ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: નિબંધકાર

નગીનદાસ સંઘવી, Nagindas Sanghvi


“ હું તો મારા વિદ્યાર્થીઓના હાથે ટીચાઈ ટીચાઈને ઘડાયો છું.”
હુલામણું નામ – નગીનબાપા

ન્મ

૧૦, માર્ચ – ૧૯૨૦; ભાવનગર

અવસાન

૧૨, જુલાઈ- ૨૦૨૦; સુરત

કુટુંબ – ??

શિક્ષણ

એમ.એ.  ભાવનગર

વ્યવસાય

શિક્ષણ – ૧૯૫૧ – ૮૦, ભવ ન્સ કોલેજ , અંધેરી , રુપારેલ કોલેજ – માહીમ; મીઠીબાઈ કોલેજ, વિલે પાર્લે  મુંબઈ
સામાયિકોમાં કટાર લેખક

તેમની ચેનલ

https://www.youtube.com/channel/UCP5z9huJwsrMwtB1_rmwW9g/videos

તેમના વિશે વિશેષ

  • 1944માં ભણવાનું પૂરું કર્યું હતું. મુંબઈમાં ઍડ્વર્ટાઈઝિંગ કંપનીમાં મહિને 30 રૂપિયાના પગારે ટાઈપિસ્ટ તરીકે નોકરી શરૂ કરી હતી. એક-બે જગ્યાએ કામ કર્યા પછી ત્રણ દાયકા કરતાં વધુ સમય અધ્યાપન અને છેલ્લાં પચાસ વર્ષ કટારલેખન કરતાં હતા.
  • એક ઈન્સ્યોરન્સ કંપનીમાં કામ કર્યું હતું. વચ્ચે બે વાર મુંબઈથી ભાવનગર પાછા ગયા હતા.
  • ૧૯૫૦ ના વર્ષમાં મુંબઈની ભવન્સ કૉલેજમાં પ્રોફેસર બન્યા હતા. એ પછીનાં બત્રીસ વર્ષ મુંબઈની રૂપારેલ તથા મીઠીબાઈ કૉલેજમાં ભણાવ્યું હતું. તેઓ રાજકારણ અને ઈતિહાસના વિષય શીખવતા હતા.
  • તેઓ કૉલેજમાં ભણાવતા હતા ત્યારથી સમાચારપત્રોમાં લખવાનું શરૂ કર્યું હતું.  નિવૃત્તિ પછી પણ તેઓ લખતા રહ્યાં હતા. 1982માં મહિને 700 રૂપિયાનું પેન્શન મળતું હતું. પણ એમાં એમનું ઘર ચાલે એમ નહોતું એટલે લખવાનું કામ કરીને કમાતા હતા. આમ તેઓ અકસ્માતે લખતા રહ્યાં હતા.
  • મુંબઇની મીઠીબાઇ કૉલેજમાં પૉલિટીકલ સાયન્સના વડા તરીકે નિવૃત્ત થયા હતા. 
  • ૧૯૬૨ થી – ચિત્રલેખા અને બીજાં સામાયિકોમાં રાજકારણને લગતી નિયમિત કટારોમાં નીડર લેખન
  • રાજકીય પ્રવાહોની તલસ્પર્શી છણાવટ અને સાચા અર્થમાં અને તડ અને ફડ કરનારા
  • મૂળ રામાયણમાંથી ઘણી બધી એવી બાબતો તેમણે મૂકી કે જે કથા અને પાત્રો અંગેની રૂઢિગત માન્યતાઓને માફક ન આવી. લેખમાળા સામેનો વિરોધ હુલ્લડબાજી અને છાપાંની હોળી સુધી પહોચ્યો હતો. તેમની કોલમ આખરે એ બંધ થઈ, આક્ષેપોનો જવાબ આપવાનો લેખકનો હક્ક પણ તંત્રીસાહેબોએ નકારવો પડ્યો.  નોંધપાત્ર છે કે પછીના વર્ષે નગીનદાસે એ લેખમાળાને  ‘રામાયણની અંતરયાત્રા’ પુસ્તક તરીકે જાતે પ્રકાશિત કરવાની હિમ્મત દાખવી. ડૉ. આંબેડકરનાં ‘રિડલ ઑફ રામ’ લખાણની યાદ અપાવતાં આ પુસ્તકનાં પાનેપાને તલ:સ્પર્થી સંશોધન અને  સ્વતંત્ર ચિંતન દેખાય છે.
  • તેઓ આસ્તિક બિલકુલ ન હતા. ધર્મ એમના માટે અધ્યાત્મનો વિષય ન હતો. તેઓ માનતા કે ધર્મ વગર કોઈ સમાજ ટક્યો નથી અને ટકી શકે પણ નહીં. નગીનભાઈ પોતે જ કહે તા હતા, ધર્મ, વિજ્ઞાન, ઈતિહાસ, સમાજશાસ્ત્ર અને રાજકારણ વિશેનાં લખાણોએ એમને ઘણા આજીવન દુશ્મન આપ્યા છે તો પ્રગાઢ દોસ્તો પણ આપ્યા છે.

ચનાઓ

  • મહામાનવ કૃષ્ણ, ગીતા નવી નજરે, ગીતા વિમર્શ,  નરે ન્દ્ર મોદી – એક રાજકીય સફર, રામાયણની અંતરયાત્રા,
  • તડફડ શ્રેણી – ભારત, ધર્મ, ઈતિહાસ, જીવન, રાજનીતિ, સમાજ, સંસ્કૃતિ, વિશ્વ, સોંસરી વાત, નગીનદાસ સંઘવીનું  તડ ને ફડ
  • સંકલન – એમની વિવિધ કટારોના લેખોમાંથી સંકલન કરેલા આઠ  પુસ્તકોનો સેટ
  • ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં મળી અઢાર પુસ્તક અને 29 પરિચય પુસ્તિકાઓ. 

સન્માન

૨૦૧૮ – પદ્મશ્રી , ભારત સરકાર
વજુ કોટક સુવર્ણ ચંદ્રક

વિજય શાહ, Vijay Shah


vs2‘દીવો લઈને તેને શોધું છું. તમને મળે તો મને આપશો? …. મારે વાવવો, જાળવવો, ઉછેરવો, વહેંચવો છે. ‘  – ‘મકાઈનો દાણો’ માંથી 

જીવન મંત્ર– જે જે પ્રાપ્ત થતો ઉપાધિયોગ , બની રહો તે લબ્ધિયોગ

વિજયનું ચિંતન જગત

સહિયારું સર્જન – ગદ્ય ; ધર્મ ધ્યાન

‘ બુક ગંગા’ પર તેમની ઘણી બધી ઈ-બુક

મળવા જેવા માણસ – વિજય શાહ

પ્રતિલિપિ પર ( ૮૫ રચનાઓ )

‘Storymirror’ પર ( ૩૫ ઈ-બુક )

માતૃભારતી પર – ૫૦ ઈ-બુક 


સમ્પર્ક

  • 13727 Elridge Springway, Hoston, TX -77083
  • ઈમેલ –  vijaydshah09@gmail.com

જન્મ

  • ૧૦, સપ્ટેમ્બર – ૧૯૫૨, ભરૂચ; મૂળ વતન -ઓચ્છણ ( વડોદરા જિ.)

કુટુમ્બ

  • માતા – વિમળા, પિતા – ડાહ્યાભાઈ
  • પત્ની – રેણુકા , સંતાન – બે

અભ્યાસ

  • એમ.એસ..સી. ( માઈક્રોબાયોલોજી)

gss

આ શિર્ષક પર ક્લિક કરો.

 

vs

તેમના વિશે વિશેષ

  • સ્વામિનારાયણ વિજ્ઞાન  કોલેજના વાર્ષિક અંકમાં પહેલું કાવ્ય પ્રકાશિત થયું હતું.
  • પ્રથમ કૃતિ – ‘હું એટલે તમે’ – કાવ્ય સંગ્રહ (૧૯૭૭)
  • પાંચ વર્ષ હ્યુસ્ટન ગુજરાતી સમાજના મુખપત્ર ‘દર્પણ’નું સંપાદન
  • હ્યુસ્ટનની જૈન સોસાયટીના માસિક ‘જય જિનેન્દ્ર’ નું સંપાદન
  • હુસ્ટનના સાહિત્ય રસિક મિત્રોની છેલ્લા ૧૬  વર્ષથી મળતી માસિક સભામાં મહત્વનું યોગદાન.
  • સાહિત્ય સર્જનના નવલા પ્રકાર ‘ સહિયારું ગદ્ય સર્જન ‘ના મુખ્ય પ્રણેતા
  • ગુજરાત દર્પણ ( ન્યુ જર્સી) , તિરંગા ( ન્યુ યોર્ક ), ગુજરાત ન્યૂઝ ટાઈમ્સ ( ટોરોન્ટો) , ગુજરાત ટાઈમ્સ( ન્યુ યોર્ક), જયહિંદ ( રાજકોટ)  માં નિયમિત કોલમ લેખક

હોબી

  • ગુજરાતી લખવુ, લખાવવુ અને સાંભળવુ

vs1

રચનાઓ

સન્માન

  • સહિયારા સર્જનમાં ૨૫ પુસ્તકો મુક્યા બદલ ૩૫ લેખકો ને લીમ્કા ઍવોર્ડ મળ્યો

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર – ભાગ -૧૧, રાધેશ્યામ શર્મા

જય વસાવડા, Jay Vasavada


jv1…આ છે જીવનની યાત્રા. આ છે યુવાચેતનાની વાત. જીવનને તમે સરસ રીતે મૂકી શકો એ જ સાહિત્ય. એટલે જ મને ગમતી બહુ મજાની બે પંક્તિઓ કહીને મારી વાત પૂરી કરું છું :

જ્યારથી જણ કશાકની શોધમાં છે,
ત્યારથી આખું જગત વિરોધમાં છે.

યુવાનીની ચેતના લઈને ચાલવાનો અને લોકપ્રિયતાની મશાલ હાથમાં પકડવાનો આ શ્રાપ છે. હવે બીજી જે પંક્તિ છે એ આખેઆખી વાતને summing up કરે છે :

આમ જુઓ તો ડાહ્યા ડમરા, આમ જુઓ તો જિદ્દી
સૌ પીવે છે અદ્ધરથી, અમે જિંદગી મોઢે માંડી પીધી.

વિકિપિડિયા પર  ગુજરાતી, અંગ્રેજી

તેમના  બ્લોગ પર સ્વ-પરિચય

ફેસબુક પર  ;   ટ્વીટર પર


jv2

jv5

તેમના બ્લોગ પર ઢગલાબંધ લેખ અને તેનાથી વધારે મોટા ઢગલાબંધ પ્રતિભાવો વાંચવા અહીં ક્લિક કરો.

જન્મ

  • ૬, ઓક્ટોબર – ૧૯૭૩, ગોંડળ, જિ. રાજકોટ

કુટુમ્બ

  • માતા – જયશ્રી; પિતા – લલિત
  • પત્ની – ? ; સંતાન – ?

શિક્ષણ

  • પ્રાથમિક – ઘેર
  • માધ્યમિક – સ્વામીનારાયણ ગુરૂકૂળ, ગોંડળ
  • કોલેજ – ૧૯૯૩ – ગોંડળ કોમર્સ કોલેજમાંથી બી.કોમ.

વ્યવસાય

  • ત્રણ વર્ષ – રાજકોટ યુનિ. ની કોમર્સ કોલેજમાં માર્કેટિંગ વિષયના વ્યાખ્યાતા, પછી ત્યાં જ પ્રિન્સિપાલ

જીવનમાં સફળતા કેવી રીતે મેળવશો? – વિડિયો

ઢગલાબંધ વિડિયો

તેમના વિશે વિશેષ

  • પિતા ગોંડળની કોલેજમાં ગુજરાતીના પ્રોફેસર હતા, અને માતા જૂનાગઢ અધ્યાપન મંદિરમાં મેટ્રન. તેમનો જન્મ થતાં માતાએ નોકરી છોડી દીધી અને તેમના પ્રાથમિક કક્ષાના શિક્ષણની જવાબદારી નિષ્ઠાપૂર્વક સંભાળી.
  • સ્વામીનારાયણ ગુરૂકુળમાં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં નાપાસ થતાં જીવનમાં વળાંક આવ્યો અને કોમર્સ લાઈન તરફ વળ્યા.
  • રાજકોટનાં દૈનિકોમાં લેખ લખવા સાથે લેખક તરીકેની કારકિર્દીની શરૂઆત. પછી ગુજરાત સમાચારમાં નિયમિત કોલમ ( ‘અનાવૃત્ત’ અને  ‘સ્પેક્ટ્રોમિટર’ ) લખવાથી વધારે પ્રકાશમાં આવ્યા.
  • ૨૦૦૮થી –  ‘અભિયાન’માં નિયમિત લેખ ‘રંગત સંગત’ શિર્ષક હેઠળ
  • મુંબાઈના Mid Day, અનોખી અને આરપાર સામાયિકોમાં અવાર નવાર લેખ
  • પ્રિન્ટ મિડિયામાં  ૧૬૦૦ થી વધારે લેખ
  • તેમના પ્રેરક પુસ્તક ‘જય હો’ અને JSK ( જય શ્રી કૃષ્ણ ) ની ૧૦,૦૦૦ નકલો એક જ વર્ષમાં વેચાઈ ગઈ હતી.
  • પ્રખર વક્તા –  ગુજરાતમાં  ઠેર ઠેર, અનેક વિષયો પર અભ્યાસ પૂર્ણ અને પ્રેરક વ્યાખ્યાનો આપેલાં છે.
  • ETV, Gujarat પર Celebrity show ‘સંવાદ’ ના હોસ્ટ તરીકે લોકપ્રિય કામગીરી( ૨૨૫ શો )
  • રાજકોટ રેડિયો પરથી ‘સિનેમા સીઝલર્સ’ નું પ્રસારણ
  • ‘સહારા ટીવી’ ના બોમન ઈરાની દ્વારા સંચાલિત ‘બોલીવુડકા બોસ’ની કસોટીમાં (quiz show) ફાઈનલ સુધી પહોંચેલા.
  • ગુજરાતી ફિલ્મ ‘બે યાર’માં પાર્શ્વભૂમિકા
  • સોશિયલ મિડિયામાં ૭૫,૦૦૦ થી વધારે ચાહકો , યુવા વર્ગના માનીતા લેખક
  • અમેરિકન સરકારના આમંત્રણથી મિડિયા ટ્રીપ
  • જર્મની, સિંગાપુર, થાઈલેન્ડ, દુબાઈ, યુકે, ઈટાલી, બેલ્જિયમ, સ્વિટ્ઝરલેન્ડ વિ. દેશોમાં વ્યાખ્યાન પ્રવાસો
  • મુરારીબાપુના ‘અસ્મિતા પર્વ’ અને વડા પ્રધાન શ્રી. નરેન્દ્ર મોદીની જીવન કથાના વિમોચનમાં અભ્યાસપૂર્ણ પ્રવચનો.

jv3.jpg

jv4

રચનાઓ

કટાર/કોલમ

નામ સમાચાર પત્ર/સામાયિક નોંધ/વાર
અનાવૃત ગુજરાત સમાચાર બુધવાર
સ્પેક્ટ્રોમીટર ગુજરાત સમાચાર રવિવાર
મિડ-ડે, મુંબઈ સામાન્ય જ્ઞાન વિશેની કોલમ
રંગત-સંગત
મોનિટર
તરબતર
ટાઈમ્સ ઓફ ઇન્ડિયા
સમકાલીન
મુંબઇ સમાચાર
ચિત્રલેખા
અનોખી
આરપાર
ગુજરાત ગુજરાત સરકારનું માસિક
હોટલાઈન

પુસ્તકો

પુસ્તક પ્રકાશન વર્ષ પ્રકાશક
યુવા હવા
માહિતી અને મનોરંજન
સાહિત્ય અને સિનેમા
આહ હિન્દુસ્તાન, ઓહ હિન્દુસ્તાન
પ્રીત કિયે સુખ હોય… ૨૦૧૦ નવભારત સાહિત્ય મંદિર
સાયન્સ સમંદર
નોલેજ નગરિયા
જી. કે. જંગલ
જય હો[૧૦] ૨૦૧૨ રિમઝિમ ક્રિએશન
JSK – જય શ્રી કૃષ્ણ
Life@Kite
વેકેશન સ્ટેશન ૨૦૧૫
મમ્મી પપ્પા ૨૦૧૬

સાભાર

  • વિકિપિડિયા
  • તેમનો બ્લોગ

જનક નાયક, Janak Naik


Janak Naik


jn8

તેમના બ્લોગ પર અહીં ક્લિક કરીને પહોંચી જાઓ

js

આ ચિત્ર પર ક્લિક કરી તેમની યાદમાં યોજાયેલ સ્મૃતિ સમારોહનો અહેવાલ વાંચો.

