
પ્રેરક અવતરણ
‘આયુષ્યને અંત, ન સ્નેહને તો
” આ કથા છે સિધ્ધાર્થની શોધયાત્રાની, પણ બની રહે છે માનવીની, આપણી શોધયાત્રાની.” – સિધ્ધાર્થની પ્રસ્તાવનામાંથી
” …… સિધ્ધાર્થ સાંભળતો હતો. હવે તે એકાગ્રતાથી, સંપૂર્ણ તથા તલ્લીન બની, સાવ રિક્ત બની, બધું જ સ્વીકારતો ને સાંભળતો હતો. અને હવે તેણે સાંભળવાની કલા સંપૂર્ણતયા હસ્તગત કરી લીધી હતી. ….. પણ નદીમાંથી ઊઠતા આ અસંખ્ય સ્વરો આજે ભિન્ન લાગતા હતા….. બધા જ સ્વરો, બધાજ ઉદ્દેશો, બધી જ ઝંખનાઓ, બધાજ વિષાદો – આ સહુના સહઅસ્તિત્વમાંથી આ વિશ્વ બન્યું હતું. આ સહુનું સહઅસ્તિત્વ એટલે જ ઘટનાઓનો પ્રવાહ, જિંદગીનું સંગીત.”
# પુસ્તક પરિચય
# એક વાર્તા
# લઘુ નાટક
___________________________________________________________________
સંપર્ક – 8, અધ્યાપક મિત્રમંડળ સોસાયટી, પોલિટેકનિક પાસે, અમદાવાદ – 380 015
ઉપનામ
- અસ્મિતા શાહ, તન્વી દેસાઈ, બાની બસુ, સુકેતુ
જન્મ
- 26 – જુલાઈ, 1928; અમદાવાદ
કુટુંબ
- માતા – ઈન્દ્રકુમારી, પિતા – સાકરલાલ
- પત્ની – સોહિણી ; સંતાન – બે પુત્રી તથા એક પુત્ર
અભ્યાસ
- 1945 – મેટ્રિક
- 1951 – એમ. એ. ; ભો.જે. વિદ્યાભવન, અમદાવાદ
- 1953 – એલ.એલ. બી.
- 1980 – પીએચ. ડી.
વ્યવસાય
જીવનઝરમર
- બાળપણ ભરૂચમાં બ. ક. ઠાકોરના મકાનમાં વીત્યું.
- નિવૃત્તિ પછી હતાશાના માહોલમાં ભૂપત વડોદરિયાએ લખવાનું ચાલુ રાખવાનું પ્રોત્સાહન આપી ઉગાર્યા.
- સમભાવમાં ‘ર.’ સહીથી સાહિત્ય અવલોકનના લેખો લખે છે.
- અમદાવાદની વિવિધ કોલેજોમાં અધ્યાપક તથા આચાર્ય
- કેસૂડાં, શ્રીરંગ તથા આરામમાં પ્રારંભિક કૃતિઓ પ્રકાશિત
- લેખના વિવિધ ક્ષેત્રોમાં લોકભોગ્ય કૃતિઓની રચના કરી.
- હેરમાન હેસની નવલકથા “સિદ્ધાર્થ”ના ગુજરાતી અનુવાદે કીર્તિ અપાવી.
- વાવાઝોડું, અને એકાંકી, બોજ આદિ પ્રશંસાપાત્ર કૃતિઓ
- એકસોથી વધુ રેડિયો નાટકો લખ્યાં છે.
- નેપથ્ય અને આરામ નું સંપાદન
- આકાશવાણી તેમજ રંગમંડળ સાથે ગાઢો સંબંધ જાળવ્યો.
રચનાઓ
- કવિતા – કેસરિયાં, કસુંબીનો રંગ, નિનાદ
- નવલકથા – મીંઢળબાંધી રાત, સપનાંનાં ખંડેર, મેઘચક્ર, તરસ ન છીપી.
- વાર્તાસંગ્રહ – આભના ચંદરવા નીચે
- એકાંકીસંગ્રહો – અને એકાંકી, પાંચ નટીશૂન્ય એકાંકી, નટશુન્યમ્,
- બાળસાહિત્ય – રવીન્દ્ર કથામાળા, કૂકડે કૂક, ભમ દઇને ભૂસકો, સૂરજ ઊગ્યો
- વિવેચન – કવિતા એટલે, મુનશી એક નાટ્યકાર
- અનુવાદ – સિધ્ધાર્થ, સુવર્ણ કણ, દરિયાઇ પંખી, હિમખંડ, આઉટસાઇડર, અપરાજેય
સન્માન
- ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગુ. સા. પરિષદના પુરસ્કારો
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
- ગુજરાતી સાહિત્યકોશ – ખંડ -2
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
તમારી મારી આત્મકથા ચાર્લી ચેપ્લિન વાંચી .ખૂબ સુંદર અનુવાદ કરેલ છે તમારું એડ્રેસ મોકલજો આભાર પત્ર માટે લી રાજેશ હીરાલાલ દડિયા મુંબઈ