મર્ઝબાન સાહેબ ને આપણા નાટ્ય વિવેચક શ્રી ધનસુખલાલ મેહતા એ એમને ગુજરાતી રંગભૂમિ ની હાસ્ય નો ફિલસૂફ કહી ને બિરદાવ્યા છે.
આ હાસ્ય ફિલસૂફ નાટ્ય કાર શ્રી અરદેશર ફિરોઝશાહ મર્ઝબાન નો જન્મ તા.૧૭ એપ્રિલ ૧૯૧૪ ના રોજ થયો હતો. મર્ઝબાન સાહેબ નું માનવું છે કે અનેક પ્રકાર નું શિક્ષણ તેમ જ ઉપદેશ નું કાર્ય પ્રહસનો થી ખુબ જ સરસ રીતે થાય છે. એમણે હાસ્ય પ્રધાન નાટકો જેમ કે મોટા દિલ ના મોટા બાવા, વિરોજા ભવન , કાતરિયું ગેપ, છૂપો રૂસ્તમ, ધસ્યો ફસ્યો ખસ્યો,મારા પછી કોણ?શિરીન બાઈ નું શાંતિનિકેતન,માથે પડેલા મફતલાલ ,સાચા બોલા જુઠાલાલ એમનું લોકપ્રિય રહેવું પ્રેક્ષક વર્ગ ને હસાવતા હસાવતા નિર્દંભથી અને નિર્દેશ રહી ને જીવન ની ગંભીર વાતો કહી જાય છે. એમની ગંભીર કૃતિઓ પર પણ ગંભીરતા થી હાથ અજમાવ્યો છે.પંકજ ની પત્નીઓ , રંગીન રમકડાં ,પૃથ્વી વલ્લભ,વગેરે કૃતિ ઓ પણ સફળતાથી નિપજાવી છે. પોતે લેખક,નિર્દેશક કરે છે અને ભાગ પણ ભજવી લે છે. એમનું પ્રદાન અંગ્રેજી નાટકના નિર્માણ ક્ષેત્રે પણ મૂલ્યવાન છે. એમણે રોઝ ફ્રેન્ક નું સોલ્જર્સ વાઇફ નાટક રજુ કર્યું હતુ. તેઓ કલાકારો ના ગુરુ તરીકે માન્યતા પામેલ છે.એમની કલા અભિવ્યક્તિ માટે રંગમંચ ઉપરાંત રેડિયો પણ મહત્વ નું માધ્યમ બની રહ્યું હતું. એમનું નાટક અને એમનો અવાજ મુંબઇ આકાશવાણીના એમાંય શ્રોતા ઓ માટે અનિવાર્ય આકર્ષણ હતું. એક સમર્થ ” થીએટર મેન” તરીકે ઉજ્જવલ કારકિર્દી ધરાવનાર અદી ને ભારત સરકારે ૧૯૬૪ માં “પદ્મશ્રી” થી નવાજ્યા હતા. મહારાષ્ટ્ર સરકારે પણ “જેપી”ની પદવી ૧૫ ઓગસ્ટ ૧૯૭૨ ના રોજ આપી હતી. પત્રકાર તરીકે “જામે જમશેદ”દ્વારા પોતાની જુદી દિશામાંની શક્તિ ઓ માટે ક્ષેત્ર મેળવી અને પરંપરા જાળવી રાખી તી . સ્વભાવ મિલનસાર ને રમુજી , સામા માણસ ની શક્તિઓ પારખી તેનો પુરસ્કાર કરનાર , કાર્યપરાયણ અદી એક આલા દરજ્જા ના સજ્જન હતા. એમના છેલ્લા દસકા ના નાટકો એટલે અરધી રાતે આફત, તાજ વગર ના તેમુલજી,સાપુરજી ના તબેલા સાફ,દિનશા ના ડબ્બા ગુલ, મંચેરજી કોનના, મોજ મજા,લકડે કા લાડુ,ન સુધરે એ નારી, આ રીતે ઉપરાઉપરી ગુજરાતી કૃતિ ઓ આપી ને એમણે પોતાનો એક આગલો પ્રેક્ષક વર્ગ નિર્માણ કર્યો હતો. એમના નાટકો પારસી હોવા છતાં, પારસી વર્ગ કરતા ગુજરાતી વર્ગ તેમના નાટકો વધુ જોતા હતા.
Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય