
“ નામે નાના પણ કામે જેબદાર “
– રાધેશ્યામ શર્મા
“ઓછું લખવું પણ, ઓછું ન ઊતરે એટલું ને એવું લખવું.”
“ ‘ણ’ ને આંગણે
હેલ્યુંના ખણેણાટ,
કાબીયુંના રણેણાટ,
સાથળ પિંડીઓના વળેળાટ,
જોબનના ઝળેળાટ
પગલાનાં કડેડાટ,
કાજળ કંકુનાં હડેડાટ
…
‘ણ‘ હવે હરડ ફરડ,
‘ણ’ ગામ ગામતરે,
’ણ’ નાળિયેર શોધે,
‘ણ’ રૂપિયો શોધે… ”
પ્રેરક અવતરણ
“દુઃખ તમારા હૃદયને જેટલું ઊંડું કોતરશે, એટલું જ સુખ તમે એમાં સમાવી શકશો.”
– ખલીલ જિબ્રાન
– સ્મરણાંજલિ ( રજનીકુમાર પંડ્યાના બ્લોગ ‘ઝબકાર’ પર.)
____________________________________________________________
સમ્પર્ક
- 303, 3 જા માળે, ગેલેક્સી પાર્ક, ચલા, દમણ રોડ, વાપી – 396 191
ઉપનામ
જન્મ
- 11, નવેમ્બર- 1938; ખાલપર ( તા. સાવરકુંડલા, જિ. ભાવનગર)
અવસાન
કુટુમ્બ
- માતા – રાણુબા; પિતા – હરસુરભાઇ
- પત્ની– કાનુબેન ( લગ્ન – 1965); પુત્રો – રાજેન્દ્ર, વિજય
અભ્યાસ
- સોનગઢ અધ્યાપન મંદિરમાંથી જુનીયર પી.ટી.સી.
વ્યવસાય
- વંડા કેન્દ્રની કુમારશાળામાં પ્રાથમિક શિક્ષક

જીવનઝરમર
- પ્રેરણામૂર્તિ સ્વ. ભોજરાજગિરિ ગોસ્વામી
- ક.મા.મુન્શી અને ઝ. મેઘાણીની રચનાઓનો પ્રભાવ
- અંગ્રેજી ભાષાથી બહુ પરિચિત નથી
- પ્રથમ મૌલિક કૃતિ – ‘લાડકું ભાંગે’ – ચાંદની માસિકમાં
- મોટા દેખાવાનં ફાંફાં મારવાં કે ફિશિયારીભર્યા ફાંકામાં રહેવા ફડાકા ઝાટકવા પડે એ કરતાં નાના રહીને લોક કથા સાહિત્યમાં જેબદાર લખાણોથી જ ઓળખાવાનું પસંદ કરે છે.
- ફૂલછાબ, જયહિંદ, પ્રતાપ, ગુજરાતી ટાઇમ્સ ઓફ ઈન્ડીયામાં વાર્તાઓ/ લેખો છપાયા છે.
- ‘ચટાકચોરો’ કોલમના લેખક
- ‘સંદેશ’માં ‘અલખનો ઓરડો’ કોલમમાં હાસ્યહારડા અને કટાક્ષકોરડા પીરસ્યા છે.
- કોઈ વાહન ચલાવતાં આવડતું નથી.
- એક વખત બસમાં એટેચી ચોરાઈ જતાં ટિકીટની રકમ ન ચુકવી શક્યા ત્યારે એક અજાણ્યા મુસાફરે લેખક તરીકે ઓળખીને ટિકીટની રકમ ચુકવી દીધેલી.
- ઈશ્વર અને ગુરુમાં સમ્પૂર્ણ શ્રદ્ધા, પૂજાપાઠ કરતાં ધ્યાનમાં વધુ રુચી
- કુરૂઢિઓનો વિરોધ – પોતાના અને પુત્રના લગ્નમાં ફેરફારો કર્યા, ઘરમાં ઘુંઘટપ્રથાને તિલાંજલિ
- વર્ણાશ્રમ પ્રથાને ધીક્કારે છે.
- એક વખત બસ ઉંધી પડતાં માંડ બચેલા
શોખ
- ચિત્ર અને સંગીત, હાર્મોનિયમ અને તબલાં વગાડતા હતા
રચનાઓ – 30 પુસ્તકો
- નવલકથા – મેઘરવો, રંગ બિલોરી કાચના, તરણાનો ડુંગર, વંકી ધરા વંકાં વહેણ,એંધાણ, સૂરજ ઊગ્યે સાંજ, ભીનાં ચઢાણ, અરધા સૂરજની સવાર, અમે ઊગ્યા’તા શમણાંને દેશ
- નવલિકા– શૌર્યધારા, સથવારો, મારી શ્રેષ્ઠ વાર્તાઓ
- હાસ્યકથાઓ – સૌરાષ્ટ્રનો લોકવિનોદ, ધકેલ પંચા દોઢસો
- બાળનાટકો અને બાળવાર્તાઓ
સન્માન
- ટૂંકી વાર્તા સ્પર્ધામાં ત્રણ સુવર્ણચંદ્રકો
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર- રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
- ગુજરાતી સહિત્યકોશ , ખંડ -2
Like this:
Like Loading...
વાચકોના પ્રતિભાવ