ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: જીવન ચરિત્ર લેખક

નગીનદાસ સંઘવી, Nagindas Sanghvi


“ હું તો મારા વિદ્યાર્થીઓના હાથે ટીચાઈ ટીચાઈને ઘડાયો છું.”
હુલામણું નામ – નગીનબાપા

ન્મ

૧૦, માર્ચ – ૧૯૨૦; ભાવનગર

અવસાન

૧૨, જુલાઈ- ૨૦૨૦; સુરત

કુટુંબ – ??

શિક્ષણ

એમ.એ.  ભાવનગર

વ્યવસાય

શિક્ષણ – ૧૯૫૧ – ૮૦, ભવ ન્સ કોલેજ , અંધેરી , રુપારેલ કોલેજ – માહીમ; મીઠીબાઈ કોલેજ, વિલે પાર્લે  મુંબઈ
સામાયિકોમાં કટાર લેખક

તેમની ચેનલ

https://www.youtube.com/channel/UCP5z9huJwsrMwtB1_rmwW9g/videos

તેમના વિશે વિશેષ

  • 1944માં ભણવાનું પૂરું કર્યું હતું. મુંબઈમાં ઍડ્વર્ટાઈઝિંગ કંપનીમાં મહિને 30 રૂપિયાના પગારે ટાઈપિસ્ટ તરીકે નોકરી શરૂ કરી હતી. એક-બે જગ્યાએ કામ કર્યા પછી ત્રણ દાયકા કરતાં વધુ સમય અધ્યાપન અને છેલ્લાં પચાસ વર્ષ કટારલેખન કરતાં હતા.
  • એક ઈન્સ્યોરન્સ કંપનીમાં કામ કર્યું હતું. વચ્ચે બે વાર મુંબઈથી ભાવનગર પાછા ગયા હતા.
  • ૧૯૫૦ ના વર્ષમાં મુંબઈની ભવન્સ કૉલેજમાં પ્રોફેસર બન્યા હતા. એ પછીનાં બત્રીસ વર્ષ મુંબઈની રૂપારેલ તથા મીઠીબાઈ કૉલેજમાં ભણાવ્યું હતું. તેઓ રાજકારણ અને ઈતિહાસના વિષય શીખવતા હતા.
  • તેઓ કૉલેજમાં ભણાવતા હતા ત્યારથી સમાચારપત્રોમાં લખવાનું શરૂ કર્યું હતું.  નિવૃત્તિ પછી પણ તેઓ લખતા રહ્યાં હતા. 1982માં મહિને 700 રૂપિયાનું પેન્શન મળતું હતું. પણ એમાં એમનું ઘર ચાલે એમ નહોતું એટલે લખવાનું કામ કરીને કમાતા હતા. આમ તેઓ અકસ્માતે લખતા રહ્યાં હતા.
  • મુંબઇની મીઠીબાઇ કૉલેજમાં પૉલિટીકલ સાયન્સના વડા તરીકે નિવૃત્ત થયા હતા. 
  • ૧૯૬૨ થી – ચિત્રલેખા અને બીજાં સામાયિકોમાં રાજકારણને લગતી નિયમિત કટારોમાં નીડર લેખન
  • રાજકીય પ્રવાહોની તલસ્પર્શી છણાવટ અને સાચા અર્થમાં અને તડ અને ફડ કરનારા
  • મૂળ રામાયણમાંથી ઘણી બધી એવી બાબતો તેમણે મૂકી કે જે કથા અને પાત્રો અંગેની રૂઢિગત માન્યતાઓને માફક ન આવી. લેખમાળા સામેનો વિરોધ હુલ્લડબાજી અને છાપાંની હોળી સુધી પહોચ્યો હતો. તેમની કોલમ આખરે એ બંધ થઈ, આક્ષેપોનો જવાબ આપવાનો લેખકનો હક્ક પણ તંત્રીસાહેબોએ નકારવો પડ્યો.  નોંધપાત્ર છે કે પછીના વર્ષે નગીનદાસે એ લેખમાળાને  ‘રામાયણની અંતરયાત્રા’ પુસ્તક તરીકે જાતે પ્રકાશિત કરવાની હિમ્મત દાખવી. ડૉ. આંબેડકરનાં ‘રિડલ ઑફ રામ’ લખાણની યાદ અપાવતાં આ પુસ્તકનાં પાનેપાને તલ:સ્પર્થી સંશોધન અને  સ્વતંત્ર ચિંતન દેખાય છે.
  • તેઓ આસ્તિક બિલકુલ ન હતા. ધર્મ એમના માટે અધ્યાત્મનો વિષય ન હતો. તેઓ માનતા કે ધર્મ વગર કોઈ સમાજ ટક્યો નથી અને ટકી શકે પણ નહીં. નગીનભાઈ પોતે જ કહે તા હતા, ધર્મ, વિજ્ઞાન, ઈતિહાસ, સમાજશાસ્ત્ર અને રાજકારણ વિશેનાં લખાણોએ એમને ઘણા આજીવન દુશ્મન આપ્યા છે તો પ્રગાઢ દોસ્તો પણ આપ્યા છે.

ચનાઓ

  • મહામાનવ કૃષ્ણ, ગીતા નવી નજરે, ગીતા વિમર્શ,  નરે ન્દ્ર મોદી – એક રાજકીય સફર, રામાયણની અંતરયાત્રા,
  • તડફડ શ્રેણી – ભારત, ધર્મ, ઈતિહાસ, જીવન, રાજનીતિ, સમાજ, સંસ્કૃતિ, વિશ્વ, સોંસરી વાત, નગીનદાસ સંઘવીનું  તડ ને ફડ
  • સંકલન – એમની વિવિધ કટારોના લેખોમાંથી સંકલન કરેલા આઠ  પુસ્તકોનો સેટ
  • ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં મળી અઢાર પુસ્તક અને 29 પરિચય પુસ્તિકાઓ. 

સન્માન

૨૦૧૮ – પદ્મશ્રી , ભારત સરકાર
વજુ કોટક સુવર્ણ ચંદ્રક

પ્રાણજીવન મહેતા, Pranjivan Mehta


pm6‘મારા જીવનમાં પ્રાણજીવન મહેતા કરતાં વધારે નજીકનો કોઈ મિત્ર નથી.’ 

ગાંધીજી

     During my last trip to Europe I saw a great deal of Mr. Gandhi. From year to year (I have known him intimately for over twenty years) I have found him getting more and more selfless. He is now leading almost an ascetic sort of life–not the life of an ordinary ascetic that we usually see but that of a great Mahatma and the one idea that engrosses his mind is his motherland.

(તેમના સ્વ. ગોપાલકૃષ્ણ ગોખલેને લખેલી પત્રમાંથી )

શ્રી, ઉર્વીશ કોઠારીના બ્લોગ પર સરસ લેખ

–    ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માં લેખ

‘The better India’ માંથી મળેલ મૂળ માહિતી

ફેસબુક પરથી મળેલ એક સરસ રિપોર્ટ 

    ‘You may not perhaps be knowing for whom I wrote ‘Hind Swaraj’. The person is no more and hence there is no harm in disclosing his name. I wrote the entire Hind Swaraj for my dear friend Dr. Pranjivan Mehta. All the argument in the book is reproduced almost as it took place with him.’

Gandhiji
– 21 February 1940 at a meeting of the Gandhi Seva Sangh)

‘ગુર્જરી ડાઈજેસ્ટ’ – ઓક્ટોબર – ૨૦૧૪ માં પ્રકાશિત લેખ…

pm1pm2pm3pm4

જન્મ

  • ૧૮૬૪, મોરબી

અવસાન

  • ૩, ઓગસ્ટ – ૧૯૩૨, રંગૂન

કુટુમ્બ

  • માતા – ?,  પિતા– જગજીવન
  • ભાઈઓ -રેવાશંકર, પોપટભાઈ અને બીજા એક ભાઈ
  • પત્ની – ? ; સંતાન – ?

શિક્ષણ

  • પ્રારંભિક – મોરબી
  • માધ્યમિક – રાજકોટ
  • મેડિકલ – (LMS) – મુંબાઈ; એમ.ડી. – બ્રસેલ્સ ( બેલ્જિયમ)
  • કાયદો – બાર એટ લો – લન્ડન

વ્યવસાય

  • શરૂઆતમાં થોડોક વખત મુંબાઈમાં ખાનગી પ્રેક્ટિસ
  • ઈડર સ્ટેટના મુખ્ય મેડિકલ ઓફિસર
  • રંગૂન , બર્મા માં વકીલ અને ડોક્ટર તરીકે પ્રેક્ટિસ
  • હીરાનો વેપાર

astha

પાયાનો સંદર્ભ સ્રોત – આ ચિત્ર પર ક્લિક કરો.

pm1

યુવાન વયે

pm8

pm21

pm10

૧૯૨૨ – ગુજરાત વિદ્યાપીઠને દાન આપ્યું- તે પ્રસંગે

pm7

તેમના હસ્તાક્ષર અને સહી

તેમના વિશે વિશેષ

  • ૧૮૮૬ – મુંબાઈમાંથી મેડિકલ ડીગ્રી ગોલ્ડ મેડલ સાથે પસાર કરી.
  • ૧૮૮૭ – માર્ચ – મોરબીના રાજાની સ્કોલરશીપના સહારે બ્રસેલ્સ, બેલ્જિયમ માં અભ્યાસ શરૂ.
  • ૧૮૮૯ – યુનિ. ઓફ બ્રસેલ્સમાંથી  સર્જરીમાં વિશેષ યોગ્યતા ( Distinction) સાથે એમ.ડી. ની પદવી
  • બ્રસેલ્સના મુક્ત વાતાવરણની મન પર ગાઢ અસર (સ્વદેશની સ્વતંત્રતા માટેના ખ્યાલોનો પ્રાદુર્ભાવ)
  • લન્ડનમાં બાર એટ લો થવા માટે રજિસ્ટ્રેશન કર્યું.- અને તે સબબે લન્ડન ગયા. એક જ વર્ષમાં તેમણે આ ડીગ્રી પણ મેળવી લીધી.
  • ૧૯૮૯ મા અંત ભાગમાં – ભારત પાછા આવ્યા
  • ૧૮૯૯ – રંગૂનમાં સ્થળાંતર. વકીલ અને ડોક્ટરની બેવડી ભૂમિકામાં અત્યંત સફળ કામગીરી.
  • આ ઉપરાંત તેમણે હીરાના વેપારમાં પણ ઝૂકાવ્યું અને ઘણું કમાયા. થોડાક જ વર્ષોમાં રંગૂનના સૌથી સમ્પત્તિવાન અને વગદાર નાગરિક બની ગયા.
  • રંગૂનમાં હિન્દુ સોશિયલ ક્લબ અને રામકૃષ્ણ સોસાયટીના પ્રમુખ
  • અખિલ ભારતીય કોન્ગ્રેસની રંગૂન શાખા, બર્મા (અત્યારનું મ્યાંમાર)ની પ્રોવિન્શિયલ કોન્ગ્રેસના સભ્ય
  • બર્મા સોશિયલ સર્વિસ લીગ ના સ્થાપક અને ઘણા સમય સુધી સેક્રેટરી
  • બર્માની સ્વતંત્રતા માટે લડતા રાષ્ટ્રવાદીઓને ઉત્તેજન
  • ૧૯૦૬ – એન્ગ્લો- ગુજરાતી અઠવાડિક ‘ યુનાઈટેડ બર્મા’ ની સ્થાપના, જેના તંત્રી વી. મદનજિત હતા. દલિત લોકોની સેવા અને સ્વદેશીની હિમાયત તેનો મુદ્રાલેખ હતો.
  • દક્ષિણ ભારતના અર્થશાસ્ત્રીની મદદથી બર્મામાં ટ્રેડ યુનિયન સ્થાપવાની શરૂઆત કરી. રંગૂન બંદરના કામદારોની ચળવળને સક્રીય ટેકો આપી ઘણી મોટી આંતરરાષ્ટ્રીય કમ્પનીઓમાં અળખામણા બની ગયા.
  • ૧૯૧૫ – ભારતીય નેશનલ કોન્ગ્રેસના મુંબાઈ ખાતેના અધિવેશનમાં હાજરી આપી અને સાબરમતી આશ્રમની સ્થાપના માટે સક્રીય સહકાર અને મદદ આપ્યાં.
  • ૧૯૧૭-૧૮ બર્માની રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓમાં સક્રીય ફાળો જેના કારણે તે વખતના બર્માના લેફ્ટેનન્ટ ગવર્નર ક્રેડોકે તેમને એક અઠવાડિયામાં બર્મા છોડી દેવા ફરમાન કર્યું હતું. મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા તે કારણે, બર્માના અન્ય વગદાર આગેવાનો વચ્ચે પડવાના કારણે અને પ્રચંડ લોક લાગણીના કારણે   એ ફરમાન પાછું ખેંચી લેવું પડ્યું હતું.
  • ૧૯૧૯ – સ્થાનિક સ્વરાજ માટે ના બર્માના ડેપ્યુટેશન સાથે બ્રિટનનની મુલાકાતે – સાથે ભારતીય નેશનલ કોન્ગ્રેસને માટે પણ ત્યાં સક્રીય કામગીરી.
  • ૧૯૨૦ – ૨૧ અત્યંત નાદુરસ્ત તબિયતના કારણે બ્રિટન અને યુરોપમાં તબીબી સારવાર ૧૯૨૬/ ૧૯૨૯ – બે વખત ભારતની મુલાકાત. પણ લથડતી જતી તબિયતના કારણે તેમનું જાહેર જીવન સંકેલાઈ ગયું હતું.
  • ૧૯૩૨ – ઘરમાં ચાલતાં પડી જવાના કારણે થયેલી ઈજામાંથી સેપ્ટિક થઈ જતાં અવસાન.

ગાંધીજી સાથે 

  • ૨૯, સપ્ટેમ્બર – ૧૯૮૮ ગાંધીજીના લન્ડનમાં પહેલા દિવસે, વિક્ટોરિયા હોટલ, ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે બન્ને વચ્ચે  પહેલી મુલાકાત, આ અગાઉ પણ બન્ને વચ્ચે પત્ર વ્યવહાર ચાલુ હતો.
  • ગાંધીજીના લન્ડનમાં શરૂઆતના સમયમાં તેમને મોટાભાઈની જેમ મદદ અને દોરવણી.
  • ૧૯૯૧ – ગાંધીજી બેરિસ્ટર બનીને દેશ પાછા આવ્યા, ત્યારે મુંબાઈના તેમના ઘેર રહ્યા હતા, અને ત્યાં જ ગાંધીજીને શ્રીમદ રાજ ચન્દ્રનો પરિચય થયો હતો. બન્ને વચ્ચે નિકટતા પણ આ સમયે જ સ્થપાઈ.
  • ૧૯૨૦ પછી ગાંધીજીની મુંબાઈ ખાતેની પ્રવૃત્તિનું કેન્દ્ર, મણીભુવન – તેમના મોટા ભાઈ – રેવાશંકરે બંધાવ્યું હતું. ( અત્યારે તેમાં ગાંધી સંગ્રહાલય છે.)
  • તેમના બીજા મોટાભાઈ પોપટ ભાઈના દીકરી શ્રીમદ રાજચન્દ્રનાં પત્ની હતાં. ( શ્રીમદ રાજચન્દ્રની ઘણી મોટી અસર ગાંધીજીના અહિંસા અંગેના વિચારો પર પડી હતી.)
  • ૧૮૯૮ ના અંત ભાગમાં – ગાંધીજી દક્ષિણ આફ્રિકાની ચળવળ અંગે ભારતમાંથી સહકાર મેળવવા આવ્યા , ત્યારે મુંબાઈમાં  તેમના ઘેર જ રહ્યા હતા.
  • પ્રાણજીવન મહેતા પણ લન્ડનથી પાછા વળતાં કેપ ટાઉન રોકાયા હતા અને ડર્બનમાં ગાંધીજીને મળવા ગયા હતા. આ મુલાકાતો દરમિયાન ગાંધીજીની નિસ્વાર્થ વૃત્તિ અને સમાજ સેવાની ધગશનો અંદાજ તેમને આવી ગયો હતો.
  • ૧૯૦૨ – આફ્રિકા બીજી વાર જતાં પહેલાં ગાંધીજી રંગૂનની મુલાકાતે ગયા હતા, અને તેમની સાથે એક અઠવાડિયું રહ્યા હતા.
  • ગાંધીજીની એ મુલાકાત દરમિયાન તેમણે પ્રાણજીવન મહેતા સાથે ભારતના સ્વાતંત્ર્ય અંગે વિચારોની આપલે કરી હતી, જે ગાંધીજીના બહુ જાણીતા લેખ ‘ હિન્દ સ્વરાજ’નું મૂળ હતું.
  • ગાંધીજી સાથેના એ વિચાર વિમર્શ બાદ તેમણે તે વખતના ભારતીય નેશનલ કોન્ગ્રેસના સર્વે સર્વા ગોપાલ કૃષ્ણ ગોખલે સાથે પત્ર વ્યવહાર કર્યો હતો, જેમાં ગાંધીજીને ભારતના સ્વરાજના   ભાવિ શિલ્પી અને ‘મહાત્મા’ તરીકે ઉલ્લેખ કર્યો હતો, એટલું જ નહીં પણ સમસ્ત માનવજાતને નવી દોરવણી આપી શકે તેવા મસીહા તરીકે ગાંધીજીનો ઉલ્લેખ કર્યો હતો.
  • આ જ રીતે તેમણે ગાંધીજીને ભારતના સ્વરાજ માટે નેતૃત્વ લેવા ભાર પૂરક સૂચવ્યું હતું, ફિનિક્સ આશ્રમમાં ભારતના સ્વયંસેવકોને સત્યાગ્રહની તાલીમ આપવાનો બધો ખર્ચ ભોગવવા પણ તેમણે તૈયારી બતાવી હતી. આ ઉપરાંત ગાંધીજીની આફ્રિકા  ખાતેની કામગીરી અંગેના અને તેને સંબંધિત પ્રકાશનોના પ્રસાર માટેનો પૂરો ખર્ચ ઊઠાવવાનું પણ તેમણે કબૂલ્યું હતું.
  • ગાંધીજીના અંગત ખર્ચ અંગેની બધી જવાબદારી તેમણે પોતાને શીરે લેવા કબૂલ્યું હતું.
  • ૧૯૧૧ – ગાંધીજીનું સૌથી પહેલું જીવન ચરિત્ર તેમણે લખ્યું હતું.
  • ભારતીય જીવન પદ્ધતિ અંગેનું તેમના બાજા પુસ્તક Hindu Social Ideals    પુસ્તકમાં તેમણે ગાંધીજીના ફિનિક્સ આશ્રમ ખાતેના સત્યના  પ્રયોગોનો ઉલ્લેખ કર્યો હતો.
  • ૧૯૧૫ – ગાંધીજી હમ્મેશ માટે ભારત પાછા આવ્યા બાદ. ગોખલેના અવસાન બાદ તેમને સર્વન્ટસ ઓફ ઇન્ડિયા સોસાયટીના સામાન્ય સભ્ય તરીકે સ્વીકારવા પણ કોઈ તૈયાર ન હતું, તે વખતે ગાંધીજી આઠ દિવસ માટે રંગૂન ગયા હતા. પ્રાણજીવન મહેતાએ તેમને  ઉદાર રીતે નાણાંકીય સહાય કરી હતી.
    એમ ન કર્યું હોત તો ગાંધીજી મોટા કુટુમ્બની અંગત જવાદારીઓ અદા કરવામાંથી જ દટાઈ ગયા હોત.
  • અમદાવાદમાં કોચરબ આશ્રમ સ્થાપવાની પૂરી જવાબદારી તેમને ઊઠાવી હતી.
  • ૧૯૨૦ – દાંડી કૂચના દસ વર્ષ પહેલાં ગરીબ પ્રજાની કમર તોડી નાંખતા મીઠા પરના કર સામે આંદોલન ચલાવવા તેમણે ગાંધીજીને સૂચવ્યું હતું.
  • ૧૯૨૯ની ગાંધીજીની બર્માની મુલાકાત વખતે નાજૂક તબિયત છતાં તેમની સાથે સતત રહ્યા અને ફર્યા હતા.

રચનાઓ

  • K. Gandhi and the South African Indian Problem
  • Hindu Social Ideals
  • તેમના જીવન વિશે અભ્યાસ પૂર્ણ પુસ્તક – Mahatma and the doctor – Shri S.R. Mehrotra

 

સાભાર

  • The Better India
  • શ્રી. ભરત ભટ્ટ, કેમ્બ્રિજ, મેસેચ્યુસેટ્સ
  • Dialogue – આસ્થા ભારતી
  • શ્રી. ઉર્વીશ કોઠારી

 

 

 

 

 

 

 

 

 

જુગતરામ દવે, Jugatram Dave


jd1વેડછીનો વડલો

બૂડ્યો પંડિત પુષ્પિત ભાષા;
અલંકાર, ઝડ ઝમ્મક, પ્રાસા

તેમની એક રચના –  ‘ભાઈને હાથે માર’

એનું જીવનકાર્ય અખંડ તપો
અમ વચ્ચે બાપુ અમર રહો !

અંતરપટ આ અદીઠ,
અરેરે ! આડું અંતરપટ આ અદીઠ !

ગુજરાતના જુ.કાકા –  મીરાં ભટ્ટ

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર

વિકિપિડિયા પર

શ્રી જુગતરામ દવે આશ્રમશાળા યોજના – ગુજરાત સરકાર

———————————————-

જન્મ

  • ૧, સપ્ટેમ્બર – ૧૮૮૮, લખતર, જિ- સુરેન્દ્રનગર

અવસાન

  • ૧૪, માર્ચ – ૧૯૮૫, ગાંધી આશ્રમ, વેડછી

કુટુમ્બ

  • માતા – ? , પિતા – ચીમનલાલ
  • અપરિણિત

શિક્ષણ

  • પ્રાથમિક/ માધ્યમિક – વઢવાણ, ધ્રાંગધ્રા, મુંબાઈ

વ્યવસાય

  • શિક્ષણ, પત્રકારત્વ, લોકસેવા

તેમના વિશે વિશેષ

  • નોન મેટ્રિક પણ સાહિત્ય/ શિક્ષણ/ સેવા માં અદભૂત પ્રદાન
  • ૧૯૧૭ – મુંબાઈમાં ‘વીસમી સદી’ માં નોકરી
  • એક વર્ષ સયાજીપુરામાં ગ્રામસેવા
  • ? – કાકાસાહેબ કાલેલકર અને સ્વામી આનંદના સંસર્ગથી ગાંધી આશ્રમમાં શિક્ષણ કાર્ય
  • ૧૯૧૯-૧૯૨૩  નવજીવનમાં સેવા
  • ૧૯૨૭ – બારડોલી સત્યાગ્રહમાં સક્રીય ભાગ
  • ૧૯૨૮થી – વેડછી (જિ,સુરત) ખાતે અદિવાસીઓની અને  ગ્રામ સેવા
  • વિભિન્ન સત્યાગ્રહોમાં નવ વર્ષ જેલમાં ગાળ્યા.
  • ૧૯૭૧-૭૮ ‘વટ વૃક્ષ’ માસિકનું સંચાલન

jd2

રચનાઓ

  • કવિતા – કૌશિકાખ્યાન( મહાભારતની એક કથા પરથી) , ગીતાગીતમંજરી, ગ્રામ ભજનમંડળી, ઈશ ઉપનિષદ, ગુરૂદેવનાં ગીતો
  • નાટિકાઓ – આંધળાનું ગાડું, પ્રહ્લાદ નાટક અને સહનવીરનાં ગીતો, ખેડૂતનો શિકારી અને મધ્યમસરની ચાલ
  • નિબંધ – આત્મરચના અથવા આશ્રમી કેળવણી,
  • જીવન ચરિત્ર –  ગાંધીજી (બાળકો માટે – ગુજરાતી, હિન્દી અને  અંગ્રેજીમાં), ખાદી ભક્ત ચુનીભાઈ
  • આત્મકથા – મારી જીવન કથા
  • બાળસાહિત્ય – ગાલ્લી મારી ઘરરર… જાય, ચાલણગાડી, ચણીબોર, પંખીડાં, રાયણ

સાભાર 

  • ગુજરાતી સાહિત્યકોશ

નારાયણ દેસાઈ, Narayan Desai


ND1– ગાંધીજી નો ‘બાબલો’ 

– ગાંધીજીની મૂળ શોધ સત્યની હતી. સત્ય એટલે સાચું બોલવું એટલી સાદી સમજમાંથી એ શોધ વધુ ને વધુ વિસ્તરતી અને વધુ ને વધુ ઊંડી ઊતરતી ગઈ. એનો બીજો તબક્કો આવ્યો સત્ય એટલે મન, વચન અને કર્મથી સત્ય; જેવું વિચારીએ તેવું બોલીએ અને જેવું બોલીએ તેવું જ કરીએ, ત્યાં સુધી તેઓ પહોંચ્યા. 

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર

વિકિપિડિયા પર

– શ્રી. રામ ગઢવીના બ્લોગ પર માહિતી

રીડ ગુજરાતી પર

તેમના વિચારો ‘ સર્વોદય પ્રેસ’ના બુલેટિન પર

———————————————————————-

ND10

ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા સર્જિત વિડિયો

ગાંધી કથા – ન્યુ જર્સી

ગાંધી કથા – સાદરા

——————

જન્મ

  • ૨૪, ડિસેમ્બર- ૧૯૨૪; વલસાડ

અવસાન

  • ૧૫, માર્ચ -૨૦૧૫, વેડછી

કુટુમ્બ

  • માતા-દુર્ગાબેન;  પિતા – મહાદેવભાઈ ( ગાંધીજીના સેક્રેટરી )

શિક્ષણ

  • ગાંધી આશ્રમમાં- આશ્રમના અંતેવાસીઓ પાસે

વ્યવસાય

  • આખું જીવન ‘ગાંધી વિચાર’ને સમર્પણ

This slideshow requires JavaScript.

તેમના વિશે વિશેષ

  • એક મહિનાની ઉમરથી ગાંધી આશ્રમમાં, ગાંધીજીની નજર હેઠળ ઉછર્યા હતા,અને ૨૩ વર્ષ આશ્રમમાં જ રહ્યા હતા. Peace Brigades International  સ્થાપવામાં સક્રીય ભાગ લીધો હતો.
  • દેશને સ્વતંત્રતા મળ્યા પછી,વિનોબા ભાવે અને જયપ્રકાશ નારાયણે શરૂ કરેલી ‘શાંતિ સેના’માં જોડાયા હતા.
  • જયપ્રકાશ નારાયણે સ્થાપેલ જનતા પક્ષમાં પણ ઘણું પ્રદાન કર્યું હતું.
  • સમ્પૂર્ણ ક્રાન્તિ વિદ્યાલય, વેડછીના સંચાલક
  • ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ
  • ૨૦૦૮ – ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
  • વિશ્વભરમાં ગાંધીકથાઓ કરી છે – ૬૦ ઉપર

રચનાઓ

(હિન્દી, ગુજરાતી અને અંગ્રેજીમાં  ૫૦ જેટલાં પુસ્તકો)

  • ચરિત્ર – પાવન પ્રસંગો, જયપ્રકાશ નારાયણ, મારું જીવન એ જ મારી વાણી, ભાગ ૧થી ૪ ( ગાંધી ચરિત્ર)
  • સર્જનાત્મક– ‘ગાંધી ક્યાંક હશે ભારતમાં’- ગીત સંવાદ મઢી કટાક્ષિકા
  • માહિતી/ સંકલન – સામ્યયોગી વિનોબા, ભુદાન આરોહણ, મા ધરતીને ખોળે, શાંતિસેના, સંત સેવતાં સુકૃત વાધે, સર્વોદય શું છે?, ગાંધીવિચારો જૂનવાણી થઈ ગયા છે?,અહિંસક પ્રતિકારની કહાણી, વેડછીનો વડલો
  • નાટક – કસ્તૂરબા
  • ઈતિહાસ/ રાજકારણ– સોનાર બાંગલા, લેનિન અને ભારત
  • અનુવાદો – માટીનો માનવી, રવિછબી
  • તેમનાં પ્રવચનો અને લેખોનો સંગ્રહ – ‘ઘણું જીવો ગુજરાતી’

સન્માન

  • ૧૯૯૨– ભારતની સાહિત્ય એકેડેમીનો એવોર્ડ
  • ૧૯૯૮ – યુનેસ્કોનો અહિંસા અને માટેનો એવોર્ડ
  • ૧૯૯૯ –રચનાત્મક પ્રવૃત્તિઓ માટેનો જમનાલાલ બજાજ એવોર્ડ
  • ૨૦૦૪ –  ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી એવોર્ડ
  • ૨૦૧૩ – ગુજરાતી વિશ્વકોશનો ‘સવ્યસાચી સારસ્વત પુરસ્કાર

સાભાર

  • ગુજરાતી સાહિત્યકોશ
  • વિકિપિડિયા
  • શ્રી. ઉત્તમ ગજ્જર

—————-

વિશેષ વાંચન…

પરિચયો

દલસુખ માલવણિયા, Dalsukh Malvania


Dalsukh-Malvania

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર 

પંડિત સુખલાલજીનો પરિચય

—————————————

જન્મ

  • ૨૨, જુલાઈ – ૧૯૧૦; સાયલા ( જિ. સુરેન્દ્રનગર)

કુટુમ્બ

  • માતા -?; પિતા – દલસુખભાઈ
  • પત્ની – ?; સંતાનો -?

શિક્ષણ

  • પ્રાથમિક શિક્ષણ- સાયલા
  • જયપુર, બ્યાવર વિ. સ્થળોએ જૈન ગુરૂકૂળોમાં રહી ‘જૈન વિશારદ’ અને ‘ન્યાયતીર્થ’ની પદવીઓ

વ્યવસાય

  • ૧૯૩૪ – સ્થાનકવાસી જૈનોના મુખપત્ર ‘જૈનપ્રકાશ’ માં
  • ૧૯૩૮ – બનારસ હિન્દુ યુનિ.માં ‘જૈન ચેર’ ધર્મના પ્રાધ્યાપક
  • ૧૯૫૯ – ૧૯૭૬  –  લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ માં નિયામક

તેમના વિશે વિશેષ

  • પ્રાથમિક શિક્ષણ પુરું થતાં પહેલાં જ પિતાનું અવસાન.
  • પંડિત બેચરદાસ દોશી પાસે સંસ્કૃત, પ્રાકૃત વ્યાકરણ અને વિવિધ ધર્મોનો તુલનાત્મક અભ્યાસ
  • ૧૯૩૨– શાંતિનિકેતન જઈ પાલી ભાષા અને બૌદ્ધ દર્શનનો અભ્યાસ; મુનિ શ્રી. જિનવિજયજી સાથે સમ્પર્ક
  • બનારસ હિન્દુ યુનિ.માં પંડિત સુખલાલજી માટે વાચક
  • બનારસ, મુંબાઈ, ઇન્દોર તથા ઉજ્જૈન યુનિ.માં પી. એચ.ડી. ્વિદ્યાર્થીઓના માર્ગદર્શક
  • ટોરોન્ટો- કેનેડા, બર્લિન- જર્મની, અને પેરિસ- ફ્રાન્સ યુનિ.ઓમાં મુલાકાતી અધ્યાપક
  • ૧૯૭૬ – ગુજરાતી સાહિત્ય પરિષદના પોરબંદર ખાતેના અધિવેશનમાં સંશોધન વિભાગના અધ્યક્ષ
  • ‘સંબોધિ’ ત્રૈમાસિકના સંપાદક
  • દર્શન શાસ્ત્રો ( ખાસ કરીને જૈન દર્શન) માં મહત્વનું પ્રદાન

રચનાઓ

  • સંશોધન – આત્મમીમાંસા, જૈન ધર્મચિંતન, પ્રભુશ્રી મહાવીર સ્વામીનો જીવન સંદેશ,
  • ચરિત્ર – ભગવાન મહાવીર, પંડિત સુખલાલજી
  • સંપાદનો – ન્યાયાવતાર કાર્તિક વૃત્તિ, પ્રમાણવાતિક, પ્રમાણ મીમાંસા, જ્ઞાનબિંદુ, તર્કભાષા,
  • અનુવાદો – સ્થાનાંગ સમવાયાંગ
  • English – Jain philosophy

સાભાર

  • ગુજરાતી સાહિત્યકોશ

જલન માતરી, Jalan Matari


Jalan‘મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની તો, હજુ કળ વળી નથી.’

અહીં વાંચો અને સાંભળો…

‘સમજદારીથી અળગા થઈ જવાનાં સૌ બહાનાં છે,
મને શંકા પડે છે કે દીવાના શું દીવાના છે ?’

બીજી રચનાઓ

તેમના વિશે એક સરસ લેખ


નામ

  • અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન

જન્મ

  • ૧, સપ્ટેમ્બર-૧૯૩૪; માતર (ખેડા જિ.)

અવસાન

  • ૨૫, જાન્યુઆરી – ૨૦૧૮

શિક્ષણ

  • ૧૯૫૩ – મેટ્રિક

વ્યવસાય

  • એસ.ટી. માં નોકરી

HPIM1057

jalan-matripicjalan matri.-001

અને ઘણા બધા વિડિયો અહીં …..

તેમના વિશે વિશેષ

  • ‘કુમાર’ માસિકમાં ગઝલકારોના જીવન અંગે પરિચય લેખો

દુ:ખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે,
હવે સદીઓ જશે ને કોઈ પયગમ્બર નહીં આવે.

 
છે મસ્તીખોર કિન્તુ દિલનો છે પથ્થર નહીં આવે,
સરિતાને કદી ઘર આંગણે સાગર નહીં આવે.
 
ચમનને આંખમાં લઈને નીકળશો જો ચમનમાંથી,
નહીં આવે નજરમાં જંગલો, પાધર નહીં આવે.
 
અનુભવ પરથી દુનિયાના, તું જો મળશે કયામતમાં,
તને જોઈ ધ્રુજારી આવશે, આદર નહીં આવે.
 
દુ:ખો આવ્યાં છે હમણાં તો ફક્ત બેચાર સંખ્યામાં,
ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે.
 
હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર, નહીં આવે.
 
આ બળવાખોર ગઝલો છોડ લખવાનું ‘જલન’ નહીંતર,
લખીને રાખજે અંજામ તુજ સુંદર નહીં આવે.
 
કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,
‘જલન’ની લાશ ઊંચકવા અહીં ઈશ્ર્વર નહીં આવે.

રચનાઓ

  • કવિતા – જલન
  • લેખ– ઊર્મિની ઓળખ( પરિચયાત્મક )

સાભાર

  • ગુજરાતી સાહિત્યકોશ

વિજયગુપ્ત મૌર્ય , Vijaygupta Maurya


Vijaygupta_Maurya

– તેમના પૌત્ર અને ‘સફારી’ના સંપાદક હર્ષલ પુષ્કર્ણા કહે છે, ‘દાદાજીને કોઈ પણ વિષયમાં ઊંડા ઊતરવાનું ગમતું હતું. તેઓ બધું જ વાંચતા. વાંચનની સ્વભાવગત ટેવ તેમના પુત્ર નગેન્દ્ર વિજય અને સરવાળે મારામાં વારસાગત ઉતરી છે.’

– જમવા બેસતા ત્યારે તેમને મજાકમાં કહેતો કે થોડી જગ્યા રાખજો બીજું ભોજન (૧૪ ગોળીઓ) પણ લેવાનું છે, પણ આવી માંદગી વચ્ચે તેમણે ક્યારેય લખવાનું બંધ કર્યું નહીં.’ – નાગેન્દ્ર વિજય

વિકિપિડીયા ઉપર

–  અહીંથી એમની પ્રખ્યાત સત્યકથા ‘જિંદગી જિંદગી’ ડાઉનલોડ કરો.

‘ દિવ્ય ભાસ્કર’માં પ્રકાશિત એક વિગતવાર અભ્યાસ લેખ 

તેમના પૌત્ર ‘હર્શલ’ નો એક સરસ લેખ

તેમની રચનાઓ વિશે

——————————————————

નામ

  • વાસુ વિજયશંકર મુરારજી

ઉપનામ

  • વિજયગુપ્ત મૌર્ય, ઈન્દ્રધનુ, કૌટિલ્ય, કૌશિક શર્મા, ચાણક્ય, બૃહસ્પતિ, મુક્તાનંદ, વિશ્વયાત્રી, હિમાચલ, વિજયતુંગ,  સોSહમ્‍

જન્મ

  • ૨૬, માર્ચ-૧૯૦૯, પોરબંદર

અવસાન

  • ૧૦,જુલાઈ- ૧૯૯૨,

કુટુમ્બ

  • માતા– મોતી બાઈ; પિતા– મુરારજી
  • પત્ની – વસંતલીલા; પુત્રો – નાગેન્દ્ર વિજય, ભારદ્વાજ, વિજય

શિક્ષણ

  • ૧૯૨૫ – મેટ્રિક, પોરબંદર
  • એડ્વોકેટ – મુંબાઈ યુનિવર્સીટી

વ્યવસાય

  • ૧૯૩૩-૩૭ – પોરબંદરમાં વકીલાત
  • ૧૯૩૭-૩૮ – પોરબંદર રાજ્યમાં દિવાની તથા ફોજદારી અદાલતોમાં ન્યાયાધીશ
  • જન્મભૂમિમાં પત્રકાર

Zindagi Zindagi

જિંદગી જિંદગી – એક રોમાંચક સત્યકથા

[ એ વિશે ટૂંકાણમાં અહીં વાંચો ]

તેમના વિશે વિશેષ

  • ૧૯૪૨ની આઝાદી લડતમાં નોકરીમાંથી રાજીનામું અને લડતમાં સક્રીય ભાગ
  • થોડોક વખત વકીલાત કરી
  • ૧૯૪૪થી – ‘જન્મભૂમિ’ના તંત્રી વિભાગમાં
  • બાળપણથી જ પ્રકૃતિનાં વિવિધ તત્વોનો અભ્યાસ કરવાનો શોખ
  • બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી અને પ્રકૃતિ મંડળના સભ્ય
  • ૧૭ વર્ષની ઉંમરે તેમણે બ્રિટન અને જર્મનીના નૌકાયુદ્ધ વિશે પ્રથમ લેખ લખ્યો હતો.
  • બાળકોને ઉપયોગી અનેક પુસ્તકો લખ્યાં
  • પ્રથમ પુસ્તક – ‘પ્રિન્સ બિસ્માર્ક’
  • ૧૯૭૩થી – નોકરી છોડી મરણ પર્યન્ત લેખન
  • -‘નવચેતન’ના પ્રત્યેક દિવાળી અંકમાં તેમની સમુદ્રકથા આવતી
  • ૧૯૭૦થી ૮૦ના ગાળામાં ચિત્રલેખાના ૩ લેખકો સૌથી વધુ પાવરફુલ હતા, તેમાંના એક એટલે વિજયગુપ્ત મૌર્ય.
  • ‘અખંડ આનંદ’ સામયિકમાં તેમની પ્રશ્ન-જવાબની ‘જ્ઞાન-ગોષ્ઠિ’ નામે કૉલમ ચાલતી હતી.
  • પાછલી અવસ્થામાં ગંભીર બિમારી, પાર્કિન્સન રોગના કારણે અવસાન

‘બિલાડી સ્વેચ્છાથી પાણીમાં પડે ખરી?’

‘બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી’ના જર્નલના ડિસેમ્બર ૧૯૪૨ના અંકમાં નદી તરી જતા વાઘનો ઉલ્લેખ છે. તે પરથી મને ભાદર નદીના ખારા પાણીને તરીને સામે પાર ગયેલા મનાતા એક બિલાડાનો બનાવ યાદ આવે છે.

બિલાડી અને વાઘ નિકટના સંબંધી છે અને ભીંજાવાનું પસંદ નથી કરતાં. મને તો વાઘ સાથે નહીં પણ બિલાડા સાથે જ પ્રસંગ પડ્યો છે!

અઢી-ત્રણ વર્ષ ઉપર ભાદરના મુખ ઉપર નવીબંદરમાં હું રહેતો ત્યારે મારું ઘર ચીડિયાખાનું જ હતું. એ સરકારી મકાનમાં બિલાડી ન આવે તે માટે હું ખાસ તકેદારી રાખતો, પરંતુ એક હ્યષ્ટપુષ્ટ બિલાડો મારા પક્ષીઓનો કલ્લોલ સાંભળી, ઘણી વાર તાડન પામ્યા છતાં, ઘરમાં દાખલ થવાની તષ્ણા દાબી શકતો નહીં.

ધર્મભાવના આડે ન આવી હોત તો કદાચ હું એ બિલાડાનો શિકાર કરી નાખત! પછી તો ‘સાપ મરે નહીં અને લાઠી ભાંગે નહીં’ એવો ઉપાય મેં શોધી કાઢ્યો. મેં એક યુક્તિ રચી. એક ટ્રંક ખાલી કરાવી તેમાં દૂધની વાટકી રાખી ટ્રંક ઉઘાડો રાખ્યો. બિલાડો ફળિયામાં દેખાયો ત્યારે હું ટ્રંકની બાજુમાં ખાટલા પર ઓઢીને સૂઈ ગયો.

બિલાડો ઘરમાં દાખલ થઈને ખૂબ સાવચેતી રાખ્યા પછી ટ્રંકમાં દાખલ થયો. તેનો દૂધ પીવાનો અવાજ સાંભળી મેં પાછળથી ટ્રંકનું ઢાંકણું હડસેલી બંધ કરી દીધું! મારી સફળ યુક્તિ પર ફિદા થઈ મેં ટ્રંક પટાવાળાને સ્વાધીન કરી દીધો અને પટાવાળો તેને ભાદરના સામે કાંઠે મૂકી આવ્યો.

એ નાના ગામમાં બધાએ મારી ચપળતા અને બુદ્ધિની તારીફ કરી! (મારા જેવા ‘મોટા’ માણસે આવું નકામું કામ કર્યા બદલ ખાનગીમાં મારી હાંસી કરી હોય તો તેની મને ખબર નથી!) 

પણ અફસોસ! બીજા દિવસે એ દુષ્ટ બિલાડો લાલસાભરી નજરે મારા આંગણામાં આવી ઊભો રહ્યો. તપાસ કરી તો ખબર પડી કે બિલાડો પાણી તરીને આવ્યો હોવો જોઈએ

રચનાઓ

  • ચરિત્ર – પ્રિન્સ બિસ્માર્ક
  • વિજ્ઞાન – પ્રકૃતિનાં લાડકવાયાં( ગુજરાતનાં પક્ષીઓ વિશે), કીમિયાગર કબીર ( કીટકો વિશે), અવકાશની યાત્રા, દરિયાની દોલત , પૃથ્વીદર્શન, ગાલાપાગોસ, ઝગમગતું ઝવેરાત
  • બાળવાર્તા – જંગલની કેડી,મોતનો સામનો, શિકાર અને શિકારી, શિકારીની તરાપ, કપિનાં પરાક્રમો, શેરખાન, હાથીના ટોળામાં,
  • સત્યકથા – જિંદગી જિંદગી, માણસ જેમ બોલીને સુપરસ્ટાર બનેલી એક હતી મેના
  • સંશોધન –  સરકસ જ્ઞાનકોષ, આ છે રશિયા

સાભાર 

  • ગુજરાતી શાહિત્યકોશ, દિવ્ય ભાસ્કર, વિકિપિડીયા

મહેબૂબ દેસાઈ – ડો. Mehboob Desai


– પ્રોફે. ડૉ.મહેબૂબ દેસાઈ લબ્ધ પ્રતિષ્ઠિત યુવા શોધકર્તા છે. એમને હું વર્ષોથી ઓળખું છું. એમના વિશે મને ઊંચો અભિપ્રાય છે. એમણે ઇતિહાસ તથા સાહિત્યના ક્ષેત્રોમાં સિદ્ધિ અને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. એમના ઇતિહાસ વિષયક ગ્રંથો ઇતિહાસ ક્ષત્રે ઘણા કિંમતી છે. એમાં એમની વિદ્વતા, અભ્યાસ નિષ્ઠા અને ઉદ્યમ પરાયણતા સુપેરે દ્રશ્યમાન થાય છે. એમના વિચારો ઘણા પરામાર્જીત છે. તથા ભારતીય સંસ્કૃતિ,સભ્યતા અને ચિંતનના ક્ષેત્રે એમનું વાંચન ઊંડું અને વિશાળ છે. ભારતીય સંસ્કૃતિની સાચી સમજના સંવર્ધનની મહત્વની રાષ્ટ્રીય સેવા એઓ બજાવી રહ્યા છે.એ મારે મન આનંદનો વિષય છે. આ ઉપરાંત એ ઓ ઉદારમતવાદી મુસ્લિમ રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ ધરાવે છે એ સરાહનીય છે.

કે.કા. શાસ્ત્રી 

તેમના બ્લોગ

– વર્ડપ્રેસ પર – ;  –  બ્લોગસ્પોટ પર – 

—————————————————-

સમ્પર્ક

  • કાર્યાલય –  ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
  • રહેઠાણ – ૩૦૧ ડી, રોયલ અકબર રેસિડન્સી, સરખેજ રોડ, અમદાવાદ – ૩૮૦ ૦૫૫
  • સમ્પર્ક
    • લેન્ડ લાઈન –  (૦૭૯) ૨૬૮૨ ૧૪૮૭
    • મોબાઈલ – ૯૮૨ ૫૧ ૧ ૪૮૪૮
    • ઈમેલ : mehboobudesai@gmail.com

જન્મ 

  • ૫ જાન્યુઆરી ૧૯૫૩; અમદાવાદ

કુટુમ્બ

  • પિતા – ઉસ્માનભાઈ હુસેનભાઈમાતા- હુરબાઈ
  • પત્ની – સાબેરા; પુત્ર – ઝાહિદ; પુત્રી– કરિશ્મા

અભ્યાસ

  • ૧૯૭૬- એમ. એ.
  • ૧૯૯૨ – પીએચ. ડી.(ઇતિહાસ)

વ્યવસાય

  • પ્રોફેસર અને અધ્યક્ષ, ઇતિહાસ અનુસ્નાતક ભવન, ભાવનગર વિશ્વ વિદ્યાલય,ભાવનગર
  • ૨૦૧૬ થી – પ્રોફેસર/ હેડ ઓફ ડિપા. –  ઈતિહાસ અને સંસ્કૃતિ – ગુજરાત વિદ્યાપીઠ

તેમના વિશે વિશેષ 

  • અનેક સેમિનારો–કોન્ફરન્સોમાં ૧૦૦ જેટલા શોધપત્રો રજુ કર્યા છે.
  • અનેક સેમિનારોમાં ચેરપર્સન તરીકે સેવા આપેલ છે.
  • ગુજરાતના મોટા ભાગના અગ્ર વર્તમાન પત્રો ફૂલછાબ,જય હિન્દ, સૌરાષ્ટ્ર સમાચાર, સમભાવ,અને દિવ્ય ભાસ્કરમા (રાહે રોશન) ઇતિહાસ અને ઇસ્લામની કોલમ લખી છે.
  • ઇન્ચાર્જ અધ્યક્ષ, સમાજકાર્ય વિભાગ, ભાવનગર વિશ્વ વિદ્યાલય,ભાવનગર
  • ચેરમેન, ઇતિહાસ અભ્યાસ સમિતિ, ભાવનગર વિશ્વ વિદ્યાલય,ભાવનગર
  • સભ્ય, એકેડમિક કાઉન્સિલ, ભાવનગર વિશ્વ વિદ્યાલય,ભાવનગર
  • નિયામક, ગાંધી વિચાર અભ્યાસ કેન્દ્ર , ભાવનગર વિશ્વ વિદ્યાલય,ભાવનગર
  • સંયોજક, પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમાં ઇન ટુરીઝમ, ભાવનગર વિશ્વ વિદ્યાલય,ભાવનગર
  • પ્રકાશન અધિકારી, ભાવનગર વિશ્વ વિદ્યાલય,ભાવનગર
  • ટ્રસ્ટી, દર્શક ઇતિહાસ નિધિ, વડોદરા
  • વિષય તજજ્ઞ, જાહેર સેવા આયોગ, ન્યુ દિલ્હી
  • સભ્ય, હરીઓમ આશ્રમ સર્વધર્મ પ્રકાશન સમિતિ, સરદાર પટેલ યુનિવર્સીટી, વલ્લભવિદ્યાનગર
  • સભ્ય, સંશોધન તજજ્ઞ સમિતિ, વીર અહીલ્યાબાઈ યુનિવર્સીટી, ભોપાલ
  • સભ્ય, સંશોધન તજજ્ઞ સમિતિ, સૌરાષ્ટ યુનિવર્સીટી, રાજકોટ
  • સંશોધક તજજ્ઞ, ભારતીય ઉચ્ચ સંશોધન સંસ્થાન, સિમલા
  • સભ્ય, ગુજરાત ઇતિહાસ પરિષદ, અમદાવાદ
  • સભ્ય, સૌરાષ્ટ્ર-કચ્છ ઇતિહાસ પરિષદ, જુનાગઢ.

રચનાઓ

  • ઈતિહાસ-મહેક, બેતાલીસમાં સૌરાષ્ટ્ર, સ્વાતંત્ર સંગ્રામમા અમરેલી, આવિષ્કાર,  ભાવનગર રાજ્ય પ્રજા પરિષદ  અને પ્રજાકીય લડતો,   હિન્દોસ્તાં હમારા,   ગુજરાતના સ્વાતંત્ર યુગનું આલેખન કરતા આધારભૂત ગ્રંથો,  આઝાદીના આશક મેઘાણી,  ગુજરાતના નવતર સત્યાગ્રહો,આઝાદીના પગરવ ,  ગુજરાતની સ્વાતંત્ર સાધના, સોરાષ્ટ્રની સ્વાતંત્ર સાધના, સરદાર પટેલ અને ભારતીય મુસ્લિમો, વિ-ચાર્ય (સંશોધન લેખો),  ભારતના ઈતિહાસની તવારીખ, ઇતિહાસ,વિચાર અને સંવેદના
  • જીવન ચરિત્રો – મુસ્લિમ મહાત્માઓ, સૂફી જાણ તો તેને રે કહીએ , ગાંધીજી,   રવિશંકર મહારાજ , આપણા જવાહર , અડીખમ સ્વાતંત્ર સૈનિક મોરારજી દેસાઈ  ,  ક્રાંતિકારી ભગતસિંહ

  • સામાજિક –  Islam and Non Violence,  Social Engagements of Intellectuals in Civil Society, મુસ્લિમ માનસ, મુસ્લિમ સમાજ: વ્યથા અને વિચાર
  • શિક્ષણ – પ્રૌઢ શિક્ષણ: સિધ્ધાંત અને વ્યવહાર , પ્રૌઢ શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ: યોજના અને સંચાલન
  • પ્રકીર્ણ –  નોખી માટીના નોખા માનવી, સ્નેહની સરવાણી,  સ્મૃતિવંદના, અલખને ઓટલે
  • પ્રવાસ – દો કદમ હમભી ચલે, સફર-એ-સાઉદી અરેબિયા, ગુજરાતમાં પ્રવાસન,  યાત્રા, પ્રવાસન: સિધ્ધાંત અને વ્યવહાર ( પ્રેસમાં )

સન્માન

  • ૨૦૧૨-  પ્રજાસત્તાક દિનની ઉજવણી, ભાવનગર મુકામે – મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યપાલ ડૉ. કમલા બેનીવાલાના હસ્તે સન્માન.
  • ગુજરાત સાહિત્ય અકાદમી – ૧૯૯૨ના શ્રેષ્ટ સંશોધક ગ્રન્થનું પ્રથમ પારિતોષિક
  • ૨૦૦૬- ગુજરાત રાજ્યના રાજ્યપાલ મા.નવલ કિશાર શર્મા દ્વારા સંશોધન અને કોમી સદભાવના અંગેના લેખો અને કાર્ય બદલ સન્માન
  •  ૨૦૧૦- દિવ્ય ભાસ્કર ગ્રુપ દ્વારા ભાવનગરના ૧૦૦ પાવર પીપલનું સન્માન
  • ૨૦૦૬- ગુજરાત જૈન યુવક સંઘ, અમદાવાદ દ્વારા ગુજરાતના સ્વાતંત્ર સંગ્રામ અંગે લખેલા ૧૮ ગ્રંથો માટે સન્માન
  • ૧૯૯૬- ગુજરાત મુસ્લિમ સમાજ દ્વારા  શૈક્ષણિક પ્રદાન બદલ સન્માન
  • ૨૦૦૨ – રાજસ્થાન સાહિત્ય સંગમ દ્વારા પંડિત સુંદરલાલ મિલેનિયમ એવોર્ડg
  • ૨૦૧૯ – કુમાર ચંદ્રક
  • મુસ્લિમ સમાજમાં શૈક્ષણિક કાર્ય બદલ સન્માન 
    • ૧૯૯૮- ખેડા
    • ૨૦૦૦ – કલોલ
    • ૨૦૦૫- અખિલ ભારતીય મેમણ સમાજ, મુંબઈ
    • મીરાં સચદે મેમોરીયલ સમિતિ, ભુજ દ્વારા સન્માન
  • ૧૯૯૬ – અમરેલી જીલ્લા સ્વાતંત્ર સમિતિ દ્વારા, અમરેલી જીલ્લાના સ્વાતંત્ર સંગ્રામ પર ઐતિહાસિક ગ્રંથના લેખન માટે સન્માન

ગોવિંદ જેઠાભાઈ રાવલ, Govind Jethabhai Raval


જીવનમંત્ર

  • સ–રસ, સ–ભર, આનંદમય જીવન જીવવું

સમ્પર્ક

  • વિશ્વમંગલમ્ – અનેરા,
    તા. હિમ્મતનગર, જિ. સાબરકાંઠા – 380 001
  • ફોન: (ઘર) 02772–239 283 ; મોબાઈલ : 94278 53583
  • ઈ–મેઈલ : govindbhairaval@gmail.com

———————————————————

ઉપનામ

  • ગોરા

જન્મ 

  • ૧૮ ઓક્ટોબર, ૧૯૩૧

કુટુમ્બ

  • માતા-અમૃતકુંવરી નિરક્ષર –1940માં અવસાન
  • પિતા : જેઠાલાલ અમથાલાલ રાવલ(અભ્યાસ ધોરણ આઠ; સ્વ–અભ્યાસથી સંસ્કૃતના જ્ઞાતા, કવિ,વાર્તાકાર, મહાભારતના કથાકાર, અને માણભટ્ટ
  • પત્ની-સુમતિ શાહ – સ્નાતક, ગુજરાત વિદ્યાપીઠ; ડી.બી.એડ્., રાજપીપળા; નિવૃત્ત આચાર્યા – સ્ત્રી અધ્યાપનમંદિર, અનેરા; મંત્રી – વિશ્વમંગલમ્, અનેરા
  • પુત્ર – અતુલ – મુદ્રણકળાના માહેર, જેક્સન, મિસિસિપી,અમેરિકા; ઈ–બુકની વેબસાઈટ : http://www.ekatrabooks.com/  બનાવી; વિદેશે વસવાટ છતાં ગુજરાતી ભાષાસેવામાં કર્મશીલ
  • પુત્રી – ઉર્વિ – આંખના નિષ્ણાત તબિબ, શાર્લોટ, નોર્થ કેરોલિના,અમેરિકા

અભ્યાસ

  • 1951 – એસ.એસ.સી.
  • 1954 – સ્નાતક, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
  • 1959 – ડી.બી.એડ્, રાજપીપળા

વ્યવસાય 

  • શિક્ષણ, સમાજ સેવા

તેમના વિશે વિશેષ

  • જગતના બધા અનર્થોનું મુળ, સાચા શિક્ષણનો અભાવ છે તેવી અંત:પ્રતીતિ થતાં વિશ્વમંગલમ્ –અનેરા અને વૃંદાવનનાં બે શિક્ષણસંકુલો સ્થાપી આજીવન ગાંધીજીની નઈ તાલીમના ધોરણે શિક્ષણકાર્ય કર્યું.
  • જે પ્રદેશમાં કન્યા શિક્ષણ શૂન્ય હતું ત્યાં આજે ગરીબની દીકરી પણ એસ.એસ.સી. થયા વિના રહેતી નથી. વિશ્વમંગલમ્ સંચાલિત પી.ટી.સી. કૉલેજમાંથી ૬૦૦૦ બહેનો પ્રાથમિક શાળાની શિક્ષિકા થઈ બહાર પડી.
  • સાબરકાંઠાનું એકે ગામ એવું નથી જેમાં અનેરાની તાલીમાર્થી બહેન શિક્ષિકા ન હોય. અનેરા પ્રદેશના દરેક ઘરમાંથી બબ્બે–ચાર–ચાર જણ પ્રાથમિક શિક્ષક છે.
  • પચાસ વરસ પહેલાંના આ અંધારિયા મુલકમાં ગાંધીની નઈતાલીમના શિક્ષણને પ્રતાપે દરેક કુટુમ્બ આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે ઊંચું જીવન ધોરણ જીવતું થયું છે.
  • પ્રમુખ, ગુજરાત નઈ તાલીમ સંઘ
  • પ્રમુખ, સ્નાતક સંઘ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
  • ચેરમેન, જિલ્લા શિક્ષણસમિતિ, સાબરકાંઠા
  • ટ્રસ્ટી, ગુજરાત લોકસમિતિ
  • સભ્ય, માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
  • સભ્ય, ગુજરાતી ભાષા વહીવટી સમિતિ
  • સભ્ય, પ્રાથમિક શિક્ષણ તપાસપંચ
  • સભ્ય, અખિલ ભારત લોકસમિતિ
  • સંચાલક, સર્વોદય યોજના, અનેરા
  • પ્રમુખ, આચાર્યકુલ, ગુજરાત
  • મંત્રી, રચના પ્રતિષ્ઠાન, અનેરા
  • પ્રમુખ, બુનિયાદી અધ્યાપન મંદિર મંડળ, ગુજરાત
  • ટ્રસ્ટી, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
  • પ્રમુખ, આદિવાસી સેવા સમિતિ, શામળાજી

સાહિત્ય–સર્જન :

  • ધાર્મિક – પાંચ અધ્યાય–વિનોબાજી, ગીતામૃત, શ્રીરામ, શ્રીકૃષ્ણ,जीवनम् –सत्य शोधनम्, ધર્મમિમાંસા
  • જીવન ચરિત્ર – બહુરત્ના વસુંધરા, મહાત્મા ગાંધી,  એક નામ જયપ્રકાશ,  માણભટ્ટ મહારાજ,આપણા બબલભાઈ
  • પ્રેરણાત્મક – શાંતિના પાઠ,સમ્પૂર્ણક્રાંતિ , સર્વોદય વિચાર,  સાત સોનેરી સુટેવો, છીંડું શોધતાં લાધી પોળ, પરિપ્રેક્ષ્ય, ઉડાન, એકવીસમી સદીમાં આપણે ક્યાં ?
  • શિક્ષણ – નઈતાલીમ પ્રયોગ–તત્ત્વદર્શન, साविद्या
  • પ્રકીર્ણ – ત્રિમુર્તિ, યુગપરુષ જીવન શિક્ષણ, અમૃતા, મને સાંભરે રે, સ્ત્રી, આલોક

સન્માન

  • દર્શક શિક્ષણ એવોર્ડ
  • આનર્ત એવોર્ડ
  • અંજારિયા એવોર્ડ

સાભાર

  • અક્ષરાંકન –  શ્રી. ઉત્તમ ગજ્જર

રઈશ મનિયાર, Dr. Raeesh Maniar


પન્નીને પહતાય તો કે’ટો ની.
વાહણ જો અથડાય તો કે’ટો ની.

દરિયો જ શાંત હોય એ પૂરતું નથી ‘રઈશ’,
ક્યારેક માત્ર નાવમાં ઉત્પાત હોય છે.

—-

હવાના હાટ પવનની દુકાન રાખે છે
અહીંના લોક વતનની દુકાન રાખે છે
કે હુલ્લડોની જે અફવા અહીં ઉડાવે છે
ગલીના નાકે કફનની દુકાન રાખે છે

તેમની રચનાઓનો   # મોટો ખજાનો

———————————————————–

સમ્પર્ક

  • ઈમેલ – amireesh@yahoo.com

જન્મ

  • ૧૯ , ઓગસ્ટ, ૧૯૬૬, કિલ્લા પારડી, જિ. વલસાડ

કુટુમ્બ

  • માતા– ? પિતા -?
  • પત્ની – ડો. અમી

અભ્યાસ

  • એમ.ડી., ડી.સી.એચ (બાળદર્દ, પેડિયાટ્રિક)

વ્યવસાય 

  • બાળ માનસશાસ્ત્રી

સાભાર – ‘લયસ્તરો’

Raeesh_Maniar

સરસ સંવાદક/ સંચાલક

 

તેમના વિશે વિશેષ

  • ડોક્ટર કવિ હોવા ઉપરાંત અનેક મુશાયરાઓ, કવિ સમ્મેલનો, સંગીતના કાર્યક્રમોના લોકપ્રિય સંચાલક
  • અખબારોમાં કટાર લેખન
  • ટીવી, રેડિયો પર કાર્યક્રમો આપ્યા છે.
  • અનેક વખત વિદેશમાં કાવ્યપઠનના કાર્યક્રમો
  • ‘ કૈફી આઝમી’ પુસ્તકનું વિમોચન અમિતાભ બચ્ચનના હસ્તે

તેમના વિચારો

  • ખ્યાતિની અભિલાષા એવો પોશાક છે જે જ્ઞાની પુરૂષો પણ છેલ્લે જ ઉતારે છે.
  • વિશ્વભરના માનવીઓમાં રહેલી એકરૂપતા નિહાળી, ધર્મ, સમ્પ્રદાય કે દેશ વચ્ચેના ભેદમાં માનવું નહીં.
  • માનવમાત્રની સમાનતાઓ સમજી…નાનાં મોટાં દરેકને સન્માન આપવું.
  • દરેકનું મન્તવ્ય સમજવું; એનો આદર કરવો.
  • દુનિયા જેવી છે, તેવી સ્વીકારવી. દરેક બાબતે ન્યાય તોળવો નહીં. આપણું જ ધારેલું થાય, તેવો આગ્રહ રાખવો નહીં.
  • જાતને સ્વીકારવી, જાતને ચાહતાં રહેવું.
  • પોતાની આવડતથી અનેકગણાં મોટાં સ્વપ્નાં જોવા નહીં.
  • આપણા ગુણો, વિશેષતાઓ પ્રકૃતિદત્ત હોય છે; એનું અભિમાન ન રાખવું.
  • આપણા ગુણ આપણા બાયોડેટામાં નહીં – આપણા કર્મમાં દેખાવા જોઈએ.

રચનાઓ 

  • કાવ્ય સંગ્રહો – કાફિયાનગર, શબ્દ મારા સ્વભાવમાં જ નથી, સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી, નિહાળતો જા, પન્નીએ પહતાય તો કેટો’ની ( હઝલો)
  • અનુવાદો – કૈફી આઝમી, જાવેદ અખ્તર, તરકસ, સાહિર લુધિયાનવી, આવો કે સ્વપ્ન વાવીએ કોઈ
  • જીવન ચરિત્ર – ‘મરીઝ’ અસ્તિત્વ અને વ્યક્તિત્વ
  • પિંગળ – ગઝલ- રૂપ અને રંગ
  • બાળ મનોવિજ્ઞાન – બાળઉછેરની બારાખડી, આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ? , તમે અને તમારું નિરોગી બાળક

સન્માન

  • ૨૦૦૦ – આઈ.એન.ટી. તરફથી ‘શયદા’ પુરસ્કાર – યુવા ગઝલકાર તરીકે
  • ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ
  • ૨૦૦૨ – ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પુરસ્કાર

સાભાર

%d bloggers like this: