ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: ફિલ્મક્ષેત્ર વિષયક

કાજલ ઓઝા-વૈદ્ય, Kajal Ojha Vaidya


Kajal_2
( વાંચો અને સાંભળો )

વિકિપિડિયા પર

તેમની સાથે પ્રશ્નોત્તર

તેમની રચનાઓ

——————————————————-

જન્મ

  • ૨૯, સપ્ટેમ્બર – ૧૯૬૬, મૂંબાઈ

કુટુમ્બ

  • માતા-?; પિતા – દિગંત ઓઝા
  • પતિ – સંજય વૈદ્ય; સંતાન – ?

શિક્ષણ

  • ૧૯૮૬ – બી.એ.( સંસ્કૃત, અંગ્રેજી) , ગુજરાત યુનિ.( અમદાવાદ)
  • એમ.એ. – એડ્વર્ટાઈઝિંગ મેનેજમેન્ટ ( મુંબાઈ યુનિ.)

ચિત્રલેખા હીરક મહોત્સવમાં પ્રવચન

અસ્મિતા પર્વમાં પ્રવચન

શિકાગોમાં પ્રવચન( ત્રણ ભાગ પૈકીનો પહેલો ભાગ )

તેમના વિશે વિશેષ

  • હિન્દી અને ગુજરાતી સિનેમા તેમજ ટેલિવિઝન ક્ષેત્રે કટાર લેખક, કવિ, અભિનેત્રી અને સંચાલક તરીકે પણ યોગદાન આપ્યું છે.
  • તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાના સ્ક્રિપ્ટ લેખન વિષયમાં મુલાકાતી શિક્ષક તરીકે કાર્ય કર્યુ છે.
  • સંદેશ,ગુજરાત ડેઇલી,લોકસત્તા-જનસત્તા,ઈન્ડીયન એકસપ્રેક્ષ ,મુંબઇ,અભિયાન,સમકાલીન,સંભવ માં પત્રકારત્વ
  • દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર(સુરત),કચ્છ-મિત્ર, જન્મભૂમિ-પ્રવાસી,કલક્ત્તા હલચલમાં કટાર લેખક

Kajal_3

 

Kajal_4

રચનાઓ

  • ૪૫ પુસ્તકો(નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, અનુવાદો, નિબંધો, નાટકો અને ૪ ઓડિયો પુસ્તકો)

સન્માન

  • ૧૯૮૧: નેશનલ એવોર્ડ અને નિબંધ લેખન માટે “સંસ્કાર ચંદ્રક”
  • ૧૯૮૨: નેશનલ એવોર્ડ અને ટૂંકી વાર્તા લેખન માટે “સંસ્કાર ચંદ્રક”
  • ૧૯૮૧-૮૨/૧૯૮૨-૮૩: શ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડ, ગુજરાત યુનિવર્સિટી યુથ ફેસ્ટીવલ

સાભાર

  • શ્રી. વિનોદ પટેલ
  • ગુજરાતી વિકિપિડિયા

રામચંદ્ર ઠાકુર, Ramchandra Thakur


નામ

રામચંદ્ર નારાયણ ઠાકુર

જન્મ

૧૭ ડિસેમ્બર ૧૯૦૮ ; ચિત્રોડા જિ. સાબરકાંઠા

અભ્યાસ

  • એમ.એ. (પાલી વિષય) ; મુંબઇ
પ્રદાન
  • પ્રારંભમાં વ્યાયામ શિક્ષક
  • પત્રકાર અને ફિલ્મોમાં લેખક, નિર્માતા અને દિગ્દર્શક
  • નવલકથા, ચરિત્ર અને ટૂંકી વાર્તા ક્ષેત્રે લેખન
રચનાઓ
  • નવલકથા – આમ્રપાલી, ધન જોબન અને ધૂન, મીંરા પ્રેમદીવાની
  • હાસ્યલેખસંગ્રહ – ગિરજો ગોર, ગિરજા ગોરનો સોટો
  • ચરિત્રલેખન – મા આનંદમયી, શ્રી સહજાનંદ સ્વામી
  • નાટક – સ્ત્રી ગીતા અથવા વીજળી ગામડીયણ
  • વાર્તાસંગ્રહ – શેફાલી, હોઠ અને હૈયાં
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ખંડ ૬

વિઠ્ઠલ પંડ્યા, Vitthal Pandya


પ્રેરક અવતરણ

‘સંઘર્ષ સિવાય સાચું સુખ નથી.

-\-

_________________________________________

સંપર્ક

  • 103 A Krishna Palace ,Near Sai Dham , Thakur Complex , Kandivli East , Mumbai 400101 ,
  • Ph : 2854 1480
  • પુત્ર – સંજય પંડ્યા – sanjaypandya003@gmail.com

જન્મ

  • 21 – જાન્યુઆરી, 1923; કાબોદરા જિ. સાબરકાંઠા

અવસાન 

  • ૩, જુલાઈ- ૨૦૦૮

કુટુંબ

  • માતા – મેનાંબા ; પિતા – કિરપારામ
  • પત્ની – જસુમતી બહેન ;  પુત્રો – અશોક, રાજેશ, સંજય

અભ્યાસ

  • 1942 – મેટ્રીક
  • ઈંટરમીડિયેટ
  • કોવિદ

વ્યવસાય

  • લેખન
  • ફિલ્મ ક્ષેત્રે દિગ્દર્શન

WhatsApp Image 2021-01-21 at 8.36.40 AM

જીવનઝરમર

  • ચોવીસેક વર્ષ ફિલ્મક્ષેત્રે દિગ્દર્શન અને અભિનયમાં ગાળ્યાં.
  • દસેક ગુજરાતી ફિલ્મો અને દસેક હિન્દી ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક.
  • રાજકપૂર અભિનીત ફિલ્મ “રિપોર્ટર”માં સહાયક દિગ્દર્શક.
  • પુનાતરની જાણીતી ગુજરાતી ફિલ્મ મંગળફેરામાં વ્યાજખાઉ શેઠનું પાત્ર ભજવ્યું. ઉપરાંત ફિલ્મ ગોરખધંધા, નારદમુનિ આદિમાં નાનાંમોટાં પાત્રો ભજવ્યાં.
  • પ્રથમ પ્રકાશિત મૌલિક કૃતિ – મીઠાં જળનાં મીન.

WhatsApp Image 2021-01-21 at 8.36.40 AM (1)

રચનાઓ

  • આત્મકથા –  ભીંત ફાડીને ઉગ્યો પીપળો
  • નવલકથા – મીઠાં જળનાં મીન, મન મોતી ને કાચ, પાનખરનાં ફૂલ, કંચનવર્ણી, ચિરપરિચિત, દરદ ન જાને કોય – ભાગ 1, 2, નિષ્કલંક, મન મેલાં તન ઊજળાં, આંખ ઝરે તો સાવન, સાત જનમના દરવાજા, આ ભવની ઓળખ, ભીંતો વિનાનું ઘર, માણસ હોવાની મને બીક, આખું આકાશ મારી આંખોમાં, લોહીનો બદલાતો રંગ, સમણાં તો પંખીની જાત, યાદોનાં ભીનાં રણ, નૈન વરસ્યાં યાદભર, અસલી નકલી ચહેરા, સપનાના સોદાગર
  • વાર્તાસંગ્રહો – રસિક પ્રિયા, જખમ, આસક્તિ, નહિ સાંધો નહિ રેણ, શ્રેષ્ઠ વાર્તાઓ
  • પરિચયપુસ્તિકા – ગુજરાતી ફિલ્મના પાંચ દાયકા
  • હિન્દી – અસલી નકલી ચહેરા, સપનાના સોદાગર તથા મન મોતી ને કાચ

સન્માન

  • ‘સવિતા’ વાર્તાહરીફાઈમાં ઈનામો

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
  • ગુજરાતી સાહિત્યકોશ – ખંડ -2
  • પુત્ર – સંજય પંડ્યા

માધવ રામાનુજ, Madhav Ramanuj


madhavramanuj.jpgઅંદર તો એવું અજવાળું, અજવાળું.
સળવળતી હોય આંખ જેને જોવાને,
એ મીંચેલી આંખે ય ભાળું.

(વાંચો: કાવ્યરસાસ્વાદ )

“એક ક્ષણ જો યુધ્ધ અટકાવી શકો –
ટેન્ક પર માથું મૂકી ઊંઘી લઉં.”

એક એવું ઘર મળે આ વિશ્વમાં,
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું;
એક એવું આંગણું કે જ્યાં મને;
કોઈપણ કારણ વગર શૈશવ મળે !

આપણે તો ભૈ રમતારામ !
વાયરો આવે-જાય એણે ક્યાંય બાંધ્યાં ના હોય ગામ.

રોઈ રોઈ આંસુની ઊમટે નદી તો એને કાંઠે કદમ્બવૃક્ષ વાવજો,
વાદળ વરસે ને બધી ખારપ વહી જાય પછી ગોકળિયું ગામ ત્યાં વસાવજો.

mr_hand_writting.jpg

વધુ રચનાઓ: – 1 – : – 2 – : – 3 – : – 4 –

# સાંભળો – પાસપાસે તોયે   – માળામાં ફરક્યું વેરાન

# તેમની રચનાઓ વિશે

_______________________________________________________________________
જન્મ

  • 22 – એપ્રિલ, 1945 ; પચ્છમ તા.ધંધુકા, જિ. અમદાવાદ

કુટુમ્બ

  • માતા – ગંગાબા; પિતા – ઓધવજી દયારામ( જાણીતા વૈદ્ય)
  • પત્ની – લલિતા- (સંગીત વિશારદ) પુત્રીઓ – દીપ્તિ (સંગીત શિક્ષિકા); નેહા – લેક્ચરર, ફાઈન આર્ટ્સ, સી.એન. વિદ્યાલય,

અભ્યાસ

  • શાળા શિક્ષણ – પચ્છમ, અમદાવાદ, સાદરા તથા ‘ લોકશાળા ગ્રામભારતી’
  • 1973 – ‘કમર્શિયલ આર્ટ’ વિષયમાં ડિપ્લોમા – સી.એન.કોલેજ ઓફ ફાઈન આર્ટ્સ, અમદાવાદ.

વ્યવસાય

  • 1969 – અખંડ આનંદના તંત્રી વિભાગમાં
  • 1971 – કુમાર કાર્યાલય
  • 1969 -70 – વોરા પ્રકાશન સંસ્થા
  • 197073 – આર.આર. શેઠની કંપનીમાં મુખપૃષ્ટચિત્રોના કલાકાર
  • 1973 થી – સી.એન. ફાઈન આર્ટ્સકોલેજમાં અધ્યાપક
  • પ્રિન્સિપાલ ( ઉપર મુજબ)
  • 2004 થી – સર્વોચ્ચ અધિકારી, ડીપાર્ટમેન્ટ ઓફ હ્યુમન રીસોર્સ, શ્રીમતી જી.આર. દોશી અને શ્રીમતી કે.એમ.મહેતા ઈન્સ્ટીટ્યુટ ઓફ કીડની ડીસીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર ( IKDRC)તથા ડૉ.એચ.એલ.ત્રિવેદી ઈન્સ્ટીટ્યુટ ઓફ ટ્રાંસ્પ્લાંટેશન સાયન્સીઝમાં ન

જીવનઝરમર

  • અનેક સમારંભોમાં સંચાલન, કવિમુશાયરાઓ-ડાયરાનું સંચાલન
  • અમદાવાદ દૂરદર્શન માટે ‘રેવા’ નામક નાટકમાં કથા, પટકથા, ગીતોની રચના
  • અનેક ગુજરાતી ફિલ્મો માટે ગીતોની રચના
  • અનેક ક્ષેત્રોના મહાનુભાવોના જાહેર ઈંન્ટર્વ્યૂ લેનાર, મોરારિબાપુનો સળંગ આઠ કલાકનો ઈન્ટરવ્યુ
  • ગુજરાત સમાચાર, સંદેશ, જનસત્તા, નૂતન ગુજરાત, જન્મભૂમિ પ્રવાસી, વિ. માં દસેક વર્ષથી વિવિધ વિષયો પર કોલમ રૂપે લેખો.
  • શ્રી ગિરીશ કર્નાડના અધ્યક્ષપદ નીચે રાષ્ટ્રીય સંગીત નાટક અકાદમીના પાંચ વર્ષ સભ્ય
  • લલિતકલા અકાદમી તથા ગુજરાત સંગીત નાટક અકાદમીના બે ટર્મ માટે સભ્ય.
  • ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી પદે આઠ વર્ષ
  • ‘ગાંધર્વ મહાવિદ્યાલય’ ના ચેરમેન તરીકે એક ટર્મ
  • ‘એથિકલ કમિટી ફોર કીડની ટ્રાન્સ્પ્લાન્ટેશન’ ના સભ્ય
  • ‘આયુ ટ્રસ્ટ’ ના મેનેજીંગ ટ્રસ્ટી
  • ઉત્તર બુનિયાદી સંસ્થા ‘ગ્રામભારતી’ ના સંચાલક મંડળમાં કાયમી સભ્ય
  • ચેરમેન, ગુજરાત વિજ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન
  • ‘સાહિત્ય પ્રવાસ’ – લીટરરી એકેડેમી ઓફ અમેરિકાના નિમંત્રણથી 3 માસનો પ્રવાસ
  • નૈરોબી-કેન્યાના પ્રવાસે શ્રી મોરારિબાપુ સાથે

રચનાઓ

  • કાવ્યસંગ્રહો – તમે * , અક્ષરનું એકાન્ત, કલરવના દેશ
  • નવલકથા – પીંજરની આરપાર + (રુબીન ડેવીડના જીવન પર આધારિત) , સૂર્યપુરુષ ભાગ 1-2. ( શ્રી ચીમનભાઈ પટેલના જીવન પર આધારિત.) , કુણાલની ડાયરી , પરોઢિયાના પાલવ ઓથે ( બે વર્તમાનપત્રોમાં ધારાવાહિક રૂપે પ્રકાશિત.)
  • નાટક – અક્ષરનું અમૃત ( પ્રમુખ સ્વામીના જીવન પર આધારિત ) , રાગ-વિરાગ ( ડૉ.એચ.એલ ત્રિવેદીના જીવન પર આધારિત ) , એક હતી રૂપા ( રેડિયો નાટક ) , કીડની વેશ, હૃદયનું હૃદય કીડની, કીડનીદાન જીવનદાન , પ્રત્યારોપણ પ્રેમનું ( કીડની ટ્રાન્સ્પ્લાંટેડ દરદીઓ દ્વારા અનેકવાર ભજવાયેલું ),
  • ભવાઈ વેશ – જસમા , ગુરુ ગણિકા ( સાતમી સદીના ભગવદ અજ્જાકિયા ની મૂળ કૃતિ પરથી.)

સન્માન

  • ગુજરાત સરકારનું ઈનામ *
  • સાહિત્ય અકાદમી તથા સાહિત્ય પરિષદનું ઈનામ +
  • 1974 અને 1999 – દૂરદર્શન તરફથી વર્ષનાં ઉત્તમ ગીતોની રચના માટે ઇનામ
  • 2004‘એકલવ્ય’ લાઇફ ટાઇમ એચીવમેંટ એવોર્ડ

રજનીકુમાર પંડ્યા, Rajnikumar Pandya


Rajani_Pandya” મારી ટપાલ શું કરે છે ? ”
– મકરંદ દવે રજનીકાન્ત પંડ્યાને ……

” ફિલ્મ જગતનું સર્વોચ્ચ સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડ મેળવનાર કાનનદેવી કેવા નિબીડ દુર્ગંધભર્યા ને અંધકારભર્યા જીવનમાંથી યશ અને કીર્તિની ચકાચૌંધ દુનિયામાં આવી શક્યાં ! કેવી હશે કાનનબાલામાંથી કાનનદેવી બનવાની એમની એ યાત્રા? ”

#    રચના     –  1  –  :   –  2  –   :    –  3  –   

#   પુસ્તકો 

#   તેમનો બ્લોગ

# મારા જીવનનો વળાંક – તેમના જ શબ્દોમાં ‘Must read’ તેમના લેખક બનવાની કથા

__________________________________________ Read more of this post

%d bloggers like this: