સ્થાનિક પૂર્તિ અને સ્થાનિક અખબાર ગાંધીનગર સમાચારમાં પ્રકાશિત થવા લાગ્યાં.

તેઓ ગાંધીનગર સાહિત્યસભાનો પૂર્વ કોષાધ્યક્ષ, પૂર્વ મંત્રીપદે,હાલ ગાંધીનગર સાહિત્યસભાના સલાહકાર, ગાંધીનગર શહેર વસાહત મહામંડળના સેવામંત્રી તરીકે, અને પૂર્વ પોલીસ મિત્ર, પૂર્વ પૅરાલિગલ વૉલેન્ટિયર, સમાજસેવક,રક્તદાતા, માતૃભાષા સજ્જતા,સંવર્ધન અને સંરક્ષણના હેતુ માટે સ્થપાયેલા માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના સાત ટ્રસ્ટીઓ પૈકીનો એક ટ્રસ્ટી તરીકે સતત કાર્યરત રહ્યા છે.

‘કલાવિમર્શ’ ત્રૈમાસિકના કાવ્ય વિભાગના સંપાદક તરીકે પ્રત્યેક કામમાં પરફેક્શનના આગ્રહી શોખ અને વારસાને કારણે લગભગ ઘણીખરી ક્રાફ્ટમાં પણ બહુમુખી પ્રતિભા છે.  ‘પાંપણ વચ્ચે’ ની એક ગઝલ ‘સમજાવટથી’ નો તાજેતરમાં ભાવનગર યુનિવર્સિટીના એફ. વાય. બી.એ. ના ગુજરાતી વિષયના સંદર્ભ અભ્યાસક્રમમાં સમાવેશ થયો છે. આ ગઝલ અંગે લયસ્તરો. કોમ ઉપર લખવામાં આવ્યું છે કે “નવરત્ન જેવા નવ શેઅર! એકેએક શેઅર પર સમરકંદ બુખારા ઓવારી દેવાનું મન થાય એવા.. ગુજરાતી ગઝલમાં ઓછા પ્રયોજાતા કાફિયાઓની ગૂંથણી કરીને કવિએ ગજબની કરામત કરી છે.” આ ગઝલ અગાઉ અખંડાનંદમાં સને 2018 માં પ્રકાશિત થઈ હતી.

રચનાઓ

અભિવ્યક્તિ, પાંપણ વચ્ચે’ હૈયાસરસું

થોડાક શેર

તેં સીવેલા સંબંધોને આજે પણ પ્હેરું છું વટથી,
દિલ દઈને લીધેલા ટાંકા, એમ નથી કૈં તૂટતા ઝટથી!

આવી રીતે ધોળે દિવસે, પડછાયો થૈ સાથે ના ફર,
ઈર્ષ્યા થાશે સૂરજને પણ, તારી મારી આ ઘરવટથી!

કૂવાકાંઠો પડખે છે પણ બેડું તોય રહ્યું છે ખાલી,
લેણાદેણી ક્યાં છે મારે એક ટકો પણ આ પનઘટથી?

સઘળી વાતે સુખ છે કિન્તુ નાની સરખી મુશ્કેલી છે,
ઘર છે મારું આ કાંઠે ને પ્રીત કરી છે સામા તટથી!

અટકાવું તો ખિન્ન થશે ને ધમકાવું તો ઓર વટકશે,
કામ ખરેખર લેવું પડશે, ઇચ્છા સાથે સમજાવટથી!

તારી જેમ નથી વેડફતો, ગમ્મે ત્યારે માંગી જોજે,
આંસુના પ્રત્યેક ટીપાનો રાખું છું હિસાબ ચીવટથી!

વરસાદી ત્રમઝટમાં કેવો કોરોકટ્ટ રહ્યો છું આજે?
પૂરેપૂરો પલળી ગ્યો ‘તો, તે દિવસે ઝીણી વાછટથી!

ડાળી પરથી પાન ખર્યું તો તેનો શો અફસોસ કરું હું,
ફૂટવાની છે કૂંપળ પાછી, એ જ જગ્યાએ કાલ ઊલટથી!

‘ઈશ્ક ‘પાલનપુરી, Ishq Palanpuri


સાભાર – શ્રી. શિલ્પી બુરેઠા

(લેખન સંકલન અને સ્કેચ: ‘શિલ્પી’ બુરેઠા કચ્છ)
રખેવાળ દૈનિક પત્ર,03-02- 2021
**
‘આંસુ વહાવી દેજે મારા મોત પર તું એકાંતમાં,
આ ‘બદનસીબ’ની લાશ પર આપમેળે જ કફન ચડી જશે.’

મૂળ નામ

રમેશભાઈ પીરભાઈ રજ્યા.

જન્મ

૩ , ફેબ્રુઆરી – ઝેરડા ગામે ( જિ. બનાસકાંઠાના, તા . ડીસા )

કુટુંબ

માતા – જેબરબેન. ; પિતા – પીરાભાઈ

સંપર્ક

‘ઈશ્ક’ પાલનપુરી 45,રજ્યાવાસ, મુ. પો .ઝેરડા તા. ડીસા જિ. બનાસકાંઠા
મો.+91 99240 02999

         દસમા ધોરણમાં ભણતા રમેશને સાથે ભણતા મિત્ર દશરથના અવસાનનો આઘાત એવો લાગ્યો કે દુઃખ કવિતા સ્વરૂપે બહાર આવ્યું. પ્રથમ કવિતા સ્કૂલના નોટીસબોર્ડ પર લગાડી. રમેશની આ કાવ્યાંજલિ બધાને ખૂબ ગમી. મિત્રના મૃત્યુના આઘાત અને નિરાશામાં પ્રથમ કવિતા ફાડી નાખી. પણ આ શોકકાવ્ય દ્વારા કવિતાની કૂંપળ ફૂટી ચૂકી હતી એ ધીમે ધીમે વિસ્તરતી જતી હતી. પોતાની જાતને બદનસીબ માનતો આ વિદ્યાર્થી હૃદયમાં ઉભરાતી લાગણીને ‘બદનસીબ’ ના ઉપનામે કાગળ પર ઉતારવા લાગ્યો.

  તે લખે છે.

“જિંદગીમાં હવે કોઈ તમન્ના બાકી નથી,

તારું નામ રટવું એ જ ‘બદનસીબ’નું કામ હોય.”

                                              જોડકણાં તો જોડકણાં પણ ભાવજગત મજબૂત હતું. જિંદગીની કોઈક પીડા કે અભાવની અભિવ્યક્તિ આમ જ કાગળ પર ઉતરતી રહી, લખાતું ગયું. વિધાર્થી અવસ્થાએ રચાતી રચનાઓ સાચા કાવ્યસ્વરૂપે ભલે ન રચાઈ હોય પણ કાવ્યત્વ અને સાહિત્યની સાચી દિશા પકડવાની મથામણ શરુ થઇ ચૂકી હતી, કવિતા રસનો વિષય થઇ પડી,  વાંચન વધ્યું કવિતા અને કવિ પ્રત્યે આકર્ષણ વધ્યું. બનાસકાંઠાના એક કવિને પત્રવ્યવહારથી કવિતા-ગઝલ વિશે જાણવાની ઈચ્છા બતાવી એ કવિએ વળતી ટપાલે પ્રોત્સાહિત કર્યા સૌ પ્રથમ તો ‘બદનસીબ’ ઉપનામ રદ્દ કરીને બે તખલ્લુસ આપ્યા એમાંથી એક તખલ્લુસ પસંદ કર્યું. એ તખલ્લુસ સૂચવનાર કવિ હતા શરદ ત્રિવેદી અને રમેશે તખલ્લુસ ધારણ કર્યું એ પાલનપુરી ગઝલ ઘરાનાની ધરોહર જાળવતું, સૌને લાડકવાયું બની રહ્યું એ તખલ્લુસ એટલે ‘ઈશ્ક’.

     અભિયાન ડીસેમ્બર-૨૦૧૭ના અંકમાં નરેશ મકવાણા દ્વારા કરેલ કવર સ્ટોરીમાં પાલનપુરી ગઝલ ઘરાનાના વારસ તરીકે ‘ઈશ્ક’ પાલનપુરીની નોંધ લેવાઈ. એ બાબતે તેઓ કહે છે.કે “હું કચ્છમાં ભણતો ત્યારે પાલનપુર બાજુના વિધાર્થીઓને પાલનપુરીયા કે પાલનપુરી કહેતા. હું પાલનપુર ભણેલો છું અને પાલનપુરી તરીકે શૂન્ય, સૈફ, ઓજસ પાલનપુરીના વારસ તરીકે ઓળખાવવું એ મારા માટે ગૌરવપ્રદ છે”.

‘ઈશ્ક’ પાલનપુરીના ઉપનામે ઓળખાતા આ સર્જકનું મૂળ નામ રમેશભાઈ પીરભાઈ રજ્યા. બનાસકાંઠાના ડીસા તાલુકાના ઝેરડા ગામે તા- ૦૩-૦૨-૧૯૮૧માં જન્મ. પિતાનું નામ પીરાભાઈ, માતાનું નામ જેબરબેન. પિતાજીનું જીવન સંઘર્ષમય રહ્યું. સાત ફાઈનલ નપાસ, ૧૯૭૭ની આસપાસ મુંબઈ ધંધાર્થે ગયા. હીરા બજારમાં નોકરી કરી, મોરારજીની સરકારમાં નોટબંધી વખતે વતન પાછા ફર્યા અને ઘરે ખેતી કરી. તમાકુની એક કંપનીમાં કમિશન એજન્ટ તરીકે નોકરી કરી. પરિવારમાં ચાર દીકરાઓને ભણાવવામાં કોઈ કસર ન રાખી, આજે ત્રણ દિકરાઓ સરકારી નોકરી કરી રહ્યા છે. એક મેડીકલ સ્ટોર સંભાળે છે. સર્જક ‘ઈશ્ક’ પાલનપુરી બીજા નંબરના દીકરા એમનું પ્રાથમિક,માધ્યમિક શિક્ષણ ગામ ઝેરડામાં જ પૂર્ણ થયું. ૧૯૯૮ના વર્ષમાં બાર સાયન્સ પૂર્ણ કર્યુ.  બી.એસ.સી.ના ચાર મહિનાના અભ્યાસ દરમિયાન જ ફાર્મસીમાં એડમિશન મળતાં આદિપુર કચ્છથી ૨૦૦૨માં ફાર્મસી પૂર્ણ કરી પોતાના ગામમાં વૈભવ મેડીકલ સ્ટોર ચાલુ કરી અને ત્યારબાદ અચાનક કોર્ટ કલાર્કની ( આસીસ્ટન્ટ પ્રિન્સી.સીની સીવીલ કોર્ટ ડીસા) નોકરી મળતા કવિ દવામાંથી દાવામાં આવી ગયા એમ કહેવાય ! પ્રાથમિક શાળાથી વાંચનનો શોખ હતો મેડીકલ નોકરી સાથે સમય મળતા પુષ્કળ વાચન થયું. ટેકનોલોજીની મદદથી બ્લોગ વાંચ્યા અને ખુદના બ્લોગ તરફ પણ પ્રયાણ કર્યું . બ્લોગ દ્વારા પોતાની રચનાઓ લોકો દ્વારા વાંચતી ગઈ, ટીકા ટીપ્પણી થતી રહી. સુરતના ખ્યાતનામ બ્લોગર અને કવિશ્રી વિવેક ટેલરે લખ્યું  

“કવિતામાં ભાવની અભિવ્યક્તિ સુપેરે વ્યક્ત થાય છે પણ ગઝલમાં છંદની અનિવાર્યતા સમજી શકાય તો આ આખા કામનો અર્થ સરે. છંદ-રદીફ-કાફિયા વિનાની ગઝલો અંગત ડાયરીનો ઉંબરો વળોટી સાહિત્યને ચોરે બેસી ન શકે.”

      બસ પછી સર્જકને મનમાં થયું આ જોડકણાંનો કોઈ અર્થ નથી. એવામાં ગુજરાત સરકાર દ્વારા ગઝલ શિબિરની જાહેરાત થઈ પોતાના જ ગામના કવયિત્રી અને ઉમદા વાર્તાકાર ‘વર્ષા બારોટ’ તથા બીજા ઘણા નવોદિત સાહિત્યકાર સાથે 2008માં કિલ્લા પારડીની ગઝલ શિબિર કરી ગઝલ ગુરુ નયન હ. દેસાઈના માર્ગદર્શનમાં ગઝલના સાચા સ્વરૂપની દિશા મળી અને પ્રથમ છંદોબદ્ધ રચના રચાઈ

“ ભીતરે વાંઝણું રણ મળે તો લખું,

ને હરણ ઝાંઝવાને છળે તો લખું.”

          એ પછી ગઝલને વેગ મળ્યો, વાંચન વધ્યું ગામની સ્વ. વાલાભાઈ વિસાભાઇ લાયબ્રેરીના ઘણા પુસ્તકો વંચાયા, કવિતાનો નાતો બંધાતો ગયો. ‘રખેવાળ’ દૈનિકમાં છપાતી રચનાઓથી પ્રેરણા મળતી રહી. ફાર્મસીના અભ્યાસ દરમિયાન દૂરદર્શનના કાર્યક્રમ માટે આ સર્જક પહેલીવાર ટી.વી. પર કાર્યક્રમ આપવા પરિવારની જાણ બહાર આખીરાત બસમાં ઉભા રહીને મુસાફરી વેઠીને પાલનપુર આવ્યા,  બેંકમાં ખાતું પણ ન ધરાવતા આ સર્જકને પ્રથમ વાર ૨૫૦ રૂ.નો કવિતા પઠન પુરસ્કાર મળ્યો હતો જે પ્રેરકબળ પૂરું પાડ્યું

કારણ કે એમનો જન્મ એવા  સમાજમાં થયો કે એવું જ માને કે સાહિત્ય સાથે આપણે કશું લેવા દેવા નથી .

‘ઈશ્ક’ પાલનપુરી  લખે છે કે,

‘સો સો સલામી એ રબારી ભાઇને ,

જે દૂધ કાજે ઢોરમાં જીવી ગયો.’

    આપણે તો માલધારી અને ખેડૂતની જાત ઢોરઢાંખર અને ખેતર  સાથે જીવન જોડાયેલું રહે છે એને વળી કવિતાયું શેની? આમાં શું મળે?

અને  આજ પર્યંત એનો વિરોધ ચાલું જ છે, પણ આ તો

કવિજીવ  પોતાનું ઢોર રેઢું ન મૂકે એ કંઈ એમ સાહિત્ય  થોડું રેઢું મૂકે ?

 પછી 2010માં શબ્દસાધના પરિવાર દ્વારા યોજાયેલ મુશાયરામાં પ્રથમવાર અનિલ ચાવડા, પ્રશાંત કેદાર, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ જેવા શાયરો સાથે ગઝલપઠન કરવાની તક સાંપડી ‘મિસ્કીન’ સાહેબે સર્જકના ગાલે ટપલી મારી ‘ગઝલ સરસ લખે છે’ કહી ઉત્સાહ વધાર્યો હતો.તો

ડો. શરદ ઠાકર લિખીત રણમાં ખીલ્યું ગુલાબ’ કોલમમાં તેમની પંક્તિઓનો અને

મહેફિલ-પરિવાર દ્વારા સંપાદિત અને પ્રકાશિત ‘કૂંપળ ફૂટ્યાની વાત’ માં શુભેચ્છા સંદેશ, તથા મહેફિલ-પરિવાર દ્વારા સંપાદિત ‘કૂંપળની મહેફિલ’ ગઝલ સંગ્રહમાં પાંચ ગઝલોનો સમાવેશ કરવામાં આવ્યો છે.લોક ડાઉનમાં ‘પાલનપુર રેડીયો’ દ્વારા આયોજિત ટેલિફોનિક  મુશાયરાના કાર્યક્રમ ‘ફોનાયરો’માં ગઝલો રજુ કરવાની તક મળી હતી.

  સર્જક ‘ઈશ્ક’ પાલનપુરી ગુણવત્તાને ધ્યાને રાખી ઉમદા સાહિત્યની નેમ ધારણ કરી આગળ વધતા આ સર્જક  ‘શબ્દ સાધના પરિવાર’  નામે બનાસકાંઠાની સાહિત્યિક સંસ્થા ઉભી કરવામાં સહયોગી રહયા છે. તો નવોદિતો માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. નોકરી મળ્યા પછી બાર-તેર વર્ષ પછી ગુજરાતી વિષયપર એમ.એ.નો અભ્યાસ કરી રહ્યા છે. તેમની રચનાઓ “બનાસનો કલરવ” અને “પાંગરતી કલમે” બે પુસ્તકોમાં સમાવેશ થઇ છે. અભ્યાસ, નોકરી અને સાહિત્યિક પ્રવૃત્તિ સાથે સાથે આસ્વાદ, કવિ પરિચય વગેરે પણ લખી રહ્યા છે. ટૂંકીવાર્તા પણ લખવાની ઈચ્છા ધરાવતા આ સર્જક હાલ ‘ઝરુખો’ ઈ -મેગેઝિનમાં પરામર્શક તરીકે કાર્યરત છે. જી.ટી.પી.એલ.ના કાવ્યરસ કાર્યક્રમ હોય કે વિવિધ મુશાયરાઓમાં ભાગ લઇ પોતાની સર્જકતા ને સતત ગતિશીલ રાખી રહ્યા છે.

       ચાલો એમની ગઝલના શેરની મજા માણીએ.

**

 હું મારાથી વધારે ધ્યાન રાખું છુ,

 હદયમાં જેમનું પણ સ્થાન રાખું છુ.

*

  એ રીતે બધી યાદને સચાવી ને,

  અહી જેમ વિધવા રકમ સાચવે છે.

*

 આજ મારી ગઝલ સાંભળીને પછી,

 દાદમાં કોઈ પાંપણ ઢળે તો લખું.

**  

આંખોને કોરુંકટ તારે,

મારે કાયમ શ્રાવણ જેવું.

*

  આ ગઝલ લખવી સરળ ક્યાં  છે દોસ્તો,

  રક્તને પણ બાળવાનું હોય છે.  

*

તમારે ખભો આપવાનો છે દોસ્તો,

કફન ઓળખે છે કબર ઓળખે છે.

**

  અમે માપવાને તળિયું નયનનું

   બધા આંસુઓને વહાવી જોશું.

**

 હો ભલેને સરળ આકરી બોલશે,

  એ નહિ ‘ઈશ્ક’ની શાયરી બોલશે.

“ ભીતરે વાંઝણું રણ મળે તો લખું,
ને હરણ ઝાંઝવાને છળે તો લખું.”

‘સો સો સલામી એ રબારી ભાઇને ,
જે દૂધ કાજે ઢોરમાં જીવી ગયો.’

રચનાઓ

“બનાસનો કલરવ” અને “પાંગરતી કલમે”

પ્રેમશંકર નરભેરામ ભટ્ટ, Premshankar N. Bhatt


‘પ્રેમ’

જન્મ – ૧૫. માર્ચ – ૧૯૧૦ ; ભાવનગર 
અવસાન – ૧૧, ઓક્ટોબર – ૨૦૧૬, ગાંધીનગર

– ૧ –
– ૨ –
– ૩ –
– ૪ –

સંજુ વાળા – Sanju Vala


Sanju_Vala# જાણ્યું એવું જડ્યું નહિ કંઈ,
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ.

અંધારું લઇ પાંખમાં, ઉડ્યાં અંધ કપોત
( એક ગઝલાવલોકન )

# અંદર અંદર સળવળતી એક ઘટનાથી
શરૂઆત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?
ઠરી ગયેલી ફૂંક ફરી પેટાવી
ઝંઝાવાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

#  કોઈ કંઠનો હાર બનીને છોને મ્હાલે
અમે રહીશું થઈને પગનો તોડો.
જી…અધવચ ના તરછોડો

#  તેમની કવિતાઓ    –   ૧   –  ;

વિકિપિડિયા પર 

……………………………………………………………………………….

સમ્પર્ક 

  • સરનામું – એ-૭૭, આલાપ  એવેન્યૂ, યુનિ. રોડ, રાજકોટ -૩૬૦ ૦૦૫

જન્મ તારીખ 

  • ૧૧, જુલાઈ – ૧૯૬૦, બાઢડા, સાવરકુંડલા, અમરેલી

કુટુમ્બ 

  • માતા – રાણીમા ; પિતા – નારણભાઈ
  • પત્ની – નિર્મળા , સંતાન –  જ્યોતિ, જિજ્ઞેશ , વિસ્મય

શિક્ષણ

  • ૧૯૭૯ – એસ.એસ.સી., જે.વી.મોદી. હાઈસ્કૂલ , સાવરકુંડલા
  • અન્ડર ગ્રેજ્યુએટ

વ્યવસાય 

  • ગુજરાત સરકારના મહેસૂલ વિભાગમાં મામલતદાર

sanju_wala

યુવાન વયે

તેમના વિશે વિશેષ 

  • હરીશ મીનાશ્રુ અને મણિલાલ એચ. પટેલ દ્વારા તેમની શૈલી માટે અલગ ચીલો પાડનારી અને સ્થાપિત જૂના શૈલી વચ્ચેની હોવાની પ્રશંસા કરવામાં આવી હતી. તે સમયે જ્યારે મોટા ભાગના ગઝલ-કવિઓ લખવા માટે સીધી રચના અને પહાડી અવાજનો ઉઅપયોગ કરતા, ત્યારે તેમણે સામે પ્રવાહે તરી પોતાની શૈલીમાં અને અદ્યતન ભાષામાં સ્થાપિત શૈલી લેખન દ્વારા ગઝલોનું આલેખન કર્યું છે.
  • ૨૦૦૭ – ૨૦૧૧  આકાશવાણી કલાકાર માન્યતા સમિતિના સભ્ય
  • ૨૦૧૨-૧૪ –  ગુજરાતી સાહિત્ય પરિષદની કાર્યકારી સમિતિના સભ્ય
  • ગુજરાતી સાહિત્ય અકાદમી સંચાલિત ‘ વલી ગુજરાતી ગઝલકેન્દ્ર’ની કાર્યકારી સમિતિના સભ્ય
  • વ્યંજના – રાજકોટ ( સાહિત્યિક અભિગમની સંસ્થા) ના પ્રમુખ
  • આકાશવાણી/ દૂરદર્શન પર કવિતાપાઠ
  • દેશ – વિદેશમાં અનેક જગ્યાએ કવિતા પઠન
  • ગુજરાતી કવિતા અંગે વ્યાખ્યાનો
  • સાહિત્યિક સામાયિકોમાં અનેક વિવેચન/ કવિતા વિશે લેખ
  • તેમની ઘણી રચનાઓનું  સ્વરાંકન થયું  છે

રચનાઓ 

  • કવિતા –   કંઈક / કશુંક/ અથવા તો;   કિલ્લેબંધી ; રાગાધીનમ્  ;  કવિતાનામે સંજીવની
  • સંપાદન  – અતિક્રમી તે ગઝલ , કિંશુકલય, કવિતાચયન – ૨૦૦૭ ; ઘર સામે સરોવર ( શ્યામ સાધુની સમગ્ર કવિતા) ; યાદનો રાજ્યાભિષેક , ‘શૂન્ય’ની કવિતાઓ) ; મનપાંચમના મેળામાં ( રમેશ પારેખની સમગ્ર કવિતા)

સન્માન 

  • ૧૯૯૦ – ‘જયંત પાઠક કવિતા પુરસ્કાર
  • ૧૯૯૮ – ‘કવિતા’ સામાયિક શ્રેષ્ઠ કવિતા એવોર્ડ
  • ૧૯૯૯ – શયદા એવોર્ડ ( આઈ.એન.ટી. )
  • ૨૦૦૩ – નાનાલાલ/ રા.વિ.પાઠક પારિતોષિક – ગુ.સા.પ.
  • ૨૦૦૭ – ભાનુપ્રસાદ પંડ્યા એવોર્ડ – ગુ.સા.પ.
  • ૨૦૧૪ – દર્શક સાહિત્ય સન્માન – રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન
  • ૨૦૧૪ – હરીન્દ્ર દવે સન્માન
  • ૨૦૧૪ – કવિશ્રી. રમેશ પારેખ સન્માન – અસ્મિતા ફાઉન્ડેશન, રાજકોટ
  • ૨૦૧૫ – સમર્પણ સન્માન – નવનીત/ સમર્પણ
  • ૨૦૧૬ – કળારત્ન સન્માન –  ગુજરાત કળા પ્રતિષ્ઠાન – સુરત
  • ૨૦૧૯ – સાહિત્યરત્ન સન્માન – સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટ
  • અન્ય વિવિધ સન્માન

 

 

 

રમેશ પટેલ ( પ્રેમોર્મિ), Ramesh Patel ( Premormi )


વિવિધ ક્ષેત્રોમાં વીરલ પ્રદાન કરનાર,  સદા યુવાન અને કર્મઠ પ્રતિભા

દસ વર્ષની ઉમરથી યોગના સાધક અને આયુર્વેદિક સારવાર પદ્ધતિના હિમાયતી

# જીવન સૂત્ર

જય સચ્ચિદાનંદ

# તેમની વેબ સાઈટ 

# સખી રે, મારી તું તો પતંગ ને હું દોર
કાપી ના કાપે એવી જોડ.

# લય સ્તરો પર 

# ‘ગુજરાતી કવિતા અને ગઝલ’ પર 

# ફેસબુક પર

https://www.facebook.com/Premormi

Premormi in sky-1


બૈજુ બાવરા – તાના રીરી હોલમાં

જન્મ

  • ૧૮, સપ્ટેમ્બર – ૧૯૩૬, રંગૂન, મ્યાંમાર ( બર્મા)

કુટુમ્બ

  • પિતા – ભાઈલાલ; માતા – કમળા
  • પત્ની – સ્વ. ઉષા; પુત્ર – કલ્પેશ

અભ્યાસ

  • ૧૯૫૪– મેટ્રિક ( એસ. પી. વિદ્યાલય – નાસિક)
  • ૧૯૫૮ – એમ.એસ.સી.(મિકે. એન્જિ.)  – વેસ્ટ બ્રોમવિચ યુનિ. – બર્મિન્ગહામ

વ્યવસાય

  • હોટલ માલિક
  • સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન/ સંચાલન

યુવાન ઉમરે

This slideshow requires JavaScript.

તેમના વિશે વિશેષ

  • બીજા વિશ્વ યુદ્ધ વખતે જાપાનના આક્રમણના કારણે, વતન કરમસદમાં  કામચલાઉ સ્થળાંતર
  • ૧૯૫૪ – રંગૂનમાં એશિયાટિક ક્રિકેટ ક્લબ સ્થાપી.
  • નાસિકમાં ખાસ મિત્રની સંગતથી સંગીત સૂઝ કેળવી.
  • ૧૯૫૭ – લન્ડન જવા પ્રયાણ, થોડોક વખત નોકરી કરી
  • ૧૯૬૦ – ઇન્ડિયા કોફી હાઉસ, ‘પાર’ ટ્રાવેલ એજન્સી અને ઇન્ડિયા એમ્પોરિયમથી ધંધાની શરૂઆત ( લન્ડનમાં શાકાહારી આહાર માટેની પહેલી રેસ્ટોરન્ટ)
  • ૧૯૬૧ – ‘નવકલા’ ભારતીયો માટેની સાંસ્કૃતિક / સામાજિક સંસ્થાની સ્થાપના, જે હાલમાં પણ લન્ડનમાં કાર્યરત છે.
  • ૧૯૬૫ – એક મિત્રની સાથે ‘શરૂણા’ હોટલની શરૂઆત
  • ૧૯૭૪ – પોતાની માલિકીની ‘મંદિર’ રેસ્ટોરન્ટની શરૂઆત; તેની સાથે ‘રવિશંકર’ હોલની પણ શરૂઆત આયુર્વેદિક સારવાર માટે લન્ડનમાં ‘કુશળ’ ક્લિનિક ની શરૂઆત
  • ૧૯૮૦ – ૮૫ અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ગેઈન્સ વિલે ખાતે શાકાહારી હોટલ
  • લન્ડનમાં ૧૦૦ થી વધારે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા
  • ૨૦૦૨ – પત્નીના અવસાન બાદ લન્ડનની બધી પ્રવૃત્તિઓ સંકેલી કરમસદમાં પાછા ફર્યા. મોટું નવું મકાન બનાવી તેમાં નરસિંહ મહેતા/ તાના રીરી હોલમાં બિન ધંધાદારી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને આયુર્વેદિક સારવાર
  • ૨૦૦૪ – ગુરૂદેવ ટાગોરના શાંતિનિકેતનમાં ‘પ્રેમોર્મિ’ કવિ તરીકે સન્માન
  • તેમના કાવ્ય સંગ્રહ ‘હૃદય વીણા’ નો અનેક ભાષાઓમાં અનુવાદ થયો છે.

તેમણે દોરેલ એક ચિત્ર

હોબીઓ

  • કવિતા, સંગીત, પ્રવાસ, ચિત્ર, નાટક, નૃત્ય, અભિનય, યોગ, વૈદક, પ્રાકૃતિક ચિકિત્સા

રચનાઓ

  • કવિતા – હૃદયગંગા, કાવ્યપિયૂષિની, ઝરમર ઝરમર, વૈખરીનો નાદ, હું,
    ગીત મંજરી ( હિન્દી)
  • રસોઈકળા – Mandir Ayurvedic cook book

સન્માન

  • ‘ઉત્સવ એવોર્ડ’ નવી દિલ્હી
  • જ્ઞાનેશ્વર એવોર્ડ, પૂના
  • શાન્તિ નિકેતન, કલકત્તામાં સન્માન
  • ગુજરાત ગૌરવ એવોર્ડ – લન્ડન અને બીજા અનેક સ્થાનિક એવોર્ડો

કવિ રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’ ને

કહોને કોણ છે એવા ઘણો આનંદ આપે છે,
મળોજ્યાં એમને ત્યારે ખભાપર હાથ રાખે છે.

નથી ભૂલી શકાવાના તમારા હોલ ને કાર્યો,
ભલેને દૂર રહેશે પણ હ્રદયની પાસ લાગે છે.

કવિતા હોય કે સંગીત, નર્તન હોય કે ભાવક,
બધાને ભાવથી સરપાવ આપીને નવાજે છે.

નથી એ સંતથી ઓછા, કળાના ભેખધારી છે,
નદી વૃક્ષો પહાડો ને ઝરણની જાત માને છે.

પનોતા પુત્રમાતાના, મહામાનવ છો ધરતીના,
ફરી આવી મળો અમને તમારી ખોટ સાલે છે.

તમે સાગર સમા પ્રેમી, તમારું નામ ‘પ્રેમોર્મિ’,
તમારાં ગીત ને કાવ્યો બધા સાક્ષર વખાણે છે.

તમારા નામમાં રમતા રહે છે, ઈશ ને માધવ,
તમોને ‘સાજ’ના વંદન, નમી મસ્તક ઝૂકાવે છે.

-‘સાજ’ મેવાડા

દેવિકા ધ્રુવ, Devika Dhruv


devi3# લગાવ  એવા, કહો કેવા ? કે વારંવાર ધક્કા દે.
અરે! લાગ્યું ન લાગ્યું દિલ,ને પારાવાર ઝટકા દે.  

રૂમઝૂમતું  કંઈક આવ્યું છે, કોઈ લઈ લો રે, કોઈ લઈ લો.
મઘમઘતું કંઇક ફોર્યું છે, કોઈ ભરી લો રે, કોઈ લઈ લો.

#  મળવા જેવા માણસ – એક પરિચય

રચનાઓ – ‘પ્રતિલિપિ’  પર 

# રચનાઓ – ‘લયસ્તરો’ પર 

‘ચિત્રલેખા’ માં પરિચય

# વાચકોને બહુ ગમેલી શ્રેણી – ‘પત્રાવળી’ 


તેમનો બ્લોગ 

devi2

આ ચિત્ર પર ક્લિક કરો.

dhruv

જન્મ

  • ૭, ફેબ્રુઆરી – ૧૯૪૮, અમદાવાદ ( મૂળ વતન – ભુડાસણ )

કુટુમ્બ

  • માતા – કમળા બહેન; પિતા – રસિકલાલ
  • ભાઈઓ – નવિન, વીરેન્દ્ર  ; બહેનો – કોકિલા, સુષ્મા, સંગીતા (બધાં અમેરિકામાં વસવાટ અને  કોઈ ને કોઈ રીતે લલિત કળાઓ સાથે સંકળાયેલાં)
  • પતિ – રાહુલ;  પુત્રો– બ્રિન્દેશ, અચલ 

શિક્ષણ

  • ૧૯૬૮ –  બી.એ. ( સંસ્કૃત) એચ.કે. આર્ટ્સ કોલેજ, અમદાવાદ

વ્યવસાય

  • ભારતમાં – ગુજ. યુનિ.માં વહીવટી શાખામાં
  • અમેરિકામાં – શરૂઆતમાં ન્યુયોર્કમાં બેન્કમાં . પછીના જીવનમાં હ્યુસ્ટન ખાતે શિક્ષિકા

devika_dhruv_1

devika_dhruv_2

તેમના વિશે વિશેષ

  • નાનપણથી જ સાહિત્યમાં લગાવ અને ઉજ્જ્વળ શૈક્ષણિક કારકિર્દી.
  • દસમા ધોરણમાં હતાં ત્યારે પહેલી કવિતા ’તમન્ના’ લખેલી.
  • શાળા અને કોલેજ કાળ દરમિયાન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સક્રીય ભાગ. એચ.કે. આર્ટ્સ કોલેજમાં હતાં ત્યારે સંસ્કૃતમાં પ્રવચન પણ આપ્યું હતું.
  • બી.એ.માં યુનિ. માં પ્રથમ અને ગોલ્ડ મેડલિસ્ટ
  • પતિ ક્રિકેટના ગજબનાક શોખીન, ૧૯૬૭માં રણજી ટ્રોફીના ક્રિકેટર
  • હ્યુસ્ટનની ‘સાહિત્ય સરિતા’ સંસ્થામાં અને અનેક લલિત કળાના કાર્યક્રમોમાં સક્રીય પ્રદાન

રચનાઓ

  • કવિતા – શબ્દોને પાલવડે, કલમને કરતાલે, અક્ષરને અજવાળે ( ઈ-બુક)
  • પત્ર શ્રેણી – આથમણી કોરનો ઉજાસ ( નયના પટેલ સાથે )
  • સંશોધન–  (અંગ્રેજીમાં) – Glimpses into legacy( Dhruv family), Maa ( Banker family), Gujarati Sahitya Sarita, Houston – History

img_2435

સાભાર

  • શ્રી. નવિન બેન્કર

સૌમ્ય જોશી, Saumya Joshi


sau1# કલમ પકડી કરું છું હું અનોખા પ્રાસની ઈચ્છા,
જગતની સર્વ ઊર્મિના સખત અહેસાસની ઈચ્છા.
પ્રતિભા સ્હેજ ઓછી છે છતાં હું એજ રાખું છું,
હતી જે વ્યાસની ઈચ્છા ને કાલિદાસની ઈચ્છા.

# પેટ હતું તો ઝબ્બે થઈ ગ્યું, રાત હતી તો પડી,
ઊંઘ હતી તો આવી ગઈ ને ફૂટપાથોને જડી.

વાળ હોય તો ટાલ થાય, ને કમર હોય તો વળે,
શ્વાસ હોય તો ખૂંટી જાય ને લખચોરાસી ફળે.

#  કેટલાક તડકા કેટલા આકરા હોય છે
ગયાના ગયા ઉનાળે તૂટી ગયાં એનાં ચપ્પલ.
હવે, કચ્ચીને દાઝ કાઢતી કપચી પર,
છેલ્લા સેઠે પાણી ના પાયેલું ગળું લઈને,
મેલા હાથની કાળી રેખાઓવાળી મુઠ્ઠીમાં સાચવેલા એડરેશના જોરે,
ચસ્માવાળા કૉલેઝિયને બતાયેલા રસ્તે,
એ પહોંચે છે બંગલે,
ને માદરબખત સૂરજ ને એના ખુલ્લા માથા વચ્ચે બે મિનિટ માટે આવે છે ઘઉંની ગૂણ,
કેટલાક છાંયડા કેટલા ભારે હોય છે.

– (‘ગ્રીનરૂમમાં’)

# બહુ જ વખણાયેલી આ રચના ટહૂકો પર વાંચો – સાંભળો 

આ સ્યોરી કે’વા આ’યો સુ ને ઘાબાજરિયું લા’યો સુ.
અજુ દુ:ખતું ઓય તો લગાડ કોનમાં ને વાત હોંભળ મારી.
તીજા ધોરણમાં તારો પાઠ આવે છ.
ભગવાન મહાવીર,
અવે ભા ના પાડતા’તા તોય સોડીને ભણાવવા મે’લી મેં માંડમાંડ
તો ઈને તો ઈસ્કૂલ જઈને પથારી ફેરવી કાલે,
ડાયરેક ભાને જઈને કીધું કે આપણા બાપદાદા રાક્ષસ,
તો મહાવીર ભગવાનના કોનમાં ખીલા ઘોંચ્યા.

# રચનાઓ
લયસ્તરો પર   ઃ  રણકાર પર 

વિકિપિડિયા પર 

# અંગ્રેજીમાં એક સરસ પરિચય

 


ફેસબુક પર…

sau4

આ ચિત્ર પર ક્લિક કરો….

જન્મ

  • ૩, જુલાઈ- ૧૯૭૩, અમદાવાદ

કુટુમ્બ

  • માતા –  નીલા, પિતા– જયંત
  • પત્ની –

શિક્ષણ

  • પ્રાથમિક શિક્ષણ – વિજયનગર હાઈસ્કુલ
  • ૧૯૯૦ – એસ.એસ.સી. – વિદ્યાનગર હાઈસ્કુલ, અમદાવાદ
  • ૧૯૯૩ – બી.એ. – એચ.કે. આર્ટ્સ કોલેજ, અમદાવાદ
  • ૧૯૯૫ – એમ.એ. – ગુજરાત યુનિ. અમદાવાદ

વ્યવસાય 

  • ૨૦૧૫ સુધી – એચ.કે. આર્ટ્સ કોલેજમાં અંગ્રેજીના પ્રોફેસર
  • ૨૦૧૧ થી – ગુજરાતી નાટ્ય ક્ષેત્રમાં

sau2

sau5

આ ચિત્ર પર ક્લિક કરી , તેમનો ઈન્ટરવ્યુ વાંચો.

તેમના વિશે વિશેષ

  • ૧૮ વર્ષની ઉમરે કવિતા લખવાની શરૂઆત \
  • પહેલી કવિતા ‘કવિલોક’માં પ્રકાશિત થઈ હતી.
  • પહેલું ગુજરાતી નાટક – ‘રમી લો ને યાર !’
  • ‘દોસ્ત! ચોક્કસ અહીં એક નગર વસતું હતું’ – હુલ્લડ ગ્રસ્ત અમદાવાદથી વ્યસ્ત થઈને લખેલું / ભજવેલું નાટક બહુ જ વખણાયું હતું.
  • Fade in theatre ના સ્થાપક
  • ૧૦૨ – નોટ આઉટ નાટકના સર્જક . એ જ નામની હિન્દી ફિલ્મના સ્ક્રિપ્ટ રાઈટર
  • વેલકમ જિંદગી – નાટકના  સર્જક તરીકે પણ બહુ ખ્યાતિ પામ્યા.

sau6 

રચનાઓ

  • કવિતા – ગ્રીમ રૂમમાં

સન્માન

  • ૧૯૯૬ – બ.ક.ઠા. એવોર્ડ
  • રાવજી પટેલ એવોર્ડ
  • ૨૦૦૭ – યુવા ગૌરવ પુરસ્કાર
  • ૨૦૦૮ – તખ્તસિંહ પરમાર પારિતોષિક

 

 

 

નટવર ગાંધી, Natwar Gandhi


ng11‘નાણાંકીય બાબતોના જાદૂગર કવિ’

  • તમારે હર્મ્યે ના હતી કશી કમી કલ્પતરુની,
    હતાં માતાપિતા, સુખવતી હતી પત્ની પ્રમદા,
    હતાં દૈવે દીધા દયિત સુત, ઐશ્વર્ય જગનું,
    અકસ્માતે જોયાં દુઃખ જગતનાં, વૃદ્ધ વયનાં.
    પીડા, વ્યાધી જોયાં, શબ વિરૂપ, ભિખારી ભમતાં,
    લલાટે આવું જે જીવન લખ્યું તે કેમ જીવવું ?
    ત્યજી પત્ની સૂતી, સુત,  વિત ત્યજી ચાલી નીકળ્યા,
    તપશ્ચર્યા વેઠી, કરુણ નયને બુદ્ધ પ્રગટ્યા !
  • ચડાવી સૂટ, બૂટ ટાઈ ફરતા ઘણા તોરથી,
    ગીચોગીચ વસે અસંખ્ય જન બાપડા ચાલીમાં,
    વસે ઝૂંપડપટ્ટી, કૈંક ફૂટપાથ લાંબા થતા,
    લગાવી લિપસ્ટિક કૈંક ગણિકા ફરે, નોતરે,
    અહીં ઊઘડી આંખ, પાંખ પ્રસરી ઊડ્યો આભ હું,
    મહાનગર આ, ભણ્યો જીવનના પાઠ હું.
  • ‘ઓપિનિયન’ પર તેમની આત્મકથા વિશે
  • પરિચય લેખો
    –     ૧     – –     ૨    –

——————————————————-

જન્મ

  • ૪, ઓક્ટોબર – ૧૯૪૦; સાવરકુંડલા, જિ. અમરેલી

કુટુમ્બ

  • માતા– શાંતા બહેન; પિતા – મોહનલાલ
  • પત્ની – ૧) સ્વ. નલીની ૨) પન્ના નાયક ;  પુત્ર  – અપૂર્વ ; દીકરી – સોનલ

શિક્ષણ

  • પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ – સાવરકુંડલામાં
  • બી.કોમ. ( સિડનહામ કોલેજ ); એલ.એલ.બી.( ગવર્મેન્ટ લો કોલેજ )  –  મુંબાઈ
  • એમ.બી.એ. ( Atlanta  uni.)
  • પી.એચ.ડી.  ( Louisiana Uni.)

વ્યવસાય

  • શરૂઆતમાં મુંબાઈમાં વિવિધ જગ્યાઓએ નોકરી
  • અમેરિકામાં શિક્ષણ બાદ પ્રોફેસર
  • વોશિંગ્ટન ડી.સી. ની મ્યુનિસિપાલીટીમાં વિવિધ ફરજો.
  • ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર પદેથી અંગત કારણોસર રાજીનામું

davda

આ શિર્ષક ચિત્ર પર ક્લિક કરી તેમની આત્મકથા ધારાવાહી રૂપે વાંચો – માણો.

Inline image

તેમની સાથે એક ઇન્ટરવ્યૂ

તેમના વિશે વિશેષ

  • શરૂઆતમાં મુંબાઈમાં  મૂળજી જેઠા મારકિટ, ટેક્ષ્ટાઈલ મીલો અને અન્ય પેઢીઓમાં નોકરી.
  • ૧૯૬૫   માં અમેરિકા સ્થળાંતર
  • અમેરિકામાં અભ્યાસ બાદ પીટ્સબર્ગ યુનિ. અને અન્ય યુનિ.ઓમાં શિક્ષણ કાર્ય
  • ૧૯૭૬ – ૧૯૯૭  અમેરિકન કોન્ગ્રેસની વોચ ડોગ એજન્સી એજન્સી – જનરલ એકાઉન્ટિંગ ઑફિસમાં પોલિસી અને એડમિનિસ્ટ્રેશનના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કામ કર્યું.
  •  ૧૯૯૭ — વોશિંગ્ટન ડી.સી. સ્ટેટમાં ટેક્સ કમિશ્નર
  • ૨૦૦૦-૨૦૧૪ ત્યાં જ ચીફ ફાઈન્સાન્સિયર ( એ હોદ્દાની રૂએ વૉશિન્ગટનના બાર બિલિયન ડોલરના બજેટની વ્યવસ્થા અને વ્યવહાર એમના હાથમાં હતા. એ કામમાં સંકળાયેલા સરકારી કર્મચારીઓની સંખ્યા – ૧૨૦૦ થી વધારે)
  • તેમણે આ કામ હાથમાં લીધું ત્યારે વોશિંગ્ટન ડી.સી.ની નાણાંકીય સ્થિતિ બહુ જ નાજૂક અને દેવાંઓથી ભરપૂર હતી; જે તેમના કુશળ વહીવટને કારણે ૧૫૦૦ મિલિયન ડોલરની પુરાંત વાળી બની ગઈ હતી. આ બાબતમાં જાણકાર વાચકોને આશ્ચર્ય થશે કે, અનેક એજન્સીઓ દ્વારા અભ્યાસ કરીને જાહેર કરાતા ફાઇનાન્સ્શિયલ રેટિંગ ૧૩ તબક્કાઓમાં સાવ નકારાત્મકથી A+ / A++ સુધી તેઓ પહોંચાડી શક્યા હતા.
  • ૨૦૧૪ – ૨૦૧૬ – Distinguished Policy Fellow at Georgetown University’s McDonough School of Business.
  • અત્યારે તેઓ વર્લ્ડ બેન્ક અને અન્ય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.
  • ૨૦૧૪ – જાણીતાં કવયિત્રી પન્નાબહેન નાયક સાથે જીવવા સરકારી નોકરીમાંથી રાજીનામું.

logo

આ ફોટા પર ક્લિક કરી પન્ના બહેન વિશે વાંચો.

ng22

રચનાઓ

  • કવિતા – અમેરિકા-અમેરિકા, ઇન્ડિયા-ઇન્ડિયા, પેન્સિલ્વાનિયા
  • આત્મકથા – એક અજાણ્યા ગાંધીની આત્મકથા

સન્માન

  • અમેરિકન કરવેરા અને નાણાકીય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરવા બદલ ઘણા એવોર્ડ્સ.
  • ૧૯૯૬ – આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતની પ્રતિષ્ઠા વધારવા માટે  ‘વિશ્વગુર્જરી’ એવોર્ડ

સાભાર

  • શ્રી. પી. કે. દાવડા
%d bloggers like this: