ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: વિવેચક

નવલરામ ત્રિવેદી, Navalram Trivedi


અંધારા કો અતિશય ઊંડા વારિધિની ગુફામાં
મોંઘેરાં ને ઝળહળ થતાં મૌક્તિકો કૈં પડયાં રહે;
ને પુષ્પો કૈં નિરજનવને ખૂબ ખીલી રહીને
પેંકી દે છે નિજ સુરભિ; હા ! દૈવનો દુર્વિપાક !

વિકિપિડિયા પર

ઉપનામ

‘ડાબેરી’, ‘પોણીપચીસ’, ‘વૈનેતેય

જન્મ

૧૧, ઓક્ટોબર, ૧૮૯૫ ,વઢવાણ

અવસાન

૧૮, મે – ૧૯૪૪, અમદાવાદ

કુટુ મ્બ

માતા – ; પિતા – જગન્નાથ
પત્ની – સવિતાબેન; સંતાન – ચાર

શિક્ષણ

પ્રાથમિક – વઢવાણ
બી. એ. – ૧૯૨૦; એમ.એ. – ૧૯૨૬

વ્યવસાય

ગુજરાતી સાહિત્ય સભામાં મંત્રી
SNDT કોલેજમાં વાઈસ – પ્રિન્સિપાલ

  તેમના વિશે વિશેષ

એમણે પોતાની લેખનપ્રવૃત્તિનો આરંભ અરવિંદ ઘોષના બંગાળી ગ્રંથ ‘કારાવાસની કહાણી’ (૧૯૨૧)ના અનુવાદથી કર્યો. ‘કેટલાંક વિવેચનો’ (૧૯૩૪), ‘નવા વિવેચનો’ (૧૯૪૧) અને ‘શેષ વિવેચનો’ (મરણોત્તર, ૧૯૪૭) એ એમના વિવેચનલેખ-સંગ્રહો છે. એમના લેખો વિશદ તથા વિગતપ્રચુર હોય છે. ઉપરાંત તટસ્થતા, સ્પષ્ટવક્તૃત્વ ને બહુશ્રુતતા પણ જોવા મળે છે. કલાપી, કાન્ત, ન્હાનાલાલ અને મુનશીની કૃતિઓ વિશેનાં એમનાં લખાણો નોંધપાત્ર છે. ‘કેતકીનાં પુષ્પો’ (૧૯૩૯) અને ‘પરિહાસ’ (મરણોત્તર, ૧૯૪૫)માં રાજ્કીય, સામાજિક, સાહિત્યિક અને શૈક્ષણિક ક્ષેત્રોની ઊણપોને હાસ્ય-કટાક્ષનું લક્ષ્ય બનાવતા એમના હળવા નિબંધો અને પ્રતિકાવ્યો ગ્રંથસ્થ થયાં છે. એમાં ઉક્તિવૈચિત્ર્ય, શબ્દરમત, ટુચકા અને અતિશયોકિત દ્વારા હાસ્ય-કટાક્ષ વ્યકત થયાં છે. ‘કલાપી’ (૧૯૪૪) એ એમણે પ્રાપ્ય માહિતીને આધારે લખેલું, કવિ કલાપીના જીવન અને પ્રણયસંઘર્ષને આવરી લેતું રોચક જીવનચરિત્ર છે.

નવલરામની અન્ય મહત્વની સાહિત્યસેવા એમનાં સંપાદનો છે. ટિપ્પણ અને સ્વતંત્ર મંતવ્યોની આગવી મુદ્રાવાળું પુસ્તક ‘જયંતી વ્યાખ્યાનો’ (૧૯૪૦), ‘બુદ્ધિપ્રકાશ’ સમાયિકમાં પ્રકાશિત, વિવિધ વિષયોને સ્પર્શતા લેખોને આવરી લેતું પુસ્તક ‘બુદ્ધિપ્રકાશ લેખ સંગ્રહ’-ભા. ૧, ૨ (અનંતરાય રાવળ સાથે, ૧૯૪૧, ૧૯૪૨), શામળનું મૂલ્યાંકન કરતું પુસ્તક ‘શામળનું વાર્તાસાહિત્ય’ કલાપીની કવનપ્રવૃત્તિને મૂલવતા ગ્રંથો ‘ગ્રામમાતા અને બીજાં કાવ્યો’ (૧૯૩૮) તથા ‘હૃદયત્રિપુટી અને બીજાં કાવ્યો’ (૧૯૩૯) એટલાં મુખ્ય સંપાદનો છે. ‘સમાજસુધારાનું રેખાદર્શન’ (૧૯૩૪) એ દસ્તાવેજી પુસ્તક, ‘શિક્ષણનું રહસ્ય’ એ અનુવાદ, અન્ય સાથે મળીને સંપાદિત કરેલું ‘માનસશાસ્ત્ર’, ‘બ્રિટીશ સામ્રાજયનો અર્વાચીન ઇતિહાસ’ અને ‘હિન્દનું નવુ રાજ્યબંધારણ’ જેવાં ઈતર પુસ્તકો પણ એમણે આપ્યાં છે.

નગીનદાસ સંઘવી, Nagindas Sanghvi


“ હું તો મારા વિદ્યાર્થીઓના હાથે ટીચાઈ ટીચાઈને ઘડાયો છું.”
હુલામણું નામ – નગીનબાપા

ન્મ

૧૦, માર્ચ – ૧૯૨૦; ભાવનગર

અવસાન

૧૨, જુલાઈ- ૨૦૨૦; સુરત

કુટુંબ – ??

શિક્ષણ

એમ.એ.  ભાવનગર

વ્યવસાય

શિક્ષણ – ૧૯૫૧ – ૮૦, ભવ ન્સ કોલેજ , અંધેરી , રુપારેલ કોલેજ – માહીમ; મીઠીબાઈ કોલેજ, વિલે પાર્લે  મુંબઈ
સામાયિકોમાં કટાર લેખક

તેમની ચેનલ

https://www.youtube.com/channel/UCP5z9huJwsrMwtB1_rmwW9g/videos

તેમના વિશે વિશેષ

  • 1944માં ભણવાનું પૂરું કર્યું હતું. મુંબઈમાં ઍડ્વર્ટાઈઝિંગ કંપનીમાં મહિને 30 રૂપિયાના પગારે ટાઈપિસ્ટ તરીકે નોકરી શરૂ કરી હતી. એક-બે જગ્યાએ કામ કર્યા પછી ત્રણ દાયકા કરતાં વધુ સમય અધ્યાપન અને છેલ્લાં પચાસ વર્ષ કટારલેખન કરતાં હતા.
  • એક ઈન્સ્યોરન્સ કંપનીમાં કામ કર્યું હતું. વચ્ચે બે વાર મુંબઈથી ભાવનગર પાછા ગયા હતા.
  • ૧૯૫૦ ના વર્ષમાં મુંબઈની ભવન્સ કૉલેજમાં પ્રોફેસર બન્યા હતા. એ પછીનાં બત્રીસ વર્ષ મુંબઈની રૂપારેલ તથા મીઠીબાઈ કૉલેજમાં ભણાવ્યું હતું. તેઓ રાજકારણ અને ઈતિહાસના વિષય શીખવતા હતા.
  • તેઓ કૉલેજમાં ભણાવતા હતા ત્યારથી સમાચારપત્રોમાં લખવાનું શરૂ કર્યું હતું.  નિવૃત્તિ પછી પણ તેઓ લખતા રહ્યાં હતા. 1982માં મહિને 700 રૂપિયાનું પેન્શન મળતું હતું. પણ એમાં એમનું ઘર ચાલે એમ નહોતું એટલે લખવાનું કામ કરીને કમાતા હતા. આમ તેઓ અકસ્માતે લખતા રહ્યાં હતા.
  • મુંબઇની મીઠીબાઇ કૉલેજમાં પૉલિટીકલ સાયન્સના વડા તરીકે નિવૃત્ત થયા હતા. 
  • ૧૯૬૨ થી – ચિત્રલેખા અને બીજાં સામાયિકોમાં રાજકારણને લગતી નિયમિત કટારોમાં નીડર લેખન
  • રાજકીય પ્રવાહોની તલસ્પર્શી છણાવટ અને સાચા અર્થમાં અને તડ અને ફડ કરનારા
  • મૂળ રામાયણમાંથી ઘણી બધી એવી બાબતો તેમણે મૂકી કે જે કથા અને પાત્રો અંગેની રૂઢિગત માન્યતાઓને માફક ન આવી. લેખમાળા સામેનો વિરોધ હુલ્લડબાજી અને છાપાંની હોળી સુધી પહોચ્યો હતો. તેમની કોલમ આખરે એ બંધ થઈ, આક્ષેપોનો જવાબ આપવાનો લેખકનો હક્ક પણ તંત્રીસાહેબોએ નકારવો પડ્યો.  નોંધપાત્ર છે કે પછીના વર્ષે નગીનદાસે એ લેખમાળાને  ‘રામાયણની અંતરયાત્રા’ પુસ્તક તરીકે જાતે પ્રકાશિત કરવાની હિમ્મત દાખવી. ડૉ. આંબેડકરનાં ‘રિડલ ઑફ રામ’ લખાણની યાદ અપાવતાં આ પુસ્તકનાં પાનેપાને તલ:સ્પર્થી સંશોધન અને  સ્વતંત્ર ચિંતન દેખાય છે.
  • તેઓ આસ્તિક બિલકુલ ન હતા. ધર્મ એમના માટે અધ્યાત્મનો વિષય ન હતો. તેઓ માનતા કે ધર્મ વગર કોઈ સમાજ ટક્યો નથી અને ટકી શકે પણ નહીં. નગીનભાઈ પોતે જ કહે તા હતા, ધર્મ, વિજ્ઞાન, ઈતિહાસ, સમાજશાસ્ત્ર અને રાજકારણ વિશેનાં લખાણોએ એમને ઘણા આજીવન દુશ્મન આપ્યા છે તો પ્રગાઢ દોસ્તો પણ આપ્યા છે.

ચનાઓ

  • મહામાનવ કૃષ્ણ, ગીતા નવી નજરે, ગીતા વિમર્શ,  નરે ન્દ્ર મોદી – એક રાજકીય સફર, રામાયણની અંતરયાત્રા,
  • તડફડ શ્રેણી – ભારત, ધર્મ, ઈતિહાસ, જીવન, રાજનીતિ, સમાજ, સંસ્કૃતિ, વિશ્વ, સોંસરી વાત, નગીનદાસ સંઘવીનું  તડ ને ફડ
  • સંકલન – એમની વિવિધ કટારોના લેખોમાંથી સંકલન કરેલા આઠ  પુસ્તકોનો સેટ
  • ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં મળી અઢાર પુસ્તક અને 29 પરિચય પુસ્તિકાઓ. 

સન્માન

૨૦૧૮ – પદ્મશ્રી , ભારત સરકાર
વજુ કોટક સુવર્ણ ચંદ્રક

નિરંજન ભગત, Niranjan Bhagat


# “હું તો બસ ફરવા આવ્યો છું!
હું ક્યાં એકે કામ તમારું કરવા આવ્યો છું? “

રચનાઓ  ઃ ૧ ઃ ૨ ઃ ૩ ઃ

कविताकोश पर एक रचना

વિકિપિડિયા પર

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર

#  એક સરસ લેખ

તેમના અવસાન નિમિત્તે ‘નીરવ રવે’ પર  સરસ શ્રદ્ધાંજલિ

રીડ ગુજરાતી પર પરિચય

_______________________

nb70

chitralekha

આ મુખપૃષ્ઠ પર ‘ક્લિક’ કરી, ખાસ તૈયાર કરેલો પરિચય વાંચો…

nb66

નામ

  • નિરંજન નરહરિભાઇ ભગત

જન્મ

  • ૧૮ – મે , ૧૯૨૬  ; અમદાવાદ

અવસાન 

  • ૧, ફેબ્રુઆરી – ૨૦૧૮ ; અમદાવાદ

અભ્યાસ

  • એમ. એ.

વ્યવસાય

  • અધ્યાપન

જીવન ઝરમર

  • બંગાળી અને અંગ્રેજી કાવ્યોનું બહોળું વાંચન
  • ‘હાલતી ચાલતી વિદ્યાપીઠ’ જેવા કવિ
  • નગરજીવનનાં કાવ્યો એ સૌથી મોટું પ્રદાન
  • ઉત્તમ વક્તા
  • પરંપરિત હરિગીત અને ઝૂલણા છંદ તેમની વિશિષ્ટ મુદ્રા છે.
  • ‘પ્રવાલ દ્વીપ’ નો અંગ્રેજીમાં અનુવાદ થયો છે.

મુખ્ય રચનાઓ

  • કાવ્યસંગ્રહો – છંદોલય * , કિન્નરી, અલ્પવિરામ, 33 કાવ્યો, પ્રવાલ દ્વીપ , છંદોલય બૃહદ્ – સમગ્ર કવિતા
  • વિવેચન – કવિતાનું સંગીત, કવિતા કાનથી વાંચો, ન્હાનાલાલની ઊર્મિકવિતા, સ્વાધ્યાય લોક – અનેક ભાગ
  • અનુવાદ – ચિત્રાંગદા ( રવીન્દ્રનાથના નાટકનો ), ઓડનનાં કાવ્યો
  • સંપાદન – પ્રો. બ.ક.ઠાકોર અધ્યયન ગ્રંથ, મીરાંબાઇના કાવ્યો
  • ધાર્મિક – યંત્ર વિજ્ઞાન અને મંત્ર કવિતા
  • તંત્રી – ગ્રંથ, સાહિત્ય

સન્માન

  • ૧૯૬૯  – રણજિતરામ સુવર્ણચંદ્રક *
  • ૧૯૫૩ – ૫૭  – નર્મદચંદ્રક *
  • ૨૦૧૫  – કાવ્યમુદ્રા વિનોદ નિઓટિયા એવોર્ડ

સાભાર

‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન.

રમણ પાઠક, Raman Pathak


raman_pathak.jpg

“મંદીર બાંધવા કરતાં જાહેર સંડાસ બાંધો.”

સારા માણસ થવામાં તો સુખ-આનંદ છે, પછી મુશ્કેલી જ ક્યાં ?

‘ગુજરાત મિત્રે’માં વસંતોત્સવ

તેમના પુસ્તક ‘વિવેક વલ્લભ વિશે’ 

–  ‘રીડ ગુજરાતી’ પર તેમના વિચારો

તેમની આત્મકથાના લોકાર્પણ વખતે નાનુભાઈ નાયકે આપેલ ‘પરિચય’ પ્રવચન

#   એક લેખ 

# આધુનિક મહર્ષિ -વલ્લભ ઇટાલિયા

—————————————————————–

જન્મ

  • 30 –  જુલાઈ , 1922  ;   રાજગઢ (પંચમહાલ)

અવસાન

  • ૧૨, માર્ચ – ૨૦૧૫, બારડોલી

કુટુમ્બ

  • માતા – ઈચ્છાબા ; પિતા – હિંમતલાલ
  • પત્નીસરોજ ( લેખિકા ) ; પુત્રી – શર્વરી

અભ્યાસ

  • પ્રાથમિક , માધ્યમિક –  રાજગઢ
  • બી. એ  – એમ. ટી. બી. કોલેજ, સુરત
  • એમ. એ.  – ગુજરાત યુનિ. ( 40 વર્ષની ઉમ્મરે, સુવર્ણ ચન્દ્રક સાથે ! )

વ્યવસાય

  • 1948- 68   –   પત્રકારત્વ
  • લેખન

જીવનઝરમર

  • જ્ઞાતિની કન્યા સાથે થયેલી સગાઇ તોડી પરજ્ઞાતિના સરોજબેન સાથે માત્ર બે રૂપીયાના ખર્ચે પરણ્યા.
  • મુંબાઇના ‘હિન્દુસ્તાન’ દૈનીકના તંત્રીવિભાગમાં
  • પછી સોવિયેટ રશીયાના માહીતિ ખાતામાં મુખ્ય સંચાલક
  • 1968 – બધું છોડી શેક્ષણ ક્ષેત્રે
  • સુરતના ‘ ગુજરાત મિત્ર’  માં ‘રમણ ભ્રમણ’ નામની બહુ જ લોકપ્રિય અને સમાજના કુરિવાજો અને ધાર્મિક અંધશ્રધ્ધાની સામે લાલબત્તી ધરતી કોલમના લેખક  
  • પ્રખર વિવેકપંથી( Rational thinker), ગુજરાતમાં રેશનાલીઝમના પિતામહ
  • બાળકોની અને સ્ત્રીઓની વેદનાઓ તેમના લખાણોનો મુખ્ય વિષય

વ્યવસાય

  • શિક્ષક, પત્રકાર, પછી આકાશવાણી-દિલ્હીમાં સમાચારપ્રસારક
  • “સોવિયેત સમાચાર”માં સંપાદક
  • દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજોમાં ગુજરાતીના પ્રાધ્યાપક

મુખ્ય રચનાઓ

  • નવલકથા -ઓથાર
  • વાર્તા – સબસે ઊંચી પ્રેમસગાઈ, પ્રીત બંધાણી, અકસ્માતના આકાર.
  • હાસ્યલેખ  – હાસ્યલોક, હાસ્યોપનિષદ
  • ચિંતન/  નિબંધ  – આક્રોશ, રમણભ્રમણ, આંસુ અનરાધાર, વિવેક વલ્લભ
  • સંપાદન – સરોજ પાઠકની શ્રેષ્ઠ વાર્તાઓ
  • અનુવાદ – ધીરે વહે છે દોન, ચેખોવની શ્રેષ્ઠ નવલકથાઓ

સાભાર

  • શ્રી. હરીશ રઘુવંશી

મનહર મોદી, Manhar Modi


manhar_modi_6– અડધો ઊંઘે અડધો જાગે;
એ માણસ મારામાં લાગે.

તેજને તાગવા, જાગ ને જાદવા
આભને માપવા, જાગ ને જાદવા

હું નથી, હું નથી, એમ જાણ્યા પછી
આવવા ને જવા, જાગ ને જાદવા

– એ જ છે મારા પરિચયની કથા
ગા લગા ગાગાલગા ગાગાલગા

–  વિકિપિડિયા પર

ગુજરાતી સાહિત્ય અકાદમીની વેબ સાઈટ પર

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર 

–  તેમની રચનાઓ  લયસ્તરો પર 

————————

જન્મ

  • ૧૫, એપ્રિલ-૧૯૩૭; અમદાવાદ

અવસાન

  • ૨૩, માર્ચ -૨૦૦૩; અમદાવાદ

કુટુમ્બ

  • માતા– ગજીબેન; પિતા– શાંતિલાલ
  • પત્ની– હસુમતીબેન , સુહાસિનીબેન ; સંતાનો – જયેશ, કમલેશ

શિક્ષણ

  • ૧૯૬૪– બી.એ. ( અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર)
  • ૧૯૬૪ – બી.એ.( ગુજરાતી, સંસ્કૃત)
  • ૧૯૬૬ – એમ.એ. .( ગુજરાતી, સંસ્કૃત) – ગુજ. યુનિ.

વ્યવસાય

  • ૧૯૫૬-૫૮ – ટેક્સ્ટાઈલ ડિઝાઈન સેલ્સમેન
  • ૧૯૫૮-૧૯૬૬ – વેસ્ટર્ન રેલ્વેમાં ટિકિટ કારકૂન
  • ૧૯૬૬ થી અંત સુધી – વિવિધ કોલેજોમાં ગુજરાતીના વ્યાખ્યાતા

તેમના વિશે વિશેષ

  • શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત અમદાવાદની ભવન્સ કોલેજમાંથી.
  • પછી ડાકોરની કોલેજમાં અને છેલ્લે અમદાવાદની ભક્ત –વલ્લભ ધોળા કોલેજમાં વ્યાખ્યાતા
  • ‘નિરિક્ષક’ અને ‘ઉદ્ગાર’ના તંત્રી
  • ‘રે’મઠમાં બળવાખોર કવિઓ સાથે પહેલેથી સક્રીય હતા.
  • પ્રયોગશીલ કલ્પનો એ એમની વિશેષતા હતી.
  • ૧૯૬૩- પહેલો કાવ્ય સંગ્રહ ‘આકૃતિ’
  • ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તરીકે પણ સેવાઓ આપી છે.
  • અનેક સામાયિકોમાં તેમની રચનાઓ પ્રકાશિત થઈ છે.
  • ‘રન્નાદે પ્રકાશન’ના સ્થાપક

રચનાઓ

  • કવિતા– આકૃતિ, ૐ તત્‍ સત્‍ , બધી જ ગઝલોને સમાવતો સંચય ’૧૧ દરિયા’
  • સંપાદન – કવિમિત્રો સાથે ગઝલ ઉસને છેડી,ગાઈ તે ગઝલ
  • વિવેચન – સુરેશ જોશી : મૂલ્યાંકન, ગદ્યનું કલાસ્વરૂપ, અધીત’- ૧૦-૧૧-૧૨,, વિવેચનના વિવિધ અભિગમો’, ‘ગુજરાતીના અધ્યાપકોનો માહિતીકોશ

સન્માન

  • ધનજી -કાનજી સુવર્ણ ચન્દ્રક

મોહનલાલ પટેલ, Mohanlal Patel


“ લઘુકથા જીવનના એક જ સંદર્ભને સ્પર્શે છે, જે એના કેન્દ્રરૂપ પેલા સિચ્યુએશન સાથે સીધો સંકળાય છે; અને બીજા સંદર્ભો તો સિચ્યુએશનના પૂરક અંશો જ હોય છે.”

પ્રેરક અવતરણ……. “ મન તણો ગુરુ મન કરશે, તો સાચી વસ્તુ જડશે.”

“To start a story still scares me to death.” – Steinbeck

“… પ્રોફેસર થવાની મોહિની ખંખેરી નાંખી, પોતાના સમાજમાં ઊછરતાં બાળકો વચ્ચે જઈને તેઓ બેઠા છે.” – ઉમાશંકર જોશી.

( રીડ ગુજરાતી પર )    –  ૧ –  ;  –  ૨  –

કનકપાત્ર( અક્ષરનાદ પર )

લઘુકથા અને તેમના વિશે બહુ જ સરસ લેખ (પ્રેમજી પટેલ)

 


સમ્પર્ક

  • ૫૦૧/૨૧, સત્યાગ્રહ છાવણી, સેટેલાઈટ રોડ, અમદાવાદ, ૩૮૦ ૦૫૪

જન્મ

  • ૨૫, એપ્રિલ, ૧૯૨૭, પાટણ

અવસાન

  • ૧૩, માર્ચ , ૨૦૨૦, અમદાવાદ

કુટુમ્બ

  • માતા- જેઠીબેન, પિતા – બાબાઈદાસ
  • પત્ની- હીરાબેન ( લગ્ન- ૧૯૪૫, કહોડા- સિદ્ધપુર)
  • સંતાન – ચાર

શિક્ષણ

  • ૧૯૪૩ – મેટ્રિક
  • ૧૯૪૭ –  ઈતિહાસ અને અર્થ શાસ્ત્ર સાથે મુંબાઈ યુનિ.માંથી બી.એ.
  • ૧૯૫૫ – ગુજરાત. યુનિ.માંથી બી.એડ
  • ૧૯૬૧ – ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે એમ.એ.
  • રાષ્ટ્રભાષા રત્ન

વ્યવસાય

  • અધ્યાપન,ખાસ તો કડીના સર્વ વિદ્યાલયમાં.

mp

જીવન ઝરમર

  • ૧૯૫૦ માં અમદાવાદની સાહિત્યિક આબોહવા અને ૧૯૬૧માં અમદાવાદની આર્ટ્સ કોલેજમાં અધ્યાપન કાર્ય છોડી કડીની શાળામાં પુનરાગમન.
  • ઉમાશંકર જોશી સાથે ગાઢ મૈત્રી
  • ભોળાભાઈ પટેલ એમના શિષ્ય હતા. – “નો સ્ટડી વિધાઉટ કડી!”
  • કડીના સર્વ વિદ્યાલયના વડા તરીકે નિવૃત્ત
  • ગુજરાતી સાહિત્યમાં લઘુકથાના પ્રખર પુરસ્કર્તા.
  • નેશનલ જ્યોગ્રોફિક મેગેઝિનના આશક
  • સર્વપ્રથમ ટૂંકી વાર્તા ‘બહાદર’ ૧૯૪૯, સપ્ટેમ્બરના ‘નવચેતન’માં પ્રકાશિત થઈ.
  • પ્રિય ફિલ્મ ‘Blood and sand’ ; પ્રિય નાટક ‘ અમે બરફનાં પંખી’
  • આકાશવાણી પર ઘણા કાર્યક્રમો આપ્યા છે.
  • ભારત ઉપરાંત અમેરિકા, કેનેડામાં ઘણી વખત પ્રવાસ કર્યો છે.

અન્ય શોખ

  • ચિત્રકળા, શાસ્ત્રીય વાદ્યસંગીત

રચનાઓ

  • નવલકથા– હેતનાં પારખાં, અંતિમ દીપ, સાંજ ઢળે, નયન શોધે નીડ, શમણાં ન લાગે હાથ, ટહૂકે પંખી કોઈ ઘટામાં, રણમાં છાઈ શ્યામ ઘટા, ભાસ- આભાસ
  • વાર્તાસંગ્રહ – હવા તુમ ધીરે બહો, વિધિનાં વર્તુળ, ટૂંકા રસ્તા, મોટી વહુ, પ્રત્યાલેખન, ક્રોસરોડ
  • લઘુકથા સંગ્રહ – ઝાકળમાં સૂરજ ઊગે
  • વિવેચન– ટૂંકી વાર્તા – મીમાંસા

સન્માન

  • ૧૯૮૪- શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો ગુજરાત રાજ્યનો એવોર્ડ

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર – ભાગ -૨ ,રાધેશ્યામ શર્મા

અતિસુખશંકર ત્રિવેદી


નામ

અતિસુખશંકર કમળાશંકર ત્રિવેદી

જન્મ

ઇ.સ. ૧૮૮૫

અવસાન

ઇ.સ. ૧૯૬૩

વ્યવસાય

  • તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક
જીવનઝરમર
  • પિતા ગુજરાતના અગ્રણ્ય કેળવ્ણીકાર, વ્યાકરણશાસ્ત્રી અને પંડિત
  • નિબંધલેખનમાં સર્જકતા, ઊર્મિ અને વિનોદ તત્ત્વનો પ્રવેશ કરનાર
  • માનવીની લાગણી અને વ્યવહાર બન્નેને સ્પર્શે એવાં વિષયોનું  ગંભીર અને હળવી રીતે નિરૂપણ
  • બુદ્ધિપ્રકાશ અને વસંત સામાયિકોમાં વિવિધ લેખો
રચના
  • અનુવાદ – યુરોપના સુધારાનો ઇતિહાસ (લે, ગીઝો), નીતિશાસ્ત્ર (લે. રૅશડોલ)
  • સંપાદન – ત્રિવેદી વાચનમાળા, પાઠ્ય બૃહદ વ્યાકરણ
  • વિવેચન – કાવ્યસાહિત્યમીમાંસા

સંદર્ભ

  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૪

જશવંત મહેતા, Jashvant Mehta


નામ

જશવંત મણિલાલ મહેતા

જન્મ

૧૧ એપ્રિલ ૧૯૩૧ ; ભાવનગર

વ્યવસાય

  • મુંબઇની વિવિધ કંપનીઓમાં સેલ્સમેન
  • લાર્સન એન્ડ ટુબ્રોમાં સેલ્સ એક્ઝિક્યુટીવ
પ્રદાન
  • વાર્તા અને નવલકથા ક્ષેત્રે પ્રદાન
  • અમેરિકાના બાલ્ટિમોર ખાતે યોજાયેલ થર્ડ વર્લ્ડ પોએટ મીટમાં ભારતીય કવિ તરીકે કાવ્યપઠન
રચનાઓ
  • નવલકથા – સેવાશ્રમ, મઝદાર (ભાગ ૧ અને ૨), માણસ, સપનધારે, મુક્તપંખી, સ્નેહજ્વાળા, બુદ્ધમ શરણમ ગચ્છામી
  • વાર્તાસંગ્રહ – ધરતી આભ મિનારા, પ્રણયપુષ્પ
  • હાસ્યવાર્તાસંગ્રહ – દસમો ગ્રહ
  • નાટક – સતનું ચાંદરણું, ઇડિયટ, નટીશૂન્ય કુમાર નાટકો, આધુનિક નટીશૂન્ય એકાંકી
  • અંગ્રેજી કાવ્યસંગ્રહ – પોએટ્રી ઑફ એક્યુટ એઇઝ
  • વિવેચનસંગ્રહ – સર્જનની પાંખે
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ખંડ ૬

ચુનીલાલ શાહ, Chunilal Shah


નામ

ચુનીલાલ વર્ધમાન શાહ

ઉપનામ

સાહિત્યપ્રિય

જન્મ

ઇ.સ. ૧૮૮૭

અવસાન

ઇ.સ. ૧૯૬૬

પ્રદાન

  • સામાજિક અને ઐતિહાસિક વિષયવસ્તુવાળી અનેક નવલકથાઓ લખી છે.
  • હિન્દી, મરાઠી અને અંગ્રેજી વગેરે ભાષાઓમાં લખાયેલી નવલકથાઓનો ગુજરાતીમાં અનુવાદ કર્યો.
  • સામાજિક નવલકથાઓમાં તેમનો એક વિચારક કે સમાજસુધારક તરીકેની છાપ ઉભી થાય છે.
  • ‘પ્રજાબંધુ’ સાપ્તાહિકમાં પત્રકાર તરીકે કામગીરી બજાવી હતી.
  • સાહિત્યપ્રિય ઉપનામથી એમણે ગ્રંથસમીક્ષાઓ અને સાહિત્યની ચર્ચાઓ લખી છે.
રચનાઓ
  • ઐતિહાસિક નવલકથા – કર્મયોગી રાજેશ્વર, એકલવીર, સોમનાથનું શિવલિંગ, અવંતીનાથ, રૂપમતી
  • સામાજિક નવલકથા – જિગર અને અમી, નગ્ન સત્ય (ભાગ ૧-૨), વિકાસ, એક માળાનાં ત્રણ પંખી (ભાગ ૧-૨)
  • સાંસ્કૃતિક નવલકથા – કંટકછાયો પંથ
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૪

માય ડીયર જયુ, My dear Jayu


પ્રેરક અવતરણ
 ‘ Nothing is more real than nothing.’ – Walter de la mare

સમ્પર્ક – ‘અવનિલોક’ – 3, શાંતિનગર સોસાયટી, 2273, હિલડ્રાઇવ, ભાવનગર – 364 002

નામ

  • જયંતીલાલ રતિલાલ ગોહેલ

જન્મ

  • 27, મે- 1940: ટાણા ( જિ. ભાવનગર )

કુટુમ્બ

  • માતા – નર્મદાબેન ; પિતા– રતિલાલ;
  • પત્ની – જસુમતી ( લગ્ન – 1961; બુઢણા- ટાણા પાસે) પુત્ર – અવનીન્દ્ર, કવીન્દ્ર ; પુત્રી – ચેતના

અભ્યાસ

  • 1963- બી.એ.
  • 1965- એમ.એ; ભાવનગર

વ્યવસાય

  • ગુજરાતીના અધ્યાપક – શામળદાસ આર્ટ્સ કોલેજ

જીવનઝરમર

  • પ્રથમ મૌલિક કૃતિ – મરણટીપ
  • અદ્યાપન ઉપરાંત મકાન બાંધકામમાં પણ નિષ્ફળ હાથ અજમાવ્યો હતો.
  • ત્સવ સામાયિકમાં ‘ કાઠીયાવાડી ઓઠાં’ કટારમાં વાર્તાઓ , સ પશ્યતિ માં વિવેચન લેખો
  • ધારાવાહિક નવલકથા – રીન્કી બની ઠની
  • ભાવિ પુસ્તક ‘ જયંતીલાલ સાથે હિસાબ’આ કાશવાણી પર કાર્યક્રમો આપ્યા છે.
  • કોઈ વાહન નથી વાપરતા! 
  • ઈશ્વર , ગુરુ, બાધા, આખડી, વર્ણાશ્રમ વ્યવસ્થામાં વિશ્વાસ નથી

શોખ

  • નાટક, ચિત્ર

રચનાઓ  – ચાર પુસ્તકો

  • લઘુ નવલ – મરણટીપ ઝુરાપાકાંડ, કમળપૂજા, જીવ

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર – રન્નાદે પ્રકાશન
%d bloggers like this: