ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: સ્થળ પરિચય

અમદાવાદ વિશેની અજાણી વાતો


સાભાર – શ્રી. વિનોદ ભટ્ટ

ડો.માણેક પટેલના સંશોધન મંજૂશમાંથી મળેલી કેટલીક અજાણી વાતો….

(1) ઉસ્માનપુરા ગામનું નામ ઈસ્લામિક લાગે છે પણ તેના પ્રારંભિક વસવાટ કરનારા હિન્દુ જ હતા.

(2) અમદાવાદમાં એક રામજી મંદિરમાં કાળા કલરના રામ છે. રામ બધે ઊભેલા હોય છે આ મંદિરમાં બેઠેલા રામ છે. અહીં રામનવમીએ જન્મપત્રિકાનું વાચન થાય છે.

(3) વાડ નહોતી તેથી ગામનું નામ પડ્યું વાડજ.

(4) સોલા ગામનું રામજી મંદિર ઐતિહાસિક છે. અહીં સ્વાતંત્ર્યસેનાનીઓ રખાયા હતા.

(5) વસ્ત્રાપુર ગામમાં ઠાકોરોની મોટી વસ્તી છે. આ ગામમાં એક હજાર દુકાનો છે, પણ એક પણ દુકાન ઠાકોરની નથી.

(6) જુહાપુરામાં હજારો મુસ્લિમો રહે છે, પણ આ ગામ જુહાજી ઠાકોરે વસાવ્યું હતું.

(7) આઝમખાન જ્યારે અમદાવાદનો સૂબો હતો ત્યારે તેણે પોતાના હુકમથી ગાવા ન આવેલી આઠ ગાવાવાળી બહેનોને મરાવી નાખી હતી. એ ખૂબ ક્રૂર હતો. તેની ક્રૂરતા પરથી ગરબો રચાયો… કે કે લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ.. બાદશાહ બડો મિજાજી.. એ ઈશ્કમિજાજી હતો..

(8) મહાગુજરાત આંદોલનની લડતમાં 226 દિવસ ચાલેલો સત્યાગ્રહ સમગ્ર દેશનો અનોખો સત્યાગ્રહ હતો.

(9) ચંદ્રવિલાસની તુવેરની દાળ ખૂબ વખણાતી. લોકો ઘરે દાળ ના બનાવતા અને લાંબી લાઈનમાં ઊભા રહીને દાળ લઈ જતા.

(10) ચંદ્રવિલાસનો વકરો એટલો આવતો કે સિક્કાનું વજન કરીને કેટલો વકરો થયો છે તે નક્કી કરાતું.

(11) અમદાવાદમાં 1856માં આંગડિયા સર્વિસ શરૂ થઈ. ઊંઝાના જીવાજી ઈચ્છાજી પટેલે શરૂ કરેલી. પછી તો આંગડિયા સર્વિસ એટલી ચાલી કે સરકારનો પોસ્ટ વિભાગ હલબલી ગયો. તેમની ઘરાકી ઘટી એટલે તેમણે કેસ કર્યો. વાત છેક સુપ્રિમ કોર્ટ સુધી પહોંચી જેમાં આંગડિયાઓની જીત થઈ હતી.

(12) સરદાર પટેલ ટપાલીઓના યુનિયનના નેતા બન્યા હતા. એ વખતે ટપાલીઓ દિવસમાં ત્રણ ત્રણ વખત ટપાલ વહેંચવા જતા. પગાર મળતો હતો માત્ર 18 રૂપિયા. સરદાર પટેલને તેમની વાતમાં વજુદ લાગ્યું. તેમના નેતૃત્વમાં હડતાળ પડી. ટપાલીઓ જીત્યા અને પગાર 18નો 22 રૂપિયા થયો.

(13) જલેબી અને ફાફડાના કોમ્બીનેશનનો પ્રારંભ અમદાવાદની ચંદ્રવિલાસ હોટલે કર્યો હતો.

(14) અમદાવાદમાં હડકેશ્વરી દેવીનું મંદિર છે. જેને કૂતરું કરડ્યું હોય તે અહીં પગે લાગે તો સારું થઈ જાય છે.

(15) એક હસતી બીબીનો ગોખલો છે. એક એવી બીબી કે મહિલા હતી જે માંદા બાળકો પર હાથ મૂકે તો તેને સારું થઈ જતું હતું.

(16) બોપલ ગામ વસાવનારને તેનો યશ નથી મળ્યો. આ ગામની બહાર બોપલ દેસાઈ પોતાનાં પશુઓ લઈને બેસતો. લોકો કહેતા કે બોપલ દેસાઈની વસાહતે જવું છે.. તેમાંથી બોપલ નામ પડી ગયું.

(17) અમદાવાદમાં રાધનપુરના દિવાન સૈયર બાવા મિયાન કાદરીનો બંગલો હતો. એમના દીકરા એમ.બી.કાદરી અમદાવાદ શહેરના પ્રથમ ડેપ્યુટી મેયર બન્યા હતા. તેમનો દીકરો આઈ.એમ.કાદરી મુંબઈનો શેરિફ બન્યો હતો. હવે આ બંગલો હોટલમાં પરિવર્તિત થયો છે…!!!

અમદાવાદ અને ગુજરાતનો ફોટો નજારો


     મારા  માદરે વતનના આધુનિક નજારા ગોતવા  ખાંખાખોળાં કરવા લાગ્યો. અને એક મોટો ખજાનો હાથ લાગી ગયો.

     આ રહ્યો –

ahd

આ ચિત્ર પર ક્લિક કરો

એમાંથી થોડાક મસ્ત ફોટા …

This slideshow requires JavaScript.

 

ડાંગ – ગુજરાતનું કાશ્મીર


dang

અક્ષરનાદ પર ડાંગ વિશે અમદાવાદના શ્રી. મેહુલ સુતરિયાનો લેખ વાંચવા  અક્ષરનાદ પર પહોંચી જાઓ –

an

daang

ડાંગના ઢગલાબંધ ફોટા જોવા અહીં ક્લિક કરો.

 

સોમનાથ મંદિર – યાત્રાધામ સોમનાથ




આવા ઘણા બધા વિડિયો અહીં….
સ્થળનું નામ:
સ્થાન:
  • વેરાવળ પાસે. જિલ્લો સોમનાથ. પશ્ચિમ ગુજરાત
  • ગુજરાતના પશ્ચિમ દરિયા કિનારે
પ્રકાર:
  • યાત્રાધામ
  • પ્રાચીન ઐતિહાસિક સ્થળ
  • દરિયાકિનારાનું સ્થળ
  • પર્યટક સ્થળ
મહત્ત્વ:
વિશેષતાઓ:
  • બેનમૂન સ્થાપત્યથી સુશોભિત, પુનરોદ્ધાર પામેલ સોમનાથ મંદિર
  • મંદિરના આદિ જ્યોતિર્લિંગની ભક્તિભાવભરી આરતી- સવાર, બપોર, સાંજ
  • હૃદય ધડકાવી દે તેવાં સ્પંદનો જગાવતી સંગીતમય આરતી
  • રાત્રે મંદિરના પ્રાંગણમાં રોચક ‘સાઉન્ડ એન્ડ લાઇટ શો’
  • મંદિરની દિવાલોને અથડાતાં અરબી સમુદ્રનાં મોજાં
  • ભગવાન શ્રી કૃષ્ણને જે સ્થળે પારધીનું તીર વાગ્યું હતું તે ભાલકા તીર્થ
  • ભગવાન શ્રી કૃષ્ણએ જે સ્થાને દેહત્યાગ કર્યો તે નિજ ધામ પ્રસ્થાન તીર્થ
  • અતિ પ્રાચીન મંદિરનાં નવસો વર્ષ જૂનાં ખંડેરોના અવશેષોનું મ્યુઝિયમ
  • સોમનાથ મંદિરથી અર્ધો કિલોમીટર દૂર ત્રિવેણી સંગમ – અહીં હિરણ, કપિલા અને સરસ્વતી (ગુપ્ત સરસ્વતી) આ ત્રણ નદીઓ સમુદ્રમાં સમાય
વર્ણન/ અન્ય વિગતો:

(1) સોમનાથ મંદિર સંકુલ

  • સોમનાથ મંદિરનું અવર્ણનીય શિલ્પ-સ્થાપત્યકામ ચાલુક્ય શૈલીથી
  • વિશિષ્ટ શૈલીથી બંધાયેલ છેલ્લા આઠસો વર્ષનું એકમાત્ર મંદિર
  • મંત્રમુગ્ધ કરતાં કોતરણીકામવાળાં ભવ્ય ગર્ભગૃહ, સભામંડપ અને નૃત્યમંડપ
  • 150 ફૂટ શિખર પર દસ ટન વજનનો કલશ તથા 27 ફૂટ લાંબો ધ્વજદંડ
  • મંદિર પ્રાંગણમાં બેસવા માટે ચારે તરફ લૉન/ બેન્ચિઝ – બાંકડા
  • મંદિરનાં પ્રાંગણમાં બેઠાંબેઠાં વિશાળ અરબી સમુદ્રનાં અફાટ વિસ્તારનું મનોહર દ્રશ્ય
  • મંદિરની પાછળની પાળેથી સમુદ્રની જળરાશિ પર સૂર્યાસ્તનું અદભુત દર્શન
  • મંદિરનાં પ્રાંગણમાં અનોખો, દક્ષિણ ધ્રુવ સૂચક તીરસ્તંભ
  • સોમનાથના તીરસ્તંભથી ઠેઠ દક્ષિણ ધ્રુવ સુધીના રસ્તે માત્ર સમુદ્ર જ સમુદ્ર
  • પ્રાચીન સોમનાથ મંદિરનાં ઐતિહાસિક અવશેષોનું મ્યુઝિયમ
  • મંદિરના સંકુલમાં પ્રાચીન સોમનાથ મંદિરની જગ્યાએ અહલ્યાબાઈએ બંધાવેલ અહલ્યેશ્વર મંદિર
  • ગણપતિજી અને હનુમાનજીનાં દર્શનીય મંદિર

(2) નિજ ધામ પ્રસ્થાન તીર્થ સંકુલ

  • સોમનાથ મંદિરથી આશરે 2 કિલોમીટર દૂર, આશરે દસ મિનિટની ડ્રાઇવ પર
  • આ પવિત્ર તીર્થ હિરણ્ય (હિરણ) નદીના શાંત અને પાવન તટ પર
  • અહીં ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના અવતાર કાર્યનું સમાપન કર્યું
  • નિજ ધામ પ્રસ્થાન તીર્થ ગોલોકધામ અથવા દેહોત્સર્ગ તરીકે પણ ઓળખાય
  • ભગવાન શ્રીકૃષ્ણનું ધામ તેથી ‘ગોલોકધામ’
  • અહીં ભગવાન શ્રીકૃષ્ણએ પાથિવ દેહ છોડ્યો, તેથી આ સ્થાન ‘દેહોત્સર્ગ’
  • ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ધામે પ્રસ્થાન કરી ગયા, તેથી ‘નિજ ધામ પ્રસ્થાન’
  • આ સંકુલનાં પટાંગણમાં ભગવાન શ્રી કૃષ્ણની ચરણ પાદુકા, દાઉજી બલરામજીની શેષનાગ ગુફા, ગીતા મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, મહાપ્રભુજીની બેઠક
  • આ સ્થળેથી ભગવાન શ્રી કૃષ્ણ યોગધારણાથી પોતાના ધામે સંચર્યા
  • અહીં ‘પાદુકા છત્રી’ – ચરણ મંડપમાં ભગવાન શ્રીકૃષ્ણની ચરણપાદુકાઓ છે
  • ભગવાને વડીલ બંધુ બલરામજીને અહીંથી શેષનાગ સ્વરૂપે પાતાળમાં જવા અનુમતિ આપે તે સ્થાન દાઉજીની શેષનાગ ગુફા અહીં છે
  • ગીતા મંદિરમાં ચારે દિવાલો પર શ્રી ગીતાજીના અઢાર અધ્યાયના બધા જ શ્લોકોનું આલેખન
  • લક્ષ્મીનારાયણ મંદિરમાં શંખ ચક્રધારી લક્ષ્મીનારાયણ ભગવાન બિરાજમાન
  • મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીની બેઠક (65મી બેઠક) અહીં છે (ભારતમાં મહાપ્રભુજીની 84 બેઠકો છે)
  • મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીએ 500 વર્ષ પહેલાં અહીં ભાગવત સપ્તાહ યોજી હતી
  • નિજ ધામ પ્રસ્થાન તીર્થ શાંત હિરણ નદીતટ પર આવેલ મનોહર અને મનને પરમ શાંતિ આપે તેવું પવિત્ર સ્થાન

(3) ત્રિવેણી સંગમ તીર્થ

  • નિજધામ પ્રસ્થાન તીર્થ (ગોલોકધામ / દેહોત્સર્ગ) થી મંદિર તરફ પાછાં ફરતાં રસ્તામાં હિરણ્ય, કપિલા અને સરસ્વતી નદીઓના પવિત્ર સંગમ પર આ ત્રિવેણી સંગમ તીર્થ
  • આ તીર્થ સોમનાથ મંદિર અને નિજ ધામ પ્રસ્થાનની વચ્ચે
  • અહીં હિરણ, કપિલા અને સરસ્વતી- ત્રણે નદીઓ સમુદ્રને મળે, તેથી ત્રિવેણી સંગમ
  • શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમ તીર્થ પર સ્નાન કરી પિતૃતર્પણ કરે છે

(4)  ભાલકા તીર્થ

  • ભાલકા તીર્થ સોમનાથ – વેરાવળના જૂના રોડ પર
  • સોમનાથ મંદિરથી આશરે પાંચ કિલોમીટર દૂર
  • અહીં ભગવાન શ્રીકૃષ્ણનું સુંદર મંદિર
  • આ સ્થાને ભગવાન શ્રીકૃષ્ણને પારધીનું તીર વાગ્યું, જ્યારે ભગવાન દેહલીલા સંકેલવાના હેતુથી પીપળાના વૃક્ષ નીચે ધ્યાનસ્થ બેઠા હતા
  • ભાલકા તીર્થ મંદિરમાં જમણા પગ પર ડાબો પગ ચડાવી આડે પડખે થયેલ ભગવાન શ્રી કૃષ્ણની ભાવવાહી મૂર્તિ – પગમાં તીર વાગેલ છે, પાસે પારધી ક્ષમા માગતો બેઠો છે

(5) સોમનાથમાં અન્ય દર્શનીય સ્થાનો

  • ફોટોગ્રાફી માટે / સમય પસાર કરવા / શાંતિથી બેસવા / ટહેલવા ખૂબ લાંબો દરિયા કિનારો
  • ત્રિવેણીના કિનારા પાસે શ્રી પરશુરામ મંદિર – જલેશ્વર મહાદેવ – તપેશ્વર મહાદેવ – પાંડવ ગુફા
  • સોમનાથથી ભાલકા તીર્થ જતાં રસ્તામાં શશીભૂષણ મહાદેવ તથા ભીડભંજન ગણપતિજીનાં મંદિરો – દરિયામાં અર્ધ-ડૂબતાં શિવલિંગનાં દર્શન કરવા બપોરે સાડા ત્રણે પહોંચી જઈ, પછી આગળ ભાલકા તીર્થ જવું – અહીંથી પારધીએ ભગવાન શ્રી કૃષ્ણને તીર માર્યું હોવાની લોકવાયકા
  • વેણેશ્વર મહાદેવનું મંદિર અને અન્ય સ્થળો

ઇતિહાસ/ ઐતિહાસિક મહત્ત્વ:

  • પ્રાચીન પુરાણો અને અન્ય ધર્મગ્રંથો અનુસાર ચંદ્ર દેવતા દ્વારા સોમનાથ મંદિરની સ્થાપના
  • ચંદ્રને તેમના શ્વસુર દક્ષ પ્રજાપતિનો શાપ હતો – તેમાંથી મુક્તિ પામવા ચંદ્રએ ગુજરાતના પશ્ચિમ કિનારે, અરબી સમુદ્રને કિનારે ભગવાન શિવની આરાધના કરી
  • ભગવાન શિવે પ્રસન્ન થઈ ચંદ્રને દક્ષના શ્રાપમાંથી મુક્તિ અપાવી
  • ચંદ્રએ અહીં સમુદ્ર કિનારે ભગવાન શિવનું ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું
  • ચંદ્ર (સોમ) દ્વારા નિર્મિત આ મંદિર તે જ સોમેશ્વર મહાદેવ કે સોમનાથ મહાદેવ
  • પાંચેક હજાર વર્ષ પહેલાં અહીં સોમનાથમાં ભગવાન શ્રીકૃષ્ણએ પાર્થિવ દેહ ત્યાગ કર્યો
  • મહાભારતના યુદ્ધ પછી, વ્યથિત ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકા છોડી ગુજરાતમાં સોમનાથના દરિયા કિનારે આવ્યા
  • સોમનાથ નજીક ભાલકા ખાતે પીપળાના વૃક્ષ નીચે બેઠા હતા ત્યારે એક પારધીએ તેમના પગની પાનીને હરણ સમજીને તીર માર્યું
  • તીરથી આહત થયા પછી, દેહત્યાગના નિશ્ચયથી ભગવાન શ્રી કૃષ્ણ ભાલકા તીર્થ છોડીને હિરણ નદીના કાંઠે આવ્યા – ત્યાંથી તેમણે સદેહે સ્વધામ તરફ પ્રયાણ કર્યું જે સ્થાન આજે ‘નિજ ધામ પ્રસ્થાન તીર્થ’ કહેવાય છે –
  • સોમનાથથી ઉના-દીવ રોડ પર આશરે 20 કિલોમીટર દૂર પ્રાચી ગામ
  • પ્રાચીમાં માધવરાયજીનું મંદિર તથા પ્રાચીન મોક્ષનો પીપળો
  • પ્રાચીમાં પિતૃતર્પણનું માહાત્મ્ય – પીપળે પાણી ચઢાવવાનું મહત્ત્વ
  • કહે છે કે યુધિષ્ઠિરે અહીં ગોત્રહત્યાના દોષનિવારણ અર્થે પિતૃવિધિ કરી હતી
  • મહાપ્રભુજી વલ્લભાચાર્યજી, સ્વામી સહજાનંદજી, મહાત્મા ગાંધી અને કસ્તુરબા સહિત ઘણાં પ્રાચીની મુલાકાતે આવી ચૂક્યાં છે

વિશેષ નોંધ:

સંબંધિત પોસ્ટ / લેખ:

રાણકી વાવ (પાટણ)


વિકિપિડિયા પર 

યુનેસ્કોની વેબ સાઈટ પર

This slideshow requires JavaScript.

સ્થળનું નામ:

  • રાણકી વાવ / રાણીની વાવ / રાની કી વાવ/ રાણીકી વાવ

સ્થાન:

  • પાટણ. જીલ્લો પાટણ. ગુજરાત

પ્રકાર:

  • ઐતિહાસિક સ્થળ
  • પર્યટન સ્થળ
  • સ્થાપત્ય-કલા ધામ
  • પ્રાચીન સ્થળ

મહત્ત્વ:

  • ઉત્તર ગુજરાતનું પ્રાચીન, ઐતિહાસિક સ્થળ
  • યુનેસ્કો (UNESCO, UN) દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સ્થાન
  • ગુજરાતમાં માત્ર બે યુનેસ્કો પુરસ્કૃત વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ: પહેલી સાઇટ વડોદરા – પાવાગઢ પાસે ચાંપાનેરનો કિલ્લો તથા બીજી સાઇટ પાટણની રાણકી વાવ
  • કલા-સ્થાપત્યપ્રેમી પર્યટકો માટે આકર્ષક પ્રવાસ-સ્થળ
  • પાટણ વિખ્યાત પટોળા-કામ માટે જગ-મશહૂર. પટોળાની કિંમત રુપિયાએક લાખથી વધુ

વિશેષતાઓ:

  • રાણકી વાવ અગિયારમી સદીની પ્રાચીન વાવ (Step-well)
  • લોકજીવન સાથે સંલગ્ન સંસ્કૃતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ
  • ઉત્તમ સ્થાપત્ય અને વાસ્તુશાસ્ત્રનો લાલિત્યપૂર્ણ શિલ્પકલા સાથે સુભગ સમન્વય
  • અનોખું બાંધકામ- સાત મજલા અને 340 થાંભલાઓ
  • વાવની દીવાલો પર શૈવ અને વૈષ્ણવ માર્ગનાં અવર્ણનીય શિલ્પો

વર્ણન/ અન્ય વિગતો:

  • ઉત્તર ગુજરાતમાં પાટણ શહેરમાં સરસ્વતી નદીને કિનારે રાણકી વાવ (રાણીની વાવ)
  • આ વાવનું બાંધકામ પૂર્વ-પશ્ચિમ: પૂર્વમાં પ્રવેશદ્વાર, પશ્ચિમ તરફ જળકુંડ (વાવ)
  • લગભગ 40 વર્ષ સુધી ચાલેલ રાણકી વાવનું બાંધકામ
  • સ્થાપત્યવિદ્યાની અજાયબી સમી વાવમાં એક પછી એક સાત માળનું બાંધકામ
  • વાવની (આશરે) લંબાઈ 68 મીટર, પહોળાઈ 20 મીટર અને ઊંડાઈ 27 મીટર
  • અનુપમ કોતરણી ધરાવતા 340 સ્તંભો (થાંભલા)
  • શૈવ-વૈષ્ણવ સંપ્રદાય ઉપરાંત અન્ય દેવી-દેવતાઓનાં શિલ્પો
  • વિષ્ણુના દસ અવતારો આલેખતું ઉત્તમ શિલ્પકામ
  • શિવ, પાર્વતી, વિષ્ણુ, રામ, સૂર્ય, માતા દુર્ગા, ચામુંડા, મહાલક્ષ્મી, કુબેર આદિની મનોહર પ્રતિમાઓ
  • અપ્સરાઓ, યોગિનીઓના શિલ્પમાંથી પ્રગટતું અનુપમ દેહલાલિત્ય
  • કમનીય કાયા પર સોળ શૃંગાર દર્શાવતાં મોહક નારી-શિલ્પો
  • વાવ સાથે સંલગ્ન 30 કિમી લાંબી ગુપ્ત ટનેલ (ભોંયરું) સિધ્ધપુર પહોંચતી હોવાની વાયકા
  • આજે આ ટનેલ / સુરંગ પુરાઈ ગઈ છે
  • વાવની નજીકમાં જીર્ણ હાલતમાં કિલ્લો તથા સહસ્ત્રલિંગ તળાવ

ઇતિહાસ/ ઐતિહાસિક મહત્ત્વ:

  • રાણકી વાવ (રાણીની વાવ) ગુજરાતના સોલંકી યુગની ભેટ
  • રાણકી વાવ બંધાવનાર પાટણના રાજા ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતી
  • સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકી. તેનો પુત્ર ભીમદેવ પહેલો. ભીમદેવ પહેલાનો પુત્ર કર્ણદેવ. કર્ણદેવનો પુત્ર સિદ્ધરાજ જયસિંહ.
  • રાજા ભીમદેવ પહેલાના સમયમાં મહમૂદ ગઝનીની સોમનાથ પર ચઢાઈ. સોમનાથ મંદિરની લૂંટ
  • ભીમદેવ પહેલાએ મોઢેરામાં સૂર્ય મંદિર બનાવ્યું
  • ભીમદેવ પહેલાના અવસાન પછી તેની રાણી ઉદયમતીએ રાણકી વાવ (રાણીની વાવ) બંધાવી
  • રાણકી વાવનું બાંધકામ ઇસ 1022 થી 1062-63 સુધી ચાલ્યું હોવાનો ઉલ્લેખ
  • કાળક્રમે વાવ દટાઈ ગઈ અને ભૂલાઈ ગઈ
  • 1968માં ભારત સરકારના પુરાતત્ત્વ વિભાગ (આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ) દ્વારા પાટણમાં ઉત્ખનન શરૂ થયું અને 1980માં રાણકી વાવ પૂર્ણ રીતે ખોદી કઢાઈ.

વિશેષ નોંધ:

  • રાણકી વાવ અમદાવાદથી રોડ માર્ગે આશરે 140 કિમી દૂર (આશરે બે-અઢી કલાક)
  • અમદાવાદ-મહેસાણા 75 કિમી. પાટણ-મહેસાણા આશરે 65 કિમી.
  • અમદાવાદથી મહેસાણા થઈ પાટણ જવું (અમદાવાદ-પાલનપુર હાઇવે પર)
  • ભારે વરસાદ/ સખત ઉનાળામાં વાવની મુલાકાત ટાળવી. વિન્ટર સિઝન શ્રેષ્ઠ
  • વાવ જોવાનો સમય: સવારે આઠ પછી. સાંજે પાંચ/ છ વાગ્યા સુધી
  • પ્રવેશ ફી છે. ફોટોગ્રાફી/ કેમેરા/ મુવિ કેમેરા માટે નિયમો જાણી લેવા
  • મોટર માર્ગે જવું સારું. અમદાવાદ/ મહેસાણાથી સ્ટેટ ટ્રાંસપોર્ટ બસ સર્વિસ સારી
  • પોતાના ફોર-વ્હીલરમાં જવું સલાહભર્યું. રસ્તા સરસ
  • પોતાના નાસ્તા-પાણી લઈ જવું ઇચ્છનીય. બેઠકો-બાંકડા સાથે વિશાળ બગીચો.
  • રાત્રિ-રોકાણ/ હોટલ/ ફુડ હાલમાં બહુ સારી સગવડ નથી
  • સવારે વહેલા રાણકી વાવ વિઝિટ કરી પછી મોઢેરા સૂર્યમંદિર / બહુચરાજી જઈ શકાય

સંબંધિત પોસ્ટ / લેખ:

એક નવો વિભાગ


           ‘ગુજરાતી સારસ્વત પરિચય’ નામથી તા. ૨૮, મે – ૨૦૦૬ ના રોજ શરૂ કરેલ આ બ્લોગના રૂપ અને વ્યાપમાં ઉત્તરોત્તર ફેરફારો થતા રહ્યા છે. ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ નામના અને ગુજરાતની નામાંકિત વ્યક્તિઓના પરિચય આપતા બ્લોગને એમાં ભેળવી દઈ આ પ્રક્રિયા ચાલુ થઈ હતી. તે વખતના સાથી શ્રી હરીશ દવેનું એ સૂચન હતું. આ બ્લોગે કરેલ પ્રગતિ એ સૂચનની યથાર્થતાની સાક્ષી પૂરે છે.પછી તો તેમાં ઘણા ફેરફારો, ઉમેરા, રંગ રૂપ પરિવર્તન અને વિકાસ થતાં રહ્યાં.

સાથી મિત્રો અને સક્રીય વાચકોના
યોગદાન અને સહકાર વિના 
આ શક્ય ન જ બન્યું હોત.
તે સૌના અમે ઋણી છીએ.
આભાર.

           ૨૦૧૬નું આ વર્ષ વિદાય લેવામાં છે ત્યારે, પોર્ટલેન્ડ, ઓરેગન નિવાસી, બુઝુર્ગ અને ઉત્સાહી મિત્ર ડો. કનક  રાવળના જૂની યાદોને સંગ્રહિત કરવાના ધખારાને સાદર વંદન અને સલામ સાથે આ નવો વિભાગ શરૂ કરતાં આનંદની લાગણી થાય તે સ્વાભાવિક છે.

ગુજરાત સ્થળ પરિચય

આવો પહેલો પરિચય – માતર ભવાનીની વાવ – અમદાવાદ

mb1

આ ફોટા પર ક્લિક કરો

 એ જણાવવાની શું જરૂર છે કે, દુનિયાના ખૂણી ખૂણે ફેલાઈ ગયેલા, પ્રત્યેક ગુજરાતીના દિલમાં માદરે વતન માટે પ્રેમ અને આદરની લાગણી સદા વસતી રહે છે. એને આવું બધું જાણવાની ઘણી ઈંતેજારી હોય છે. કોઈ ખાસ પ્રચાર વિના, સતત વધતા રહેલ ‘મુલાકાતીઓની સંખ્યા’  આની સાક્ષી પૂરે છે.

આજનો એ આંક ……

gpp

  સૌ વાચક મિત્રોને વિનંતી કે, આવી માહિતી મેળવી આપવામાં અમને મદદ કરે. આ લખાણની જેમ હોય કે પી.ડી.એફ. ફાઈલ હોય – અને નેટ ઉપર કોઈ પણ વેબ સાઈટ પર પ્રકાશિત કરેલ હોય અથવા છપાયેલાં પુસ્તકોમાંથી સ્કેન કરીને બનાવેલ ચિત્ર ( Image) હોય તો પણ ચાલશે – દોડશે!

ગુજરાત – સ્થળ પરિચય

માતર ભવાનીની વાવ – અમદાવાદ


અમદાવાદનાં અસારવામાં આવેલી ૯૦૦ વર્ષ જૂની માતર ભવાનીની વાવનું રેખાદર્શન –

[ કોઈ પણ ફોટા પર ક્લિક કરી મોટી સાઈઝમાં જોઈ શકશો ]

      ગુજરાતી શબ્દ માતા સંસ્કૃત શબ્દ ‘માત્રુ’ તથા ‘માતર્’માંથી વ્યુત્પત્તિ પામ્યો છે. આમ ‘માતા ભવાનીની વાવ’નો સાંસ્કૃતિક ઈતિહાસ ખાસ નોંધપાત્ર છે. ભવાની માતા પાર્વતીનું સ્વરૃપ છે. દુર્ગા, અંબા, કાલી, પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતી માતા સ્ત્રીશક્તિનાં પ્રતિકો છે.

     અસારવામાં આવેલી દાદા હરીની વાવ તથા માતર ભવાનીની વાવ જોવા જેવી છે. દાદા હરીની વાવ સલ્તનત યુગની છે. પણ માતર / માતા ભવાનીની વાવ તો છેક સોલંકી યુગના મહાન શાસક સિધ્ધરાજ જયસિંહનાં શાસનકાળ (ઈ.સ. ૧૦૯૪-૧૧૪૩) દરમિયાન બંધાયેલી. માતા ભવાની / માતર ભવાનીની વાવ પ્રવેશદ્વાર આગળ ૪૬ મીટર લાંબી અને ૫ મીટર પહોળી છે.

આ વાવ સુલતાન મહંમદ બેગડાનાં અંતઃપુરની વગદાર સ્ત્રી બાઇ હરીરે રૃા. ૧,૫૮,૪૦૦ ખર્ચીને ઈ.સ. ૧૪૯૯માં બંધાવેલી. બાઇ હરીરે અસારવામાં હરિપુર નામનું પરૃ વસાવ્યું હતું. અસલમાં હિંદુ હતી. તે વટલાઇને મુસલમાન થઇ હતી. હરીરે ૫૧૬ વર્ષ પહેલાં બાંધેલી દાદા હરિની વાવથી થોડેક દૂર અસારવામાં માતર ભવાનીની વાવ આવી છે. તે પણ સલ્તનત કાળની છે. આ વાવ પણ અમદાવાદનાં સાંસ્કૃતિક વારસારૃપ છે.

આજે તો અસારવા અમદાવાદનો માનવપ્રવૃત્તિથી ધબકતો એક વિસ્તાર છે. પણ એક સમયે અમદાવાદ શહેર જ્યારે ભૌગોલીક દ્રષ્ટિએ બહુ વિસ્તાર પામ્યું ન હતું ત્યારે અસારવા તેની સમીપમાં આવેલું ગામડું હતું. હકીકતમાં તો ૧૪૧૧માં અમદાવાદ વસ્તું તે પહેલાનું આ ગામ છે. સલ્તનત સમયમાં ફોજદારી તાબાનું ગામ હતું. અડાલજ, ઈસનપુર, અસારવાર, વેજલપુર, બારેજા, વસ્ત્રાલ અને નરોડા કોટ વિસ્તારની બહાર આવેલા ફોજદારી તાબાનાં ગામડાઓ હતા. મુઘલ સમયમાં સમૃધ્ધ ગામડું હતું. અહીં કણબી, કોળી, પટેલ, મુસલમાન, ખેડૂતો અને કારીગરો રહેતા. મુસલમાનોનાં ઉર્સ થતા અને ઈદ જેવા તહેવારો ઉજવાતા.

દિવાળી, જન્માષ્ટમી અને રામનવમી જેવા તહેવારો ઉજવાતા. ૧૭૬૧માં લખાયેલા ફારસી ગ્રંથ ‘મીરાતે અહમદી’માં લખ્યું છે કે હિંદુ અને મુસલમાનો કોઇ પણ જાતનાં ભેદભાવ વગર એકબીજાનાં તહેવારોમાં ભાગ લેતા હતા. ગયા લેખમાં આપણે ખાસ નોંધ્યું હતું કે અસારવામાં આવેલી બાઇ હરીરની વાવ (દાદા હરીની વાવ) હિંદુ અને ઈસ્લામીક સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. તેનું શીલ્પ અને સ્થાપત્ય જોનારને હિંદુ-મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થતો દેખાય છે.

     અત્રે ખાસ યાદ રહે કે વેપારીઓ, મહાજનો, અમીર ઉમરાવો તથા શ્રીમંત સ્ત્રીપુરૃષોએ અમદાવાદ અને ગુજરાતમાં બાંધેલી વાવોનો મૂળ ઉદ્દેશ કલા સ્થાપત્યનાં વર્લ્ડ ક્લાસ નમૂનાઓ ઊભા કરીને વિવેચકોની વાહ વાહ મેળવવાનો નહોતો. એમનો મૂળ ઉદ્દેશ પ્રજાની સુખાકારી માટે અતિ ઉપયોગી એવા જલભંડારો બાંધવાનો હતો.

કલા અને સ્થાપત્યને તો વાવની સુંદરતામાં વધારો કરવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. વાવો બાંધનારાઓ ગુજરાતનાં પ્રતિષ્ઠિત સોમપુરા બ્રાહ્મણ સલાટો હતા. તેઓ શીલ્પશાસ્ત્રનાં સિધ્ધાંતો પ્રમાણે વાવોની રચના કરતા હોવા છતાં પોતાની કલ્પનાશક્તિનો ઉપયોગ કરીને પથ્થર ઉપર ફૂલ, વેલ કે પક્ષીઓની આકૃતિ કંડારતા. વાવોની બાંધણીમાં ગુજરાતની પોતાની આગવી સ્થાપત્ય શૈલીનો ઉપયોગ થતો. તે મુજબ ત્રણ ખંડ / માળની વાવ ‘નંદા’ કહેવાતી.

     છ ખંડની વાવ ‘ભદ્રા’ કહેવાતી. ત્રણ મુખ અને નવ ખંડની વાવ ‘જયા’ તરીકે ઓળખાતી અને ચાર મુખ અને અગિયાર ખંડ ધરાવતી વાવ ‘વિજયા’ તરીકે ઓળખાતી. વળી સુર-અસ્ત્ર શૈલી, મહા-માસ શૈલી, મહા-ગુર્જર શૈલી અને માસ-ગુર્જર શૈલી એમ ચાર સ્થાપત્ય શૈલીઓમાં ગુજરાતની વાવો વહેંચાએલી.
વાવની રચના જનકલ્યાણ માટે થતી. તેનો મૂળ હેતુ પાણીનો પુરવઠાનો હતો. માત્ર માણસો જ નહીં, પશુ-પક્ષીઓ પણ વાવનું પાણી પીતા.

     વળી ખેતીવાડી માટે સિંચાઇનું પાણી પહોંચાડવા માટે પણ વાવનો ઉપયોગ થતો હતો. વાવનાં પગથીયા પર બેસીને મુસાફરો હવાની શીતલ લહેર માણતા. નૈસર્ગિક તત્વો મિશ્રિત વાવનું પાણી ખેતીવાડીમાં લેવાથી ઉત્તમ ગુણવત્તા ધરાવતા ધાન્ય અને ફળો પ્રાપ્ત થતા હતા. અડાલજની વાવ, દાદા હરીની વાવ, માતા ભવાનીની વાવ, જેઠાભાઇની વાવ, સિધ્ધાર્થ મણકીવાળાનાં પૂર્વજોએ બાંધેલી વાવ અને પાંચકૂવા દરવાજા પાસે આવેલી અમૃતવર્ષિણી વાવ સ્થાપત્ય કલાનાં ઉત્તમ નમૂનારૃપ તો છે જ, પણ તેનાં પાણી દ્વારા ખેતી અને બાગાયતને પણ ખૂબ ઉત્તેજન મળ્યું હતું.

     અસારવામાં આવેલી દાદા હરીની વાવ તથા માતર ભવાનીની વાવ જોવા જેવી છે. દાદા હરીની વાવ સલ્તનત યુગની છે. પણ માતર / માતા ભવાનીની વાવ તો છેક સોલંકી યુગના મહાન શાસક સિધ્ધરાજ જયસિંહનાં શાસનકાળ (ઈ.સ. ૧૦૯૪-૧૧૪૩) દરમિયાન બંધાયેલી. સિધ્ધરાજ જયસિંહ સોલંકી વંશનો સહુથી પ્રતાપી અને સહુથી લોકપ્રિય રાજવી હતો.
તે શૈવ હતો. એણે સૌરાષ્ટ્ર જીતી પગપાળા સોમનાથ મહાદેવની યાત્રા કરી હતી. સરસ્વતી તીરે આવેલા રુદ્રમહાલયને એણે મહાપ્રાસાદનું પૂર્ણ સ્વરૃપ આપ્યું હતું. પાટનગર અણહિલવાડ પાટણમાં સિધ્ધરાજે સુકાઇ ગયેલા જુના જળાશયને સ્થાને મોટું ભવ્ય જળાશય કરાવ્યું હતું. સિધ્ધરાજ જયસિંહે રાજ્યકોશની સમૃધ્ધિનો ઉપયોગ દેવાલયો તથા જળાશયો બાંધવામાં તેમજ તેની પ્રજાનાં ઉત્કર્ષ માટે કર્યો હતો. સિધ્ધરાજ હિંદુ હતો. પણ તેણે જૈન ધર્મને મોટું ઉત્તેજન આપ્યું હતું. તેણે હેમચંદ્રાચાર્યનાં ઉપદેશથી આખા રાજ્યમાં પર્વદિનોમાં અમારિ (પશુવધની મનાઇ) ફરમાવી હતી.

    ગુજરાતી શબ્દ માતા સંસ્કૃત શબ્દ ‘માત્રુ’ તથા ‘માતર્’માંથી વ્યુત્પત્તિ પામ્યો છે. આમ ‘માતા ભવાનીની વાવ’નો સાંસ્કૃતિક ઈતિહાસ ખાસ નોંધપાત્ર છે. ભવાની માતા પાર્વતીનું સ્વરૃપ છે. દુર્ગા, અંબા, કાલી, પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતી માતા સ્ત્રીશક્તિનાં પ્રતિકો છે. માતા ભવાની પ્રકૃતિનું એવું સ્વરૃપ છે જેમાંથી ‘ક્રિયેટીવ એનર્જી’ પેદા થાય છે તેની એક વિશેષતા એ છે કે તે વિકરાળ સ્વરૃપ પણ ધરાવે છે અને દયા તથા કરૃણાની મૂર્તિ પણ બની શકે છે. તે ‘કરૃણાસ્વરૃપી’ તરીકે ઓળખાય છે. છત્રપતિ શિવાજી ભવાની માતાનાં ઉપાસક હતા અને તેમણે તેમની તલવારને ‘ભવાની તલવાર’ નામ આપ્યું હતું.

   શિવાજીનો હેતુ દુશ્મનો સામે વિકરાળ સ્વરૃપ ધારણ કરવા ‘ભવાની તલવાર’નો ઉપયોગ કરવાનો હતો. પણ ગુજરાતમાં આ જ ભવાનીએ લોકકલ્યાણનું સ્વરૃપ ધારણ કર્યું અને તેથી જ સિધ્ધરાજ જયસિંહનાં સમયમાં ભવાની માતાનાં કોઇ હિંદુ ભક્તએ માતર ભવાનીની વાવ બાંધી. સમગ્ર ભારતવર્ષમાં આજે પણ હયાતી ધરાવતી માતા ભવાનીની વાવ સૌથી પ્રાચીન ગણાય છે.

    માતા ભવાની / માતર ભવાનીની વાવ પ્રવેશદ્વાર આગળ ૪૬ મીટર લાંબી અને ૫ મીટર પહોળી છે. એનો વ્યાસ (ડાયામીટર) ૪.૮ મીટર છે. તેનો સ્તંભો મૂર્તિઓ અને ઈમારતનો આગળનો ભાગ (શમિયાનો) નકશીયુક્ત કોતરણીથી ભરેલો છે. પગથીયાંઓ પણ નમૂનેદાર છે. ત્રણ માળની આ વાવનો ફોટોગ્રાફ કોઇક અંગ્રેજે ઈ.સ. ૧૮૬૬માં પાડી લીધો હતો. અત્રે તે સામેલ છે. આ વાવનાં ગોખ આકર્ષક છે.

     માતા ભવાનીની વાવ સાથે ઇતિહાસ તેમજ દંતકથાઓ સંકળાયા છે. ભવાની એટલે પાર્વતીનું સ્વરૃપ. ભવાની એટલે ‘કરૃણા સ્વરૃપી.’ કદાચ ભવાની માતાનાં સર્જનાત્મક સ્વરૃપને લક્ષ્યમાં લઈને જ એનાં સ્થાપકે તેનું નામ ”માતા ભવાનીની વાવ” આપ્યું હશે. આ વાવે અનેક મુસાફરો તેમજ સ્થાનિક રહેવાસીઓને પાણીનો પુરવઠો પુરો પાડયો હતો.

      ૯૦૦ વર્ષ કોને કહે છે ?! માતા ભવાનીની વાવે કંઈ જમાનાઓ જોયા છે. તેણે કેટકેટલા સામ્રાજ્યોને ઉદય પામતા, સૂર્યમાં તાપની જેમ તપી રહેલા અને સૂર્યાસ્તની જેમ આથમતા સામ્રાજ્યોને જોયા છે. ખૂબીની વાત એ છે કે આજે પણ માતા ભવાનીની વાવ જીવંત છે.

વિકિપિડિયા પર

એક સરસ પ્રવાસ લેખ

સંદર્ભપોળોનો ઇતિહાસ – મકરંદ મહેતા 

સાભારડો. કનક રાવળ

%d bloggers like this: