ગુજરાતી સારસ્વત પરિચય

June 9, 2007

મણિલાલ પટેલ , Manilal Patel

પ્રેરક વાક્ય
‘ઘસાઇએ તો ઉજળા થઇએ. વેઠે એ વિકસે છે.’

“ તારી છાતીમાં પંખીઓ ઊડે
બૂડે ટેકરીઓ છાતીમાં
કુંવારી ધરા સુખડગંધી
તારી કાયાનો તરભેટો.”

“ મારી મા કહે છે કે, હું કાળઝાળ ઉનાળે જન્મેલો; એટલે કદાચ હું બળ્યોઝળ્યો છું. મારું નામ સાશિ પ્રમાણે ન હોવા છતાં હું સિંહ રાશિનાં બધાં લક્ષણ ધરાવું છું. પ્રેમ કરવાથી માંડીને ગર્જના કરવા સુધીનાં.”

સાવ પોલા શબ્દથી વ્યવહાર છે.
મૌનનો મહિમા કરીને શું કરું
શબ્દ તો કોલાહલોનું દ્વાર છે.

_______________________________________________________________________

સમ્પર્ક    – જી-2, વૈદેહી એપા. શાસ્ત્રી માર્ગ, બાકરોલ રોડ, વલ્લભવિદ્યાનગર – 388 120 જન્મ

  • 9, નવેમ્બર – 1949, મોટા પાલ્લા, ( તા. લુણાવાડા, ઇડર)

કુટુમ્બ

  • માતા – અંબાબેન, પિતા- હરિદાસ
  • પત્ની – ગોપી (મૂળ નામ – ગંગા, લગ્ન – 1972) ; પુત્રો – વિસ્મય, મલય ; પુત્રી – પારુલ

અભ્યાસ

  • 1967 – એસ.એસ.સી.
  • 1971- બી.એ.( ગુજરાતી, સંસ્કૃત)
  • 1973 – એમ.એ. .( ગુજરાતી, સંસ્કૃત)
  • 1979 - પી.એચ.ડી.

વ્યવસાય

  • 1973 – 87 – ઇડરની કોલેજમાં અધ્યાપક
  • 1987 થી – સરદાર પટેલ યુનિ. માં અધ્યાપન

જીવનઝરમર

  • ત્રણ ભાષા ઉપરાંત સંસ્કૃત પણ જાણે છે.
  • તરતાં શીખતી વખતે મહીસાગરમાં ડૂબતા બચી ગયા હતા.
  • સર્વ પ્રથમ કૃતિ – ‘કુમાર’માં ‘ આ-ગમન પછી’ સોનેટ
  • સર્જનમાં 90% પરિશ્રમને જરુરી ગણે છે.
  • ‘અર્વાચીન કવિતામાં પ્રણયનિરૂપણ’ એ વિષય પર મહાનિબંધ લખી પી.એચ.ડી. થયા
  • ’અરણ્યોમાં આકાશ’ , ‘પદ્મા વિનાના દેશમાં’ , ‘પી.ટી.સી. થયેલી વહુ વિ. કૃતિઓથી કીર્તિ મળી.
  • આકાશવાણી પર કાર્યક્રમ આપ્યા છે.
  • બાધા આખડીમાં કે પૂજાપાઠમાં નથી માનતા , પણ ઇશ્વર અને ગુરુમાં વિશ્વાસ છે.
  • ‘શ્રુતમ્ ‘ માસિક અને ’દસમો દાયકો’ – ત્રૈમાસિકનું સંપાદન

શોખ

  • ચિત્રકામ
  • નગારું અને ઢોલ વગાડી શકે છે.

રચના     – 14 પુસ્તકો

  • કવિતા – પદ્મા વિનાના દેશમાં, સાતમી ઋતુ
  • નવલકથા – તરસઘર, ઘેરો, કિલ્લો,
  • નિબંધ – અરણ્યોમાં આકાશ ઢોળાય છે. ( અંગત આપવીતી અંગે પણ નિબંધો છે.)
  • વિવેચન – કવિતાનું શિક્ષણ, જીવનકથા

સન્માન

  • કાકાસાહેબ કાલેલકર પારિતોષિક, મુદ્રા ચન્દ્રક

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
  • ગુજરાતી સાહિત્યકોશ – ખંડ -2

4 Comments »

  1. [...] # મણિલાલ પટેલ [...]

    Pingback by અનુક્રમણિકા - મ « ગુજરાતી સારસ્વત પરિચય — June 9, 2007 @ 8:19 pm | Reply

  2. i need about yogesh joshi and his short story so,plz send me mail…..ram_24vision@yahoo.co.in

    Comment by ramesh chaudhari — February 23, 2008 @ 1:24 pm | Reply

  3. sir,
    manilal patel , mara vatan na hova chhata temana jivan vishe ni jankari ni khabar nahoti, guj .blog.par vachya pachhi khub anand
    avyo….
    abhar abhar,,,,

    Rajesh

    Comment by Rajesh.h.hajuri — May 27, 2009 @ 2:37 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.