લેખક
પ્રકાશક
- આર.આર. શેઠની કમ્પની, મુંબાઇ
પ્રસ્તાવના
પ્રકાશન વર્ષ
પાનાં
રેખાચિત્રો
ખરીદવા માટે
- અમેરિકા / કેનેડા/ યુ.કે. – સુરેશ જાની
- ભારત
મૂળ અંગ્રેજીમાં લખાયેલ પોતાના જ પુસ્તક ‘Sketches in the Sand’ નો લેખકે કરેલો આ સંવર્ધિત અનુવાદ મૂળ કૃતિ કરતાં વધારે રોચક છે; કારણકે. ગુજરાતી તેમની માતૃભાષા છે; અને જે વ્યક્તિઓના ઇન્ટરવ્યુ તેમણે લીધેલાં છે, તે મોટા ભાગે ગુજરાતી છે. બે ત્રણ વ્યક્તિ સિવાય, આ પુસ્તકમાં ગુજરાતી અથવા ગુજરાતી મૂળની વ્યક્તિઓનો લેખકે તેમની આગવી શૈલીમાં પરિચય આપેલો છે. લેખક દિલ્હી હતા ત્યારે ધંધાદારી અને નાણાંલક્ષી પ્રજા તરીકેની ગુજરાતી લોકોની ઓળખને દૂર કરવા બીડું ઝડપ્યું હતું , અને ગુજરાત જેમને માટે ગૌરવ લઈ શકે તેવા, વિવિધ ક્ષેત્રોમાં અનોખું પ્રદાન કરનારા અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરે તેવી વ્યક્તિઓનો પરિચય અંગ્રેજી દૈનિકમાં આપવાનું તેમણે શરુ કર્યું હતું. આ બધાં રેખાચિત્રો અંગ્રેજીમાં પુસ્તકાકારે પ્રસિધ્ધ થયા બાદ, બહુ જ વખણાયાં હતાં, અને તે ગુજરાતી ભાષામાં પણ વાંચવા મળવા જોઈએ , તેવી પ્રબળ માંગ ઊભી થઈ હતી.
લેખકે આ માંગને સંતોષવા, પોતાની રસાળ પણ બિનઅલંકારિક ભાષામાં આ પુસ્તક ગુજરાતની જનતાના ચરણે ધર્યું છે.
આ પુસ્તકની પ્રસ્તાવનામાંથી ટાંચણ –
“આ પુસ્તકનું નામ ‘રેતીમાં રેખાચિત્રો’ નહીં પણ ‘ પથ્થર પર રેખાચિત્રો’ હોવું જોઈએ. “ – મનુભાઈ પંચોળી – ‘ દર્શક’
‘એ બોલે ત્યારે હાસ્યકાર લાગે , અને લખે ત્યારે કલામિમાંસા સુધી પહોંચી શકે.”
“ એમની આત્મ ચિકીત્સક વૃત્તિ એમને ભારેખમ સાહિત્યપ્રેમ અને લોકપ્રિયતાનો નશો- આ બેઉ અંતિમોમાંથી બચાવે છે. – રઘુવીર ચૌધરી
આમાં છે ..
- બાળ શિક્ષણશાસ્ત્રી
- માનવ સેવાના ભેખધારી
- પ્રાણીપ્રેમી
- સંગીતકાર
- સાહિત્યકાર
- આખ્યાનકાર
- ફોટોગ્રાફર
- બિન્ધાસ્ત સ્ત્રીનેતા
- યુરોપીયન દૃષ્યશ્રાવ્ય કાર્યક્રમના નિષ્ણાત
- ચિત્રકાર
અને બીજાં ઘણાં…..
પરિચય બ્લોગ માટે તો આ પુસ્તક એક અમૂલ્ય ખજાનો છે. ગુજરાત જેમને માટે ગૌરવ લઈ શકે તેવાં આ રત્નોનો રસાળ પરિચય પામવા દરેક ગુજરાતીએ આ પુસ્તક ઘરમાં વસાવવું જ રહ્યું.
શ્રી. તુષાર ભટ્ટનો પરિચય વાંચવા અહીં ‘ક્લિક’ કરો.
નોંધ –
એ જાણીને દુઃખ થયું કે. મૂળ અંગ્રેજી પુસ્તક ચપોચપ વેચાઈ ગયું અને હાલમાં એ અપ્રાપ્ય છે; જ્યારે વધુ સમૃધ્ધ આ ગુજરાતી પુસ્તક ખરીદનાર વિના પુસ્તક વિક્રેતાઓની અભરાઇ પર ધૂળ ખાય છે !
Like this:
Like Loading...
વાચકોના પ્રતિભાવ