ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ગાંધીજી, Gandhiji


mahatma_gandhi_2.jpg‘મીઠાનો કાયદો તોડ્યો.’  – દાંડીકૂચ

‘કરેંગે યા મરેંગે.’ – 1942 ની લડત

‘સત્ય સિવાય બીજો કોઇ ઇશ્વર નથી.’

# જીવન અને કવન વિશેની વેબ સાઈટ

# ‘સત્યના પ્રયોગો’ – અહીં વાંચો 

# વીકી ઉપર   ઃ અંગ્રેજીમાં ;    ગુજરાતીમાં

# ગાંધીડો મારો- મોભીડો મારો – કવિ કાગ.

ગાંધીજીના જીવનના એક ઓછા જાણીતા પ્રસંગ વિશે સ્વ. શ્રી. રવિશંકર રાવળનો એક લેખ
– (અંગ્રેજીમાં અનુવાદ, શ્રી. કનક રાવળ)

# કસ્તુરબા વિશે તેમના પૌત્ર અરૂણ ગાંધીના પુસ્તકના શ્રીમતિ સોનલ પરીખે કરેલા અનુવાદનો એક અંશ અહીં

_________________________________

 

Navjivan

આ લોગો પર ક્લિક કરો

This slideshow requires JavaScript.

નામ

  • મોહનદાસ કરમચંદ ગાંધી

ઉપનામ

  • મહાત્મા ગાંધી, ગાંધીજી, બાપુ, રાષ્ટ્રપિતા

જન્મ 

  • 2- ઓક્ટોબર -1869  ;  પોરબંદર

અવસાન

  • 30 – જાન્યુઆરી,  1948   ;    દિલ્હી

કુટુમ્બ

  • માતા-  પૂતળીબાઈ ;   પિતા – કરમચંદ (કબા) ગાંધી
  • પત્ની – કસ્તૂરબા (લગ્ન- 1881 )  ;  પુત્રો –  હરિલાલ, મણિલાલ, રામદાસ, દેવદાસ

અભ્યાસ

  • 1887 – મેટ્રીક – આલ્ફ્રેડ હાઈસ્કૂલ , રાજકોટ
  • કોલેજ – શામળદાસ કોલેજ, ભાવનગર
  • બૅરિસ્ટર (લંડન)

વ્યવસાય

  • આફ્રીકામાં વકીલાત
  • પછી દેશસેવા અને સમાજોધ્ધારમાં જીવન સમર્પિત.

પ્રદાન

  • ભારતની આઝાદી અને અસહકારના  શસ્ત્રના સર્જક
  • અનેક ઉચ્ચ કક્ષાના અને વિવિધ ક્ષેત્રમાં  શ્રેષ્ઠ કહી શકાય તેવા આંતરરાષ્ટ્રીય નેતાઓના પ્રેરણાસ્રોત
  • પાયાની કેળવણી, અછુતોધ્ધાર, અછુતો માટે હરિજન શબ્દના શોધક
  • જીવનભર સત્યશોધક
  • જગતની સર્વશ્રેષ્ઠ કહી શકાય તેવી આત્મકથા અને અગણિત લેખો અને પત્રોના લેખક
  • અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને નિસર્ગોપચારના આજીવન પુજારી

ગાંધીજીના જીવન ઉપર, અંગ્રેજીમાં સરસ ડોક્યુમેન્ટરી ફિલ્મ.

( ‘ક્લિક’ કર્યા બાદ વીસેક મિનીટ રહીને જોશો ; તો સારી રીતે આ ૫ કલાક લાંબી ફિલ્મ જોઈ શકશો. )

અને થોડીક ટુંકી ફિલ્મ આ રહી.

અને હવે.. આભાર ‘યુ ટ્યુબ’નો …. ઢગલાબંધ વિડિયો આ રહ્યા  …..

આ ચિત્ર પર ક્લિક કરો.

આ ચિત્ર પર ક્લિક કરો.

રિચાર્ડ એટનબરોની યાદગાર ફિલ્મ ….

જીવન ઝરમર

  • પિતા પોરબંદર રાજ્યના દીવાન; પછી રાજકોટના દીવાન
  • દાસી રંભાનો ધાર્મિક પ્રભાવ
  • 1888 – ઈંગ્લેંડ ભણવા ગયા, બેરિસ્ટર થયા.
  • દક્ષિણ આફ્રિકામાં વકીલાતની શરૂઆત
  • ટ્રેનમાંથી ફેંકાઇ ગયા બાદ જીવનમાં પરિવર્તન, જાહેર જીવન માં ઝંપલાવ્યું,
  • રંગદ્વેષ તથા બિન-ગોરાઓને થતા અન્યાયોનો વિરોધ, અસહકારના શસ્ત્રની શોધ
  • ફીનીક્ષમાં “ટોલ્સ્ટોય ફાર્મ”  આશ્રમ સ્થાપ્યો
  • 1915- ભારત આવી લોકમાન્ય ટિળક પાસે દેશસેવાનું વ્રત અને દેશભ્રમણ,
  • અમદાવાદમાં પ્રથમ કોચરબ તથા પાછળથી સાબરમતીમાં હરિજન આશ્રમની સ્થાપના
  • ગૂજરાત વિદ્યાપીઠ ની સ્થાપના, દેશસેવા તથા આઝાદીની લડતમાં ઝંપલાવ્યું
  • 1920 –  અસહકારનું આંદોલન
  • 1930 –  ઐતિહાસિક દાંડીકૂચ
  • 1942  –  “હિંદ છોડો” ચળવળ
  • 1948 –  30 જાન્યુઆરીએ બિરલા હાઉસ, દિલ્હી માં નથ્થુરામ ગોડસેથી ગોળીબાર દ્વારા હત્યા, દિલ્હીમાં અભૂતપૂર્વ કહી શકાય તેવી લાખોની જનમેદની વાળી સ્મશાનયાત્રા

મુખ્ય રચનાઓ

  • આત્મકથા – સત્યના પ્રયોગો
  • પ્રકાશન – હરિજન, યન્ગ ઇન્ડીઆ , નવજીવન વિ. ;
  • નિબંધો –  હિંદ સ્વરાજ, દક્ષિણ આફ્રિકાની લડતનો ઈતિહાસ, અનાસક્તિયોગ વિ.
  • પત્રલેખન – ગાંધીજીના પત્રો
  • સમગ્ર સાહિત્ય – ગાંધીજીનો અક્ષરદેહ (90 થી વધુ ગ્રંથો)

સન્માન

  • દિલ્હીમાં ‘રાજઘાટ’ નામે સમાધિ, જ્યાં વિશ્વના અસંખ્ય નેતાઓએ ફૂલહાર દ્વારા અંજલી અર્પણ કરી છે.
  • તેમની છબી વાળી રૂપીયાની ચલણી નોટો, સીક્કા, ટપાલ ટિકીટો છપાયાં છે.
  • તેમના જીવન ઉપર પ્રખ્યાત ફિલ્મ ‘ગાંધી’ બની છે.
  • તાજેતરમાં તેમના જીવનને કેન્દ્ર સ્થાને રાખી બનેલી ફિલ્મ ‘ગાંધીગીરી’ એ મોટી હલચલ મચાવી દીધી હતી.
  • તેમનો અવસાન દિન ‘શહીદ દિન’ ગણાય છે અને સમગ્ર દેશમાં સવારે 11-00 વાગે  બે મિનીટ મૌન પાળવામાં આવે છે.
  • આખા વિશ્વના અગણિત લોકોના હજુ પણ પ્રેરણાદાયી

સાભાર

જિજ્ઞાસુ વાચકોનો… જેમની માહિતી તરસે આ સંકલન વધારે સમૃદ્ધ બની શક્યું છે.

51 responses to “ગાંધીજી, Gandhiji

  1. વિવેક જુલાઇ 23, 2006 પર 7:09 એ એમ (am)

    ગાંધીજીની વાત હોય અને અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને નિસર્ગોપચારની વાતો સામેલ ન હોય તો આખી વાર્તા અધૂરી જ લાગે. ગાંધીજી રાષ્ટ્રપિતા ગણાય છે એ વાત કેમ વિસરાણી? ગાંધીજીના મૃત્યુદિવસને ભારતમાં ‘શહીદ દિન’ તરીકે મનાવવામાં આવે છે અને એ દિવસે સવારે અગિયાર કલાકે આખા દેશે બે મિનિટનું મૌન પાળવાનું હોય છે એ વાત પણ અહીં સામેલ નથી. ગાંધીજીએ લખેલા પુસ્તકોની યાદી બનાવીએ તો આખું પાનું કદાચ ભરાઈ જાય. દુનિયામાં જેટલું કદાચ ગાંધીજી વિશે લખાયું છે એટલું અન્ય કોઈ મહાપુરુષ વિશે લખાયું નથી. ‘ગાંધીજીનો અક્ષરદેહ’ એ નવજીવન પ્રકાશન દ્વારા પ્રકાશિત લગભગ 90થી વધુ ગ્રંથોની શ્રેણી છે જેમાં ગાંધીજીના તમામ લખાણોનો એક જ શીર્ષક હેઠળ સમાવેશ થયો છે.

    બીજો એક સુધાર: ઘણી જગ્યાએ ‘ઠ’ ની જગ્યાએ ‘ટ’ લખાયો છે.

    • jjkishor સપ્ટેમ્બર 6, 2012 પર 8:16 પી એમ(pm)

      આ અક્ષરદેહની શ્રેણીમાં સૌથી પ્રથમ લખાણ (જે સહેજે ઉપલબ્ધ ન હોય છતાં) અહીં મુકાયું છે તે બાપુએ એમના પિતાજીને લખેલી પેલી ચિઠ્ઠી છે ! જે એમનો પસ્તાવો રજૂ કરે છે. અક્ષરદેહના સર્જકોએ એ ચિઠ્ઠીનેય સંભારીને મૂકી છે.

      સરસ માહિતી છે. સરસ પૂર્તિ કરી છે.

  2. સુરેશ જાની જુલાઇ 23, 2006 પર 2:00 પી એમ(pm)

    આભાર , વિવેક! તેં સુચવેલા બધા સુધારા કરી લીધા. મને ઘણું ગમ્યું.

  3. Pingback: ગુજરાતી પ્રતિભા પરિચય » Blog Archive અનુક્રમણિકા … ક - થી - ઘ «

  4. Rajendra Trivedi,M.D. સપ્ટેમ્બર 12, 2006 પર 2:49 એ એમ (am)

    BAPUJI IS OUR FATHER OF THE NATION.
    HE HAS BEEN THE GUIDING LIGHT OF NOT ONLY GUJARATI BUT FOR THE PEOPLE OF THE WORLD.
    HIS LIFE SAID THAT TRUTH IS GOD.
    NON VIOLENCE IS THE BEST WAY TO LIVE AND LET LIVE OTHERS.
    AS A LITTLE CHILD I WAS IN TEARS WHAN PANDIT JI SAID THAT OUR BAPUJI IS NO MORE ON RADIO ON JANUARY 30th 1948.
    BAPUJI IS THERE AND WANTS ALL OF US TO LIVE ON THAT PATH.
    “SATYAGRAHA”

  5. Rajendra Trivedi,M.D. સપ્ટેમ્બર 12, 2006 પર 2:51 એ એમ (am)

    BAPUJI IS OUR FATHER OF THE NATION.
    HE HAS BEEN THE GUIDING LIGHT OF NOT ONLY GUJARATI BUT FOR THE PEOPLE OF THE WORLD.
    HIS LIFE SAID THAT TRUTH IS GOD.
    NON VIOLENCE IS THE BEST WAY TO LIVE AND LET LIVE OTHERS.
    AS A LITTLE CHILD, I WAS IN TEARS WHAN PANDIT JI SAID THAT “OUR BAPUJI IS NO MORE” ON THE RADIO ON JANUARY 30th 1948.
    BAPUJI IS THERE AND WANTS ALL OF US TO LIVE ON THAT PATH.
    “SATYAGRAHA”

  6. Pingback: ગાંધીડો મારો - મોભીડો મારો - કાગ. « અમીઝરણું…

  7. Pingback: Bansinaad

  8. Harshad Jangla જાન્યુઆરી 31, 2007 પર 2:19 પી એમ(pm)

    Writing first time. Impressed highly with your blog. Very nice info about Bapuji. I came to know abt yr blog from Tahuko. Yhank you.

    -Harshad Jangla
    Atlanta, USA
    Jan 31 2007

  9. Pingback: બંધીયાર હવા - એક અવલોકન « ગદ્યસુર

  10. Pingback: BAPUJEE AND MY HOME - AMADAVAD,GUJARAT « તુલસીદલ

  11. pragnaju ઓક્ટોબર 3, 2007 પર 8:33 એ એમ (am)

    આખા વિશ્વના અગણિત લોકોના પ્રેરણાદાયી વિષે થોડામાં લખવું શક્ય નથી.
    તેમણે સંદેશમાં એટલું જ કહ્યું કે-“મારુ જીવન જ મારો સંદેશ છે”.
    આમ આચારને પ્રાધાન્ય આપ્યું.
    આપણે તેમના ૧૧ વ્રત-અરે! તેમાનાં એક વ્રતને આચરીએ તો પણ જીવન સાર્થક થઈ જાય..
    કોટી કોટી વંદન સહ પ્રાર્થના કે નમ્રપણે આચરવાનું બળ મળે

  12. Pingback: 30 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર

  13. chandra જુલાઇ 26, 2008 પર 8:17 એ એમ (am)

    jyan sudhi mane yaad chhe tyan sudhui Bapuji ni mashal ane temni lakadi ,
    Tangayika ne jyare aazadi malwani hati taya presedent Nyarere Pandit Naharu pase
    gaya hata ane Naherujie President Nyarerene masaal wari lakdi aapel .Bapuni vaat
    yaad rakhine Bharat na sarwe pramukho ne nave-sar thi bhantur karvanu rahese.
    Chandra

  14. સુરેશ જાની જુલાઇ 29, 2008 પર 8:54 પી એમ(pm)

    શ્રી. નારાયણ દેસાઈના ગાંધીજી સાથેના અનુભવો વાંચો –
    http://mahatmaji.wordpress.com/

  15. bhishmakpandit જુલાઇ 31, 2008 પર 8:54 પી એમ(pm)

    બાપુને ભારત-રત્ન એનાયત થયો હોય એ વાત હજમ નથી થતી.
    જે રાષ્ટ્રપિતા ગણાયા હોય તેમને ફક્ત ‘ભારત-રત્ન’ કેમ કરી અપાય.

    મારા ખ્યાલથી એમને ભારત-રત્ન નથી અપાયો.

    શહિદ દિવસ બાપુના નહીં પણ ભગત સિંહના અવસાનને દિવસે મનાવાય છે – ૨૩ માર્ચ.

    ગાંધી અટકવાળા ફક્ત બે જ જણને ભારત રત્ન મળ્યો છે…

    Smt. Indira Gandhi : Bharat Ratna
    Public Affairs : 1971 : India : Uttar Pradesh

    Shri Rajiv Gandhi : Bharat Ratna
    Public Affairs : 1991 : India : Delhi

    આ વેબસાઇટ પર અવોર્ડીઝના નામ મળી રહેશે.
    http://india.gov.in/myindia/advsearch_awards.php

  16. સુરેશ જાન્યુઆરી 5, 2009 પર 4:15 પી એમ(pm)

    તેમના અભ્યાસકાળની સાચી વીગતો આપવા માટે શ્રી. પ્રભુલાલ ભારડીયાનો આભાર.

  17. પ્રવિણ શ્રીમાળી ઓક્ટોબર 2, 2009 પર 9:40 પી એમ(pm)

    wow, wonderful ! short & Nice, But whole life! ખુબ જ માહિતી સભર લેખ..થોડા માં ઘણું પણ ગાંધી જીવનની પૂરી ઝાંખી કરાવી આપી.

  18. ranchhodbhai જાન્યુઆરી 9, 2011 પર 4:33 એ એમ (am)

    Is is very difficlut to evaluate shri mahatma gandhi because he has been respected by the entire world as the greatest personality of 20h century.

    His influence was so strong and subtle that the self centered and fanatical mindsets in India had gone through a perceptive change about his deeds and achievements. It was the strength of his visions and deeds which had impacted the set mindsets with restricted vision and comprehension. In a way, he was instrumental in changing the fanatic mindsets of human beings world over by his universal appeals.

  19. Pingback: અનુક્રમણિકા – ગ « ગુજરાતી પ્રતિભા પરિચય

  20. Pingback: છાંયડો – એક અવલોકન « ગદ્યસુર

  21. Deejay ઓગસ્ટ 8, 2011 પર 10:01 એ એમ (am)

    ”મારુ જીવન જ મારો સંદેશ છે”.આજકાલના બની બેઠેલા ગાંધીવાદીઓ જીવનમા અને આચરણમાં ઉતારે એજ અભ્યર્થના.

  22. સુરેશ ઓક્ટોબર 1, 2011 પર 3:50 પી એમ(pm)

    ગાંધીજી કચડાની પટ્ટી પર…બીરેન કોઠારીની નજરે..
    http://birenkothari.blogspot.com/2011/10/blog-post.html

  23. nabhakashdeep જાન્યુઆરી 15, 2012 પર 7:09 પી એમ(pm)

    ભારતના આ વિશ્વવંદ્ય વિભૂતિનો ઐતિહાસિક દસ્તાવેજી ફિલ્મ અને અહેવાલ
    સાચે જ હૃદયને ભરી ગયો. આપને ખૂબ ખૂબ અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

  24. Pingback: અનુક્રમણિકા – ગ , ઘ | ગુજરાતી પ્રતિભા પરિચય

  25. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  26. Pingback: નારાયણ દેસાઈ, Narayan Desai | ગુજરાતી પ્રતિભા પરિચય

  27. Pingback: દેશભક્ત | ગુજરાતી પ્રતિભા પરિચય

  28. Pingback: રાજકીય નેતા | ગુજરાતી પ્રતિભા પરિચય

  29. Pingback: સમાજ સુધારક/ સમાજ સેવક | ગુજરાતી પ્રતિભા પરિચય

  30. Pingback: ગાંધીજી – વિડિયો | EVidyalay

  31. Pingback: અનુક્રમણિકા – ગ , ઘ | ગુજરાતી પ્રતિભા પરિચય

  32. Vinod R. Patel જુલાઇ 13, 2015 પર 7:58 પી એમ(pm)

    ગાંધીજી વિષે ઘણી જ સુંદર માહિતી શોધીને એનું એક જગાએ સંકલન માટે ધન્યવાદ

    .. સરસ ગાંધી ડાઈજેસ્ટ … ગાંધી પૂર્તિ

    રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીજી વિષે અને એમના જીવનના અનેક પાસાંઓ વિષે ઘણા લેખકોએ ઘણું લખ્યું છે જેમ અમેરિકામાં અબ્રાહમ લિંકન વિષે લખાયું છે અને લખાતું જ રહેશે એવું આ બન્નેનું અજોડ વ્યક્તિત્વ છે.

    ગાંધીજી અને કસ્તુરબા વચ્ચે એક આદર્શ દામ્પત્ય પ્રેમ હતો એને ઉજાગર કરતો એક લેખ ઓપીનીયનમાં પ્રગટ થયો હતો જે વિનોદ વિહારમાં રી-બ્લોગ કરેલો એની લીંક નીચે આપું છું .

    ગાંધીજી ના કસ્તૂરબાને લખાયેલા લવ લેટર્સ ! …..તેજસ વૈદ્ય

    http://opinionmagazine.co.uk/details/745/

  33. ashvin zapadiya એપ્રિલ 7, 2018 પર 2:11 પી એમ(pm)

    ગાંધીજીને ભારતરત્ન એવોર્ડ મળ્યો નથી.

  34. વનરાજસિંહ એપ્રિલ 21, 2018 પર 9:37 એ એમ (am)

    ગાંધીજીને હજી સુધી ભારત રત્ન મળેલ નથી આપે ખોટી માહિતી આપેલ છે.

  35. Pingback: સત્યના ઉપાસકનો સ્મૃતિદિન | Bansinaad

  36. shivani patel ફેબ્રુવારી 25, 2023 પર 4:27 એ એમ (am)

    મહાત્મા ગાંધીજીના વિચારો મુજબ “આપણે આપણા વડવાઓ પાસેથી ધરતી, હવા, જમીન અને પાણી વારસામાં નથી મેળવ્યા, પરંતુ તે આપણા સંતાનો પાસેથી ઉધાર પર મેળવ્યા છે, તેથી આપણે આ સંસાધનો ઓછામાં ઓછી એવી જ સ્થિતિમાં આવનારી પેઢીઓને સોંપવી પડશે જે રીતે આપણને આપણા વડવાઓ પાસેથી મળી છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: