“તારકોનું આખું બાલમંદિર છૂટે છે.
પણ એમાંથી એકેય મારે ઘેર ભૂલું પડતું નથી.”
“ચાલે છે માત્ર સમય
આપણે તો માત્ર એનાં પગલાં છીએ.”
“હું પરદેશમાં ટકી રહી છું તે કવિતાને કારણે… મારે જો ઓછામાં ઓછા શબ્દો દ્વારા મારી કવિતા વિશે કંઇ પણ કહેવાનું હોય તો હું એટલું જ કહીશ કે કવિતા એ મારી એંશી વર્ષની મા છે, મારી મિત્ર છે, મારા થાકેલા હૃદયનું પરમ ધામ છે. આશ્વાસનનો શબ્દ જેટલો મને કવિતા પાસેથી મળ્યો છે એટલો મનુષ્ય પાસેથી નથી મળ્યો. છતાં આશ્વાસન મેળવવા માટે જ કવિતા લખું છું એવું પણ સાવ નથી. આશ્વાસન માટે હું કવિતાનો ઉપયોગ નથી કરતી કે મારી કવિતાનો પણ એ નિમિત્તે દુરુપયોગ નથી કરતી. મારો અને કવિતાનો સંબંધ દુનિયાદારીના ગણિતથી જુદો છે.”
– પન્ના નાયક (સુરેશ દલાલ સંપાદિત “અબ તો બાત ફૈલ ગઈ’માંથી… પૃષ્ઠ. 211)
ચકમક ઘસાય કે દીવાસળી સળગે ને જ્વાળા ભભૂકી ઊઠે- બરાબર એ બિંદુ પર હું તને લઈ જવા માંગુ છું. જો, મારી હથેળી નરી શૂન્ય અત્યારે તો. હું હાથ લંબાવું છું. આ લંબાવેલા હાથને થોડીક અપેક્ષા છે એને વિશ્વાસ છે કે એ મહોરી ઊઠશે તારા હાથની સુવાસથી પછી દુનિયા મૂંગી-બહેરી મટી જશે ને હું મૌનનું પ્રથમ આકાશ પાર કરી ગઈ હોઈશ.
–પન્ના નાયક
“હું પરદેશમાં ટકી રહી છું તે કવિતાને કારણે… મારે જો ઓછામાં ઓછા શબ્દો દ્વારા મારી કવિતા વિશે કંઇ પણ કહેવાનું હોય તો હું એટલું જ કહીશ કે કવિતા એ મારી એંશી વર્ષની મા છે, મારી મિત્ર છે, મારા થાકેલા હૃદયનું પરમ ધામ છે. આશ્વાસનનો શબ્દ જેટલો મને કવિતા પાસેથી મળ્યો છે એટલો મનુષ્ય પાસેથી નથી મળ્યો. છતાં આશ્વાસન મેળવવા માટે જ કવિતા લખું છું એવું પણ સાવ નથી. આશ્વાસન માટે હું કવિતાનો ઉપયોગ નથી કરતી કે મારી કવિતાનો પણ એ નિમિત્તે દુરુપયોગ નથી કરતી. મારો અને કવિતાનો સંબંધ દુનિયાદારીના ગણિતથી જુદો છે.”
“મારી કવિતા ભલે ભીતરના ધખતા બપોરની કે વિષાદને લઈ આવતી તેજછાયાના મિશ્રણ જેવી સાંજની કે રાતના કણસતા અંધકારમાં નહીં ઓગળેલી દીવાલની હોય છતાં પણ મારી મોટા ભાગની કવિતા વહેલી સવારે જ ઊઘડી છે.”
“ગુજરાતી સાહિત્યની ભૂમિકા તો મારી પાસે હતી જ. પણ અહીં ફિલાડેલ્ફીઆમાં રહ્યાં રહ્યાં લાઇબ્રેરીમાં નોકરી કરતાં કરતાં, પુસ્તકો જેવા અનાક્રમક મિત્રોની વચ્ચે જીવતાં જીવતાં, અચાનક એક દિવસ અમેરિકન કવયિત્રી Anne Sextonનો કાવ્યસંગ્રહ ‘Love Poems’ (1967) મારી આંખે વસી ગયો. એનાં કાવ્યો હું વાંચતી જાઉં અને એ વાતાવરણમાં ડૂબતી જાઉં. જાણે કે મારા ખોવાઈ ગયેલા beingનો ક્યાંક એમાં તાળો મળતો હોય એવું અનુભવતી જાઉં. ટીવી પર પણ જો એનો કાર્યક્રમ હોય તો કદી ન ચૂકું. એક સ્ત્રી પોતા વિશે કોઈ પણ પ્રકારના નિષેધ વિના કેટલી હદે બેધડક બયાન કરી શકે છે એનો ખ્યાલ મને આવ્યો. એનાં કાવ્યોમાં ગર્ભાશયની વાતો, masturbation અને menstruationની વાતો એ છોછ કે સંકોચ વિના કરી શકે છે – દંભના પડદા ચીરીને. હું એ પણ સમજું છું કે આવી વાતો કરવાથી જ કવિતા નથી થતી. પણ અંદરનું કોઈ તત્વ આવી વાતોની અભિવ્યક્તિ માટે ધસમસતું આવતું હોય તો કેવળ સામાજિક ભયથી એનો ઢાંકપિછોડો કરવો એ કલાકારને ન છાજે એવી કાયરતા છે.”
તેમના વિશે વિશેષ
અમેરીકન કવયિત્રી એન સેક્સટનનો એમનાં પર વિશેષ પ્રભાવ
1972થી કવિતા લખવાની શરૂઆત કરેલી
કશા જ સંકોચ અને છોછ વિના એકદમ પારદર્શી લખનાર લોકપ્રિય કવયિત્રી
એમની ઘણી કવિતાઓ અને ટૂંકી વાર્તાઓનું અંગ્રેજી રૂપાંતર પણ થયું છે જેમાંની ઘણી અમેરીકાના ઘણા મેગેઝીનોમાં પણ છપાયેલ છે.
‘સ્નેપશૉટ’, એ એમનું પ્રથમ કાવ્ય 1971માં લખેલું અને મુંબઈ ‘કવિતા દ્વૈમાસિક’માં 1972માં પ્રથમવાર છપાયેલું
મુંબઈની SNDT યુનિવર્સિટીમાં એમનાં ‘પ્રવેશ’, ‘ફિલાડેલ્ફિઆ’, ‘નિસ્બત’ અને ‘આવનજાવન’ પુસ્તકોનું વાંચન વિદ્યાર્થીઓ માટે ફરજિયાત છે.
એમનાં ઘણા કાવ્યો ભારતની ઘણી શાળાઓનાં પાઠ્યપુસ્તકોમાં પણ સ્થાન પામ્યાં છે.
એમનાં કાવ્યોમાં વિષાદ વધુ છે, માતૃત્વની સ્ત્રીસહજ ઝંખના છે, અને ભારતનો ઝુરાપો પણ છે.
સામાજિક ટીકાઓની પરવા કર્યા વિના વોશિંગ્ટન ડી.સી. ના નાણાંકીય કન્ટ્રોલર શ્રી. નટવર ગાંધી સાથે ફરીથી લગ્ન.
યુવાન વયે… આઘેડ વયે…
શોખ
ગીત-સંગીતનો નાનપણથી શોખ
મુખ્ય રચનાઓ
કાવ્યસંગ્રહો – આગળનાં અપ્રાપ્ય પાંચ સંગ્રહો: ‘પ્રવેશ’ * (1976), ‘ફિલાડેલ્ફીઆ’ (1980), ‘નિસ્બત’ (1984), ‘અરસપરસ’ (1989), ‘આવનજાવન’ (1991); અને આ પાંચેય સંગ્રહોને એક જ પુસ્તકમાં સમાવતો એમની સમગ્ર કવિતાનો સંગ્રહ એટલે ‘વિદેશિની’ (2000); ચેરી બ્લોસમ્સ (2004), અત્તર અક્ષર, હાઈકુસંગ્રહ
Pingback: પન્ના નાયક વિશે વધુ… Panna Naik more… « ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: ગાગરમાં સાગર » Blog Archive » (એકવીસમી સદીની મીરાં) - પન્ના નાયક
Pingback: અનુક્રમણિકા - પ « ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: મંજૂર નથી - પન્ના નાયક « પન્ના નાયકનાં કાવ્યો
Pingback: પન્નાનાયકનાં કાવ્યો » Blog Archive » મંજૂર નથી - પન્ના નાયક
Res.Pannaben,
Nice to meet indirectly to you.
Pl.let me know your email id if you pl.
Ajit Desai,Jamnagar,India
પન્નાબહેન ૬ માર્ચ ૨૦૧૧ દિવ્યભાસ્કરની રવિવારની પૂર્તિમાં સાહિત્ય વિશેષ કોલમમાં ભોળાભાઈ પટેલે અમેરિકાવાસી કેટલાંક ગુજરાતી સર્જકો પુસ્તકની ચર્ચા કરી છે . જેમાં આપના વિશે ટુંકમાં પણ સરસ જાણકારી અપાઈ છે તે બદલ આપને શુભેચ્છાઓ . આપની કવિતાઓની નોંધ પ્રિન્ટ મીડિયાએ લીધી તે જાણી આનંદ થયો .
Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: નારી પ્રતિભાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય