ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: ભક્તો / સંતો

પ્રમુખ સ્વામી, Pramukh Swami


Pramukh_Swami    અક્ષર પુરુષોત્તમ સંસ્થા BAPS, બોચાસણના, ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયનાપાંચમા આધ્યાત્મિક અનુગામી

BAPS  વિશે…..

# BAPS web site

# સ્વામીનારાયણ સંસ્થા

#  વિકિપિડિયા પર

# વિશેષ માહિતી લેખ

#  કિડની મશીનનું ઉધાટન – એક ‘સરસ’ લેખ

# અવસાન પ્રસંગે અંજલિ – વિનોદ વિહાર ઉપર

તેમનાં વચનો-

  • બીજાના ભલામાં આપણું ભલું છે. બીજાના સુખમાં આપણું સુખ છે. બીજાના આનંદમાં આપણો આનંદ છે. બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે.” ,
  • જે દેશનો યુવાન ચારિત્ર્યવાન અને નૈતિક રીતે દ્ર્ઢ હશે, તેનો વિકાસ કોઈ જ અટકાવી શકશે નહીં.
  • ધર્મ શું છે?..ફક્ત સદાચાર.
  • માણસની આધ્યાત્મિક જરુરિયાત માટે મંદિર જેવી સંસ્થાઓ બહુ જ જરૂરી છે.દેશની રક્ષા માટે જેમ મિલિટરીની જરૂર છે, તેટલી જ જરૂર સંસ્કારો માટે સમાજ ને છે. સંતો તેના પ્રોફેસરો છે.

અક્ષરધામ, નવી દિલ્હી

નામ

  • પ્રમુખ સ્વામી મહારાજ
  • સાધુ નારાયણ સ્વરૂપદાસજી
  • સંસારી નામ- શાન્તિભાઈ પટેલ

જન્મ

  • તા-૭/૧૨/ ૧૯૨૧( હિન્દુ પંચાંગ…વિક્રમ સંવત–૧૯૭૮ના માગશર સુદ-૮)
  • વતન… ચાણસદ ગામ, પાદરા તાલુકા, વડોદરા જિલ્લો

અવસાન

  • ૧૩, ઓગસ્ટ;  સાળંગપુર, જિ. અમદાવાદ

કુટુમ્બ

  • પિતા– મોતીભાઈ; માતા-દિવાળીબા
  • ભાઈ બહેન – ચાર ( તેમનાથી બધાં મોટાં)

અભ્યાસ

  • પાંચમા ધોરણ સુધી ગામની શાળામાં
  • મેટ્રિક સુધી તાલુકા મથક પાદરાની નિશાળમાં
  • પછી સ્વામીનારાયણ ગુરૂકૂળમાં ધાર્મિક અભ્યાસ

વ્યવસાય

  • આજીવન સ્વામીનારાયણં, અક્ષર પુરૂષોત્તમ  સંસ્થા ( BAPS) ની સેવા અને નેતૃત્વ

તેમના વિશે વિશેષ

  • તેમનું જન્મ સ્થાન – ચાણ્સદ ગામમાં , ઢાળવાળી ગલિમાં, ડાબા હાથે આવેલું બે ઓરડાનું પહેલું મકાન…આજે ‘પ્રાગટ્ય તીર્થ’ તરીકે સંસ્થાએસ્મૃતિ મંદિર બનાવ્યું છે ને ,હરિભક્તોનું આસ્થા કેન્દ્ર છે.
  • ૧૮-૧૯ વર્ષની ઉમ્મરે, ગુરુશાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી અને માતા, પિતાની સમ્મતિ  લઈ, ગૃહત્યાગ કર્યો અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં  સાધુ બન્યા.
  • ભક્તિ પરાયણ કુટુમ્બના સંસ્કાર ઝીલતાં, પિતા સાથે ગુરુસત્સંગ થકી, એકાદશીના વ્રત કરવાની બાળવયે શરુઆત કરી. ગુરુ શાસ્ત્રીજી ધર્મ સભા માટે ચાણસદ ગામે આવ્યા ત્યારે; પિતાજી સાથે  દર્શને ગયા.પૂ. શાસ્ત્રીજી મહારાજે ત્યારે  તેમને જોઈને કહ્યું…મોતીભાઈ..”આ અમારા છે’ સમય આવે સેવા માટે યાદ કરીશું.
  • શાળા અભ્યાસ દરમિયાન ખુબ જ તેજસ્વી, હમ્મેશ પહેલો, બીજો ક્રમ જાળવી રાખતા.સાથે સાથે ક્રિકેટ રમવામાં, તરવામાં અને સ્વામીનારાયણ સમ્પ્રદાયનાં ભજનો ગાવામાં ખુબ ક રસ.
  • તા. ૭, નવેમ્બર – ૧૯૩૯.- ઘેરથી ક્રિકેટનો સરંજામ લેવા વડોદરા જવા નીકળ્યા. રસ્તામાં ભાઈલા ગામના રાવજીભાઈએ ચિઠ્ઠી આપી, એમાં લખ્યું હતું; ” સાધુ થવા આવી જાઓ” અને હરિભક્ત કુટુમ્બે આનેજીવનની ધન્ય પળો ગણી હસતે મુખે, કોઈ ચહલ પહલ વગર, ગૃહત્યાગ માટે તેમને વિદાય દીધી…એ દિવસ હતો
  • ૨૨ નવેમ્બર,૧૯૩૯ – પ.પૂ ગુરુ શાસ્ત્રીજી મહારાજે, અમદાવાદમાં પાર્ષદની દીક્ષા આપી.એ વખતે એમનું નામ ‘શાન્તિ ભગત’ હતું !
  • પછી સંસ્કૃત ભાષાના અધ્યયનની શરૂઆત
  • સંસ્કૃત ભણી શાસ્ત્રીજી બ્ન્યા, સાધુ જીવનની દિનચર્યામાં એવા તો ગોઠવાઈ ગયા કે ગુરુ શાસ્ત્રીજી મહારાજના વહાલા બની ગયા.
  • ૧૦ જાન્યુઆરી,૧૯૪૦ – અક્ષર ડેરી, ગોંડલ – શાસ્ત્રીજી મહારાજે , પૂ.યોગીજી મહારાજ સાથે, સંપૂર્ણ વૈદિક વિધિથી ભાગવતી દીક્ષા આપી.; સાધુ નારાયણસ્વરૂપદાસ સ્વામીની પદવી આપી
  • ૨૩મા વર્ષે સંસ્થાનીવહિવટી કમિટીમાં નિમણૂક
  • ૧૯૪૬માં,૨૪મા વર્ષે   સારંગપુરમાં સ્વામીનારાયણ મંદીરના કોઠારીની મહત્ત્વની જવાબદારી
  • ૨૧ મી મે,૧૯૫૦ (ફક્ત ૨૮ વર્ષની વયે) – નવા કામકાજ હાથ ધરવાની કોઠાસૂઝ જોઈ..શ્રી શાસ્ત્રીજી મહારાજે, પ.પૂ.યોગીજી મહારાજની આશીષ સાથે, બોચાસણ અક્ષર પુરુષોત્તમ સંસ્થાના ‘પ્રમુખ’ તરીકેની ખૂબ જ મોટી જવાબદારી, સોંપી.,
  • ૧૦મી મે,૧૯૫૧ – પ.પૂ .યોગીજી મહારાજના અવસાન બાદ , ભગવાન સ્વામીનારાયણ સ્વામીનાપાંચમા અનુગામી તરીકે, સંત ચરણ કોટી જન ઉધ્ધારક થઈ ને પ્રમુખ સ્વામી, , આ યુગના સાચા સંત  તરીકે  પૂજાય છે.
  • આજે ૯૪મા વર્ષે ,સંસ્થાને વિશ્વવંદનીય વિરાટ સંસ્થા બનાવી ,દોરવણી આપી રહ્યા છે.
  • પૂર, ભૂકંપ, દુષ્કાળ, સમયે, લાખો નિસ્વાર્થ સેવાભાવી  સ્વયં સેવકોની ફોજ, ભાતૃભાવથી કાર્ય કરતી, વિશ્વે જોઈ છે.
  • વિશ્વના અનેક મહાનધર્મગુરુઓ, રાજકીય મહાનુભાવો, સમાજસેવી સંસ્થાઓ  સાથે, છ દાયકા સુંધી, સંત પ્રતિભાથી તેમણે સૌને પોતીકા બનાવ્યા છે.
  • ૨૯ ઑગષ્ટ,૨૦૦૦ – તેમનું યુનોની ધર્મસભામાં , (Millennium world peace summit of spiritual leaders),ગુજરાતી માતૃ ભાષામાં પ્રવચન,
  • ૧૯૮૩માં તેમણે હાર્ટ એટેક અનુભવ્યો પણ બેઠા થઈ તરત કાર્યરત બની ગયા.
  • ૫૫ જેટલાવિદેશોમાં રચનાત્મક રીતે આજે BAPS  કાર્યરત છે; જેના તેઓ સૂત્રધાર છે.
  • સ્વામીશ્રીનો કરુણા પ્રવાહ-
    ૧૯૯૩નો મહારાષ્ટ્રના ભૂકંપ વખતે; ઓરીસ્સાનું વાવાઝોડું, ચેન્નાઈના દક્ષિણ ભાગે કન્યાકુમારી,આંદોમાન-નિકોબાર ટાપુ, સુનામીની ભયંકર તબાહી, ૨૦૦૬ નો સુરતનો જળપ્રલય, નૈરોબી-દારેસલામ,૨૦૦૧નો ગુજરાત-ભૂજનો ભયંકર ભૂકંપ કે કેલિફોર્નીઆ(અમેરીકા)ના ભૂકંપ પીડિતો;
  • હાલ ૧૧૦૦ ઉપરાંત પ્રાચીનતમ, આરસપહાણ કોતરણી કલાના શિખરબધ્ધમંદિરોનું   નિર્માણ. આની  યશ કલગી સમાન, દિલ્હી સ્થિત  વિશાળ અક્ષરધામનું નિર્માણ ફક્ત પાંચ જ વર્ષમાં પૂરું થયેલું.
  • ૮ જુલાઈ – ૨૦૦૦ – ૭૧૩ મંદિરોના નિર્માણના યોગદાન સમયે, Guinness World Records recognize()   ,પ્રમુખ સ્વામીને સન્માનિત કરેલા છે..
  • ૨૮ જેટલા વિદેશ પ્રવાસ અને બધે ભક્તિરસની લ્હાણી
  • પ્રમુખ સ્વામીના ગુરુપદે..બીએપીએસ..સ્વામિનારાયણ સંસ્થાનો વ્યાપ—-
  • ૫૫ દેશોમાં , ૧૨૫૦૦ ઉપરાંત વિશ્વવ્યાપી સત્સંગ મંડળો..મહિલા મંડળો થકી..યુવા આંતરિક શક્તિ વિકાસ સંચાલન.
  • વિશ્વના ૧૫ જેટલા દેશોમાં ૭૫૦થી વધુ નવાં મંદિર સંકુલનો નિર્માણ કરી..કુલ ૧૧૦૦ મંદિરોમાં ૯૦૯૦ જેટલાં સંસ્કાર કેન્દ્રોનું નિયમિત સંચાલન.
  • ૪૦ સામાજિક સેવા સંકુલો દ્વારા વિરાટ નિઃસ્વાર્થ ,નિઃશુલ્ક સેવા (હરિભક્તોના દાનથી),
  • ૮૦ નૂતન શાળાઓ ,૩૧ શિક્ષણ પરિસરો(૧૧૦૦૦ વિદ્યાર્થીઓ પ્રતિ વર્ષ લાભ લે..છાત્રાલય સાથે)
  • ૨૨ જેટલાં આરોગ્ય કેન્દ્રો ..૭ મોટીહોસ્પિટલો.. ફરતા દવાખાના સાથે…પરિવહન , ( પાંચ લાખ દર્દીઓને પ્રતિવર્ષ સેવા)

 રજૂઆત સંકલન

  • રમેશ પટેલ(આકાશદીપ)

આધાર

  • સત્સંગ, Pramukh swami Maharaja
  • Life and brief work by BAPS Sadhu

અખો


akho_1.jpg– “એક મૂરખને એવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ.”

– “અંધ સસરો ને શણગટ વહુ, કથા સુણવા ચાલ્યું સૌ.”

– ઓછું પાત્ર ને અદકું ભણ્યો; વઢકણી વહુએ દીકરો જણ્યો

મારકણો સાંઢ ચોમાસું માલ્યો; કરડકણો કૂતરો હડકવા હાલ્યો

મર્કટ ને વળી મદિરા પીએ; અખા એથી સૌ કોઈ બીએ

– અખાના છપ્પા

વિકિપિડિયા ઉપર

– ‘ વાચનયાત્રા’ ઉપર   ભાગ -૧ ;  ભાગ -૨ 

જીવન ઝલક –      ભાગ –  ૧ ;      ભાગ –  ૨

———————————————————

 નામ

  • અખો સોની

જન્મ

  • આશરે – 1600   ; જેતલપુર – અમદાવાદ  જિ.

અવસાન

  • આશરે – 1655 – અમદાવાદ

કુટુમ્બ

  • પિતા – રહીયાદાસ

વ્યવસાય

  • સોનીકામ

જીવન ઝરમર

  • બહેને સોનાની બાબતમાં અવિશ્વાસ પ્રગટ કરતાં જીવનમાં પરિવર્તન,
  • ‘અખા’ ના ચાબખા જેવા છપ્પા તેની વિશેષતા
  • ગુજરાતી ઉપરાંત હિંદી અને વ્રજભાષામાં રચનાઓ
  •  ખાડિયાની દેસાઇની પોળનું એક મકાન “અખાના ઓરડા” તરીકે ઓળખાય છે.

મુખ્ય રચનાઓ

  • ધાર્મિક– અખેગીતા, કૈવલ્યગીતા, સાખીઓ, કૃષ્ણ ઉધ્ધવ સંવાદ, પંચીકરણ, અનુભવ બિંદુ, ગુરૂ- શિષ્ય સંવાદ ,
  • સમાજ સુધાર – સામ્પ્રત સમાજ અને ધાર્મિક દંભ પર ચાબખા મારતા 750 જેટલા છપ્પા

સાભાર

  • ’આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ મ. શુકલ – પ્રવીણ પુસ્તક ભંડાર
  • ચિત્ર – સ્વ. રવિશંકર રાવળ

શ્રીમદ્ રાજચંદ્ર, Shrimad Rajchandra


Rajchandra_3

બાહ્ય ક્રિયામાં રાચતા, અંતરભેદ ન કાંઈ,
જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ આંઈ.

એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ
પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.

કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ
ભવે ખેદ પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ.

( આત્મ સિદ્ધિ શાસ્ત્ર – અહીં આખું વાંચો . )

તેમના જીવન વિશે વિસ્તૃત માહિતી

–   શ્રીમદ રામચન્દ્ર મીશન, ધરમપુર ની વેબ સાઈટ

–   વિકિપિડિયા પર

——————————————————–

મૂળ નામ

  1. લક્ષ્મીનંદન

જન્મ  

  • ૧૦, નવેમ્બર-  ૧૮૬૭ ( દેવ દિવાળી); વવાણિયા- જિ. મોરબી

અવસાન

  • ૧૯૦૧, રાજકોટ

કુટૃમ્બ

  • માતા– દેવબા; પિતા – રવજીભાઈ; ભાઈ – મનસુખ
  • પત્ની – ઝબકબેન; પુત્રો – છગનલાલ, રતિલાલ; પુત્રીઓ – જવલબેન, કાશીબેન

શિક્ષણ

  • પ્રાથમિક – સાત ધોરણ

Rajchandra_4

[  ગુજરાતીમાં તેમના જીવન વિશે  ]

તેમના વિશે વિશેષ

  • ચાર વર્ષની ઉમરે નામ બદલીને રાજચન્દ્ર રાખવામાં આવ્યું હતું.
  • પિતા વૈષ્ણવ હતા; અને માતા જૈન. આ બન્ને સંસ્કાર તેમને બાળપણથી જ મળ્યા હતા. બાળપણથી જ પ્રતિક્રમણ ( ક્ષમાયાચના) ની ઊંડી અસરનો અનુભવ થયો હતો.
  • સાત વર્ષની ઉમરે એક પરિચૈત વ્યક્તિ શ્રી. અમીચંદભાઈના અવસાન સમયે સ્મશાનમાં દેહને બળતો જોઈ; તેમને ગયા જન્મ વિશે જ્ઞાન થયું હતું અને  સહજ વિરક્તિભાવ પ્રગટ્યો હતો.
  • ભણવામાં અત્યંત તેજસ્વી હતા. શાળાનો સાત વર્ષનો અભ્યાસ માત્ર બે જ વર્ષમાં પુરો કર્યો હતો.
  • આઠ વર્ષની ઉમરે પહેલી કવિતા લખી હતી; અને સામાજિક બનાવો અંગે ઘણી કવિતાઓ લખી હતી- જે સ્થાનિક અખબારમાં પ્રગટ પણ થઈ હતી.
  • સ્ત્રી શિક્ષણની સુધારણા, બાળલગ્ન, પૈસાદારો દ્વારા થતો મૂડીનો દુર્વ્યય જેવા ગંભીર વિષયો પર લેખ લખ્યા.
  • પ્રાથમિક શિક્ષણ ( સાત ધોરણ) પુરું કરીને પિતાના ધંધામાં પરોવાયા હતા.
  • જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસ પણ કર્યો હતો; અને ૧૮ વર્ષની ઉમરે તો સચોટ ભવિષ્ય કથન કરી શકતા હતા.
  • 14 વર્ષની ઉંમરે સંસ્કૃત અને પ્રાકૃત ભાષા શીખી લીધી હતી અને પિતાની દુકાનમાં કામ કરતાં જૈન આગમ અને અન્ય ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો હતો.
  • 17 વર્ષની ઉંમરે તેમણે કોઈને આઠ જુદા જુદા કામ એક સાથે કરવાનો પ્રયોગ કરતા જોયા; જેને અષ્ટાવધાન કહે છે. એની પદ્ધતિ તેઓ શીખ્યા; અને  પછીના દિવસે તેઓએ બાર જાતના કામ એક સાથે કર્યા. તરત જ તેમની ધ્યાનની શક્તિ વધારતા ગયા અને ૧૦૦ અવધાન (ક્રિયાઓ) સફળતાપૂર્વક કરી બતાવ્યાં જે શતાવધાનના નામે ઓળખાય છે.
  • અસામાન્ય શક્તિ દર્શાવવા માટે યુરોપનું આમંત્રણ આવ્યું પણ તેમને તેનો અસ્વીકાર કર્યો
  • ૨૦ વર્ષની ઉમરે મુંબાઈમાં હીરાના ધંધામાં જોડાયા. ધંધાકીય સૂઝ અને ડહાપણને કારણે ઘણા ટૂંકા સમયમાં તેમનો ધંધો દેશ-પરદેશ સુધી વિકસ્યો.
  • ઈ.સ.1896 માં તેઓ ઉત્તરસંડાના જંગલોમાં, ઈડર અને કાવીઠામાં ઘણાં મહિનાઓ સુધી એકાંતમાં રહેતા. અને એક ટંક ભોજન જમતા, ખૂબ જ થોડી ઊંઘ લેતા. તેઓ તેમનો સમય ઊંડા ધ્યાનમાં પસાર કરતા. 28 વર્ષની ઉંમરે તેઓને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું.
  • 23 વર્ષની ઉંમરે શ્રીમદ્ રાજચંદ્રને સમ્યગ્દર્શન એટલે કે સાચી શ્રદ્ધા અથવા સહજ જ્ઞાનનો અનુભવ થયો.તેમના કોઈ આધ્યાત્મિક ગુરૂ ન હતા. સમગ્ર જાગૃતિ અંદરથી જ પ્રગટી હતી.
  • ૧૮૯૯ – ધંધામાંથી ૩૧ વર્ષની ઉમરે સંપૂર્ણ  નિવૃત્તિ
  • ગાંધીજી તેમના ઉપદેશોથી ઘણા પ્રભાવિત થયા હતા. અહિંસા માટેની આસ્થા   એનાથી પ્રગટી હતી. તેઓ શ્રીમદને પોતાના આધ્યાત્મિક માર્ગદર્શક માનતા હતા.
  • ઈચ્છા હોવા છતાં, સાંસારિક જવાબદારીઓને લીધી તેઓ દીક્ષા ગ્રહણ કરી શકેલા નહીં.
  • તેમની મહાનતાની તેમના જીવનકાળ દરમિયાન ખાસ નોંધ ન લેવાઈ. જૈન સમાજમાં શ્રીમદ્ બહુ પ્રિય ન હતા, કારણ કે તેમણે જૈન સમાજની સમજ અને હેતુરહિત ખોટી પ્રણાલીઓ વિશે ઉલ્લેખ કર્યો હતો. એમના મૃત્યુ બાદ એમની મહાનતાની પિછાણ લોકોને થઈ. 
  • તેમના અનુયાયીઓએ ધરમપુર ખાતે, તેમના ઉપદેશોના  પ્રસાર માટે સંસ્થા સ્થાપી છે.
  • સાબરમતી નજીક કોબા, અગાસ અને બીજા સ્થળોએ પણ તેમના ઉપદેશના પ્રસાર માટે આશ્રમો/ સંસ્થાઓ ચાલી રહ્યાં છે.

રચનાઓ

  • મોક્ષમાળા, ભાવના-બોધ, આત્મસિદ્ધિ શાસ્ત્ર, અપૂર્વ-અવસર
  • ઘણા જૈન દર્શનોનો અનુવાદ અને ટિપ્પણીઓ
  • જે શ્રીમદ્ રાજચંદ્રનું ‘વચનામૃત’ ( સમ્પૂર્ણ સાહિત્ય અને પત્રો)

સાભાર 

નારાયણ સ્વામી, Narayan Swami


Narayan-Swami

 “फकीरी में मजा जीसको, अमीरी क्या बेचारी हे”

શ્રી કેદાર સિંહજીના બ્લોગ ઉપર

તેમણે ગાયેલાં ભજનો ( ‘દાદીમાની પોટલી’ પર )

એક સરસ પરિચય લેખ (કેદારસિંહજી)

–  વિકિપિડિયા ઉપર 

——————————————————————————

મૂળ નામ

  • શક્તિદાન મહીદાન લાંગાવદરા

જન્મ

  • ૨૯, જુન- ૧૯૩૮; માંડવી
  • રહેઠાણ – રાજકોટ

કુટુમ્બ

  • માતા-?; પિતા- ?
  • પત્ની- ? સંતાનો -?

અવસાન

  • ૧૫, સપ્ટેમ્બર -૨૦૦૦

લક્ષ્મણ બારોટ સાથે

તેમના વિશે વિશેષ

  • ગુજરાતી ભજન નાં એક ખૂબ જ જાણીતા ગાયક કલાકાર
  • તેમનાં લોક ડાયરો અથવા સંતવાણી કાર્યક્રમો ભારત સહિત વિદેશોમાં થયા હતા.
  • દાસી જીવણ, મીરાં બાઈ, કબીરજી, ગંગાસતી અને નરસિંહ મહેતાનાં ભજનો સંભળાવીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
  • તેમણે સંસાર માંથી સન્યાસ લીધો હતો. શાપર (વેરાવળ)નાં પાટીયે આવેલ શ્રી પરબવાળા હનુમાન મંદીરે તેઓ થોડો સમય રહયા હતાં. જયાં તેઓ દર શનિવારે ભજન કરતા હતા.
  • તેમની સાથે વેરાવળ (શાપર)નાં મુળુભા(બચુભાઈ) તેમજ અન્ય સાથીદારો એ શરૂ કરેલ આ ક્રમ આજે પણ ચાલુ છે.
  • ત્યાર પછી તેઓ કચ્છ જિલ્લાનાં માંડવી ખાતે સ્થાપેલ આશ્રમમાં રહેતા હતા; જયાં બિમાર તથા અશક્ત ગાયોની સંભાળ માટે ગૌશાળા પણ સ્થાપેલ.
  • રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશને રાજકોટ શહેરમાં એક જાહેરમાર્ગનું નામ નારાયણ સ્વામી માર્ગ નામ આપેલ છે.

સાભાર

  • વિકિપિડિયા
  • શ્રી.અશોક દાસ
  • કેદારસિંહજી

ભજનો

દયાનંદ સરસ્વતી, Dayanand Saraswati


Dayanand_Swami– “સ્ત્રીઓને શિક્ષિત કરવાથી અને સુસંકૃત બનાવવાથી જ દેશની સાચી અને સંપૂર્ણ ઉન્નતિ થઈ શકશે.”

Main message – “Back to the Vedas” 

– “कृण्वन्तो विश्वं आर्यं”

તેમનાં વચનામૃત

‘ આર્યસમાજ’ના સ્થાપક
( આર્યસમાજ વિશે)

– દિવ્ય ચેતનાના સ્વામી દયાનંદ સરસ્વતી
( દિવ્ય ભાસ્કર માં લેખ )

‘સ્વર્ગારોહણ’ પર સરસ લેખ

વિકીપિડિયા ઉપર

Biography in English

‘મહર્ષિ દયાનંદ મારી નજરે’- શ્રી.ભાવેશ મેરજા દ્વારા અનુવાદિત સંપાદિત ઈ-બુક

Dayanand_Swami_4

——————————————

મૂળ નામ 

  • મુળશંકર તિવારી

જન્મ

  • ૧૨, ફેબ્રુઆરી – ૧૮૨૪, ટંકારા, મોરબી

અવસાન

  • ૩૦,ઓક્ટોબર- ૧૮૮૩; અજમેર, રાજસ્થાન

કુટુમ્બ

  • માતા– ? ; પિતા – કરશનદાસ

       મૂળશંકર નામના આ બાળકે શિવના મંદિરે જઇને નિશ્વય કર્યો કે મૂર્તિપૂજા કરવી નિરર્થક છે. હું એનો વિરોધ કરું છું.

    એક શિવરાત્રિએ પિતા મૂળશંકરને લઇને પૂજા કરવા માટે શિવમંદિરે લઇ ગયા. આખી રાત શિવપૂજા કરી, લાડુ ભોગ ચડાવ્યો. મૂળશંકર ધ્યાનથી શિવમંદિર અને શિવલિંગ તરફ જ જોતો રહ્યો. નિર્ભર થઇને શિવમંદિરમાં લિંગની સામે બેસી ગયો. જ્યારે તેણે જોયું કે ક્યાંથી ઉંદર આવ્યા અને શિવલિંગ ઉપર ચડાવેલો પ્રસાદ ખાઇ ગયા. આ ર્દશ્ય જોઇને મૂળશંકરના મનમાં વિચાર આવ્યો કે શિવજીની આ હાલત? મૂળશંકરને મૂર્તિપૂજાનો મોહભંગ થઇ ગયો. એમને દુ:ખ થયું અને વૈરાગ્ય જાગ્યો. એમને થોડા સમય માટેનો વૈરાગ્ય નહીં પરંતુ આખી જિંદગીનો વૈરાગ્ય આવી ગયો.

Dayanand_Swami_1

Dayanand_Swami_2

10 Principles* of the Arya Samaj

  1. God is the efficient cause of all true knowledge and all that is known through knowledge.

  2. God is existent, intelligent and blissful. He is formless, omniscient, just, merciful, unborn, endless, unchangeable, beginning-less, unequalled, the support of all, the master of all, omnipresent, immanent, un-aging, immortal, fearless, eternal and holy, and the maker of all. He alone is worthy of being worshiped.

  3. The Vedas are the scriptures of all true knowledge. It is the paramount duty of all Aryas to read them, teach them, recite them and to hear them being read.

  4. One should always be ready to accept truth and to renounce untruth.

  5. All acts should be performed in accordance with Dharma that is, after deliberating what is right and wrong.

  6. The prime object of the Arya Samaj is to do good to the world, that is, to promote physical, spiritual and social good of everyone.

  7. Our conduct towards all should be guided by love, righteousness and justice.

  8. We should dispel Avidya (ignorance) and promote Vidya (knowledge).

  9. No one should be content with promoting his/her good only; on the contrary, one should look for his/her good in promoting the good of all.

  10. One should regard oneself under restriction to follow the rules of society calculated to promote the well being of all, while in following the rules of individual welfare all should be free.

તેમના વિશે વિશેષ

  • ૧૮૪૬– બહેનના મૃત્યુ બાદ કિશોરાવસ્થામાં સત્યની ખોજમાં ઘરેથી નીકળી ગયા.
  • ગુરૂઓ – પરમહંસ પરમાનંદજી,  દંડી સ્વામી, સ્વામી વિરાજાનંદ
  • દંડી સ્વામીએ દીક્ષા આપી દયાનંદ સરસ્વતી નામ આપ્યું.
  • ફકત એક વર્ષમાં ધર્મશાસ્ત્રનું અઘ્યન કર્યું.
  • ગુરુની ખોજમાં ગુજરાત છોડીને કાશી ચાલ્યા ગયા. ત્યાં યોગાભ્યાસ કર્યો. એના પછી દૃઢ મનોબળની સાથે હિમાલયમાં તપસ્યા કરી. યોગ્ય ગુરુ તો ન મળ્યા, પરંતુ આત્મજ્ઞાન મળી ગયું.
  • ૧૦-૧૨ વર્ષની તપસ્યા પછી મહર્ષિ દયાનંદ સરસ્વતી દિવ્ય ચેતનાના સ્વામી બની ગયા. પરંતુ આત્મકલ્યાણની સાથે દેશની હાલત, ધર્મનું પતન, દંભ, પાખંડ વગેરે દેશમાંથી કેમ દૂર કરવાં? આ એમના મનમાં વ્યથા હતી. દેશની સંસ્કૃતિને કેમ બચાવવી આ જ વિચાર કરતા હતા.
  • હિંદુ ઉદ્ધાર માટે એમણે કઠોર પરિશ્રમ કર્યો હતો. તેમણે મુર્તિપૂજાનો વિરોધ, વિધવા વિવાહ સમર્થન, હરિજનોને યજ્ઞોપવીત, મમ્ડીરોમામ્ થતા પશુબલિનો વિરોધ, બુરખા પ્રથાનો વિરોધ, પરજ્ઞાતીય લગ્નો, વગેરે અંગે નવું ચિંતન પ્રગટ કર્યું.
  • તેમણે બ્રિટિશ શાસન, ઇસ્લામિક-ખ્રિસ્તી ધર્મસાંસ્કૃતિક આક્રમણ અને હિંદુ ધર્મમાં પરિવર્તનની આડે આવતાં સાંપ્રદાયિકબળો સામે મોરચો માંડયો હતો.
  • અનેક જગ્યાએ એમને માનસન્માન મળ્યું. પછી પોતાનું કાર્યક્ષેત્ર ઉત્તર ભારત બનાવ્યું
  • ૧૦,એપ્રિલ ૧૮૭૫ – મુંબઈમાં ‘આર્યસમાજ’ ની સ્થાપના કરી.
  • તેમના એક ખાસ અનુયાયી – શ્યામજી કૃષ્ણવર્મા
  • તેમના બીજા જાણીતા પ્રશંસકો
    Madam Cama, Pandit Guru Dutt Vidyarthi,Pran Sukh Yadav, Vinayak Damodar Savarkar,Lala Hardayal, Madan Lal Dhingra, Ram Prasad Bismil, Bhagat Singh, Mahadev Govind Ranade, Swami Shraddhanand. Mahatma Hansraj and Lala Lajpat Rai.
  • આજે પણ એમનું કીર્તિમંદિર પંજાબમાં છે.
  • પછી તેઓ રાજસ્થાન તરફ ચાલ્યા ગયા જયાં ઘણા ધર્મના કાર્યક્રમો યોજયા હતા. દેશી રાજયોના રાજાઓને ધર્મ તરફ આકર્ષિત કર્યા. જૉધપુરના રાજા જશવંત સિંહ પણ એનાથી પ્રભાવિત થયા અને ભોગવિલાસ અને વ્યસનથી દૂર રહ્યા હતા.
  • કહેવાય છે કે મહારાજા જશવંત સિંહ ની રખાત “નન્હિ ભક્તન્” તેમજ સ્વામીના વિરોધી એવા પંડિતો,મુલ્લાઓ અને અન્ગ્રેજોએ સાથે મળીને, રસોઈયાની મદદથી જગન્નાથની સાથે ઝેરવાળું દૂધ મોકલ્યું એનાથી દયાનંદ સરસ્વતીનું મૃત્યુ થયું હતું.

રચનાઓ

  • પચાસ જેટલાં પુસ્તકો  – સૌથી વધારે જાણીતું … સત્યાર્થ પ્રકાશ (૧૮૭૫)
    ( આખી સૂચિ માટે વિકિપિડિયા પર)

સાભાર

  • વિકિપિડિયા
  • શ્રી. ભાવેશ મેરજા

બ્રહ્મવેદાન્ત સ્વામી, Brahmavedant Swami


IMG_3587

“ધ્યાનને પ્રવૃત્તિ બનાવવાની નથી. 
જીવનની દરેક પ્રવૃત્તિને ધ્યાનમય બનાવવાની છે.”

“ ગમે તે પરિસ્થિતીમાંથી મજા અને મસ્તી કઈ રીતે મેળવવા, એ બધું  શીખવ્યું રામદુલારે બાપુએ.”

“સન્યાસ લેવાયો ન હતો. સન્યાસ એ ઓશોની કૃપા હતી.એ ઓશોની (મારે માટે)પસંદગી હતી.”

તેમના વિશે માહિતી

——————————————————————

સાંસારિક નામ

  • હીરાલાલ શાહ

જન્મ

  • ૬, જુલાઈ-૧૯૩૨; મુંબઈ

અવસાન

  • ૧૪, જાન્યુઆરી – ૨૦૨૧

અભ્યાસ

  • સાયન્સ કોલેજનુ બીજું વર્ષ.

કુટુમ્બ

  • માતા– મણીબાઈ ગોવિંદજી;પિતા-મકનજી જ્ગજીવન શાહ
  • પત્ની– રમીલા;પુત્રો – ભરત, હરીશ;રામુ અને હિમાન્શુ; પુત્રીઓ-રક્ષા અને હીના


તેમના વિશે વિશેષ

તેમનાં પ્રવચનો અને તેમના જીવન વિશે ઘણા બધા વિડિયો અહીં .

કોઈ પણ ફોટા પર ‘ક્લિક’ કરી,
આશ્રમનો સ્લાઈડ શો નજરે નીહાળો.
 

  • પિતા માધવપુરના નગરશેઠના દીકરા હતા અને પુષ્ટિમાર્ગમાં રૂચિ ધરાવતા હતા.
  • સ્વામીજી એક વર્ષના હતા, ત્યારે પિતા અને ૭ વર્ષના હતા , ત્યારે માતાનો  દેહાન્ત થયો હતો.
  • ૧૯૩૯ – માતા પિતાના દેહાન્ત બાદ માધવપુર સ્થળાંતર. માસા હરજીવનદાસ અને માસી અમૃતાબાઈએ ઉછેર્યા.
  • ૧૯૪૦થી –તેમના બાળમન પર ગાંધીજીનો પ્રભાવ પડ્યો.
  • ૧૯૪૨–  અભ્યાસ છોડી આઝાદીની લડતમાં જોડાયા. સાથે સાથે રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ અને સ્વામી વિવેકાનન્દનાં ઘણાં સાહિત્યનો અભ્યાસ કર્યો. ત્યારથી જ લોભ વૃત્તિ ઘટવા લાગી; જ્યોતિષ, યોગવિદ્યા, તંત્રશાસ્ત્ર,પુનર્જન્મ વિ.માં ખૂબ શ્રદ્ધા જાગવા લાગી.
  • ૧૯૬૭ – પહેલી વખત ‘ઓશો’ – રજનીશજી સાથે સત્સંગ, શારદાગ્રામ શિબીરમાં(માત્ર કુતૂહલથી પ્રવચન સાંભળવા ગયા હતા; અને આખો દિવસ રોકાઈ ગયા.) વર્તમાનમાં જીવવાનો પહેલો અનુભવ. બીજા બધા રસ્તાઓ ઉપર ચોકડી મૂકાઈ ગઈ.
  • ૧૯૭૨– આબુ ખાતે ‘ઓશો’ની શિબીરમાં આકસ્મિક જ દીક્ષા લીધી ‘મારી પાત્રતા નથી’ ના જવાબમાં ઓશોએ કહ્યું ,’ ઉસકી ફિકર છોડ દે. કિસ રૂપમેં સન્યાસ લેના ચાહતા હૈ?’ સફેદ વસ્ત્ર ધારી સન્યાસી બન્યા; અને ‘સ્વામી બ્રહ્મવેદાન્ત’ નામ મેળવ્યું.
  • ૧, નવેમ્બર-૧૯૭૪ વેરાવળ ખાતે ‘સંકેત’ – રજનીશ ધ્યાન કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે કેવળ દૃષ્ટાભાવ પ્રગટ્યો અને ‘ભગવાન’પદ કોઈ પ્રયત્ન વિના પામ્યા.
  • ત્યાર બાદ જુદી  જુદી જગ્યાઓએ અનંત સ્વામી સાથે શિબીરો કરી.
  • ૧૯૭૪ – હિમાલય જવાનો વિચાર કર્યો, પણ ‘રામદુલારે’ બાપુએ માધવપુર ખાતેની વાડીમાં જ આશ્રમ બનાવવા અનુરોધ કર્યો. અને બાજુમાં પોતાના હક્કની, ખરાબાની છ એકર જમીન પણ અપાવી
  • માધવપુરમાં આશ્રમની શરૂઆત કરી.  અને ધીમે ધીમે  તેનો વિકાસ કરતા રહ્યા.
  • પહેલાં પોતાની વાડીમાં; ત્યાર બાદ ખરાબાની જમીન ખરીદીને; ત્યાર બાદ ત્યજી દેવાયેલી પથ્થરની ખાણોના વિસ્તારમાં.  છેલ્લે અડાબીડ પડી રહેલ ‘મધુવન’ની જગ્યા પણ સરકારે વિકાસાર્થે વિનામૂલ્યે આપી.
  • ૧૯૭૨થી ૧૯૮૨ – રામદુલારે બાપુ જેઓ પરિવ્રાજક હતા અને અવારનવાર આશ્રમમાં આવતા-જતા અને આશ્રમના વિકાસ સાથે સ્વામીજીના આંતરિક વિકાસ માટે માર્ગ દર્શન આપતા રહ્યા.
  • તેમના આંતરિક અને પ્રજ્ઞાના વિકાસમાં ગુર્જિયેફ, વિમલા તાઈ અને તાવરિયાજીનો પણ ઘણો મોટો પ્રભાવ રહ્યો છે.
  • આશ્રમને આર્થિક અને આંતરિક સહયોગ માટે વેરાવળના ડોક્ટર વકીલ ( સ્વામી વિતરાગ) અને તેમનાં પત્ની સ્વાતિમા નો પણ સહયોગ સતત મળતો રહ્યો છે. ડો. વકીલના દેહાન્ત બાદ સ્વાતિમા પણ સ્થાયી રીતે આશ્રમનાં અંતેવાસી બની ગયાં છે.
  • ડો. વકીલના પુત્ર રાજેન જેઓ સ્વામીજીના બીજા નંબરનાં પુત્રી સાથે પરણેલાં છે અને તે પણ તાવરીયાજીની સાધના પધ્ધ્તિથી યોગ અને ધ્યાન વિષે લોકોને સમજ અને  એમના કાર્યમાં સઘન રીતે  પરોવાયેલા છે.

રચનાઓ (પ્રકાશિત પુસ્તકો)

  • આધ્યાત્મિક–જાગરણ, પૂર્ણતાના પંથે, અતૃપ્તિ ભીતરની, સહયોગથી સમાધિ, અંતઃકરણની ઓળખ, સાધનાની પૂર્વભૂમિકા, વિજળીને ચમકારે
  • આત્મકથાત્મક – પરમપદ પ્રતિ સંકેત

સાભાર 

  • પરમપદ પ્રતિ સંકેત, શ્રી. શરદ શાહ

પુનિત મહારાજ, Punit Maharaj


પાપ થાય એવું કમાવું નહી
દેવું થાય એવું ખર્ચવું નહી
માંદા પડીએ તેવું ખાવું નહી
લડાઈ થાય તેવું બોલવું નહી….
( દીનેશ ગઢવીના બ્લોગ પરથી)

વીકિપિડિયામાં

દિવ્ય ભાસ્કરમાં

મીનાબેનના બ્લોગ પર

વાંચો –
સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા.

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહી.

સઘળું સંભાળતો હો, મારો રણછોડીયો,

વ્હાલા શ્યામ મુરારી રે! 

સાચું ઔષધ સંસાર, હરીનું નામ છે.

હજારો ગાઉના છેટે, હૃદયના ભાવ દોડે છે,

મારું રણ તમે છોડાવો રે! રણછોડરાયા !

મારા જીવન કેરી નાડ, તારે હાથ સોંપી છે.

સમય મારો સાધજે વ્હાલા

હરિના નામનો હો! એક જ આધાર છે.

——–

એક લેખ – જનકલ્યાણમાંથી

તેમનાં કુળદેવી વાઘેશ્વરીમા – ભાવનગર પાસે વલ્લભીપુર

તેમના જીવન વિશે એક વિસ્તૃત લેખ   – પાન ૧૦ થી ૧૨

તેમના વતન ધંધુકા તાલુકા વિશે

———
એમનાં ભજનો સાંભળો – આલ્બમ  ભક્તિ સાગર, ગાયક – હેમન્ત ચૌહાણ

જનક મહારાજના સંઘમાં ડાકોર પદયાત્રા ….

 ભાગ –   ૧         ;         ભાગ –   ૨

———————————————–

નામ

  • બાલકૃષ્ણ ભટ્ટ

જન્મ

  • ૧૯, મે- ૧૯૦૮, જૂનાગઢ , વતન ધંધુકા

અવસાન

  • ૨૭, જુલાઈ- ૧૯૬૨, વડોદરા

કુટુમ્બ

  • દાદા– નારણદાસ, દાદી – પાર્વતીબા
  • પિતા – ભાઈશંકર, માતા – લલિતાદેવી
  • પત્ની – સરસ્વતી, પુત્ર – પ્રફુલ્લ( નાની ઉમ્મરે અવસાન) , જનક( મહારાજ) , પુત્રીઓ

તેમના ભજનિક પુત્ર – જનક મહારાજ

અભ્યાસ

  • ધંધુકામાં નોન મેટ્રિક , કુટુમ્બની નબળી સ્થિતીના કારણે ચશ્માં ન ખરીદી શકવાના અભ્યાસ છોડવો પડ્યો!
  • જૂનાગઢમાં તાર મોકલવાની તાલીમ – એક વર્ષ

વ્યવસાય

  • નરોડા, અમદાવાદ તારખાતામાં કામથી શરૂઆત,
  • ગણેશ વાસુદેવ માવલંકરના દૈનિક ‘ ગર્જના’માં પટાવાળાથી પત્રકાર
  • પછી સાપ્તાહિક/ માસિકના તંત્રી થી માંડીને પોટલાં ઊંચકનાર મજૂર સુધીની જાતજાતની નોકરીઓ
  • તૈયબ અને કમ્પનીમાં કારકૂનથી શરૂ કરી મેનેજર પદ સુધી નિષ્ઠાપૂર્વક નોકરી
  • બહુ જાણીતા ભજનિક, સંત અને સમાજસેવક

 

તેમના જીવન વિશે

લેખક – નરહરિ ન. દવે; સંપાદક – પુનિતપદરેણુ

તેમના જીવન વિશે લેખ – પાનું-૧ ( મોટું જોવા ‘ક્લિક’ કરો)

તેમના જીવન વિશે લેખ – પાનું-૨ ( મોટું જોવા ‘ક્લિક’ કરો)

તેમના જીવન વિશે લેખ – પાનું-૩ ( મોટું જોવા ‘ક્લિક’ કરો)

રચનાઓ 

સાભાર

  • પ્રભુનો પ્રતિનિધિ ( પુનિત મહારાજ પ્રતિષ્ઠાન)
  • આ પુસ્તક પ્રેમપૂર્વક ભેટ આપનાર ભજનિક મીનાબેન અને પ્રવીણભાઈ ઠક્કર.

ભાઈલાલ ભટ્ટ, ‘યોગેશ્વર’, Bhailal Bhatt, Ýogeshwara


———————————

જન્મ

  • ૧૫ ઓગસ્ટ ૧૯૨૧, સરોડા (  ધોળકા, જિ. અમદાવાદ )

અવસાન 

  • ૧૮ માર્ચ, ૧૯૮૪

https://youtu.be/qVlvidvqEEAપ્રદાન

  • ગુજરાતી અને સંસ્કૃત ભાષાના અભ્યાસી
  • કોલેજ કાળથી સાહિત્ય સર્જન
  • કવિતા, નવલકથાઓ, નિબંધ, પ્રવાસ, ચરિત્ર વગેરે સાહિત્યસ્વરૂપમાં આશરે ૬૦ પુસ્તકોનું સર્જન
 
રચનાઓ
  • કથાકાવ્ય – કૃષ્ણ-રુક્મણિ
  • કાવ્યસંગ્રહ – ગાંધીગૌરવ, દ્યુતિ, સાંઇ સંગીત, તર્પણ
  • પૌરાણિક પ્કરંસંગો આધારીત થા – સ્મૃતિ, કાયાકલ્પ, ઉત્તરપથ ભાગ ૧ અને ૨, પ્રીત પુરાની
  • પ્રવાસકથા – ઉત્તરની યાત્રા ભાગ ૧ અને ૨
  • નિબંધસંગ્રહ – ફૂલવાડી, સનાતનસંગીત, શ્રેય અને સાધના
  • જિવનચરિત્ર – ભગવાન રમણ મહર્ષિ  ઃ  જીવન અને કાર્ય
  • અન્ય – ઉપનિષદનું અમૃત, પ્રાર્થના સાધના
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ખંડ ૬

—————–
તેમની વેબ સાઈટ ઉપરથી પરિચય ….. 

#  વેબ સાઈટ – ‘ સ્વર્ગારોહણ’

ગુજરાતની સાહિત્યરસિક અને અધ્યાત્મપ્રેમી જનતાને શ્રી યોગેશ્વરજીનો પરિચય આપવાનો ન હોય. મા શારદાના ચારુ ચરણે સો કરતાં પણ વધુ ગ્રંથો અર્પણ કરનાર મહાત્મા શ્રી યોગેશ્વરજી વીસમી સદીના ગુજરાતમાં થઈ ગયેલા સમર્થ સંત અને સાહિત્યકાર હતા. સંન્યાસ કે રૂઢિગત ચાલી આવતી ભગવા વસ્ત્રોની પ્રણાલિકાને અનુસર્યા વગર તથા કોઈ દેહધારી ગુરૂની સહાયતા વિના કેવળ મા જગદંબા પર અપ્રતિમ શ્રદ્ધા રાખી, અધ્યાત્મ જગતના સર્વોત્તમ શિખરો સર કરનાર યોગેશ્વરજી બહુમુખી પ્રતિભા ધરાવનાર મહામાનવ હતા.

ઈ.સ. ૧૯૨૧ ની પંદરમી ઓગષ્ટે અમદાવાદના ધોળકા તાલુકાના સરોડા ગામે સાધારણ બ્રાહ્મણ પરિવારમાં જન્મ લેનાર યોગેશ્વરજીએ માત્ર નવ વર્ષની કુમળી વયે પિતાનું છત્ર ગુમાવ્યું હતું. એમને આગળ અભ્યાસ માટે મુંબઈની લેડી નોર્થકોટ ઓર્ફનેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. મોહમયી મુંબઈ નગરીના એમના નિવાસ દરમ્યાન પૂર્વના પ્રબળ આધ્યાત્મિક સંસ્કારોના સુપરિણામ સ્વરૂપે એમને મા જગદંબાના દર્શનની લગની લાગી. એકાંત શોધીને ધ્યાનસ્થ થવામાં કે પ્રકૃતિના ખોળે કલાકો સુધી ‘મા’ ના દર્શન માટે વિરહાતુર પોકારો પાડવામાં એમનો સમય વ્યતીત થવા લાગ્યો. જ્યારે દર્શન અને સંનિધિની ઝંખના અતિ પ્રબળ બની ત્યારે એમણે અભ્યાસનો ત્યાગ કરી ઉચ્ચ સાધના માટે હિમાલય જવાનો નિર્ણય લીધો. એ સમયે એમની વય માત્ર વીસ વરસની હતી.

ઋષિમુનિસેવિત અને પુરાણપ્રસિદ્ધ હિમાલયની પુણ્યભૂમિમાં બે દાયકાથી વધુ નિવાસ કરી એમણે એકાંતિક સાધના દ્વારા પરમાત્માની અનુભૂતિ અને સિદ્ધિપ્રાપ્તિ કરી. હિમાલયવાસ દરમ્યાન એમને મળેલા અનેકવિધ આધ્યાત્મિક અનુભવો, સિદ્ધ અને સમર્થ સંતોના દર્શન-સમાગમ તથા શાસ્ત્રાધ્યયને પરિણામે પ્રાપ્ત થયેલ જ્ઞાન છતાં એમની નમ્રતા, નિરભિમાનતા તથા સાદગી જિજ્ઞાસુઓને પ્રથમ નજરે આકર્ષતી.

સત્ય અને અહિંસાના પૂજારી તથા પ્રાર્થના પર અખૂટ વિશ્વાસ ધરાવનાર મહાત્મા ગાંધીજીને આદર્શ માનનાર શ્રી યોગેશ્વરજીમાં દેશપ્રેમ ઠસોઠસ ભરેલો હતો. આધ્યાત્મિક માર્ગે આગળ વધી દેશ માટે કંઈક કરી છૂટવાની તેમની મનીષા એમના અનેકવિધ સર્જનોમાં પેખી શકાય છે. આજીવન ખાદીના વસ્ત્રો ધારણ કરી સંસારમાં જળકમળવત્ રહેનાર આ વિરક્ત બ્રહ્મચારી મહાપુરુષે સાધનાકાળ દરમ્યાન અને એ પછી પોતાના જનનીને હંમેશા સાથે રાખ્યા. સાધુ-સંત-સંન્યાસીઓમાં તેઓ માતૃભક્ત મહાત્મા તરીકે પ્રસિદ્ધ હતા.

યોગ, ભક્તિ અને જ્ઞાન – ત્રણેય માર્ગે કુશળતાથી કેડી કંડારનાર શ્રી યોગેશ્વરજીની આમજનતા માટેની સૌથી વિશેષ અને શકવર્તી ઉપલબ્ધિ તેમના વરદ હસ્તે થયેલ વિપુલ સાહિત્યસર્જનને ગણી શકાય. શાળાજીવન દરમ્યાન રોજનીશી લખવાની ટેવથી શરૂ થયેલી તેમની સાહિત્યયાત્રા ક્રમશઃ વિકાસ પામી સોથીયે વધુ ગ્રંથોના સર્જનનું નિમિત્ત બની. એમના બહુપ્રસિદ્ધ સર્જનોમાં તુલસીદાસના રામચરિતમાનસનો સમશ્લોકી પદ્યાનુવાદ; ગાંધીજીની જન્મશતાબ્દી નિમિત્તે એમને અંજલિ આપતા લખાયેલ મહાકાવ્ય ‘ગાંધીગૌરવ’; ભગવદ્ ગીતા, ગોપીગીત, શિવમહિમ્નસ્તોત્ર, વિષ્ણુ સહસ્ત્રનામ વિગેરેનો સરળ સમશ્લોકી પદ્યાનુવાદ; અગિયારસો પૃષ્ઠોમાં વિસ્તરેલી એમની સુપ્રસિદ્ધ આત્મકથા ‘પ્રકાશના પંથે’; રમણ મહર્ષિના જીવન અને કાર્યો પરનો બેનમુન ગ્રંથ; તથા મહાભારત, રામાયણ, ભાગવત, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, યોગસૂત્ર જેવા ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતા અનેકવિધ ગ્રંથો પરની ટિપ્પણીનો સમાવેશ કરી શકાય. તેમની સિદ્ધ કલમે ગુજરાતી સાહિત્યને ચિંતનાત્મક લેખો, પ્રેરણાદાયી પત્રો, ભાવભરપૂર ભજનો, કમનીય કવિતાઓ, મધુરા બાળગીતો, અદભૂત ગદ્યકાવ્યો, સાધકોના પ્રશ્નોનું સમાધાન કરતી આધ્યાત્મિક પ્રશ્નોત્તરીઓ, સંતપુરુષોના જીવનની પ્રેરણાદાયી વાતો, ઉમદા વાર્તાસંગ્રહો, નવલકથાઓ તથા નવલિકાઓ પણ પ્રદાન કરી છે. એમના સર્જનો વિશે ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે એમણે કેવળ લખવા ખાતર નથી લખ્યું. એમની રચનાઓ કોરો કલ્પનાવિલાસ નથી પરંતુ એમના અસાધારણ જીવનની અભિનવ અભિવ્યક્તિ છે. એમના વૈવિધ્યસભર અને માતબર સાહિત્યપ્રદાનને હજુ ગુજરાતના સાહિત્યકારોએ અને સાહિત્યરસિક પ્રજાએ યથાર્થ અને પૂર્ણપણે પિછાણવાનો બાકી છે.

શુદ્ધ ગુજરાતી ભાષામાં અસ્ખલિત રીતે વહેતી એમની ઓજસ્વી વાણીમાં થતા જ્ઞાન, યોગ અને ભક્તિના રહસ્યોના ઉદઘાટનનું પાન કરવાનું સૌભાગ્ય ગુજરાતના પ્રમુખ શહેરો ઉપરાંત અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા તથા ઝાંબિયાના વિવિધ શહેરના શ્રોતાઓને મળ્યું હતું. શ્રી યોગેશ્વરજી સર્વધર્મ સમભાવમાં માનતા હતા તથા નાત, જાત કે સંપ્રદાયના વાડાઓથી પર હતા. એથી જ એમને રામકૃષ્ણ મિશન, થિયોસોફિકલ સોસાયટી, સત્ય સાંઈ સેન્ટર, ડીવાઈન લાઈફ સેન્ટર વિગેરેમાં તથા જૈન, શીખ કે ખ્રિસ્તી ધર્મના ધર્મસ્થાનો કે સ્વામીનારાયણ સંપ્રદાયના મંદિરોમાં એકસમાન આદરથી આમંત્રિત કરવામાં આવતા હતા. ગુજરાત અને ગુજરાત બહારની કોલેજો, સ્કુલો તથા યુનિવર્સીટીમાં એમણે પોતાના અનુભવાત્મક જ્ઞાનનો પ્રસાદ વહેંચ્યો હતો. આજે વિશ્વભરમાં તેમનો બહોળો પ્રસંશક અનુયાયી વર્ગ છે.

ઈ.સ. ૧૯૮૪ ની ૧૮ માર્ચે તેમણે શ્રીમદ્ ભાગવત પર પ્રવચન કરતાં સ્થુલ દેહનો ત્યાગ કર્યો હતો. તેમના અનેકવિધ માનવતાવાદી સત્કાર્યો અને તેમના ઝળહળતા આધ્યાત્મિક વારસાને મા સર્વેશ્વરી સર્વોત્તમ રીતે દીપાવી રહ્યા છે. ઈન્ટરનેટ પર swargarohan.org વેબસાઈટ તથા સ્થુળ રીતે અંબાજીમાં દાંતા રોડ સ્થિત સ્વર્ગારોહણ ધામ એમના મહિમાવંત જીવન અને કાર્યોની યશગાથાને ગાઈ રહ્યું છે.

દેવાનંદ સ્વામી, Devanand Swami


“પ્રભુ પદ કર પ્રીત નીત જનમ જીત જાવે;

સ્વારથ સંસાર લાર, દિન દિન દુઃખ આવે.”

___

“મોતી સરખો કણ લઇ મુરખ ઘંટીમાં દળે,

બાવળીયાનું બી બોયે આંબો કેમ ફળે.”

___

રચનાઓ  ઃ  ૧  ઃ

Read more of this post

વલ્લભ ભટ્ટ મેવાડો (Vallabh Bhatt Mevado)

%d bloggers like this: