ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: માહિતીજન્ય

ગુજરાત – ગુજરાત સરકારની કલમે


સાભાર – શ્રી. જીતેન્દ્ર પાઢ

ગુજરાત વિશે ગુજરાત સરકારે એક સરસ માહિતીસભર, સચિત્ર પ્રકાશન બહાર પાડ્યું છે. આ રહ્યું –

ઢીંચણિયું


મનીષા મહેતા અને મિત્રો

આની સાથે જૂની પરંપરાઓ, ભોજન વ્યવસ્થા, અતિથિ સત્કાર, ઘણું સંકળાયેલું મળી આવશે કેમ કે મેં લાઠીની મુલાકાત વખતે એક જુના ઘરમાં કોઠાર રૂમ ભરીને એટલે કે જથ્થાબંધ આ ઢીંચણિયા જોયાં હતા .

ત્રણ ત્રણ દિવસ રોકાતી જાન માટે ગોદડાં જેમ ઘરે ઘરેથી ઉઘરાવી લેવાતાં એવું જ ઢીંચણિયાઓનું પણ હશે. કેમ કે એ દાદાના કહેવા અનુસાર જાન જમવા બેસે કે નાતનો જમણવાર હોય, દરેક વ્યક્તિને ઢીંચણિયા આપવામાં આવતાં.
પાથરણું, પાટલી અથવા બાજોઠ સાથે આ ઢીંચણિયું પણ ગોઠવવામાં આવતું.

પતરાવળી, પડિયો અને પિત્તળનાં પ્યાલાં હોય, કમંડળોમાંથી પડિયામાં દાળ પીરસાતી હોય ત્યારે દાળનાં રેલાં સળંગ પડતાં જાય…એ વરાની દાળની એક અલગ જ સુગંધ જાણે ભૂખ ઉત્તેજિત કરતી…જમનારાનાં હાથ પણ દાળ ભરેલાં જ હોય..કેમ કે ચમચીઓ નહોતી.

આ રીતે માન પૂર્વક બેસાડી ને આગ્રહ પૂર્વક પરિવારનાં સભ્યો દ્વારા જ પીરસીને જમાડવાનાં હતાં અને છેલ્લે વડીલો આગ્રહ કરવા નીકળે, જમનારા અતિથીનું મોઢું ખોલાવીને પરાણે લાડવો કે મોહનથાળ ખવડાવતી વખતે જે વાતાવરણ જામે…એકાદ વ્યક્તિ જમનારાનાં હાથ પકડી લે..”નહિ ખવાય… નહિ ખવાય ..”ના ઉદગારો નીકળે ન નીકળે ત્યાં એનું મોં મોટા મીઠાઈના દડબાંથી ભરી દેવામાં આવે…સામે પક્ષે પણ..”હવે તમારે પણ લેવું જ પડશે..”કહીને યજમાનને પણ એવા જ સ્નેહાગ્રહથી ખવડાવવામાં આવે….અને જો આ આગ્રહની પ્રથામાં બન્ને પાત્રોમાંથી કોઈ કાચાપોચા નીકળ્યાં તો પાછળથી એમની ટીકા પણ થાય..

જમણવાર પતે પછી પાછળથી ઘરે ઘરે મોકલાતાં પીરસણીયામાં જમવા ન આવી શકનારા સભ્યોને પણ સાચવી લેવાની વૃત્તિ હતી. આ સભ્યોમાં વિધવા બહેનો ખાસ હતી કેમ કે એમને જાહેરમાં અવવાવી મનાઈ હતી..આમ સારા અને ખરાબ રિવાજો સમાંતરે ચાલતાં.

કંઈક રિવાજો જોઈ ચૂકેલા આ ઢીંચણિયા હજુ એક પેઢી સુધી આવી યાદો સ્વરૂપે સચવાયેલા રહેશે..હવેની બુફેની જાતે પીરસી, ઊભા ઊભા જમી લેવાની પ્રથામાં આવી વસ્તુઓ અને વાતો ઇતિહાસ બની જશે.

આ ઢીંચણિયું જ્યારે જમવા બેસીએ ત્યારે ગોઠણ નીચે રાખવામાં આવે છે.
વધારે કહુ…કાંસાની થાળી બાજોટ ,જમ્યા પહેલા પિત્તળ નો પાણી ભરેલા કરશો સાથે ભોજનની થાળી મા અગ્નિ દેવતા વૈશ્વાનર ની જઠરાગ્નિ ઠારવા આહવાન, શ્લોક બોલી ને પ્રાર્થના કરીને થાળી ને પગે લાગવાની પરંપરા ….અને આ બધાને સાથ આપનાર ગોઠણ નીચે રાખેલું ઢીચણીયુ….જોકે આ બધી સંસ્કૃતિઓ તો હવે લુપ્ત થતી જાય છે. આ બધા સંયોજનથી જે વ્યક્તિનું વ્યક્તિત્વ નુ અદ્ભૂત નિર્માણ થાય છે ને ત્યારે સંસ્કૃતિ ને આગળ વધારવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે.

જો જમતી વખતે ઢીંચણિયું ડાબા પગના ઢીંચણ નીચે રાખવામાં આવે, તો જમણી સૂર્યનાડી શરૂ થાય છે, અને જમણી બાજુ મૂકો તો ચંદ્રનાડી શરૂ થાય છે. દૂધપાક, બાસુંદી, લાડુ, વગેરે મિષ્ટાન્ન જમવામાં સૂર્યનાડીનો ઉપયોગ થાય છે. આથી ઢીંચણિયું ડાબા પગના ઢીંચણ નીચે રાખવાથી એ બધું પચી જાય છે. અને જો ખાલી દૂધ, દહીં કે પ્રવાહી પીવામાં આવે તો જમણી બાજુ ઢીંચણિયું મૂકી ચદ્રંનાડી શરૂ કરાય છે, જેથી પ્રવાહી હજમ થઈ જાય. આવું ક્યાંક વાંચ્યું હતું.

શબ્દકોશ


આપણે ગુજરાતી લેક્સિકોનથી પરિચિત છીએ અને બહુ  વાપરીએ પણ છીએ. પણ કદીક એમ બને કે, એમાં કોઈ શબ્દ ન પણ મળે.

એનો એક બીજો વિકલ્પ આજે મળી ગયો –

guj_dict

આ ચિત્ર પર ક્લિક કરો.

 

નાનુભાઈ નાયક, Nanubhai Naik


NN1‘સુરતના નગરબાપા’ – શ્રી. ભગવતીકુમાર શર્મા

———————————————————————

સમ્પર્ક

જન્મ

  • ૧૦, મે – ૧૯૨૭, ભાંડુત, તા. ઓલપાડ, જિ. સૂરત

અવસાન

  • ૧૭, મે – ૨૦૧૮, સુરત

કુટુમ્બ

  • માતા – ? ; પિતા – ?
  • પત્ની – ?; પુત્રો – જનક, કિરીટ

શિક્ષણ

  • મેટ્રિક

વ્યવસાય

  • સાહિત્ય પ્રકાશન, લેખન, સામાજિક કાર્યકર

nn2

તેમના વિશે વિશેષ

  • મેટ્રિક થયા પછી છ મહિના મુંબાઈની સિદ્ધાર્થ કોલેજમાં અભ્યાસ શરૂ કરી છોડી દીધો અને શબ્દ રચના હરિફાઈઓ યોજવા લાગ્યા.
  • દોઢ વર્ષ ‘નવસારી સમાચાર’ના તંત્રીપદે
  • સંદેશ, પ્રતાપ, નૂતન ભારત, ચેત મછેન્દર વિ. દૈનિક/ સામાયિકોમાં કટાર લેખન , ૨૦૦થી વધારે વાર્તાઓ અને લેખો છપાયા છે.
  • ‘જનસત્તા’માં ‘સબરસ’ શ્રેણી હેઠળ બાળકો માટેની વાર્તાઓ
  • સુરતની નર્મદ સાહિત્ય સભાના પ્રમુખ – હાલમાં તેના  ઉપપ્રમુખ
  • સુરતની ‘સાર્વજનિક શિક્ષણ સંસ્થા’ના મેનેજિંગ ટ્રસ્ટી
  • સુરત પ્રેસ માલિક મંડળના પ્રમુખ
  • ગુજરાત પ્રિન્ટર ફાઉન્ડેશનના સ્થાપક. એક વખત તેના પ્રમુખ પણ હતા.
  • ‘ ચતુરનો ચોતરો’ અને એવા બીજા  સાહિત્ય સમ્મેલનોનું આયોજન.
  • ‘નાની છીપવાડ’ -સુરત ખાતે હાથથી કમ્પોઝ કરાતાં પુસ્તકો છાપવાના પ્રેસથી શરૂઆત કરીને બે પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થાઓના માલિક  –  જે માત્ર પ્રકાશન કરતી વેપારી સંસ્થા નહીં પણ સાહિત્ય, સંસ્કૃતિ અને સામાજિક ફેરફારો માટેની લોકમાન્ય પીઠિકા બની રહી છે.
  • ‘સાહિત્ય સંગમ’ વિશે એક સંશોધન લેખ શ્રીમતિ શાંભવી પંડ્યાએ તૈયાર કરેલો છે.
  • સુરતની ‘સાહિત્ય સંગમ’ સસ્થામાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને મરાઠી પ્રકાશનો પ્રસિદ્ધ કરવામાં આવે છે. તેના મુખ્ય મથક ‘સંસ્કાર ભવન’માં દર મહિને પાંચ થી છ સાહિત્ય અને કળાને લગતા કાર્યક્રમો યોજવામાં આવે છે.
  • ટીવીના વધતા જતા પ્રભાવ સામે વાંચન રસ કેળવાય તે માટે સસ્તી ચોપડીઓ પ્રજાને મળી રહે , તે માટે સતત કાર્યરત. ‘ગ્રંથ યાત્રા’ યોજના હેઠળ માત્ર ૫૪૫ ₹ માં દર વર્ષે ૨૩ પુસ્તકોનું વિતરણ એ આનો આંખે ઊડીને વળગે તેવો દાખલો છે.
  • તેમની પ્રારંભિક રચનાઓ  ‘પ્રાણ જાગો રે!’ અને ‘નારી નરનું રમકડું’ બહુ જ લોકપ્રિય બનેલી છે.
  • બંધારણીય સુધારણાઓ માટે તેમણે સૂચવેલા સુધારાઓમાંથી ૧૫ સ્વીકારવામાં આવ્યા છે.
  • તેમના જીવન અને દર્શનના નિચોડ જેવું પુસ્તક ‘ -‘The World of My Dream’ તેમનું શ્રેષ્ઠ સર્જન છે.

રસના વિષયો

  • સાહિત્ય, રાજકારણ, પત્રકારિત્વ, ખેતી, વાંચનનો પ્રસાર

The World of my dream-Front-Eng

રચનાઓ

સાભાર 

  • શ્રીમતિ મૌલિકા દેરાસરી

નારાયણ દેસાઈ, Narayan Desai


ND1– ગાંધીજી નો ‘બાબલો’ 

– ગાંધીજીની મૂળ શોધ સત્યની હતી. સત્ય એટલે સાચું બોલવું એટલી સાદી સમજમાંથી એ શોધ વધુ ને વધુ વિસ્તરતી અને વધુ ને વધુ ઊંડી ઊતરતી ગઈ. એનો બીજો તબક્કો આવ્યો સત્ય એટલે મન, વચન અને કર્મથી સત્ય; જેવું વિચારીએ તેવું બોલીએ અને જેવું બોલીએ તેવું જ કરીએ, ત્યાં સુધી તેઓ પહોંચ્યા. 

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર

વિકિપિડિયા પર

– શ્રી. રામ ગઢવીના બ્લોગ પર માહિતી

રીડ ગુજરાતી પર

તેમના વિચારો ‘ સર્વોદય પ્રેસ’ના બુલેટિન પર

———————————————————————-

ND10

ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા સર્જિત વિડિયો

ગાંધી કથા – ન્યુ જર્સી

ગાંધી કથા – સાદરા

——————

જન્મ

  • ૨૪, ડિસેમ્બર- ૧૯૨૪; વલસાડ

અવસાન

  • ૧૫, માર્ચ -૨૦૧૫, વેડછી

કુટુમ્બ

  • માતા-દુર્ગાબેન;  પિતા – મહાદેવભાઈ ( ગાંધીજીના સેક્રેટરી )

શિક્ષણ

  • ગાંધી આશ્રમમાં- આશ્રમના અંતેવાસીઓ પાસે

વ્યવસાય

  • આખું જીવન ‘ગાંધી વિચાર’ને સમર્પણ

This slideshow requires JavaScript.

તેમના વિશે વિશેષ

  • એક મહિનાની ઉમરથી ગાંધી આશ્રમમાં, ગાંધીજીની નજર હેઠળ ઉછર્યા હતા,અને ૨૩ વર્ષ આશ્રમમાં જ રહ્યા હતા. Peace Brigades International  સ્થાપવામાં સક્રીય ભાગ લીધો હતો.
  • દેશને સ્વતંત્રતા મળ્યા પછી,વિનોબા ભાવે અને જયપ્રકાશ નારાયણે શરૂ કરેલી ‘શાંતિ સેના’માં જોડાયા હતા.
  • જયપ્રકાશ નારાયણે સ્થાપેલ જનતા પક્ષમાં પણ ઘણું પ્રદાન કર્યું હતું.
  • સમ્પૂર્ણ ક્રાન્તિ વિદ્યાલય, વેડછીના સંચાલક
  • ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ
  • ૨૦૦૮ – ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
  • વિશ્વભરમાં ગાંધીકથાઓ કરી છે – ૬૦ ઉપર

રચનાઓ

(હિન્દી, ગુજરાતી અને અંગ્રેજીમાં  ૫૦ જેટલાં પુસ્તકો)

  • ચરિત્ર – પાવન પ્રસંગો, જયપ્રકાશ નારાયણ, મારું જીવન એ જ મારી વાણી, ભાગ ૧થી ૪ ( ગાંધી ચરિત્ર)
  • સર્જનાત્મક– ‘ગાંધી ક્યાંક હશે ભારતમાં’- ગીત સંવાદ મઢી કટાક્ષિકા
  • માહિતી/ સંકલન – સામ્યયોગી વિનોબા, ભુદાન આરોહણ, મા ધરતીને ખોળે, શાંતિસેના, સંત સેવતાં સુકૃત વાધે, સર્વોદય શું છે?, ગાંધીવિચારો જૂનવાણી થઈ ગયા છે?,અહિંસક પ્રતિકારની કહાણી, વેડછીનો વડલો
  • નાટક – કસ્તૂરબા
  • ઈતિહાસ/ રાજકારણ– સોનાર બાંગલા, લેનિન અને ભારત
  • અનુવાદો – માટીનો માનવી, રવિછબી
  • તેમનાં પ્રવચનો અને લેખોનો સંગ્રહ – ‘ઘણું જીવો ગુજરાતી’

સન્માન

  • ૧૯૯૨– ભારતની સાહિત્ય એકેડેમીનો એવોર્ડ
  • ૧૯૯૮ – યુનેસ્કોનો અહિંસા અને માટેનો એવોર્ડ
  • ૧૯૯૯ –રચનાત્મક પ્રવૃત્તિઓ માટેનો જમનાલાલ બજાજ એવોર્ડ
  • ૨૦૦૪ –  ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી એવોર્ડ
  • ૨૦૧૩ – ગુજરાતી વિશ્વકોશનો ‘સવ્યસાચી સારસ્વત પુરસ્કાર

સાભાર

  • ગુજરાતી સાહિત્યકોશ
  • વિકિપિડિયા
  • શ્રી. ઉત્તમ ગજ્જર

—————-

વિશેષ વાંચન…

પરિચયો

વિજયગુપ્ત મૌર્ય , Vijaygupta Maurya


Vijaygupta_Maurya

– તેમના પૌત્ર અને ‘સફારી’ના સંપાદક હર્ષલ પુષ્કર્ણા કહે છે, ‘દાદાજીને કોઈ પણ વિષયમાં ઊંડા ઊતરવાનું ગમતું હતું. તેઓ બધું જ વાંચતા. વાંચનની સ્વભાવગત ટેવ તેમના પુત્ર નગેન્દ્ર વિજય અને સરવાળે મારામાં વારસાગત ઉતરી છે.’

– જમવા બેસતા ત્યારે તેમને મજાકમાં કહેતો કે થોડી જગ્યા રાખજો બીજું ભોજન (૧૪ ગોળીઓ) પણ લેવાનું છે, પણ આવી માંદગી વચ્ચે તેમણે ક્યારેય લખવાનું બંધ કર્યું નહીં.’ – નાગેન્દ્ર વિજય

વિકિપિડીયા ઉપર

–  અહીંથી એમની પ્રખ્યાત સત્યકથા ‘જિંદગી જિંદગી’ ડાઉનલોડ કરો.

‘ દિવ્ય ભાસ્કર’માં પ્રકાશિત એક વિગતવાર અભ્યાસ લેખ 

તેમના પૌત્ર ‘હર્શલ’ નો એક સરસ લેખ

તેમની રચનાઓ વિશે

——————————————————

નામ

  • વાસુ વિજયશંકર મુરારજી

ઉપનામ

  • વિજયગુપ્ત મૌર્ય, ઈન્દ્રધનુ, કૌટિલ્ય, કૌશિક શર્મા, ચાણક્ય, બૃહસ્પતિ, મુક્તાનંદ, વિશ્વયાત્રી, હિમાચલ, વિજયતુંગ,  સોSહમ્‍

જન્મ

  • ૨૬, માર્ચ-૧૯૦૯, પોરબંદર

અવસાન

  • ૧૦,જુલાઈ- ૧૯૯૨,

કુટુમ્બ

  • માતા– મોતી બાઈ; પિતા– મુરારજી
  • પત્ની – વસંતલીલા; પુત્રો – નાગેન્દ્ર વિજય, ભારદ્વાજ, વિજય

શિક્ષણ

  • ૧૯૨૫ – મેટ્રિક, પોરબંદર
  • એડ્વોકેટ – મુંબાઈ યુનિવર્સીટી

વ્યવસાય

  • ૧૯૩૩-૩૭ – પોરબંદરમાં વકીલાત
  • ૧૯૩૭-૩૮ – પોરબંદર રાજ્યમાં દિવાની તથા ફોજદારી અદાલતોમાં ન્યાયાધીશ
  • જન્મભૂમિમાં પત્રકાર

Zindagi Zindagi

જિંદગી જિંદગી – એક રોમાંચક સત્યકથા

[ એ વિશે ટૂંકાણમાં અહીં વાંચો ]

તેમના વિશે વિશેષ

  • ૧૯૪૨ની આઝાદી લડતમાં નોકરીમાંથી રાજીનામું અને લડતમાં સક્રીય ભાગ
  • થોડોક વખત વકીલાત કરી
  • ૧૯૪૪થી – ‘જન્મભૂમિ’ના તંત્રી વિભાગમાં
  • બાળપણથી જ પ્રકૃતિનાં વિવિધ તત્વોનો અભ્યાસ કરવાનો શોખ
  • બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી અને પ્રકૃતિ મંડળના સભ્ય
  • ૧૭ વર્ષની ઉંમરે તેમણે બ્રિટન અને જર્મનીના નૌકાયુદ્ધ વિશે પ્રથમ લેખ લખ્યો હતો.
  • બાળકોને ઉપયોગી અનેક પુસ્તકો લખ્યાં
  • પ્રથમ પુસ્તક – ‘પ્રિન્સ બિસ્માર્ક’
  • ૧૯૭૩થી – નોકરી છોડી મરણ પર્યન્ત લેખન
  • -‘નવચેતન’ના પ્રત્યેક દિવાળી અંકમાં તેમની સમુદ્રકથા આવતી
  • ૧૯૭૦થી ૮૦ના ગાળામાં ચિત્રલેખાના ૩ લેખકો સૌથી વધુ પાવરફુલ હતા, તેમાંના એક એટલે વિજયગુપ્ત મૌર્ય.
  • ‘અખંડ આનંદ’ સામયિકમાં તેમની પ્રશ્ન-જવાબની ‘જ્ઞાન-ગોષ્ઠિ’ નામે કૉલમ ચાલતી હતી.
  • પાછલી અવસ્થામાં ગંભીર બિમારી, પાર્કિન્સન રોગના કારણે અવસાન

‘બિલાડી સ્વેચ્છાથી પાણીમાં પડે ખરી?’

‘બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી’ના જર્નલના ડિસેમ્બર ૧૯૪૨ના અંકમાં નદી તરી જતા વાઘનો ઉલ્લેખ છે. તે પરથી મને ભાદર નદીના ખારા પાણીને તરીને સામે પાર ગયેલા મનાતા એક બિલાડાનો બનાવ યાદ આવે છે.

બિલાડી અને વાઘ નિકટના સંબંધી છે અને ભીંજાવાનું પસંદ નથી કરતાં. મને તો વાઘ સાથે નહીં પણ બિલાડા સાથે જ પ્રસંગ પડ્યો છે!

અઢી-ત્રણ વર્ષ ઉપર ભાદરના મુખ ઉપર નવીબંદરમાં હું રહેતો ત્યારે મારું ઘર ચીડિયાખાનું જ હતું. એ સરકારી મકાનમાં બિલાડી ન આવે તે માટે હું ખાસ તકેદારી રાખતો, પરંતુ એક હ્યષ્ટપુષ્ટ બિલાડો મારા પક્ષીઓનો કલ્લોલ સાંભળી, ઘણી વાર તાડન પામ્યા છતાં, ઘરમાં દાખલ થવાની તષ્ણા દાબી શકતો નહીં.

ધર્મભાવના આડે ન આવી હોત તો કદાચ હું એ બિલાડાનો શિકાર કરી નાખત! પછી તો ‘સાપ મરે નહીં અને લાઠી ભાંગે નહીં’ એવો ઉપાય મેં શોધી કાઢ્યો. મેં એક યુક્તિ રચી. એક ટ્રંક ખાલી કરાવી તેમાં દૂધની વાટકી રાખી ટ્રંક ઉઘાડો રાખ્યો. બિલાડો ફળિયામાં દેખાયો ત્યારે હું ટ્રંકની બાજુમાં ખાટલા પર ઓઢીને સૂઈ ગયો.

બિલાડો ઘરમાં દાખલ થઈને ખૂબ સાવચેતી રાખ્યા પછી ટ્રંકમાં દાખલ થયો. તેનો દૂધ પીવાનો અવાજ સાંભળી મેં પાછળથી ટ્રંકનું ઢાંકણું હડસેલી બંધ કરી દીધું! મારી સફળ યુક્તિ પર ફિદા થઈ મેં ટ્રંક પટાવાળાને સ્વાધીન કરી દીધો અને પટાવાળો તેને ભાદરના સામે કાંઠે મૂકી આવ્યો.

એ નાના ગામમાં બધાએ મારી ચપળતા અને બુદ્ધિની તારીફ કરી! (મારા જેવા ‘મોટા’ માણસે આવું નકામું કામ કર્યા બદલ ખાનગીમાં મારી હાંસી કરી હોય તો તેની મને ખબર નથી!) 

પણ અફસોસ! બીજા દિવસે એ દુષ્ટ બિલાડો લાલસાભરી નજરે મારા આંગણામાં આવી ઊભો રહ્યો. તપાસ કરી તો ખબર પડી કે બિલાડો પાણી તરીને આવ્યો હોવો જોઈએ

રચનાઓ

  • ચરિત્ર – પ્રિન્સ બિસ્માર્ક
  • વિજ્ઞાન – પ્રકૃતિનાં લાડકવાયાં( ગુજરાતનાં પક્ષીઓ વિશે), કીમિયાગર કબીર ( કીટકો વિશે), અવકાશની યાત્રા, દરિયાની દોલત , પૃથ્વીદર્શન, ગાલાપાગોસ, ઝગમગતું ઝવેરાત
  • બાળવાર્તા – જંગલની કેડી,મોતનો સામનો, શિકાર અને શિકારી, શિકારીની તરાપ, કપિનાં પરાક્રમો, શેરખાન, હાથીના ટોળામાં,
  • સત્યકથા – જિંદગી જિંદગી, માણસ જેમ બોલીને સુપરસ્ટાર બનેલી એક હતી મેના
  • સંશોધન –  સરકસ જ્ઞાનકોષ, આ છે રશિયા

સાભાર 

  • ગુજરાતી શાહિત્યકોશ, દિવ્ય ભાસ્કર, વિકિપિડીયા

અવંતિકા ગુણવંત, Avantika Gunwant


”બદલાતા સમય અનુસાર સમાજ વ્યવસ્થામાં આપણે પરિવર્તન નથી લાવતા ત્યારે અનેક વિકૃતિઓ પેદા થાય છે, અને સમાજ દોષપૂર્ણ અને રુગ્ણ થઇ જાય છે,માનવતા મરી પરવારે છે.”

– અવંતિકા ગુણવંત

“પહેરવે ઓઢવે મહારાષ્ટ્રીયન  જેવાં જણાતાં આ સન્નારી સ્નેહની મૂર્તિ છે.અત્યંત સંવેદનશીલ હૈયું, જીવન મૂલ્યોને ઓળખવાની દ્રષ્ટિ,કશાય અલંકાર ,આડંબર કે અવતરણો વિના સરળ વિચરતી એમની કલમ એ એમની નીજી મૂડી છે…..જીવનને ઉચ્ચતર બનાવવાની પ્રેરણા આપનારા પ્રસંગો આલેખવામાં અવંતિકાબેનનો જોટો  મળવો મુશ્કેલ.”

ઉત્તમ ગજ્જર 

તેમનો પોતાના શબ્દોમાં પરિચય ‘ ગુજરાતી સાહિત્ય સંગમ’ ઉપર 

તેમનો બ્લોગ

તેમના વિશે એક લેખ 

તેમના અવસાન બાદ એક ભાવભરી સ્મરણાંજલિ

એક વાર્તા …….  માતા-કુંવારી કે પરણેલી ”                                                                                              

—————————————–

સંપર્ક

  • ‘શાશ્વત’, કે.એમ.જૈન ઉપાશ્રય સામે, ઓપેરા  સોસાયટીની પાસે, પાલડી. અમદાવાદ-380007
  • ફોન :+91-79-26612505, +91-79-26612505
  • ઈમેલ –   avantikagunvant@gmail.com

જન્મ

  • ૧૭ ફેબ્રુઆરી ૧૯૩૭, અમદાવાદ
  • મૂળ વતન- ગામ ઝુલાસણ ,તા-કડી ,જી- મહેસાણા (ઉ.ગુ. )

અવસાન

  • ૯, ડિસેમ્બર – ૨૦૧૭

કુટુમ્બ 

  • માતા – શકરીબેન ; પિતા – ્છોટાલાલ શાહ
  • પતિ – ગુણવંત મહેતા ; પુત્ર –  મરાલ; પુત્રી – પ્રશસ્તિ

અભ્યાસ

  • મેટ્રિક – ૧૯૫૨
  • બી.એ. ૧૯૫૬ અંગ્રેજી, સાયકોલોજી
  • એમ.એ. ૧૯૬૦ ગુજરાતી, સંસ્કૃત

વ્યવસાય

  • ૧૯૬૧ – ૧૯૬૯ રસરંજન  બાલ અઠવાડિકનું સંપાદન
  • ૧૯૬૯ – ૧૯૭૫  બાલ ભારતી પ્રકાશન  – ધોરણ ૧ ૨ ૩ ના ગણિત ઇતિહાસ ભૂગોળ પર્યાવરણના પુસ્તકોનું  લેખન અને પ્રકાશન
  • વાચન ,લેખન, પ્રવાસ અને નવરાશે ચિત્રકામ એ  એમની શોખની પ્રવૃત્તિ..

તેમના વિશે વિશેષ

  • વર્ષોથી મુંબાઈ સમાચાર, જન્મભૂમિ-પ્રવાસી, સૌરાષ્ટ્ર  સમાચાર (ભાવનગર), હલચલ,  અને સાંવરી(કલકત્તા) વિ. પ્રકાશનોમાં લોકપ્રિય કોલમોમાં સ્ત્રી,પરિવાર અને સમાજને લક્ષમાં રાખી જીવન લક્ષી લેખોનાં લેખિકા
  • ૨૦૦૪-૨૦૦૫ ‘આરપાર’ સાપ્તાહિકમાં “મુકામ પોસ્ટ અમેરિકા “નામની એમના અમેરિકાના અનુભવો આધારિત કોલમમાં લખેલ લેખો, વાર્તાઓ લોકોને ખુબ ગમેલા.
  • ઘણા વર્ષોથી અખંડાનંદ માસિકમાં “ગૃહ ગંગાને તીરે ” વિભાગમાં નિયમિત રીતે લેખો તેમજ કુમાર, જન કલ્યાણ જેવા અનેક માસિકોમાં અવારનવાર લખાતા લેખો દ્વારા તેઓ જાણીતા છે.
  • કેટલાંક લખાણો હિન્દી,  મરાઠી, તમિળ, ઉડિયામાં અનુવાદ

રચનાઓ

  • આપણી પ્રસન્નતા આપણા હાથમાં, ગૃહગંગાને તીરે, સપનાને દૂર શું નજીક શું ? , અભરે ભરી જિંદગી, પ્રેમ ! તારાં છે હજાર ધામ, કથા અને વ્યથા, માનવતાની મહેક, એકને આભ બીજાને ઉંબરો, સહજીવનનું પ્રથમ પગથિયું, ત્રીજી ઘંટડી,  હરિ હાથ લેજે , સદગુણદર્શન, ધૂપસળીની ધૂમ્રસેર, તેજકુંવર ચીનમાં, તેજકુંવર નવો અવતાર.

સન્માન

  • ૧૯૯૮ – “સંસ્કાર પારિતોષિક “
  • ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ‘માનવતાની મહેક’ને પારિતોષિક
  • ૧૯૮૨– ‘કુમાર’ માં  ‘અતિસ્નેહ ’ વાર્તાને શ્રેષ્ઠ વાર્તા તરીકે પારિતોષિક

સાભાર

  • શ્રી. વિનોદ પટેલ, સાન ડિયેગો
  • શ્રી. ઉત્તમ ગજ્જર, લેક્સિકોન
  • શ્રી. વિજયકુમાર શાહ – ‘ગુજરાતી સાહિત્ય સંગમ’ બ્લોગ

બંસીધર શુકલ -Bansidhar Shukla


પ્રેરક અવતરણ

“આપણે પ્રકૃતિના અંશ છીએ, એટલે સ્વાભાવિકતાથી વિવેકપુરઃસર જીવન જીવવાથી સુખ અને શાંતિનો અનુભવ થાય છે.”

તેમના વિશે…

  • ‘સર્વવિષય વખારી’
  • ‘સરકારી, અર્ધ સરકારી, સ્વૈચ્છિક સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા જાકારો છતાં જ્ઞાન સંવર્ધન અને વ્યાપની પ્રવૃત્તિ એકલે હાથે ચાલુ રાખનાર કર્મઠ, સદા યુવાન, સાચા સારસ્વત.’

– રાધેશ્યામ શર્મા

તેમણે જવાબ આપેલા કેટલાક અદ્‍ભૂત પ્રશ્નો – ( નોન ગુગલી !)  

  • શેતરંજની રમતની શોધ કોણે કરેલી?
  • અકબરના દરબારના ‘ નવ રત્નો’ કયા?
  • માફિયાઓની કાર્યપ્રણાલિ કેવી હોય છે?
  • દસ અબજ પછીની સંખ્યાનાં નામો?
  • જગતનું સૌથી મોટું પક્ષી કયું?

——————————————————

સમ્પર્ક

  • ૬, જીવન સૌરભ, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ.
  • ટેલિ.નં.
  • ઘર – (૦૭૯)- ૨૬૬૩ ૯૫૫૭
  • મોબાઈલ – ૯૪૨૯૧ ૨૮૫૩૫

ઉપનામ

  • ચિત્રગુપ્ત, હરિહર, રાહુ, ફ્રેન્ક વ્હાઈટ

જન્મ

  • ૩૦, ઓક્ટોબર – ૧૯૩૧, અમદાવાદ
  • મૂળ વતન – રૂપાલ, ગાંધીનગર જિ.

કુટુમ્બ

  • માતા – પ્રસન્નબેન હરગોવિંદરાય પાઠક, પિતા– છગનલાલ હરનારાયણ શુકલ
  • પત્ની – સંજુલા સોમાભાઈ ત્રિવેદી( લગ્ન – ૧૯૫૬); દિકરીઓ – કાશ્મીરા, ઉલ્કા, પૂર્ણા

શિક્ષણ

  • પ્રાથમિક – બાળમંદિર, ખમાસા, અમદાવાદ; મ્યુનિ. શાળા, ખાડિયા;
  • માધ્યમિક – પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ , કાંકરિયા, અમદાવાદ
  • બી.કોમ. ( એચ.એલ. કોમર્સ કોલેજ, અમદાવાદ )
  • એલ.એલ.બી. (એલ.એ. શાહ લો કોલેજ, અમદાવાદ)

વ્યવસાય

  • અમદાવાદમાં કોમર્શિયલ આર્ટિસ્ટ તરીકે શરૂઆત,
  • ૧૯૬૧-૧૯૯૪ – એલ.આઈ.સી.માં
  • ૧૯૯૪-૨૦૦૯ – ગુજરાતી વિશ્વકોશમાં નિષ્ણાત તરીકે સેવા

તેમના વિશે વિશેષ

  • શાળાકાળમાં ગુજરાતી હતલિખિત માસિક ‘તરૂણ’ નું સંચાલન.
  • ૧૯૪૭  – ગુજરાતી માસિક ‘ બાલમિત્ર’ – આનંદમાં પહેલી પ્રકાશિત  વાર્તા ‘કુસંપનું પરિણામ’
  • પહેલું પ્રકાશિત પુસ્તક ‘ વાહન વ્યવહાર’
  • શરૂઆતમાં મ્યુનિ. દીવા નીચે ફૂટપાથ પર બેસીને પણ લેખન કાર્ય કરેલું છે.
  • ૧૯૫૫ થી – ‘નવચેતન’ માસિકમાં ‘ જનરલ નોલેજ’ અને ‘ સવાલ જવાબ’ કટારના સંચાલક – એક જ કટારમાં સાતત્ય માટે રાષ્ટ્રિય રેકર્ડ
  • ‘ધર્મ સંદેશ’ અને ‘ધર્મલોક’ માં પ્રશ્ન –ઉત્તર વિભાગનું સંચાલન.
  • ગુજરાતી દૈનિકોમાં અનેક લેખો છપાયા છે.
  • ૧૯૭૭થી – રેડિયો પર અનેક વાર્તાલાપ
  • કટાક્ષ ચિત્રકાર ( કાર્ટૂનિસ્ટ) તરીકે પણ જનસત્તામાં
  • અનેક સંસ્થાઓમાં વિવિધ વિષયો પર વ્યાખ્યાનો આપેલાં છે; અને સામાન્ય જ્ઞાન વિષયક અનેક સેમિનારોમાં વક્તા તરીકે ભાગ લીધેલો છે.
  • સર્જનમાં પ્રેરણામૂર્તિ – વોલ્ટ ડિઝની
  • અંગત પુસ્તકાલયમાં ૨૦૦૦ થી વધારે પુસ્તકો
  • જાતે પાઠપૂજા કરતા નથી, અને બાધા આખડીમાં માનતા નથી. પણ શ્રદ્ધાળુઓ તરફ વિરોધ નહીં.
  • બે પુત્રીઓનાં લગ્ન અત્યંત સાદગીથી કર્યાં.

હોબીઓ

  • ગાયન,હાર્મોનિયમ વાદન, ચિત્રકામ, ટપાલ ટિકીટ સંગ્રહ, સિક્કા સંગ્રહ વિ.

રચનાઓ

  • સામાન્ય જ્ઞાન, વ્યક્તિ પરિચય વિ. વિષયોને લગતાં ૫૧ પુસ્તકો
  • માહિતી – જ્ઞાન સંહિતા, પ્રસન્નિકા જ્ઞાનકોશ ભાગ  ૧ – ૧૦ , પૌરાણિક ચરિત્ર કોશ, વાહન વ્યવહાર,ધ્વજ પરેડ, માનવ અજાયબીઓ, મગજ માપો, પરમાણુ, ટેલિફોન, ટેલિવિઝન અને આવી ઘણી બધી પરિચય પુસ્તિકાઓ
  • ભજન / ભક્તિ સંગ્રહ – મંજુલ સ્મરણાંજલિ,
  • નવલકથા – સમર્પિતા
  • વાર્તા – મંદિરનાં બારણાં ઉઘાડો

સન્માન

  • ૧૯૫૫ – ઝગમગ ચન્દ્રક
  • ૧૯૭૦ – નવચેતન ચન્દ્રક
  • ૧૯૭૮– અમદાવાદ ઔદિચ્ય સહસ્ત્ર જ્ઞાતિ દ્વારા વિશેષ સન્માન
  • ૧૯૮૦– સંસ્કાર પરિવાર, વડોદરા એવોર્ડ
  • ૧૯૮૮ – ગુજરાત રાજ્યનો પુરસ્કાર – જ્ઞાન સંહિતા માટે
  • ૧૯૯૮ – ગુજરાતી વિશ્વકોશ દ્વારા સન્માન
  • ૨૦૦૬ – વિનુભાઈ રાવળ સમાજ સેવા પુરસ્કાર
  • ૨૦૦૬ – બાળસાહિત્ય એકેડેમી ચન્દ્રક

સાભાર

  • શ્રી. ભરત જાની
  • સાક્ષરનો સાક્ષાત્કાર, ભાગ -૬ , રાધેશ્યામ શર્મા

નિરંજન વર્મા, Niranjan Varma


નામ

નિરંજન માવલસિંહ વર્મા

જન્મ

ઇ.સ. ૧૯૧૭ ; ગામ – રાજડા, જિ. જામનગર

અવસાન

ઇ.સ. ૧૯૫૧ ; મદનપલ્લી – આંધ્ર પ્રદેશ

અભ્યાસ

  • અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધી – વાંકાનેર
  • વિનીત – દક્ષિણામૂર્તિ વિદ્યાલય; ભાવનગર
વ્યવસાય
  • ‘ફૂલછાબ’ સાપ્તાહિકમાં તંત્રી વિભાગમાં
જીવનઝરમર
  • સત્યાગ્રહ, ભૂગર્ભપ્રવૃત્તિ, પત્રકારત્વ અને જેલવાસ
  • ધોલેરા સત્યાગ્રહ વખતે જયમલ્લ પરમારનો પરિચય
  • અભિન્ન મિત્ર એવા જયમલ્લ પરમાર સાથે રાષ્ટ્રોત્થાનની વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રીય ભાગ
  • સઘળું લેખનકાર્ય જયમલ્લ પરમાર સાથે
રચનાઓ
  • નવલકથાઓ – ખંડિત ક્લેવરો, અણખૂટાધારા, કદમ કદમ બઢાયે જા
  • લોકકથા – લોકકથા ગ્રંથાવલિ (ભાગ ૧ થી ૩)
  • બાળવાર્તાઓ – પરિકથાઓ
  • પક્ષિ-પરિચયગ્રંથાવલિ – આંગણાના શણગાર, ઊડતાં પંખી, વગડામાં વસનારાં, કંઠે સોહામણાં, રૂપરૂપના અંબાર, પ્રેમી પંખીડાં
  • ચરિત્રલેખન – કાઠિયાવાડના ઘડવૈયા, જીવનશિલ્પીઓ, આચાર્ય પ્રફુલ્લચંદ્ર રોય, શાહનવાઝની સંગાથે, સુભાષના સેનાનીઓ, ઝવેરચંદ મેઘાણી
  • વ્યંગચિત્રો – સંબેલા, અમથી ડોશીની અવળવાણી.
  • વિજ્ઞાનલેખન – ગગનને ગોખે, આકાશપોથી
  • અનુવાદ – સરહદ પાર સુભાષ.
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૬

જયમલ્લ પરમાર,Jaymalla Paramar


નામ

જયમલ્લ પ્રાગજીભાઇ પરમાર

જન્મ

૬ નવેમ્બર ૧૯૧૦

અવસાન

૧૩ જૂન ૧૯૯૧

અભ્યાસ

  • દક્ષિણામૂર્તિ વિનયમંદિર, ભાવનગર
  • કાશી વિદ્યાપીઠ – વારાણસી
  • ગુજરાત વિદ્યાપીઠ – અમદાવાદ
વ્યવસાય
  • ફૂલછાબ, કલ્યાણયાત્રા, ઊર્મિ-નવરચના વગેરે માં તંત્રી
  • સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં અદ્યાપક
જીવનઝરમર
  • સત્યાગ્રહની ચળવળમાં અનેક વખત કારાવાસ ભોગવ્યો.
  • મિત્ર નિરંજન વર્મા સાથે સહલેખન
રચનાઓ
  • નવલકથાઓ – ખંડિત ક્લેવરો, અણખૂટાધારા, કદમ કદમ બઢાયે જા
  • લોકકથા – લોકકથા ગ્રંથાવલિ (ભાગ ૧ થી ૩)
  • બાળવાર્તાઓ – પરિકથાઓ
  • પક્ષિ-પરિચયગ્રંથાવલિ – આંગણાના શણગાર, ઊડતાં પંખી, વગડામાં વસનારાં, કંઠે સોહામણાં, રૂપરૂપના અંબાર, પ્રેમી પંખીડાં
  • ચરિત્રલેખન – કાઠિયાવાડના ઘડવૈયા, જીવનશિલ્પીઓ, આચાર્ય પ્રફુલ્લચંદ્ર રોય, શાહનવાઝની સંગાથે, સુભાષના સેનાનીઓ, ઝવેરચંદ મેઘાણી
  • વ્યંગચિત્રો – સંબેલા, અમથી ડોશીની અવળવાણી.
  • વિજ્ઞાનલેખન – ગગનને ગોખે, આકાશપોથી
  • અનુવાદ – સરહદ પાર સુભાષ.
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૬
%d bloggers like this: