માનવતાના કેળવણીકાર અને સમાજ ઉત્કર્ષના સાહિત્યકાર
મનુભાઈ પંચોળી ‘દર્શક’ કહેતા કે સાહિત્ય અને શિક્ષણ એ તો સમાજની બે આંખો છે. મનસુખભાઈએ સમાજની આ બન્ને આંખોની માવજત કરીને તે ને ‘દૃષ્ટિ’ આપવાનું સફળ કામ કર્યું છે.
રીડ ગુજરાતી પર તેમનો એક લેખ – પૂણ્યનું વાવેતર
જન્મ
૨, નવેમ્બર – ૧૯૪૨ ; ગામ – નેસડી, સાવરકુંડલાની નજીક , અમરેલી જિલ્લો
કુટુમ્બ
માતા – વિમળાબેન ; પિતા – મોહનલાલ પત્ની – કલ્પનાબેન પુત્ર – નિશીથ; પુત્રીઓ – માધવી( વિનોબા આશ્રમ, ગોત્રીમાં પતિ સાથે વ્યવસ્થાપક ) , સ્વાતિ
શિક્ષણ
પ્રાથમિક / માધ્યમિક – સાત ધોરણ સુધી વતનમાં ; આગળનું ભણતર ખડસલી લોકશાળામાં૧૯૬૩ – બી.એ. – લોકભારતી સણોસરા૧૯૬૬ – એમ .એ., ગુજરાત વિદ્યાપીઠ
વ્યવસાય
૧૯૬૬ – આંબલામાં શિક્ષક૧૯૬૭ – ૧૯૮૨ લોકભારતી, સણોસરામાં અધ્યાપક ૧૯૮૨ – ૨૦૦૩ – લોકભારતીમાં આચાર્ય
VIDEO
તેમના વિશે વિશેષ
પાંચ વર્ષના હતા ત્યારે પિતાનું નિધન થયું. સોની પરિવારનાં માતાએ ખેતરમાં મજૂરી પણ કરી હતી. પણ પછી શિક્ષણ મેળવી સિવણકામ કરતાં અને બાલવાડીનાં શિક્ષિકા પણ બનેલાં બી.એ. અને એમ.એ. બન્નેમાં પ્રથમ વર્ગમાં પ્રથમ શિક્ષક, આચાર્ય, ડીન, સાહિત્ય પરિષદના વહીવટી મંત્રી, સેનેટ, સિન્ડિકેટ કે એકેડેમિક કાઉન્સિલના સભ્ય, સાહિત્ય અકાદેમી, નવી દિલ્હીના ગર્વનિંગ બોડીના સભ્ય તેમના અનેક વિદ્યાર્થીઓ દેશ-વિદેશમાં સમાજનિષ્ઠા સાથે સ્થાયી થયા છે. ૨૦૦૩ થી – અમદાવાદના રામદેવનગરમાં નિવાસ હાલ ગુજરાત કેળવણી પરિષદના સારથિ તરીકે તેઓ ખૂબ જ સુંદર કામ કરી રહ્યા છે.
રચનાઓ
હૈયે પગલાં તાજાં માણસાઈની કેળવણી અનુભવની એરણ પર તુલસીનક્યારાના દીવા ગાંધીઃ દુનિયાની નજરે
સન્માન
નર્મદ ચંદ્રક
સાભાર
શ્રી. રમેશ તન્ના – તેમની ફેસબુક દિવાલ પરથી [ https://www.facebook.com/ramesh.tanna.5/posts/10157959236577893 ]
સાહિત્ય અને શિક્ષણ એ તો સમાજની બે આંખો છે. મનસુખભાઈએ સમાજની આ બન્ને આંખોની માવજત કરીને તે ને ‘દૃષ્ટિ’ આપવાનું સફળ કામ કર્યું છે.
ધન્ય ધન્ય
સપ્રેમ વંદન
આ ઉમદા કેળવણીકારને વંદન.
આ ઉમદા કેળવણીકારને વંદન.
લતા હિરાણી
આધ્યાત્મિક, સત્યનિષ્ઠ અને હસમુખ સ્વભાવ ધરાવતા એક અલોકિક વ્યકિત છે