ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: પત્રલેખન

દેવિકા ધ્રુવ, Devika Dhruv


devi3# લગાવ  એવા, કહો કેવા ? કે વારંવાર ધક્કા દે.
અરે! લાગ્યું ન લાગ્યું દિલ,ને પારાવાર ઝટકા દે.  

રૂમઝૂમતું  કંઈક આવ્યું છે, કોઈ લઈ લો રે, કોઈ લઈ લો.
મઘમઘતું કંઇક ફોર્યું છે, કોઈ ભરી લો રે, કોઈ લઈ લો.

#  મળવા જેવા માણસ – એક પરિચય

રચનાઓ – ‘પ્રતિલિપિ’  પર 

# રચનાઓ – ‘લયસ્તરો’ પર 

‘ચિત્રલેખા’ માં પરિચય

# વાચકોને બહુ ગમેલી શ્રેણી – ‘પત્રાવળી’ 


તેમનો બ્લોગ 

devi2

આ ચિત્ર પર ક્લિક કરો.

dhruv

જન્મ

  • ૭, ફેબ્રુઆરી – ૧૯૪૮, અમદાવાદ ( મૂળ વતન – ભુડાસણ )

કુટુમ્બ

  • માતા – કમળા બહેન; પિતા – રસિકલાલ
  • ભાઈઓ – નવિન, વીરેન્દ્ર  ; બહેનો – કોકિલા, સુષ્મા, સંગીતા (બધાં અમેરિકામાં વસવાટ અને  કોઈ ને કોઈ રીતે લલિત કળાઓ સાથે સંકળાયેલાં)
  • પતિ – રાહુલ;  પુત્રો– બ્રિન્દેશ, અચલ 

શિક્ષણ

  • ૧૯૬૮ –  બી.એ. ( સંસ્કૃત) એચ.કે. આર્ટ્સ કોલેજ, અમદાવાદ

વ્યવસાય

  • ભારતમાં – ગુજ. યુનિ.માં વહીવટી શાખામાં
  • અમેરિકામાં – શરૂઆતમાં ન્યુયોર્કમાં બેન્કમાં . પછીના જીવનમાં હ્યુસ્ટન ખાતે શિક્ષિકા

devika_dhruv_1

devika_dhruv_2

તેમના વિશે વિશેષ

  • નાનપણથી જ સાહિત્યમાં લગાવ અને ઉજ્જ્વળ શૈક્ષણિક કારકિર્દી.
  • દસમા ધોરણમાં હતાં ત્યારે પહેલી કવિતા ’તમન્ના’ લખેલી.
  • શાળા અને કોલેજ કાળ દરમિયાન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સક્રીય ભાગ. એચ.કે. આર્ટ્સ કોલેજમાં હતાં ત્યારે સંસ્કૃતમાં પ્રવચન પણ આપ્યું હતું.
  • બી.એ.માં યુનિ. માં પ્રથમ અને ગોલ્ડ મેડલિસ્ટ
  • પતિ ક્રિકેટના ગજબનાક શોખીન, ૧૯૬૭માં રણજી ટ્રોફીના ક્રિકેટર
  • હ્યુસ્ટનની ‘સાહિત્ય સરિતા’ સંસ્થામાં અને અનેક લલિત કળાના કાર્યક્રમોમાં સક્રીય પ્રદાન

રચનાઓ

  • કવિતા – શબ્દોને પાલવડે, કલમને કરતાલે, અક્ષરને અજવાળે ( ઈ-બુક)
  • પત્ર શ્રેણી – આથમણી કોરનો ઉજાસ ( નયના પટેલ સાથે )
  • સંશોધન–  (અંગ્રેજીમાં) – Glimpses into legacy( Dhruv family), Maa ( Banker family), Gujarati Sahitya Sarita, Houston – History

img_2435

સાભાર

  • શ્રી. નવિન બેન્કર

અંબાલાલ પુરાણી, Ambalal Purani


–   ખરો પારસમણિ તો આપણા અંતરમાં રહેલો છે. આપણી પોતાની અંદર જ એવી કોઇક વસ્તુ રહેલી છે, કે જેના સંબંધમાં આપણે આવીએ, તો આપણી જિંદગી બદલાઇ જાય; આપણે પોતે જેવા હોઇએ તે મટી જુદા જ બની જઇએ. માનવમાંથી જાણે દેવ બની જવાય.

–  વિકીપિડિયા ઉપર

–  તેમણે કરેલ શ્રી. અરવિંદના લેખનો એક અનુવાદ.

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ ઉપર

—————————————————

જન્મ

  • ૨૬,મે-૧૮૯૪; સુરત
  • વતન – ભરૂ્ચ

અવસાન

  • ૧૧, ડિસેમ્બર – ૧૯૬૫; પોંડિચેરી

કુટુમ્બ

શિક્ષણ

  • પ્રાથમિક – ભરૂચ
  • ૧૯૦૯ – મેટ્રિક
  • ૧૯૧૩– ફિઝિક્સ અને કેમિસ્ટ્રી સાથે બી.એ.

વ્યવસાય

  • સમગ્ર જીવન સમાજસેવા અને યોગસાધનામાં સમર્પિત

તેમના વિશે વિશેષ

  • વડીલબંધુ છોટુભાઈ  સાથે ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના પ્રારંભક અને પ્રસારક
  • ભારતની સ્વતંત્રતા માટે જન જાગૃતિ અને બોમ્બ પ્રવૃત્તિમાં અગ્રેસર
  • શ્રી. અરવિંદે ભારતની સ્વતંત્રતાની ખાતરી અપાવ્યા બાદ સમગ્ર જીવન અરવિંદ આશ્રમને સમર્પિત
  • ૧૯૩૮-૧૯૫૦ શ્રી. અરવિંદના અંગત સહાયક
  • ૧૯૨૨થી આમરણ – પોંડિચેરી આશ્રમમાં યોગસાધના અને આશ્રમમાં સેવા

રચનાઓ

  • વાર્તા– દર્પણના ટુકડા, ઉપનિષદની વાતો
  • ચરિત્ર – મણિલાલ નથુભાઈ દ્વિવેદી, શ્રી. અરવિંદ જીવન
  • પ્રવાસ વર્ણન – ઇન્લેન્ડની સંસ્કારયાત્રા, પથિકનો પ્રવાસ – તેવીસ વર્ષ પછી, પથિકની સંસ્કારયાત્રા (દક્ષિણ આફ્રિકા)
  • પત્રસાહિત્ય – પથિકના પત્રો, પત્રોની પ્રસાદી, પત્રસંચય ( સુંદરમ્‍ સાથેનો પત્રવ્યવહાર) , પુરાણીના પત્રો
  • નિબંધ – પથિકનાં પુષ્પો, ચિંતનનાં પુષ્પો, સમિત્પાણિ
  • આધ્યાત્મિક – યોગિક સાધના, મા, વિજ્ઞાનયોગ, પૂર્ણયોગની ભૂમિકાઓ, પૂર્ણયોગ નવનીત, ભક્તિયોગ, સૂત્રાવલી સંગ્રહ, શ્રી.માતાજી સાથે વાર્તાલાપ, પૂર્ણયોગનો જ્ઞાનયોગ, પૂર્ણયોગના પ્રકાશમાં, સવિત્રીગુંજન,
  • અનુવાદ– રવીન્દ્રનાથ ટાગોરનાં સંસ્મરણો, સાધના, સંયમ અને ભક્તિમાર્ગ
  • English 
    • The Life of Sri Aurobindo. Pondicherry: Sri Aurobindo Ashram, 1958.
    • Evening Talks with Sri Aurobindo. Pondicherry: Sri Aurobindo Ashram, 1959.
    • Lectures on Savitri: lectures delivered in the United States. Pondicherry: Sri Aurobindo Ashram, 1967.

સાભાર 

  • ગુજરાતી સાહિત્યકોશ
  • ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ
  • વિકીપિડિયા

.

જુગલકીશોર વ્યાસ, Jugalkishor Vyas


ઉંઝા આધારીત –  સરળ જોડણીમાં )

jugalkishor_vyas.jpg

“કોણ આ અંતરે આવી આવી અને  અવનવી ઊર્મિઓને  જગાડે ?
કોણ અણદીઠ હાથે હ્રદય-બીનના તાર   હળવે  રહીને  વગાડે ? ”

“દુનીયાનો  અંધકાર  મને શું   કરી શકે ?
અંધારું ગર્ભકાળનું  આંજ્યું છે આંખમાં. ”

” કો’  મંદીરે   ખુદા  ને   રામ   મસ્જીદે    રહે:
એવી કો’ શક્યતાનું સ્વપ્ન લઈ ફરું છું હું ! ”

‘ આવ્યાં’તાં એકલાં અને જઈશુંય એકલાં. વચ્ચે અહીં રહ્યાં એ એકલાં નહીં પણ અનેકલાં થઈને રહ્યાં.’
ગીતાજી જેને ‘વ્યક્તમધ્ય’ કહે છે તે આ જીવન જ મારે મન મહત્ત્વનું છે. અહીં સૌની સાથે, સૌનાં બનીને, સૌ માટે રહેવાની વાતમાં બધો સાર આવી જાય છે. સુસંકલીત-સુગ્રથીત-સુસંવાદીત-સુવ્યવસ્થીત સમાજની કલ્પના અને આશા જ સાથે જીવન જીવવામાં સાર્થકતા છે. ‘સહનાવવતુ…’એ ફક્ત પ્રાર્થના જ નથી; એ જીવન-વ્યવહાર બની રહે એમાં જીવ્યાંની સાર્થકતા. ”

#   વ્યાકરણના પાઠો      :    પીંગળશાસ્ત્ર

#   તેમના અનુભવો

તેમના બ્લોગ ……….

#    શાણી વાણીનો શબદ   :   NET-ગુર્જરી
પત્રમ્ પુષ્પમ્          :   આપણા મલકમાં

___________________________________________________   Read more of this post

કૃષ્ણવીર દીક્ષિત, Krishnaveer Dixit


” ઇશ્વર, ગુરુ અને ગ્રંથ- આ ત્રણ જ વિશ્વાસ રાખવા જેવા છે. “krishnaveer_dixit_face.gif

” ગુરુ થા તારો તું જ. (અખો) ”
-એમનું પ્રિય પ્રેરક અવતરણ

“માયાના મામલામાં ભલે હોય તું ફકીર,
છોડી નહીં કલમ ને કિતાબો, હે કૃષ્ણવીર!
તારા ગયા પછી હશે સિલકમાં નીર-ક્ષીર,
સ્નેહી વિવેકની કરે સલામ રઘુવીર!”
-શ્રી રઘુવીર ચૌધરીએ એમના માટે લખેલ

” કૃષ્ણવીરભાઇ વિવેચક તરીક રેતીમાં દરિયાની કુંડલી દોરવાનું
અઘરું કાર્ય કરી રહ્યા છે. ”
-શ્રી સુરેશ દલાલનાં શબ્દો

 k_dixit_sign.jpg

# રચના : વેબ સાઇટ

__________________________________________ Read more of this post

રાધેશ્યામ શર્મા, Radheshyam Sharma


radheshyam_sharma.jpg“ગાલીચાના વાઘ
નહોરોને તીણા
કરવા ઉંદરોને ગોતે છે.”  

તેમના બહુ જ પ્રિય અવતરણો : –

” You don’t want  a million answers, as much as you want a few forever questions. The questions are diamaonds you hold in the light. Study a lifetime and you see different colours  from the same jewel.” – Richard Bach
” લખનારા બધું જાણતા નથી, જાણનારા બધું લખતા નથી.”

# રચના      :    એક રચના       :     હાઇકૂ     :    એક  અછાંદસ રચના

# પુસ્તક પરિચય

__________________________________________ Read more of this post

નાનુભાઇ દલપતભાઈ, નાયક, Nanubhai D. Naik


“શરદબાબુની પેઢીના ચીલો ચાતરનારા એક સંવેદનશીલnanubhai_dalpatbhai_naik.jpg
નવલકથાકાર શ્રી નાનુભાઇ નાયકની સાહિત્ય રચનાઓમાં
પંડિત યુગના એક લેખકની ભાવનાનાં દર્શન થાય છે.  તેમણે
શરૂઆતથી જ શરદબાબુ અને રમણલાલ વસંતલાલ દેસાઇના
પ્રભાવ નીચે વિચારો અને ભાવનાઓની રજૂઆત અને કથારસનો
સુંદર સમંવય કરી પોતાની કૃતિઓની રચના કરી છે.”

–  ડૉ. રમણલાલ જોષી( વિવેચક)

__________________________________________ Read more of this post

રાવજી પટેલ,Ravji Patel

%d bloggers like this: