મનીષા મહેતા અને મિત્રો
આની સાથે જૂની પરંપરાઓ, ભોજન વ્યવસ્થા, અતિથિ સત્કાર, ઘણું સંકળાયેલું મળી આવશે કેમ કે મેં લાઠીની મુલાકાત વખતે એક જુના ઘરમાં કોઠાર રૂમ ભરીને એટલે કે જથ્થાબંધ આ ઢીંચણિયા જોયાં હતા .
ત્રણ ત્રણ દિવસ રોકાતી જાન માટે ગોદડાં જેમ ઘરે ઘરેથી ઉઘરાવી લેવાતાં એવું જ ઢીંચણિયાઓનું પણ હશે. કેમ કે એ દાદાના કહેવા અનુસાર જાન જમવા બેસે કે નાતનો જમણવાર હોય, દરેક વ્યક્તિને ઢીંચણિયા આપવામાં આવતાં.
પાથરણું, પાટલી અથવા બાજોઠ સાથે આ ઢીંચણિયું પણ ગોઠવવામાં આવતું.
પતરાવળી, પડિયો અને પિત્તળનાં પ્યાલાં હોય, કમંડળોમાંથી પડિયામાં દાળ પીરસાતી હોય ત્યારે દાળનાં રેલાં સળંગ પડતાં જાય…એ વરાની દાળની એક અલગ જ સુગંધ જાણે ભૂખ ઉત્તેજિત કરતી…જમનારાનાં હાથ પણ દાળ ભરેલાં જ હોય..કેમ કે ચમચીઓ નહોતી.
આ રીતે માન પૂર્વક બેસાડી ને આગ્રહ પૂર્વક પરિવારનાં સભ્યો દ્વારા જ પીરસીને જમાડવાનાં હતાં અને છેલ્લે વડીલો આગ્રહ કરવા નીકળે, જમનારા અતિથીનું મોઢું ખોલાવીને પરાણે લાડવો કે મોહનથાળ ખવડાવતી વખતે જે વાતાવરણ જામે…એકાદ વ્યક્તિ જમનારાનાં હાથ પકડી લે..”નહિ ખવાય… નહિ ખવાય ..”ના ઉદગારો નીકળે ન નીકળે ત્યાં એનું મોં મોટા મીઠાઈના દડબાંથી ભરી દેવામાં આવે…સામે પક્ષે પણ..”હવે તમારે પણ લેવું જ પડશે..”કહીને યજમાનને પણ એવા જ સ્નેહાગ્રહથી ખવડાવવામાં આવે….અને જો આ આગ્રહની પ્રથામાં બન્ને પાત્રોમાંથી કોઈ કાચાપોચા નીકળ્યાં તો પાછળથી એમની ટીકા પણ થાય..
જમણવાર પતે પછી પાછળથી ઘરે ઘરે મોકલાતાં પીરસણીયામાં જમવા ન આવી શકનારા સભ્યોને પણ સાચવી લેવાની વૃત્તિ હતી. આ સભ્યોમાં વિધવા બહેનો ખાસ હતી કેમ કે એમને જાહેરમાં અવવાવી મનાઈ હતી..આમ સારા અને ખરાબ રિવાજો સમાંતરે ચાલતાં.
કંઈક રિવાજો જોઈ ચૂકેલા આ ઢીંચણિયા હજુ એક પેઢી સુધી આવી યાદો સ્વરૂપે સચવાયેલા રહેશે..હવેની બુફેની જાતે પીરસી, ઊભા ઊભા જમી લેવાની પ્રથામાં આવી વસ્તુઓ અને વાતો ઇતિહાસ બની જશે.
આ ઢીંચણિયું જ્યારે જમવા બેસીએ ત્યારે ગોઠણ નીચે રાખવામાં આવે છે.
વધારે કહુ…કાંસાની થાળી બાજોટ ,જમ્યા પહેલા પિત્તળ નો પાણી ભરેલા કરશો સાથે ભોજનની થાળી મા અગ્નિ દેવતા વૈશ્વાનર ની જઠરાગ્નિ ઠારવા આહવાન, શ્લોક બોલી ને પ્રાર્થના કરીને થાળી ને પગે લાગવાની પરંપરા ….અને આ બધાને સાથ આપનાર ગોઠણ નીચે રાખેલું ઢીચણીયુ….જોકે આ બધી સંસ્કૃતિઓ તો હવે લુપ્ત થતી જાય છે. આ બધા સંયોજનથી જે વ્યક્તિનું વ્યક્તિત્વ નુ અદ્ભૂત નિર્માણ થાય છે ને ત્યારે સંસ્કૃતિ ને આગળ વધારવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે.
જો જમતી વખતે ઢીંચણિયું ડાબા પગના ઢીંચણ નીચે રાખવામાં આવે, તો જમણી સૂર્યનાડી શરૂ થાય છે, અને જમણી બાજુ મૂકો તો ચંદ્રનાડી શરૂ થાય છે. દૂધપાક, બાસુંદી, લાડુ, વગેરે મિષ્ટાન્ન જમવામાં સૂર્યનાડીનો ઉપયોગ થાય છે. આથી ઢીંચણિયું ડાબા પગના ઢીંચણ નીચે રાખવાથી એ બધું પચી જાય છે. અને જો ખાલી દૂધ, દહીં કે પ્રવાહી પીવામાં આવે તો જમણી બાજુ ઢીંચણિયું મૂકી ચદ્રંનાડી શરૂ કરાય છે, જેથી પ્રવાહી હજમ થઈ જાય. આવું ક્યાંક વાંચ્યું હતું.
Like this:
Like Loading...
વાચકોના પ્રતિભાવ