ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: જીવન વિકાસ લેખક

મનસુખ સલ્લા, Mansukh Salla


માનવતાના કેળવણીકાર
અને
સમાજ ઉત્કર્ષના સાહિત્યકાર

મનુભાઈ પંચોળી ‘દર્શક’ કહેતા કે સાહિત્ય અને શિક્ષણ એ તો સમાજની બે આંખો છે. મનસુખભાઈએ સમાજની આ બન્ને આંખોની માવજત કરીને તે ને ‘દૃષ્ટિ’ આપવાનું સફળ કામ કર્યું છે.

રીડ ગુજરાતી પર તેમનો એક લેખ – પૂણ્યનું વાવેતર

જન્મ

૨, નવેમ્બર – ૧૯૪૨ ; ગામ – નેસડી, સાવરકુંડલાની નજીક , અમરેલી જિલ્લો

કુટુમ્બ

માતા– વિમળાબેન ; પિતા – મોહનલાલ
પત્ની – કલ્પનાબેન પુત્ર – નિશીથ; પુત્રીઓ – માધવી( વિનોબા આશ્રમ, ગોત્રીમાં પતિ સાથે વ્યવસ્થાપક ) , સ્વાતિ

શિક્ષણ

પ્રાથમિક / માધ્યમિક – સાત ધોરણ સુધી વતનમાં ; આગળનું ભણતર ખડસલી લોકશાળામાં
૧૯૬૩ – બી.એ. – લોકભારતી સણોસરા
૧૯૬૬ – એમ .એ., ગુજરાત વિદ્યાપીઠ

વ્યવસાય

૧૯૬૬ – આંબલામાં શિક્ષક
૧૯૬૭ – ૧૯૮૨ લોકભારતી, સણોસરામાં અધ્યાપક
૧૯૮૨ – ૨૦૦૩ – લોકભારતીમાં આચાર્ય

તેમના વિશે વિશેષ

  • પાંચ વર્ષના હતા ત્યારે પિતાનું નિધન થયું.
  • સોની પરિવારનાં માતાએ ખેતરમાં મજૂરી પણ કરી હતી. પણ પછી શિક્ષણ મેળવી સિવણકામ કરતાં અને બાલવાડીનાં શિક્ષિકા પણ બનેલાં  
  • બી.એ. અને એમ.એ. બન્નેમાં પ્રથમ વર્ગમાં પ્રથમ
  • શિક્ષક, આચાર્ય, ડીન, સાહિત્ય પરિષદના વહીવટી મંત્રી, સેનેટ, સિન્ડિકેટ કે એકેડેમિક કાઉન્સિલના સભ્ય, સાહિત્ય અકાદેમી, નવી દિલ્હીના ગર્વનિંગ બોડીના સભ્ય
  • તેમના અનેક વિદ્યાર્થીઓ દેશ-વિદેશમાં સમાજનિષ્ઠા સાથે સ્થાયી થયા છે.
  • ૨૦૦૩ થી – અમદાવાદના રામદેવનગરમાં નિવાસ
  • હાલ ગુજરાત કેળવણી પરિષદના સારથિ તરીકે તેઓ ખૂબ જ સુંદર કામ કરી રહ્યા છે.

રચનાઓ

  • હૈયે પગલાં તાજાં
  • માણસાઈની કેળવણી
  • અનુભવની એરણ પર
  • તુલસીનક્યારાના દીવા
  • ગાંધીઃ દુનિયાની નજરે

સન્માન

નર્મદ ચંદ્રક

સાભાર

શ્રી. રમેશ તન્ના – તેમની ફેસબુક દિવાલ પરથી
[ https://www.facebook.com/ramesh.tanna.5/posts/10157959236577893 ]

નાગેન્દ્ર વિજય, Nagendra Vijay


વિજ્ઞાનના પૂજારી

વિકિપિડિઆ પર
નાગેન્દ્ર વિજય ; સફારી મેગેઝિન ; યુ-ટ્યુબ ચેનલ

લેખક તરીકે નગેન્દ્રભાઇની મહાનતા એમની સરળતામાં રહેલી છે. હ્યુમન જેનોમ મેપિંગથી માંડીને એઇડ્સ જેવા અટપટા અને મહંમદ રફીથી મેક્સ પ્લાન્ક સુધીના વૈવિઘ્યપૂર્ણ વિષયો પર એમના જેટલી સરળતા અને અધિકારથી લખવાનું બીજા કોઇનું ગજું નથી.  –
નગેન્દ્રવિજયનાં પ્રકાશનો એટલે ૧૦૦ ટચની, ગેરન્ટેડ ગુણવત્તા.

–  ઉર્વીશ કોઠારી
[ તેમના બ્લોગ પર સરસ પરિચય ]

જન્મ

૧૫, ડિસેમ્બર – ૧૯૪૪ ; અમદાવાદ

કુટુમ્બ

માતા– વસંતલીલા ; પિતા – વિજયગુપ્ત ( એમનો પરિચય અહીં )
પત્ની – પુશ્કર્ણા, પુત્ર – હર્ષલ, વિશાલ વાસુ

શિક્ષણ

પ્રાથમિક / માધ્યમિક – ?
ઉચ્ચ – ?

વ્યવસાય

લેખક, પ્રકાશક

તેમના વિશે વિશેષ

  • ૧૪ વર્ષની ઊંમરે કલમ હાથમાં પકડી, 
  • અંગ્રેજીમાં ‘સફારી’ સામાયિકના તંત્રી
  • નાગેન્દ્ર વિજય સાયન્સ ફાઉન્ડેશનના પ્રમુખ
  • જન્મભૂમિ પ્રવાસી, વેણી, મુંબઇ સમાચાર, ગુજરાત મિત્ર, અભિયાન, શ્રીરંગ, ગુજરાત સમાચાર, સંદેશ- આ બધાં અખબારો-સામયિકોમાં કોલમ

રચનાઓ

  • General Knowledge Factfinder (જનરલ નોલેજ ફેક્ટફાઈન્ડર) (4 volumes)
  • Pastime Puzzles (પાસટાઈમ પઝલ્સ) (2 volumes)
  • Hydroponics (હાઇડ્રોપોનિક્સ)
  • Yuddh 71 (યુદ્ધ ૭૧)
  • Einstein and Relativity (આઇનસ્ટાઈન અને સાપેક્ષવાદ)
  • Vishwavigrahni yaadgar yuddhakathao (વિશ્વવિગ્રહની યાદગાર યુદ્ધકથાઓઃ volume 1 to 3)
  • Mathemagic (મેથેમેજિક)
  • Samaysar (સમયસર)
  • Safari Jokes (સફારી જોક્સ)
  • Vismaykarak Vigyan (વિસ્મયકારક વિજ્ઞાન)
  • Mosad na Jasusi missiono (મોસાદના જાસૂસી મિશનો)
  • Super quiz (સુપર ક્વિઝ)
  • Cosmos (કોસ્મોસ)
  • Aasan Angreji (આસાન અંગ્રેજી)
  • Jate banavo: Model vimaan (જાતે બનાવો: મોડેલ વિમાન volume 1-2)
  • Ek vakhat evu banyu (એક વખત એવું બન્યું…)
  • 20th Century: Aitihasic Sadini 50 ajod satyaghatnao (20th Century: ઐતિહાસિક સદીની ૫૦ અજોડ સત્યઘટનાઓ)
  • Prakriti ane Pranijagat (પ્રકૃતિ અને પ્રાણીજગત)

નગીનદાસ સંઘવી, Nagindas Sanghvi


“ હું તો મારા વિદ્યાર્થીઓના હાથે ટીચાઈ ટીચાઈને ઘડાયો છું.”
હુલામણું નામ – નગીનબાપા

ન્મ

૧૦, માર્ચ – ૧૯૨૦; ભાવનગર

અવસાન

૧૨, જુલાઈ- ૨૦૨૦; સુરત

કુટુંબ – ??

શિક્ષણ

એમ.એ.  ભાવનગર

વ્યવસાય

શિક્ષણ – ૧૯૫૧ – ૮૦, ભવ ન્સ કોલેજ , અંધેરી , રુપારેલ કોલેજ – માહીમ; મીઠીબાઈ કોલેજ, વિલે પાર્લે  મુંબઈ
સામાયિકોમાં કટાર લેખક

તેમની ચેનલ

https://www.youtube.com/channel/UCP5z9huJwsrMwtB1_rmwW9g/videos

તેમના વિશે વિશેષ

  • 1944માં ભણવાનું પૂરું કર્યું હતું. મુંબઈમાં ઍડ્વર્ટાઈઝિંગ કંપનીમાં મહિને 30 રૂપિયાના પગારે ટાઈપિસ્ટ તરીકે નોકરી શરૂ કરી હતી. એક-બે જગ્યાએ કામ કર્યા પછી ત્રણ દાયકા કરતાં વધુ સમય અધ્યાપન અને છેલ્લાં પચાસ વર્ષ કટારલેખન કરતાં હતા.
  • એક ઈન્સ્યોરન્સ કંપનીમાં કામ કર્યું હતું. વચ્ચે બે વાર મુંબઈથી ભાવનગર પાછા ગયા હતા.
  • ૧૯૫૦ ના વર્ષમાં મુંબઈની ભવન્સ કૉલેજમાં પ્રોફેસર બન્યા હતા. એ પછીનાં બત્રીસ વર્ષ મુંબઈની રૂપારેલ તથા મીઠીબાઈ કૉલેજમાં ભણાવ્યું હતું. તેઓ રાજકારણ અને ઈતિહાસના વિષય શીખવતા હતા.
  • તેઓ કૉલેજમાં ભણાવતા હતા ત્યારથી સમાચારપત્રોમાં લખવાનું શરૂ કર્યું હતું.  નિવૃત્તિ પછી પણ તેઓ લખતા રહ્યાં હતા. 1982માં મહિને 700 રૂપિયાનું પેન્શન મળતું હતું. પણ એમાં એમનું ઘર ચાલે એમ નહોતું એટલે લખવાનું કામ કરીને કમાતા હતા. આમ તેઓ અકસ્માતે લખતા રહ્યાં હતા.
  • મુંબઇની મીઠીબાઇ કૉલેજમાં પૉલિટીકલ સાયન્સના વડા તરીકે નિવૃત્ત થયા હતા. 
  • ૧૯૬૨ થી – ચિત્રલેખા અને બીજાં સામાયિકોમાં રાજકારણને લગતી નિયમિત કટારોમાં નીડર લેખન
  • રાજકીય પ્રવાહોની તલસ્પર્શી છણાવટ અને સાચા અર્થમાં અને તડ અને ફડ કરનારા
  • મૂળ રામાયણમાંથી ઘણી બધી એવી બાબતો તેમણે મૂકી કે જે કથા અને પાત્રો અંગેની રૂઢિગત માન્યતાઓને માફક ન આવી. લેખમાળા સામેનો વિરોધ હુલ્લડબાજી અને છાપાંની હોળી સુધી પહોચ્યો હતો. તેમની કોલમ આખરે એ બંધ થઈ, આક્ષેપોનો જવાબ આપવાનો લેખકનો હક્ક પણ તંત્રીસાહેબોએ નકારવો પડ્યો.  નોંધપાત્ર છે કે પછીના વર્ષે નગીનદાસે એ લેખમાળાને  ‘રામાયણની અંતરયાત્રા’ પુસ્તક તરીકે જાતે પ્રકાશિત કરવાની હિમ્મત દાખવી. ડૉ. આંબેડકરનાં ‘રિડલ ઑફ રામ’ લખાણની યાદ અપાવતાં આ પુસ્તકનાં પાનેપાને તલ:સ્પર્થી સંશોધન અને  સ્વતંત્ર ચિંતન દેખાય છે.
  • તેઓ આસ્તિક બિલકુલ ન હતા. ધર્મ એમના માટે અધ્યાત્મનો વિષય ન હતો. તેઓ માનતા કે ધર્મ વગર કોઈ સમાજ ટક્યો નથી અને ટકી શકે પણ નહીં. નગીનભાઈ પોતે જ કહે તા હતા, ધર્મ, વિજ્ઞાન, ઈતિહાસ, સમાજશાસ્ત્ર અને રાજકારણ વિશેનાં લખાણોએ એમને ઘણા આજીવન દુશ્મન આપ્યા છે તો પ્રગાઢ દોસ્તો પણ આપ્યા છે.

ચનાઓ

  • મહામાનવ કૃષ્ણ, ગીતા નવી નજરે, ગીતા વિમર્શ,  નરે ન્દ્ર મોદી – એક રાજકીય સફર, રામાયણની અંતરયાત્રા,
  • તડફડ શ્રેણી – ભારત, ધર્મ, ઈતિહાસ, જીવન, રાજનીતિ, સમાજ, સંસ્કૃતિ, વિશ્વ, સોંસરી વાત, નગીનદાસ સંઘવીનું  તડ ને ફડ
  • સંકલન – એમની વિવિધ કટારોના લેખોમાંથી સંકલન કરેલા આઠ  પુસ્તકોનો સેટ
  • ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં મળી અઢાર પુસ્તક અને 29 પરિચય પુસ્તિકાઓ. 

સન્માન

૨૦૧૮ – પદ્મશ્રી , ભારત સરકાર
વજુ કોટક સુવર્ણ ચંદ્રક

સંજય કોરિયા


———————————————————————————————————

સપર્ક

  • હરિકૃષ્ણ નગર-2, ગંગાભુવન વિસ્તાર, જસદણ, જિલ્લો રાજકોટ
  • Cell : 989 800 1982
  • ઈમેલ  –  sanjay.koriya@yahoo.com

જન્મ

કુટુંબ

શિક્ષણ

  • M.A., M.Ed., Ph.D.

વ્યવસાય

  • શિક્ષક – અજમેરા હાઈસ્કુલ, વિંછિયા

તેમનો બ્લોગ 

skoria_blog

આ ચિત્ર પર ક્લિક કરો.

દરેક શિક્ષકે આત્મસાત કરવા જેવી તેમની ઈ-બુક 

sk_eb

આ શિર્ષક પર ક્લિક કરો.

તેમના વિશે વિશેષ

  • લબ્ધપ્રતિષ્ઠિત સામયિકો, સાપ્તાહિકો, દૈનિકોમાં સામાજિક, શૈક્ષણિક અને પ્રેરણાત્મક લેખો પ્રકાશિત થયેલ છે.  તેમજ રાજ્ય અને નેશનલ કક્ષાના સેમિનારમાં આઠ રીસર્ચ  પેપર રજૂ કરેલ છે.
  • માનદ્ સહ-સંપાદક  : સંસ્કૃતિ દર્શન સામયિક – માણાવદર
  • તંત્રી –  શિક્ષણસેતુ ઈ-મેગઝિન – જસદણ
  • ત્રણેક પુસ્તકો પ્રકાશન હેઠળ છે.
  • સદસ્ય –  ગુજરાતી લેખક મંડળ – અમદાવાદ, સમન્વય શિક્ષણ અભિયાન – ભાવનગર, અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ – વડોદરા;  ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ  – અમદાવાદ
  • પ્રજાપતિ જ્ઞાતિના ઉત્કર્ષ માટે નોંધ પાત્ર કામગીરી; તે માટે જ્ઞાતિની ઘણી સંસ્થાઓ દ્વારા એવોર્ડ અપાયા છે.

રચનાઓ

  • ચરિત્ર – પ્રજાપતિ સાહિત્યિક પ્રતિભાઓ
  • પ્રેરણાત્મક – શ્રેષ્ઠ પ્રેરક પ્રસંગો, સેલ્ફ મેનેજમેન્ટ, શ્રેષ્ઠ પ્રેરક વિચારબિંદુઓ
  • ચિંતન – મૂલ્ય શિક્ષણ

સન્માન 

  • ફેબ્રુઆરી – ૨૦૧૮ –  G.C.E.R.T.–ગાંધીનગર દ્વારા ઇનોવેટિવ શિક્ષકનો એવોર્ડ
  • જુલાઈ – ૨૦૧૮ –  સાંદિપની વિદ્યાનિકેતન દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ
  • જુલાઈ – ૨૦૧૮ – તેજસ્વિતા સન્માન,  શ્રી સહજાનંદ સંસ્કાર ધામ – ફરેણી

નાનુભાઈ નાયક, Nanubhai Naik


NN1‘સુરતના નગરબાપા’ – શ્રી. ભગવતીકુમાર શર્મા

———————————————————————

સમ્પર્ક

જન્મ

  • ૧૦, મે – ૧૯૨૭, ભાંડુત, તા. ઓલપાડ, જિ. સૂરત

અવસાન

  • ૧૭, મે – ૨૦૧૮, સુરત

કુટુમ્બ

  • માતા – ? ; પિતા – ?
  • પત્ની – ?; પુત્રો – જનક, કિરીટ

શિક્ષણ

  • મેટ્રિક

વ્યવસાય

  • સાહિત્ય પ્રકાશન, લેખન, સામાજિક કાર્યકર

nn2

તેમના વિશે વિશેષ

  • મેટ્રિક થયા પછી છ મહિના મુંબાઈની સિદ્ધાર્થ કોલેજમાં અભ્યાસ શરૂ કરી છોડી દીધો અને શબ્દ રચના હરિફાઈઓ યોજવા લાગ્યા.
  • દોઢ વર્ષ ‘નવસારી સમાચાર’ના તંત્રીપદે
  • સંદેશ, પ્રતાપ, નૂતન ભારત, ચેત મછેન્દર વિ. દૈનિક/ સામાયિકોમાં કટાર લેખન , ૨૦૦થી વધારે વાર્તાઓ અને લેખો છપાયા છે.
  • ‘જનસત્તા’માં ‘સબરસ’ શ્રેણી હેઠળ બાળકો માટેની વાર્તાઓ
  • સુરતની નર્મદ સાહિત્ય સભાના પ્રમુખ – હાલમાં તેના  ઉપપ્રમુખ
  • સુરતની ‘સાર્વજનિક શિક્ષણ સંસ્થા’ના મેનેજિંગ ટ્રસ્ટી
  • સુરત પ્રેસ માલિક મંડળના પ્રમુખ
  • ગુજરાત પ્રિન્ટર ફાઉન્ડેશનના સ્થાપક. એક વખત તેના પ્રમુખ પણ હતા.
  • ‘ ચતુરનો ચોતરો’ અને એવા બીજા  સાહિત્ય સમ્મેલનોનું આયોજન.
  • ‘નાની છીપવાડ’ -સુરત ખાતે હાથથી કમ્પોઝ કરાતાં પુસ્તકો છાપવાના પ્રેસથી શરૂઆત કરીને બે પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થાઓના માલિક  –  જે માત્ર પ્રકાશન કરતી વેપારી સંસ્થા નહીં પણ સાહિત્ય, સંસ્કૃતિ અને સામાજિક ફેરફારો માટેની લોકમાન્ય પીઠિકા બની રહી છે.
  • ‘સાહિત્ય સંગમ’ વિશે એક સંશોધન લેખ શ્રીમતિ શાંભવી પંડ્યાએ તૈયાર કરેલો છે.
  • સુરતની ‘સાહિત્ય સંગમ’ સસ્થામાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને મરાઠી પ્રકાશનો પ્રસિદ્ધ કરવામાં આવે છે. તેના મુખ્ય મથક ‘સંસ્કાર ભવન’માં દર મહિને પાંચ થી છ સાહિત્ય અને કળાને લગતા કાર્યક્રમો યોજવામાં આવે છે.
  • ટીવીના વધતા જતા પ્રભાવ સામે વાંચન રસ કેળવાય તે માટે સસ્તી ચોપડીઓ પ્રજાને મળી રહે , તે માટે સતત કાર્યરત. ‘ગ્રંથ યાત્રા’ યોજના હેઠળ માત્ર ૫૪૫ ₹ માં દર વર્ષે ૨૩ પુસ્તકોનું વિતરણ એ આનો આંખે ઊડીને વળગે તેવો દાખલો છે.
  • તેમની પ્રારંભિક રચનાઓ  ‘પ્રાણ જાગો રે!’ અને ‘નારી નરનું રમકડું’ બહુ જ લોકપ્રિય બનેલી છે.
  • બંધારણીય સુધારણાઓ માટે તેમણે સૂચવેલા સુધારાઓમાંથી ૧૫ સ્વીકારવામાં આવ્યા છે.
  • તેમના જીવન અને દર્શનના નિચોડ જેવું પુસ્તક ‘ -‘The World of My Dream’ તેમનું શ્રેષ્ઠ સર્જન છે.

રસના વિષયો

  • સાહિત્ય, રાજકારણ, પત્રકારિત્વ, ખેતી, વાંચનનો પ્રસાર

The World of my dream-Front-Eng

રચનાઓ

સાભાર 

  • શ્રીમતિ મૌલિકા દેરાસરી

જય વસાવડા, Jay Vasavada


jv1…આ છે જીવનની યાત્રા. આ છે યુવાચેતનાની વાત. જીવનને તમે સરસ રીતે મૂકી શકો એ જ સાહિત્ય. એટલે જ મને ગમતી બહુ મજાની બે પંક્તિઓ કહીને મારી વાત પૂરી કરું છું :

જ્યારથી જણ કશાકની શોધમાં છે,
ત્યારથી આખું જગત વિરોધમાં છે.

યુવાનીની ચેતના લઈને ચાલવાનો અને લોકપ્રિયતાની મશાલ હાથમાં પકડવાનો આ શ્રાપ છે. હવે બીજી જે પંક્તિ છે એ આખેઆખી વાતને summing up કરે છે :

આમ જુઓ તો ડાહ્યા ડમરા, આમ જુઓ તો જિદ્દી
સૌ પીવે છે અદ્ધરથી, અમે જિંદગી મોઢે માંડી પીધી.

વિકિપિડિયા પર  ગુજરાતી, અંગ્રેજી

તેમના  બ્લોગ પર સ્વ-પરિચય

ફેસબુક પર  ;   ટ્વીટર પર


jv2

jv5

તેમના બ્લોગ પર ઢગલાબંધ લેખ અને તેનાથી વધારે મોટા ઢગલાબંધ પ્રતિભાવો વાંચવા અહીં ક્લિક કરો.

જન્મ

  • ૬, ઓક્ટોબર – ૧૯૭૩, ગોંડળ, જિ. રાજકોટ

કુટુમ્બ

  • માતા – જયશ્રી; પિતા – લલિત
  • પત્ની – ? ; સંતાન – ?

શિક્ષણ

  • પ્રાથમિક – ઘેર
  • માધ્યમિક – સ્વામીનારાયણ ગુરૂકૂળ, ગોંડળ
  • કોલેજ – ૧૯૯૩ – ગોંડળ કોમર્સ કોલેજમાંથી બી.કોમ.

વ્યવસાય

  • ત્રણ વર્ષ – રાજકોટ યુનિ. ની કોમર્સ કોલેજમાં માર્કેટિંગ વિષયના વ્યાખ્યાતા, પછી ત્યાં જ પ્રિન્સિપાલ

જીવનમાં સફળતા કેવી રીતે મેળવશો? – વિડિયો

ઢગલાબંધ વિડિયો

તેમના વિશે વિશેષ

  • પિતા ગોંડળની કોલેજમાં ગુજરાતીના પ્રોફેસર હતા, અને માતા જૂનાગઢ અધ્યાપન મંદિરમાં મેટ્રન. તેમનો જન્મ થતાં માતાએ નોકરી છોડી દીધી અને તેમના પ્રાથમિક કક્ષાના શિક્ષણની જવાબદારી નિષ્ઠાપૂર્વક સંભાળી.
  • સ્વામીનારાયણ ગુરૂકુળમાં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં નાપાસ થતાં જીવનમાં વળાંક આવ્યો અને કોમર્સ લાઈન તરફ વળ્યા.
  • રાજકોટનાં દૈનિકોમાં લેખ લખવા સાથે લેખક તરીકેની કારકિર્દીની શરૂઆત. પછી ગુજરાત સમાચારમાં નિયમિત કોલમ ( ‘અનાવૃત્ત’ અને  ‘સ્પેક્ટ્રોમિટર’ ) લખવાથી વધારે પ્રકાશમાં આવ્યા.
  • ૨૦૦૮થી –  ‘અભિયાન’માં નિયમિત લેખ ‘રંગત સંગત’ શિર્ષક હેઠળ
  • મુંબાઈના Mid Day, અનોખી અને આરપાર સામાયિકોમાં અવાર નવાર લેખ
  • પ્રિન્ટ મિડિયામાં  ૧૬૦૦ થી વધારે લેખ
  • તેમના પ્રેરક પુસ્તક ‘જય હો’ અને JSK ( જય શ્રી કૃષ્ણ ) ની ૧૦,૦૦૦ નકલો એક જ વર્ષમાં વેચાઈ ગઈ હતી.
  • પ્રખર વક્તા –  ગુજરાતમાં  ઠેર ઠેર, અનેક વિષયો પર અભ્યાસ પૂર્ણ અને પ્રેરક વ્યાખ્યાનો આપેલાં છે.
  • ETV, Gujarat પર Celebrity show ‘સંવાદ’ ના હોસ્ટ તરીકે લોકપ્રિય કામગીરી( ૨૨૫ શો )
  • રાજકોટ રેડિયો પરથી ‘સિનેમા સીઝલર્સ’ નું પ્રસારણ
  • ‘સહારા ટીવી’ ના બોમન ઈરાની દ્વારા સંચાલિત ‘બોલીવુડકા બોસ’ની કસોટીમાં (quiz show) ફાઈનલ સુધી પહોંચેલા.
  • ગુજરાતી ફિલ્મ ‘બે યાર’માં પાર્શ્વભૂમિકા
  • સોશિયલ મિડિયામાં ૭૫,૦૦૦ થી વધારે ચાહકો , યુવા વર્ગના માનીતા લેખક
  • અમેરિકન સરકારના આમંત્રણથી મિડિયા ટ્રીપ
  • જર્મની, સિંગાપુર, થાઈલેન્ડ, દુબાઈ, યુકે, ઈટાલી, બેલ્જિયમ, સ્વિટ્ઝરલેન્ડ વિ. દેશોમાં વ્યાખ્યાન પ્રવાસો
  • મુરારીબાપુના ‘અસ્મિતા પર્વ’ અને વડા પ્રધાન શ્રી. નરેન્દ્ર મોદીની જીવન કથાના વિમોચનમાં અભ્યાસપૂર્ણ પ્રવચનો.

jv3.jpg

jv4

રચનાઓ

કટાર/કોલમ

નામ સમાચાર પત્ર/સામાયિક નોંધ/વાર
અનાવૃત ગુજરાત સમાચાર બુધવાર
સ્પેક્ટ્રોમીટર ગુજરાત સમાચાર રવિવાર
મિડ-ડે, મુંબઈ સામાન્ય જ્ઞાન વિશેની કોલમ
રંગત-સંગત
મોનિટર
તરબતર
ટાઈમ્સ ઓફ ઇન્ડિયા
સમકાલીન
મુંબઇ સમાચાર
ચિત્રલેખા
અનોખી
આરપાર
ગુજરાત ગુજરાત સરકારનું માસિક
હોટલાઈન

પુસ્તકો

પુસ્તક પ્રકાશન વર્ષ પ્રકાશક
યુવા હવા
માહિતી અને મનોરંજન
સાહિત્ય અને સિનેમા
આહ હિન્દુસ્તાન, ઓહ હિન્દુસ્તાન
પ્રીત કિયે સુખ હોય… ૨૦૧૦ નવભારત સાહિત્ય મંદિર
સાયન્સ સમંદર
નોલેજ નગરિયા
જી. કે. જંગલ
જય હો[૧૦] ૨૦૧૨ રિમઝિમ ક્રિએશન
JSK – જય શ્રી કૃષ્ણ
Life@Kite
વેકેશન સ્ટેશન ૨૦૧૫
મમ્મી પપ્પા ૨૦૧૬

સાભાર

  • વિકિપિડિયા
  • તેમનો બ્લોગ

જનક નાયક, Janak Naik


Janak Naik


jn8

તેમના બ્લોગ પર અહીં ક્લિક કરીને પહોંચી જાઓ

js

આ ચિત્ર પર ક્લિક કરી તેમની યાદમાં યોજાયેલ સ્મૃતિ સમારોહનો અહેવાલ વાંચો.

જન્મ

  • ૧૩, ઓગસ્ટ – ૧૯૫૪, મુંબાઈ

અવસાન

  • ૧૬, એપ્રિલ – ૨૦૧૭, સુરત

કુટુમ્બ

  • માતા -રેખાબહેન  , પિતા – નાનુભાઈ
  • પત્ની – જયશ્રી , પુત્ર – ચિંતન , પુત્રી – દુર્વા

શિક્ષણ

  • બી.કોમ, એમ.એ., NDHSC ( Naturopathy)

વ્યવસાય

  • સાહિત્ય સંગમ’ પ્રકાશન સંસ્થા

તેમની યુ-ટ્યુબ ચેનલ

તેમના વિશે વિશેષ

  • નર્મદ સાહિત્ય સભાના મંત્રી, ‘સાહિત્ય સંગમ’હેઠળ અનેક કાર્યક્રમો યોજ્યા હતા.
  • ગુજરાતી સાહિત્ય પરિષદના વિકાસ મંત્રી
  • સંવેદન અને સુખી જીવન સામાયિકોના તંત્રી
  • બાળકોના વિકાસમાં અત્યંત ઋચિ. બાળકોને વાર્તાઓ કહેવી, તેમની પાસે કહેવડાવવી, લખાવવી, પ્રશ્નોત્તર કરવા, ચર્ચાઓ કરાવવી વિ.
  • પોતાની ષષ્ઠીપૂર્તિ વખતે ૬૦ શાળાઓમાં સાભિનય વાર્તાકથનના પ્રયોગો
  • ‘ગુજરાત મિત્ર’માં દર ગુરૂવારે ‘મનના મઝધારેથી’ કોલમના લેખક
  • તેમનાં પુસ્તકો કેવળ શબ્દ વિલાસ ન રહેતાં અનેક લોકોનાં જીવનને ઉન્નત બનાવતાં સાબિત થયાં છે.

jn5

રચનાઓ

jn7

તેમનાં પુસ્તકો – ‘પુસ્તક સાગર’ પર

jn1jn2jn3

સન્માન 

  • ૧૯૯૪ – નવચેતન ચન્દ્રક
  • ૧૯૯૮, ૨૦૦૨, ૨૦૦૭, ૨૦૦૮ – ગુજરાતી સાહિત્ય અકાદમીનો એવોર્ડ
  • ૨૦૦૧ – નંદ શંકર ચન્દ્રક
  • ૨૦૦૨ – સ્વ. સરોજ પાઠક સ્મૃતિ પારિતોષિક
  • ૨૦૦૨ – ટાગોર ઈન્ટરનેશનલ કલ્ચર અને લિટરેચરનો ગુજરાત એવોર્ડ
  • ૨૦૦૨ – ગીજુભાઈ બધેકા એવોર્ડ
  • ૨૦૧૨ – ધૂમકેતુ એવોર્ડ

સાભાર

  • શ્રી. નાનુભાઈ નાયક

જુગતરામ દવે, Jugatram Dave


jd1વેડછીનો વડલો

બૂડ્યો પંડિત પુષ્પિત ભાષા;
અલંકાર, ઝડ ઝમ્મક, પ્રાસા

તેમની એક રચના –  ‘ભાઈને હાથે માર’

એનું જીવનકાર્ય અખંડ તપો
અમ વચ્ચે બાપુ અમર રહો !

અંતરપટ આ અદીઠ,
અરેરે ! આડું અંતરપટ આ અદીઠ !

ગુજરાતના જુ.કાકા –  મીરાં ભટ્ટ

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર

વિકિપિડિયા પર

શ્રી જુગતરામ દવે આશ્રમશાળા યોજના – ગુજરાત સરકાર

———————————————-

જન્મ

  • ૧, સપ્ટેમ્બર – ૧૮૮૮, લખતર, જિ- સુરેન્દ્રનગર

અવસાન

  • ૧૪, માર્ચ – ૧૯૮૫, ગાંધી આશ્રમ, વેડછી

કુટુમ્બ

  • માતા – ? , પિતા – ચીમનલાલ
  • અપરિણિત

શિક્ષણ

  • પ્રાથમિક/ માધ્યમિક – વઢવાણ, ધ્રાંગધ્રા, મુંબાઈ

વ્યવસાય

  • શિક્ષણ, પત્રકારત્વ, લોકસેવા

તેમના વિશે વિશેષ

  • નોન મેટ્રિક પણ સાહિત્ય/ શિક્ષણ/ સેવા માં અદભૂત પ્રદાન
  • ૧૯૧૭ – મુંબાઈમાં ‘વીસમી સદી’ માં નોકરી
  • એક વર્ષ સયાજીપુરામાં ગ્રામસેવા
  • ? – કાકાસાહેબ કાલેલકર અને સ્વામી આનંદના સંસર્ગથી ગાંધી આશ્રમમાં શિક્ષણ કાર્ય
  • ૧૯૧૯-૧૯૨૩  નવજીવનમાં સેવા
  • ૧૯૨૭ – બારડોલી સત્યાગ્રહમાં સક્રીય ભાગ
  • ૧૯૨૮થી – વેડછી (જિ,સુરત) ખાતે અદિવાસીઓની અને  ગ્રામ સેવા
  • વિભિન્ન સત્યાગ્રહોમાં નવ વર્ષ જેલમાં ગાળ્યા.
  • ૧૯૭૧-૭૮ ‘વટ વૃક્ષ’ માસિકનું સંચાલન

jd2

રચનાઓ

  • કવિતા – કૌશિકાખ્યાન( મહાભારતની એક કથા પરથી) , ગીતાગીતમંજરી, ગ્રામ ભજનમંડળી, ઈશ ઉપનિષદ, ગુરૂદેવનાં ગીતો
  • નાટિકાઓ – આંધળાનું ગાડું, પ્રહ્લાદ નાટક અને સહનવીરનાં ગીતો, ખેડૂતનો શિકારી અને મધ્યમસરની ચાલ
  • નિબંધ – આત્મરચના અથવા આશ્રમી કેળવણી,
  • જીવન ચરિત્ર –  ગાંધીજી (બાળકો માટે – ગુજરાતી, હિન્દી અને  અંગ્રેજીમાં), ખાદી ભક્ત ચુનીભાઈ
  • આત્મકથા – મારી જીવન કથા
  • બાળસાહિત્ય – ગાલ્લી મારી ઘરરર… જાય, ચાલણગાડી, ચણીબોર, પંખીડાં, રાયણ

સાભાર 

  • ગુજરાતી સાહિત્યકોશ

કાકા કાલેલકર, Kaka Kalelkar


 

kaka_kalelkar.jpg # ‘હિમાલય નો પ્રવાસ’ ના અંગ્રેજી અનુવાદ – (અશોક મેઘાણી  ) વિશે

હિમાલયનો  પ્રવાસ ‘ – પુસ્તક પરિચય – શ્રીમતિ દીપલ પટેલ 

#  વિકિપિડિયા પર પરિચય

#  ગુજરાત વિદ્યાસભાની વેબ સાઈટ પર ઘણા બધા ફોટા

___________________________

નામ

  • દત્તાત્રેય કાલેલકર

જન્મતારીખ

  • ડિસેમ્બર 1, 1885

જન્મસ્થળ

  • સતારા (મહારાષ્ટ્ર)

અવસાન

  • 1981

માતા

  • રાધાબાઈ

પિતા

  • બાલકૃષ્ણ કાલેલકર

અભ્યાસ

  • મેટ્રિક (1903)

વ્યવસાય

  • દેશસેવા, કેળવણી

kaka_kalelkar

જીવન ઝરમર

  • પૂનામાં ફર્ગ્યુસન કોલેજમાં અભ્યાસ શરૂ કર્યો, પણ લોકમાન્ય ટિળકના પ્રભાવ નીચે રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં ઝંપલાવ્યું,
  • થોડો સમય બેલગામ તથા વડોદરામાં શિક્ષક,
  • 1913– સ્વામી આનંદ સાથે હિમાલય-પ્રવાસ
  • આચાર્ય કૃપલાની સાથે બ્રહ્મદેશ પ્રવાસ
  • 1915- ટાગોરના ‘શાંતિનિકેતન’ માં ગાંધીજીને મળ્યા, અમદાવાદના સત્યાગ્રહ આશ્રમ તથા ‘ગૂજરાત વિદ્યાપીઠ’ સાથે સંકળાયા
  • 1932 થી સતત દેશનો પ્રવાસ
  • 1960 – ગુજરાતી સાહિત્ય પરિષદના અમદાવાદ અધિવેશનના પ્રમુખ

પ્રદાન

  • 40 પુસ્તકો

મુખ્ય રચનાઓ

  • જીવનનો આનંદ, રખડવાનો આનંદ, જીવનલીલા, ઓતરાદી દીવાલો, હિમાલયનો પ્રવાસ, બ્રહ્મદેશનો પ્રવાસ, સ્મરણયાત્રા  વિ.

સન્માન

  • 1964- પદ્મવિભૂષણ, તેમના ફોટા વાળી ટપાલ ટિકીટ બહાર પડી છે.

કૃષ્ણકાંત ઉનડકટ, Krishankant Unadkat


Krishankant Unadkat–    ‘કોઈ જ પ્રોબ્લેમ હોતો નથી, છતાં માણસ મજામાં રહી શકતો નથી. દરેકના મનમાં કોઈ ને કોઈ ઉચાટ છે. આપણે બધા ફરિયાદોનાં ભારેખમ પોટલાં લઈને ફરતા રહીએ છીએ. પોટલું ખોલીને આપણે ફરિયાદને પંપાળતા રહીએ છીએ. ‘

– ‘ નસીબ, લક અને તકદીર એવાં હાથવગાં બહાનાં છે જેનો આપણે ફટ દઈને ઉપયોગ કરી લઈએ છીએ. આપણને સ્વીકાર્ય ન હોય એવું કંઈક બને કે તરત જ આપણે એવું કહી દઈએ છીએ કે મારાં નસીબ જ ખરાબ છે. ‘

– તેમનો બ્લોગ ‘ચિંતનની પળે’

શ્રી. પી.કે.દાવડાએ બનાવેલ સરસ પરિચય

————————————————

જન્મ

  • ૧૨, ઓગસ્ટ-૧૯૬૩; શાપુર; જિ. જૂનાગઢ

કુટુમ્બ

  • માતા– જશુબેન ; પિતા– રસિકલાલ
  • પત્ની – જ્યોતિ ; સંતાનો –

અભ્યાસ

  • બી.કોમ. ; એલ.એલ.બી – જૂનાગઢ
  • સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના એ. ડી. શેઠ પત્રકારિત્વ ભવનમાં જર્નલિઝમ ડીપ્લોમા
  • માસ્ટર ઇન જર્નલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશનની ડિગ્રીઓ

વ્યવસાય 

  • પત્રકાર
  • હાલ ‘સંદેશ’ માં તંત્રી

Krishankant Unadkat_1

 

        માર્ક ટ્વેઇન અને વિલિયમ ડીન હોવેલ્સ એક પ્રાર્થનાસભા પતાવીને બહાર નિકળ્યા. જોયું તો બહાર ધોધમાર વરસાદ વરસતો હતો. હોવેલ્સે અમસ્તા જ માર્ક ટ્વેઇનને પૂછયું, “શું લાગે છે, વરસાદ બંધ થશે? ”

       ” આજ સુધી તો કાયમ એવું જ બન્યું છે! ” – માર્ક ટ્વેઇને હસીને જવાબ આપ્યો.

       માર્ક ટ્વેઇનની વાતમાં જીવનનો મર્મ મળે છે. કશું જ પરમેનન્ટ નથી અને બધું જ સતત બદલતું રહેવાનું છે. સુખ અને દુ:ખનું પણ એવું જ છે. કોઇ વરસાદ કાયમ વરસતો નથી. એક સમયે તો વરસાદને અટકવાનું જ છે. ખરા બપોરે ગમે તેટલો તાપ હોય તો પણ સાંજે ટાઢક થવાની જ છે. સવાલ એટલો જ હોય છે કે માણસ સમયને બદલવાની રાહ જુએ.

 

એમના વિશે વિશેષ

  • ચાર ધોરણ સુધી અભ્યાસ ગામની શાળામાં જ. પાંચમા ધોરણથી નવમા ધોરણ સુધી – પોરબંદરમાં એમની જ્ઞાતિ દ્વારા ચલાવાતા લોહાણા બાલાશ્રમમાં રહીને. ૧૦મા થી ૧૨મા ધોરણ સુધીનો અભ્યાસ જુનાગઢમાં 
  • પિતા “શરૂઆત” નામના સાપ્તાહિકના માલિક હતા; એટલે કૃષ્ણકાંતને જર્નલિઝમમાં પહેલેથી રૂચિ હતી. 
  • IIM , ઈંદોરમાંથી પત્રકારિતા અંગેનો ખાસ કોર્સ પણ કર્યો છે.
  • જૂનાગઢ ખાતે ‘જનસત્તા’ દૈનિકથી કારકિર્દીની શરૂઆત
  • ગુજરાત સમાચાર, ચિત્રલેખા,દિવ્ય ભાસ્કર અને અભિયાનમાં વિવિધ પ્રકારની કામગીરી સંભાળી
  • છેલ્લા ત્રણ વર્ષથી સંદેશના તંત્રી.
  • જિંદગીની ઘટમાળને ફિલોસોફી સાથે સાંકળી અને લોકોને કંઈક શીખવા મળે એ રીતે તેમના શબ્દો વાચકના હ્રદય સુધી પહોંચે છે. સાંપ્રત પ્રવાહો અને રાજકારણને લગતાં લેખોમાં તેમની હથોટી અને બહોળો અનુભવ રીફ્લેક્ટ થયાં વગર નથી રહેતો.
  • દર રવિવારે સંદેશ દૈનિકની સંસ્કાર પૂર્તિમાં કૃષ્ણકાંત ઉનડકટની  ચિંતનની પળે કોલમ છેલ્લાં દસ વર્ષમાં એક મુકામ કાયમ કરી શકી છે. અનેક વાચકોને પોતાની જિદંગી વિશેની સમજ અને સહજતા આ લેખોમાંથી મળે છે.
  • દેશ અને દુનિયાનાં વિષયો આવરી લેતી દૂરબીન કોલમ દર સંદેશ દૈનિકમાં બુધવારની અર્ધ સાપ્તાહિક પૂર્તિમાં પ્રકાશિત થાય છે. આ ઉપરાંત દેશ અને દુનિયા રાજકારણને સ્પર્શતી તેમની એકસ્ટ્રા કોમેન્ટ કોલમ દરરોજ નિયમિત રીતે સંદેશના એડિટ પેઈજ ઉપર પ્રકાશિત થાય છે.
  • એમણે ઘણી જાણીતી સંસ્થાઓમાં પત્રકારિતા અને અન્ય વિષય ઉપર પ્રવચનો આપ્યા છે. આ અંગે એમણે સિંગાપોર, લંડન, સ્વીટ્ઝરલેન્ડ અને બાંગ્લાદેશનો પ્રવાસ પણ કર્યો છે.
  • પોતાનું પત્રકારિતાનું જ્ઞાન અન્ય લોકોને મળે એટલા માટે પત્રકારિતાની કોલેજોમાં પાર્ટ ટાઈમ લેકચરર તરીકે પણ સેવા આપે છે.

તેમનાં પત્ની જ્યોતિબેન

તેમનાં પત્ની જ્યોતિબેન

  • તેમનાં પત્ની જ્યોતિબહેન પણ પત્રકાર છે. મુંબઈ સમાચાર દૈનિકની ગુરુવારે પ્રસિદ્ધ થતી લાડકી પૂર્તિમાં તેઓ “તારે મન મારે મન” નામની કોલમ લખે છે. એમણે ૧૫ વર્ષ સુધી ચિત્રલેખા સાપ્તાહિકમાં સિનિયર રિપોર્ટર અને કોલમિસ્ટ તરીકે ફરજ બજાવી. છ મહિના માટે અભિયાન સાપ્તાહિકના ફીચર્સ એડિટર તરીકે કામ કર્યું છે. એ બાદ છ મહિના તેમણે સ્પાર્ક્ બ્રોડકાસ્ટિંગ પ્રાઈવેટ લિમિટેડના મોનિટર પખવાડિકમાં ફીચર્સ એડિટર તરીકે ફરજ બજાવી છે.

Ku_2 

રચનાઓ

  • ચિંતન – ચિંતનની પળે, ચિંતનને ચમકારે, ચિંતનને અજવાળે, ચિંતન @ ૨૪ x ૭; આમને-સામને

સાભાર

  • શ્રી. પી.કે.દાવડા
%d bloggers like this: