ગામના તળાવમાં મગરો વચ્ચે તરીને મગરના બચ્ચાને પકડી સ્કુલમાં લઇ ગયેલા.
પરિવાર ગરીબ અવસ્થામાં હોઈ ૧૪ વર્ષની કિશોર વયે તેમણે વડનગર સ્ટેશન બહાર આવેલા એમના પરિવારના ટી સ્ટોલ પર કામ કરતા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા અને ત્યારબાદ RSS માં જોડાયા.
૧૯૮૭ – દેશભરમાં હિન્દુત્વનો જુવાળ ઊભો થયો હતો ત્યારે મોદી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
૧૯૯૦ – ભાજપના નેતા એલ.કે. અડવાણીની અયોધ્યાથી ગુજરાતના સોમનાથ મંદિર સુધીની રામ રથયાત્રાના આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
૧૯૯૪ – ગુજરાત વિધાનસભામાં ભાજપની જીતમાં મોદીની રણનીતિ સફળ રહી.
૧૯૯૫ – ભાજપના રાષ્ટ્રીય મંત્રી બનાવાયા અને તેમને પાંચ રાજ્યોનો હવાલો સોંપવામાં આવ્યો.
૧૯૯૮ – મહામંત્રી તરીકે નિયુક્ત કરાયા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બહુમતી મેળવી અને પક્ષમાં મહત્વ વધી ગયું.
૭મી ઓક્ટોબર,૨૦૦૧: ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યાં. જીવનમાં પહેલો મોટો બ્રેક.
ઓક્ટોબર ૨૦૦૧ – ગોધરાકાંડ બાદ તેઓ ભારે દબાણમાં આવી ગયા. ત્યારબાદ મોદીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્યું અને ફરીથી ચૂંટણી યોજાઈ.
જાન્યુઆરી, ૨૦૦૧- વિનાશક ભુકંપ સહિતની અન્ય ઘણી કુદરતી આપત્તિઓની વિપરિત અસરોમાંથી પસાર થઇ રહ્યું હતું. પ્રતિકૂળ પરિસ્થિતિઓને તેમણે કેવી રીતે સર્વાંગી વિકાસના અવસરોની તકમાં ફેરવી દીધી તેનો બોલતો પુરાવો ભૂજ શહેર છે.
૧૭મી સપ્ટેમ્બર, ૨૦૧૨ – એમના જન્મ દિવસે ગુજરાતના લોકોની સેવામાં ૪૦૦૦ દિવસ પૂર્ણ કર્યાં. સળંગ બાર વર્ષો સુધી ગુજરાતના મુખ્ય પ્રધાન પદે રહેવાનો તેઓ વિક્રમ ધરાવે છે .
૨૦૧૩: ૯ જૂન – ગોવામાં ભાજપે મોદીને દેશની ૨૦૧૪ની ચૂંટણીના પ્રચાર માટેની સમિતિના વડા તરીકે નિમ્યા. આવી બઢતી આપવાના વિરોધમાં જનતા દળ (યુનાઈટેડ) પાર્ટીએ ભાજપ સાથેની ૧૭ વર્ષ જૂની દોસ્તી તોડી નાખી.
૧૩ સપ્ટેંબર ૨૦૧૩ – ભાજપ અને એનડીએના વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરાયા.
૨૬, મે- ૨૦૧૪ – ભારતના વડાપ્રધાન પદે શપથ
સન્માન
પૂના ગુજરાતી બંધુ સમાજ દ્વારા ગુજરાત રત્ન
આંતર રાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા TIME મેગેઝીનની એશિયા આવૃતિના એક અંકના મુખ પૃષ્ઠ ઉપર એમના ચિત્ર સાથે લેખ
કમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડીયા” દ્વારા ઇ-રત્ન
૩૦ જાન્યુઆરી ૨૦૦૬ – “ઇન્ડિયા ટુડે” દ્વારા રાષ્ટ્ર ભરમાં હાથ ધરવામાં આવેલી મોજણીમાં, નરેન્દ્ર મોદીને દેશના શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યાં.
૫ ફેબ્રુઆરી ૨૦૦૭ – ઇન્ડિયા ટુડે -ઓઆરજી માર્ગ દ્વારા રાષ્ટ્રભરમાં હાથ ધરવામાં આવેલી મોજણીમાં ત્રીજી વખત શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યા
૨૫ ઑગસ્ટ ૨૦૦૯– FDI magazine દ્વારા વર્ષ ૨૦૦૯ માટેના એફડીઆઇ વ્યક્તિત્વના એશિયાઈ વિજેતા તરીકે પસંદગી પામ્યા.
આવતીકાલે જેમનો ભારત વડા પ્રધાન પદનો ધમાકેદાર પદાહોરણ સમારંભ દેશ વિદેશના નેતાઓ અને આમંત્રીત
મહાનુભાવોની હાજરીમાં થવાનો છે એ શુભ પ્રસંગે ગુજરાતના સપુત શ્રી નરેન્દ્ર મોદી વિષે અઢળક માહિતી ભેગી કરી આ પોસ્ટમાં સુંદર રીતે પ્રસ્તુત કરવા માટે શ્રી સુરેશભાઈ ને અભિનંદન અને આભાર .
આ એક પ્રકારની આ પ્રસંગની ઉજવણી થઇ ગઈ .
ન.મો. ની કવિ તરીકેની ઝલક વિનોદ વિહાર ની આ પોસ્ટમાંથી મળશે .
“सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा..” — નરેન્દ્ર મોદીનું એમના એક હિન્દી કાવ્યનું પઠન
રીડસેતુ પર મૂકેલું છે.
દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 20 જાન્યુઆરી 2015
કાવ્યસેતુ 170 લતા હિરાણી
પૃથ્વી આ રમ્ય છે
આંખ આ ધન્ય છે.
લીલાછમ ઘાસ પર તડકો ઢોળાય અહીં
તડકાને કેમે કરી ઝાલ્યો ઝલાય નહીં.
વ્યોમ તો ભવ્ય છે
ને પૃથ્વી આ રમ્ય છે.
આભમાં મેઘધનુષ મ્હોરતું, ફોરતું.
હવામાં રંગનાં વર્તુળો દોરતું.
કિયા ભવનું પુણ્ય છે ?!
જિંદગી ધન્ય છે, ધન્ય છે.
સમુદ્ર આ ઊછળે સાવ ઊંચે આભમાં,
કોણ જાણે શું ભર્યું છે વાદળોના ગાભમાં !
સભર આ શૂન્ય છે.
પૃથ્વી આ રમ્ય છે.
માનવીના મેળા સાથે મેળ આ મળતો રહ્યો,
ને અન્યના સંગાથમાં હું મને કળતો રહ્યો.
આ બધું અનન્ય છે.
ને કૈંક તો અગમ્ય છે.
ધન્ય ધન્ય ધન્ય છે.
પૃથ્વી મારી રમ્ય છે. – નરેન્દ્ર મોદી
આશ્ચર્ય થાય છે ને ? ક્યાં નઠોર, જડ રાજકારણ અને ક્યાં ભાવસમૃદ્ધિથી છલકાતું હ્રદય ! રાજકારણ શબ્દ એટલો પ્રદૂષિત થયેલો છે કે એની સાથે પ્રાસ મેળવવા યે ‘શબ્દકારણ’ જેવો શબ્દ પ્રયોજવો ગમતો નથી. ભલે બહુ રૂઢ થઈ ગયેલી પણ ‘કાદવમાં કમળ’ની ઉપમા મને અહી સંપૂર્ણ બંધ બેસતી લાગે છે.
કોઈપણ વ્યક્તિ કે વિભૂતિ માટે ‘એ આ કરી શકે કે આ ન કરી શકે’ એ વિચાર ચોક્કસ આવે. ન.મો. માટે એટલું જ કહી શકાય, વિચારી શકાય કે ‘એ શું ન કરી શકે !’ હા, આટલા સુંદર કાવ્યો પણ ! કાવ્યત્વથી ભરી ભરી આ રચનામાં ઉઘડે છે, કઠોર સંકલ્પના આ માનવીનું ઋજુ હ્રદય ! કવિની આંખમાં છવાય છે લીલાછમ ઘાસમાં ઢોળાયેલો તડકો, આભમાં મહોરતું મેઘધનુષ, વહેતી હવાના રંગો કે વાદળોના ગાભમાં છલકાતો સમુદ્ર…. કવિનું હ્રદય પૃથ્વીની રમ્યતાને અનુભવે છે, એના સૌદર્યને ઝીલે છે ને રોમેરોમ ધન્યતા અનુભવે છે.
આંખથી થતું દર્શન કવિતા રચી શકે.. અહી એ બન્યું જ છે….તડકાને ઝાલવાની વાત કે હવામાં રંગના વર્તુળો રચવાની વાત ભાવકના હૃદય સુધી પહોંચે છે પરંતુ પૃથ્વીના સૌંદર્યને નિરખવામાં, એની રમ્યતામાં ધન્યતા અનુભવવાની વાત વિચારની એક આકાશી ઊંચાઈને આંબે છે, અનુભૂતિના અતલ ઊંડાણને સ્પર્શે છે. આ ધરા પર જીવવાનું સદભાગ્ય સાંપડવું એ કોઈ આગલા ભવનું પૂણ્ય છે… કવિની ઉદ્દાત લાગણી અહીં ગીતાના કર્મયોગ સુધી પહોંચે છે.
વાદળોના ગાભમાં આભ સુધી પહોંચતા કદમ વાસ્તવિકતાને ઉવેખતા નથી. અલખ જગાવીને ક્યાંક પર્વતના ખોળે બેસી જતા નથી. માનવીના મેળામાં એ મ્હાલી શકે છે પણ અંદરનો સંવાદ ત્યાં અટકતો નથી. માનવીનો મેળો કવિ માટે આયનો છે જેમાં ખુદની ઓળખ થાય, જાતને પામી શકાય. એ જગતના વાતાવરણને ઝીલવા માટે છે, જીવવા માટે નહીં. જીવવા માટે તો અંદરનું એકાંત જ ભર્યું ભર્યું છે જે સભર શૂન્ય સાથે જોડાયેલું છે. અન્યના સંગાથમાં જાતને ખોળતા રહેવાની આવડત વિરલ છે. એ જ પડછાયાને ક્ષિતિજ સુધી વિસ્તારે છે.
સમસ્તના કલ્યાણની, પરાર્થે સમર્પણની ગૂંજ જ્યાં વ્યાપી હોય ત્યાં જ આવું ઉદભવે. સ્વને અને સ્વાર્થને શૂન્ય કરી સમષ્ટિના શુભ સુધી પહોંચવાનું જેનું સ્વપ્ન હોય એનામાં જ આવી સંકલ્પના જન્મે. કલાકોના કોલાહલમાં સભરતાથી ભરેલી ક્ષણો સાંપડવી એ પાત્રતા વગર ન સંભવે..
આ કાવ્ય સૃષ્ટિના અદભૂત સૌંદર્ય અને એમાં વ્યાપેલા ચૈતન્ય, અધ્યાત્મનો સુમેળ સાધે છે, સમરસતાથી છલકાવે છે. બંને પાસા અહી બારીકાઈથી આલેખાયા છે. આ કાવ્ય અછાંદસ છે પણ પ્રાસની રચના એટલી રમ્ય છે કે ગીતનો આભાસ થાય. પ્રકૃતિના પળે પળે થતા સાક્ષાત્કારની વાત અહી આત્મસાક્ષાત્કાર સુધી દોરી જાય છે અને એ આ કાવ્યની ખૂબી છે. ‘અગમ્ય’ અને ‘અનન્ય’નો અહેસાસ આપણી સંવેદનાનેય ઉલેચે છે, અંદરથી બહાર સુધી, આંખથી અક્ષરો સુધી અને આખરે ચેતનાની ચિનગારી સુધી…
on 67th birthday we wish you a very long ..long and happy life and continue to serve our country honestly with your very hard work and supporting love of 125 Crds Bharatvasio. We love you…..
Dr Jitendra R Patel.
Nadiad.Gujarat India.
India’s Prime Minister Narendrabhai Modi, Has started his carrier from A Tea seller, after that he became the chief minster of Gujarat, then he became The Prime Minister of India, I hope in future He will surely become The Greatest world leader & The world will follow his advise ( the time will come soon ) WE ARE PROUD OF THIS OUR LION – Naresh Bhaichand Meghani from Bhavnagar Gujarat
આજની પોઝિટિવ સ્ટોરી
સને 2004માં હીરાબાએ કહ્યું હતું કે મારો આત્મા કહે છે કે નરેન્દ્ર
એક દિવસ ભારતનો વડાપ્રધાન બનશે…
આલેખનઃ રમેશ તન્ના
આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. તેઓ દર વર્ષે પોતાના જન્મદિવસના અવસરે પોતાનાં માતુશ્રી હીરાબાને મળીને આશીર્વાદ લે છે પણ કોરોનાને કારણે એ સિલસિલો અટક્યો છે. ગમે તેવા વ્યસ્ત શિડ્યૂલમાં તેઓ દરરોજ પોતાના માતા હીરાબાને ફોન પણ કરે છે. નરેન્દ્રભાઈમાં જે આત્મવિશ્વાસ ઠાંસોઠાંસ ભર્યો છે, તે તેમનાં માતાની દેન છે. હીરાબાને તો વિશ્વાસ હતો જ કે પોતાનો દીકરો ભારતનો વડાપ્રધાન બનશે જ. આ વાત છે ફેબ્રુઆરી, 2004ની. એ વખતે તે હું અમેરિકાથી પ્રકાશિત થતા એક સાપ્તાહિકમાં ફરજ બજાવતો હતો. એ વખતે વડનગરમાં તેમના નિવાસસ્થાને તેમનો લાંબો ઈન્ટરવ્યુ કર્યો હતો. તેમણે કહેલું કે મારો આત્મા કહે છે કે નરેન્દ્ર એક દિવસ ભારતનો વડાપ્રધાન બનશે. એ વાત સાચી પડી. નવાઈની વાત એ છે કે એ સમયકાળ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે કાઠો અને વિપરીત હતો. આખી દુનિયામાં તેમના પર માછલાં ધોવાતાં હતાં. અરે, તેઓ મુખ્યમંત્રી તરીકે ટકશે કે કેમ તે પણ નક્કી નહોતું. એવી સ્થિતિમાં એક માતાના હૃદયમાંથી એવા આશીર્વાદ વ્યક્ત કરાયા કે મને તો ચોક્કસ લાગે છે કે તે એક દિવસ ભારતનો વડાપ્રધાન બનશે.
ચૂંટણીનાં પરિણામો કરતાં માતાના હૃદયનો ચૂકાદો ચડિયાતો હોય છે કદાચ….
।।।।।।।।।।।।।।।
2004માં લખાયેલા એ લેખના કેટલાક અંશો મિત્રો સાથે વહેંચું છું…….
નરેન્દ્ર મોદી (ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી) અમેરિકા જવાના હોવાથી કંઈક જુદી સ્ટોરી કરવી તેવી ઇચ્છા હતી. તસવીરકાર વિરેન્દ્ર રામીએ મહેસાણાથી લઈને અમે પહોંચ્યા વડનગર. વડનગર નરેન્દ્રભાઈની જન્મભૂમિ. અહીં તેમનું બાળપણ વિતેલું. નરેન્દ્રભાઈના લઘુબંધુ પંકજભાઈએ પણ અમને ખૂબ સહયોગ આપ્યો. તેઓ અમારી સાથે રહ્યા અને સંપર્કો પણ કરાવી આપ્યા. અમે નરેન્દ્રભાઈના નિવાસસ્થાનમાં બેસીને, ઓસરીમાં હિરાબા સાથે ઘણી વાતો કરી. તેઓ જે શાળામાં ભણ્યા હતા તે શાળાના આચાર્યને મળ્યા હતા. તેમને ભણાવનારા કેટલાક શિક્ષકો સાથે પણ મુલાકાત કરી હતી. નરેન્દ્રભાઈ જેમની જેમની સાથે ભણ્યા હતા તેમાંથી કેટલાક સહાધ્યાર્થીઓને તેમના ઘરે જઈને મળેલા. અમારા માટે આ એક યાદગાર મુલાકાત હતી.
*
એ વખતે હીરાબાની ઉંમર હતી ૮૯ વર્ષની, પણ સ્ફૂર્તિ ૬૫ કે ૭૦ વર્ષની વ્યક્તિ જેટલી હતી. શુદ્ધ ઉચ્ચારો સાથે સહેજ પણ અચકાયા વગર બોલતાં હતાં. એમની યાદદાસ્ત પણ આશ્ચર્ય પમાડે તેવી હતી. ગુજરાતની ઐતિહાસિક નગરી વડનગરના એક બેઠા ઘાટના, પરંપરાગત મકાનની ઓસરીમાં બેસીને તેમણે પોતાના પાંચ દીકરાઓમાંથી ત્રીજા નંબરના દીકરા નરેન્દ્ર વિશે વાતચીત કરી હતી.
‘નાનપણથી જ તેનો સ્વભાવ બીજા કરતાં જુદો હતો. એ ઘોડિયામાં હતો ત્યારથી જ જુદો તરી આવતો. બીજા છોકરાઓ ખૂબ રડે, આ ભાઈ ખૂબ ઓછું રડે. તેણે ખાસ તોફાન કર્યાં હોય તેવું પણ મને યાદ નથી. કોઈની સાથે તેને ઝઘડો થયો હોય તેવું પણ ઓછું બનતું. હા, એક વાત ખરી, બીજાનો ઝઘડો પોતાના માથે લઈ લે. કોઈને અન્યાય થતો હોય કે ક્યાંય કશું ખોટું થતું હોય તો તેને ચચરી જાય અને તે સહન કરે નહિ.
નાનપણથી જ તેને શરીરને ખૂબ સ્વચ્છ રાખવાની ટેવ. સુઘડ ઘણો. તેને ગંદકી ગમે નહિ. કપડાં વ્યવસ્થિત પહેરવા જોઈએ. તેને જેવું તેવું કશું ન ચાલે. સ્કૂલમાં હતો ત્યારે કપડાં ઇસ્ત્રી કરેલાં પહેરીને જવાનું મન થાય એટલે તેણે એક યુક્તિ શોધી કાઢેલી. રોજ રાત્રે કપડાં સરસ રીતે ઘેડ પ્રમાણે વાળીને ગાદલાં નીચે મૂકી દે. સવારે જાણે કે કપડાંને ઇસ્ત્રી કરી હોય તેવું લાગે. એવાં કપડાં પહેરીને સ્કૂલમાં જાય એટલે દોસ્તારો પૂછે કે તું તારાં કપડાને ઇસ્ત્રી ક્યાં કરાવે છે? ટૂંકમાં તેને બધું વ્યવસ્થિત જોઈએ અને સ્વનિર્ભર અને સ્વમાની પણ ઘણો.
થોડોક મોટો થયો એટલે અમારા ગામના શર્મિષ્ઠા તળાવમાં નહાવા જતો થયો. એ નહાવા જાય એટલે પોતાનાં કપડાં જાતે જ ધોઈને આવે. પોતાનું કામ જાતે જ કરવાનું તેને ગમે. પોતાના માટે બીજા કોઈને તકલીફ પડે તેવું તેને ન ગમે. આ વસ્તુ તેને કોઈએ શીખવાડી નથી, તેનામાં જાતે જ આવી છે.
હીરાબા નરેન્દ્રભાઈની વાત કરતી વખતે ખૂબ આનંદિત થઈને વાતો કરે છે, નિરાંતમાં વાત કરે છે. તેમને નરેન્દ્રભાઈની વાતો કરવાનું ખૂબ ગમે છે. તેઓ કહે છે, મને ઘણી વાર નવાઈ લાગતી કે આ છોકરો ક્યાંથી બધું શીખી લાવે છે? અમે ઘરમાં કોઈ વસ્તુ લાવીએ તો તે તરત જ કહે કે જેટલી જરૂર હોય તેટલું જ લાવો, ઘરમાં ખોટો સંગ્રહ ન કરશો. દેશમાં હજારો લોકો ચીજવસ્તુઓ વગર તડપતા હોય ત્યારે આપણે ઘરમાં વસ્તુઓનો ઢગલો કરીએ તે કેટલું વાજબી ગણાય? હીરાબા ઉમેરે છે, મને બરાબર યાદ છે, જ્યારે તેણે આ વાત પહેલી વખત કરી ત્યારે તેની ઉંમર ૧૦-૧૨ વર્ષની હતી. મને એ વખતે થયેલું કે આવું બધું ક્યાંથી શીખી લાવે છે, પણ પછી ધીમે ધીમે સમજાયું હતું કે તેનું વ્યક્તિત્વ જ જુદું છે.
અમે પૂછીએ છીએ, એ વ્યક્તિત્વ એટલી હદ સુધી દેશપ્રેમી બને કે દેશ માટે ઘર છોડી દેવા તૈયાર થાય ત્યારે એક ‘મા’ તરીકે તમને કેવી લાગણી થઈ હતી? હીરાબા થોડી વાર કશું બોલતાં નથી. એમની આંખનો એક ખૂણો સહેજ ભીનો થઈ જાય છે, પણ એ કળવા દેતાં નથી. પૂર્વવત્ સ્વસ્થતાથી વાતનો દોર પાછો સાંધી લેતાં તેઓ કહે છે, આંચકો તો લાગે જ ને? મને પણ જ્યારે તેણે પોતાનું જીવન દેશને ચરણે ધરી દઈને ઘર છોડવાનું નક્કી કરેલું ત્યારે આંચકો લાગેલો, પણ પછી મેં મારી જાત સંભાળી લીધી હતી.
આટલું બોલી તેઓ ખૂબ ઉત્સાહમાં, ના, પૂરેપૂરા ગૌરવથી કહે છેઃ મને ગર્વ છે કે મારો નરેન્દ્ર લોકોનાં કામ કરી રહ્યો છે, દેશ માટે જીવી રહ્યો છે. તેણે પોતાનું જીવન પૂરા દિલથી દેશને ચરણે ધર્યું છે. જ્યારે તેણે નિર્ણય કર્યો કે હું હવે દેશ માટે જીવીશ. બસ પછી તેણે આ નિર્ણયનો પૂરેપૂરો અમલ કર્યો છે. જે માતાનાં સારાં નસીબ હોય તેની કૂખે આવો દીકરો અવતરે.
આટલું કહી તેઓ જાણે કે નરેન્દ્રભાઈના વિચારોમાં ખોવાઈ જાય છે. કહે છે, ‘તે ખૂબ હિંમતવાળો છે, તેનામાં કુદરતી રીતે જ ઘણી શક્તિઓ છે. તે એક વાર નક્કી કરે કે મારે અમુક કામ કરવું છે તે પછી કરીને જ જંપે. અવરોધો આવે તો ડરે નહિ, પડકારો આવે તોય પોતાનો નિર્ણય ફેરવે નહિ. જે કરવાનું છે તે કરવાનું જ. તેની અંદરની ઘણી તાકાત છે. આ તાકાતને જ કારણે તેણે પોતાના વિરોધીઓને હંમેશાં પછાડ્યા છે. નાનપણમાં પણ આવું જ થતું. આજે પણ રાજકારણમાં તેણે અનેક વિરોધોનો સામનો કરવો પડે છે, પણ મને ચિંતા થતી નથી. મને વિશ્વાસ છે કે તે આગળ ને આગળ વધવાનો જ છે. હું તો નાનપણથી જ કહેતી હતી કે નરેન્દ્ર મોટો નેતા બનશે. બન્યો. મારો આત્મા તો એમ પણ કહે છે કે તે જરૂર દેશનો વડા પ્રધાન થશે. હા, પછી ધાર્યું તો ધણીનું જ થાય છે, પણ તેનામાં ઘણી શક્તિ છે. એ શક્તિ ગુજરાત માટે, દેશ માટે કામમાં આવે તો મને ખૂબ ગમે.
નાનપણથી જ તે જવાબદાર બની ગયેલો. ઘરમાં બધાને મદદ કરતો, પિતાને કામકાજમાં સહાય કરતો. એટલું જ નહિ, ગામના લોકોને પણ ખૂબ મદદ કરતો. પહેલેથી જ પરગજુ સ્વભાવનો. આ સંસ્કાર ક્યાંથી આવ્યા એ ચોક્કસ કહેવું અઘરું છે, પણ તેના સ્વભાવના મૂળમાં જે આ ભાવ પડેલો હતો તે જ કદાચ તેને જાહેર જીવનમાં ખેંચી ગયો અને તે જાહેર જીવનમાં લોકો માટે જ કામ કરી રહ્યો છે.
જ્યારે અમે તેમને પૂછ્યું કે તમારો દીકરો તમને ક્યારે મળવા આવે છે? તો જવાબ મળ્યો, કશું જ નક્કી નહિ. તેના માટે દેશ પહેલો છે. લોકો પહેલા છે. પછી કુટુંબ. ક્યારેક ફોન કરીને ખબર પૂછી લે, પણ કોઈ ચોક્કસ સમયે મહિને કે વર્ષે મારી ખબર પૂછવા આવે, મને મળવા આવે એવું કશું નક્કી નહિ અને મને ખબર છે કે તેણે પોતાનું જીવન લોકોને આપી દીધું છે તો હવે મારો હક ઓછો થયો અને લોકોનો હક વધી ગયો.
હું તો એને ટીવી પર જોઈને રાજી થાઉં. હા, જો થોડા દિવસ ટેલિવિઝન પર તે જોવા ન મળે તો મને ન ગમે. મુખ્યમંત્રી તરીકે તેણે સોગંધ લીધા ત્યારે મને બોલાવી હતી. મારા આશીર્વાદ લીધા હતા.
નરેન્દ્રભાઈની કઈ કઈ કામગીરી તમને વધારે ગમે રહી છે? એવો પ્રશ્ન સાંભળીને તેઓ તરત જ જવાબ નથી વાળતાં, પણ જવાબ આપતાં પહેલાં થોડી ચર્ચા કરે છે. પછી ટુકડે ટુકડે પોતાનો એક સળંગ જવાબ કહે છે. તેઓ કહે છે, તેણે કન્યાઓને કેળવણી આપવાનું કામ શરૂ કર્યું છે તે મહત્ત્વનું છે. આજના બધા પુરુષો પાગલ થઈ ગયા છે. ખરી શક્તિ સ્ત્રીઓ પાસે છે. અત્યાર સુધી આપણે સ્ત્રીઓને નહોતા ભણાવતા, હવે નહિ ચાલે. નરેન્દ્રે આ જે કામ હાથ ઉપર લીધું છે તે ખૂબ મહત્ત્વનું છે. એનાં ફળ ગુજરાતને ચોક્કસ ચાખવા મળશે.
આ ઉપરાંત તે લોકો માટે જે જુદી જુદી યોજનાઓ કરે છે તે સફળ બનાવીને જ રહેશે. તેને ખબર છે કે લોકોને શું જોઈએ છે. જે લોકો ખોટા હશે, વચેટિયા હશે, દંભી હશે તેને ક્યારેય તે વશ નહિ થાય. તે પોતાના મનનુ ધાર્યું કરશે. જ્યારે તેમને એવો સવાલ પૂછાયો કે ઘણા લોકો એવી ફરિયાદ કરે છે કે નરેન્દ્રભાઈ તોછડા છે, લોકોને ઉતારી પાડે છે. નાનપણમાં પણ તેઓ આવા હતા? તોછડા છે એમ કેવી રીતે કહેવાય? એ સ્પષ્ટવક્તા છે. એને જે સાચું લાગે તે કહી જ દે. મારા તો પાંચેપાંચ છોકરાઓ એવા છે. મારો સ્વભાવ પણ એવો છે. લોકો જો સાચું સહન ન કરી શકે તો એમાં બોલનારનો વાંક કેવી રીતે કહેવાય?
હીરાબા પોતાના સૌથી નાના દીકરા પંકજભાઈ સાથે આનંદથી રહે છે. હીરાબા કહે છે, અમે દુઃખના ખૂબ દહાડા જોયા છે, પણ એ તો બધું ચાલ્યા કરે. હીરાબા પોતાના શરીરને સાચવે છે. જોકે હવે ક્યાંય બહાર જવાની એમની ઇચ્છા નથી. બદરીનાથ, કેદારનાથ સહિત કેટલાંક તીર્થધામોની યાત્રા કરી છે. હવે કહે છે, આ ઉંમરે અને આ શરીરે હવે મારે ક્યાંય જવું નથી. કહે છે, મને સંપૂર્ણ સંતોષ છે.
જેમનો દીકરો સમગ્ર વિશ્વમાં પોતાના રાષ્ટ્રનું નામ ગજવતો હોય, તેની માતા સંતોષી હોય તે સાવ સ્વાભાવિક છે.
(ખુરશી પર બેઠેલાં હીરાબા.. તસવીર વિરેન્દ્ર રામી, મહેસાણા)
*****
નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે એક સામયિકને આપેલી મુલાકાતમાં વાંચ્યું હતું કે તેમને આરએસએસના વડાએ એક ખંડમાં બેસાડીને વિગતવાર વાતો કરી હતી. એ વખતે નરેન્દ્ર મોદીને ખૂબ જ નવાઈ લાગી હતી કારણ કે તેઓ ગુજરાતમાં હતા અને નવી દિલ્હીમાં વાજપાઈ સહિત ભાજપમાં અનેક ધૂરંધરો હતા. એ વખતે તેમને એવું કહેવાયેલું કે તમારા હસ્તે મોટાં મોટાં કાર્યો થવાનાં જ છે. તમે અનેક મોટાં કાર્યોમાં નિમિત્ત બનવાના છો એટલે આ બધુ તમને કહેવામાં આવી રહ્યું છે…
અને થયું પણ એવું જ..
ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈએ અનેક વણઉકલી અને ક્યારેય ઉકલશે જ નહિ તેવું લાગતી ઘણી પડતર સમસ્યાઓ ઉકેલી છે તે માટે તેમને અભિનંદન. વડાપ્રધાન તરીકે તેઓ ઉત્તમ કાર્યો કરીને દેશને સુખી કરવા મથી રહ્યા છે એ વાત સાચી, પરંતુ સાૈથી મોટી સમસ્યા છે આવકની અસમાનતાની. ભાંગતાં અને તૂટતાં ગામડાંઓની. ભારતનો આત્મા ગામડામાં વસે છે તેથી ગામડાની ઉપેક્ષા કરીને ક્યારેય ભારતને આત્મનિર્ભર નહીં જ કરી શકાય. ગામોને બેઠાં કરવાં પડશે, ઊભાં કરવાં પડશે અને દોડતાં પણ કરવાં જ પડશે. આ કામ પહેલું કરવું પડશે. જોકે એ કામ કરવાની નરેન્દ્ર મોદી કે સરકારની એક માત્ર જવાબદારી નથી.. એ કામમાં આપણે બધાએ ભાગે પડતું કામ કરવું જ પડશે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિવસ છે. તેમને જન્મદિવસની 11 દરિયા ભરીને શુભકામનાઓ.
પરમ કૃપાળુ પરમાત્મા નિરામય દીર્ઘાયુ આપે અને તેઓ ભારતવર્ષ અને સમગ્ર માનવજાતની સેવા કરતા રહે.
(પોઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના, સંપર્ક નંબરઃ 9824034475, અમદાવાદ)
Hope tp meet him after he became CM and hope he takes PM service for Mother India !!!
શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખુબ જ સરસ પરિચય આપ્યો….ખુબ ખુબ આભાર. ઈ.સ. ૨૦૧૪નુ પ્રધાન પદ તેમને જ મળશે. તેમાં શંકા ને કોઈ સ્થાન નથી.
-પ્રવિણ કે.શ્રીમાળી
Pingback: રાજકીય નેતા | ગુજરાતી પ્રતિભા પરિચય
આવતીકાલે જેમનો ભારત વડા પ્રધાન પદનો ધમાકેદાર પદાહોરણ સમારંભ દેશ વિદેશના નેતાઓ અને આમંત્રીત
મહાનુભાવોની હાજરીમાં થવાનો છે એ શુભ પ્રસંગે ગુજરાતના સપુત શ્રી નરેન્દ્ર મોદી વિષે અઢળક માહિતી ભેગી કરી આ પોસ્ટમાં સુંદર રીતે પ્રસ્તુત કરવા માટે શ્રી સુરેશભાઈ ને અભિનંદન અને આભાર .
આ એક પ્રકારની આ પ્રસંગની ઉજવણી થઇ ગઈ .
ન.મો. ની કવિ તરીકેની ઝલક વિનોદ વિહાર ની આ પોસ્ટમાંથી મળશે .
“सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा..” — નરેન્દ્ર મોદીનું એમના એક હિન્દી કાવ્યનું પઠન
http://vinodvihar75.wordpress.com/2014/02/27/402-%e0%a4%b8%e0%a5%8c%e0%a4%97%e0%a4%82%e0%a4%a7-%e0%a4%ae%e0%a5%81%e0%a4%9d%e0%a5%87-%e0%a4%87%e0%a4%b8-%e0%a4%ae%e0%a4%bf%e0%a4%9f%e0%a5%8d%e0%a4%9f%e0%a5%80-%e0%a4%95%e0%a5%80-%e0%a4%ae-3/
Pingback: (459 ) ભારતના ૧૫મા વડા પ્રધાન , ગુજરાતના સપૂત શ્રી, નરેન્દ્ર મોદીને હાર્દીક અભિનંદન અને શુભેચ્છાઓ | વ
Pingback: ગુજરાતના મુખ્ય મંત્રીઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Reblogged this on આપણું વેબ વિશ્વ.
રીડસેતુ પર મૂકેલું છે.
દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 20 જાન્યુઆરી 2015
કાવ્યસેતુ 170 લતા હિરાણી
પૃથ્વી આ રમ્ય છે
આંખ આ ધન્ય છે.
લીલાછમ ઘાસ પર તડકો ઢોળાય અહીં
તડકાને કેમે કરી ઝાલ્યો ઝલાય નહીં.
વ્યોમ તો ભવ્ય છે
ને પૃથ્વી આ રમ્ય છે.
આભમાં મેઘધનુષ મ્હોરતું, ફોરતું.
હવામાં રંગનાં વર્તુળો દોરતું.
કિયા ભવનું પુણ્ય છે ?!
જિંદગી ધન્ય છે, ધન્ય છે.
સમુદ્ર આ ઊછળે સાવ ઊંચે આભમાં,
કોણ જાણે શું ભર્યું છે વાદળોના ગાભમાં !
સભર આ શૂન્ય છે.
પૃથ્વી આ રમ્ય છે.
માનવીના મેળા સાથે મેળ આ મળતો રહ્યો,
ને અન્યના સંગાથમાં હું મને કળતો રહ્યો.
આ બધું અનન્ય છે.
ને કૈંક તો અગમ્ય છે.
ધન્ય ધન્ય ધન્ય છે.
પૃથ્વી મારી રમ્ય છે. – નરેન્દ્ર મોદી
આશ્ચર્ય થાય છે ને ? ક્યાં નઠોર, જડ રાજકારણ અને ક્યાં ભાવસમૃદ્ધિથી છલકાતું હ્રદય ! રાજકારણ શબ્દ એટલો પ્રદૂષિત થયેલો છે કે એની સાથે પ્રાસ મેળવવા યે ‘શબ્દકારણ’ જેવો શબ્દ પ્રયોજવો ગમતો નથી. ભલે બહુ રૂઢ થઈ ગયેલી પણ ‘કાદવમાં કમળ’ની ઉપમા મને અહી સંપૂર્ણ બંધ બેસતી લાગે છે.
કોઈપણ વ્યક્તિ કે વિભૂતિ માટે ‘એ આ કરી શકે કે આ ન કરી શકે’ એ વિચાર ચોક્કસ આવે. ન.મો. માટે એટલું જ કહી શકાય, વિચારી શકાય કે ‘એ શું ન કરી શકે !’ હા, આટલા સુંદર કાવ્યો પણ ! કાવ્યત્વથી ભરી ભરી આ રચનામાં ઉઘડે છે, કઠોર સંકલ્પના આ માનવીનું ઋજુ હ્રદય ! કવિની આંખમાં છવાય છે લીલાછમ ઘાસમાં ઢોળાયેલો તડકો, આભમાં મહોરતું મેઘધનુષ, વહેતી હવાના રંગો કે વાદળોના ગાભમાં છલકાતો સમુદ્ર…. કવિનું હ્રદય પૃથ્વીની રમ્યતાને અનુભવે છે, એના સૌદર્યને ઝીલે છે ને રોમેરોમ ધન્યતા અનુભવે છે.
આંખથી થતું દર્શન કવિતા રચી શકે.. અહી એ બન્યું જ છે….તડકાને ઝાલવાની વાત કે હવામાં રંગના વર્તુળો રચવાની વાત ભાવકના હૃદય સુધી પહોંચે છે પરંતુ પૃથ્વીના સૌંદર્યને નિરખવામાં, એની રમ્યતામાં ધન્યતા અનુભવવાની વાત વિચારની એક આકાશી ઊંચાઈને આંબે છે, અનુભૂતિના અતલ ઊંડાણને સ્પર્શે છે. આ ધરા પર જીવવાનું સદભાગ્ય સાંપડવું એ કોઈ આગલા ભવનું પૂણ્ય છે… કવિની ઉદ્દાત લાગણી અહીં ગીતાના કર્મયોગ સુધી પહોંચે છે.
વાદળોના ગાભમાં આભ સુધી પહોંચતા કદમ વાસ્તવિકતાને ઉવેખતા નથી. અલખ જગાવીને ક્યાંક પર્વતના ખોળે બેસી જતા નથી. માનવીના મેળામાં એ મ્હાલી શકે છે પણ અંદરનો સંવાદ ત્યાં અટકતો નથી. માનવીનો મેળો કવિ માટે આયનો છે જેમાં ખુદની ઓળખ થાય, જાતને પામી શકાય. એ જગતના વાતાવરણને ઝીલવા માટે છે, જીવવા માટે નહીં. જીવવા માટે તો અંદરનું એકાંત જ ભર્યું ભર્યું છે જે સભર શૂન્ય સાથે જોડાયેલું છે. અન્યના સંગાથમાં જાતને ખોળતા રહેવાની આવડત વિરલ છે. એ જ પડછાયાને ક્ષિતિજ સુધી વિસ્તારે છે.
સમસ્તના કલ્યાણની, પરાર્થે સમર્પણની ગૂંજ જ્યાં વ્યાપી હોય ત્યાં જ આવું ઉદભવે. સ્વને અને સ્વાર્થને શૂન્ય કરી સમષ્ટિના શુભ સુધી પહોંચવાનું જેનું સ્વપ્ન હોય એનામાં જ આવી સંકલ્પના જન્મે. કલાકોના કોલાહલમાં સભરતાથી ભરેલી ક્ષણો સાંપડવી એ પાત્રતા વગર ન સંભવે..
આ કાવ્ય સૃષ્ટિના અદભૂત સૌંદર્ય અને એમાં વ્યાપેલા ચૈતન્ય, અધ્યાત્મનો સુમેળ સાધે છે, સમરસતાથી છલકાવે છે. બંને પાસા અહી બારીકાઈથી આલેખાયા છે. આ કાવ્ય અછાંદસ છે પણ પ્રાસની રચના એટલી રમ્ય છે કે ગીતનો આભાસ થાય. પ્રકૃતિના પળે પળે થતા સાક્ષાત્કારની વાત અહી આત્મસાક્ષાત્કાર સુધી દોરી જાય છે અને એ આ કાવ્યની ખૂબી છે. ‘અગમ્ય’ અને ‘અનન્ય’નો અહેસાસ આપણી સંવેદનાનેય ઉલેચે છે, અંદરથી બહાર સુધી, આંખથી અક્ષરો સુધી અને આખરે ચેતનાની ચિનગારી સુધી…
Pingback: ( 954 ) વડા પ્રધાન શ્રી મોદીના ૬૭ મા જન્મ દિવસે અભિનંદન અને શુભેચ્છાઓ | વિનોદ વિહાર
on 67th birthday we wish you a very long ..long and happy life and continue to serve our country honestly with your very hard work and supporting love of 125 Crds Bharatvasio. We love you…..
Dr Jitendra R Patel.
Nadiad.Gujarat India.
Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય
U TO CHALE THE RAH ME AKELA MAGAR LOG MILTE GAYE KARVA BANTA GAYA – NARENDRA MODI SAHEB GO AHEAD WE ARE PROUD OF YOU
India’s Prime Minister Narendrabhai Modi, Has started his carrier from A Tea seller, after that he became the chief minster of Gujarat, then he became The Prime Minister of India, I hope in future He will surely become The Greatest world leader & The world will follow his advise ( the time will come soon ) WE ARE PROUD OF THIS OUR LION – Naresh Bhaichand Meghani from Bhavnagar Gujarat
આજની પોઝિટિવ સ્ટોરી
સને 2004માં હીરાબાએ કહ્યું હતું કે મારો આત્મા કહે છે કે નરેન્દ્ર
એક દિવસ ભારતનો વડાપ્રધાન બનશે…
આલેખનઃ રમેશ તન્ના
આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. તેઓ દર વર્ષે પોતાના જન્મદિવસના અવસરે પોતાનાં માતુશ્રી હીરાબાને મળીને આશીર્વાદ લે છે પણ કોરોનાને કારણે એ સિલસિલો અટક્યો છે. ગમે તેવા વ્યસ્ત શિડ્યૂલમાં તેઓ દરરોજ પોતાના માતા હીરાબાને ફોન પણ કરે છે. નરેન્દ્રભાઈમાં જે આત્મવિશ્વાસ ઠાંસોઠાંસ ભર્યો છે, તે તેમનાં માતાની દેન છે. હીરાબાને તો વિશ્વાસ હતો જ કે પોતાનો દીકરો ભારતનો વડાપ્રધાન બનશે જ. આ વાત છે ફેબ્રુઆરી, 2004ની. એ વખતે તે હું અમેરિકાથી પ્રકાશિત થતા એક સાપ્તાહિકમાં ફરજ બજાવતો હતો. એ વખતે વડનગરમાં તેમના નિવાસસ્થાને તેમનો લાંબો ઈન્ટરવ્યુ કર્યો હતો. તેમણે કહેલું કે મારો આત્મા કહે છે કે નરેન્દ્ર એક દિવસ ભારતનો વડાપ્રધાન બનશે. એ વાત સાચી પડી. નવાઈની વાત એ છે કે એ સમયકાળ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે કાઠો અને વિપરીત હતો. આખી દુનિયામાં તેમના પર માછલાં ધોવાતાં હતાં. અરે, તેઓ મુખ્યમંત્રી તરીકે ટકશે કે કેમ તે પણ નક્કી નહોતું. એવી સ્થિતિમાં એક માતાના હૃદયમાંથી એવા આશીર્વાદ વ્યક્ત કરાયા કે મને તો ચોક્કસ લાગે છે કે તે એક દિવસ ભારતનો વડાપ્રધાન બનશે.
ચૂંટણીનાં પરિણામો કરતાં માતાના હૃદયનો ચૂકાદો ચડિયાતો હોય છે કદાચ….
।।।।।।।।।।।।।।।
2004માં લખાયેલા એ લેખના કેટલાક અંશો મિત્રો સાથે વહેંચું છું…….
નરેન્દ્ર મોદી (ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી) અમેરિકા જવાના હોવાથી કંઈક જુદી સ્ટોરી કરવી તેવી ઇચ્છા હતી. તસવીરકાર વિરેન્દ્ર રામીએ મહેસાણાથી લઈને અમે પહોંચ્યા વડનગર. વડનગર નરેન્દ્રભાઈની જન્મભૂમિ. અહીં તેમનું બાળપણ વિતેલું. નરેન્દ્રભાઈના લઘુબંધુ પંકજભાઈએ પણ અમને ખૂબ સહયોગ આપ્યો. તેઓ અમારી સાથે રહ્યા અને સંપર્કો પણ કરાવી આપ્યા. અમે નરેન્દ્રભાઈના નિવાસસ્થાનમાં બેસીને, ઓસરીમાં હિરાબા સાથે ઘણી વાતો કરી. તેઓ જે શાળામાં ભણ્યા હતા તે શાળાના આચાર્યને મળ્યા હતા. તેમને ભણાવનારા કેટલાક શિક્ષકો સાથે પણ મુલાકાત કરી હતી. નરેન્દ્રભાઈ જેમની જેમની સાથે ભણ્યા હતા તેમાંથી કેટલાક સહાધ્યાર્થીઓને તેમના ઘરે જઈને મળેલા. અમારા માટે આ એક યાદગાર મુલાકાત હતી.
*
એ વખતે હીરાબાની ઉંમર હતી ૮૯ વર્ષની, પણ સ્ફૂર્તિ ૬૫ કે ૭૦ વર્ષની વ્યક્તિ જેટલી હતી. શુદ્ધ ઉચ્ચારો સાથે સહેજ પણ અચકાયા વગર બોલતાં હતાં. એમની યાદદાસ્ત પણ આશ્ચર્ય પમાડે તેવી હતી. ગુજરાતની ઐતિહાસિક નગરી વડનગરના એક બેઠા ઘાટના, પરંપરાગત મકાનની ઓસરીમાં બેસીને તેમણે પોતાના પાંચ દીકરાઓમાંથી ત્રીજા નંબરના દીકરા નરેન્દ્ર વિશે વાતચીત કરી હતી.
‘નાનપણથી જ તેનો સ્વભાવ બીજા કરતાં જુદો હતો. એ ઘોડિયામાં હતો ત્યારથી જ જુદો તરી આવતો. બીજા છોકરાઓ ખૂબ રડે, આ ભાઈ ખૂબ ઓછું રડે. તેણે ખાસ તોફાન કર્યાં હોય તેવું પણ મને યાદ નથી. કોઈની સાથે તેને ઝઘડો થયો હોય તેવું પણ ઓછું બનતું. હા, એક વાત ખરી, બીજાનો ઝઘડો પોતાના માથે લઈ લે. કોઈને અન્યાય થતો હોય કે ક્યાંય કશું ખોટું થતું હોય તો તેને ચચરી જાય અને તે સહન કરે નહિ.
નાનપણથી જ તેને શરીરને ખૂબ સ્વચ્છ રાખવાની ટેવ. સુઘડ ઘણો. તેને ગંદકી ગમે નહિ. કપડાં વ્યવસ્થિત પહેરવા જોઈએ. તેને જેવું તેવું કશું ન ચાલે. સ્કૂલમાં હતો ત્યારે કપડાં ઇસ્ત્રી કરેલાં પહેરીને જવાનું મન થાય એટલે તેણે એક યુક્તિ શોધી કાઢેલી. રોજ રાત્રે કપડાં સરસ રીતે ઘેડ પ્રમાણે વાળીને ગાદલાં નીચે મૂકી દે. સવારે જાણે કે કપડાંને ઇસ્ત્રી કરી હોય તેવું લાગે. એવાં કપડાં પહેરીને સ્કૂલમાં જાય એટલે દોસ્તારો પૂછે કે તું તારાં કપડાને ઇસ્ત્રી ક્યાં કરાવે છે? ટૂંકમાં તેને બધું વ્યવસ્થિત જોઈએ અને સ્વનિર્ભર અને સ્વમાની પણ ઘણો.
થોડોક મોટો થયો એટલે અમારા ગામના શર્મિષ્ઠા તળાવમાં નહાવા જતો થયો. એ નહાવા જાય એટલે પોતાનાં કપડાં જાતે જ ધોઈને આવે. પોતાનું કામ જાતે જ કરવાનું તેને ગમે. પોતાના માટે બીજા કોઈને તકલીફ પડે તેવું તેને ન ગમે. આ વસ્તુ તેને કોઈએ શીખવાડી નથી, તેનામાં જાતે જ આવી છે.
હીરાબા નરેન્દ્રભાઈની વાત કરતી વખતે ખૂબ આનંદિત થઈને વાતો કરે છે, નિરાંતમાં વાત કરે છે. તેમને નરેન્દ્રભાઈની વાતો કરવાનું ખૂબ ગમે છે. તેઓ કહે છે, મને ઘણી વાર નવાઈ લાગતી કે આ છોકરો ક્યાંથી બધું શીખી લાવે છે? અમે ઘરમાં કોઈ વસ્તુ લાવીએ તો તે તરત જ કહે કે જેટલી જરૂર હોય તેટલું જ લાવો, ઘરમાં ખોટો સંગ્રહ ન કરશો. દેશમાં હજારો લોકો ચીજવસ્તુઓ વગર તડપતા હોય ત્યારે આપણે ઘરમાં વસ્તુઓનો ઢગલો કરીએ તે કેટલું વાજબી ગણાય? હીરાબા ઉમેરે છે, મને બરાબર યાદ છે, જ્યારે તેણે આ વાત પહેલી વખત કરી ત્યારે તેની ઉંમર ૧૦-૧૨ વર્ષની હતી. મને એ વખતે થયેલું કે આવું બધું ક્યાંથી શીખી લાવે છે, પણ પછી ધીમે ધીમે સમજાયું હતું કે તેનું વ્યક્તિત્વ જ જુદું છે.
અમે પૂછીએ છીએ, એ વ્યક્તિત્વ એટલી હદ સુધી દેશપ્રેમી બને કે દેશ માટે ઘર છોડી દેવા તૈયાર થાય ત્યારે એક ‘મા’ તરીકે તમને કેવી લાગણી થઈ હતી? હીરાબા થોડી વાર કશું બોલતાં નથી. એમની આંખનો એક ખૂણો સહેજ ભીનો થઈ જાય છે, પણ એ કળવા દેતાં નથી. પૂર્વવત્ સ્વસ્થતાથી વાતનો દોર પાછો સાંધી લેતાં તેઓ કહે છે, આંચકો તો લાગે જ ને? મને પણ જ્યારે તેણે પોતાનું જીવન દેશને ચરણે ધરી દઈને ઘર છોડવાનું નક્કી કરેલું ત્યારે આંચકો લાગેલો, પણ પછી મેં મારી જાત સંભાળી લીધી હતી.
આટલું બોલી તેઓ ખૂબ ઉત્સાહમાં, ના, પૂરેપૂરા ગૌરવથી કહે છેઃ મને ગર્વ છે કે મારો નરેન્દ્ર લોકોનાં કામ કરી રહ્યો છે, દેશ માટે જીવી રહ્યો છે. તેણે પોતાનું જીવન પૂરા દિલથી દેશને ચરણે ધર્યું છે. જ્યારે તેણે નિર્ણય કર્યો કે હું હવે દેશ માટે જીવીશ. બસ પછી તેણે આ નિર્ણયનો પૂરેપૂરો અમલ કર્યો છે. જે માતાનાં સારાં નસીબ હોય તેની કૂખે આવો દીકરો અવતરે.
આટલું કહી તેઓ જાણે કે નરેન્દ્રભાઈના વિચારોમાં ખોવાઈ જાય છે. કહે છે, ‘તે ખૂબ હિંમતવાળો છે, તેનામાં કુદરતી રીતે જ ઘણી શક્તિઓ છે. તે એક વાર નક્કી કરે કે મારે અમુક કામ કરવું છે તે પછી કરીને જ જંપે. અવરોધો આવે તો ડરે નહિ, પડકારો આવે તોય પોતાનો નિર્ણય ફેરવે નહિ. જે કરવાનું છે તે કરવાનું જ. તેની અંદરની ઘણી તાકાત છે. આ તાકાતને જ કારણે તેણે પોતાના વિરોધીઓને હંમેશાં પછાડ્યા છે. નાનપણમાં પણ આવું જ થતું. આજે પણ રાજકારણમાં તેણે અનેક વિરોધોનો સામનો કરવો પડે છે, પણ મને ચિંતા થતી નથી. મને વિશ્વાસ છે કે તે આગળ ને આગળ વધવાનો જ છે. હું તો નાનપણથી જ કહેતી હતી કે નરેન્દ્ર મોટો નેતા બનશે. બન્યો. મારો આત્મા તો એમ પણ કહે છે કે તે જરૂર દેશનો વડા પ્રધાન થશે. હા, પછી ધાર્યું તો ધણીનું જ થાય છે, પણ તેનામાં ઘણી શક્તિ છે. એ શક્તિ ગુજરાત માટે, દેશ માટે કામમાં આવે તો મને ખૂબ ગમે.
નાનપણથી જ તે જવાબદાર બની ગયેલો. ઘરમાં બધાને મદદ કરતો, પિતાને કામકાજમાં સહાય કરતો. એટલું જ નહિ, ગામના લોકોને પણ ખૂબ મદદ કરતો. પહેલેથી જ પરગજુ સ્વભાવનો. આ સંસ્કાર ક્યાંથી આવ્યા એ ચોક્કસ કહેવું અઘરું છે, પણ તેના સ્વભાવના મૂળમાં જે આ ભાવ પડેલો હતો તે જ કદાચ તેને જાહેર જીવનમાં ખેંચી ગયો અને તે જાહેર જીવનમાં લોકો માટે જ કામ કરી રહ્યો છે.
જ્યારે અમે તેમને પૂછ્યું કે તમારો દીકરો તમને ક્યારે મળવા આવે છે? તો જવાબ મળ્યો, કશું જ નક્કી નહિ. તેના માટે દેશ પહેલો છે. લોકો પહેલા છે. પછી કુટુંબ. ક્યારેક ફોન કરીને ખબર પૂછી લે, પણ કોઈ ચોક્કસ સમયે મહિને કે વર્ષે મારી ખબર પૂછવા આવે, મને મળવા આવે એવું કશું નક્કી નહિ અને મને ખબર છે કે તેણે પોતાનું જીવન લોકોને આપી દીધું છે તો હવે મારો હક ઓછો થયો અને લોકોનો હક વધી ગયો.
હું તો એને ટીવી પર જોઈને રાજી થાઉં. હા, જો થોડા દિવસ ટેલિવિઝન પર તે જોવા ન મળે તો મને ન ગમે. મુખ્યમંત્રી તરીકે તેણે સોગંધ લીધા ત્યારે મને બોલાવી હતી. મારા આશીર્વાદ લીધા હતા.
નરેન્દ્રભાઈની કઈ કઈ કામગીરી તમને વધારે ગમે રહી છે? એવો પ્રશ્ન સાંભળીને તેઓ તરત જ જવાબ નથી વાળતાં, પણ જવાબ આપતાં પહેલાં થોડી ચર્ચા કરે છે. પછી ટુકડે ટુકડે પોતાનો એક સળંગ જવાબ કહે છે. તેઓ કહે છે, તેણે કન્યાઓને કેળવણી આપવાનું કામ શરૂ કર્યું છે તે મહત્ત્વનું છે. આજના બધા પુરુષો પાગલ થઈ ગયા છે. ખરી શક્તિ સ્ત્રીઓ પાસે છે. અત્યાર સુધી આપણે સ્ત્રીઓને નહોતા ભણાવતા, હવે નહિ ચાલે. નરેન્દ્રે આ જે કામ હાથ ઉપર લીધું છે તે ખૂબ મહત્ત્વનું છે. એનાં ફળ ગુજરાતને ચોક્કસ ચાખવા મળશે.
આ ઉપરાંત તે લોકો માટે જે જુદી જુદી યોજનાઓ કરે છે તે સફળ બનાવીને જ રહેશે. તેને ખબર છે કે લોકોને શું જોઈએ છે. જે લોકો ખોટા હશે, વચેટિયા હશે, દંભી હશે તેને ક્યારેય તે વશ નહિ થાય. તે પોતાના મનનુ ધાર્યું કરશે. જ્યારે તેમને એવો સવાલ પૂછાયો કે ઘણા લોકો એવી ફરિયાદ કરે છે કે નરેન્દ્રભાઈ તોછડા છે, લોકોને ઉતારી પાડે છે. નાનપણમાં પણ તેઓ આવા હતા? તોછડા છે એમ કેવી રીતે કહેવાય? એ સ્પષ્ટવક્તા છે. એને જે સાચું લાગે તે કહી જ દે. મારા તો પાંચેપાંચ છોકરાઓ એવા છે. મારો સ્વભાવ પણ એવો છે. લોકો જો સાચું સહન ન કરી શકે તો એમાં બોલનારનો વાંક કેવી રીતે કહેવાય?
હીરાબા પોતાના સૌથી નાના દીકરા પંકજભાઈ સાથે આનંદથી રહે છે. હીરાબા કહે છે, અમે દુઃખના ખૂબ દહાડા જોયા છે, પણ એ તો બધું ચાલ્યા કરે. હીરાબા પોતાના શરીરને સાચવે છે. જોકે હવે ક્યાંય બહાર જવાની એમની ઇચ્છા નથી. બદરીનાથ, કેદારનાથ સહિત કેટલાંક તીર્થધામોની યાત્રા કરી છે. હવે કહે છે, આ ઉંમરે અને આ શરીરે હવે મારે ક્યાંય જવું નથી. કહે છે, મને સંપૂર્ણ સંતોષ છે.
જેમનો દીકરો સમગ્ર વિશ્વમાં પોતાના રાષ્ટ્રનું નામ ગજવતો હોય, તેની માતા સંતોષી હોય તે સાવ સ્વાભાવિક છે.
(ખુરશી પર બેઠેલાં હીરાબા.. તસવીર વિરેન્દ્ર રામી, મહેસાણા)
*****
નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે એક સામયિકને આપેલી મુલાકાતમાં વાંચ્યું હતું કે તેમને આરએસએસના વડાએ એક ખંડમાં બેસાડીને વિગતવાર વાતો કરી હતી. એ વખતે નરેન્દ્ર મોદીને ખૂબ જ નવાઈ લાગી હતી કારણ કે તેઓ ગુજરાતમાં હતા અને નવી દિલ્હીમાં વાજપાઈ સહિત ભાજપમાં અનેક ધૂરંધરો હતા. એ વખતે તેમને એવું કહેવાયેલું કે તમારા હસ્તે મોટાં મોટાં કાર્યો થવાનાં જ છે. તમે અનેક મોટાં કાર્યોમાં નિમિત્ત બનવાના છો એટલે આ બધુ તમને કહેવામાં આવી રહ્યું છે…
અને થયું પણ એવું જ..
ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈએ અનેક વણઉકલી અને ક્યારેય ઉકલશે જ નહિ તેવું લાગતી ઘણી પડતર સમસ્યાઓ ઉકેલી છે તે માટે તેમને અભિનંદન. વડાપ્રધાન તરીકે તેઓ ઉત્તમ કાર્યો કરીને દેશને સુખી કરવા મથી રહ્યા છે એ વાત સાચી, પરંતુ સાૈથી મોટી સમસ્યા છે આવકની અસમાનતાની. ભાંગતાં અને તૂટતાં ગામડાંઓની. ભારતનો આત્મા ગામડામાં વસે છે તેથી ગામડાની ઉપેક્ષા કરીને ક્યારેય ભારતને આત્મનિર્ભર નહીં જ કરી શકાય. ગામોને બેઠાં કરવાં પડશે, ઊભાં કરવાં પડશે અને દોડતાં પણ કરવાં જ પડશે. આ કામ પહેલું કરવું પડશે. જોકે એ કામ કરવાની નરેન્દ્ર મોદી કે સરકારની એક માત્ર જવાબદારી નથી.. એ કામમાં આપણે બધાએ ભાગે પડતું કામ કરવું જ પડશે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિવસ છે. તેમને જન્મદિવસની 11 દરિયા ભરીને શુભકામનાઓ.
પરમ કૃપાળુ પરમાત્મા નિરામય દીર્ઘાયુ આપે અને તેઓ ભારતવર્ષ અને સમગ્ર માનવજાતની સેવા કરતા રહે.
(પોઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના, સંપર્ક નંબરઃ 9824034475, અમદાવાદ)
તેમના ૭૨મા જન્મ દિને તેમણે લખેલ કવિતા ….
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું.
હું તેજ ઉછીનું લઉં નહીં, હું જાતે બળતું ફાનસ છું.
ઝળાહળાંનો મોહતાજ નથી, મને મારું અજવાળું પૂરતું છે,
અંધારાના વમળને કાપે, કમળ તેજ તો સ્ફુરતું છે.
ધુમ્મસમાં મને રસ નથી, હું ખુલ્લો અને નિખાલસ છું.
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું.
કુંડળીને વળગવું ગમે નહીં ને ગ્રહો કને શિર નમે નહીં,
કાયરોની શતરંજ પર જીવ, સોગઠાબાજી રમે નહીં.
હું પોતે જ મારો વંશજ છું, હું પોતે મારો વારસ છું.
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું.
-નરેન્દ્ર મોદી