જન્મ

  • ૧૩, ઓગસ્ટ – ૧૯૫૪, મુંબાઈ

અવસાન

  • ૧૬, એપ્રિલ – ૨૦૧૭, સુરત

કુટુમ્બ

  • માતા -રેખાબહેન  , પિતા – નાનુભાઈ
  • પત્ની – જયશ્રી , પુત્ર – ચિંતન , પુત્રી – દુર્વા

શિક્ષણ

  • બી.કોમ, એમ.એ., NDHSC ( Naturopathy)

વ્યવસાય

  • સાહિત્ય સંગમ’ પ્રકાશન સંસ્થા

તેમની યુ-ટ્યુબ ચેનલ

તેમના વિશે વિશેષ

  • નર્મદ સાહિત્ય સભાના મંત્રી, ‘સાહિત્ય સંગમ’હેઠળ અનેક કાર્યક્રમો યોજ્યા હતા.
  • ગુજરાતી સાહિત્ય પરિષદના વિકાસ મંત્રી
  • સંવેદન અને સુખી જીવન સામાયિકોના તંત્રી
  • બાળકોના વિકાસમાં અત્યંત ઋચિ. બાળકોને વાર્તાઓ કહેવી, તેમની પાસે કહેવડાવવી, લખાવવી, પ્રશ્નોત્તર કરવા, ચર્ચાઓ કરાવવી વિ.
  • પોતાની ષષ્ઠીપૂર્તિ વખતે ૬૦ શાળાઓમાં સાભિનય વાર્તાકથનના પ્રયોગો
  • ‘ગુજરાત મિત્ર’માં દર ગુરૂવારે ‘મનના મઝધારેથી’ કોલમના લેખક
  • તેમનાં પુસ્તકો કેવળ શબ્દ વિલાસ ન રહેતાં અનેક લોકોનાં જીવનને ઉન્નત બનાવતાં સાબિત થયાં છે.

jn5

રચનાઓ

jn7

તેમનાં પુસ્તકો – ‘પુસ્તક સાગર’ પર

jn1jn2jn3

સન્માન 

  • ૧૯૯૪ – નવચેતન ચન્દ્રક
  • ૧૯૯૮, ૨૦૦૨, ૨૦૦૭, ૨૦૦૮ – ગુજરાતી સાહિત્ય અકાદમીનો એવોર્ડ
  • ૨૦૦૧ – નંદ શંકર ચન્દ્રક
  • ૨૦૦૨ – સ્વ. સરોજ પાઠક સ્મૃતિ પારિતોષિક
  • ૨૦૦૨ – ટાગોર ઈન્ટરનેશનલ કલ્ચર અને લિટરેચરનો ગુજરાત એવોર્ડ
  • ૨૦૦૨ – ગીજુભાઈ બધેકા એવોર્ડ
  • ૨૦૧૨ – ધૂમકેતુ એવોર્ડ

સાભાર

  • શ્રી. નાનુભાઈ નાયક

પૂજાલાલ દલવાડી, Pujalal Dalwadi


pd1આ ક્યાંથી ગગડાટ અંબર મહીં ના મેઘખંડે દીસે
વા માઝા મૂકી સિંધુ ફાળ ભરતો આવે ધસી આ દિશે
કે વિંધ્યાચળના ભયાનક વને ત્રાડી રહ્યો કેસરી
પ્હાડો યે ધડકે ભરાય ફટકે ફાટી પડે દિગ્ગજો

સરી ન જતી કલ્પના ત્વરિત આમ ત્યાગી મને
જરી સ્થિર તરંગ રાખ તવ રંગ રંગે ભર્યા

નીરવ નાદ-લહરીઓ આવે!
અનહદનું આહ્‌વાન,
અનાહત નાદ-લહરીઓ આવે !

ગૂગલ ડોક્સ પર

વિકિપિડિયા પર

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર 

———————————————
જન્મ

  • ૧૭, જૂન-૧૯૦૧, નાપા – જિ,ખેડા

અવસાન

  • ૨૭, ડિસેમ્બર – ૧૯૮૫, પોંડિચેરી

કુટુમ્બ

  • માતા – ?, પિતા – રણછોડદાસ
  • પત્ની -? , સંતાન -?

શિક્ષણ

  • પ્રાથમિક, માધ્યમિક – ગોધરા, નડિયાદ
  • ૧૯૧૮ – મેટ્રિક

તેમના વિશે વિશેષ

  • ઇન્ટર સુધી પહોંચ્યા બાદ અભ્યાસ છોડી દીધો.
  • અંબાલાલ પુરાણીના સમ્પર્કથી રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ અને શ્રી અરવિંદના આધ્યાત્મિક જીવન પ્રત્યે આકર્ષણ અને દેશભક્તિ તથા ચારિત્ર્યશુદ્ધિના સંસ્કાર.
  •  ૧૯૨૩માં એકાદ વર્ષ કોસિન્દ્રાની ગ્રામશાળામાં વ્યાયામ શિક્ષક.
  • ૧૯૨૬ થી પોંડિચેરીમાં સ્થાયી વસવાટ.

pd2

રચનાઓ

  • કવિતા – પારિજાત, પ્રભાતગીત, શ્રી અરવિંદ વંદના, શ્રી અરવિંદ મહાપ્રભુ, સાવિત્રી પ્રશસ્તિ, મહાભગવતી, પાંચજન્ય, મુક્તાવલી, શુક્તિકા, દુહરાવલી, ગુર્જરી, વૈજ્યન્તિ, અપરાજિતા, કાવ્યકેતુ, સોપાનિકા, શતાવરી, દુઃખગાથા, ધ્રુવપદી, શબરી
  • બાળ સાહિત્ય –  બાલગુર્જરી, કિશોરકાવ્યો, કિશોરકુંજ, કિશોરકાનન, કિશોરકેસરી, મીરાંબાઈ’ – ગીતનાટિકા
  • ગદ્ય – છંદપ્રવેશ, શ્રી અરવિંદ : જીવનદર્શન અને કાર્ય, સાવિત્રી સારસંહિતા’
  • અન્ય ભાષા – સંસ્કૃત અને અંગ્રેજીમાં પણ કેટલાક ગ્રંથો
  • અનુવાદ
    • કવિતા – સાવિત્રી-ભા.૧-૬, મેઘદૂત
    • ગદ્ય – પરમ શોધ, શ્રી અરવિંદનાં નાટકો, માતાજીની શબ્દસુધા

સાભાર 

  • ગુજરાતી સાહિત્ય કોશ
  • વિકિપિડિયા
  • શ્રી. પી.કે.દાવડા

જુગતરામ દવે, Jugatram Dave


jd1વેડછીનો વડલો

બૂડ્યો પંડિત પુષ્પિત ભાષા;
અલંકાર, ઝડ ઝમ્મક, પ્રાસા

તેમની એક રચના –  ‘ભાઈને હાથે માર’

એનું જીવનકાર્ય અખંડ તપો
અમ વચ્ચે બાપુ અમર રહો !

અંતરપટ આ અદીઠ,
અરેરે ! આડું અંતરપટ આ અદીઠ !

ગુજરાતના જુ.કાકા –  મીરાં ભટ્ટ

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર

વિકિપિડિયા પર

શ્રી જુગતરામ દવે આશ્રમશાળા યોજના – ગુજરાત સરકાર

———————————————-

જન્મ

  • ૧, સપ્ટેમ્બર – ૧૮૮૮, લખતર, જિ- સુરેન્દ્રનગર

અવસાન

  • ૧૪, માર્ચ – ૧૯૮૫, ગાંધી આશ્રમ, વેડછી

કુટુમ્બ

  • માતા – ? , પિતા – ચીમનલાલ
  • અપરિણિત

શિક્ષણ

  • પ્રાથમિક/ માધ્યમિક – વઢવાણ, ધ્રાંગધ્રા, મુંબાઈ

વ્યવસાય

  • શિક્ષણ, પત્રકારત્વ, લોકસેવા

તેમના વિશે વિશેષ

  • નોન મેટ્રિક પણ સાહિત્ય/ શિક્ષણ/ સેવા માં અદભૂત પ્રદાન
  • ૧૯૧૭ – મુંબાઈમાં ‘વીસમી સદી’ માં નોકરી
  • એક વર્ષ સયાજીપુરામાં ગ્રામસેવા
  • ? – કાકાસાહેબ કાલેલકર અને સ્વામી આનંદના સંસર્ગથી ગાંધી આશ્રમમાં શિક્ષણ કાર્ય
  • ૧૯૧૯-૧૯૨૩  નવજીવનમાં સેવા
  • ૧૯૨૭ – બારડોલી સત્યાગ્રહમાં સક્રીય ભાગ
  • ૧૯૨૮થી – વેડછી (જિ,સુરત) ખાતે અદિવાસીઓની અને  ગ્રામ સેવા
  • વિભિન્ન સત્યાગ્રહોમાં નવ વર્ષ જેલમાં ગાળ્યા.
  • ૧૯૭૧-૭૮ ‘વટ વૃક્ષ’ માસિકનું સંચાલન

jd2

રચનાઓ

  • કવિતા – કૌશિકાખ્યાન( મહાભારતની એક કથા પરથી) , ગીતાગીતમંજરી, ગ્રામ ભજનમંડળી, ઈશ ઉપનિષદ, ગુરૂદેવનાં ગીતો
  • નાટિકાઓ – આંધળાનું ગાડું, પ્રહ્લાદ નાટક અને સહનવીરનાં ગીતો, ખેડૂતનો શિકારી અને મધ્યમસરની ચાલ
  • નિબંધ – આત્મરચના અથવા આશ્રમી કેળવણી,
  • જીવન ચરિત્ર –  ગાંધીજી (બાળકો માટે – ગુજરાતી, હિન્દી અને  અંગ્રેજીમાં), ખાદી ભક્ત ચુનીભાઈ
  • આત્મકથા – મારી જીવન કથા
  • બાળસાહિત્ય – ગાલ્લી મારી ઘરરર… જાય, ચાલણગાડી, ચણીબોર, પંખીડાં, રાયણ

સાભાર 

  • ગુજરાતી સાહિત્યકોશ

લાભશંકર ઠાકર, labhshankar thaker


la_tha-જલભીંજેલી
જોબનવંતી
લથબથ ધરતી
અંગઅંગથી
ટપકે છે કૈં
રૂપ મનોહર!

-મારા કોઈ ભાષિક કથનમાં
એક વાર પણ મેં મને જોયો નથી,
પ્રચંડ જુઠ્ઠાણાં મારાં છે
પણ રે તેમાંય  હું નથી.

-લઘરા તારા કાન મહીં એક મરી ગયું છે મચ્છર
એ મચ્છરની પાંખો ફફડે
શબ્દો તારા થરથર થથરે
ફફડાટોની કરે કવિતા
કકળાટોની કરે કવિતા
પડતા પર્વતનો ભય તારા ભાવજગત પર ઝૂમે
કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે?

તેમની એકાંકીઓ વિશે

તેમની રચનાઓ

કવિતાકોશ પર એક અછાંદસ

વૃક્ષ – એકાંકી

એક સરસ અંજલિ

ચિત્રલેખા પર અંજલિ

મુંબાઈ સમાચારમાં અંજલિ

વિકિપિડિયા પર

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર

________________________________

ઉપનામ

  • લઘરો, પુનર્વસુ

જન્મ 

  • જાન્યુઆરી 14, 1935,  સેડલા (સુરેન્દ્રનગર)

અવસાન

  • ૬, જાન્યુઆરી- ૨૦૧૬, અમદાવાદ

કુટુમ્બ

  • માતા –  ? ;  પિતા –     ?

અભ્યાસ

  • એમ. એ., ડી. એસ. એ. સી.

વ્યવસાય

  • આયુર્વેદિક ચિકિત્સક

જીવન ઝરમર

  • સાતેક વર્ષ અમદાવાદ શહેરની વિવિધ કોલેજોમાં અધ્યાપક તરીકે રહ્યા હતા
  • અમદાવાદમાં ચિકિત્સા તથા લેખન પ્રવૃત્તિ
  • ‘રે’ મઠ ના સભ્ય

la_tha_chitralekha

રચનાઓ

  • કવિતા –  વહી જતી પાછળ રમ્ય=ઘોષા, માણસની વાત, મારે નામને દરવાજે, બૂમ કાગળમાં કોરા, પ્રવાહણ, લઘરો, કાલગ્રંથિ, ટોળા અવાજ ઘોંઘાટ વિ.
  • નવલકથા – અકસ્માત, કોણ?, પીવરી, લીલા સાગર, હાસ્યાયન, ચંપકચાલીસા, અનાપસનાપ વિ.
  • નિબંધો – એક મિનિટ, ક્ષણ-તત્ક્ષણ, સૂરજ ઊગ્યો કેવડિયાની ફણસે વિ.

સન્માન 

  • વિશેષ રણજિતરામ સુવર્ણચંદ્રક
  • ચંદ્રક

સાભાર

  • કર્તા-કૃતિ પરિચય
  • મૃગેશ શાહ
  • ગુજરાતી સાહિત્ય સંગમ
  • બકુલ ટેલર – મુંબાઈ સમાચાર

અરુણા જાડેજા, Aruna Jadeja


Aruna_1

  • ( લખવાનું શરૂ કર્યું બાદ) મારામાં ખૂબ જ બદલાવ આવ્યો છે. જ્યારથી મેં લખવાનું શરૂ કર્યું ત્યારથી મને ડિપ્રેશનનો ‘ડી’ કે ફ્રસ્ટ્રેશનનો ‘એફ’ શું છે તેની ખબર જ નથી. અત્યારની જનરેશનને નાની ઉંમરે આ બધું જોવા મળતું હોય છે. મારી પાસે એટલું કામ છે કે ભગવાને મને બે હાથની જગ્યાએ દસ હાથ આપ્યા હોત તો… અને દિવસના ૨૪ કલાકની જગ્યાએ ૫૦ કલાક આપ્યા હોત તો… હું મારા અલગ-અલગ કામને ટાઈમ આપી શકત.
  • પરિવારને મારા પ્રત્યે ગર્વ છે. મારા પૌત્રો પણ કહે છે વી પ્રાઉડ ઓફ યુ દાદી
  • હું જીવનમાં સતત જુવાન રહેવા માગું છું. કારણ કે, મારા નામની પાછળ જુવાનસિંહ લખાય છે.
  • હું ટૂંક સમયમાં સંસારમાંથી નિવૃત્તિ લઈ રહી છું અને આધ્યાત્મિક માર્ગે વળી રહી છું.

————————————————————————

મૂળ સ્રોત - અહીં ક્લિક કરો

મૂળ સ્રોત – અહીં ક્લિક કરો

સમ્પર્ક 

  • એ-1, સરગમ ફ્લેટ્સ. નવરંગપુરા, ઈશ્વરભુવન રોડ, અમદાવાદ, ૩૮૦ ૦૧૪
  • ફોન  079-26449691, 94285 92507
  • ઈમેલ    arunaj50@yahoo.com

નામ

  • અરુણા જુવાનસિંહ જાડેજા

જન્મ

  • ૯ , નવેમ્બર – ૧૯૫૦

Aruna_2

કુટુમ્બ

  • માતા- ? , પિતા – ?
  • પતિ – જુવાનસિંહ, સંતાન – ?

શિક્ષણ

  • એમ. એ. બી. એડ. (ગુજરાતી સાહિત્ય)

વ્યવસાય

  • અધ્યાપન – વાડિયા વીમેન્સ કોલેજ, સુરત –  ૧૯૭૩ – ૮૧

આ ચિત્ર પર 'ક્લિક' કરો

આ ચિત્ર પર ‘ક્લિક’ કરો

તેમના વિશે વિશેષ

  • જન્મ મહારાષ્ટ્રિયન  “બીલ્ગી”   કુટુંબ માં થયો
  • અરૂણાબેન મરાઠી સાહિત્યને ગુજરાતી સાહિત્યમાં લાવે છે  કારણ કે પણ આખી જિંદગી ગુજરાતમાં કાઢી તેથી મરાઠી કરતાં ઘણી વખત તેમના ગુજરાતી અનુવાદો શ્રેષ્ઠ રહ્યા છે.
  • ૨૦૦૫માં હાસ્ય લેખોના મરાઠીથી ગુજરાતીમાં અનુવાદ કરેલ એક પુસ્તક સાહિત્ય અકાદમીએ બહાર પાડ્યું ! ૨૦૧૦માં તેમને આ પુસ્તક માટે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો.
  • છેલ્લાં 12 વર્ષોથી ‘ અંધજન મંડળ’, અમદાવાદમાં ધો. 10 અને 12ના અંધ વિદ્યાર્થીઓ તેમજ કોલેજના અંધ વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી તેમ જ સંસ્કૃત વિષયોનું શિક્ષણકાર્ય અને કેસેટ તેમજ સીડીનું રેકોર્ડિંગ. (માનદ્ સેવા)
  • એક ઓળખ- બુકમાર્કસ્- ઘરમાં જ રહ્યે પુસ્તકપ્રેમીઓ સાથેનો સંપર્ક ટકાવવાનો નુસખો, છેલ્લા 8 વર્ષથી આ પ્રયાસ ચાલુ
  • અખંડાનંદ ,જનકલ્યાણ,કુમાર,નવનીત સમર્પણ,પરબ,શબ્દસૃષ્ટિ,ઉદ્દેશ,પ્રત્યક્ષ,સમીપે,તથાપિ  જેવાં ગુજરાતી અને  મરાઠી સામયિકોમાં સ્વતંત્ર લેખન – કુલ ૧૫૦ થી વધારે મૌલિક લેખો
  • મુંબઈના ધો. 12ના ગુજરાતીના પાઠયપુસ્તકમાં એક પ્રકરણનો સમાવેશ
  • એમ.એ. પાર્ટ-2(ગુજ. યુનિ.)ના અભ્યાસક્રમ(તુલનાત્મક સાહિત્ય)માં સમાવેશ
  • સંપાદનકાર્ય – સામયિક ‘દિવ્ય સંસ્કૃતિ’, લાઈફ મિશન પ્રકાશન, વડોદરા\
  • આખી જિંદગી સાઈકલ પણ ચલાવેલી ન હોવા છતાં, ૫૦ વર્ષની ઉમરે કાર ચલાવતા શીખ્યાં!
  • ૫૫ વર્ષની ઉમરે કોમ્પ્યુટર શીખ્યા, અને સામાયિકોમાં પેજ મેકરમાં બનાવેલી ફાઈલો જ મોકલવા લાગ્યા!
  • અરુણાજીને કુકિંગનો પણ ખૂબ શોખ છે. તેમના આઈસક્રીમ અને કેક ખૂબ વખણાય છે. એમાં પણ પાનનો આઈસ્ક્રીમ તેમની યુએસપી છે.

તેમણે છપાવેલ એક બુકમાર્ક

તેમણે છપાવેલ એક બુકમાર્ક

હોબી

  • બાગકામ, ભરતગૂંથણ, કલા-કારીગરી, સંગીત-શ્રવણ (કાનસેન)

aruna_4

પ્રદાન

  • અનુવાદો
    • ગુજરાતી-મરાઠી  – विनोदमेळा’ – વિનોદ ભટ્ટ,  ‘
    • મરાઠી-ગુજરાતી  –  પુલકિત, મુકામ શાંતિનિકેતન – પુલ.દેશપાંડે;  ઈડલી, ઓર્કિડ અને હું, તમન્ના તમારી, મારગ અમારો – વિઠ્ઠલ કામત, રિયાઝનો કાનમંત્ર, યશવંત દેવ; ભૂમિ, આશા બગે, સંસ્મરણોનો મધપૂડો, સ્વ. વા.ના. ચિત્તળે;  શ્યામની  બા- સાને ગુરૂજી,  મન સાથે મૈત્રી, સમર્થ રામદાસ સ્વામી,  ભણે તુકો – સંત તુકારામ,  આડબંધ’(ચૅકડૅમ) – સુરેખા શાહ,  શ્રી ઇચ્છા બલવાન, શ્રીનિવાસ થાણેદાર,    શ્રીમદ્ ભાગવત્ કથાસાર, ગમતાનો કરીએ ગુલાલ – કાવ્યાનુવાદો.,
    • સંસ્કૃત- ગુજરાતી – શ્રીમદ્ ભગવદગીતા,  શ્રી વિષ્ણુસહસ્રનામ, શ્રી સૂક્તમ્, શ્રી શિવ મહિમ્ન સ્તોત્રમ્ શ્રી પુરુષ સૂક્તમ્, શ્રી ગણપતિ અથર્વશીર્ષ
    • અંગ્રેજી – ગુજરાતી –  પ્રથમ બુક્સ’  (બેંગલોર) ની બાળવાર્તાઓ,
  • નિબંધ – (લ)ખવૈયાગીરી, સંસારીનું સુખ સાચું,

સન્માન 

  • ગુજરાત સાહિત્ય અકાદમી
  • अखिल भारतीय वाङमय परिषद, बडौदे
  • રાષ્ટ્રીય સાહિત્ય અકાદેમી

સાભાર

  • રીડ ગુજરાતી
  • ગુજરાતી સાહિત્ય સંગમ

રમણ પાઠક, Raman Pathak


raman_pathak.jpg

“મંદીર બાંધવા કરતાં જાહેર સંડાસ બાંધો.”

સારા માણસ થવામાં તો સુખ-આનંદ છે, પછી મુશ્કેલી જ ક્યાં ?

‘ગુજરાત મિત્રે’માં વસંતોત્સવ

તેમના પુસ્તક ‘વિવેક વલ્લભ વિશે’ 

–  ‘રીડ ગુજરાતી’ પર તેમના વિચારો

તેમની આત્મકથાના લોકાર્પણ વખતે નાનુભાઈ નાયકે આપેલ ‘પરિચય’ પ્રવચન

#   એક લેખ 

# આધુનિક મહર્ષિ -વલ્લભ ઇટાલિયા

—————————————————————–

જન્મ

  • 30 –  જુલાઈ , 1922  ;   રાજગઢ (પંચમહાલ)

અવસાન

  • ૧૨, માર્ચ – ૨૦૧૫, બારડોલી

કુટુમ્બ

  • માતા – ઈચ્છાબા ; પિતા – હિંમતલાલ
  • પત્નીસરોજ ( લેખિકા ) ; પુત્રી – શર્વરી

અભ્યાસ

  • પ્રાથમિક , માધ્યમિક –  રાજગઢ
  • બી. એ  – એમ. ટી. બી. કોલેજ, સુરત
  • એમ. એ.  – ગુજરાત યુનિ. ( 40 વર્ષની ઉમ્મરે, સુવર્ણ ચન્દ્રક સાથે ! )

વ્યવસાય

  • 1948- 68   –   પત્રકારત્વ
  • લેખન

જીવનઝરમર

  • જ્ઞાતિની કન્યા સાથે થયેલી સગાઇ તોડી પરજ્ઞાતિના સરોજબેન સાથે માત્ર બે રૂપીયાના ખર્ચે પરણ્યા.
  • મુંબાઇના ‘હિન્દુસ્તાન’ દૈનીકના તંત્રીવિભાગમાં
  • પછી સોવિયેટ રશીયાના માહીતિ ખાતામાં મુખ્ય સંચાલક
  • 1968 – બધું છોડી શેક્ષણ ક્ષેત્રે
  • સુરતના ‘ ગુજરાત મિત્ર’  માં ‘રમણ ભ્રમણ’ નામની બહુ જ લોકપ્રિય અને સમાજના કુરિવાજો અને ધાર્મિક અંધશ્રધ્ધાની સામે લાલબત્તી ધરતી કોલમના લેખક  
  • પ્રખર વિવેકપંથી( Rational thinker), ગુજરાતમાં રેશનાલીઝમના પિતામહ
  • બાળકોની અને સ્ત્રીઓની વેદનાઓ તેમના લખાણોનો મુખ્ય વિષય

વ્યવસાય

  • શિક્ષક, પત્રકાર, પછી આકાશવાણી-દિલ્હીમાં સમાચારપ્રસારક
  • “સોવિયેત સમાચાર”માં સંપાદક
  • દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજોમાં ગુજરાતીના પ્રાધ્યાપક

મુખ્ય રચનાઓ

  • નવલકથા -ઓથાર
  • વાર્તા – સબસે ઊંચી પ્રેમસગાઈ, પ્રીત બંધાણી, અકસ્માતના આકાર.
  • હાસ્યલેખ  – હાસ્યલોક, હાસ્યોપનિષદ
  • ચિંતન/  નિબંધ  – આક્રોશ, રમણભ્રમણ, આંસુ અનરાધાર, વિવેક વલ્લભ
  • સંપાદન – સરોજ પાઠકની શ્રેષ્ઠ વાર્તાઓ
  • અનુવાદ – ધીરે વહે છે દોન, ચેખોવની શ્રેષ્ઠ નવલકથાઓ

સાભાર

  • શ્રી. હરીશ રઘુવંશી

કાકા કાલેલકર, Kaka Kalelkar


 

kaka_kalelkar.jpg # ‘હિમાલય નો પ્રવાસ’ ના અંગ્રેજી અનુવાદ – (અશોક મેઘાણી  ) વિશે

હિમાલયનો  પ્રવાસ ‘ – પુસ્તક પરિચય – શ્રીમતિ દીપલ પટેલ 

#  વિકિપિડિયા પર પરિચય

#  ગુજરાત વિદ્યાસભાની વેબ સાઈટ પર ઘણા બધા ફોટા

___________________________

નામ

  • દત્તાત્રેય કાલેલકર

જન્મતારીખ

  • ડિસેમ્બર 1, 1885

જન્મસ્થળ

  • સતારા (મહારાષ્ટ્ર)

અવસાન

  • 1981

માતા

  • રાધાબાઈ

પિતા

  • બાલકૃષ્ણ કાલેલકર

અભ્યાસ

  • મેટ્રિક (1903)

વ્યવસાય

  • દેશસેવા, કેળવણી

kaka_kalelkar

જીવન ઝરમર

  • પૂનામાં ફર્ગ્યુસન કોલેજમાં અભ્યાસ શરૂ કર્યો, પણ લોકમાન્ય ટિળકના પ્રભાવ નીચે રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં ઝંપલાવ્યું,
  • થોડો સમય બેલગામ તથા વડોદરામાં શિક્ષક,
  • 1913– સ્વામી આનંદ સાથે હિમાલય-પ્રવાસ
  • આચાર્ય કૃપલાની સાથે બ્રહ્મદેશ પ્રવાસ
  • 1915- ટાગોરના ‘શાંતિનિકેતન’ માં ગાંધીજીને મળ્યા, અમદાવાદના સત્યાગ્રહ આશ્રમ તથા ‘ગૂજરાત વિદ્યાપીઠ’ સાથે સંકળાયા
  • 1932 થી સતત દેશનો પ્રવાસ
  • 1960 – ગુજરાતી સાહિત્ય પરિષદના અમદાવાદ અધિવેશનના પ્રમુખ

પ્રદાન

  • 40 પુસ્તકો

મુખ્ય રચનાઓ

  • જીવનનો આનંદ, રખડવાનો આનંદ, જીવનલીલા, ઓતરાદી દીવાલો, હિમાલયનો પ્રવાસ, બ્રહ્મદેશનો પ્રવાસ, સ્મરણયાત્રા  વિ.

સન્માન

  • 1964- પદ્મવિભૂષણ, તેમના ફોટા વાળી ટપાલ ટિકીટ બહાર પડી છે.

%d bloggers like this: