પ્રેરક અવતરણ:
ન કહેવાયેલું દુ:ખ ભાગ્યે જ હોય છે.
______________________________________________________________________
સંપર્ક – હળદિયા શેરી, સગરામપુરા, સુરત 395 002
જન્મ
- 21 – નવેમ્બર, 1946; કલવાડા (જિ. વલસાડ)
કુટુંબ
- માતા – અંબાબેન; પિતા – મગનલાલ
- પત્ની – પુષ્પા એસ. કાવટકર, ( લગ્ન – 1972); સંતાન – એક પુત્રી, બે પુત્રો
અભ્યાસ
- બી.એસ.સી. , એલ.એલ.બી.
- બી.એ. , એમ.એ. ગુજરાતી (પ્રથમ વર્ગમાં પ્રથમ)
વ્યવસાય
- યુનિયન બેંક ઓફ ઈંડિયામાં નોકરી
જીવનઝરમર
- ત્રણ ભાષા ઉપરાંત મરાઠી અને ઉર્દૂની પણ જાણકારી.
- ત્રણેક હજાર પુસ્તકોનું અંગત પુસ્તકાલય
- સંગીતમાં રુચિ.
- જ્યોતિષ, ક્રિકેટ, ફિલ્મ, નાટકનો શોખ.
- આકાશવાણી પર સાહિત્ય વિષયક કાર્યક્રમો/મુલાકાતો.
- રવીન્દ્રભાઈના ફિલ્મો અને વાર્તાલેખનના શોખથી આક્રોશિત પિતાએ તેમની અઢીસો જેટલી વાર્તાઓ ફાડી નાખેલી!
- પ્રથમ પ્રકાશિત મૌલિક કૃતિ “સ્વપ્ન કે સત્ય” ભૂતકથા
- રહસ્યકથા-નવલકથા “જળદુર્ગ”માં સ્ત્રી-પુરુષના સંબંધોની ગૂંથણી અને આંતરમનને સ્પર્શતા ભાવોનું સુંદર મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ
મુખ્ય રચનાઓ
- નવલકથા – અતિક્રમ, જળદુર્ગ
- વાર્તાસંગ્રહ – સ્વપ્નવટો
- ઉપરાંત એકાંકીસંગ્રહ, ઉર્દુ વાર્તાઓ, મરાઠી નાટકો વગેરેના અનુવાદો
સન્માન
- સ્વપ્નવટોને ઉમાશંકર જોશી પારિતોષિક
- ગુજરાત અકાદમીનું પારિતોષિક
- ઉપરાંત અન્ય ઘણા પુરસ્કારો
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર – 3 શ્રી રાધેશ્યામ શર્મા (રન્નાદે પ્રકાશન)
- ગુજરાતી સાહિત્યકોશ ખંડ 2 (ગુજરાતી સાહિત્ય પરિષદ)
Pingback: અનુક્રમણિકા - ર « ગુજરાતી સારસ્વત પરિચય
એક સુંદર રચના સાંભળો અને વાંચો –
http://gujaratikavita.blogspot.com/2008/08/blog-post_07.html
એમની એક કવીતા
Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય