ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: ધાર્મિક લેખક

નિરંજન ભગત, Niranjan Bhagat


# “હું તો બસ ફરવા આવ્યો છું!
હું ક્યાં એકે કામ તમારું કરવા આવ્યો છું? “

રચનાઓ  ઃ ૧ ઃ ૨ ઃ ૩ ઃ

कविताकोश पर एक रचना

વિકિપિડિયા પર

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર

#  એક સરસ લેખ

તેમના અવસાન નિમિત્તે ‘નીરવ રવે’ પર  સરસ શ્રદ્ધાંજલિ

રીડ ગુજરાતી પર પરિચય

_______________________

nb70

chitralekha

આ મુખપૃષ્ઠ પર ‘ક્લિક’ કરી, ખાસ તૈયાર કરેલો પરિચય વાંચો…

nb66

નામ

  • નિરંજન નરહરિભાઇ ભગત

જન્મ

  • ૧૮ – મે , ૧૯૨૬  ; અમદાવાદ

અવસાન 

  • ૧, ફેબ્રુઆરી – ૨૦૧૮ ; અમદાવાદ

અભ્યાસ

  • એમ. એ.

વ્યવસાય

  • અધ્યાપન

જીવન ઝરમર

  • બંગાળી અને અંગ્રેજી કાવ્યોનું બહોળું વાંચન
  • ‘હાલતી ચાલતી વિદ્યાપીઠ’ જેવા કવિ
  • નગરજીવનનાં કાવ્યો એ સૌથી મોટું પ્રદાન
  • ઉત્તમ વક્તા
  • પરંપરિત હરિગીત અને ઝૂલણા છંદ તેમની વિશિષ્ટ મુદ્રા છે.
  • ‘પ્રવાલ દ્વીપ’ નો અંગ્રેજીમાં અનુવાદ થયો છે.

મુખ્ય રચનાઓ

  • કાવ્યસંગ્રહો – છંદોલય * , કિન્નરી, અલ્પવિરામ, 33 કાવ્યો, પ્રવાલ દ્વીપ , છંદોલય બૃહદ્ – સમગ્ર કવિતા
  • વિવેચન – કવિતાનું સંગીત, કવિતા કાનથી વાંચો, ન્હાનાલાલની ઊર્મિકવિતા, સ્વાધ્યાય લોક – અનેક ભાગ
  • અનુવાદ – ચિત્રાંગદા ( રવીન્દ્રનાથના નાટકનો ), ઓડનનાં કાવ્યો
  • સંપાદન – પ્રો. બ.ક.ઠાકોર અધ્યયન ગ્રંથ, મીરાંબાઇના કાવ્યો
  • ધાર્મિક – યંત્ર વિજ્ઞાન અને મંત્ર કવિતા
  • તંત્રી – ગ્રંથ, સાહિત્ય

સન્માન

  • ૧૯૬૯  – રણજિતરામ સુવર્ણચંદ્રક *
  • ૧૯૫૩ – ૫૭  – નર્મદચંદ્રક *
  • ૨૦૧૫  – કાવ્યમુદ્રા વિનોદ નિઓટિયા એવોર્ડ

સાભાર

‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન.

વલ્લભરામ વૈદ્ય , Vallabhram Vaidya


Vallabhram_1– પ્રખર આયુર્વેદાચાર્ય, સંશોધક, પંડિત, વિચારક, લેખક, ફિલસૂફ, સંગીતજ્ઞ

————————————————————-

નામ

  • વલ્લભરામ વિશ્વનાથ દવે

જન્મ

  • ૧૯૦૩? – ૧૯૦૪?;  થોરિયાળી-ધ્રોળ પાસે

અવસાન

  • ૧૯૮૬    અમદાવાદ

કુટુમ્બ

  • માતા – ? ; પિતા – વિશ્વનાથ
  • પત્ની – કાશીબેન; પુત્રો – રમાકાન્ત, રાધેકાન્ત, ચન્દ્રકાંત,  હરકાન્ત,  મણીન્દ્ર, જીતેન્દ્ર; પુત્રી – જ્યોતિ

અભ્યાસ

  • પ્રાથમિક  શિક્ષણઃ નોન-મેટ્રિક,પડધરી(રાજકોટ પાસે)
  • આયુર્વેદાચાર્ય (-  ?)
પત્ની - કાશીબેન

પત્ની – કાશીબેન

પિતા સાથે - યુવાનીમાં

પિતા સાથે – યુવાનીમાં

તેમના વિશે વિશેષ

  • એલોપથી,હોમિઓપથી,યુનાની વિગેરે અન્ય ચિકિત્સા પધ્ધતિઓના તુલનાત્મક અભ્યાસી
  • અંગ્રેજી સહિત અન્ય ભાષાઓમાં વનસ્પતિ શાસ્ત્ર ઉપર વાંચીને તેમાં પારંગત થયા
  • વનસ્પતિશાસ્ત્રી તરીકે વર્ષો સુધી હિમાલય અને અન્ય પ્રદેશોમાં ભ્રમણ કરીને વનસ્પતિઓનાં નમૂના એકઠા કર્યા.
  • નાની ઉમ્મરથી ઉત્તરકાશી-ગંગોત્રી નિવાસી સદગત સ્વામીશ્રી તપોવન મહારાજના શિષ્ય. પ્રતિ વર્ષ સ્વામીજી પાસે આધ્યાત્મિક અને દર્શનોના અને આયુર્વેદના અભ્યાસ માટે  હિમાલય જતાં. સ્વામીજીના ત્રણ શિષ્યોમાના કદાચ તેઓ સૌ પ્રથમ વૈદ્યરાજ થયાં.
  • તેમના સહાધ્યાયીઓમાં સ્વામિ ચિન્મયાનંદજી (ચિન્મય ટ્રુસ્ટ) અને સ્વામિ સુન્દરાનંદજી (જે પછી અજ્ઞાત રહ્યા છે.)
  • આશરે ૧૯૨૭-૧૯૨૮ ના સમયે વૈદ્યરાજે ચુપચાપ ગ્રહત્યાગ કરેલો અને તપોવનજી મહારાજ પાસે પૂર્વસંન્યાસ દીક્ષા લઈ,  ભગવા ધારણ કરીને જટાધારી બન્યા.પિતાને તેમની ભાળ દસ-બાર મહિને મળેલી.  તેમણે તપોવનજી મહારાજ પાસે જઈને ફરિયાદ કરી એટલે સ્વામીજીએ વૈદ્યરાજને ગ્રહસ્થાશ્રમમાં પાછા   ફરવાનો  આદેશ આપ્યો..
  • વિવિધ પત્ર-પત્રિકાઓમાં આયુર્વેદ વિષે લેખો
  • “સંદેશ” (અમદાવાદ)માં “આરોગ્ય અને દિર્ઘજીવન”ની લેખ માળા જે આગળજતાં પુસ્તક્ર રુપે પ્રસિધ્ધ થયેલી.
  • ગુરુદેવ સ્વામિ તપોવનજી માત્ર સંસ્ક્રુત ભાષામાં જ લખતા. વૈદ્યરાજે તેમના ઘણા પુસ્તકો અને ટીકાના હિન્દી અનુવાદપોતે લખેલી ટીકા સાથે પ્રકાશિત કર્યા. આજે પણ તે પુસ્તકો ચિન્મય ટ્રુસ્ટની  દેશ-વિદેશની  શાખાઓમાં  ઉપલધ્ધ છે.
  • ગુજરાત યુનિવર્સીટીમાં આયુર્વેદ કેકલ્ટી ની સ્થાપના માટે તેમના ભગીરથ પ્રયત્નો પછી તેમને સફળતા મળી.તેઓ આયુર્વેદ કેકલ્ટીના પ્રથમ ડીન અને યુનિવર્સિટીની સિન્ડીકેટના સદસ્ય થયા.તેમણે A.M.S  ડિગ્રી માટે નો અભ્યાસ ક્રમ ઘડ્યો જે આજે પણ ચાલુ છે.
  • તેમણે વનસ્પતિઓનો મોટો સંગ્રહ કરી, વૈજ્ઞાનિક ઢબે એક પ્રદર્શન તેમના સ્વ.માતુશ્રીના નામે તૈયાર કરીને આગળ જતાં કોઈ સંસ્થાને દાનમાં આપી દીધું
  • મહારાષ્ટ્રના આયુર્વેદ બોર્ડના સદસ્ય
  • ગુજરાતના અને સૌરાષ્ટ્ર ના ‘વૈદ્ય મંડળ’ના સદસ્ય
  • જામનગરની આયુર્વેદ કોલેજના પ્રિન્સીપાલ
  • ગુજરાત રાજ્યની સિન્ડિકેટના સદસ્ય.
  • ગુજરાત રાજ્યની આયુર્વેદ કેકલ્ટીના ચેરમેન
  • ગુજરાત પ્રદેશ વૈદ્ય મંડળનાં આજીવન સદસ્ય
  • રાષ્ટ્રીય કોંગ્રેસ અને ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈ ખાદી પહેરવાનું અને અસ્પ્રુશ્યોની સારવાર કરવાનું શરુ કર્યું.
  • બીજા વિશ્વયુધ્ધ વખતે ક્વિનાઈનની અછત લીધે મેલેરિયાનો ફેલાવો ચાલ્યો. વૈદ્યરાજે અનેક પ્રયોગો પછી “સર્પાશિની” નામની ઔષધ તૈયાર કરી અને અમદાવાદના ‘મજુર મહાજનને’ હજારો ગોળીઓ વિના મૂલ્યે મજુરો,કામદારો અને અન્ય જરૂરિયાતમંદોને વહેંચવા પહોંચાડી.
  • ભાવનગરની ‘શ્રી દક્ષિણામૂર્તિ સંસ્થા’ના સંચાલકો નાનાભાઈ ભટ્ટ, હરભાઈ ત્રિવેદી, ગિજુભાઈ બધેકા તેમના મિત્રો હતાં. ગિજુભાઈની પ્રેરણાથી તેમણે અંજારમાં મોન્ટેસોરી બાલમંદિર શરુ કરાવ્યું.પોતાના કુટુંબના બાળકોને પણ  ત્યાં અભ્યાસ  માટે મોકલ્યા.
  • શાસ્ત્રીય સંગીતના શોખને લીધે એક ઉસ્તાદ પાસે તબલા વાદનમાં નિપુણતા મેળવી.
  • પરિવારમાં પણ રોજ સવાર-સાંજ “આશ્રમ ભજનાવલી”માંથી ભજનો ગાવાની પ્રથા શરુ કરી.
  • તેમણે નાનાભાઈ ભટ્ટ પાસે ગાંધીજીને મળવાની ઈચ્છા વ્યક્ત કરેલી.ત્યારે વિજયાબેન પટેલ( ગાંધીજીએ તેમના  આશ્રમમાં પોતાની પુત્રી તરિકે રાખેલા તે) માંદા રહેતાં અને કોઈ વૈદ્ય કે ડોક્ટરના ઉપચારોથી નિરોગી નહી થઈ શક્યા. નાનાભાઈએ સુચન કર્યું કે, આ બેનને સાજા કરી દો તો તમને ગાંધીજી પાસે લઈ જશે. વિજયાબેન સારા થઈ ગયા એટલે તેમણે વૈદ્યરાજનો ગાંધીજી સાથે પરિચય કરાવ્યો.
  • ગાંધીજીની ઈચ્છા હતીકે “કસ્તુરબા ગાંધી તટ્ર્સ્ટ”ના આશ્રમે વૈદો તૈયાર કરીને ગામડે ગામડે પહોચાડવાં.તેઓને ત્રીસેક જેટલાં ઓસડિયાનુ જ્ઞાન હોય જે લોકોના ઉપચારો માટે વાપરી શકે. આ યોજના અનુસાર ઉમેદવારો  તેમના ઘેર તાલિમ લેવા આવતા.
  • આયુર્વેદિક દવાના વાવેતર માટે એક વાડી પણ શરુ કરી હતી.
  • કવિહ્રદય હોવાને કારણે તેમનાં ‘આરોગ્ય અને દીર્ઘજીવન’ પુસ્તકમાં અનેક સ્થળે નાની મોટી કંવિતાઓ-કટાક્ષ કાવ્યો.
  • સન ૧૯૨૩માં ૧૮ વર્ષની ઉમ્મરે સંસ્ક્રુતમાં ગજાનનસ્તોત્રં ની રચના

રચનાઓ

  • આરોગ્ય અને દીર્ઘ જીવન
  • આયુ આરોગ્ય કેસરી
  • શ્રી સૌમ્યકાશીસ્તોત્ર મૂલમ(તપોવન્જી લિખિત નો અનુવાદ)
  • શ્રી પાતંજલ યોગદર્શનં વ્યાસ ભાષ્ય સમેતં (સટીક હિંદી અનુવાદ)
  • શતરુદ્રીરીયં અશ્વમેધસહિતં-(સટીક ગુજરાતી અનુવાદ)
  • સ્વામિ તપોવનમ અન્ય ચાર કે પાંચ પુસ્તકો.
  • ગાંધીજી સાથે નો પત્ર વ્યહવાર Collected Works of Mahatma Gandhiમાં પ્રકાશિત થયો છે.

સાભાર

  • ડો.રાધેકાંત વલ્લભરામ દવે
  • ડો.કનક રાવળ

અખો


akho_1.jpg– “એક મૂરખને એવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ.”

– “અંધ સસરો ને શણગટ વહુ, કથા સુણવા ચાલ્યું સૌ.”

– ઓછું પાત્ર ને અદકું ભણ્યો; વઢકણી વહુએ દીકરો જણ્યો

મારકણો સાંઢ ચોમાસું માલ્યો; કરડકણો કૂતરો હડકવા હાલ્યો

મર્કટ ને વળી મદિરા પીએ; અખા એથી સૌ કોઈ બીએ

– અખાના છપ્પા

વિકિપિડિયા ઉપર

– ‘ વાચનયાત્રા’ ઉપર   ભાગ -૧ ;  ભાગ -૨ 

જીવન ઝલક –      ભાગ –  ૧ ;      ભાગ –  ૨

———————————————————

 નામ

  • અખો સોની

જન્મ

  • આશરે – 1600   ; જેતલપુર – અમદાવાદ  જિ.

અવસાન

  • આશરે – 1655 – અમદાવાદ

કુટુમ્બ

  • પિતા – રહીયાદાસ

વ્યવસાય

  • સોનીકામ

જીવન ઝરમર

  • બહેને સોનાની બાબતમાં અવિશ્વાસ પ્રગટ કરતાં જીવનમાં પરિવર્તન,
  • ‘અખા’ ના ચાબખા જેવા છપ્પા તેની વિશેષતા
  • ગુજરાતી ઉપરાંત હિંદી અને વ્રજભાષામાં રચનાઓ
  •  ખાડિયાની દેસાઇની પોળનું એક મકાન “અખાના ઓરડા” તરીકે ઓળખાય છે.

મુખ્ય રચનાઓ

  • ધાર્મિક– અખેગીતા, કૈવલ્યગીતા, સાખીઓ, કૃષ્ણ ઉધ્ધવ સંવાદ, પંચીકરણ, અનુભવ બિંદુ, ગુરૂ- શિષ્ય સંવાદ ,
  • સમાજ સુધાર – સામ્પ્રત સમાજ અને ધાર્મિક દંભ પર ચાબખા મારતા 750 જેટલા છપ્પા

સાભાર

  • ’આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ મ. શુકલ – પ્રવીણ પુસ્તક ભંડાર
  • ચિત્ર – સ્વ. રવિશંકર રાવળ

શ્રીમદ્ રાજચંદ્ર, Shrimad Rajchandra


Rajchandra_3

બાહ્ય ક્રિયામાં રાચતા, અંતરભેદ ન કાંઈ,
જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ આંઈ.

એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ
પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.

કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ
ભવે ખેદ પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ.

( આત્મ સિદ્ધિ શાસ્ત્ર – અહીં આખું વાંચો . )

તેમના જીવન વિશે વિસ્તૃત માહિતી

–   શ્રીમદ રામચન્દ્ર મીશન, ધરમપુર ની વેબ સાઈટ

–   વિકિપિડિયા પર

——————————————————–

મૂળ નામ

  1. લક્ષ્મીનંદન

જન્મ  

  • ૧૦, નવેમ્બર-  ૧૮૬૭ ( દેવ દિવાળી); વવાણિયા- જિ. મોરબી

અવસાન

  • ૧૯૦૧, રાજકોટ

કુટૃમ્બ

  • માતા– દેવબા; પિતા – રવજીભાઈ; ભાઈ – મનસુખ
  • પત્ની – ઝબકબેન; પુત્રો – છગનલાલ, રતિલાલ; પુત્રીઓ – જવલબેન, કાશીબેન

શિક્ષણ

  • પ્રાથમિક – સાત ધોરણ

Rajchandra_4

[  ગુજરાતીમાં તેમના જીવન વિશે  ]

તેમના વિશે વિશેષ

  • ચાર વર્ષની ઉમરે નામ બદલીને રાજચન્દ્ર રાખવામાં આવ્યું હતું.
  • પિતા વૈષ્ણવ હતા; અને માતા જૈન. આ બન્ને સંસ્કાર તેમને બાળપણથી જ મળ્યા હતા. બાળપણથી જ પ્રતિક્રમણ ( ક્ષમાયાચના) ની ઊંડી અસરનો અનુભવ થયો હતો.
  • સાત વર્ષની ઉમરે એક પરિચૈત વ્યક્તિ શ્રી. અમીચંદભાઈના અવસાન સમયે સ્મશાનમાં દેહને બળતો જોઈ; તેમને ગયા જન્મ વિશે જ્ઞાન થયું હતું અને  સહજ વિરક્તિભાવ પ્રગટ્યો હતો.
  • ભણવામાં અત્યંત તેજસ્વી હતા. શાળાનો સાત વર્ષનો અભ્યાસ માત્ર બે જ વર્ષમાં પુરો કર્યો હતો.
  • આઠ વર્ષની ઉમરે પહેલી કવિતા લખી હતી; અને સામાજિક બનાવો અંગે ઘણી કવિતાઓ લખી હતી- જે સ્થાનિક અખબારમાં પ્રગટ પણ થઈ હતી.
  • સ્ત્રી શિક્ષણની સુધારણા, બાળલગ્ન, પૈસાદારો દ્વારા થતો મૂડીનો દુર્વ્યય જેવા ગંભીર વિષયો પર લેખ લખ્યા.
  • પ્રાથમિક શિક્ષણ ( સાત ધોરણ) પુરું કરીને પિતાના ધંધામાં પરોવાયા હતા.
  • જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસ પણ કર્યો હતો; અને ૧૮ વર્ષની ઉમરે તો સચોટ ભવિષ્ય કથન કરી શકતા હતા.
  • 14 વર્ષની ઉંમરે સંસ્કૃત અને પ્રાકૃત ભાષા શીખી લીધી હતી અને પિતાની દુકાનમાં કામ કરતાં જૈન આગમ અને અન્ય ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો હતો.
  • 17 વર્ષની ઉંમરે તેમણે કોઈને આઠ જુદા જુદા કામ એક સાથે કરવાનો પ્રયોગ કરતા જોયા; જેને અષ્ટાવધાન કહે છે. એની પદ્ધતિ તેઓ શીખ્યા; અને  પછીના દિવસે તેઓએ બાર જાતના કામ એક સાથે કર્યા. તરત જ તેમની ધ્યાનની શક્તિ વધારતા ગયા અને ૧૦૦ અવધાન (ક્રિયાઓ) સફળતાપૂર્વક કરી બતાવ્યાં જે શતાવધાનના નામે ઓળખાય છે.
  • અસામાન્ય શક્તિ દર્શાવવા માટે યુરોપનું આમંત્રણ આવ્યું પણ તેમને તેનો અસ્વીકાર કર્યો
  • ૨૦ વર્ષની ઉમરે મુંબાઈમાં હીરાના ધંધામાં જોડાયા. ધંધાકીય સૂઝ અને ડહાપણને કારણે ઘણા ટૂંકા સમયમાં તેમનો ધંધો દેશ-પરદેશ સુધી વિકસ્યો.
  • ઈ.સ.1896 માં તેઓ ઉત્તરસંડાના જંગલોમાં, ઈડર અને કાવીઠામાં ઘણાં મહિનાઓ સુધી એકાંતમાં રહેતા. અને એક ટંક ભોજન જમતા, ખૂબ જ થોડી ઊંઘ લેતા. તેઓ તેમનો સમય ઊંડા ધ્યાનમાં પસાર કરતા. 28 વર્ષની ઉંમરે તેઓને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું.
  • 23 વર્ષની ઉંમરે શ્રીમદ્ રાજચંદ્રને સમ્યગ્દર્શન એટલે કે સાચી શ્રદ્ધા અથવા સહજ જ્ઞાનનો અનુભવ થયો.તેમના કોઈ આધ્યાત્મિક ગુરૂ ન હતા. સમગ્ર જાગૃતિ અંદરથી જ પ્રગટી હતી.
  • ૧૮૯૯ – ધંધામાંથી ૩૧ વર્ષની ઉમરે સંપૂર્ણ  નિવૃત્તિ
  • ગાંધીજી તેમના ઉપદેશોથી ઘણા પ્રભાવિત થયા હતા. અહિંસા માટેની આસ્થા   એનાથી પ્રગટી હતી. તેઓ શ્રીમદને પોતાના આધ્યાત્મિક માર્ગદર્શક માનતા હતા.
  • ઈચ્છા હોવા છતાં, સાંસારિક જવાબદારીઓને લીધી તેઓ દીક્ષા ગ્રહણ કરી શકેલા નહીં.
  • તેમની મહાનતાની તેમના જીવનકાળ દરમિયાન ખાસ નોંધ ન લેવાઈ. જૈન સમાજમાં શ્રીમદ્ બહુ પ્રિય ન હતા, કારણ કે તેમણે જૈન સમાજની સમજ અને હેતુરહિત ખોટી પ્રણાલીઓ વિશે ઉલ્લેખ કર્યો હતો. એમના મૃત્યુ બાદ એમની મહાનતાની પિછાણ લોકોને થઈ. 
  • તેમના અનુયાયીઓએ ધરમપુર ખાતે, તેમના ઉપદેશોના  પ્રસાર માટે સંસ્થા સ્થાપી છે.
  • સાબરમતી નજીક કોબા, અગાસ અને બીજા સ્થળોએ પણ તેમના ઉપદેશના પ્રસાર માટે આશ્રમો/ સંસ્થાઓ ચાલી રહ્યાં છે.

રચનાઓ

  • મોક્ષમાળા, ભાવના-બોધ, આત્મસિદ્ધિ શાસ્ત્ર, અપૂર્વ-અવસર
  • ઘણા જૈન દર્શનોનો અનુવાદ અને ટિપ્પણીઓ
  • જે શ્રીમદ્ રાજચંદ્રનું ‘વચનામૃત’ ( સમ્પૂર્ણ સાહિત્ય અને પત્રો)

સાભાર 

નારાયણ સ્વામી, Narayan Swami


Narayan-Swami

 “फकीरी में मजा जीसको, अमीरी क्या बेचारी हे”

શ્રી કેદાર સિંહજીના બ્લોગ ઉપર

તેમણે ગાયેલાં ભજનો ( ‘દાદીમાની પોટલી’ પર )

એક સરસ પરિચય લેખ (કેદારસિંહજી)

–  વિકિપિડિયા ઉપર 

——————————————————————————

મૂળ નામ

  • શક્તિદાન મહીદાન લાંગાવદરા

જન્મ

  • ૨૯, જુન- ૧૯૩૮; માંડવી
  • રહેઠાણ – રાજકોટ

કુટુમ્બ

  • માતા-?; પિતા- ?
  • પત્ની- ? સંતાનો -?

અવસાન

  • ૧૫, સપ્ટેમ્બર -૨૦૦૦

લક્ષ્મણ બારોટ સાથે

તેમના વિશે વિશેષ

  • ગુજરાતી ભજન નાં એક ખૂબ જ જાણીતા ગાયક કલાકાર
  • તેમનાં લોક ડાયરો અથવા સંતવાણી કાર્યક્રમો ભારત સહિત વિદેશોમાં થયા હતા.
  • દાસી જીવણ, મીરાં બાઈ, કબીરજી, ગંગાસતી અને નરસિંહ મહેતાનાં ભજનો સંભળાવીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
  • તેમણે સંસાર માંથી સન્યાસ લીધો હતો. શાપર (વેરાવળ)નાં પાટીયે આવેલ શ્રી પરબવાળા હનુમાન મંદીરે તેઓ થોડો સમય રહયા હતાં. જયાં તેઓ દર શનિવારે ભજન કરતા હતા.
  • તેમની સાથે વેરાવળ (શાપર)નાં મુળુભા(બચુભાઈ) તેમજ અન્ય સાથીદારો એ શરૂ કરેલ આ ક્રમ આજે પણ ચાલુ છે.
  • ત્યાર પછી તેઓ કચ્છ જિલ્લાનાં માંડવી ખાતે સ્થાપેલ આશ્રમમાં રહેતા હતા; જયાં બિમાર તથા અશક્ત ગાયોની સંભાળ માટે ગૌશાળા પણ સ્થાપેલ.
  • રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશને રાજકોટ શહેરમાં એક જાહેરમાર્ગનું નામ નારાયણ સ્વામી માર્ગ નામ આપેલ છે.

સાભાર

  • વિકિપિડિયા
  • શ્રી.અશોક દાસ
  • કેદારસિંહજી

ભજનો

દયાનંદ સરસ્વતી, Dayanand Saraswati


Dayanand_Swami– “સ્ત્રીઓને શિક્ષિત કરવાથી અને સુસંકૃત બનાવવાથી જ દેશની સાચી અને સંપૂર્ણ ઉન્નતિ થઈ શકશે.”

Main message – “Back to the Vedas” 

– “कृण्वन्तो विश्वं आर्यं”

તેમનાં વચનામૃત

‘ આર્યસમાજ’ના સ્થાપક
( આર્યસમાજ વિશે)

– દિવ્ય ચેતનાના સ્વામી દયાનંદ સરસ્વતી
( દિવ્ય ભાસ્કર માં લેખ )

‘સ્વર્ગારોહણ’ પર સરસ લેખ

વિકીપિડિયા ઉપર

Biography in English

‘મહર્ષિ દયાનંદ મારી નજરે’- શ્રી.ભાવેશ મેરજા દ્વારા અનુવાદિત સંપાદિત ઈ-બુક

Dayanand_Swami_4

——————————————

મૂળ નામ 

  • મુળશંકર તિવારી

જન્મ

  • ૧૨, ફેબ્રુઆરી – ૧૮૨૪, ટંકારા, મોરબી

અવસાન

  • ૩૦,ઓક્ટોબર- ૧૮૮૩; અજમેર, રાજસ્થાન

કુટુમ્બ

  • માતા– ? ; પિતા – કરશનદાસ

       મૂળશંકર નામના આ બાળકે શિવના મંદિરે જઇને નિશ્વય કર્યો કે મૂર્તિપૂજા કરવી નિરર્થક છે. હું એનો વિરોધ કરું છું.

    એક શિવરાત્રિએ પિતા મૂળશંકરને લઇને પૂજા કરવા માટે શિવમંદિરે લઇ ગયા. આખી રાત શિવપૂજા કરી, લાડુ ભોગ ચડાવ્યો. મૂળશંકર ધ્યાનથી શિવમંદિર અને શિવલિંગ તરફ જ જોતો રહ્યો. નિર્ભર થઇને શિવમંદિરમાં લિંગની સામે બેસી ગયો. જ્યારે તેણે જોયું કે ક્યાંથી ઉંદર આવ્યા અને શિવલિંગ ઉપર ચડાવેલો પ્રસાદ ખાઇ ગયા. આ ર્દશ્ય જોઇને મૂળશંકરના મનમાં વિચાર આવ્યો કે શિવજીની આ હાલત? મૂળશંકરને મૂર્તિપૂજાનો મોહભંગ થઇ ગયો. એમને દુ:ખ થયું અને વૈરાગ્ય જાગ્યો. એમને થોડા સમય માટેનો વૈરાગ્ય નહીં પરંતુ આખી જિંદગીનો વૈરાગ્ય આવી ગયો.

Dayanand_Swami_1

Dayanand_Swami_2

10 Principles* of the Arya Samaj

  1. God is the efficient cause of all true knowledge and all that is known through knowledge.

  2. God is existent, intelligent and blissful. He is formless, omniscient, just, merciful, unborn, endless, unchangeable, beginning-less, unequalled, the support of all, the master of all, omnipresent, immanent, un-aging, immortal, fearless, eternal and holy, and the maker of all. He alone is worthy of being worshiped.

  3. The Vedas are the scriptures of all true knowledge. It is the paramount duty of all Aryas to read them, teach them, recite them and to hear them being read.

  4. One should always be ready to accept truth and to renounce untruth.

  5. All acts should be performed in accordance with Dharma that is, after deliberating what is right and wrong.

  6. The prime object of the Arya Samaj is to do good to the world, that is, to promote physical, spiritual and social good of everyone.

  7. Our conduct towards all should be guided by love, righteousness and justice.

  8. We should dispel Avidya (ignorance) and promote Vidya (knowledge).

  9. No one should be content with promoting his/her good only; on the contrary, one should look for his/her good in promoting the good of all.

  10. One should regard oneself under restriction to follow the rules of society calculated to promote the well being of all, while in following the rules of individual welfare all should be free.

તેમના વિશે વિશેષ

  • ૧૮૪૬– બહેનના મૃત્યુ બાદ કિશોરાવસ્થામાં સત્યની ખોજમાં ઘરેથી નીકળી ગયા.
  • ગુરૂઓ – પરમહંસ પરમાનંદજી,  દંડી સ્વામી, સ્વામી વિરાજાનંદ
  • દંડી સ્વામીએ દીક્ષા આપી દયાનંદ સરસ્વતી નામ આપ્યું.
  • ફકત એક વર્ષમાં ધર્મશાસ્ત્રનું અઘ્યન કર્યું.
  • ગુરુની ખોજમાં ગુજરાત છોડીને કાશી ચાલ્યા ગયા. ત્યાં યોગાભ્યાસ કર્યો. એના પછી દૃઢ મનોબળની સાથે હિમાલયમાં તપસ્યા કરી. યોગ્ય ગુરુ તો ન મળ્યા, પરંતુ આત્મજ્ઞાન મળી ગયું.
  • ૧૦-૧૨ વર્ષની તપસ્યા પછી મહર્ષિ દયાનંદ સરસ્વતી દિવ્ય ચેતનાના સ્વામી બની ગયા. પરંતુ આત્મકલ્યાણની સાથે દેશની હાલત, ધર્મનું પતન, દંભ, પાખંડ વગેરે દેશમાંથી કેમ દૂર કરવાં? આ એમના મનમાં વ્યથા હતી. દેશની સંસ્કૃતિને કેમ બચાવવી આ જ વિચાર કરતા હતા.
  • હિંદુ ઉદ્ધાર માટે એમણે કઠોર પરિશ્રમ કર્યો હતો. તેમણે મુર્તિપૂજાનો વિરોધ, વિધવા વિવાહ સમર્થન, હરિજનોને યજ્ઞોપવીત, મમ્ડીરોમામ્ થતા પશુબલિનો વિરોધ, બુરખા પ્રથાનો વિરોધ, પરજ્ઞાતીય લગ્નો, વગેરે અંગે નવું ચિંતન પ્રગટ કર્યું.
  • તેમણે બ્રિટિશ શાસન, ઇસ્લામિક-ખ્રિસ્તી ધર્મસાંસ્કૃતિક આક્રમણ અને હિંદુ ધર્મમાં પરિવર્તનની આડે આવતાં સાંપ્રદાયિકબળો સામે મોરચો માંડયો હતો.
  • અનેક જગ્યાએ એમને માનસન્માન મળ્યું. પછી પોતાનું કાર્યક્ષેત્ર ઉત્તર ભારત બનાવ્યું
  • ૧૦,એપ્રિલ ૧૮૭૫ – મુંબઈમાં ‘આર્યસમાજ’ ની સ્થાપના કરી.
  • તેમના એક ખાસ અનુયાયી – શ્યામજી કૃષ્ણવર્મા
  • તેમના બીજા જાણીતા પ્રશંસકો
    Madam Cama, Pandit Guru Dutt Vidyarthi,Pran Sukh Yadav, Vinayak Damodar Savarkar,Lala Hardayal, Madan Lal Dhingra, Ram Prasad Bismil, Bhagat Singh, Mahadev Govind Ranade, Swami Shraddhanand. Mahatma Hansraj and Lala Lajpat Rai.
  • આજે પણ એમનું કીર્તિમંદિર પંજાબમાં છે.
  • પછી તેઓ રાજસ્થાન તરફ ચાલ્યા ગયા જયાં ઘણા ધર્મના કાર્યક્રમો યોજયા હતા. દેશી રાજયોના રાજાઓને ધર્મ તરફ આકર્ષિત કર્યા. જૉધપુરના રાજા જશવંત સિંહ પણ એનાથી પ્રભાવિત થયા અને ભોગવિલાસ અને વ્યસનથી દૂર રહ્યા હતા.
  • કહેવાય છે કે મહારાજા જશવંત સિંહ ની રખાત “નન્હિ ભક્તન્” તેમજ સ્વામીના વિરોધી એવા પંડિતો,મુલ્લાઓ અને અન્ગ્રેજોએ સાથે મળીને, રસોઈયાની મદદથી જગન્નાથની સાથે ઝેરવાળું દૂધ મોકલ્યું એનાથી દયાનંદ સરસ્વતીનું મૃત્યુ થયું હતું.

રચનાઓ

  • પચાસ જેટલાં પુસ્તકો  – સૌથી વધારે જાણીતું … સત્યાર્થ પ્રકાશ (૧૮૭૫)
    ( આખી સૂચિ માટે વિકિપિડિયા પર)

સાભાર

  • વિકિપિડિયા
  • શ્રી. ભાવેશ મેરજા

દલસુખ માલવણિયા, Dalsukh Malvania


Dalsukh-Malvania

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર 

પંડિત સુખલાલજીનો પરિચય

—————————————

જન્મ

  • ૨૨, જુલાઈ – ૧૯૧૦; સાયલા ( જિ. સુરેન્દ્રનગર)

કુટુમ્બ

  • માતા -?; પિતા – દલસુખભાઈ
  • પત્ની – ?; સંતાનો -?

શિક્ષણ

  • પ્રાથમિક શિક્ષણ- સાયલા
  • જયપુર, બ્યાવર વિ. સ્થળોએ જૈન ગુરૂકૂળોમાં રહી ‘જૈન વિશારદ’ અને ‘ન્યાયતીર્થ’ની પદવીઓ

વ્યવસાય

  • ૧૯૩૪ – સ્થાનકવાસી જૈનોના મુખપત્ર ‘જૈનપ્રકાશ’ માં
  • ૧૯૩૮ – બનારસ હિન્દુ યુનિ.માં ‘જૈન ચેર’ ધર્મના પ્રાધ્યાપક
  • ૧૯૫૯ – ૧૯૭૬  –  લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ માં નિયામક

તેમના વિશે વિશેષ

  • પ્રાથમિક શિક્ષણ પુરું થતાં પહેલાં જ પિતાનું અવસાન.
  • પંડિત બેચરદાસ દોશી પાસે સંસ્કૃત, પ્રાકૃત વ્યાકરણ અને વિવિધ ધર્મોનો તુલનાત્મક અભ્યાસ
  • ૧૯૩૨– શાંતિનિકેતન જઈ પાલી ભાષા અને બૌદ્ધ દર્શનનો અભ્યાસ; મુનિ શ્રી. જિનવિજયજી સાથે સમ્પર્ક
  • બનારસ હિન્દુ યુનિ.માં પંડિત સુખલાલજી માટે વાચક
  • બનારસ, મુંબાઈ, ઇન્દોર તથા ઉજ્જૈન યુનિ.માં પી. એચ.ડી. ્વિદ્યાર્થીઓના માર્ગદર્શક
  • ટોરોન્ટો- કેનેડા, બર્લિન- જર્મની, અને પેરિસ- ફ્રાન્સ યુનિ.ઓમાં મુલાકાતી અધ્યાપક
  • ૧૯૭૬ – ગુજરાતી સાહિત્ય પરિષદના પોરબંદર ખાતેના અધિવેશનમાં સંશોધન વિભાગના અધ્યક્ષ
  • ‘સંબોધિ’ ત્રૈમાસિકના સંપાદક
  • દર્શન શાસ્ત્રો ( ખાસ કરીને જૈન દર્શન) માં મહત્વનું પ્રદાન

રચનાઓ

  • સંશોધન – આત્મમીમાંસા, જૈન ધર્મચિંતન, પ્રભુશ્રી મહાવીર સ્વામીનો જીવન સંદેશ,
  • ચરિત્ર – ભગવાન મહાવીર, પંડિત સુખલાલજી
  • સંપાદનો – ન્યાયાવતાર કાર્તિક વૃત્તિ, પ્રમાણવાતિક, પ્રમાણ મીમાંસા, જ્ઞાનબિંદુ, તર્કભાષા,
  • અનુવાદો – સ્થાનાંગ સમવાયાંગ
  • English – Jain philosophy

સાભાર

  • ગુજરાતી સાહિત્યકોશ

બ્રહ્મવેદાન્ત સ્વામી, Brahmavedant Swami


IMG_3587

“ધ્યાનને પ્રવૃત્તિ બનાવવાની નથી. 
જીવનની દરેક પ્રવૃત્તિને ધ્યાનમય બનાવવાની છે.”

“ ગમે તે પરિસ્થિતીમાંથી મજા અને મસ્તી કઈ રીતે મેળવવા, એ બધું  શીખવ્યું રામદુલારે બાપુએ.”

“સન્યાસ લેવાયો ન હતો. સન્યાસ એ ઓશોની કૃપા હતી.એ ઓશોની (મારે માટે)પસંદગી હતી.”

તેમના વિશે માહિતી

——————————————————————

સાંસારિક નામ

  • હીરાલાલ શાહ

જન્મ

  • ૬, જુલાઈ-૧૯૩૨; મુંબઈ

અવસાન

  • ૧૪, જાન્યુઆરી – ૨૦૨૧

અભ્યાસ

  • સાયન્સ કોલેજનુ બીજું વર્ષ.

કુટુમ્બ

  • માતા– મણીબાઈ ગોવિંદજી;પિતા-મકનજી જ્ગજીવન શાહ
  • પત્ની– રમીલા;પુત્રો – ભરત, હરીશ;રામુ અને હિમાન્શુ; પુત્રીઓ-રક્ષા અને હીના


તેમના વિશે વિશેષ

તેમનાં પ્રવચનો અને તેમના જીવન વિશે ઘણા બધા વિડિયો અહીં .

કોઈ પણ ફોટા પર ‘ક્લિક’ કરી,
આશ્રમનો સ્લાઈડ શો નજરે નીહાળો.
 

  • પિતા માધવપુરના નગરશેઠના દીકરા હતા અને પુષ્ટિમાર્ગમાં રૂચિ ધરાવતા હતા.
  • સ્વામીજી એક વર્ષના હતા, ત્યારે પિતા અને ૭ વર્ષના હતા , ત્યારે માતાનો  દેહાન્ત થયો હતો.
  • ૧૯૩૯ – માતા પિતાના દેહાન્ત બાદ માધવપુર સ્થળાંતર. માસા હરજીવનદાસ અને માસી અમૃતાબાઈએ ઉછેર્યા.
  • ૧૯૪૦થી –તેમના બાળમન પર ગાંધીજીનો પ્રભાવ પડ્યો.
  • ૧૯૪૨–  અભ્યાસ છોડી આઝાદીની લડતમાં જોડાયા. સાથે સાથે રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ અને સ્વામી વિવેકાનન્દનાં ઘણાં સાહિત્યનો અભ્યાસ કર્યો. ત્યારથી જ લોભ વૃત્તિ ઘટવા લાગી; જ્યોતિષ, યોગવિદ્યા, તંત્રશાસ્ત્ર,પુનર્જન્મ વિ.માં ખૂબ શ્રદ્ધા જાગવા લાગી.
  • ૧૯૬૭ – પહેલી વખત ‘ઓશો’ – રજનીશજી સાથે સત્સંગ, શારદાગ્રામ શિબીરમાં(માત્ર કુતૂહલથી પ્રવચન સાંભળવા ગયા હતા; અને આખો દિવસ રોકાઈ ગયા.) વર્તમાનમાં જીવવાનો પહેલો અનુભવ. બીજા બધા રસ્તાઓ ઉપર ચોકડી મૂકાઈ ગઈ.
  • ૧૯૭૨– આબુ ખાતે ‘ઓશો’ની શિબીરમાં આકસ્મિક જ દીક્ષા લીધી ‘મારી પાત્રતા નથી’ ના જવાબમાં ઓશોએ કહ્યું ,’ ઉસકી ફિકર છોડ દે. કિસ રૂપમેં સન્યાસ લેના ચાહતા હૈ?’ સફેદ વસ્ત્ર ધારી સન્યાસી બન્યા; અને ‘સ્વામી બ્રહ્મવેદાન્ત’ નામ મેળવ્યું.
  • ૧, નવેમ્બર-૧૯૭૪ વેરાવળ ખાતે ‘સંકેત’ – રજનીશ ધ્યાન કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે કેવળ દૃષ્ટાભાવ પ્રગટ્યો અને ‘ભગવાન’પદ કોઈ પ્રયત્ન વિના પામ્યા.
  • ત્યાર બાદ જુદી  જુદી જગ્યાઓએ અનંત સ્વામી સાથે શિબીરો કરી.
  • ૧૯૭૪ – હિમાલય જવાનો વિચાર કર્યો, પણ ‘રામદુલારે’ બાપુએ માધવપુર ખાતેની વાડીમાં જ આશ્રમ બનાવવા અનુરોધ કર્યો. અને બાજુમાં પોતાના હક્કની, ખરાબાની છ એકર જમીન પણ અપાવી
  • માધવપુરમાં આશ્રમની શરૂઆત કરી.  અને ધીમે ધીમે  તેનો વિકાસ કરતા રહ્યા.
  • પહેલાં પોતાની વાડીમાં; ત્યાર બાદ ખરાબાની જમીન ખરીદીને; ત્યાર બાદ ત્યજી દેવાયેલી પથ્થરની ખાણોના વિસ્તારમાં.  છેલ્લે અડાબીડ પડી રહેલ ‘મધુવન’ની જગ્યા પણ સરકારે વિકાસાર્થે વિનામૂલ્યે આપી.
  • ૧૯૭૨થી ૧૯૮૨ – રામદુલારે બાપુ જેઓ પરિવ્રાજક હતા અને અવારનવાર આશ્રમમાં આવતા-જતા અને આશ્રમના વિકાસ સાથે સ્વામીજીના આંતરિક વિકાસ માટે માર્ગ દર્શન આપતા રહ્યા.
  • તેમના આંતરિક અને પ્રજ્ઞાના વિકાસમાં ગુર્જિયેફ, વિમલા તાઈ અને તાવરિયાજીનો પણ ઘણો મોટો પ્રભાવ રહ્યો છે.
  • આશ્રમને આર્થિક અને આંતરિક સહયોગ માટે વેરાવળના ડોક્ટર વકીલ ( સ્વામી વિતરાગ) અને તેમનાં પત્ની સ્વાતિમા નો પણ સહયોગ સતત મળતો રહ્યો છે. ડો. વકીલના દેહાન્ત બાદ સ્વાતિમા પણ સ્થાયી રીતે આશ્રમનાં અંતેવાસી બની ગયાં છે.
  • ડો. વકીલના પુત્ર રાજેન જેઓ સ્વામીજીના બીજા નંબરનાં પુત્રી સાથે પરણેલાં છે અને તે પણ તાવરીયાજીની સાધના પધ્ધ્તિથી યોગ અને ધ્યાન વિષે લોકોને સમજ અને  એમના કાર્યમાં સઘન રીતે  પરોવાયેલા છે.

રચનાઓ (પ્રકાશિત પુસ્તકો)

  • આધ્યાત્મિક–જાગરણ, પૂર્ણતાના પંથે, અતૃપ્તિ ભીતરની, સહયોગથી સમાધિ, અંતઃકરણની ઓળખ, સાધનાની પૂર્વભૂમિકા, વિજળીને ચમકારે
  • આત્મકથાત્મક – પરમપદ પ્રતિ સંકેત

સાભાર 

  • પરમપદ પ્રતિ સંકેત, શ્રી. શરદ શાહ

અંબાલાલ પુરાણી, Ambalal Purani


–   ખરો પારસમણિ તો આપણા અંતરમાં રહેલો છે. આપણી પોતાની અંદર જ એવી કોઇક વસ્તુ રહેલી છે, કે જેના સંબંધમાં આપણે આવીએ, તો આપણી જિંદગી બદલાઇ જાય; આપણે પોતે જેવા હોઇએ તે મટી જુદા જ બની જઇએ. માનવમાંથી જાણે દેવ બની જવાય.

–  વિકીપિડિયા ઉપર

–  તેમણે કરેલ શ્રી. અરવિંદના લેખનો એક અનુવાદ.

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ ઉપર

—————————————————

જન્મ

  • ૨૬,મે-૧૮૯૪; સુરત
  • વતન – ભરૂ્ચ

અવસાન

  • ૧૧, ડિસેમ્બર – ૧૯૬૫; પોંડિચેરી

કુટુમ્બ

શિક્ષણ

  • પ્રાથમિક – ભરૂચ
  • ૧૯૦૯ – મેટ્રિક
  • ૧૯૧૩– ફિઝિક્સ અને કેમિસ્ટ્રી સાથે બી.એ.

વ્યવસાય

  • સમગ્ર જીવન સમાજસેવા અને યોગસાધનામાં સમર્પિત

તેમના વિશે વિશેષ

  • વડીલબંધુ છોટુભાઈ  સાથે ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના પ્રારંભક અને પ્રસારક
  • ભારતની સ્વતંત્રતા માટે જન જાગૃતિ અને બોમ્બ પ્રવૃત્તિમાં અગ્રેસર
  • શ્રી. અરવિંદે ભારતની સ્વતંત્રતાની ખાતરી અપાવ્યા બાદ સમગ્ર જીવન અરવિંદ આશ્રમને સમર્પિત
  • ૧૯૩૮-૧૯૫૦ શ્રી. અરવિંદના અંગત સહાયક
  • ૧૯૨૨થી આમરણ – પોંડિચેરી આશ્રમમાં યોગસાધના અને આશ્રમમાં સેવા

રચનાઓ

  • વાર્તા– દર્પણના ટુકડા, ઉપનિષદની વાતો
  • ચરિત્ર – મણિલાલ નથુભાઈ દ્વિવેદી, શ્રી. અરવિંદ જીવન
  • પ્રવાસ વર્ણન – ઇન્લેન્ડની સંસ્કારયાત્રા, પથિકનો પ્રવાસ – તેવીસ વર્ષ પછી, પથિકની સંસ્કારયાત્રા (દક્ષિણ આફ્રિકા)
  • પત્રસાહિત્ય – પથિકના પત્રો, પત્રોની પ્રસાદી, પત્રસંચય ( સુંદરમ્‍ સાથેનો પત્રવ્યવહાર) , પુરાણીના પત્રો
  • નિબંધ – પથિકનાં પુષ્પો, ચિંતનનાં પુષ્પો, સમિત્પાણિ
  • આધ્યાત્મિક – યોગિક સાધના, મા, વિજ્ઞાનયોગ, પૂર્ણયોગની ભૂમિકાઓ, પૂર્ણયોગ નવનીત, ભક્તિયોગ, સૂત્રાવલી સંગ્રહ, શ્રી.માતાજી સાથે વાર્તાલાપ, પૂર્ણયોગનો જ્ઞાનયોગ, પૂર્ણયોગના પ્રકાશમાં, સવિત્રીગુંજન,
  • અનુવાદ– રવીન્દ્રનાથ ટાગોરનાં સંસ્મરણો, સાધના, સંયમ અને ભક્તિમાર્ગ
  • English 
    • The Life of Sri Aurobindo. Pondicherry: Sri Aurobindo Ashram, 1958.
    • Evening Talks with Sri Aurobindo. Pondicherry: Sri Aurobindo Ashram, 1959.
    • Lectures on Savitri: lectures delivered in the United States. Pondicherry: Sri Aurobindo Ashram, 1967.

સાભાર 

  • ગુજરાતી સાહિત્યકોશ
  • ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ
  • વિકીપિડિયા

.

વીરચંદ રાઘવજી ગાંધી, Virchand Raghavji Gandhi


  • “May peace rule the universe…..May peace rule in the houses of friends and may peace rule in the houses of enemies.”

એક લેખ 

– ‘ ગાંધી બિફોર ગાંધી’ – ગુજરાતી નાટક

વિકીપિડિયા ઉપર 

————

જન્મ

  • ૨૫,ઓગસ્ટ- ૧૮૬૪, મહુવા ( જિ. ભાવનગર)

અવસાન

  • ૭, ઓગસ્ટ- ૧૯૦૧,

કુટુમ્બ

  • માતા – માનબા; પિતા – રાઘવજી
  • પત્ની – જીવીબેન( લગ્ન – ૧૮૭૯); પુત્ર  – મોહનદાસ

અભ્યાસ

  • ૧૮૮૦ – મેટ્રિક ( આલ્ફ્રેડ હાઈસ્કૂલ, ભાવનગર)
  • ૧૮૮૪ – બી.એ. (ઓનર્સ) – મુંબાઈની એલ્ફિન્સ્ટન કોલેજ
  • ૧૮૯૫ – બાર એટ લો (લન્ડન)

 વ્યવસાય

  • ૧૯૮૫-૮૬ – લિટલ, સ્મિથ, ફ્રાયર અને નિકોલ્સનની સોલિસિટરની પેઢીમાં અર્ટિકલ ક્લાર્ક તરીકે નોકરી
  • ત્યાર બાદ વકીલાત અને જાહેર જીવન

વિદેશ પ્રવાસ

  • ૧૮૯૩– વિશ્વ ધર્મ પરિષદ, શિકાગોમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ ( અમેરિકાની ધરતી પર પગ મુકનાર પહેલા ગુજરાતી)
  • ૧૮૯૫ – ઈન્ગ્લેન્ડ
  • ૧૮૯૬ – પત્ની સાથે અમેરિકાની બીજી મુલાકાત. એ મુલાકાત દરમિયાન, સબળ પ્રચારથી  ભારતમાં દુષ્કાળ માટે દાનો મેળવ્યાં હતા.
  • ૧૮૯૮ – શેત્રુંજય તીર્થના કામ અંગે ઈન્ગ્લેન્ડની મુલાકાત

This slideshow requires JavaScript.

એમના વિશે વિશેષ

  • જન્મ અગાઉ તેમના પિતાને સ્વપ્ન આવ્યું હતું જેમાં દેવી પદ્માવતીએ કહ્યું હતું કે, ‘જન્મનાર બાળક નરકેસરી નીવડશે અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવશે. ઘરમાંથી પાર્શ્વનાથ સ્વામીની મૂર્તિ ઘરમાંથી દટાયેલી મળશે.’ ખોદકામ કરતાં એ મૂર્તિ મળી આવી હતી.
  • ગ્રેજ્યુએટ થવાની સાથે ૧૪ ભાષાઓ જાણતા થયા હતા; અને વિશ્વના ધર્મો , ભારતીય અર્થશાસ્ત્ર અને વ્યાપારમાં પારંગત થયા હતા.
  • મુંબાઈમાં નોકરી દરમિયાન ગાંધીજી ભારતના કાયદાઓનું જ્ઞાન મેળવવા તેમનું માર્ગદર્શન લેતા હતા. ( આની માહિતી ગાંધીજીની આત્મકથામાં પણ છે.)
  • ૧૮૮૬– શેત્રુંજય તિર્થના યાત્રિકો પરનો સરકારી વેરો નાબૂદ કરાવવામાં સફળતા
  • બંગાળમાં આવેલા સમેતશિખર તિર્થધામની નજીક બંધાયેલ કતલખાનાને બંધ કરાવવા માટે કોર્ટમાં સફળ રજુઆત. આ માટે બંગાળી ભાષા થોડાક જ વખતમાં શીખી, જૂના દસ્તાવેજો કોર્ટમાં અસરકારક રીતે રજૂ કર્યા હતા.
  • મુનિશ્રી. આત્માનંદજીએ તેમને શિકાગોની પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરવા આમંત્ર્યા અને છ મહિના સુધી જૈન ધર્મ વિશે તાલીમ આપી.
  • ૧૮૯૩– શિકાગો પરિષદમાં સ્વામી વિવેકાનંદ અને ધર્મપાલ સાથે ભારતના ધર્મો , તત્વજ્ઞાન અને સંસ્કૃતિની સબળ રજૂઆત. એ મુલાકાત માટે શાકાહારી ખોરાક માટે સાથે ગુજરાતી રસોઈયો લઈ ગયા હતા.
  • ૧૮૯૩ – ન્યુયોર્કમાં વિશ્વની સ્થાવર મિલ્કત ( રિયલ એસ્ટેટ) અંગેની આંતરરાષ્ટ્રીય કોન્ગ્રેસમાં રસપ્રદ વ્યાખ્યાન આપ્યું.
  • ૧૮૯૩- ૯૫ – અમેરિકામાં  અનેક જગ્યાઓએ જૈન, હિન્દુ અને બૌદ્ધ ઘર્મો અંગે વ્યાખ્યાનો.
  • અમેરિકા અને યુરોપમાં આંતરરાષ્ટ્રીય વેપાર, ભારતનું અર્થશાસ્ત્ર, ભારતીય સંસ્કૃતિનો ઈતિહાસ, યોગ, ધ્યામ, હિપ્નોટિઝમ, શાકાહારીપણું, વિશ્વના ધર્મો, વિ. અનેક વિષયો પર ૫૩૫ ભાષણો આપ્યા હતા; અને ઘણા ચન્દ્રકો મેળવ્યા હતા.
  • ૧૮૯૫ – ભારત પાછા આવી અનેક વ્યાખ્યાનો આપ્યા, અને ‘ હેમચન્દ્રાચાર્ય ક્લાસ’ ની સ્થાપના કરી.
  • ૧૮૯૬ – ભારતીય રાષ્ત્રીય કોન્ગ્રેસમાં મુંબાઈનું પ્રતિનિધિત્વ
  • ૧૮૯૬ – માર્ક ટ્વેનની મુંબાઈની મુલાકાત દરમિયાન સાથે રહ્યા.
  • ૧૮૯૬ – સ્ત્રીઓ માટેની શિક્ષણ સંસ્થાની સ્થાપના. ( જેની સહાયથી અનેક મહિલાઓ ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા જઈ શકી હતી.)
  • ૧૮૯૮ – થોડાક સમય માટે ભારત પાછા આવ્યા; જે દરમિયાન ન્યાયાધીશ મહાદેવ ગોવિન્દ રામડેએ એમનું  બહુમાન કર્યું હતું.
  • પરદેશથી પાછા આવ્યા બાદ, અમુક રૂઢીચુસ્ત જૈન સંસ્થાઓએ પરદેશ જવા માટે  એમનો પૂર્ણ બહિષ્કાર કર્યો હતો.
  • ૧૯૦૧–  અચાનક તેમના ફેફસામાં રક્તસ્રાવ થવાના કારણે ગંભીર બીમારીમાં પટકાયા અને બહુ થોડા વખતમાં જ અવસાન પામ્યા.

રચનાઓ

  • ગુજરાતી
    • રડવા કૂટવાની હાનિકારક ચાલ ( પુસ્તિકા)
    • સવીર્ય ધ્યાન (૧૯૦૨) – આચાર્ય શ્રી. શુભચન્દ્રદેવની કૃતિનો અનુવાદ.
  • અંગ્રેજી
    • Jaina Philosophy(1907)
    • Karma Philosophy(1913)
    • Yoga Philosophy (1912)Speeches and Writings of Virchand R. Gandhi,Collected by Bhagu.F.Karbhari,Publisher-ShriAgamodaya Samiti Bombay.
    • The Unknown Life of Jesus Christ(1894) Translated in english from French from an ancient manuscript. This book was published while he was in Chicago.
    • The Systems of Indian Philosophy(1970)
    • Speeches and Writings of Shri Virchand R. Gandhi, Editor – Dr. K. K. Dixit,Publisher – Shri Mahavir Jain Vidyalaya Bombay
    • Savirya-Dhyan first published 1902 Gujarati second edition (24+134)
    • 1989 Gujarati Author- Acharya Shri Shubhachandradev
    • Translator – Shri Virchand R. Gandhi Commentary – Anandnandan Lalan Complied – Shri Pannalal R. ShahPublisher – The Jain Association of India Bombay
    • Selected speeches of V. R. Gandhi(1964)- Publisher – Vallabh Smarak Nidhi, Bombay 

સાભાર

  • ચન્દ્રેશ ધીરજ ગાંધી – વીરચંદ ગાંધીના પ્રપૌત્ર
  • પન્કજ હિન્ગરા( જૈન એસોસિયેશન ઓફ નોર્થ અમેરિકાના સભ્ય)

——————————————

Virchand Gandhi Patriotic Speech in Defense of Indian Culture and Hinduism as follows:

“ Before proceeding with my address, I wish to make few observations. This platform is not a place for mutual recriminations, and I am heartily sorry that from time to time the most un-Christian spirit is allowed freely here, but I know how to take these recriminations at their proper value. I am glad that no one has dared to attack the religion I represent. It is well that they should not. But every attack has been directed to the abuses existing in our society. And I repeat now what I repeat every day, that these abuses are not from religion, but in spate of religion, as in every other country.”

“Some men in their ambition, think that they are Pauls, and what they think they believe. These new Pauls go to vent their platitudes upon India. They go to India to convert the heathens in a mass, but when they find their dreams melting away, as dreams always do, they return and pass a whole life in abusing the Hindus. Abuses are not arguments against any religions, nor self-adulation, the proof of the truth of one’s own. For such I have greatest pity.

“If the present abuses in India have been produced by the Hindu religion, the same religion had the strength of producing a society which made the Greek historian say: ‘No Hindu was ever known to tell an untruth, no Hindu woman ever known to be unchaste”.  And ever in the present day where is there a more chaste woman or a milder man than in India? The Oriental bubbles may be pricked, but the very hysterical shocks sent forth from this platform from time to time show to the world that sometimes bubbles may be heavier than the bloated balloons of vanity and self-conceit.”

“It has become an article of faith with most of the orthodox Christians that the Hindus are liars. All sorts of abuses are heaped on the people of India from the Himalaya to Ceylon, and, without exception all these calumnies proceed either from the missionaries or the English officers. We accord them their rights as we do even to the tiniest animalcule the right to live and be happy in their own way, if they let us alone, but when we find that these little creatures are annoying us, we have to brush them aside. The statements of these missionaries made about the Hindus, their religions and life, are never an admirable illustration of their methods and zeal. When I first came to know in this country, from missionary sources that in India women threw their babies into the Ganges and that people threw themselves under the car of  Juggernaut , I doubted whether in the blackest and most intolerant days of the Christian Church, any villainous priest ever invented more bare-faced falsehoods or malicious slanders like these. “

——————–

     In the World Religious Parliament, he re-presented or corrected the false and perverse impression of India as being the land of maharajahs, tigers and cobras. He narrated an incident from King Akbar’s life and praised him for respecting all other religions.

 

%d bloggers like this: