ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: વર્ણનકાર

કાન્તિ ભટ્ટ, Kanti Bhatt


kanti_Bhatt“ડોશી નવરી પડે એટલે દળવા બેસી જાય,
એમ હું લખવા બેસી જઉં છું”
”મારી જાતને પીરસણિયો અથવા પોસ્ટમેન માનું છું.”
“મારો આત્મા ભટકતો હોય તેવું લાગે છે.”
મુલાકાત

# વિકિપિડિયા પર

# ‘ ખબર છે?’ પર એક સરસ લેખ

# શ્રી. સૌરભ શાહના ફેસબુક પાનાં પરથી સંસ્મરણો

# રીડ ગુજરાતી પર એક લેખ

# ‘મિડ ડે’ પર એક લેખ

# સ્પીક બિન્દાસ સાથે ( વિડિયો) 

____________________________

dsc01714

કટાર લેખક અને પત્રકાર કાન્તિ ભટ્ટનું 88 વર્ષે મુંબઈમાં નિધન

ઉપનામ

24 જેટલા (!) , પૌલોમી, શશીધર સરોજ, નીલેશ કંપાણી, પ્રેમ ભાટીયા, ડો. શ્યામ વેદ , બચુમામા , મેહુલ ભટનાગર , સિધ્ધાર્થ શાહ , ચન્દ્રગુપ્ત મૌર્ય, મયૂરી શાહ વિ.

જન્મ

15 જુલાઇ – 1931 સચરા – ભાવનગર ; વતન – ઝાંઝમેર

અવસાન

૪, ઓગસ્ટ, ૨૦૧૯, કાંદિવલી, મુંબઈ

કુટુમ્બ

  • માતા – પ્રેમ કુંવર બેન ; પિતા – હરગોવિન્દભાઇ
  • ચાર ભાઇ અને ત્રણ બહેનો,
  • 1965 (?) પ્રથમ લગ્ન રંજન સાથે, 1977 – છૂટાછેડા , 1979– 26 વર્ષ નાની શીલા સાથે બીજા લગ્ન
  • પુત્રી – શક્તિ

અભ્યાસ

1952– બી. કોમ. – એમ. એસ. યુનિ. વડોદરા

વ્યવસાય

  • સ્નાતક થયા બાદ થોડોક વખત ભાવનગર મ્યુનિ. માં નોકરી,
  • તબિયત બગડતાં 1954– ઉરૂલી કાંચન આશ્રમમાં સેવક તરીકે
  • 9 વર્ષ પીનાંગ – મલાયેશીયા માં કાકા સાથે વેપારમાં
  • 1966 થી – પત્રકાર

મૂખ્ય કૃતિઓ

?

જીવન ઝરમર

  • મહુવાની હાઇસ્કૂલમાં અખાડાના મેગેઝીન ‘ ઝણકાર’ ના તંત્રી,
  • 1955 બાદ- સાત વખત ભારત થી મલાયેશીયા સ્ટીમરમાં મુસાફરી ;
  • 1966 થી મુંબાઇમાં પત્રકારત્વ,
  • 1967 – ‘વ્યાપાર’માં સબ એડીટર, પછી ચિત્રલેખા, મુંબાઇ સમાચાર, જનશક્તિ, સંદેશ, યુવા દર્શન, જનસત્તા વિ. ઘણા મેગેઝીનોમાં લખાણ,
  • 1977- કેન્યામાં થોડો વખત કામ,
  • લેખનની શરૂઆત ટૂંકી વાર્તાથી
  • ટૂંકા વાક્યો તેમની વિશેષતા, અભણ પણ વાચાળ માતા અને શીઘ્ર કવિ પિતાની અસર તેમની શૈલીમાં,
  • પી.ડી. ઓસ્પેન્સ્કી ના પુસ્તક “ The psychology of man’s possible evolution” ની જીવન પર ઘણી અસર
  • અનેક વિષયો પર લખેલું છે
  • તેમણે લીધેલા ઇન્ટરવ્યુ ન વાંચ્યા હોય તેવો ભાગ્યે જ કોઇ ભણેલો ગુજરાતી હશે
  • અન્વેષણાત્મક પત્રકારિત્વ ( Investigative Jounalism) માં તેમનું મહાન પ્રદાન

સન્માન

75 મી વર્ષગાંઠે જુલાઇ – 2006 માં મુંબાઇમાં જાહેર સન્માન

સાભાર

મનીષા જોશી- રિડીફ.કોમ, મહેન્દ્ર ઠાકર

કાકા કાલેલકર, Kaka Kalelkar


 

kaka_kalelkar.jpg # ‘હિમાલય નો પ્રવાસ’ ના અંગ્રેજી અનુવાદ – (અશોક મેઘાણી  ) વિશે

હિમાલયનો  પ્રવાસ ‘ – પુસ્તક પરિચય – શ્રીમતિ દીપલ પટેલ 

#  વિકિપિડિયા પર પરિચય

#  ગુજરાત વિદ્યાસભાની વેબ સાઈટ પર ઘણા બધા ફોટા

___________________________

નામ

  • દત્તાત્રેય કાલેલકર

જન્મતારીખ

  • ડિસેમ્બર 1, 1885

જન્મસ્થળ

  • સતારા (મહારાષ્ટ્ર)

અવસાન

  • 1981

માતા

  • રાધાબાઈ

પિતા

  • બાલકૃષ્ણ કાલેલકર

અભ્યાસ

  • મેટ્રિક (1903)

વ્યવસાય

  • દેશસેવા, કેળવણી

kaka_kalelkar

જીવન ઝરમર

  • પૂનામાં ફર્ગ્યુસન કોલેજમાં અભ્યાસ શરૂ કર્યો, પણ લોકમાન્ય ટિળકના પ્રભાવ નીચે રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં ઝંપલાવ્યું,
  • થોડો સમય બેલગામ તથા વડોદરામાં શિક્ષક,
  • 1913– સ્વામી આનંદ સાથે હિમાલય-પ્રવાસ
  • આચાર્ય કૃપલાની સાથે બ્રહ્મદેશ પ્રવાસ
  • 1915- ટાગોરના ‘શાંતિનિકેતન’ માં ગાંધીજીને મળ્યા, અમદાવાદના સત્યાગ્રહ આશ્રમ તથા ‘ગૂજરાત વિદ્યાપીઠ’ સાથે સંકળાયા
  • 1932 થી સતત દેશનો પ્રવાસ
  • 1960 – ગુજરાતી સાહિત્ય પરિષદના અમદાવાદ અધિવેશનના પ્રમુખ

પ્રદાન

  • 40 પુસ્તકો

મુખ્ય રચનાઓ

  • જીવનનો આનંદ, રખડવાનો આનંદ, જીવનલીલા, ઓતરાદી દીવાલો, હિમાલયનો પ્રવાસ, બ્રહ્મદેશનો પ્રવાસ, સ્મરણયાત્રા  વિ.

સન્માન

  • 1964- પદ્મવિભૂષણ, તેમના ફોટા વાળી ટપાલ ટિકીટ બહાર પડી છે.

કાજલ ઓઝા-વૈદ્ય, Kajal Ojha Vaidya


Kajal_2
( વાંચો અને સાંભળો )

વિકિપિડિયા પર

તેમની સાથે પ્રશ્નોત્તર

તેમની રચનાઓ

——————————————————-

જન્મ

  • ૨૯, સપ્ટેમ્બર – ૧૯૬૬, મૂંબાઈ

કુટુમ્બ

  • માતા-?; પિતા – દિગંત ઓઝા
  • પતિ – સંજય વૈદ્ય; સંતાન – ?

શિક્ષણ

  • ૧૯૮૬ – બી.એ.( સંસ્કૃત, અંગ્રેજી) , ગુજરાત યુનિ.( અમદાવાદ)
  • એમ.એ. – એડ્વર્ટાઈઝિંગ મેનેજમેન્ટ ( મુંબાઈ યુનિ.)

ચિત્રલેખા હીરક મહોત્સવમાં પ્રવચન

અસ્મિતા પર્વમાં પ્રવચન

શિકાગોમાં પ્રવચન( ત્રણ ભાગ પૈકીનો પહેલો ભાગ )

તેમના વિશે વિશેષ

  • હિન્દી અને ગુજરાતી સિનેમા તેમજ ટેલિવિઝન ક્ષેત્રે કટાર લેખક, કવિ, અભિનેત્રી અને સંચાલક તરીકે પણ યોગદાન આપ્યું છે.
  • તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાના સ્ક્રિપ્ટ લેખન વિષયમાં મુલાકાતી શિક્ષક તરીકે કાર્ય કર્યુ છે.
  • સંદેશ,ગુજરાત ડેઇલી,લોકસત્તા-જનસત્તા,ઈન્ડીયન એકસપ્રેક્ષ ,મુંબઇ,અભિયાન,સમકાલીન,સંભવ માં પત્રકારત્વ
  • દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર(સુરત),કચ્છ-મિત્ર, જન્મભૂમિ-પ્રવાસી,કલક્ત્તા હલચલમાં કટાર લેખક

Kajal_3

 

Kajal_4

રચનાઓ

  • ૪૫ પુસ્તકો(નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, અનુવાદો, નિબંધો, નાટકો અને ૪ ઓડિયો પુસ્તકો)

સન્માન

  • ૧૯૮૧: નેશનલ એવોર્ડ અને નિબંધ લેખન માટે “સંસ્કાર ચંદ્રક”
  • ૧૯૮૨: નેશનલ એવોર્ડ અને ટૂંકી વાર્તા લેખન માટે “સંસ્કાર ચંદ્રક”
  • ૧૯૮૧-૮૨/૧૯૮૨-૮૩: શ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડ, ગુજરાત યુનિવર્સિટી યુથ ફેસ્ટીવલ

સાભાર

  • શ્રી. વિનોદ પટેલ
  • ગુજરાતી વિકિપિડિયા

અવંતિકા ગુણવંત, Avantika Gunwant


”બદલાતા સમય અનુસાર સમાજ વ્યવસ્થામાં આપણે પરિવર્તન નથી લાવતા ત્યારે અનેક વિકૃતિઓ પેદા થાય છે, અને સમાજ દોષપૂર્ણ અને રુગ્ણ થઇ જાય છે,માનવતા મરી પરવારે છે.”

– અવંતિકા ગુણવંત

“પહેરવે ઓઢવે મહારાષ્ટ્રીયન  જેવાં જણાતાં આ સન્નારી સ્નેહની મૂર્તિ છે.અત્યંત સંવેદનશીલ હૈયું, જીવન મૂલ્યોને ઓળખવાની દ્રષ્ટિ,કશાય અલંકાર ,આડંબર કે અવતરણો વિના સરળ વિચરતી એમની કલમ એ એમની નીજી મૂડી છે…..જીવનને ઉચ્ચતર બનાવવાની પ્રેરણા આપનારા પ્રસંગો આલેખવામાં અવંતિકાબેનનો જોટો  મળવો મુશ્કેલ.”

ઉત્તમ ગજ્જર 

તેમનો પોતાના શબ્દોમાં પરિચય ‘ ગુજરાતી સાહિત્ય સંગમ’ ઉપર 

તેમનો બ્લોગ

તેમના વિશે એક લેખ 

તેમના અવસાન બાદ એક ભાવભરી સ્મરણાંજલિ

એક વાર્તા …….  માતા-કુંવારી કે પરણેલી ”                                                                                              

—————————————–

સંપર્ક

  • ‘શાશ્વત’, કે.એમ.જૈન ઉપાશ્રય સામે, ઓપેરા  સોસાયટીની પાસે, પાલડી. અમદાવાદ-380007
  • ફોન :+91-79-26612505, +91-79-26612505
  • ઈમેલ –   avantikagunvant@gmail.com

જન્મ

  • ૧૭ ફેબ્રુઆરી ૧૯૩૭, અમદાવાદ
  • મૂળ વતન- ગામ ઝુલાસણ ,તા-કડી ,જી- મહેસાણા (ઉ.ગુ. )

અવસાન

  • ૯, ડિસેમ્બર – ૨૦૧૭

કુટુમ્બ 

  • માતા – શકરીબેન ; પિતા – ્છોટાલાલ શાહ
  • પતિ – ગુણવંત મહેતા ; પુત્ર –  મરાલ; પુત્રી – પ્રશસ્તિ

અભ્યાસ

  • મેટ્રિક – ૧૯૫૨
  • બી.એ. ૧૯૫૬ અંગ્રેજી, સાયકોલોજી
  • એમ.એ. ૧૯૬૦ ગુજરાતી, સંસ્કૃત

વ્યવસાય

  • ૧૯૬૧ – ૧૯૬૯ રસરંજન  બાલ અઠવાડિકનું સંપાદન
  • ૧૯૬૯ – ૧૯૭૫  બાલ ભારતી પ્રકાશન  – ધોરણ ૧ ૨ ૩ ના ગણિત ઇતિહાસ ભૂગોળ પર્યાવરણના પુસ્તકોનું  લેખન અને પ્રકાશન
  • વાચન ,લેખન, પ્રવાસ અને નવરાશે ચિત્રકામ એ  એમની શોખની પ્રવૃત્તિ..

તેમના વિશે વિશેષ

  • વર્ષોથી મુંબાઈ સમાચાર, જન્મભૂમિ-પ્રવાસી, સૌરાષ્ટ્ર  સમાચાર (ભાવનગર), હલચલ,  અને સાંવરી(કલકત્તા) વિ. પ્રકાશનોમાં લોકપ્રિય કોલમોમાં સ્ત્રી,પરિવાર અને સમાજને લક્ષમાં રાખી જીવન લક્ષી લેખોનાં લેખિકા
  • ૨૦૦૪-૨૦૦૫ ‘આરપાર’ સાપ્તાહિકમાં “મુકામ પોસ્ટ અમેરિકા “નામની એમના અમેરિકાના અનુભવો આધારિત કોલમમાં લખેલ લેખો, વાર્તાઓ લોકોને ખુબ ગમેલા.
  • ઘણા વર્ષોથી અખંડાનંદ માસિકમાં “ગૃહ ગંગાને તીરે ” વિભાગમાં નિયમિત રીતે લેખો તેમજ કુમાર, જન કલ્યાણ જેવા અનેક માસિકોમાં અવારનવાર લખાતા લેખો દ્વારા તેઓ જાણીતા છે.
  • કેટલાંક લખાણો હિન્દી,  મરાઠી, તમિળ, ઉડિયામાં અનુવાદ

રચનાઓ

  • આપણી પ્રસન્નતા આપણા હાથમાં, ગૃહગંગાને તીરે, સપનાને દૂર શું નજીક શું ? , અભરે ભરી જિંદગી, પ્રેમ ! તારાં છે હજાર ધામ, કથા અને વ્યથા, માનવતાની મહેક, એકને આભ બીજાને ઉંબરો, સહજીવનનું પ્રથમ પગથિયું, ત્રીજી ઘંટડી,  હરિ હાથ લેજે , સદગુણદર્શન, ધૂપસળીની ધૂમ્રસેર, તેજકુંવર ચીનમાં, તેજકુંવર નવો અવતાર.

સન્માન

  • ૧૯૯૮ – “સંસ્કાર પારિતોષિક “
  • ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ‘માનવતાની મહેક’ને પારિતોષિક
  • ૧૯૮૨– ‘કુમાર’ માં  ‘અતિસ્નેહ ’ વાર્તાને શ્રેષ્ઠ વાર્તા તરીકે પારિતોષિક

સાભાર

  • શ્રી. વિનોદ પટેલ, સાન ડિયેગો
  • શ્રી. ઉત્તમ ગજ્જર, લેક્સિકોન
  • શ્રી. વિજયકુમાર શાહ – ‘ગુજરાતી સાહિત્ય સંગમ’ બ્લોગ

લાવણ્યસમય, Lavanyasamay


નવમઇ વરસિ દિખવર દીધ,સમયરત્ન ગુરિ વિદ્યા દીધ

સરસતિ માત મયા તવ લહી, વરસ સોલમ વાણી હુઇ.

એક વયરી, વિષયલેડી એ બિહું, ત્રીજી વ્યાધિ

જાઉં ઉગતી છેડીઇ, તુ સિરિ હુઇ સમાધિ.

બોલઇ બોલઇ વાધઇ રાઢિ, કાંટઇ કાંટઇ વધાઇ વાડિ.

—-

Read more of this post

શેખાદમ આબુવાલા, Shaikh Adam Abuwala


“આદમ ગજબની વાત છે આસ્તિક હતા અમે,
નસ્તિક બની ગયા અમે કારણ ખુદા મળ્યો.” 
  –  તેમના પોતાના અવાજમાં સાંભળો

“માનવીને આ જગત, આદમથી શેખાદમ સુધી
એ જ દોરંગી લડત, આદમથી શેખાદમ સુધી.”   – #  સાંભળો અને માણો

“દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે
પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે.”

“હે, વ્યથા! કુમળાં કંઈ કાળજાને કોરતી કાળી કથા. ”  –  #   સાંભળો અને માણો

” ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો
અતિ વરસાદ કૈં ખેડૂતને પ્યારો નથી હોતો.”

“ગાંધી તને ખબર છે તારું થયું છે શું ?
ખુરસી સુધી જવાનો તુ રસ્તો બની ગયો.” – ખુરશી-કાવ્યો

#  રચનાઓ   :    –   1  –    :   –  2  –

એક સરસ પરિચય

#  એક અંગત પરિચય   –  ૧  –  ;

________________________________________________________________

નામ

  • આબુવાલા શેખઆદમ મુલ્લાં શુજાઉદ્દીન

ઉપનામ

  • આદમ

કુટુમ્બ

  • માતા – મોતીબાઈ; પિતામુલ્લાં શુજાઉદ્દીન શેખ ઈબ્રાહીમ

જન્મ

  • 15,ઓક્ટોબર – 1929; અમદાવાદ

અવસાન

  • 20,મે – 1985; અમદાવાદ

અભ્યાસ

  • બી.એ. (ગુજરાતી) – ગુજ. યુનિ., અમદાવાદ
  • એમ.એ. ( અંગ્રેજી અને ઉર્દૂ સાથે)

વ્યવસાય

  • ‘ગુજરાત સમાચાર’માં પત્રકાર તરીકે કારકીર્દીની શરૂઆત
  • 1956-1974 – ‘વોઈસ ઓફ જર્મની’- બર્લીનમાં હિન્દુસ્તાન રેડિયો વિભાગમાં હિન્દી/ ઉર્દૂ સર્વિસનું સંચાલન
  • 1974 પછી – અમદાવાદમાં પત્રકાર

sa

જીવનઝાંખી

  • માત્ર 16 જ વર્ષની ઉમ્મરે ‘સંસ્કૃતિ’ જેવા ઉચ્ચ કક્ષાના સામાયિકમાં તેમનું સોનેટ અને ત્રણ ગઝલો પ્રગટ થયાં હતાં.
  • એમ.એ. માં ઉમાશંકર જોશીના શિષ્ય
  • સામ્યવાદી યુવક મહોત્સવમાં મોસ્કોની મુલાકાત બાદ પોલેન્ડ અને જર્મનીમાં સ્થળાંતર
  • ‘ચાંદની’ તેમનો પ્રથમ પ્રયોગલક્ષી કાવ્યસંગ્રહ( પૃથ્વી જેવા લગભગ અગેય અને બીજા સંસ્કૃત છંદોમાં પણ ગઝલો લખેલી છે.)
  • અખબારોમાં કટારો – સારા જહાં હમારા, માનવી ને આ  જગત, આદમની આવડત, જમાલપુરથી જર્મની
  • મિત્રો – ગણ્યા ગણાય નહીં એટલા – ગોલીબાર ખાનદાનની ત્રણ પેઢી દાદા.બાપ,પૌત્રથી માંડી બધાજકવિઓ,લેખકો, સાહિર.લુધ્યાનવી,નીરજ,મોહંમદ રફી,વિનોદ ભટ્ટ,નીરુભાઈ દેસાઈ,જયંત પરમાર,ઉમાશંકર જોષી,મરીઝ,શૂન્ય પાલનપુરી,સૈફપાલનપુરી,શેખચલ્લી,હબીબ,બેકાર,બદરી કાચવલ,અમીરી,ઘાયલ,માજી વડા પ્રધાન વી.પી.સીંઘ,માજી મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકી વિ.
  • આંતરડાની બીમારીથી અવસાન

રચનાઓ – 33 પુસ્તકો

  • કાવ્ય – ચાંદની,અજંપો, હવાની હવેલી, સોનેરી લટ, ખુરશી, તાજમહાલ
  • નવલકથા– તમન્નાના તમાશા, તું એક ગુલાબી સપનું છે, આયનામાં કોણ છે?. નીંદર સાચી, સપનાં જૂઠાં, રેશમી ઉજાગરા, ફૂલ બનીને આવજો,  સમગ્ર ગઝલ – દીવાને આઝમ
  • અનુવાદ– શ્રેષ્ઠ જર્મન વાતો
  • આત્મકથા. સ્વાનુભવો – હું ભટકતો શાયર છું, યુરોપની હવામાં
  • ડાયરી – હમ ભી ક્યા યાદ કરેંગે
  • મુલાકાતો – તસ્વીર દિખાતા હૂં
  • ઉર્દૂ ગઝલો – घिरते बादल- खूलते बादल , अपने ईक ख्वाबको दफनाके आया हूं

લાક્ષણિકતાઓ

  • તેમની રચનાઓમાં તીવ્ર ભાવસંવેદનો, આરતભરી અભિવ્યક્તિ, સૌંદર્યનો કેફ, પ્રણયની ગુલાબી મસ્તી, સ્વપ્નિલ તરંગોની લીલાનું ચાતુર્ય છે.
  • રાજકીય/ સામાજિક વિષયો પર કટાક્ષ કરતાં ‘ ખુરશી કાવ્યો’ નોંધનીય છે.
  • નવલકથાઓમાં માનવતાવાદી અભિગમ છે.

સાભાર

  • ગુજરાતી સાહિત્યકોશ ખંડ -2
  • શ્રી. મહમ્મદઅલી ભેડુ – ‘ વફા’

જુગલકીશોર વ્યાસ, Jugalkishor Vyas


ઉંઝા આધારીત –  સરળ જોડણીમાં )

jugalkishor_vyas.jpg

“કોણ આ અંતરે આવી આવી અને  અવનવી ઊર્મિઓને  જગાડે ?
કોણ અણદીઠ હાથે હ્રદય-બીનના તાર   હળવે  રહીને  વગાડે ? ”

“દુનીયાનો  અંધકાર  મને શું   કરી શકે ?
અંધારું ગર્ભકાળનું  આંજ્યું છે આંખમાં. ”

” કો’  મંદીરે   ખુદા  ને   રામ   મસ્જીદે    રહે:
એવી કો’ શક્યતાનું સ્વપ્ન લઈ ફરું છું હું ! ”

‘ આવ્યાં’તાં એકલાં અને જઈશુંય એકલાં. વચ્ચે અહીં રહ્યાં એ એકલાં નહીં પણ અનેકલાં થઈને રહ્યાં.’
ગીતાજી જેને ‘વ્યક્તમધ્ય’ કહે છે તે આ જીવન જ મારે મન મહત્ત્વનું છે. અહીં સૌની સાથે, સૌનાં બનીને, સૌ માટે રહેવાની વાતમાં બધો સાર આવી જાય છે. સુસંકલીત-સુગ્રથીત-સુસંવાદીત-સુવ્યવસ્થીત સમાજની કલ્પના અને આશા જ સાથે જીવન જીવવામાં સાર્થકતા છે. ‘સહનાવવતુ…’એ ફક્ત પ્રાર્થના જ નથી; એ જીવન-વ્યવહાર બની રહે એમાં જીવ્યાંની સાર્થકતા. ”

#   વ્યાકરણના પાઠો      :    પીંગળશાસ્ત્ર

#   તેમના અનુભવો

તેમના બ્લોગ ……….

#    શાણી વાણીનો શબદ   :   NET-ગુર્જરી
પત્રમ્ પુષ્પમ્          :   આપણા મલકમાં

___________________________________________________   Read more of this post

ચન્દ્રકાન્ત શેઠ, Chandrakant Sheth


ccf09252006_00000.jpg” કવિતા જન્મે છે વ્યક્તિમાં, પણ જીવે છે સમાજમાં. કાવ્ય સર્જન વેળાએ કવિ કવિતાની બહાર હોતો નથી. ને કવિતા સર્જાઇ ગયા પછી પોતે ક્યાં છે એની ખાસ ફિકર ચિંતા કરવા જેવી હોતી નથી.”

” મૂંગાં તે કેમ રહેવું? ”

” શબ્દોને આપણે ઓઢીએ ને આપણે વધુ ઉઘાડા પડીએ.”

” મારો વિશ્વાસ કઇ રીતે થઇ શકે?
મેં ખોટાં બિલોમાં, ભળતી સહી કરી
જાળવી અદબ નથી મારા નામની.”  – આવું પ્રામાણિકપણે લખી શકનાર !

પ્રેરક વાક્ય – ‘आत्मानम्  विध्धि । ‘

# રચનાઓ  ઃ  ૧  ઃ  ૨  ઃ  ૩  ઃ  

___________________________ Read more of this post

રતિલાલ ‘અનિલ’, Ratilal ‘Anil’


ratilal_anil_1.JPG“નથી એક માનવી પાસે બીજો માનવી હજી પહોંચ્યો,
‘અનિલ’, મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો !”

“અસ્તિત્વના પરાક્રમે આ શું કર્યું ‘અનિલ’
દર્પણ બનાવવા જતાં ચહેરો ફૂટી ગયો. “

“સહજમાં રહ્યો ને બધે વિસ્તર્યો,
રહ્યો જળ ને પાછો હું જળમાં તર્યો !
કે ‘સ્થિતિ’માં મારી રહી છે ‘ગતિ’
નથી હું મર્યો કે નથી અવતર્યો !”

” દિવાસળી એક જ વાર બોલે છે. ” – એક ચાંદરણું

# કાવ્યો    –  1  –     :   –   2   –    :        –  3   –       

#   ‘ચાંદરણા’

# એક લેખ        :      વેબ સાઇટ   +     +   ખાસ ફોન્ટ  ઇન્સ્ટોલ કર્યા બાદ

# તેમના અવસાન દિને સરસ અંજલિ – ‘પેલેટ’ પર

#  ‘ચિત્રલેખા’માં ઈન્ટરવ્યુ

__________________________________________ Read more of this post

બિપીન આશર, Bipin Ashar


 –

# રચના      :    વેબ સાઇટ  

__________________________________________ Read more of this post

%d bloggers like this: