” કુટુમ્બની સાંકડી વ્યાખ્યામાંથી હું બહાર નીકળી ગયો અને કુટુમ્બનો અર્થ એ રીતે વિસ્તરતો ગયો. મારું સાચું કુટુમ્બ આ જ છે. ”
” ધર્મગ્રંથોમાં દર્શાવેલી જાતજાતની માન્યતાઓ વિશે, સમાજમાં પ્રચલિત અનેક વહેમો વિશે બાળપણથી હું ચીલાચાલુ વલણથી કંઇક જુદું જ વિચાર્યા કરતો હતો. સામાન્ય બુધ્ધિમાં ન ઊતરે એવી કોઇ પણ વાત કેમ સ્વીકારાય, એવો પ્રશ્ન મનમાં સતત ઊઠ્યા કરતો. જ્ઞાતિના ને બીજા સંકુચિત વાડાઓમાં કેદ એવા સમાજને જોઇને, મનુષ્ય જીવનનું ગૌરવ હણાતું જોઇને મન બાલપણથી જ વ્યથા અનુભવતું. પણ પછી થત્તું, જે હું વિચારું છું એ બીજાઓ કેમ વિચારતા નહીં હોય? એમાં રમણભાઇ મને મળી ગયા. બરાબર એ જ વિચારો, પરંપરા સામેનો એ જ આક્રોશ.”
– ‘રમણભાઇ પાઠક’ વિશેના તેમના એક લેખમાંથી
તેમના પોતાના શબ્દોમાં તેમની જીવન કથા……..
yasin_dalal-sem-_february_25_20071.pdf
# વિચાર વિહાર – એક સરસ લેખ
______________________________________________________
જન્મ
9 – જાન્યુઆરી, 1944 ; ઉપલેટા
અભ્યાસ
- બી.એ. – ઉપલેટા
- રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાંથી એંગ્રેજી સાથે એમ.એ.
- 1981 – ‘સૌરાષ્ટ્રનાં અખબારોનો ઇતિહાસ’ મહાનિબંધ લખીને પી.એચ.ડી.
વ્યવસાય
અધ્યાપન અને પત્રકારત્વ.
જીવનઝરમર
- નાનપણથી જ પત્રકારત્વનો શોખ, આઠમા ધોરણમાં હતા ત્યારે તેમણે હસ્તલિખિત માસિક ચલાવેલું.
- એમ.એ. નો અભ્યાસ કરતી વખતે ‘ફૂલછાબ’ માં ‘માધૂકરી’ વિભાગ સંભાળ્યો હતો.
- ‘સુકાની’માં પણ થોડો વખત સહાયક તંત્રી તરીકે કામ કર્યું હતું.
- 1968 – ‘પાન’ નામનું એક માસિક શરૂ કરેલું.
- હાલ તેઓ ‘સૌજન્ય માધુરી’ નામના માસિકનું સંપાદન કરે છે.
- 1973 – સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્વ. અમૃતલાલ શેઠ પત્રકારત્વ ભવનમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા.
- 1981થી – આ ભવનના અધ્યક્ષ
- લખ્યાં છે અને વિશદ સંશોધનો કર્યાં છે.
- તાજેતરમાંજ ‘સૌરાષ્ટ્રમાં રજવાડી શાસન દરમિયાન અખબારોની ભૂમિકા’ વિશે સંશોધન પૂરું કયું છે.
રચનાઓ
- પત્રકારત્વ અને માધ્યમને લગતાં પચાસ પુસ્તકો
- નવલકથા – સંશયાત્મા
- અનુવાદ – જવાહરલાલ નહેરુ – સંઘર્ષના વર્ષો
સન્માન
- સાહિત્ય પરિષદ તથા ગુજરાત સાહિત્ય અકાદમીનાં પારિતોષિકો
- ગુજરાત સરકારનું શ્રેષ્ઠ ગ્રામીણ પત્રકારત્વનું પારિતોષિક
- ગુજરાત દૈનિક અખબાર સંઘનું શ્રેષ્ઠ કટારલેખનનું પારિતોષિક
સાભાર
- પરિચય પુસ્તિકા – પરિચય ટ્રસ્ટ.
- શ્રી. ઉત્તમ ગજ્જર, સન્ડે ઇ મહેફિલ
Like this:
Like Loading...
Related
gujaratima aa badhu vanchi ne khub anand thayoo…abhinandan..manish
તેમનો ઈન્ટરવ્યુ વાંચો –
http://www.speakbindas.com/my-first-love-is-media-yasin-dalal/
abcd
Pingback: અનુક્રમણિકા – ય | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Please give my regards to Sir Yasin Dalal. I was a regular reader of gujarati lekh, books and so on. This lekh has sent me be back to childhood age where there was no communalism was exist. We were enjoying with our muslim friends.
Thanks a lot.
With lots of regards.
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
Today Gujarat samachar vichar Bihar reading
આજ ના ગુજરાત સમાચારમાં આપનો લેખ વાંચ્યો
“કરચોરી અને ભેળસેળ ” ઉપર
આપે સચોટ લખ્યું છે