“ અવગતની એંધાણી,
એ સંતો, અવગતની એંધાણી,
ચાતક પીએ એંઠું પાણી. “
“જુદી જિંદગી છે મિજાજે – મિજાજે;
જુદી બંદગી છે નમાજે – નમાજે.”
” અમથા અમથા અડ્યા
કે અમને રણઝણ મીણા ચડ્યા.
” ન ફાવ્યું તો ગયાં કરમાઇ પુષ્પો પાનખર આવ્યે:
ખરી શકતા નથી કંટક, – એ દુખિયારાએ ક્યાં જાવું? “
” કદી આંખ ચૂવે અમસ્તી અમસ્તી,
કદી આંખ જુવો તો મસ્તી જ મસ્તી. “
” આમ હવાની ફૂંક વાગે ને ધૂળને ફૂટે પાંખ,
આમ આઘેની ટેકરીના ગુલમોરની ખૂલે આંખ.”
# રચના
__________________________________________
નામ
- મનુભાઇ ત્રિભુવનદાસ ત્રિવેદી
ઉપનામ
- સરોદ ( ગીત) , ગાફિલ ( ગઝલો)
જન્મ
- 27 – જુલાઇ, 1914 ; માણાવદર
અવસાન
- 9 – એલ્રિલ , 1972 ; અમદાવાદ
અભ્યાસ
- માધ્યમિક - રાજકોટ
- એલ.એલ.બી. - જૂનાગઢ
વ્યવસાય
- વકીલાત , ન્યાયાધીશ
જીવનઝરમર
- વિવિધ સ્થાનોએ ન્યાયાધીશ તરીકે રહ્યા બાદ અમદાવદમાં સ્થાયી થયા
- ભજન અને ગઝલ બન્નેમાં રચનાઓ આપી છે.
મુખ્ય રચનાઓ
- કાવ્ય – રામરસ, સુરતા, બંદગી ( ગઝલો )
લાક્ષણિકતા
- આધ્યાત્મિકતા અને સંવેદનશીલતાના રસાયણ વાળી શૈલી
- સરસતા અને ગહનતાની સાથે સાદગીનો આકર્ષક સુમેળ
સાભાર
- ગુર્જર કાવ્ય વૈભવ, અમૃતપર્વ યોજના
[...] સરોદ - મનુભાઇ [...]
Pingback by અનુક્રમણિકા - સ « ગુજરાતી સારસ્વત પરિચય — March 10, 2007 @ 9:43 pm |
[...] – સરોદ ( મનુભાઇ ત્રિવેદી ) : કવિ પરિચય [...]
Pingback by અવગતની એંધાણી « કવિલોક / Kavilok — March 10, 2007 @ 10:08 pm |
Dear Sir,
Shri Manubhai Trivedi was my grandfather and I am really grateful to you for your work. I am willing to help you in any way I can..
Thanks,
Dhaval Trivedi
Comment by Dhaval Trivedi — August 12, 2007 @ 1:33 am |