– ખરો પારસમણિ તો આપણા અંતરમાં રહેલો છે. આપણી પોતાની અંદર જ એવી કોઇક વસ્તુ રહેલી છે, કે જેના સંબંધમાં આપણે આવીએ, તો આપણી જિંદગી બદલાઇ જાય; આપણે પોતે જેવા હોઇએ તે મટી જુદા જ બની જઇએ. માનવમાંથી જાણે દેવ બની જવાય.
– વિકીપિડિયા ઉપર
– તેમણે કરેલ શ્રી. અરવિંદના લેખનો એક અનુવાદ.
– ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ ઉપર
—————————————————
જન્મ
- ૨૬,મે-૧૮૯૪; સુરત
- વતન – ભરૂ્ચ
અવસાન
- ૧૧, ડિસેમ્બર – ૧૯૬૫; પોંડિચેરી
કુટુમ્બ
શિક્ષણ
- પ્રાથમિક – ભરૂચ
- ૧૯૦૯ – મેટ્રિક
- ૧૯૧૩– ફિઝિક્સ અને કેમિસ્ટ્રી સાથે બી.એ.
વ્યવસાય
- સમગ્ર જીવન સમાજસેવા અને યોગસાધનામાં સમર્પિત
તેમના વિશે વિશેષ
- વડીલબંધુ છોટુભાઈ સાથે ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના પ્રારંભક અને પ્રસારક
- ભારતની સ્વતંત્રતા માટે જન જાગૃતિ અને બોમ્બ પ્રવૃત્તિમાં અગ્રેસર
- શ્રી. અરવિંદે ભારતની સ્વતંત્રતાની ખાતરી અપાવ્યા બાદ સમગ્ર જીવન અરવિંદ આશ્રમને સમર્પિત
- ૧૯૩૮-૧૯૫૦ શ્રી. અરવિંદના અંગત સહાયક
- ૧૯૨૨થી આમરણ – પોંડિચેરી આશ્રમમાં યોગસાધના અને આશ્રમમાં સેવા
રચનાઓ
- વાર્તા– દર્પણના ટુકડા, ઉપનિષદની વાતો
- ચરિત્ર – મણિલાલ નથુભાઈ દ્વિવેદી, શ્રી. અરવિંદ જીવન
- પ્રવાસ વર્ણન – ઇન્લેન્ડની સંસ્કારયાત્રા, પથિકનો પ્રવાસ – તેવીસ વર્ષ પછી, પથિકની સંસ્કારયાત્રા (દક્ષિણ આફ્રિકા)
- પત્રસાહિત્ય – પથિકના પત્રો, પત્રોની પ્રસાદી, પત્રસંચય ( સુંદરમ્ સાથેનો પત્રવ્યવહાર) , પુરાણીના પત્રો
- નિબંધ – પથિકનાં પુષ્પો, ચિંતનનાં પુષ્પો, સમિત્પાણિ
- આધ્યાત્મિક – યોગિક સાધના, મા, વિજ્ઞાનયોગ, પૂર્ણયોગની ભૂમિકાઓ, પૂર્ણયોગ નવનીત, ભક્તિયોગ, સૂત્રાવલી સંગ્રહ, શ્રી.માતાજી સાથે વાર્તાલાપ, પૂર્ણયોગનો જ્ઞાનયોગ, પૂર્ણયોગના પ્રકાશમાં, સવિત્રીગુંજન,
- અનુવાદ– રવીન્દ્રનાથ ટાગોરનાં સંસ્મરણો, સાધના, સંયમ અને ભક્તિમાર્ગ
- English
- The Life of Sri Aurobindo. Pondicherry: Sri Aurobindo Ashram, 1958.
- Evening Talks with Sri Aurobindo. Pondicherry: Sri Aurobindo Ashram, 1959.
- Lectures on Savitri: lectures delivered in the United States. Pondicherry: Sri Aurobindo Ashram, 1967.
સાભાર
- ગુજરાતી સાહિત્યકોશ
- ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ
- વિકીપિડિયા
.
આ પરિચય લખતાં ૧૯૫૨માં બા/ બાપુજી સાથે પોંડિચેરી આશ્રમની મુલાકાત તાજી થઈ ગઈ. તે વખતે અંબુભાઈ, પૂજાલાલ , ગિરધરલાલ અને સુંદરમને જોયા હતા; તે યાદ આવી ગયું.
આપે અરવિંદ આશ્રમની મુલાકાત લીધેલ છે , તે જાણી ખુબ આનંદ થયો . અંબાલાલ પુરાણી વિષે ઈન્ટરનેટ જગતમાં ખુબ જ ઓછી માહિતી ઉપલબ્ધ છે 😦
Reblogged this on My Blog and commented:
Suprabhatam to all. I would like to introduce shri.Ambubhai Puraniji as he was one of spreading out activities of keeping mind and body healthy through the activities of physical education. I salute him.
Pingback: છોટુભાઈ પુરાણી, Chhotubhai Purani | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: દેશભક્ત | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સમાજ સુધારક/ સમાજ સેવક | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકાર – પ્રવાસ વર્ણનકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
ગઇકાલના પ્રવાસ લેખકો કરતાં આજના પ્રવાસલેખકો વિષે લખશો તો વધુ આનંદ આવશે. દા.ખ પૂર્વી મોદી મલકાણ, પ્રતિક્ષા થાનકી, ભારતી રાણે વગેરે
Puranijini dikarinu nam?
Want to know the daughter’s name who lived with him in Sri Aurobindo Ashram.