ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય
ઈ-વિદ્યાલય વિશે એક વિનંતી
Posted by
સુરેશ on
જૂન 15, 2018
સૌ મિત્રોને …
ઈ- વિદ્યાલયની વેબ સાઈટ ક્રેશ થયા પછી, અને બે નાનાં બાળકો હોવાના કારણે ઈ-વિદ્યાલયની સંચાલક શ્રીમતિ હીરલ શાહ અસમંજસમાં પડી ગઈ હતી કે, ‘હવે શું કરવું?’ તેણે યુ-ટ્યુબ પર શિક્ષણાત્મક વિડિયો બનાવીને અદભૂત કામ કર્યું છે.
હવે ઈ-વિદ્યાલયનો નવો બ્લોગ બનાવવામાં આવ્યો છે. આ રહ્યો .
આ શિર્ષક પર ક્લિક કરો.
તેના ઉત્સાહમાં વધારો કરવા ઈ-વિદ્યાલયના આ નવા સ્વરૂપને મઠારવા છેલ્લા અઠવાડિયાથી મચી પડ્યો છું.
એક નવી વાત અને તમને જરૂર ગમશે…..
આજથી ઈ-વિદ્યાલય પર બે નવા વિભાગ શરૂ કર્યા છે. મારો અન્ય જગ્યા પરનો ખજાનો હવે દેશનાં બાળકોને મળશે.
એક વિનંતી કરવાની કે, આ નવી સાઈટની બને તેટલા લોકોને ( દેશમાં) જાણ કરશો? તેમનાં ઉછરતાં બાળકોને હકારાત્મક દિશામાં વાળવાનો આ નિઃશુલ્ક પ્રયાસ છે. તમારો સાથ અને સહકાર મળશે, તો એ વ્યાપક બની શકશે. એ મદદ માટે આ વિનંતી છે.
સબસ્કાઈબ કરવાની સગવડ તરફ પણ ધ્યાન દોરશો , તો તેમને email update automatically મળશે.
આ સત્કાર્યમાં મદદરૂપ થવા તમારા સમ્પર્કમાં હોય તેવા મિત્રોને આ બાબતની જાણ કરશો ? તમારા બ્લોગ પર આ પોસ્ટ રિબ્લોગ કરીને પણ તમે આ ખબરનો વ્યાપ કરી શકશો.
Reblogged this on સ્વરાંજલી.
Reblogged- on Niravrave
Reblogged this on સહિયારું સર્જન – ગદ્ય.
Reblogged this on વિનોદ વિહાર and commented:
ઈ-વિદ્યાલય હવે નવા સ્વરૂપે ચાલુ થયું છે.
સૌ વાચકોને એની મુલાકાત લેવા અને સહકાર આપવા વિનંતી છે.
વિનોદ પટેલ